5.19.2024

મહાનગરપાલીકામાં કમિશનરને નોટીસ વગર દબાણો/અવરોધો દૂર કરવાની સત્તા

 

વરસાદી પાણીના નિકાલ અને Harvesting અંગેની જોગવાઈઓ


- લોકાભિમુખ માર્ગદર્શન - - એચ.એસ. પટેલ IAS (નિ.)

- મહાનગરપાલીકામાં કમિશનરને જીપીએમસી. એક્ટની કલમ-૨૩૦ હેઠળ નોટીસ વગર દબાણો/અવરોધો દૂર કરવાની સત્તા


પ્રવર્તમાન સમયમાં કુદરતી વરસાદી પાણીના નિકાલના પ્રશ્નો અંગે વહિવટી તંત્ર, મ્યુનિસીપલ શાસન અને જાહેર જનતાએ પડકારોનો સામનો કરવો પડે છે. આ અંગે Multi-Dimensional વિવિધ પાસાંઓને ધ્યાનમાં લેતા ઉપાયાત્મક પગલાં લેવાના થાય છે. છેલ્લા ૨૦ વર્ષથી વરસાદનું Pattern બદલાયું છે અને તેમાં Global Warming – Cloud bursting, Low Pressure જેવી બાબતોથી Active Monsoon June-5થી ઓક્ટોબર સુધી રહેતું તેમાં આમુલ પરિવર્તન આવ્યું છે. જો Rainfall ના ૧૦૦ વર્ષના ડેટાનો અભ્યાસ કરવામાં આવે તો છેલ્લા ૨૦ વર્ષમાં વરસાદી Patternમાં બદલાવ આવ્યો છે. પ્રણાલીકાગત સ્વરૂપે અને સંસ્થાકીય સ્વરૂપે વાતાવરણમાં થતાં બદલાવ અંગે ભારત સરકાર અને રાજ્ય સરકારોએ પણ Climate Change જેવા અલગ વિભાગો શરૂ કર્યા છે. 

વૈશ્વિક કક્ષાએ જુદા જુદા Convention મળે છે જેમાં Rio / Kyoto Protocolltના નામે ઓળખાય છે. અને જેમ સંયુક્ત રાષ્ટ્ર સંઘ  UNO – Teeth less Organisation તરીકે બિનઅસરકારક સાબિત થઈ રહ્યું છે. વિશ્વની મહાસતાઓ Veto Power વાળા દેશો છે તેમ અમલીકરણની દિશામાં નહિવત પરિણામો છે આપણા દેશ અને ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો હવામાન અને ચોમાસાની ગતિવિધી માટે Indian Meteorological Institute  છે અને હવે વૈજ્ઞાનિક ઢબે નિરિક્ષણ થતાં મોટાભાગે હવામાન / વર્ષાઋતુ ચક્ર અથવા તો વાવાઝોડા Low Pressure જેવી બાબતોને Forcast  કરવામાં આવે છે. વરસાદને લાગુ પડે છે તેની સાથે ભારત સરકારનું Central Water Commission – CWC છે તે દેશની તમામ નદીઓ Basin  દા.ત. નર્મદા, મહિ, તાપી કે જે આંતરરાજ્યમાંથી પસાર થાય છે. 

તે તમામ નદીઓના ઉદભવસ્થાનથી જ્યાં મળે ત્યાં સુધી Hydrological –  વરસાદના માપનના ભાગરૂપે Water Gauging Station આપેલ હોય છે અને તે અનુસાર નદીઓના પાણીના Level  અંગે જાણકારી મળે છે અને આઝાદી મળ્યા બાદ Flood Mitigation અને સિંચાઈના બન્ને હેતુ માટે ડેમના નિર્માણ (મોટા બંધ) કરવામાં આવ્યા એક સમયમાં મુંબઈ રાજ્ય વખતે મહિનદી ઉપર વણાકબોરી રીઝર્વાયર બનાવવામાં આવ્યો તે જ રીતે કડાણા અને પાનમ ઉપર મહિનદી ઉપર મોટા જળાશયના નિર્માણ કરવામાં આવ્યા. તે જ રીતે તાપી નદી ઉપર કાકરાપાર અને ઉકાઈ ડેમ પણ પુર નિયંત્રણ સાથે સિંચાઈની ક્ષમતાઓ ઉભી કરવામાં આવી.

