3.24.2022

હુકમોની નોંધ ઓનલાઈન સ્વરૂપે હક્ક પત્રકમાં પાડવા બાબત અને જોગવાઈઓ

 સબ રજીસ્ટ્રાર કચેરી ને લગતા અધ્યતન પરિપત્રો-2022

હુકમોની નોંધ ઓનલાઈન સ્વરૂપે હક્ક પત્રકમાં પાડવા બાબત અને જોગવાઈઓ


- મહેસૂલી અધિકારીઓ / કોર્ટ દ્વારા થતા


- લોકાભિમુખ માર્ગદર્શન :  એચ.એસ. પટેલ IAS (નિ.)

મહેસૂલી અધિકારીઓના હુકમોની હક્કપત્રકમાં નોંધ પાડવા અલગ અરજી કરવાની જરૂરિયાત નથી

જમીન / મિલ્કતના વ્યવસ્થાપનમાં મહેસૂલી રેકર્ડ અદ્યતન રાખવાની જવાબદારી રાજ્ય સરકારની છે અને તે અંતર્ગત રાજ્ય સરકારે મહેસૂલી વિભાગનું રેકર્ડ ૨૦૦૪થી કોમ્પ્યુટરાઈઝ કરવામાં આવ્યું છે અને ઓનલાઈન ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. જમીન મહેસૂલ અધિનિયમનું હક્કપત્રકનું પ્રકરણ-૧૦ ક (Record of Rights) સૌથી અગત્યનું છે અને તેમાં જમીન / મિલ્કતને લગતે જે ફેરફારો થાય તે તમામની નોંધ હક્કપત્રકમાં થાય છે. ઘણીવાર જમીનને લગતા જે વિવાદો થાય છે. તેમાં જમીન મહેસૂલ અધિનિયમની જોગવાઈઓ મુજબ મહેસૂલી અધિકારીઓના હુકમ સામે ઉપલી કક્ષાના મહેસૂલી અધિકારીઓ સમક્ષ અપીલ / રિવીઝન સત્તાઓ છે અને તે મુજબ મામલતદાર, ડેપ્યુટી કલેક્ટર, કલેક્ટર, સચિવશ્રી અપીલ, ગુજરાત મહેસૂલ પંચ વિગેરે તેમજ આ અધિકારીઓના હુકમ ઉપરાંત સિવિલ કોર્ટ, ગુજરાત હાઈકોર્ટ તેમજ સુપ્રિમ કોર્ટમાં પણ કેસ થતા હોય છે અને તેના ચુકાદાની નોંધ મહેસૂલી રેકર્ડમાં ન કરવામાં આવે તો ક્રમશઃ જમીનનું Status કે ટાઈટલ અંગે પ્રશ્નો થાય છે.

ઘણીવાર સબંધિત મહેસૂલી અધિકારીના હુકમ સામે અપીલ કરવામાં આવે તેમજ મનાઈ હુકમ પણ આપવામાં આવે. પરંતુ નીચલી મહેસૂલી કોર્ટના હુકમની ગામદફતરે અમલીકરણ ન કરવાને કારણે ઉત્તરોત્તર જે ફેરફાર પકડવા જોઈએ તે થતા નથી. આ ઉપરાંત કલેક્ટર દ્વારા બિનખેતીનો હુકમ કરવામાં આવે, જમીન ગ્રાન્ટ કરવાનો હુકમ કરવામાં આવે, જમીન નવી શરતમાંથી જૂની શરતમાં ફેરફાર કરવામાં આવે, જમીન સંપાદન કરવામાં આવે. આ બધી જ પ્રક્રિયા જમીન / મિલ્કતના નિભાવવામાં આવતા હક્કપત્રકના રેકર્ડને સંલગ્ન છે અને હુકમી નોંધોનો અમલ રેકર્ડ અદ્યતન રાખવાના ભાગરૂપે થાય તે રાજ્ય સરકાર અને ખાતેદાર / મિલ્કતધારકના હિતમાં છે.

