1.02.2024

1951થી જમીનોના ટાઈટલ ખરાઈ કરવા બાબતની મહેસૂલ વિભાગની કેટલી યથાર્થતા

 

- લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)

- જમીન ઉપરનો સ્વર્તાપણનો હક્ક Right to Revenue Titleકાયદો ઘડવો જરૂરી

'image.png' failed to upload. TransportError: Error code = 7, Path = /_/BloggerUi/data/batchexecute, Message = There was an error during the transport or processing of this request., Unknown HTTP error in underlying XHR (HTTP Status: 0) (XHR Error Code: 6) (XHR Error Message: ' [0]')

જમીન મહેસૂલ અધિનિયમ-૧૮૭૯ કે અન્ય જમીનને સંલગ્ન કાયદાઓ અંતર્ગત જમીન / મિલકત ઉપરના કબજાહક્ક નક્કી કરી આપતી બાબતો છે અને કાયદાઓનો ઉદ્દેશ જમીન ઉપરનું જમીન મહેસૂલ વસુલ કરવાની પ્રાથમિક બાબતો હતી અને તે વસુલ કરવાના ઉદ્દેશ માટે મહેસૂલી રેકર્ડનું વ્યવસ્થાપન  તંત્ર (Mechanism) અને કોની પાસેથી કેટલું મહેસૂલ ઉઘરાવવા માટે અદ્યતન સ્વરૂપે રેકર્ડ રાખવા ફેરફારનું  રજીસ્ટર તરીકે ઓળખાય તે Record of Rights હક્કનું પત્રક નમુના નં.૬ જ્યારે કોઈપણ વ્યવહાર કે જે વેચાણ, તબદીલી, વારસાઈ, વહેંચણી, વિભાજન, બોજો વિગેરે ઉપસ્થિત થાય તેની હક્કપત્રકના નિયમો મુજબ ફેરફાર કરવાની ખૂબ જ પ્રચલિત પ્રક્રિયા છે અને Universal Principle  તરીકે જમીન મહેસૂલને લગતા હક્કપત્રકના ફેરફાર એ Fiscal Purpose (નાણાંકીય હેતુ) અને તે Presumptive Value (માન્યતા આધારિત મૂલ્ય) એટલે કે વિરૂધ્ધનું પુરવાર ન થાય ત્યાં (Unless Contrary Proved) હક્કપત્રકના ફેરફારો માન્ય રાખવાના છે અને માલિકી હક્ક / હિસ્સા અંગે વિવાદ થાય તો તે નક્કી કરી આપવાની સતા ફક્ત સિવિલ કોર્ટને છે અને તેના હુકમ પ્રમાણે હક્કપત્રકમાં નોંધ થાય છે અને છેવટની સુપ્રિમકોર્ટ સુધીની ન્યાયિક પ્રક્રિયા પક્ષકારો દ્વારા જમીનોના માલિકી હક્ક માટે આચરણ કરવામાં આવતું હોય છે.


ઉક્ત પૂર્વભૂમિકા પાયાના Cardinal Principle તરીકે તમામ જમીન / મિલકત ધારકો અને સામાન્ય નાગરિક તરીકે જાણવી જરૂરી છે. રાજ્ય સરકારનો મહેસૂલ વિભાગ આમ તો Rules of Business સરકારના કામકાજના નિયમો અને ભારતના બંધારણની જોગવાઈઓ મુજબ 'જમીન' એ રાજ્ય સરકારનો (જમીન સુધારા કાયદાઓ સિવાય) વિષય છે (State Subject) અને તે અનુસાર રાજ્ય સરકાર જમીનને લગતા કાયદાઓ / નિયમો ઘડવા માટે સક્ષમ છે. સમયાંતરે જમીનના ઉપયોગમાં આમુલ પરિવર્તન આવવાનું છે. એક તબક્કે એવુ પણ કહી શકાય તે માનવીનું અસ્તિત્વ / જીવન ધોરણ ધરતીમાતા Mother Earth ઉપર નિર્ભર છે. હાલનો ગુજરાત પ્રદેશ મૂળ મુંબઈ રાજ્યનો ભાગ અને અંગ્રેજ શાસન વ્યવસ્થા દરમ્યાન મુંબઈ પ્રાન્ત હતો, સૌરાષ્ટ્ર / કાઠીયાવાડ તરીકે ઓળખાતો ભાગ-૧૯૫૬ સુધી ૨૨૨ દેશી રજવાડા ધરાવતો પ્રદેશ હતો. કચ્છ પણ 'સી' રાજ્ય ૧૯૫૬ સુધી હતું. ૧૯૬૦માં દ્વિભાષી મુંબઈ રાજ્યનું વિભાજન થતાં, ગુજરાત અસ્તિત્વમાં આવતાં મુંબઈ / સૌરાષ્ટ્ર / કચ્છ વિસ્તારમાં જમીનને લગતા જે કાયદા અસ્તિત્વમાં હતા તે આજે પણ અસ્તિત્વમાં છે. 