છેલ્લા ૨૦ વર્ષ દરમ્યાન વરસાદના Pattern માં બદલાવ આવવાના કારણે અગાઉ ગુજરાતમાં દક્ષિણગુજરાતમાં વધારે વરસાદ પડતો તેના બદલે હવે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરતમાં Cloud Bursting  અને Low Pressureના કારણે અસાધારણ વરસાદ પડે છે અને તેના કારણે સૌરાષ્ટ્રમાં અગાઉ જે ડેમ બનાવવામાં આવેલ છે તેની ક્ષમતા જે તે સમયના Rainfallના ડેટા આધારે નિર્માણ કરવામાં આવેલ છે. એટલે હવે નવીન સ્વરૂપે Hydrological Survey કરી આયોજન કરવું જરૂરી છે. હવે વરસાદી પાણીના પ્રશ્નના નિકાલની બાબતનું પ્રશ્ન સ્વરૂપે વિવરણ કરીએ તો અગાઉના નદી / નાળા / કુદરતી વહેણ Natural Course ની પાણીની વહન શક્તિ જે તે વિસ્તારના વરસાદી આધારિત હતી અને સૌથી અગત્યની બાબતતો એ હતી કે નદી / નાળા / કોતર ઉપર અનધિકૃત અવરોધો ન હતા અને કદાચ પુરની સ્થિતિ આવે તો ક્ષણિક સ્વરૂપે હતી. 

ખાસ કરીને શહેરીકરણ અને ઔદ્યોગિકરણને કારણે જેમ અન્ય પ્રશ્નો ઉપસ્થિત થયા છે તે સાથે શહેરો કે ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતી નદી / નાળા / ખાડી / વાંકડા / પાણીના વહેણમાં દબાણો સાથે અવરોધ પેદા થયા છે અને ખેતવિષયક જમીનોમાં પણ મોટાપાયે બાંધકામો થવાથી પાણીનો કુદરતી સ્વરૂપે નિકાલ થતો નથી.

હવે કાયદાકીય જોગવાઈઓ જોઈએ તો અંગ્રેજોના સમયમાં ઘડાયેલ મામલતદાર કોર્ટ એક્ટ-૧૯૦૫ જો કોઈપણ વ્યક્તિ પાણીના વહેણમાં અવરોધ પેદા કરે તો તાત્કાલીક કાર્યવાહી કરી અવરોધો દુર કરવાની અમાપ-અમર્યાદિત સતાઓ આપવામાં આવેલ છે.

 આ જ રીતે શહેરોમાં મહાનગરપાલીકા વિસ્તારમાં મ્યુનિસીપલ કમિશ્નરને જીપીએમસી એક્ટજીપીએમસી એક્ટની કલમ-૨૩૦/૨૩૧ હેઠળ નોટીસ વગર પણ પાળીના વહેણનાં થયેલ અવરોધોને દુર કરવાની સત્તાઓ છે. ફક્ત વહિવટીતંત્રની ઈચ્છાશક્તિની જરૂર છે. વડોદરા શહેરની વાત કરીએ તો શહેરમાંથી પસાર થતા મુખ્ય કાંસા ભુખી, મસીહા, રૂપારેલા વિશ્વમિત્રી નદી અને શહેરમાં આવેલ મુખ્ય તળાવો Floodના Mitigation  અને પાણીના વહન માટે પર્યાપ્ત હતા.

