જમીન
મહેસૂલ અધિનિયમ-1879 ની કલમ-73 AA હેઠળ જમીન વેચાણ ની અરજી ઓનલાઇન
કરવા માટે અહી કલીક કરો
12.28.2020
najmuddin meghani advocate video about 73AA/N.A
12.13.2020
11.02.2020
10.26.2020
10.12.2020
જમીન કે મકાન ખરીદતા વેચાણ દસ્તાવેજ માં આટલી ચોકસાઈ જરૂર રાખજો
9.27.2020
9.22.2020
જમીન મિલકત હડફ કરનારા સામે સરકારનો નવો કાયદો આવે છે
9.13.2020
ગમે તે વ્યક્તિની ખેતીની જમીન પ્રાપ્ત કરી શકતો નહીં ,એવું કેમ ???
9.07.2020
9.06.2020
8.31.2020
8.24.2020
પાવર ઓફ રજીસ્ટ્રેશન ના રજીસ્ટ્રેશન હવે વધુ ચોકસાઈ રાખવી પડશે
પાવર ઓફ રજીસ્ટ્રેશન ના રજીસ્ટ્રેશન હવે વધુ ચોકસાઈ રાખવી પડશે
8.17.2020
જમીનની વહેંચણી- વેચાણ - હેતુ ફેર નાં હુકમ/ પૈકી ગ્રાન્ટ નાં કિસ્સા માં ગામ નમુના ન ૭ નાં પાનીઓ અલગ કરવા બાબત મહ્ત્વ નો પરિપત્ર
If you have liked the article please share it
રજિસ્ટ્રેશન કરાવ્યા વિનાના પાવર ઓફ એટર્ની માં કોઈ પાવર હોતો નથી..
8.10.2020
કો.ઓ। હાઉસિંગ સોસાયટી ના ઘર ની તબદિલીમાં નિયંત્રણો ક્યારે આવે ???
8.03.2020
કોઈપણ જમીન ગણોતીયાના હક્ક હેઠળ છે એવું ક્યારે સાબિત થાય ???
પાવર ઓફ એટર્ની યાને કુલમુખત્યારનામાની નોંધણી કરાવવી હવે ફરજીયાત
7.27.2020
ખેતીની જમીનની કૌટુમ્બીક વહેંચણી -તબદિલીમાં ટુકડા પ્રતિબંધક ધારો 1947 ની જોગવાઈઓનો બાધ નડતો નથી
મિલ્કતો ખરીદતી વખતર દીકરાઓને પિતાની નાણાકીય મદદ મળવાથી તેમની મિલકત બેનામી બનતી નથી
7.23.2020
કાનુની વિવાદ ધ૨ાવતી મિલ્ક્તોનું સબ-૨જીસ્ટ્રા૨માં ૨ેકર્ડ ૨ાખવાનું ફ૨જીયાત
કાનુની વિવાદ ધ૨ાવતી મિલ્ક્તોનું સબ-૨જીસ્ટ્રા૨માં ૨ેકર્ડ ૨ાખવાનું ફ૨જીયાત
મિલ્ક્ત સંબંધી ગુનાખો૨ી ૨ોક્વાની દિશામાં ગુજ૨ાત સ૨કા૨ે વધુ એક વખત મહત્વપૂર્ણ સુધા૨ા ર્ક્યા છે. કાનુની વિવાદમાં ૨હેલી મિલ્ક્તોને સબ-૨જીસ્ટ્રા૨નાં ૨ેકર્ડ ૨ાખવાનું ફ૨જિયાત બનાવવાથી માંડીને કુલમુખત્યા૨નામામાં હયાતીની સાબીતી, ઈક્વીટેબલ મોર્ટગેજ ૩૦ દિવસમાં ૨જીસ્ટર્ડ ક૨ાવવાનું અનિવાર્ય બનાવવા સહિતના સુધા૨ાત્મક પગલા લીધા છે. મિલ્ક્ત નોંધણીમાં પણ પક્ષકા૨ તથા સાક્ષીઓના ઓળખપત્ર ફ૨જિયાત ક૨ાયા છે. અર્ધો ડઝન જેટલા સુધા૨ા નિયમોથી મિલ્ક્ત સંબંધી ગુનાખો૨ીના દ૨વાજા બંધ થઈ જવાનું માનવામાં આવી ૨હયું છે.
