3.06.2024

ખેડૂતોએ ખાસ જાણવા જેવો કાયદો – ‘મામલતદાર કોર્ટ એક્ટ’







 ઘણી વખત કોઈ બાબતે શેઢા પાડોશીઑ વચ્ચે ઝઘડો થવાને કારણે એક ખેડૂત દ્વારા બીજા ખેડૂતને તેના ખેતરે જવાના રસ્તામાં કૃત્રિમ આડશ ઊભી કરી દેવામાં આવે છે. અથવા ખેતરાઉ રસ્તામાં ખાડા ખોદી નાંખવામાં આવે છે. ઘણી વખત રસ્તા આડે બાવળીયાનો ઢગલો કરીને પણ રસ્તો બંધ કરવામાં આવે છે. અથવા અવરોધ ઊભો કરીને વરસાદી પાણીનો નિકાલ અટકાવવામાં આવતો હોય છે… આવા સમયે જેનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે તેવો આર્થિક અને શારીરિક રીતે નબળો ખેડૂત રસ્તો બંધ કરનાર માથાભારે ખેડૂતની વિરુદ્ધમાં આ રસ્તો ખુલ્લો કરાવવા માટે મામલતદાર કચેરીમાં ફરિયાદ દાખલ કરી શકે છે. મામલતદાર આ બાબતે ‘મામલતદાર કોર્ટ એક્ટ 1906’ ની જોગવાઇઓ મુજબ કાર્યવાહી કરતાં હોય છે.

■ ઉક્ત અધિનિયમ હેઠળ મામલતદારને કેટલીક વિશેષ સત્તાઓ આપવામાં આવેલ છે. અગાઉનો મામલતદાર કોર્ટ એક્ટ 1876 રદ કરીને મામલતદાર કોર્ટ એક્ટ 1906 સમગ્ર ગુજરાત રાજ્યને લાગુ પાડવામાં આવ્યો છે. આ અધિનિયમથી મામલતદારને કોર્ટનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ કાયદામાં કલમ નંબર 5 માં કોર્ટને અમર્યાદિત સત્તાઓ આપવામાં આવેલ છે.