મહેસૂલ વિભાગ દ્વારા ૨૦૦૪ થી રેકર્ડનું કોમ્પ્યુટરાઈઝેશન કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે સબંધિત હુકમ કરનાર મહેસૂલી અધિકારીની કચેરી દ્વારા જ હુકમ કરતાંની સાથે ઓનલાઈન નોંધ પાડવાનો નિર્ણય સરકારે કર્યો છે. અગાઉ ઘણીવાર એવું પણ બનતું કે હસ્તલિખિત હુકમની નોંધ ન પાડવાને કારણે વિવાદાસ્પદ જમીન હોય તે પણ વેચાઈ જતાં તબદીલ થતા અને નોંધ પણ પ્રમાણિત થતી અથવા તો હુકમી નોંધ હોય તો ૧૩૫ ડીની નોટીસ આપતાં અને સબંધિત સત્તા ધરાવતા અધિકારી દ્વારા હુકમ થયેલ હોવા છતાં પણ વાંધો સ્વીકારી કાર્યવાહી ચાલતી, સાચી પધ્ધતિ તરીકે હુકમી નોંધ તે આધારે પ્રમાણિત કરવાની થાય અને જે પણ અપીલીય અધિકારીનો હુકમ આવે તે પ્રમાણે ક્રમશઃ નોંધ કરવાની થાય. સરકારે જે તે સમયે સૂચનાઓ આપેલ હોવા છતાં એક સુત્રતા પણે અમલ થતો ન હતો, એટલે સરકારના મહેસૂલ વિભાગના તા.૨૪-૪-૨૦૧૫ ઠરાવ અને તા.૨૨-૧૧-૨૦૧૬ના પરિપત્રથી વિગતવાર માર્ગદર્શક સૂચનાઓ આપી છે અને તે અંતર્ગત જમીનના હક્કોની તબદીલીના વ્યવહારો માટે થતા અર્ધન્યાયિક હુકમો (Quasi-Judicial) દિવાની કોર્ટ - નામદાર હાઈકોર્ટ / સુપ્રિમ કોર્ટ હુકમોને હક્કપત્રકમાં હુકમ કરનાર મહેસૂલી અધિકારી / કચેરીના નિયત અધિકારીઓ દ્વારા હુકમી ફેરફાર નોંધ સીધી ઈલેક્ટ્રોનીક રીતે દાખલ કરવાની કાર્યપધ્ધતિ અપનાવવામાં આવી છે. હુકમી નોંધોની સીધી નોંધ ઓનલાઈન પાડવાની પધ્ધતિને કારણે અરજદારે ૧૩૫ સી હેઠળની અરજી આપવાની જરૂર નથી.

મહેસૂલ વિભાગના જે વિષયો હેઠળ નોંધ પાડવાની છે તેમાં બિનખેતીની પરવાનગી હવે નવી શરતની પરવાનગી ઘણીવાર બિનખેતીની પરવાનગીની સાથે આપવામાં આવે છે તો તે મુજબ હુકમી નોંધ પાડવાની છે તેજ રીતે કલેક્ટર દ્વારા જમીન ગ્રાન્ટ કરવામાં આવી હોય, જમીન નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવવામાં આવી હોય, જમીનનું રી સર્વે કરવામાં આવ્યું છે તેમાં ક્ષેત્રફળમાં સુધારો કરવાનો હોય, જમીન માપણી બાદ હિસ્સા પાડવામાં આવ્યા હોય, દુરસ્તી કરવામાં આવી હોઈ, કે જેપી (કમી જાસ્તીપત્રક) નો અમલ કરવાનો હોય. આ તમામ નોંધો ડીઆઈએલ આ દ્વારા સીધી પાડવાની છે. મહેસૂલી અધિકારીએ કોઈ જમીન શરત ભંગ હેઠળ ખાલસા / રાજ્ય સાત કરી હોય તો તે હુકમની નોંધ, જમીન ભાડાપટ્ટે આવી હોય અથવા ભાડા પટ્ટાની મુદ્દત લંબાવવામાં આવી હોય, પ્રમોલગેશન બાદ રેકર્ડ પ્રમાણિત જાહેર કરવામાં આવ્યું હોય તે અંગેની અસર સીધે સીધા ૭/૧૨માં આપવા અંગે, આરટીએસ એટલે કે રેકર્ડ આફ રાઈટ્સને લગતે જે પણ હુકમો જુદા જુદા મહેસૂલી અધિકારીઓ દ્વારા કરવામાં આવે તે અંગેની નોંધ આ ઉપરાંત જમીન સંપાદન હેઠળ જે પણ હુકમો કરવામાં આવે. ખાસ કરીને સંપાદનનો એવોર્ડ જાહેર કરવામાં આવે તે પણ હુકમી નોંધ સબંધિત જમીન સંપાદન અધિકારી દ્વારા કરવાની થાય છે.