મહેસૂલ વિભાગ દ્વારા જે જમીન મહેસૂલ વસુલ કરવાનું વ્યવસ્થાતંત્ર અંગ્રેજ શાસન દરમ્યાન અપનાવવામાં આવેલ તેજ પાયાગત સ્વરૂપે ચાલુ છે અને તે મુજબ ખેતીવિષયક જમીનોનો બિનખેતીવિષયક હેતુ માટે જમીન મહેસૂલ અધિનિયમની કલમ-૬૫ મુજબ કલેક્ટરની ફક્ત બિનખેતીવિષયક આકાર નક્કી કરવાની જોગવાઈઓ છે અને તે અનુસાર સબંધિત જમીનનો કબજેદાર / પક્ષકાર દ્વારા કલેક્ટરને અગાઉ નિયત નમુનામાં અરજી કરવાથી રેકર્ડથી ખાત્રી કરીને બિનખેતીવિષયક પરવાનગી હુકમ કરવામાં આવતો તેમાં મહેસૂલ વિભાગે સરળીકરણ કરવાના ભાગરૂપે તેમજ પારદર્શક વહીવટના નામાભિધાન હેઠળ ઓનલાઈન પધ્ધતિ અપનાવવામાં આવેલ છે. આજ રીતે મહેસૂલ વિભાગે રેકર્ડનું કોમ્પ્યુટરાઈઝેશન કરવાના ભાગરૂપે સમગ્ર રેકર્ડ ઓનલાઈન ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. જેથી જમીનોનો નવી શરતનો (New Tenure) સત્તા પ્રકાર છે. (ગણોતધારાની કલમ-૪૩, સાંથણીની જમીનો - ૭૩એએ, સત્તા પ્રકાર, Tenure Abolition હેઠળની જમીનો ટોચમર્યાદા હેઠળ ફાળવેલ જમીનો તેવી જમીનોમાં ભુદાન હેઠળની જમીનોમાં સંપૂર્ણ પ્રતિબંધિત છે. તેવી જમીનોમાં તબદીલી માટે અને બિનખેતીવિષયક ફેરફાર કરવાના તબક્કે આવી જમીનો પ્રિમિયમને પાત્ર છે. ખેતવિષયક જમીનોમાં મહેસૂલ વિભાગ દ્વારા જે નવી શરતની જમીનો છે તેમાં ૧૫ વર્ષના કબજા આધારે આપોઆપ ખેતવિષયક હેતુ માટે જૂની શરતની (Old Tenure) ગણવાની જોગવાઈઓ છે અને આ અંગે સબંધિત તાલુકાના મામલતદારશ્રીએ ગામવાર નવી શરતની જમીનોનું રજીસ્ટર નિભાવીને જે જમીનોમાં ૧૫ વર્ષપૂરા થયા હોય તેવી જમીનોમાં સ્વમેળે (Suomoto) આપોઆપ જમીન જૂની શરતમાં ફેરફાર કરવાનો હુકમ કરીને ગામ દફતરે નોંધ કરવાની છે. પરંતુ મારી જાણકારી મુજબ હજુ પણ રાજ્યમાં ઘણા એવા ગામો છે અને જમીનધારકો છે કે તેઓની ખેતવિષયક જમીનો ૧૫ વર્ષ પૂરા થયા છતાં ખેતીવિષયક હેતુ માટે  જૂની શરતમાં ફેરફાર કરવાના હુકમો / નોંધ કરવામાં આવી નથી, મહેસૂલ વિભાગે ગુજરાતના જુદા