કેટલીક અગત્યની કલમો અને મામલતદાર કોર્ટની સત્તાઓ:-

● કલમ 5(1) મુજબ સીમાંકિત કરેલ નહેરમાં વહેતા કુદરતી જળપ્રવાહમાં અથવા ખેતી, ચરાઈ, વૃક્ષ અથવા પાક માટે વપરાતી કોઈ જમીન (ખેતીની જમીન) માથી કુદરતી રીતે નીકળતા અથવા તેના ઉપર પડતાં પાણીની સપાટીમાં કાયદાના યોગ્ય અધિકારથી કરવામાં આવ્યા ન હોય તેવા અવરોધો દૂર કરવાની કે કરાવવાની અથવા તે હેતુ માટે વપરાતી જમીનને અથવા તેની ઉપર આવેલ ચરાઈ, વૃક્ષ કે પાકને એવા અવરોધથી નુકસાન થાય અથવા થવાનો સંભવ હોય તો તેવી લગોલગની જમીનો ઉપર અવરોધ દૂર કરવાની કે કરાવવાની સત્તા.
● કલમ 5(2) મુજબ કલમ 5(1) માં વ્યાખ્યાયિત કરેલા કૃત્ય બદલ મામલતદારને આવું કૃત્ય કે અવરોધ કરવાનો કે તેમ કરવાનો પ્રયત્ન નહીં કરવાનું ફરમાવવાનો મનાઈ હુકમ કાઢવાની સત્તા છે.
● કલમ 5(3) મુજબ આ કાયદાની કલમ 5(1) થી વ્યાખ્યાયિત કરેલ કોઈ કૃત્યથી અસર પામેલ વ્યક્તિને દાવો માંડવાનો હક્ક આપ્યો છે પરંતુ આવો દાવો દાવાનું કારણ ઉપસ્થિત થયા તારીખથી 6 મહિનાની અંદર કરવો જોઈએ, અન્યથા દાવો દાખલ કરવામાં આવશે નહી.
● કલમ 5(4) મુજબ જે તારીખે અવરોધ કરવાનું શરૂ થયું હોય અથવા અડચણ ઊભી કરવાની શરુઆત થઈ હોય તે તારીખે દાવાનું કારણ ઉત્પન્ન થયેલું ગણાશે.
● આ કાયદાની કલમ 18(1) મુજબ કોઈ સગીરને સ્વાભાવિક વાલી અથવા યોગ્ય રીતે નિમાયેલા વાલી હોય તો દાવો માંડી શકે છે.
● કેટલીક વખત વારંવાર સમન્સ મોકલવા છ્ત્તા પ્રતિવાદીઓ હાજર રહેતા ન હોય તો આ અધિનિયમની કલમ 16(2) મુજબ મામલતદાર પોતે નોટિસ બજ્યાની ખાતરી કરી પ્રતિવાદી હાજર રહી શકે તેવા પૂરતા અને વાજબી કારણોની ખાતરી કર્યા બાદ એકપક્ષીય રીતે દાવાઅરજી સાંભળી તેનો નિકાલ કરી શકે છે. અને દાવા અરજીનો નિકાલ કર્યાના 30 દિવસની અંદર કોઈપણ પક્ષકાર જે હાજર ન રહી શકવાના કારણોની ખાતરી કરાવે કે એ બાબતે પુરાવા રજૂ કરે તો ફરીથી કેસ સાંભળી શકાય છે.
● ચાલુ દાવા દરમિયાન મામલતદારને જરૂરી લાગે તેવા પક્ષકારોને પોતે વાદી કે પ્રતિવાદી તરીકે કલમ 18(2) અનુસંધાને કેસમાં ઉમેરી શકે છે.
● વધુમાં આ અધિનિયમની કલમ 19(2) મુજબ મામલતદાર પોતાને યોગ્ય લાગે તો જાતે પણ રૂબરૂ જઈને તકરારી મિલકતની મુલાકાત કરીને પક્ષકારોની રૂબરૂમાં તપાસી શકે છે.

દાવા અરજી કરતી વખતે આટલો ઉલ્લેખ જરૂરી છે:-

● આ અધિનિયમનો ઉપયોગ કરનાર ખેડૂતોએ ખાસ ધ્યાનમાં રાખવું કે, મામલતદાર કોર્ટમાં દાવા અરજી દાખલ કરવામાં વાદીનું નામ, ઉંમર, ધર્મ, જ્ઞાતિ, ધંધો અને રહેઠાણની માહિતી આપવાની રહે છે.
● વધુમાં પ્રતિવાદી (સામેવાળા) નું નામ, ઉંમર, ધર્મ, જ્ઞાતિ, ધંધો અને રહેઠાણ ની વિગતો પણ આપવાની રહે છે.
● અવરોધ કરવામાં આવેલ હોય તે પ્રકાર અને ક્યાં સ્થળે કરવામાં આવ્યો છે તે સ્થળ અને એકબીજાને લગોલગ આવેલ જમીનોનું સ્થાન અને માંગેલી દાદનો પ્રકાર.
● જેનો કબ્જો ઉપયોગ કરવા માટે માંગેલ હોય તે મિલકતનો પ્રકાર અને સ્થળ અથવા યથાપ્રસંગે જે મનાઈ હુકમ કરવાનો હોય તેનો પ્રકાર.
● જે તારીખે દાવાનું કારણ ઉદ્ભવ્યું હોય તે તારીખ તથા જે હકીકત પરથી દાવાનું કારણ ઊભું થયું હોય તે હકીકત.
● વાદીના દસ્તાવેજો તથા તેના સાક્ષીઓની યાદી અને ક્યો સાક્ષી શું પુરાવો આપશે તે પણ ઉલ્લેખ કરવાનો રહે છે.
● અત્રે નોંધનીય છે કે, આ અધિનિયમની કલમ 8 મુજબ ઉપરોક્ત નમુનામાં અરજી મળેલ ન હોય પરંતુ દાવાનો વિષય કલમ 5 મુજબ હોય તો અરજદારને મળતી દાદ વિષે સમજાવી તેની ઇચ્છાની અરજી પર નોંધ કરવાની તેમજ આવી અરજી દાવા અરજી તરીકે સ્વીકારવાની સૂચન થયેલ છે. આવા સમયે મામલતદાર આ અધિનિયમની કલમ 9 મુજબ સોગંધ ઉપર જુબાની લઈ અને કેસ દાખલ કરી મુદ્દત આપી શકે છે.

