2.20.2022

સુપ્રીમકોર્ટના ચૂકાદા મુજબ બિનખેડૂતની તરફેણમાં થતા વીલ ગેરકાયદેસર

 

સુપ્રીમકોર્ટના ચૂકાદા મુજબ બિનખેડૂતની તરફેણમાં થતા વીલ ગેરકાયદેસર


- લોકાભિમુખ માર્ગદર્શન : એચ.એસ. પટેલ IAS (નિ.)

વીલના મુખ્ય તત્વોમાં જે વ્યક્તિ વસિયતથી મિલ્કતનો નિકાલ કરતો હોય તે માનસિક રીતે સ્વસ્થ હોવો જરૂરી છે

વીલ યાને વસીયતનામામાં પ્રોબેટ મેળવવું ફરજીઆત નથી તેમજ પ્રોબેટ આપનાર કોર્ટને માલિકી હક્ક નક્કી કરી આપવાની સત્તા નથી

મિલ્કતને લગતા વ્યવહાર નિયમન કરતાં કાયદાઓમાં મિલ્કત તબદીલી અધિનિયમ (transfer of Property Act) ભારતીય વારસાહક્ક અધિનિયમ ૧૯૨૫ (Indian Succession Act) તેમજ મહેસૂલી રેકર્ડમાં વ્યવહારોને આધીન ફેરફાર કરવા માટે જમીન મહેસૂલ અધિનિયમમાં હક્કપત્રકનું ચેપ્ટર ૧૦ એ અગત્યનું છે વંશપરંપરાગત મિલ્કતોની તબદીલી, વહેંચણી, કૉ પાર્સનર તરીકે (Co-parcner) વારસદારોને મળવાપાત્ર હક્કોનું નિયમન ભારતીય વારસા અધિનિયમ હેઠળ થાય છે. સામાન્ય રીતે મિલ્કતની કૌટુંમ્બિક વહેંચણી, કુટુંમ્બના કર્તા તરીકે વડિલ વ્યક્તિના મૃત્યુ બાદ થાય છે. પરંતુ છેલ્લા કેટલા વર્ષોથી સામાજીક કૌટુંમ્બિક મુલ્યોમાં ફેરફાર થવાથી જમીન / મિલ્કતના વારસદારો વચ્ચે મિલ્કતના હક્ક કે વહેંચણી અંગે વિવાદો થાય છે એટલે કોઈપણ વ્યક્તિએ હયાતીમાં જમીન / મિલ્કતનું વહેંચણી કે વિભાજન કરવું જોઈએ અથવા વીલથી વ્યવસ્થાપન નક્કી કરવું જોઈએ. જેથી પાછળથી વાદ વિવાદના પ્રશ્નો ઉપસ્થિત ન થાય. સ્વપાર્જીત મિલ્કતના નિકાલ કે વહીવટ માટે વારસા અધિનિયમમાં વીલ યાને વસિયતનામાથી મિલ્કતનો વહીવટ કે વહેંચણી વ્યક્તિના મૃત્યુ બાદ વીલ અમલમાં આવતું હોય તે અંગેની જોગવાઈઓ અંગે આ કોલમના માધ્યમથી અગાઉ લેખ પ્રસિધ્ધ થયા છે. પરંતુ વીલમાંથી ઉદ્દભવતા પ્રશ્નો અંગે ચોક્કસ પ્રકારની માહિતી માટે વાચકો તરફથી એવા પ્રશ્નો રજૂ થયા છે કે વીલ કર્યા બાદ પ્રોબેટ મેળવવું જરૂરી છે ? વીલ રજીસ્ટર્ડ કરાવવું જરૂરી છે ? જે કોર્ટ પ્રોબેટ આપ્યુ હોય તે કોર્ટને માલિકીહક્ક નક્કી કરી આપવાની સત્તા છે ? આ બધા પ્રશ્નો બહોળા જન સમુદાયને સ્પર્શતા હોઈ આ અંગેની કાયદાકીય જોગવાઈઓ સામાન્ય નાગરિકોને ઉપયોગી થાય તે રીતે રજૂ કરવામાં આવે છે.

