6.26.2022

કબજા હક્કો અન્વયે મહેસૂલ વિભાગનું સ્પષ્ટીકરણ

 FOR GR CLIK HERE

કબજા હક્કો અન્વયે મહેસૂલ વિભાગનું સ્પષ્ટીકરણ

- તાલુકદારી નાબુદી અધિનિયમ અંગે

- લોકાભિમુખ માર્ગદર્શન : - એચ.એસ. પટેલ IAS (નિ.)

- મામલતદાર અને કૃષિપંચ દ્વારા ગણોતધારા હેઠળ જે નિર્ણય લેવામાં આવ્યો હોય તે બંધનકર્તા રહે છે  

અગાઉના લેખથી ચાલુ ...

ગુજરાત સરકારના મહેસૂલ વિભાગના તા.૨૭-૫-૨૦૨૨ના ઠરાવ ક્રમાંક - ઈનમ-૧૧૨૦૨૧/૫૨૮૦૩/છ અન્વયે જુદા જુદા સત્તા પ્રકાર (Tenures) નાબુદી અધિનિયમ હેઠળ સ્પષ્ટીકરણ કરતાં ઠરાવો / પરિપત્રો બહાર પાડવામાં આવ્યા છે. આઝાદી બાદ જમીન સુધારણાના ભાગરૂપે જમીન ઉપરના કબજેદારો / ગણોતીયા / જુદા જુદા ટેન્યોર હેઠળ ચાલતી જમીન ઉપર 'ખેડે તેની જમીન'ના સિધ્ધાંત ઉપર કાયમી હક્કો આપવાનો ઉદ્દેશ હતો. આવા જ પ્રકારનો તાલુકદારી ટેન્યોર એબોલીશન એક્ટ - ૧૯૪૯ હેઠળ તાલુકદારીના સત્તા પ્રકાર રદ કરવામાં આવ્યા અને કબજેદારોને જે હક્ક આપવામાં આવ્યા તેનું મહેસૂલ વિભાગના તા.૨૭-૫-૨૦૨૨ના ઠરાવથી સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. જેમાં આ તાલુકદારી કાયદો રદ થયાના અમલ પહેલાં એટલે કે તા.૧૮-૮-૧૯૫૦ પહેલાં તાલુકદારે ધારણ કરેલ જમીન અથવા તાલુકદારના ભાયા તે નિભાવ માટે વારસાગત રીતે ધારણ કરેલ કોઈપણ તાલુકદારી જમીન માટે જમીન મહેસૂલ અધિનિયમ અથવા અમલમાં હોય તેવા અન્ય કાયદાના અર્થમાં કબજેદાર ગણાશે આવી વારસાઈની રૂએ ધારણ કરેલી તાલુકદારી જમીનો જૂની શરતની ગણાશે. આજ રીતે તાલુકદારી એબોલીશન એક્ટમાં ઉમેરવામાં આવેલ કલમ-૫(એ) ૧(એ) મુજબ તાલુકદારી જમીનમાં જો કાયમી ગણોતીયો (Permanent Tenant) હોય અને સમયમર્યાદામાં તાલુકદાર અથવા તેમના ભાયા તે નક્કી કરેલ છ પટ્ટની રકમ ભરીને પ્રાપ્ત કરેલ કબજાહક્કવાળી જમીન પણ જૂની શરતની ગણાશે. પરંતુ આ કાર્યવાહી તા.૩૧-૩-૧૯૬૯ પહેલાં કરવાની હતી. આવી જમીનોમાં કાયમી ગણોતીયા તરીકેની નોંધ હતી અને આ ગણોતીયાને deemed purchaser ગણીને જમીન જૂની શરતે જ મળવાપાત્ર હતી. પરંતુ કોઈ કિસ્સામાં કાયમી ગણોતીયા હોય અને ગણોતધારા હેઠળ પટ્ટની રકમ અને જમીન મહેસૂલ લઈને તબદીલીના હક્કો સહિત એટલે કે તબદીલીના નિયંત્રણો પ્રતિબંધિત શરત સિવાય હક્ક આપવામાં આવ્યા છે. પરંતુ ૩૧-૩-૬૯ પછી અને ગણોતધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોય અને ૩૨ (એમ) નું ખરીદીનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હોય તો તેમાં મામલતદાર અને કૃષિપંચ દ્વારા ગણોતધારા હેઠળ જે નિર્ણય લેવામાં આવ્યો હોય તે બંધનકર્તા રહે છે અને તેમાં ગણોતધારો ૧૯૪૮ની જોગવાઈઓ લાગુ પડે છે.