જુદા જીલ્લાઓમાં વિવિધ સત્તા પ્રકારની જમીનો ખાસ કરીને વતન / ઈનામ / પસાયતા / ચાકરીયાત / દેવસ્થાન / દિવેલીયા / પાન્ડુમેવાસ વિગેરે જમીનો પ્રાથમિક તબક્કે જમીન મહેસૂલને પાત્ર બનાવી (Liable to Land Revenue) કબજાહક્ક આપવાના હતા અને છ પટ્ટની રકમ (ટોકન સ્વરૂપે) એટલે કે પટ્ટ એટલે નક્કી કરેલ મહેસૂલી આકારની રકમ ઔપચારિકતા સ્વરૂપે લેવાની હતી. આજે પણ પસાયતા / ચાકરીયાત જેવી જમીનો વસુલ કરવાની સમયમર્યાદા વધારવામાં આવે છે અને કોઈ કિસ્સાઓમાં મહેસૂલી અધિકારીઓ દ્વારા શરતભંગ ગણી સરકાર દાખલ કરવામાં આવે છે. ખરેખર તો આ પટ્ટની રકમ વસુલ કરવાપાત્ર છે તેની જમીન ઉપર બોજાની નોંધ કરી જમીન ગ્રાન્ટ / રીગ્રાન્ટ કરવાના હુકમો કરવા જોઈએ. જેથી સામાન્ય ખેડૂતો હાલાકીનો ભોગ ન બને. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે સરળીકરણના મુદ્દા ઉપર જુદા જુદા સત્તા પ્રકારની જમીનો ગ્રાન્ટ કરવા / જમીન જૂની શરત / નવી શરતની ગણવા માટે માર્ગદર્શક સૂચનાઓ આપી છે. પરંતુ તેનું અમલીકરણ થયું નથી અને મહેસૂલી અધિકારીઓએ જે સ્વમેળે કાર્યવાહી કરવાની છે તે થઈ નથી. આ ઉપરાંત આ સરળીકરણના પરિપત્રો કરવામાં આવ્યા છે. તેમાં મહેસૂલ વિભાગે ૨૦૧૭માં નવી શરતની જમીનમાં પ્રિમયમ વસુલ કરવા જણાવેલ છે તે ઉલ્લેખ કરતા મહેસૂલી અધિકારીઓ વિવેકાધીન સત્તા હેઠળ અર્થઘટનના મુદ્દા ઉપર ગેરઉપયોગ થાય છે. દા.ત. ઈનામ સત્તા પ્રકાર કાયદામાં - ૧૯૬૯ પહેલાનો કબજેદાર હોય તો તેવી જમીનો જૂના સત્તા પ્રકારે આપવાની હતી તેવી જોગવાઈ હોવા છતાં કાયદા વિરૂધ્ધ  ૨૦૧૭ના પરિપત્ર આધારે સરળીકરકણના પરિપત્રોથી હાર્દ  નિષ્ફળ બનાવ્યું છે. સરકારે તાજેતરમાં ગણોતધારાની-૩૨ એમ એટલે કે ખરીદ પ્રમાણપત્ર આપવા ખરીદહપ્તા ભરવાની મુદ્દત - ૨૦૨૪ સુધી લંબાવી છે. આ બાબત પણ આ તબક્કે યોગ્ય  નથી. આ રકમ બોજા તરીકે નોંધી દેવી જરૂર છે. જમીનના ટાઈટલ વેરીફીકેશનનો મુદ્દો મહત્વનો હોઈ આગામી લેખમાં વિવરણ કરીશું.