૨ાજય સ૨કા૨ દ્વા૨ા ગઈકાલે જ આ સુધા૨ા જાહે૨ ક૨ીને આજે તા. ૧૦થી જ અમલી બનાવ્યા છે. સાંપ્રત સમય માં બદલાતી ટેકનોલોજીના યુગમાં અને મિલ્કતો ની કિમંતો માં થયેલ અકલ્પ્ય વધારા ને કારણે મિલ્કતો સંબંધી ગુના ઓ માં થયેલ વધારા ને કાબુ માં લેવા નાં આશય થી ગુજરાત સરકાર દ્વારા તા.9-7-2020 ના રોજ દસ્તાવેજ નોંધણી પ્રક્રીયા માં મોટા પ્રકાર નાં સુધારા ઓ કર્યા છે. આ આવકારકારક સુધારાઓને લીધે મિલ્કત સંબંધી વ્યવહારો માં હાલ ની પ્રક્રીયા માં રહેલ છીંડા પૂરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
નોંધણી પ્રક્રીયા માં તા.10-7-2020 થી અમલી બનતા સુધારા ઓ અંગે નોંધણી સરનીરીક્ષક ગાંધીનગર દ્વારા પરીપત્ર નં.ઈજર/વહટ/202/ભાગ-2/2016/1806 તા.9-7-2020 બહાર પાડવામાં આવેલ છે. જેની મુખ્ય જોગવાઈઓ નીચે મુજબ છે.
1. મિલ્કત ના વ્યવહાર સંબંધી કુલમુખત્યારનામા ફરજીયાત નોંધણી પાત્ર.
મિલ્કત સંબંધી આપવામાં આવતા તમામ પ્રકાર નાં કુલ-મુખત્યારનામા ની નોંધણી ફરજીયાત કરવામાં આવી છે. અને આ અંગે ફરજીયાત નોંધણી પાત્ર કુલ-મુખત્યારનામા નો સમાવેશ નોંધણી અધિનિયમ ની કલમ 17(1) માં ક્લોઝ ઓફ નો ઉમેરો કરેલ છે. આ સુધારા ને કારણે કુલ-મુખત્યારનામા મારફત મિલ્કતો હડપી લેવાનાં ગુનાઓ માં ઘટાડો કરવાનો અભિગમ આવકારદાયક રહેશે અને નિર્દોષ મિલ્કત ધારકો રાહત નો શ્વાસ લઈ શકશે.
2. કોઇપણ સેલ સર્ટીફીકેટ ફરજીયાત નોંધણીપાત્ર.
કોઇપણ કોમ્પીટન્ટ ઓથોરીટી દ્વારા આપવામાં આવેલ સેલ સર્ટીફીકેટ ફરજીયાત નોંધણી પાત્ર દસ્તાવેજ બને છે. અને આ અંગે નોંધણી અધિનિયમ ની કલમ 17 માં સબ-ક્લોઝ કે દાખલ કરવામાં આવેલ છે. આ સુધારાથી સરકારશ્રી કે બેંકો દ્વારા આપવામાં આવતા સેલ સર્ટીફીકેટ ફરજીયાત નોંધણીપાત્ર બનેલ છે. અને સરકારને નોંધણી ફી અને સ્ટેમ્પ ડ્યુટી ની આવક વધવા સંભવ છે.
3. દસ્તાવેજ અને નોંધણી ફી ની વ્યાખ્યામાં ઈલેક્ટ્રોનીક શબ્દ નો ઉમેરો.
બદલાતી ટેકનોલોજી સાથે બદલતા સમય માં સરકાર દ્વારા ડીજીટલ ઇન્ડિયા ના અભિગમ ને આગળ લઇ જવા દસ્ત્તાવેજો અને નોંધણી ફી ની કાર્યવાહી ને ડીજીટલ ટેકનોલોજી નું સ્વરૂપ કાયદેસર કરવા રજીસ્ટ્રેશન એકટ ની કલમ-32 માં દસ્તાવેજ ની વ્યાખ્યા માં "ઇલેક્ટ્રોનિક" શબ્દ નો ઉમેરો કરેલ છે. અને ભવિષ્ય માં રજીસ્ટ્રેશન ની સંપૂર્ણ પ્રક્રીયા ડીજીટલ માધ્યમ થી કરવા નો સંદેશો આપેલ છે. જે આવકારદાયક પગલું છે.
4. પક્ષકારો અને સાક્ષીઓ નાં ઓળખાણપત્ર ફરજીયાત.