ખાસ ધ્યાનમાં રાખવાની બાબત :-

● ઘણી વખત મામલતદાર કચેરીમાં કેસોનો ભરાવો થયેલ હોય અથવા કોઈ રાજકીય અથવા અન્ય કારણોસર મામલતદાર કચેરી દ્વારા આપની દાવા અરજીને નામંજૂર કરવાનું પહેલેથી જ નક્કી કરવામાં આવેલ હોય છે. દાવા અરજી નામંજૂર કરવા માટે મોટે ભાગે અરજી આપવા જઈએ ત્યારે રૂબરૂ અથવા ટપાલ માં અરજી મોકલાવી હોય તો ફોન દ્વારા અરજદાર પાસેથી દાવાનું કારણ ઊભું થયાની તારીખ પૂછવામાં આવતી હોય છે અને અરજદાર એવું જણાવે કે ગયા વર્ષે અમારો ખેતરે જવાનો રસ્તો બંધ કરેલ… તો દાવાનું કારણ ઊભું થયાને 6 મહિનાથી વધારે સમય થયો હોવાનું કારણ બતાવી આ કાયદાની કલમ 12 મુજબ દાવા અરજી નામંજૂર કરવામાં આવતી હોય છે. આથી મામલતદાર કચેરીમાં જ્યારે પણ અરજી દાખલ કરવાના પ્રસંગો ઊભા થાય ત્યારે દાવા અરજીમાં ખાસ 6 મહિના અંદરની તારીખ દર્શાવવી જોઈએ.
● અરજદારે કેસ શરૂ થયાની પહેલી જ મુદ્દતે જ્યાં સુધી કેસનો ચુકાદો ન આવે ત્યાં સુધી પોતાના ખેતરે અવર જવર શરૂ રહે અથવા તો પાણીના નિકાલ બાબતે પ્રશ્ન હોય તો તેને અવરોધે નહીં તે માટે તાત્કાલિક કામચલાઉ મનાઈ હુકમ મળવા બાબતની માંગણી કરવી જોઈએ.

મામલતદાર કોર્ટના આખરી નિર્ણયની અમલવારી કઈ રીતે :-

● ઘણી વખત એવા દાખલાઓ ધ્યાનમાં આવતા હોય છે કે, રસ્તો ખુલ્લો કરવાનો હુકમ કર્યા બાદ મામલતદાર કચેરીએ વારંવાર ધક્કા ખાધા બાદ પણ રસ્તાની અડચણ દૂર કરવામાં આવતી નથી અથવા તો મામલતદાર કચેરીમાંથી એવું પણ જણાવવામાં આવે છે કે, અમે હુકમ કરી દીધો છે એટ્લે હવે તમે પોલીસ પ્રોટેકશન મેળવીને તમારા ખર્ચે રસ્તો ખુલ્લો કરાવી લ્યો. પરંતુ આપને જણાવી દઉં કે, આ અધિનિયમની કલમ 21(1) મુજબ મામલતદાર કોર્ટ એક્ટ મુજબ કરવામાં આવેલ હુકમની અમલવારી કરાવવાની જવાબદારી મહેસૂલી અધિકારીઓની જ છે.
● આ કલમ મુજબ મામલતદારનો નિર્ણય અવરોધ દૂર કરવા માટે અથવા કબ્જો સોંપવા માટે અથવા ઉપયોગ હક્ક પુનઃ પ્રાપ્ત કરવા માટે હોય તો તે ગ્રામ અધિકારીઓ (તલાટી) અથવા તાબાના કોઈ અધિકારી (નાયબ મામલતદાર કે સર્કલ અધિકારી) ને અથવા તેને યોગ્ય લાગે તો બીજી રીતે હુકમ કાઢીને અમલમાં લાવશે.
● પોતાના હુકમની અમલવારી કરવામાં આવતી ન હોય તો IPC ની કલમ 188 મુજબ કાયદાકીય પગલાઓ પણ મામલતદાર ભરી શકે છે. જે બાબતનો ઉલ્લેખ આ અધિનિયમની કલમ 21(4) માં કરવામાં આવેલ છે. વધુમાં કેટલાક કિસ્સાઓમાં જો મામલતદાર કોર્ટ એક્ટ અનુસંધાને ચાલતા દાવા ના કારણે બે પક્ષો વચ્ચે સુલેહ-શાંતિનો ભંગ થશે એવું લાગે તો બંને પક્ષે પોતાની સત્તાની રૂએ ક્રિમિનલ પ્રોસીઝર કોડની કલમ 107 મુજબ ચેપ્ટર કેસ દાખલ કરીને પણ પગલાં લઈ શકે છે.