સ્થાવર મિલકતમાં માલિકીના હક્ક બદલવાની જોગવાઇ કેવી છે?

 

કોઈ પણ સ્થાવર મિલકતના સહમાલિકો પોતાના ક્યા હિસ્સા અથવા હિસ્સાઓ અંગે તબદિલી અમલી શકશે?

તમારી જમીન,  તમારી મિલકત > નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ)

ભારતીય કરારના કાયદાની મિલકતમાં હકક ધરાવતી જે તે વ્યક્તિ પોતાનો માલીક હકક તબદીલ કરવા માટેની વધુ જોગવાઈઓ વિષે જાણીશું.
દેખીતા માલિકે કરેલી તબદિલી ઃ કોઈ સ્થાવર મિલકતમાં હિત ધરાવતી વ્યકિતઓની સ્પષ્ટ અથવા ગર્ભિત સંમતિથી કોઈ વ્યકિત એવી મિલકતનો દેખીતો માલિક હોય અને તે મિલકત અવેજસર તબદિલ કરે ત્યારે તબદિલ કરનારે તબદિલ કરવાને અધિકાર આપેલ ન હતો તે કારણે તે

તબદિલી રદ થવા પાત્ર થશે નહિ, પરંતુ તબદિલીથી મેળવનાર તબદિલ કરનારને તબદિલ કરવાની સત્તા હતી તેની ખાતરી કરવા માટે વાજબી કાળજી લીદ્યા પછી શુઘ્ધબુધ્ધિથી વર્તેલ હોવો જોઈએ. 
આગલી તબદિલી ૨દ કરવાનો અધિકાર ધરાવતી વ્યક્તિએ કરેલી તબદિલી ઃ તબદિલી રદ કરવાની સત્તા સ્વાધીન રાખીને કોઈ વ્યક્ત સ્થાવર મિલકત તબદિલ કરે અને ત્યાર પછી તે ‘મિલક્ત બીજી કોઈ વ્યકિતને અવેજસર તબદિલ કરે ત્યારે, સદરહુ સત્તાની રૂએ આગલી તબદિલી રદ કરી શકાતી હોય તેટલે અંશે (તે સત્તાનો ઉપયોગ કરતી વખતે પાળવાની શરતને અધીન રહીને) તે રદ કરવામાં આવી છે એમ ગણીને પાછળથી કરેલી તબદિલી તે બીજી વ્યક્તિને તરફેણમાં અસરકર્તા બને છે.

ઉદાહરણ ઃ “ક” “ખ” ને એક ઘર ભાડે આપે છે જો નિર્દિષ્ટ સવેનો એવો અભિપ્રાય થાય કે, “ખ” તે ઘરનો ઉપયોગ તેની કિંમત ઘટી જાય એ રીતે કરે છે, તો ભાડા પટ્ટો રદ કરવાની સત્તા તે પોતાને સ્વાધીન રાખે છે. પછી, “ખ” એ રીતે ઉપયોગ કર્યો છે એવું માનીને “ક” તે ઘર “ગ” ને ભાડે આપે છે. ઘરની કિંમત ઘટી એ રીતે તે ઘરનો “ખ” એ ઉપયોગ કર્યો છે કે કેમ તે વિષે સર્વેયરનો અભિપ્રાયને અધીન રહીને, ”ખ”નો ભાડા પટ્ટો રદ થાય છે.

પ્રથમ તબદિલ કરવા અનધિકૃત પરંતુ પોતે તબદિલ કરેલી મિલકતમાં પાછળથી હિત સંપાદિન કરનાર વ્યક્તિએ કરેલી તબદિલી : કોઈ વ્યકિત કપટપૂર્વક અથવા ભૂલથી એવી રજુઆત કરે કે પોતાને અમુક સ્થાવર મિલકત તબદિલ કરવાનો હક્ક અને અધિકાર છે અને પોતે તે મિલકત અવેજસર તબદિલ કરવાનું કરે ત્યારે, તબદિલીથી મેળવનાર જો તેમ ઈચ્છે, તો એવી તબદિલી અંગેનો કરાર અમલમાં હોય તે દરમિયાન કોઈપણ સમયે તબદિલ કરનાર તે મિલકતમાં હિત સંપાદન કરે, ત્યારે તે હિત અંગે તે તબદિલીથી અસરકર્તા થશે.
સદરહુ વિકલ્પ હોવાની જાણ વિના શુધ્ધબુધ્ધિથી અવેજસર તબદિલીથી મેળવનારાના હકને કોઈપણ મજકુરથી નુકસાન થશે નહીં.