આમ રાજ્ય સરકારે ૨૦૧૭થી હક્કપત્રકમાં જુદા જુદા સત્તાધિકારી દ્વારા કરવામાં આવતા હુકમોની નોંધ તેમની કચેરી દ્વારા જ ઓનલાઈન પાડવાની પધ્ધતિ અપનાવવામાં આવી છે. જેમાં જે કચેરીઓનો સમાવેશ થાય છે. તેમાં સચિવશ્રી, અપીલ મહેસૂલ વિભાગ, ગુજરાત સરકાર, કલેક્ટર કચેરી, ડેપ્યુટી કલેક્ટર, પ્રાન્ત અધિકારી, મામલતદાર કચેરી, સેટલમેન્ટ કમિશ્નર અને જમીન દફતર નિયામક, ગુજરાત જમીન મહેસૂલ પંચ (GRT) જમીન સંપાદક સંસ્થાઓ, જમીન સંપાદન અધિકારીઓ જેમાં સરદાર સરોવર અને અધિક કલેક્ટર કચેરીઓનો પણ સમાવેશ થાય છે. ડીઆઈએલઆર, જીલ્લા જમીન દફતર નિરિક્ષક વિગેરેનો સમાવેશ થાય છે. આમ તો આ બધા જ સત્તાધિકારીઓ રાજ્ય સરકારના જમીન મહેસૂલ કાયદા અન્વયે સત્તા ધરાવતા અધિકારીઓ છે અને તે અન્વયે અપીલીય હકુમત ધરાવતા અધિકારીઓ તેઓને પ્રાપ્ત થયેલ અધિકાર અન્વયે હુકમો કરવામાં આવે છે. તેથી તે મુજબ અમલ કરવાનો થાય છે.

આ કાર્યપધ્ધતિ અપનાવવાથી જમીન મહેસૂલ અધિનિયમ હેઠળનું હક્કપત્રકનું રેકર્ડ અદ્યતન તો રહે છે પરંતુ સાથો સાથ લોકોના હક્કોની જાળવણી પણ અદ્યતન સ્વરૂપે થાય છે તે ઉપરાંત સબંધિત જમીન / મિલ્કતમાં જો કોઈ વિવાદ હોય તો તેની પણ નોંધ હોવાને કારણે સબંધિત જમીન / મિલ્કતનો ટાઈટલના ખરાપણાનો પણ ખ્યાલ આવી શકે છે. આ તો મહેસૂલી અધિકારીઓના હુકમોની ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા થઈ. પરંતુ સિવિલ કોર્ટ / ગુજરાત હાઈકોર્ટ કે સુપ્રિમ કોર્ટ દ્વારા પણ જે હુકમો થાય તેનું પાલન કરવાની જવાબદારી મહેસૂલી તંત્રની છે કારણ કે ખાસ કરીને જમીન / મિલ્કતના વિવાદમાં ટાઈટલની બાબત નક્કી કરવાની સત્તા ફક્ત સિવિલ કોર્ટને છે તે જ રીતે જો મિલ્કત કે જમીનના વિવાદમાં જો પક્ષકાર દ્વારા હાઈકોર્ટ કે સુપ્રિમકોર્ટમાં જાય અને તેમાં જે નિર્ણય આવે તે પક્ષકારોને બંધનકર્તા હોય છે અને ક્રમશઃ જમીન / મિલ્કતની બાબતમાં અદ્યતન Status મળી રહે તે માટે હક્કપત્રકમાં તેની નોંધ પાડવી ફરજીયાત છે.