સૌ પ્રથમ તો વીલ યાને વસીયતનામા અંગેની જોગવાઈઓ. ભારતીય વારસા અધિનિયમ-૧૯૨૫ના ભાગ-૬માં જોગવાઈ કરવામાં આવેલ છે. આ કાયદાની કલમ-૫૯માં જણાવ્યા મુજબ વીલ-વસીયતનામું કોણ કરી શકે, તો સ્થિર મગજની હોય (terson of Sound mind) અને સગીર ન હોય એવી દરેક વ્યક્તિ વીલથી પોતાની મિલ્કતની વ્યવસ્થા કરી શકે. આ વિલ બે સક્ષમ સાક્ષીઓની હાજરીમાં કરવાનું હોય છે. આ વીલ કરનાર વ્યક્તિના અવસાન બાદ અમલમાં આવે છે. વસિયતનામું ફરજીઆતપણે રજીસ્ટર્ડ કરાવવાની જરૂરિયાત નથી. સાદા કાગળ ઉપર પણ થઈ શકે. આ અંગે જો વધુ સ્પષ્ટતા કરવી હોય તો સ્થિર મગજ એટલે માનસિક રીતે સશક્ત વ્યક્તિ. કોઈ વ્યક્તિ નશાથી અથવા માંદગીના કારણે ઉદ્દભવેલી એવી માનસિક સ્થિતિમાં હોય કે પોતે શું કરે છે તે જાણતી ન હોય ત્યારે તેનાથી વીલ કરી શકાય નહી. આજ રીતે કોઈ પરણિત સ્ત્રી હયાતી દરમ્યાન પોતે જે મિલ્કતનું સ્વર્તાપણ (Transfer) કરી શકતી હોય તે મિલ્કતની વ્યવસ્થા વિલથી કરી શકે છે. આમ વીલના મુખ્ય તત્વોમાં (Main ingredient) જે વ્યક્તિ વસિયતથી મિલ્કતનો નિકાલ કરતો હોય તે માનસિક રીતે સ્વસ્થ હોવો જરૂરી છે. (Sound mind)

હવે પ્રોબેટ એટલે સાદી ભાષામાં વસિયતિ સર્ટીફીકેટ કહી શકાય, કાયદાકીય વ્યાખ્યા પ્રમાણે પ્રોબેટ એટલે વીલ કરનારની એસ્ટેટનો વહીવટ કરવાની પરવાનગી સાથેની સત્તા ધરાવતી કોર્ટના શીલથી (Seal of Court) પ્રમાણિત કરેલ વીલની નકલ પ્રોબેટ આપવાની સત્તા હકુમત ધરાવતી સિવિલ કોર્ટને છે. દરેક વીલ યાને વસીયતનામાના આધારે પ્રોબેટ મેળવવું ફરજીઆત નથી. પ્રોબેટ મેળવ્યા સિવાય પણ વીલ યોગ્ય રીતે execute થયેલ હોય તો તેનો અમલ થઈ શકે છે સિવાય કે વીલને પડકારવામાં આવ્યું હોય તો વસિયતનામા હેઠળ લાભ લેનાર વ્યક્તિએ સાબિત કરવાનું રહે છે કે વસીયતદાર વસિયતનામામાં હસ્તાક્ષર કર્યા ત્યારે માનસિક રીતે સ્વસ્થ હતા અને તેમણે તેમની સ્વતંત્ર ઈચ્છા મુજબ મિલ્કતનો નિકાલ કર્યો હતો અને તેમણે બે સાક્ષીઓની હાજરીમાં હસ્તાક્ષર કર્યા હતા. એક વખત આ પાયાની બાબતો સાબિત થઈ હોય તો વસિયતનામા હેઠળ લાભ લેનારે તેમની જવાબદારી પુરી કરી ગણાય. પણ જ્યારે શંકાસ્પદ સંજોગો હોય તો તેમણે કોર્ટને સંતોષ થાય તે રીતે તેનો ખુલાસો / સ્પષ્ટતા કરવી જોઈએ. માનો કે વાંધો લેનાર છેતરપિંડી કે બિનજરૂરી દબાણ અથવા તો અંધારામાં રાખીને વીલ ઉપર હસ્તાક્ષર કરાવ્યા હોય તેવો આક્ષેપ કરે તો તે બાબતો સાબિત કરવી જોઈએ. જો તેમ કરવામાં વાંધેદાર / આક્ષેપ કરનાર નિષ્ફળ જાય તો વસીયતનામા હેઠળ લાભ માંગનાર વ્યક્તિને પ્રોબેટ મળનાર છે અને તે મુજબ તેનો અમલ થાય છે.

