1.01.2023

 

ઇલેક્ટ્રોનીકલી - હક્કપત્રમાં સીધેસીધા દાખલ કરવાની જોગવાઇઓ

                                           - મહેસૂલી સત્તાતંત્ર/અધિકારીઓના હુકમો


- લોકાભિમુખ માર્ગદર્શન : એચ.એસ. પટેલ IAS (નિ.)

- દરેક ખાતેદારને સરકાર તરફથી દર વર્ષે 7 અને 8 અ 

ની વિનામૂલ્યે અદ્યતન ઉતારા આપવાની જોગવાઈ

પરિપત્ર માટે  અહી ક્લિક કરો 

જમીન/મિલ્કતને લગતા વ્યવહારોના ફેરફાર (Mutation) ગામના નં - ૬માં હક્કપત્રમાં કરવામાં આવે છે અને આ અંગે જમીન મહેસૂલ અધિનિયમના પ્રકરણ -૧૦ ક માં હક્કપત્રક અંગેની જોગવાઇઓ છે અને તેને જાળવવાની જોગવાઇઓ ૧૩૫ બી માં કરવામાં આવી છે. જમીન/મિલ્કત ધારણકર્તા સૌ માટે હક્કપત્રકની જોગવાઇઓ જાણવી જરૂરી છે કારણ કે જ્યારે કોઈપણ હુકમ થાય તેની ફેરફાર નોંધ હક્કપત્રકમાં કરવામાં આવે છે. અગાઉ Manually હક્કપત્રક નિભાવવામાં આવતા ત્યારે તલાટી - સ્વમેળે પણ નોંધ પાડતા પરંતુ રાજ્ય સરકારે જ્યારથી -૧૩૫ સી ની કલમ ઉમેરી છે ત્યારથી સબંધિત વ્યકતિએ નિયત નમૂનામાં અરજી કરવાની છે. મહેસૂલી રેકર્ડનું કામ્પ્યુટરાઇઝેશન -૨૦૦૪ થી કરવામાં આવ્યું છે અને ઇ-ધરા ના નામથી ઓળખાતા. આ કાર્યપદ્ધતિમાં તમામ જમીન હક્કો અંગેના તમામ તબદીલીના વ્યવહારો અગાઉ જે હસ્તલિપિત ચાલતા હતા તે બંધ કરી ઓનલાઈન ફેરફારની (Mutation) કામગીરી હાથ ધરવામાં આવે છે. હવે કોમ્પ્યુટરાઇઝ્ડ રેકર્ડના - ગામના -  ૬,૭,૮ અ તથા ૧૨ની નકલો પ્રજાજનો ઓનલાઇન જોઇ શકે છે તે નકલો Public Domain માં મુકવાથી પ્રાપ્ત પણ થાય છે અને અધિકૃત નકલો પણ તાલુકા મામલતદાર કચેરી તેમજ ગ્રામ્ય કક્ષાએથી પણ પ્રાપ્ત થાય છે.