આમ હુકમી નોંધો ઓનલાઈન પાડવાની કાર્યપધ્ધતિ રાજય સરકાર દ્વારા અપનાવવામાં આવી છે તે મહેસૂલી રેકર્ડ અદ્યતન રહે અને લોકો દ્વારા પણ જમીન / મિલ્કતના ટાઈટલ અંગેનો દરજ્જો (Status) પણ ચકાસી શકાય છે. નવીન અપનાવેલ પધ્ધતિને કારણે હવે જે કિસ્સામાં મહેસૂલી અધિકારીઓ દ્વારા હુકમો કરવામાં આવે છે તેની નોંધ પડાવવા માટે ઈ-ધરા કેન્દ્રમાં અલગ રીતે અરજી કરવાની જરૂરિયાત નથી.

IF YOU HAVE LIKED THE ARTICLES SHARE IT

3.20.2022

Land Grabbing Act 2020માં, તાજેતરમાં કરેલ સુધારાની જોગવાઈઓ

 

Land Grabbing Act 2020માં, તાજેતરમાં કરેલ સુધારાની જોગવાઈઓ



- લોકાભિમુખ માર્ગદર્શન-- એચ.એસ. પટેલ IAS (નિ.)

- સરકારી જાહેર જમીન / મિલ્કતોના રક્ષણ સામે આ કાયદા અન્વયે અસરકારક અમલ જરૂરી

ગુજરાત જમીન પચાવી પાડવા (Land Grabbing Act ) પ્રતિબંધ ધારો રાજ્ય સરકારે ઓગસ્ટ-૨૦૨૦ થી લાગુ કર્યો છે. જેને દોઢ વર્ષ જેટલો સમયગાળો થયો છે. આ વિશેષ કાયદો લાગુ કરવાનું મુખ્ય કારણ એ છે કે દિન-પ્રતિદિન જમીન / મિલ્કતને લગતા વ્યવહારોમાં છેતરપીંડી, કાયદેસરના દસ્તાવેજ કરતા પહેલાં એકથી વધારે વ્યકિતઓ સાથે બાનાખત, ર્ખયિીિઅ તેમજ સરકારી / ગૌચરની જમીનો ઉપરાંત સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ જેમ કે મહાનગરપાલિકા, નગરપાલિકા, ગ્રામ પંચાયત તેમજ સત્તા મંડળોની જમીનો ઉપર દબાણ કરી ગેરકાયદેસર કબજો વિગેરેનો સમાવેશ થાય છે. સાથો સાથ જમીન / મિલ્કત ખરીદનારાઓને જે જમીન ચોખ્ખા સ્વતંત્રપણ (Clear Title) વાળી હોવી જરૂરી છે. જેથી શુધ્ધબુદ્ધિથી (Bonafide Purchaser) ખરીદનારાઓને મુશ્કેલી ન પડે, આમ તો ખોટા દસ્તાવેજો, બળ જબરીપૂર્વકના આચરણ, ગેરકાયદેસર કબજો / દબાણ વિગેરેના કિસ્સામાં ફોજદારી કાર્યવાહી માટે ઈન્ડીયન પીનલ કોડ તેમજ સરકારી જમીન ઉપર દબાણ અંગે જમીન મહેસૂલ અધિનિયમની કલમ-૬૧ હેઠળ જોગવાઈઓ છે. પરંતુ આ જોગવાઈઓની અસરકારકતા ન હોવાને કારણે તેમજ કાયદાની કોર્ટમાં પણ લાંબા સમયની કાનુની પ્રક્રિયાને કારણે આ કાયદામાં સ્પેશ્યલ કોર્ટની પણ રચના કરવામાં આવી છે. આ કાયદાના અમલમાં અમુક જોગવાઈઓ અંગે વિસંગતતા અથવા પ્રક્રિયા અનુસરવામાં સ્પષ્ટતા સાથોસાથ મૂળ કાયદામાં સ્પેશ્યલ કોર્ટના હુકમ સામે અપીલ કરવાની જોગવાઈ ન હોવાને કારણે સુધારા કાયદાથી જે ફેરફાર કરવામાં આવ્યો છે તે આમ જનતાને ખ્યાલ આવે તે માટે વિશેષ સ્વરૂપે વિવરણ કરૂં છું અને તે મુજબ કાયદાની કલમ- ૨ (સી)માં જમીનની વ્યાખ્યા કરવામાં આવી છે. તેમાં બાંધકામ સહિતનો સમાવેશ કરવામાં આવેલ છે. પરંતુ સુધારા કાયદામાં જમીન ગ્રાન્ટ કરવાની અરજી કરવામાં આવી હોય અને તેમાં અનુસુચિત જનજાતિ અને વન અધિકાર અધિનિયમ-૨૦૦૬માં આદિવાસીઓને જંગલની જમીનમાં રહેણાંકના મકાનની જગ્યાને વન અધિકારના નિયમ હેઠળ ગ્રાન્ટ કરવા બાબતમાં આ જમીનનો સમાવેશ આ કાયદાની જોગવાઈઓ અમલ થયા ત્યારથી સમાવેશ થશે નહી તેમ સુધારા કાયદામાં ઉલ્લેખ કરેલ છે એટલે કે આવી પડતર અરજીઓની બાબતમાં સબંધિત જમીનને લાગુ પડશે નહી.