આ ઉપરાંત બીજી અગત્યની બાબત એ છે કે જે કોર્ટે પ્રોબેટ સર્ટીફીકેટ આપેલ હોય અને તેમાં મિલ્કતની વહેંચણી અંગે કોઈ વિવાદ થાય તો પ્રોબેટ આપનાર કોર્ટને મિલ્કતની વહેંચણીના ખરાપણા કે માલિકીહક્ક સાબિત કરવાની સત્તા નથી. જ્યારે આ વિવાદ થાય ત્યારે અન્ય સિવિલ કોર્ટને માલિકીની વહેંચણી કે માલિકી હક્ક અંગે નિર્ણય કરવાની સત્તા છે. આ અંગે નામદાર હાઈકોર્ટના ચુકાદાઓથી પણ આ બાબતને સમર્થન આપેલ છે. આજકાલ વીલની બાબતમાં જે મિલ્કતો વસિયતથી આપી હોય તેવી મિલ્કતોનો વસિયતથી આપવાનો અધિકાર હોતો નથી. જેથી વિવાદો થાય છે. દા.ત. જમીન / મિલ્કત સ્વપાર્જીત અને વડીલોપાર્જીત જુદી જુદી મિલ્કતો હોય પરંતુ ઘણીવાર તમામ મિલ્કતો વસીયતથી આપવામાં આવે છે એટલે અન્ય હક્ક ધરાવતા પક્ષકારો વીલને પડકારે છે અને આવા કિસ્સાઓમાં સ્પષ્ટતા એ કરવાની કે ફક્ત સ્વપાર્જીત મિલ્કતનો ધારણકર્તા પોતે ઈચ્છે તે વ્યક્તિને વીલથી મિલ્કત આપી શકે. જો વડીલોપાર્જીત મિલ્કત હોય તો વારસા અધિનિયમની જોગવાઈઓ મુજબ તમામ હિત ધરાવતા પક્ષકારો હક્કદાર હોય છે એટલે ફક્ત સ્વપાર્જીત મિલ્કતનું વીલથી વસીયત થઈ શકે છે. બીજી સ્પષ્ટતા એ પણ કરવાની કે વીલથી ખેડુત વ્યક્તિ બિનખેડુતને ખેતીની જમીન તબદીલ ન કરી શકે. આ અંગે સુપ્રિમકોર્ટે પણ મહત્વનો ચુકાદો આપી જણાવેલ છે કે બિનખેડુતની તરફેણમાં થયેલ વીલ ગેરકાયદેસર છે.

               IF YOU HAVE LIKED THE ARTICLES PLEASE SHARE IT

સગીરની મિલ્કતો અંગે કાયદાકીય જોગવાઈઓ - કોર્ટની મંજૂરી સિવાય તબદીલી માન્ય નથી - માઈનોર એન્ડ ગાર્ડિયનશીપ એક્ટમાં સગીરનું હિત સર્વોપરી

 

સગીરની મિલ્કતો અંગે કાયદાકીય જોગવાઈઓ

- કોર્ટની મંજૂરી સિવાય તબદીલી માન્ય નથી

- માઈનોર એન્ડ ગાર્ડિયનશીપ એક્ટમાં સગીરનું હિત સર્વોપરી


- લોકાભિમુખ માર્ગદર્શન :  એચ.એસ. પટેલ IAS (નિ.)