સૌથી મહત્વની બાબત :-

● આ અધિનિયમની કલમ 23(1) હેઠળ મામલતદારે કરેલ કોઈપણ હુકમ ઉપર અપીલ થઈ શકશે નહીં. માત્ર જિલ્લા કલેકટર પોતે આ અધિનિયમની કલમ 23(2) મુજબ આવા કોઈ દાવાનું રેકર્ડ માંગવીને તપાસી શકશે અને જો કોઈ કાર્યવાહી કે હુકમ ભૂલ ભરેલો જણાશે તો પક્ષકારોને નોટિસ આપી રૂબરૂ સાંભળીને યોગ્ય તે હુકમ કરી શકશે. ઘણા તાલુકાઓમાં કલેકટરે આ સત્તા પોતાના તાબા હેઠળના નાયબ કલેકટરોને આપવામાં આપેલ હોય છે. આથી મામલતદારના હુકમ સામે નારાજ પક્ષકાર કલમ 23(2) મુજબની રિવિઝન અરજી અહી દાખલ કરી શકે છે.

■ મામલતદાર કોર્ટ એક્ટ એક ખૂબ નાનો પરંતુ અસરકારક અને ખેડૂતોને ઉપયોગી કાયદો છે. મામલતદાર દ્વારા દાવો દાખલ થાય કે તરત આ કાયદાની અમલવારી શરૂ કરી અને તાત્કાલિક નિર્ણય આપી દેવો જોઈએ. કારણકે ઘણા ખેડૂતો વર્ષોથી આ સમસ્યાઓથી પીડાતા હોવાનું ધ્યાને આવેલ છે. ન્યાય સમયસર મળે તો જ ન્યાય કહેવાય બાકી મોડો મોડો મળે એ ન્યાય નહીં પણ અન્યાય કહેવાય. 

વસિયતમાં કરાયેલ વહેંચણી સમાન છે તે છે કે નહીં તે જોવાનું કામ કોર્ટનું નથી

 વસિયતમાં કરાયેલ વહેંચણી સમાન છે તે છે કે નહીં તે જોવાનું કામ કોર્ટનું નથી



કેન્દ્રિત કર્યુ હતું. જો કે, બચાવકર્તાઓએ એવી પણ રજૂઆત ઉપસ્થિત કરી હતી કે, વસિયતકર્તાઓને વસિયતની રાહે તેમની મિલકતોનો નિકાલ કરવાનો કોઈ અધિકાર નહોતો, તેમ છતાં, પ્રોબેટ કોર્ટે સીધેસીધી એવા આધાર ઉપર તે • નજમુદ્દીન મેઘાણી નામંજૂર કરી હતી કે, પ્રોબેટ કોર્ટની હકૂમતનો અવકાશ કોઈપણ મિલકત પરત્વેના ટાઈટલના વિવાદી પ્રશ્નોનો નિર્ણય ક૨વાની નહોતો.