આજ રીતે લેન્ડ ગ્રેબીંગ એક્ટની કલમ-૯ (૧)માં સ્પેશીયલ કોર્ટ દ્વારા તેની સમક્ષ રજૂ કરેલ અરજી અસંદિગ્ધ અથવા પાયા વિહોણી (Frivilous or Vexatious) હોય તો કોર્ટ કોઈપણ પ્રકારની તપાસ વગર નામંજૂર (Reject) કરશે. આ ઉપરાંત કલમ-૯ (૫) પ્રમાણે અરજદારની લેખિત અરજી સિવાય સાક્ષી તરીકે કોર્ટ સમક્ષ બોલાવવાની તેમજ પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ જાય તો તે કાર્યવાહીમા સક્ષમ પુરાવા તરીકે ગણવામાં આવશે નહિ તેજ રીતે કલમ-૯ (૭) માં સ્પેશ્યલ કોર્ટ દ્વારા જમીન પચાવી પાડવા અંગેના તારણ ઉપર આવે ત્યારે તે કેસનું Cognizance ગુન્હાના કારણની નોંધ અંગે જાહેર નોટીસ (Public Notice) બહાર પાડવાની રહેશે અને તે અંગે નિયત સમયમાં જે રજૂઆત આવે તે કોર્ટ દ્વારા ધ્યાનમાં લેવામાં આવશે અને કોર્ટ દ્વારા સબંધિત હિત ધરાવતા પક્ષકારને તેને યોગ્ય લાગે તો કેસનું Cognizance લીધા બદલની નોટીસ આપી શકશે.

લેન્ડ ગ્રેબીંગ એક્ટમાં જે મહત્વનો સુધારો કરવામાં આવ્યો છે તે મુજબ કલમ-૧૨ (એ) ઉમેરવામાં આવી છે અને તે મુજબ સ્પેશ્યલ કોર્ટ દ્વારા જે ફાયનલ હુકમ કરવામાં આવે તે સામે ગુજરાતની હાઈકોર્ટ સમક્ષ અપીલ થઈ શકશે અને સ્પેશ્યલ કોર્ટના સિવિલ પ્રોસીડીંગ અથવા ક્રિમીનલ પ્રોસીડીંગમાં જે હુકમ કરવામાં આવ્યો હોય તેની હાઈકોર્ટ સમક્ષ અપીલ થઈ શકે છે અને આવો હુકમ થયા તારીખથી ત્રીસ દિવસની અંદર અપીલ કરવાની છે અને આ તારીખ હુકમ થયા તારીખથી ગણવામાં આવશે. પરંતુ હાઈકોર્ટને પુરતાં કારણોનો (Sufficient Cause) સંતોષ થાય તો ૩૦ દિવસને બદલે ૬૦ દિવસમાં અપીલ ગ્રાહ્ય રાખી શકે છે અને હાઈકોર્ટ સ્પેશ્યલ કોર્ટ દ્વારા સિવિલ પ્રોસીઝર કોડ અને ક્રિમીનલ પ્રોસીઝર કોડમાં જે પ્રક્રિયા અનુસર્યા હોય તે તમામ સત્તાઓ ભોગવશે અને હાઈકોર્ટ અપીલ મળ્યેથી સબંધિત પક્ષકારોને સાંભળવાની વ્યાજબી તક આપીને સ્પેશ્યલ કોર્ટનો હુકમ રદ, ફેરફાર અથવા સુચનો (Direction) સાથે રીમાન્ડ કરી શકે છે.