ખોટી વ્યકિત ખોટા નામ ધારણ કરી મિલ્કત સંબધી ગુના ઓં કરે છે. અને સાચા ખરીદનાર બિનજરૂરી રીતે તેના ભોગ બને છે. રજીસ્ટ્રેશન એક્ટ માં પક્ષકારો અને સાક્ષિ ના ઓળખાણ પત્ર મારફત ચકાસણી ફરજીયાત બનાવાઈ છે. આ અંગે ની કાર્યપ્રણાલી અંગે સુ-સંગત પરીપત્ર અપેક્ષીત છે. નામદાર સુપ્રીમ કોર્ટ ના આધાર ચુકાદા અન્વયે આધાર કાર્ડ ઓળખ નો પુરાવો નથી. તે સંજોગો માં સરકાર શ્રી દ્વારા ઓળખપુરાવા અંગે શું અભીગમ લેવામાં આવશે તેની સ્પષ્ટતા જરૂરી છે.
5. મુખત્યારનામું આપનાર ની હૈયાતી ની સાબીતી ફરજીયાત.
મુખત્યારનામું આપનાર વ્યકિત મૃત્યુ પામે તો કુલ-મુખત્યારનામું આપોઆપ રદ થાય. અને વ્યકિત નાં મૃત્યુ પછી આવા મુખત્યાર નામાં મારફત કરાયેલ વ્યવહાર ગેર કાયદેસર ના અને રદ થવા પાત્ર છે. હાલ ના સંજોગો માં મૃત વ્યકિત નાં કુલ-મુખત્યારનામા બનાવી ગેર કાયદેસર વ્યવહાર મારફત છેતરપીંડી ના કિસ્સા ખુબ વધી રહ્યા છે ત્યારે કુલ-મુખત્યારનામા મારફત દસ્તાવેજો ની નોંધણી કરવાના પ્રશંગે સબ-રજીસ્ટ્રાર સમક્ષ કુલ-મુખત્યાર નામું આપનાર જીવંત હોવા ના આધાર પુરાવા ચકાસણી કરવાનું ફરજીયાત બનાવાયુ છે. જે અત્યંત આવકાર દાયક પગલું છે. હૈયાતી નાં આધાર પુરાવા ની કાર્યરીતી અંગે સરકારશ્રી દ્વારા વ્યવસ્થિત પરીપત્ર અપેક્ષીત છે. જેથી ગેરરીતી થવા સંભવ ન રહે.
6. કોર્ટ નાં મિલ્કત સંબંધી તમામ ઓર્ડર ની નોંધણી ફરજીયાત.
હાલ માં મિલકતો ના ભાવ વધી જવા ને કારણે અને નીતિમતા ના ધોરણ માં પતન થવા ને કારણે મિલ્કત સંબધી ગુના ઓં માં ખુબ વધારો થયો છે. કોર્ટ માં ચાલી રહેલ દાવા ફરિયાદ છુપાવી, આવી મિલ્કતો વેચાણ કરી નિર્દોષ નાગરીકો ને છેતરવા નાં કિસ્સા રોજ બરોજ વધી રહ્યા છે. ત્યારે રજીસ્ટ્રેશન એકટ-89 (1) માં સુધારો કરી મિલકત સંબધી તમામ ઓર્ડર-પ્રોસીડીંગ-સ્ટે ઓર્ડર જેતે કોર્ટ મારફત સબ-રજીસ્ટ્રાર ને મોકલવાનું ફરજીયાત કરાયું છે. અને આવા રેકર્ડ ની સબ-રજીસ્ટ્રાર દ્વારા બુક નં.1 માં નોંધ કરવાનું ફરજીયાત બનાવાયુ છે. આથી મિલ્કત ખરીદનાર દ્વારા આ રેકર્ડ ની ચકાસણી કરી કોર્ટ મેટર પેન્ડીંગ હોય તો આવી મિલકત અંગે છેતરપીંડી થી બચી શકાય. અને કોર્ટ માં મલ્ટીપલ પ્રોસીડીંગ થતા અટકે.
7. હક્કપત્રક અનામત ગીરો ની સબ-રજીસ્ટ્રાર ને જાણ કરવા નું ફરજીયાત.