ઈપણ વ્યક્તિને પોતાની સ્વપાર્જિત માલિકી ધરાવતી મિલકતો પોતાના મૃત્યુ બાદ પોતાની ઈચ્છા, મનમરજી મુજબ વ્યવસ્થા કરવાનો પૂરેપૂરો હક્ક અને અધિકાર છે અને તેથી વીલ યાને વસિયતનામું બનાવવામાં આવતું હોય છે અને વીલ કરનાર દ્વારા પોતાના સંતાનો અથવા કોઈપણ સગા-સંબંધી યા ત્રાહિત વ્યક્તિને તેઓની હયાતી બાદના મિલકતના માલિક બનાવતા હોય છે. પરંતુ જ્યારે વીલ કરનાર દ્વારા પોતાના સંતાનો પૈકીના સંતાનોને જ વીલના લાભાર્થી તરીકે નિમણૂક કરી હોય તો તે સિવાયના અન્ય હક્કથી વંચિત રહેલા સંતાનો દ્વારા વીલ યાને વસિયતનામા અંગે શંકાસ્પદ સંજોગો હોવાનું દર્શાવી અને પોતાનો હિસ્સો મિલકતોમાં લાગતો હોવાની અને સરખા પ્રમાણમાં તેવો હિસ્સો મેળવવા હક્કદાર હોવા અંગે તર-તકરારો થતી હોય છે. તેવા સંજોગોમાં વીલ સિયતનામા અંગે વીલના લાભાર્થી દ્વારા સક્ષમ કોર્ટ રૂબરૂ શંકાસ્પદ સંજોગોના કારણ ઉપસ્થિત કરી વીલને પડકારવામાં આવતું હોય છે. આમ, જ્યારે વીલ યાને વસિયતનામા અંગેની સત્યતા તપાસવાની બાબતમાં કોર્ટ માટે એ જોવાનું કોઈ સ્થાન નથી કે. શું વસિયતકર્તા દ્વારા કરવામાં આવેલ વહેંચણ તેમના તમામ બાળકો વચ્ચે વાજબી અને સમન્યાયી હતી કે નહી. કોર્ટ વસિયત હેઠળની મિલકત વ્યવસ્થા પરત્વે આર્ટિકલ ૧૪ લાગુ પાડતી નથી. તેવો સિદ્ધાંત નામદાર સુપ્રીમ કોર્ટ (ખંડપીઠ) દ્વારા સ્વર્ણલથા અને બીજાઓ વિરુદ્ધ કલાવથી અને બીજાઓ, સિવિલ અપીલ નં.: ૧૫૬૫/૨૦૨૨ના કામે તા.૩૦-૦૩-૨૦૨૨ના રોજ આખરી હુકમ કરી ઉપર મુજબનો સિદ્ધાંત પ્રસ્થાપિત કરવામાં આવેલ છે.

આ કેસની ટૂંકમાં હકીકત મુજબ માતા આધિલક્ષ્મીયામ્મલ તા.૧૪-૦૮-૧૯૯૫ નાં રોજ અવસાન પામી હતી. તેણીએ પોતે ખરીદેલ મિલકતો અને તે મિલકતો, કે જે તેણીએ પોતાના મામા પાસેથી મેળવી હતી. તેઓનું ઉત્તરદાન તેણીના બે દીકરાઓની તરફેણમાં કરતી તા. ૩૦-૦૧-૧૯૯૫ નાં રોજની વસિયત પાછળ છોડી હતી. દીકરી કલાવથીને એવા આધાર ઉપર કોઈ હિસ્સો આપવામાં આવ્યો નહોતો કે, તેણી માટે પહેલાંથી જ પૂરતા પ્રમાણમાં જોગવાઈઓ કરવામાં આવી હતી.

તેમજ પિતા મન્નાર રેડ્ડીયાર તા.૦૮૦-૦૮-૨૦૦૦ નાં રોજ અવસાન પામ્યા હતાં. તેઓએ તેમના બે દીકરાઓકરનારની માનસિક સ્થિતિ યોગ્ય સાક્ષીઓ અને યોગ્ય રીતે તેમજ તેમના પૌત્ર-પૌત્રીઓની તરફેણમાં તેમની મિલકતોનું ઉત્તરદાન કરતી તા.૧૦-૧૨-૧૯૯૮નાં રોજની વિસયત પાછળ છોડી હતી. દીકરી કલાવથીને આ સિયત હેઠળ પણ કોઈ મિલકત જ્ઞળવવામાં આવી નહોતી.