આમ ઉપર મુજબના સુધારા તાજેતરમાં લેન્ડ ગ્રેબીંગ એક્ટમાં કરવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે જમીનની વ્યાખ્યામાં સુધારો, સ્પેશ્યલ કોર્ટની સત્તામાં સ્પષ્ટતા તેમજ સ્પેશ્યલ કોર્ટના હુકમ સામે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. જાણકારી મુજબ આ કાયદામાં જે સમિતિની રચના કરવામાં આવી છે તેમાં મળેલ અરજીઓ અન્વયે સમયમર્યાદા અને કાયદાનો મૂળભૂત હેતુસરે અને દાખલો બેસે તેવી કાર્યવાહી થઈ હોવાનું જણાતું નથી. ખાસ કરીને તો સરકારી / ગોચર તેમજ મહાનગરપાલિકા / નગરપાલિકાઓની જમીનો ઉપર સંખ્યાબંધ દબાણો છે અને માથાભારે વ્યક્તિઓ સામે દાખલારૂપ કાર્યવાહી થાય તો દબાણો અટકે અને ખોટી રીતે જમીન / મિલ્કતના વ્યવહારો થાય છે તે અટકી શકે ઉપર જે સુધારા કરવામાં આવ્યા છે તે મુજબ રાજ્ય સરકાર દ્વારા અસામાજીક પ્રવૃત્તિ આચરનારાઓ સામેનો (Gujarat Antisocial Prevention Act) કાયદો ઘડવામાં આવ્યો છે અને તેમાં જમીન પચાવી પાડનારાઓ (Land Grabber)  સામે PASAની જે જોગવાઈઓ છે. તેમાં પણ સુધારો કરવાનો થાય છે. આશા રાખવામાં આવે છે કે જમીન પચાવી પાડવાનો જે ખાસ કાયદો ઘડવામાં આવ્યો છે તેનું યોગ્ય સ્વરૂપે પાલન થાય.


IF YOU HAVE LIKED THE ARTICLES PLEASE SHARE IT

મીલકતને લગતો કોર્ટદાવો કરતી વખતે કઇ કઇ બાબતો ધ્યાનમાં રાખવી જોઇએ??



IF YOU HAVE LIKED THE ARTICLES PLEASE SHARE IT

 

3.10.2022

જમીન કાયદા ને લગતા અગત્ય ના વીડીયો

જમીન નવા અને જુના દસ્તાવેજ માં નવા નિયમ ફેરફાર 

દસ્તાવેજ ઓનલાઇન નોંધણી એપોઇન્ટમેન્ટ કઈ રીતે લેવી?

જમીન, મકાન, પ્લોટ, ફલેટ વગેરે મિલકતનો દસ્તાવેજ કરો

જમીન, પ્લોટ, મકાન કે ફ્લેટ ખરીદ વેચાણ કરો છો???

જમીન ખાતેદાર ના હકો, જવાબદારી, નિયંત્રણ

જમીન બાબતનો નવો કાયદો | ધ ગુજરાત લેન્ડ ગ્રેબીગ પ્રોહીબિશન ...

વાડાની જમીન કાયદેસર કરી આ૫વા બાબત મહત્વના સમાચાર ...

જમીન વારસાઈ કરાવો | જમીન વારસાઈ કરવા માટે ફોર્મ ભરો ઓનલાઇન

જમીનમાં વારસાઈ તથા હયાતીમાં હક કઈ રીતે દાખલ કરવો

પેઢીનામું એટલે શું? કઈ રીતે કાઢી શકાય? ક્યાં ક્યાં ઉપયોગી છે .