જમીન / મિલ્કતના ધારકનું મૃત્યુ થાય અને સંતાનો સગીરવયના હોય તો સગીરનું હિત જળવાય તે માટે કાયદાઓ ઘડવામાં આવ્યા છે. આમ તો કુદરતી વાલી (Natural Guardian) તરીકે પિતાના મૃત્યુ પ્રસંગે માતા અને માતાના મૃત્યુ પ્રસંગે પિતા કુદરતી વાલી તરીકે સગીરની સંભાળ તેમજ હિતોનું રક્ષણ કરવાનું હોય છે. આ કોલમના માધ્યમથી જમીન / મિલ્કતને લગતા લેખોમાં જનસમુદાયને લગતું ઉપયોગી માર્ગદર્શન મળતું હોય, સગીરના વાલીઓ તરફથી પૃચ્છા આવી કે સગીરના હિતોના રક્ષણ માટે અથવા સગીર દ્વારા ધારણ કરેલ મિલ્કત અથવા સગીરના નામે ચાલતી મિલ્કતના વહીવટ માટે કાયદાકીય જોગવાઈઓ શું છે ? તે અંગે વ્યાપક જાણકારી મળે તે માટે નિરૃપણ કરૃં છું. સૌ પ્રથમ તો ઈન્ડિયન મેજોરીટી એક્ટ - ૧૮૭૫માં Indian Majority Act - ૧૮૭૫માં વ્યક્તિ ૨૧ વર્ષે પુખ્તતા પ્રાપ્ત કરે તેવી જોગવાઈ છે. Attains Majority at the age of ૨૧ year આને સમાંતર હિન્દુ માઈનોરીટી એન્ડ ગાર્ડિયનશીપ એક્ટ-૧૯૫૬ - Hindu Minority and Guardianship Act - ૧૯૫૬ છે અને આ કાયદાની કલમ-૬માં કુદરતી વાલી એટલે કે Natural Guardianની વ્યાખ્યા આપવામાં આવી છે તે મુજબ સગીરની સંયુક્ત કુટુંમ્બની મિલ્કતમાંના તેના અવિભક્ત હિતને બાકાત રાખીને તેની મિલ્કત અંગેના તેના કુદરતી વાલી તેના માતા-પિતા હોય છે અને આ કાયદાની કલમ-૮ હેઠળ કુદરતી વાલીને પણ સગીરનું હિત ધરાવતી મિલ્કતમાં કોર્ટની મંજૂરી વગર કોઈપણ મિલ્કતનું વેચાણ, ભાડે, ગીરો કે કોઈ પ્રકારે તબદીલ થઈ શકતી નથી કારણકે આ કાયદાનું મુખ્ય હાર્દ કલમ-૧૩ પ્રમાણે Welfare of Minor to be Paramount Consideration એટલે કે સગીરના કલ્યાણ હિત સર્વોપરી બાબત છે અને આવા જ પ્રકારનો અન્ય કાયદો ગાર્ડિયન અને વોર્ડસ એક્ટ Guardian and Wards Act - ૧૮૯૨ છે. આ અધિનિયમ હેઠળ સગીરના હિતોનું રક્ષણ કરવા માટે ગાર્ડિયન એટલે કે કોર્ટની મંજૂરીથી મિલ્કતના હિતોનું રક્ષણ કરવા અને વહીવટ માટે ગાર્ડિયનની નિમણૂંક કરવાની જોગવાઈ છે.