ત્યારબાદ, દીકરી કલાવથી અને વસિયતાઓના હયાત દીકરા વી.એમ.સિવાકુમારે ડિસ્ટ્રિકટ મુન્સીફ કોર્ટ, પુનામલ્લીની ફાઈલ ઉપર ઓ.એસ.નં. ૩૮૭/૨૦૦૫ વાળો દાવો વિભાજન માટે દાખલ કર્યો હતો. તે અંગે જાણ થવા ઉપર હાલનાં અપીલકર્તાઓ-લાભાર્થીઓએ મન્નાર રેડ્ડીયાર અને અધિલમીયામ્મલની વસિયતોના પ્રોબેટ મંજૂર કરવા માટે અધિનિયમની કલમો ૨૭૦, ૨૭૬ અને ૨૮૯ હેઠળ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિકટ જજ, વેલ્લોરની ફાઈલ ઉપર પ્રોબેટ મૂળ અરજી નં.૧/૨૦૦૫ વાળી અરજી દાખલ કરી હતી. તે અરજીનો વસિયતકર્તાની દીકરી અને બીજા દીકરા દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. તેમ છતાં, તા. ૦૭-૦૬-કરવામાં આવેલ વહેંચણ તેમના તમામ વારસો વચ્ચે વાજબી ૨૦૧૦નાં રોજના ચુકાદા વડે ડિસ્ટ્રિકટ કોર્ટે બંને વસિતોનું


પ્રોબેટ મંજૂર કર્યું હતું. પ્રોબેટ કોર્ટ સમક્ષ બચાવકર્તાઓએ તેમનું ધ્યાન બંને વસિયતોની આસપાસના તથા કયિત શંકાસ્પદ સંજોગો ઉપર

વસિયતકર્તાઓ સ્વસ્થ અને નિર્ણયાત્મક મન:સ્થિતિમાં નહોતા, હાઈકૉર્ટે તેમના દ્વારા વેઠવામાં આવેલ બીમારીઓનો પ્રકાર નહીં છતો કરવા બદલ અપીલકર્તાઓને કસૂરવાર ઠરાવ્યા હતાં. કુદરતી વારસો પૈકીના એકને ઉત્તરદાનમાંથી બાકાત કરવાનું કૃત્ય પોતે આપમેળે જ એવું ઠરાવવાનો આધાર બની શકે નહી કે, શંકાસ્પદ સંજોગો છે.

વિસયત કરાયાની આસપાસના શંકાસ્પદ સંજોગોને સંબંધિત કાયદો પહેલાંથી જ સુપ્રસ્થાપિત છે અને તેને પુનરાવર્તિત કરવાની કોઈ જરૂર નથી. કોર્ટના તાજેતરના નિર્ણયો પૈકીના એક કવિતા કાનવર વિ. શ્રીમતી પામેલા મહેતા, ૨૦૨૦ એ.આઈ.આર(સુ.કો) ૫૪૪ ના કેસનો સંદર્ભ આપીએ તો તેટલું પૂરતું છે, કે જેમાં આ કોર્ટે છેક એચ. વેંકટાચલા આયંગર વિ. બી. એન. ચિમ્માજમ્મા, ૧૯૫૯ યાનેએ.આઈ.આર(સુ.કો) ૪૪૩થી શરૂ કરીને અગાઉના લગભગ તમામ નિર્ણયોનો સંદર્ભ લીધો હતો. પરંતુ એવા કેસો, કે જેમાં શંકાનું સર્જન કરવામાં આવ્યું હોય, તે મોટેભાગે એવા કેસો છે, કે જ્યાં વસિયતકર્તાની સહી અંગે વિવાદ હોય અથવા તો વસિયતકર્તાની માનસિક ક્ષમતા અંગે પ્રશ્ન કરવામાં આવેલ હોય. આ બાબત એ હકીકત ઉપરથી જોઈ શકાય કે, કવિતા કાનવરના ઉપર ટાંકેલ) કેસમાં સંદર્ભિત આ કોર્ટના લગભગ તમામ અગાઉના નિર્ણયો એવા સંજોગોની યાદી આપે છે. કે જે વસિયતકર્તાની સ્વસ્થ અને અનિર્ણયાત્મક મનઃસ્થિતિના પરિપેક્ષમાં શંકાસ્પદ સંજોગો બન્યા હતાં. વસિયત કરાયાની હકીકતની પ્રમાણભૂતતાને તપાસવાની બાબતમાં કોર્ટ માટે એ જોવાનું કોઈ સ્થાન નથી કે, શું વિસયતકર્તા દ્વારા કરવામાં આવેલ વહેંચણ તેમના તમામ બાળકો વચ્ચે વાજબી અને સમન્યાયી હતી કે નહીં. કોર્ટ વસિયત હેઠળની મિલકત વ્યવસ્થા પરત્વે આર્ટિકલ ૧૪ લાગુ પાડતી નથી.