ઉદાહરણ ઃ પોતાના પિતા ”ખ” થી જુદો થઈ ગયેલો “ક” નામનો એક હિન્દુ પુત્ર “૨”, “લ” અને “વ” નામનાં ત્રણ ખેતરો તબદિલ કરવાનો પોતાને અધિકાર છે એવી રજૂઆત કરીને તે ખેતરો “ગ” ને વેચે છે. આ ત્રણ ખેતરોમાંનું “વ” નામનું ખેતર વિભાજન વખતે “ખ” એ પોતાની પાસે રાખ્યું હોવાથી તે “ક”ની માલિકીનું નથી પણ “ખ” ના મૃત્યુ પછી “ક”ને વારસદાર તરીકે તે “વ” નામનું ખેતર મળે છે. “ગ” એ વેચાણનો કરાર રદ કર્યો ન હોવાથી “વ” નામું ખેતર પોતાને આપવા માટે તે ને ફરજ પાડી શકશે.
કોઈપણ એક સહમાલિકે કરેલી તબદિલી ઃ સ્થાવર મિલકતના બે અથવા વધુ સહમાલિકો પૈકી એક સહમાલિક એવી મિલકતમાંનો પોતાનો હિસ્સો અથવા તેમાંનું હિત તબદિલ કરવાની કાયદેસર ક્ષમતા ધરાવતો હોય અને તેમ કરે ત્યારે તબદિલીથી મેળવનાર એવા હિસ્સા અથવા હિત અંગે અને તબદિલીનો અમલ કરવા માટે જરૂરી હોય તેટલે અંશે તે મિલકતના સંયુક્ત કબજા માટેનો અથવા (મિલકતનો સહિયારો અથવા આંશિક ભોગવટો કરવાને, અને તેનું વિભાજન કરાવવાનો તબદિલ કરી આપનારનો હક, એ રીતે તબદિલ કરેલ હિસ્સા અથવા હિતને તબદિલીની તારીખે અસરકર્તા હોય એવી શરતો અને જવાબદારીઓને અધીન રહીને, સંપાદિત કરે છે.

કોઈ અવિભક્ત કુટુંબની માલિકીના રહેઠાણના ઘરનો કોઈ હિસ્સો તબદિલીથી મેળવનાર વ્યકિત, તે કુટુંબનો સભ્ય ન હોય ત્યારે, તે આ કલમના કોઈપણ મજકુરથી તે ઘરના સંયુક્ત કબજા માટે અથવા બીજા સહિયારા કે આંશિક ભોગવટા માટે હકદાર થાય છે એમ ગણાશે નહિ.
અવેજસર સંયુક્ત તબિદીલી ઃ કોઈ સ્થાવર મિલક્ત બે અથવા વધુ વ્યકિતઓને અવેજસર તબદિલ કરવામાં આવે અને એવો અવેજ તેમના સહિયારા ભંડોળમાંથી આપવામાં આવ્યો હોય ત્યારે વિરુદ્ધનો કરાર ન હોય, તો સદરહુ ભંડળોમાં તેઓ અનુકમે જે હિત માટે હકદાર હોય તેટલા શક્ય હોય ત્યાં સુધી સમાન હિત માટે હકદાર થશે, અને જ્યારે એવો અવેજ તેમના પોતે પોતાના ભંડોળમાંથી આપવામાં આવ્યો હોય ત્યારે, એથી વિરુદ્ધનો કરાર ન હોય તો, તેઓએ અનુકમે અવેજનો જે હિસ્સો આપ્યો હોય તેના પ્રમાણમાં તેઓ તે મિલકતમાંના હિત માટે હકકદાર થશે. એટલે કે સમગ્ર ફુલ વેચાણ અવેજમાંથી જે ખરીદનારે જેટલા હિસ્સાનો અવેજ ચુકવેલ હોય તેટલી ટકાવારી મુજબ ખરીદનાર મિલકતમાં તેટલા હિસ્સાનો માલીક ગણાશે.
તે ભંડોળમાં તેઓ અનુકમે કેટલા હિત માટે હકદાર હતા અથવા તેઓને અનુકમે અવેજનો કેટલો હિસ્સો આપ્યો હતો તે વિષે પુરાવો ન હોય, તો તે વ્યકિતઓ તે મિલકતમાં સરખું હિત ધરાવે છે એમ માની લેવું જોઈશે. જુદાં જુદાં હિત ધરાવતી વ્યક્તિઓએ અવેજસર કરેલી તબદિલીઃ
કોઈ સ્થાવર મિલકતમાં જુદું જુદું હિત ધરાવતી વ્યક્તિઓએ તે મિલકત તબદિલ કરે ત્યારે વિરુદ્ધનો કરાર ન હોય તો, તબદિલ કરનારા, તે મિલકતમાંના તેઓનાં હિત સરખી કિંમતનાં હોય ત્યારે સરખે ભાગે અને જયારે એવાં હિત અસમાન કિંમતનાં હોય ત્યારે પોતપોતાના હિતના પ્રમાણમાં અવેજનો હિસ્સો મેળવવા હકકદાર છે.