જાણો શું છે 'લેન્ડ ગ્રેબિંગ એક્ટ',કેવા સંજોગોમાં થાય છે

3.08.2022

गिफ्ट डीड क्या होती है? जानिए इससे संबंधित कानून

 गिफ्ट डीड क्या होती है? जानिए इससे संबंधित कानून 


गिफ्ट जिसे दान कहा जाता है, आम जीवन का एक हिस्सा है। किसी संपत्ति का दान किसी दूसरे व्यक्ति को किया जाता है। दान में कोई भी प्रतिफल नहीं होता है। जैसे हम किसी को उसके जन्मदिन पर कोई वस्तु देते हैं तब उसके बदले में उससे कुछ लिया नहीं जाता है, यही दान कहलाता है छोटी छोटी चीजों का दान साधारण तरीके से हो जाता है लेकिन बड़ी संपत्तियों का दान कानून द्वारा निर्धारित की गई प्रक्रिया के जरिए ही होता है। संपत्ति अंतरण अधिनियम किसी भी संपत्ति के हस्तांतरण से संबंधित प्रावधानों को उल्लेखित करता है, जहां मुख्य रूप से अचल संपत्तियों का उल्लेख है।इस अधिनियम के अंतर्गत दान को भी परिभाषित किया गया है।

किसी भी संपत्ति को हस्तांतरण करने की प्रक्रिया होती है और प्रकार होते हैं। जैसे विक्रय,दान, हक त्याग, वसीयत और पट्टा। यह सभी किसी भी संपत्ति के हस्तांतरण के प्रकार हैं, इसमें दान भी शामिल है। दान की परिभाषा संपत्ति अंतरण अधिनियम की धारा 122 के अंतर्गत प्रस्तुत की गई है, जहां पर दान के कुछ तत्व बताए गए हैं जो इस तरह है। सक्षम पक्षकार दान में पक्षकारों का सक्षम होना आवश्यक होता है। पक्षकारों का सक्षम होना संविदा अधिनियम के अंतर्गत माना जाता है। संविदा अधिनियम में कोई व्यक्ति संविदा करने हेतु कब सक्षम होता है इसका उल्लेख किया गया है। जैसे कोई व्यक्ति पागल नहीं हो, दिवालिया नहीं हो और बालिग़ हो गया हो तब उसे सक्षम पक्षकार माना जाता है। दान के लिए ऐसे ही सक्षम पक्षकारों की जरूरत होती है। अगर कोई नाबालिक पक्षकार है तब उसकी ओर से दान लेने और देने का कार्य उसके संरक्षक द्वारा किया जाता है।

दान लेने वाले की स्वीकृति दान में दानदाता की स्वीकृति ही जरूरी नहीं है बल्कि उस व्यक्ति की स्वीकृति भी चाहिए जिस व्यक्ति को दान किया जा रहा है। किसी भी व्यक्ति को उसकी बगैर स्वीकृति के दान नहीं दिया जा सकता। प्रतिफल का नहीं होना दान में किसी भी प्रकार का प्रतिफल नहीं होता है।जैसे कि जब भी कोई संविदा की जाती है तब उसमें कोई प्रतिफल निर्धारित किया जाता है, दान में प्रतिफल की जरूरत नहीं होती, वहां प्रतिफ़ल होता भी नहीं है क्योंकि दान को ऐसा माना जाता है कि वह प्राकृतिक प्रेम और स्नेह में दिया जाता है। इसलिए वहां कोई प्रतिफल नहीं होता है।

आजकल अचल संपत्ति जैसे कोई मकान जमीन इत्यादि का दान पत्र बनाया जाता है, दान की संविदा आमतौर से घर के पारिवारिक सदस्यों के बीच होती है। जैसे पिता पुत्र के बीच, माता पुत्री के बीच और पति पत्नी के बीच। ऐसे घनिष्ठ रिश्तो में लोग एक दूसरों को संपत्ति दान करते हैं। बाहर के मामले में संपत्ति बहुत कम दान की जाती है। किसी धार्मिक ट्रस्ट या फिर खैराती ट्रस्ट को कोई संपत्ति जरूर दान की जाती है लेकिन साधारण लोगों को आमतौर से कोई संपत्ति दान नहीं की जाती है।