તાલુકદારી નાબુદી અધિનિયમની કલમ-૫ એ (૧) (બી) મુજબ કનિ ધારણ કરનાર (Inferior holder) તાલુકદાર અથવા ભાયાતને જો કબજેદારે ત્રણ પટ્ટની રકમ ભરી હોય તો આવી જમીન તબદીલને પાત્ર એટલે કે જૂની શરતની ગણાય છે એટલે કે જેણે ત્રણ પટ્ટની રકમ ભરપાઈ કરેલ હોય તો તે અંગેની નોંધ મહેસૂલી રેકર્ડમાં પાડવામાં આવી હશે તો તેના આધારે જ આવી જમીન જૂની શરતની ગણાય છે એટલે આવી જમીનનું સ્ટેટ્સ સત્તા પ્રકાર નક્કી કરવાનો પ્રશ્ન નથી અને જેથી મહેસૂલ વિભાગે તા.૧૭-૩-૨૦૧૭ના પરિપત્રના પેરા નં.૭માં આ અંગે નિયંત્રિત સત્તા પ્રકાર જણાવેલ છે તે ધ્યાને લેવાપાત્ર નથી એટલે કે આવી જમીન જૂની શરતની ગણવાની છે. આ કાયદાની કલમ-૬ મુજબ તાલુકદારની સંપતિમાં તાલુકદારની માલિકીના હોય તેવા વાંટાની અંદર આવેલ ન હોય તેવા તેમજ તાલુકદાર સિવાય બીજા કોઈપણ વ્યક્તિને જે શરતે જમીનનો કબજો આપેલ હોય તે જમીનો સિવાયની જમીનો રાજ્ય સરકારને સંપ્રાપ્ત થાય છે અને તેનું નિયમન જમીન મહેસૂલ અધિનિયમની જોગવાઈઓ મુજબ કરવાનું છે.

આ સિવાય તાલુકદાર સત્તા પ્રકારની જમીન કલમ ૬ (૧) મુજબ સતત ત્રણ વર્ષ માટે પડતર હોય અને સરકાર દાખલ કરવામાં આવી હોય અને પાછળથી તાલુકદાર કે જમીનનો કબજેદાર પોતે જમીન ખેડતા હોય તેવું સાબિત કરે અને પ્રસ્થાપિત કરે તો કલેક્ટરે આ અંગેના મહેસૂલી રેકર્ડના ગામ નમુના નં. ૬ તેમજ ૭/૧૨થી ખાત્રી કરીને નિર્ણય કરવાનો છે. આમ છતાં મહેસૂલી દફતરમાં એટલે કે ગામના નમુના નં. ૭/૧૨માં જમીનના સત્તા પ્રકારમાં જૂની શરત દર્શાવેલ હોય તેવા કિસ્સાઓમાં હક્કપત્રકની નોંધ નં. ૬ માં પ્રતિબંધિત સત્તા પ્રકાર અથવા નવી શરતનું નિયંત્રણ હોવા છતાં શરતચૂકથી તેની અસર ૭/૧૨માં આવી હોતી નથી તેવું બની શકે છે અને આવી જમીનોનું વખતોવખત વેચાણ થયેલ હોય અને આવી નોંધો પ્રમાણિત કરવામાં આવી હોય તેવા સંજોગોમાં મહેસૂલ વિભાગના તા.૧૩-૭-૨૦૧૭ના પરિપત્રની જોગવાઈઓ મુજબ પ્રિમિયમ વસુલ કરવાપાત્ર થાય છે એટલે તાલુકદારી ગામોમાં આવેલ જમીનોની બાબતમાં તાલુકદારી સત્તા પ્રકાર નાબુદ થયા બાદ જમીનો બાબતમાં ચાલતા મહેસૂલી કેસો, આવી જમીનોમાં ખેતી સિવાયના ઉપયોગ માટે હેતુફેરની મંજૂરી વિગેરે નિર્ણયો લેવાના થાય ત્યારે મહેસૂલી રેકર્ડ તથા ઉક્ત તા. ૨૭-૫-૨૦૨૨ના ઠરાવની સૂચનાઓ ધ્યાને લઈ નિર્ણય લેવાનો થાય છે. આ જોગવાઈઓ તાલુકદારી ગામોના સત્તા પ્રકાર નાબુદ થવાથી જમીનધારકોની જાણકારી માટે ઉક્ત સ્પષ્ટતાઓ ઉપયોગી સાબિત થશે. મહેસૂલ અધિકારીઓ કાયદાના હાર્દ અને ઉક્ત સ્પષ્ટતાઓનું સાચા પરિપ્રેક્ષ્યમાં અર્થઘટન કરે તે જરૂરી. (ક્રમશ :)


1 comment:

  1. 80 વર્ષ જુનુ વારસાઇ માં મળેલ જુના ત્રણ ભાડવાતો ગુજરી ગયેલ જેનુ ભાડુ વર્ષે કુલ ૧૫૦૦/- થી ઓછુ આવતુ હતુ અને તેમના વરસો એ કબજો ન છોડેલ મકાન જર્જરીત થઇ પડીગયેલ છે અને કબજેદારો કબજો છોડવા વ્યક્તિ દીઠ ૪૦ લાખ જેવી માતબર રકમ માંગે છે તે બાબતે સલાહ આપવા વિનંતી-મોબાઇલ નંબર-૯૩૭૪૦૬૦૨૫૭

    ReplyDelete

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...