ઉપરોક્ત જણાવ્યા મુજબ નામદાર વરિષ્ઠ કોર્ટના જુદા- જુદા ચુકાદાઓમાં આપવામાં આવેલ તારણોનું અભ્યાસ કરતા જાણી શકાશે કે, કોઈપણ વ્યક્તિ પોતાની હયાતીમાં સ્વપાર્જિત ધારણ કરેલ મિલકત વીલમાં મિલકતની વહેંચણી પોતાની મરજી અને ઈચ્છા મુજબ કરી શકે છે અને વ્યક્તિના મરણ બાદ જો તેવું વીલ સક્ષમ કોર્ટ સમક્ષ પડકારવામાં આવે તો તેવી કોર્ટે વીલની કાયદેસરતા ચકાસી ન્યાય-નિર્ણય કરવાનો રહે છે. જેમ કે, વીલમાં કરવામાં આવેલ સહી, વીલ સહીઓ થયેલ, શંકાસ્પદ સંજોગો વિગેરે કાયદેસર વીલ માટે જે કંઈ મુદ્દાઓ ચકાસવાના હોય તે મુદ્દા ચકાસવાની નામદાર કોર્ટને હકુમત રહેલ છે. પરંતુ મરનાર વ્યક્તિએ વીલમાં પોતાની મિલકતો કોને કેટલા પ્રમાણમાં આપી છે તે અંગે પ્રમાણભૂત નકકી કરવાનું નામદાર કોર્ટને હકુમત નથી. વ્યક્તિ પોતાની મિલકતને પોતાની મરજી મુજબ વહેંચણ કરવાનું ફરમાવ્યું હોય ત્યારે તેવી વહેંચણ અયોગ્ય, અસમાન, અકુદરતી કે અસમન્યાયી હોવાનું તારણ આપવાની નામદાર કોર્ટને હકુમત રહેલ નથી. આમ, મરનાર વ્યક્તિ વીલમાં પોતાના વારસદારો પૈકી કોઈકને ઓછું કે આપવાથી બાકાત કર્યા હોવાથી તે વીલ શંકાસ્પદ હોવાનું નામદાર કોર્ટ ઠરાવી શકે નહી. આમ, જ્યારે વીલ યાને વસિયતનામા અંગેની સત્યતા તપાસવાની બાબતમાં કોર્ટ માટે એ જોવાનું કોઈ સ્થાન નથી કે, શું વસિયતકર્તા દ્વારા અને સમન્યાયી હતી કે નહીં, કોર્ટ વસિયત હેઠળની મિલકત વ્યવસ્થા પરત્વે આર્ટિકલ-૧૪ ભાગુ પડતી નથી. (લેન્ડ ઝ જજમેન્ટસ, વોલ્યૂમ-૧, ઈશ્યૂ-૩, માર્ચ-૨૦૧૩, પાનાનં.૨૨૭)

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...