અમારા ડેપ્યુટી મ્યુનિસીપલ કમિશ્નર અને મ્યુનિસીપલ કમિશ્નરના કાર્યકાળ દરમ્યાન આ બધાં જ કાંસ ઉપરના દબાણો મોટાપાયે દુર કરાવેલ હતા. વડોદરા શહેરમાં જે વરસાદી પાણીમાં કુદરતી સ્વરૂપે નિકાલમાં / ક્ષમતામાં વડોદરા શહેરની બહાર નેશનલ હાઈવે બાયપાસ કરવામાં આવ્યો અને નર્મદા કેનાલને કારણે જે તે સમયે પાણી જાબુંવા નદી અને મહિ નદીમાં જતું તેના બદલે શહેરમાં આવે છે અને તેના કારણે પ્રશ્નો ઉપસ્થિત થયા છે તે જ રીતે સુરતના તાપી શહેરમાં પુરની સ્થિતિ થાય છે તેમાં નદીના Banking અને ખાડી ઉપરના દબાણોને કારણે પુરની સ્થિતીનું નિર્માણ થાય છે. 

શહેરોની Storm Water વરસાદી પાણીના નિકાલના પ્રશ્નો સૌથી વિકટ છે. અને ભાવિલક્ષી સ્વરૂપે લાંબાગાળાના આયોજનની જરૂર છે. અને નિયમિત સ્વરૂપે જાળવણી Maintenance કરવું જરૂરી છે તે અંગે આગામી લેખમાં વિવરણ કરીશું.

(ક્રમશઃ)

મહેસુલી કેસમાં સિવિલ કોર્ટનો મનાઇ હુકમ હોય એવા કિસ્સામાં રેવન્યુ અધિકારી કોઇ નિર્ણય લઇ શકતા નથી

 મહેસૂલી કોર્ટના જુના ચુકાદા પરથી મળી જતા જમીન-મિલકતોની ઘણી તકરારોના ઉકેલ


તમારી જમીન, તમારી મિલકત 

 નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ)


બ્રિટીશ સરકાર વખતે હિન્દુસ્તાનમાં ઘડેલો તૈયાર થયેલો કાયદો જેવો કે મુંબઈ જમીન મહેસુલનો કાયદો અમલમાં આવ્યો હતો, જેમાં ભારત દેશની આઝાદી બાદ ઘણા ઓછા સુધારાઓ આવ્યા છે. ખાસ કરીને ગુજરાત મહેસુલ કાયદામાં છેલ્લાં ૨૦ વર્ષથી ઘણા સુધારા થયેલા છે. સમય જતાં સ્થિતિ-પરિસ્થિતિઓ બદલાતાં ગુજરાત સરકાર તરફથી જમીન-મહેસુલ કાયદા નિયમોમાં સુધારાઓ થયેલા છે, જે સરાહનીય છે.

મામલતદાર કચેરી મહેસુલી કેસો માટેનું પ્રથમ પગથિયું ગણી શકાય. મામલતદારે લીધેલા નિર્ણયો ઉપર અપીલ, રિવિઝન વગેરેની કાર્યવાહી થાય છે. તેથી મામલતદારના નિર્ણયો કાયદાની જોગવાઈઓ સાથે સુસંગત હોવા જોઈએ અને તે આમ આદમીને સીધા સ્પર્શે છે. આ માટે અનુભવને આધારે તારવેલા કેટલાક મુદ્દાઓ મુજબ પ્રક્રિયા હાથ ધરવામાં આવે તે ઈચ્છનીય છે. નીચે મુજબના કેટલાક મુદ્દાઓ અનુસરવા અત્રે પ્રસ્તુત છે.