આજ રીતે ભારતીય વારસા અધિનિયમ - ૧૯૨૫ માં કલમ-૨૪૪માં સગીરાવસ્થા દરમ્યાન મિલ્કતના વહીવટ કરવાનો અધિકાર આપવાની જોગવાઈ કરવામાં આવી છે અને તે મુજબ કોઈ સગીર વ્યક્તિ પોતે એક માત્ર એક્જીક્યુટર અથવા ફક્ત શેષ (Sole) વસીયતદાર હોય ત્યારે તે પુખ્ત વયની ન થાય ત્યાં સુધી તેના કાયદેસરના વાલીને અથવા કોર્ટને યોગ્ય જણાય તેવી બીજી વ્યક્તિને વીલ - વસીયતનામા સાથે જોડેલો વહીવટપત્ર (Letter of Administration) આપી શકશે અને સગીર વ્યક્તિ પુખ્ત વયની થાય ત્યારે પ્રોબેટ આપી શકાય છે તે પહેલાં સગીરાવસ્થા દરમ્યાન આપી શકાતું નથી. આપણા જમીન મહેસૂલ અધિનિયમના હક્કપત્રકમાં મિલ્કતધારકના અવસાન બાદ જે વારસાઈ કરવામાં આવે છે તેમાં પેઢીનામામાં કાયદેસરના વારસદારોનો ઉલ્લેખ કરવામાં આવે છે અને જો તેમાં સગીર હોય તો તે મુજબ ઉલ્લેખ કરવામાં આવે છે. પરંતુ તેમાં કુદરતી વાલી તરીકે સગીરના માતા કે પિતાનું નામ દર્શાવવામાં આવે છે અને જ્યારે સગીર પુખ્ત વયનો થાય ત્યારે આધાર પુરાવા રજૂ કરવામાં આવે એટલે કે ૨૧ વર્ષના આધાર પુરાવા રજૂ કરવામાં આવે એટલે સગીર તરીકે નોંધ કમી કરવામાં આવે છે. આમ આ પ્રણાલીકાગત પ્રક્રિયા છે, પરંતુ કોઈ મિલ્કતમાં કુદરતી વાલી ન હોય તો તેવા સંજોગોમાં માઈનોરીટી એન્ડ ગાર્ડિયન એક્ટ હેઠળ સગીરના વાલી તરીકે સક્ષમ કોર્ટ એટલે કે સ્થાનિક હકુમત ધરાવતા સિવિલ કોર્ટની મંજૂરી મેળવી નિમણૂંક કરવાની થાય છે અને જેમ જણાવ્યું તેમ સગીરની મિલ્કતને કોર્ટની પૂર્વ મંજૂરી સિવાય તબદીલ કે વેચાણ થઈ શકતી નથી અને કોર્ટની મંજૂરી વગર સગીર વ્યક્તિની માલિકીની હોય તેવી મિલ્કત ખરીદી કરે તો તે નિયમોનુસાર નથી અને તેવી મિલ્કત Clear Title - સ્વર્તાપણ કાયદેસરનું નથી અને આ માટે નામદાર સુપ્રિમકોર્ટ ૧૯૯૧માં અર્મિરથમ કુંદુંમન વિ. સરનામ કુંદુંમનના કિસ્સામાં સક્ષમ કોર્ટની મંજૂરી સિવાય સગીરની ખરીદ કરેલ મિલ્કતને ખામીયુક્ત ટાઈટલ જાહેર કરેલ અને આવા વેચારણને ગેરકાયદેસર ઠરાવેલ. આમ ઉક્ત જણાવેલ જુદા જુદા કાયદાની જોગવાઈઓથી સગીરનું મિલ્કતમાં હિત જળવાય તેમજ તેના હક્કોનું રક્ષણ થાય તેવી જોગવાઈઓ કરવામાં આવેલ છે.