ઉદાહરણ ઃ (ક) મોજે બોડકદેવની જમીનમાં “ક” ને જીવનપર્યંત હિત છે અને “ખ” અને “ગ›ને ઉત્તરાધિકાર છે. તેઓ રૂપિયા ૧૦૦૦ ની કિંમતે તે વેચે છે. “ક” નો જીવનપર્યત હક, રૂપિયા ૬00 ની કિંમતનો અને ઉત્તરાધિકાર રૂપિયા ૪૦૦ ની કિંમતનો છે એમ નકકી થાય છે. વેચાણ કિંમતમાંથી “ક” રૂપિયા 00 અને “ખ” અને “ગ” રૂપિયા ૪૦૦ મેળવવા માટે હકદાર છે.

સહમાલિકોએ સહિયારી મિલક્તના હિસ્સાની કરેલી તબદિલી.
કોઈ સ્થાવર મિલકતના સહમાલિકો પોતાના ક્યા હિસ્સા અથવા હિસ્સાઓ અંગે તબદિલી અમલી બનશે તે દર્શાવ્યા વિના તે મિલકતનો કોઈ હિસ્સો તબદિલ કરે ત્યારે, તબદિલી કરનાર વચ્ચેનો પ્રશ્ન હોય ત્યાં સુધી સદરહુ હિસ્સા સરખા હોય ત્યારે, એવા હિસ્સાઓ અંગે સરખે ભાગે અને સદરહુ હિસ્સા અસમાન હોય ત્યારે તેના પ્રમાણમાં તે તબદિલી અમલી બનશે.

ઉદાહરણ ઃ મોજે અમરેલીમાં “ક” નો ૧/૨ હિસ્સો અને “ખ” અને “ગ” દરેકનો ૧/૪ હિસ્સો છે. તેઓ તેમના જુદા જુદા કયા હિસ્સામાંથી તબદિલી કરવામાં આવે છે તે દર્શાવ્યા વિના તે જમીનનો ૧/૮ હિસ્સો “ઘ” ને તબદિલ કરે છે. તે તબદિલીનો અમલ કરવા માટે “ક”ના હિસ્સામાંથી ૧/૧૬ હિસ્સો અને “ખ” અને “ઘ” દરેકના હિસ્સામાંથી ૧/૩૨ હિસ્સો લેવામાં આવશે.
આ પૂર્ણ થતાં વર્ષ સને ૨૦૨૩ ના આ લેખ પછી નવા વર્ષે સને ૨૦૨૪ માં માહિતીસભર લેખોમાં કાયદાકીય જોગવાઈઓ વિષે જાણીશું.
નોંધ:- (જમીન-મિલકત માટેના લેખોના સંદર્ભે વાચકોના કોઈ સૂચન કે પ્રશ્નો હોય તો ‘નવગુજરાત સમય’ ના નવા સરનામે (૧૦૧, પહેલો માળ, ઓમ શાયોના આર્કેડ, સિલ્વર ઓક કોલેજ પાસે, ગોતા, અમદાવાદ-૩૮૨૪૮૧) લેખિત રૂપે મોકલવા અથવા લેખકને ઈ-મેઈલ કરવા)



ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...