जब घर के सदस्य एक दूसरे को कोई संपत्ति दान करते हैं तब उन्हें ऐसी संविदा में बहुत कम स्टांप ड्यूटी देना होती है, संपत्ति का रजिस्ट्रेशन भी हो जाता है। जैसे कि एक पिता अपने नाम पर रजिस्टर्ड कोई मकान अपने बेटे को देना चाहता है तब पिता दानपत्र को उप पंजीयक के कार्यालय में रजिस्टर्ड करवा सकता है। ऐसे रजिस्ट्रेशन पर बहुत कम स्टांप ड्यूटी लगती है क्योंकि इन व्यवहारों में किसी भी प्रकार का धन का लेनदेन नहीं होता है। लेकिन यह ध्यान रखना चाहिए कि परिवार के सदस्यों के बीच होने वाले दान के व्यवहार में ही कम स्टांप ड्यूटी लगती है। बाहर के किसी व्यक्ति को कोई संपत्ति दान करने पर स्टांप ड्यूटी विक्रय जितनी ही लगती है। लोगों ने स्टांप ड्यूटी से बचने के लिए विक्रय के स्थान पर दान की संविदा बनाने का काम शुरू कर दिया था और झूठ बोलकर विक्रय को दान बता देते थे। इस समस्या से निपटने के लिए यह प्रावधान किया गया है कि अगर परिवार के सदस्य एक दूसरे को कोई संपत्ति दान करते हैं तब स्टांप ड्यूटी कम लगेगी। यदि बाहर के किसी व्यक्ति को कोई संपत्ति दान की जाएगी तब उसके रजिस्ट्रेशन में विक्रय जितनी ही स्टांप ड्यूटी लगेगी। एक बार दान हमेशा दान किसी भी चल और अचल संपत्ति का दान किया जा सकता है। चल संपत्ति के दान में दान पत्र का रजिस्ट्रेशन आवश्यक नहीं होता है लेकिन अचल संपत्ति के मामले में दान पत्र का रजिस्टर्ड होना बेहद जरूरी है। बगैर रजिस्ट्रेशन के कोई भी दान पत्र वैलिड नहीं माना जाता है। अगर किसी व्यक्ति ने किसी दूसरे व्यक्ति को किसी संपत्ति का दान कर दिया है और उसका रजिस्टर्ड दान पत्र तैयार कर लिया गया है तब इसका खंडन नहीं किया जा सकता। अब दान देने वाले दाता किसी भी स्थिति में संपत्ति को वापस प्राप्त नहीं कर सकता है। वसीयत की तरह दान का खंडन नहीं किया जा सकता। वसीयत का कोई भी व्यक्ति बार-बार खंडन कर सकता है जबकि दान का खंडन नहीं होता है। एक बार यदि दान लिख दिया गया तब वह दान सदा सदा के लिए माना जाएगा। भारयुक्त संपत्ति कोई भी भारयुक्त संपत्ति जिस पर किसी प्रकार का कोई कर्ज है, कोई योजना है ऐसी संपत्ति का दान नहीं किया जा सकता। पहले उस संपत्ति का कर्ज चुकाया जाएगा फिर उस संपत्ति का दान किया जाएगा। अगर संपत्ति पर कोई भार है और उसका दान कर दिया जाता है तब ऐसा दान अवैध माना जाएगा। दान पत्र में दाता के संबंध में संपूर्ण जानकारी जैसे उसका नाम पता इत्यादि। उस संपत्ति का उल्लेख जिसे दान किया जाना है, यह संपत्ति दाता को कहां से प्राप्त हुई है इसकी पूर्ण जानकारी। जिस व्यक्ति को संपत्ति दान की जा रही है उस व्यक्ति की संपूर्ण जानकारी और इसी के साथ दोनों की स्वतंत्र सहमति का उल्लेख दान पत्र में किया जाना चाहिए। ऐसे दान पत्र को रजिस्टर्ड करवाने के लिए जिस जिले में संपत्ति स्थित है वहां के उप पंजीयक कार्यालय में प्रस्तुत किया जा सकती है।




ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...