જમીન મહેસૂલ અધિનિયમના હક્કપત્રકની જોગવાઇઓમાં ગામનાં નં -૬ માં જે પણ ફેરફાર થાય તેની હિત ધરાવતા તમામ પક્ષકારોને -૧૩૫ ડી ની નોટીસ આપવાની છે અને મહેસૂલી રેકર્ડ અદ્યતન થતાં ૧૩૫ ડી ની નોટીસ પણ ઑટોમેટીક જનરેટ થાય છે. આજ રીતે મહેસૂલી અધિકારીઓ દ્વારા જે જે હુકમો કરવામાં આવે ત્યારે તેની હુકમી નોંધ ગામ દફ્તરે કરવાની હોય છે અગાઉ જ્યારે manually  હક્કપત્રકની નોંધો પાડવામાં આવતી ત્યારે આ અંગેના રાજ્ય સરકારે હુકમો કર્યા હોવા છતાં મહેસૂલી અધિકારીઓ/સત્તામંડળ દ્વારા જે જુદા જુદા હુકમો કરવામાં આવે તે હુકમી રજીસ્ટર નિભાવવાનું અને નોંધો પાડવાની સુચના હોવા છતાં - નોંધો પાડવામાં આવતી ન હતી. દા.ત.- સચિવની અપીલ મહેસૂલ દ્વારા હુકમ કરવામાં આવ્યો હોય તેની અસર ન આપવામાં આવે અને તેના કારણે પક્ષકારો દ્વારા તબદીલીના વ્યવહાર થાય, તેજ રીતે કોઈ જમીન જાહેર હેતુ માટે સંપાદન થઈ હોય તેના એવોર્ડની નોંધ પાડવામાં ન આવે અથવા કે જેથી (કમી જાસ્ત પત્રક) નોંધ ન કરવામાં આવે આ અરસાઓ સમજવા માટે દાખલારૂપ જાણાવવામાં આવ્યા છે હવે જ્યારે રેકર્ડનું કોમ્પ્યુટરાઇજેશન કરવામાં આવે છે ત્યારે સબંધિત મહેસૂલી અધિકારી/સત્તાતંત્ર દ્વારા જે હુકમો કરવામાં આવે તે જ કચેરી હુકમ કરવામાં આવે ત્યારે તેમની કચેરીથી જ ઇ-ધરા કેન્દ્રને બદલે નોંધ કરવાનો મહેસૂલ વિભાગના તા. ૨૪-૪-૨૦૧૫ ના ઠરાવક્રમાંક - એલ.આર.સી/૧૦/૨૦૧૫/૨૪૪૩૯/હ-૨ અન્વયે હુકમ દફ્તર મહેસૂલી અધિકારીએ ઇ-ધરા એપ્લીકેશનમાં હુકમ અનુસારની મહેસૂલી રેકર્ડમાં વખતોવખતની ફેરફાર નોંધ સીધી ઇલેક્ટ્રોનિક રીતે તુરત જ દાખલ કરવાની છે ખાસ કરીને જે મહેસૂલી કચેરીઓ દ્વારા હુકમો કરવામાં આવે છે તેમાં કલેક્ટરશ્રીઓ, પ્રાન્તી અધિકારીશ્રીઓ, વિવિધ મહેસૂલ વિભાગ હસ્તકના આવતા કલેક્ટરથી, સબંધિત કાયદા હેઠળ અધિકૃત કરેલ મામલતદારશ્રીઓ, સચિવશ્રી વિવાદ મહેસૂલ વિભાગ, ગુજરાત મહેસૂલ પંચ, વિવિધ નામદાર કોર્ટ, જીલ્લા જમીન દફતર નિરિક્ષક (DILR) તેમજ જીલ્લા વિકાસ અધિકારીને જે મહેસૂલ અધિનિયમ હેઠળ જે કાર્યો સુપ્રત કર્યા હોય તે અને સેટલમેન્ટ) કમિશ્નર દ્વારા અન્ય જે અધિકારીઓને અધિકાર આપે તે અધિકારીઓએ સીધેસીધા ઓનલાઈન હુકમોની નોંધ ઈલેક્ટ્રોનીકલી પાડવાની છે અને આ નોંધો સબંધિત કચેરીને / અધિકારીને જે વિષયો હેઠળ સત્તા અને અધિકાર ફાળવેલ છે તે અનુસાર કરવાની છે, જેમ કે સરકારશ્રીના હુકમ અન્વયે કલેક્ટરશ્રી દ્વારા જમીન ગ્રાન્ટ કરતો હુકમ કરવામાં આવ્યો હોય જેમાં કલેક્ટરશ્રીની સત્તા મર્યાદા  મુજબનો પણ હોઈ શકે છે. આજ રીતે બિનખેતીની (NA) કે હેતુફેરની પરવાનગી, જમીન માપણી બાદ જેમાં સુધારો કરવામાં આવ્યો હોય તે, શરતભંગ હેઠળ કાર્યવાહી બાદ જમીન ખાલસા કરવામાં આવી હોય, ભાડા પટ્ટે આપવામાં આવેલ જમીન, જમીન રેકર્ડનું પ્રમોલગેશન, હક્કપત્રક હેઠળ જે હુકમો કરવામાં આવ્યા હોય તેમાં મામલતદાર, ડેપ્યુટી કલેક્ટર, કલેક્ટર અને સચિવશ્રી, અપીલ્સનો સમાવેશ થાય છે. તેજ રીતે ગણોતધારા અને સીલીંગ કાયદા હેઠળ જમીન મહેસૂલ પંચનો સમાવેશ થાય છે. આવી જ રીતે જમીન સંપાદન કાયદા હેઠળ એવોર્ડ અને તે સંલગ્ન જે કાર્યવાહી થઈ હોય તેનો સમાવેશ થાય છે. આ કાર્યવાહી માટે મહેસૂલ વિભાગના તા.૨૨-૧૧-૨૦૧૬ના પરિપત્ર ક્રમાંક - એલ.આર.સી.-૧૦૨૦૧૬ / ૦૮ / ૦૧ / એસ.એમ.સી. અન્વયે બહાર પાડવામાં આવેલ છે અને તે અનુસાર તા.૧-૪-૨૦૧૭ થી હુકમ કરનાર અધિકારીએજ નોંધો દાખલ કરવાનું ફરજીઆત કરવામાં આવ્યું છે અને તા.૧-૧-૨૦૧૭ પહેલાં જે હુકમો કરવામાં આવેલ હોય તે ફેરફારની નોંધો પણ જે તે ફરજ ઉપરના અધિકારીએ દાખલ કરવાની છે. આજ રીતે તા.૧-૪-૨૦૧૭ પહેલાં પ્રાદેશિક ફેરફાર એટલે કે જીલ્લા / તાલુકાઓનું વિભાજન થતાં પહેલાની ફેરફાર નોંધો હાલ જે જીલ્લા / તાલુકા અમલમાં હોય તે સબંધિત અધિકારીએ દાખલ કરવાની થાય છે અને વિભાજન થયા બાદ જે હુકમો કરવામાં આવ્યા હોય તે સબંધિત જીલ્લા / તાલુકાના અધિકારીએ દાખલ કરવાની થાય અને આ પ્રથા દાખલ કરવાથી તા.૧-૪-૨૦૧૭ પછી જુદા જુદા મહેસૂલી અધિકારીઓએ જે હુકમો કર્યા હોય તેની નોંધ સબંધિત તાલુકાના ઈ ધરા કેન્દ્રમાં કરવાની થતી નથી, પરંતુ તે જવાબદારી સબંધિત મહેસૂલી સત્તાધિકારી કચેરીની છે. પરંતુ આ નોંધો સબંધિત જીલ્લા / તાલુકાના ગામના હક્કપત્રક નોંધોના રજીસ્ટરમાં Posting પડી જાય છે અને આ મુજબના ફેરફારો ઈ ધરા એપ્લીકેશનમાં કરવામાં આવ્યા છે. આ પ્રથા અપનાવાથી અગાઉ જે મહેસૂલી અધિકારીઓ દ્વાર હુકમો કરવામાં આવતા, પરંતુ તે અંગેની નોંધો પડતી ન હતી. આ પ્રથાના કારણે સબંધિત સર્વે નંબર / જમીનનું Status અને ટાઈટલ અંગેના વેરીફીકેશનમાં પણ સરળતા રહે છે.

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...