        IF YOU HAVE LIKED THE ARTICLES PLEASE SHARE IT

મિલ્કત ખરીદતા પહેલા ધ્યાનમાં રાખવાપાત્ર મહત્વના મુદ્દાઓ

 

મિલ્કત ખરીદતા પહેલા ધ્યાનમાં રાખવાપાત્ર મહત્વના મુદ્દાઓ

- કોઈપણ ખેતી / બિનખેતી વિષયક

FOR PDF CLIK HERE


- લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)

- 'જમીન / મિલ્કતની માલિકી નક્કી કરવાની આખરી સત્તા સિવિલ કોર્ટ'

(૧) ખેતીની જમીન ખરીદતી વખતે સબંધિત જમીનના નિયમોનુસાર ગામ નમુના નં. ૬, ૭/૧૨, અને ગા.નં.૮-અ ની પ્રમાણિત નકલ સબંધિત મામલતદાર કચેરીના ઈ-ધરા કેન્દ્રમાંથી મેળવવી.

(૨) કોઈપણ બિનખેડુત વ્યક્તિ ગણોત અધિનિયમની કલમ-૬૩ હેઠળ ખેતીની જમીન ધારણ કરવાને લાયક નથી તેઓએ કલેક્ટરની પરવાનગી સિવાય ખેતી વિષયક જમીન ખરીદવી નહી.

(૩) કોઈપણ બિનખેડુત વ્યક્તિ વીલ યાને વસીયતનામાથી ખેતીની જમીન પ્રાપ્ત કરે તો સુપ્રિમકોર્ટના ચુકાદા મુજબ ગેરકાયદેસર છે.

(૪) ખેતીની જમીનની ખરીદીના પ્રસંગે સબંધિત સર્વે નંબરની પ્રમોલગેશનની એન્ટ્રીથી છેવટ સુધીની ઉત્તરોત્તર ગા.ન.નં.૬ની પ્રમાણિત નકલ મેળવવાનો આગ્રહ રાખો.

(૫) ગા.ન. નં.૭/૧૨ના બીજા હક્કમાં નિયંત્રિત સત્તા પ્રકારની (નવી શરત) જમીન હશે અથવા તો 'બિનખેતી પ્રિમીયમને પાત્ર' તેવી નોંધ હશે. આવા પ્રસંગે કલેક્ટરની પૂર્વમંજૂરી મેળવી બિનખેતી ઉપયોગ કરતા પહેલા સરકારમાં પ્રિમીયમની રકમ અવશ્યપણે જમા કરાવો. ખેતીની જમીન જૂની શરત હોય તો ખેડૂત ખાતેદાર ખરીદી શકશે.

(૬) ગા.ન.નં.૭/૧૨ ના બીજા હક્કમાં મંડળી કે બેંકની કે અન્ય સંસ્થાના બોજાના નોંધ હોય તો જે તે સંસ્થા કે બેંકમાં બોજો ભરપાઈ કરાવી બોજામુક્તિની નોંધ અવશ્યપણે પડાવો.

(૭) બિનખેતી વિષયક હેતુ માટે સક્ષમ અધિકારી પાસેથી એટલે કે શહેરી વિસ્તારો કે ગ્રામ્ય વિસ્તારો માટે કલેક્ટર પાસેથી એન.એ.ની પરવાનગી બિનખેતી વિષયક ધારો નક્કી કરવાના ભાગરૂપે મેળવી છે કે કેમ ? તેની ખાત્રી કરો.

(૮) મહેસૂલ વિભાગના પરિપત્ર પ્રમાણે ફાયનલ ટી.પી.માં બિનખેતીની પરવાનગી મેળવવાની જરૂર નથી. ફક્ત ઔપચારિકતા ખાતર બિનખેતી ધારો નક્કી કરાવવાનો છે.

(૯) ખેતીની જમીન બિનખેતી થયેલ હોય તો અધિકૃત અધિકારી પાસેથી બિનખેતી હુકમની, લેઆઉટ પ્લાનની તથા નમુના 'એમ'મા સનદની ખરી નકલ મેળવવાનો આગ્રહ રાખવો તેમજ લેઆઉટમાં જણાવેલ જગ્યાએ જ પ્લોટ છે કે કેમ ? તેની ખાત્રી કરો.