(૧) દિવાની અદાલત સમક્ષ કાર્યવાહી ચાલતી હોય તેવી બાબત અંગેની અરજી મહેસૂલી કાયદા હેઠળ રજુ થાય તેવા કિસ્સામાં અપનાવવાની કાર્યપદ્ધતિઃ

(૧) ૧૮૭૯નો મુંબઈના મહેસૂલી હકુમત બાબતોના કાયદા (REVENUE JURISDICTION ACT, 1876) મુજબ દિવાની કોર્ટોને મુંબઈના જમીન મહેસુલ કાયદા નીચે મહેસૂલી અમલદારોએ નિકાલ કરેલી 

લગભગ બધી જ બાબતોમાં નિર્ણય કરવા હકુમત છે.

(૨) દાવેદાર જ્યાં સુધી એમ સાબિત ન કરે કે તેણે મહેસૂલી કાયદા મુજબ મહેસૂલી અમલદારો સમક્ષની અપીલ અંગેના બધા ઈલાજો પૂરા કરી લીધા છે ત્યાં સુધી દિવાની કોર્ટ દાવો રાખવાનો રહેશે નહીં.

(3) આ જોગવાઈઓને કારણે દિવાની કોર્ટમાં દરેક બાબત માટે દાદ લેવા જવાનું અટક્યું છે અને જમીન-મિલકતોની તકરારોની ઘણી બાબતો મહેસૂલી કોર્ટના ચુકાદાથી નિર્ણય થઈ જાય છે.

(४૪) કોઈપણ દિવાની અદાલત સમક્ષ કાર્યવાહી ચાલતી હોય તેવી બાબત અંગેની અરજી મહેસૂલી કાયદા હેઠળ રજુ થાય તેવા કિસ્સામાં ઉક્ત અરજી અંગે દિવાની કોર્ટમાં કોઈ મનાઈ હુકમ છે કે કેમ ? તે બાબત તપાસી લેવી જરૂરી બને છે.

(૫) મનાઈ હુકમની અધિકૃત નકલ અરજી અને કેસ સાથે સામેલ રાખી છે કે કેમ તે જોવું. જો સિવિલ કોર્ટનો મનાઈ હુકમ હોય તો રેવન્યુ અધિકારીએ નિર્ણય લેવો યોગ્ય ગણાશે નહિં, કારણ કે તે બાબતે દિવાની કોર્ટના હુકમની અવગણના થશે.

(૬) પરંતુ જે કિસ્સામાં કોઈપણ કોર્ટે મનાઈ હુકમ ન આપ્યો હોય અને ફક્ત પક્ષકારની અરજી દાખલ કરેલી હોય તેવા કિસ્સામાં મહેસુલી કોર્ટમાં રજૂ થયેલી અરજી અંગે મહેસૂલી અધિકારી અરજીના ગુણદોષ કે પુરાવાઓ આધારે ન્યાયપૂર્ણ નિર્ણય લઈ શકે છે.

(૨) મહેસૂલી કાયદા હેઠળના કેસોના નિકાલ પરત્વે અનુસરવાની કાર્યપદ્ધતિ વિષે :

(৭૧) નિયત નમુનામાં નોટીસ કાઢવી - આપવી.

(૨) કેસના તમામ પક્ષકારોને ફરજિયાત નોટીસ બજાવવી જોઈએ.

(3) રેકર્ડ ઉપર હિત ધરાવનાર પક્ષકારો હોય તો તેમને પણ નોટીસ બજાવવી.

(४૪) જ્યાં સરકારનું હિત સમાયેલું હોય ત્યાં સરકાર નિયુક્ત અધિકારી - કર્મચારીને નોટીસ બજાવવી. જયાં કોઈને અધિકૃત કરવામાં ન આવેલ હોય ત્યાં કલેકટરને નોટીસ બજાવવી.

(૫) કોઈપણ પક્ષકાર ગુજરી ગયેલા હોય તો તેના વારસોને રેકર્ડ ઉપર લાવી તેમને નોટીસ બજાવવી. કાયદા મુજબ મૃત વ્યક્તિની વિરુદ્ધમાં કરવામાં આવેલા કોઈપણ હુકમ ન લીટી હુકમ ગણાય છે, જે કોઈ પક્ષકારનું અવસાન થયું હોય તો કેસના પક્ષકારોની પણ તેની જાણ અધિકારીને કરવી જરૂરી છે.