(૧૦) પૂર્વ યુ.એલ.સી. (શહેરી જમીન ટોચ મર્યાદા ધારો) વિસ્તારમાં જમીન આવેલ હોય તો આવી જમીન શહેરી જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ ફાજલ થયેલ છે કે કેમ ? અને સરકાર હસ્તક જમીનનો કબજો લેવાયેલ છે કે કેમ ? તેમજ હાલ કોઈ લીટીગેશન કોઈ કોર્ટમાં ચાલે છે કે કેમ ? તેની ખાત્રી કરો. (હાલ ફક્ત વ્યક્તિગત રહેણાંકની જમીન નિયમિત કરતો કાયદો પસાર થયેલ છે)

(૧૧) જો મિલ્કત સીટી સર્વે વિસ્તારમાં આવેલી હોય તો સીટી સર્વે કચેરીએથી પ્રોપર્ટીકાર્ડની પ્રમાણિત નકલ મેળવવાનો અવશ્ય આગ્રહ રાખો તેમજ ઉત્તરોત્તર મિલ્કત રજીસ્ટરના ઉતારાથી ખાત્રી કર્યા બાદ જ મિલ્કતના ટાઈટલની ખરાઈ કર્યા બાદ જ જમીન ખરીદ કરવી.

(૧૨) ટી.પી. સ્કીમ હેઠળની કે શહેરી વિકાસ સત્તા મંડળ વિસ્તારની જમીન હોય તો કયા ઝોનમાં જમીન સ્થિત થઈ છે તે અંગે કોર્પોરેશન કે સબંધિત શહેરી જમીન સત્તા મંડળની કચેરીએથી ખાત્રી કરો.

(૧૩) વીડીની (Grazing - ઘાસચારાની જમીન) જમીનના પ્રસંગે જાગીર ઉપાર્જન ધારા હેઠળ વીડીની જમીન ખેડવાણ કરવા કલેક્ટરની મંજૂરી મેળવી છે કે કેમ ? તેની ખાત્રી કરો અને મંજૂરીના હુકમની પ્રમાણિત નકલ મેળવવાનો આગ્રહ રાખવો.

(૧૪) વીડીની જમીનનું વેચાણ કરવાનું હોય તો જાગીર ઉપાર્જન ધારા હેઠળ વીડીની જમીન વેચાણ કરવા અધિકૃત અધિકારીની મંજૂરી મેળવી છે કે કેમ ? તેની ખાત્રી કરો અને આવી મંજૂરી અપાયેલ હોય તો પ્રમાણિત નકલ મેળવવાનો આગ્રહ રાખો.

(૧૫) ખેતીની જમીનના પ્રસંગે ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ અધિકતમ ક્ષેત્રફળ માટે કોઈ કેસ ચાલેલ છે કે કેમ ? જમીન ફાજલ થયેલ છે કે કેમ ? તેમજ ફાજલ જમીનનો કબજો સરકાર હસ્તક લેવાયેલ છે કે કેમ ? તેમજ કોઈ કોર્ટમાં લીટીગેશન ચાલે છે કે કેમ ? કોઈ મનાઈ હુકમ છે કે કેમ ? તે સઘળી બાબતે અવશ્ય ખાત્રી કરવાનું રાખો.

(૧૬) ટોચ મર્યાદા હેઠળ ફાજલ થયેલ જમીન અને ફાળવેલ જમીન કાયમી ધોરણે બિન તબદીલીને પાત્ર છે એટલે આ જમીનની તબદીલ ઉપર કાયમી નિયંત્રણ છે.

(૧૭) ટી.પી. સ્કીમ હેઠળ આવરી લેવાયેલ જમીન હોય તો મુળખંડ તથા અંતિમ ખંડની વિગત તેમજ નમુના એફ ની પ્રમાણિત નકલ તેમજ સ્કેચની પ્રમાણિત નકલ મેળવવાનો આગ્રહ રાખો. ( ક્રમશઃ)

IF YOU HAVE LIKED THE ARTICLES PLEASE SHARE IT!!


ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...