(૬) દરેક પક્ષકારોને નોટીસ બજ્યાનો આધાર રેકર્ડ ઉપર રાખવો જરૂરી છે.

(૭) કેસનું પ્રોસિડીંગ્ઝ નિયમિત અને વિગતવાર લખવું ફરજિયાત છે.

(1८) કેસ પેપર્સને પાના નંબર તથા આંક નંબર આપવા જોઈએ.

(2)  કેસના ચુકાદાની લેખિત જાણ સંબંધકર્તા તમામ પક્ષકારીને કરવી અને જાણ થયાનો આધાર રેકર્ડ ઉપર રાખવો તેની પ્રોસિડીંગ્સમાં નોંધ કરવી. જ્યાં સરકાર પક્ષકાર હોય ત્યાં સંબંધકર્તાને હુકમની જાણ કરવી જોઈએ.

(૧૦) ચુકાદા પછી અપીલ / રીવીઝન ન થાય તો તાત્કાલિક તમામ કાગળો પાના નંબર આપીને જે તે ઓથોરિટીને પહોંચાડવા અને તેની લેખિત પહોંચ મેળવવી. હાલમાં કાગળો મળતા નથી. એવો જવાબ બેજવાબદારી સૂચક છે. વારંવાર પત્રો / યાદીપત્રો લખવા છતાં / કેસનું રેકર્ડ ન મોકલવાનું કૃત્ય શિસ્તભંગ સમાન તથા શંકાસ્પદ વર્તણૂક ગણવાપાત્ર છે.

(૧૧) એપેલેટ / રિવિઝનલ ઓથોરિટીનો હુકમ મળ્યેથી તે મુજબ આગળની કાર્યવાહી કરવી તથા તે હુકમ મુજબ પક્ષકારોને નોટીસ બજાવી ગામ દફતરે નોંધ પડાવવી.

(૧૨) કોઈપણ એપેલેટ / રિવિઝનલ ઓથોરિટીમાંથી મનાઈ હુકમ મળેલો હોય તો તે અંગે ૭-૧૨ માં નોંધ રાખવા ઈ-ધરા કેન્દ્રમાં તથા તલાટી કમ મંત્રીને જાણ કરવી જોઈએ.

(૧૩) જ્યારે ટ્રાયલ કોર્ટમાં કેસ ચાલે ત્યારે પક્ષકારોની સોગંદ ઉપર જુબાની લેવી. પક્ષકારો દ્વારા અસલ ડોક્યુમેન્ટ કે સેકન્ડરી પુરાવા જ રજુ થાય તેવો આગ્રહ રાખવો. ઝેરોક્ષ / પ્રમાણિત દસ્તાવેજો પુરાવા તરીકે સ્વીકારવા નહીં.

(૧૪) કાયદાની જોગવાઈઓ, નિયમો, સરકારશ્રીના ઠરાવો અને પરિપત્રોનો પૂર્ણ અભ્યાસ કરીને જ તે કાયદા અન્વયેની કાર્યવાહી કરવી અને નિર્ણયના તબકકે કાયદાની જોગવાઈ અચૂક ફરીથી જોવી જોઈએ.

(૧૫) અગાઉનો હુકમ અને રજુ થયેલી અરજીમાં નક્કી કરવાના મુદ્દાઓ એક જ વિષય વસ્તુને લગતા અને એક સમાન હોય તો તેને પૂર્ણ નિર્ણય (Resjudicata) બાધ નડે છે. તે સંજોગોમાં માત્ર અરજદારને તે અંગે ખુલાસો કરવાની તક આપી પ્રાથમિક રીતે કેસનો નિર્ણય લેવો જોઈએ.

(૧૬) બીજી વખતે કરનારને તેના અગાઉના કબુલાતોને લીધે પ્રિન્સીપાલ ઓફ એસ્ટોપલનો બાધ નડે છે કે નહીં, તેની ખાતરી પણ અગાઉના રેકર્ડથી કરવી જોઈએ. 

(૧૭) નવી અને અવિભાજ્ય શરત અગર પ્રતિબંધિત સત્તાપ્રકારની જમીનના કિસ્સામાં નવી શરત નાબુદ કરવા માટે રજુઆત થાય ત્યારે અગાઉ જે કક્ષાના અધિકારીએ નવી શરત લાદવાનો હુકમ કરેલ હોય તે જ કક્ષાના અધિકારીને પોતાના હુકમમાં ફેરફાર કરવાનો કે સુધારવાનો અધિકાર નથી તેથી તેવા કોઈપણ હકુમત બહારના હુકમ કરવા જોઈએ નહીં.

(૩) લેન્ડ રેવન્યુ કેસો અંગેની કાર્યવાહી :

(૧)લેન્ડ રેવન્યુ કોડની કલમ-૬૫લેન્ડ રેવન્યુ કોડની કલમ-૬૫ મુજબ બિનખેતીની મંજુરી લીધા વગર ખાનગી જમીનમાં બાંધકામો થતા હોય છે તથા સરકારી જમીનમાં દબાણ કરીને અનઅધિકૃત બાંધકામ થતું હોય છે તથા સરકારી જમીનમાં દબાણ કરીને અનઅધિકૃત બાંધકામ થતું હોય છે. તેવા બાંધકામ તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરીને દૂર કરવા માટે કાર્યવાહી શરૂ કરવી જોઈએ. લાંબો સમય થયા પાછી આવા દબાણ / બાંધકામ દૂર કરવાની કાર્યવાહી સામે ઉપરની કોર્ટે તેમજ સિવિલ કોર્ટ તથા નામદાર હાઈકોર્ટના અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓના કારણે મુશ્કેલી ઊભી થાય છે. જેથી વિલંબ નિવારવો જોઈએ.

(૨) લેન્ડ રેવન્યુ કોડની કલમ ૩૭(૨) ની તપાસમાં સરકાર તરફે યોગ્ય અને જરૂરી પુરાવા રજુ કરવામાં ઘણી ઉદાસીનતા જોવા મળે છે. તેથી જવાબદાર અધિકારીએ તાબાના કર્મચારી / અધિકારીને જરૂરી માર્ગદર્શન આપી સરકાર પક્ષે સંપૂર્ણ અને યોગ્ય પુરાવા રજુ થાય તેની કાળજી રાખવી. ખાસ કરીને રેકર્ડ રજુ કરનારની જુબાની લેવામાં આવતી નથી. સરકાર તરફે રેકર્ડ રજુ કરી સંબંધકર્તાની જુબાની લેવી જોઈએ.

નોંધ:- (જમીન-મિલકત માટેના લેખોના સંદર્ભે વાચકોના કોઈ સૂચન કે પ્રશ્નો હોય તો ‘નવગુજરાત સમય’ ના નવા સરનામે (૧૦૧, પહેલો માળ, ઓમ શાયોના આર્કેડ, સિલ્વર ઓક કોલેજ પાસે, ગોતા, અમદાવાદ-૩૮૨૪૮૧) લેખિત રૂપે મોકલવા અથવા લેખકને ઈ-મેઈલ કરવા)

મિલકતની બક્ષિસ એટલે આપનાર માટે અને સ્વીકારનાર માટે જરૂરી માહિતી

  તમારી જમીન, તમારી મિલકત | નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ) thelaw_office@yahoo.com મિલકત તબદિલી અધિનિયમ-૧૮૮૨ માં મિલકતની બક્ષિસ અંગેના ઉચ્ચ કો...