સામાન્ય રીતે મેમોરેન્ડમ ઓફ ઇક્વીટેબલ મોર્ટગેજ રજીસ્ટર કરવામાં આવે છે. પરંતુ અમુક ખાનગી બેંકો આવા વ્યવહાર ની નોંધણી કરાવવાનું ટાળે છે. અને આ વ્યવહાર ખાનગી હોય છેતરપીંડી ના કિસ્સા વધતા જોવા મળે છે. નોંધણી અધિનિયમ ની કલમ-89 (બી) (1) અન્વયે ઇક્વીટેબલ મોર્ટગેજ કરનાર દ્વારા સબ-રજીસ્ટ્રાર ને 30-દિવસ માં જાણ કરવી ફરજીયાત બનાવેલ છે. જેની નોંધ સબ-રજીસ્ટ્રાર દ્વારા બુક નં.1 માં કરવાની રહેશે. 30-દિવસ માં જાણ કરવામાં ચૂક પીરીયડ દરમ્યાન મોર્ટગેજ કરનાર વ્યકિત છેતરપીંડી થી મિલકત નો બીજો વ્યવહાર કરે તો ભોગ બનનાર વ્યકિત ને તેમણે ચૂકવેલ રકમ 12 % વ્યાજ સાથે પરત કરવાની જવાબદારી મોર્ટગેજ કરનાર વ્યકિત ની રહેશે.
રજીસ્ટ્રેશન પ્રક્રીયા માં ઉપરોક્ત સુધારા ઓ ખુબ આવકારદાયક છે. અને હાલ નાં નીતિમતા ના ધોરણો નો હ્રાસ ના યુગ માં આ સુધારા ઓ થી સામાન્ય પ્રજા અને મિલકત ખરીદનારા ઓ ના હિત ની રક્ષા કરવાનું સરકારનું પગલું સરાહનીય છે.
લેખકો:- સી એ. કોઠારી. મહેન્દ્ર એ. જાદવ (એડવોકેટસ)
203-ડોકટર પ્લાઝા, કસ્તુરબા રોડ,જયુબેલી બાગ સામે, રાજકોટ.
મો.નં. 98242 20260
ઈ-મેઈલ info@amklawfirm.in
7.20.2020
મલ્ટી પર્પઝ બિનખેતીની પરવાનગી મેળવવાની કાર્યવાહી બાબત
જમીન-મકાનોની માપણી સહિતની કામગીરી સિટી સર્વે દ્વારા કઈ રીતે થાય છે
7.12.2020
પરવાનગી વિના બાંધકામ કારેલું હોય તો બિનખેતી લાયકનો દરજ્જો રદ થઇ જમીન ખાલસા થઇ શકે છે !!!
7.08.2020
લિગલ અપડેટ : કુલમુખત્યારનામું (પાવર) ક્યારે રદ થઈ શકે ?(irrevocable power of attorney)
7.05.2020
7.03.2020
ઈન્ડેક્ષની નકલ અને તેનું કાયદાકીય મહત્ત્વ
ઈન્ડેક્ષની નકલ એટલે સાદી ભાષામાં આપણે તેને અનુક્રમણિકા કહીએ છીએ. આપણે જ્યારે નાના હતા અને ભણતા હતા ત્યારે આપણે ગુજરાતી, અંગ્રેજી, હિન્દીની નિબંધની નોટબુકમાં ઈન્ડેક્ષ બનાવતા હતા જેમાં નિબંધનો અનુક્રમ નંબર, નિબંધ લખ્યાની તારીખ, નિબંધનું નામ, નિબંધના મળેલ માર્કસ, શિક્ષકની સહી… વિગેરે પ્રથમ પાને આવતું હતું. અહીં જે ઈન્ડેક્ષની વાત છે તે આ અનુક્રમણિકા સબરજીસ્ટ્રાર સાહેબની ઈન્ડેક્ષ છે અને સબરજીસ્ટ્રાર સાહેબનું કામ છે રોજે રોજ થતા દસ્તાવેજની નોંધણી કરવાનું અને દરેક દસ્તાવેજ નોંધીને તેની અનુક્રમણિકા તેમના ચોપડામાં નોંધવાનું.
સબરજીસ્ટ્રાર, તેની ઈન્ડેક્ષમાં દસ્તાવેજોનો અનુક્રમ નંબર, દસ્તાવેજ કરનાર તથા કરાવનાર પાર્ટીનું નામ જે મિલ્કતના દસ્તાવેજોની નોંધણી થયેલ છે તેનું વર્ણન, સર્વે નંબર, બ્લોક નંબર, ગામનું નામ, સીટી સર્વે નંબર, વોર્ડ નંબર, મિલકતનું ક્ષેત્રફળ, મિલકતની દસ્તાવેજી કિંમત વિગેરેની નોંધ તેમા રાખે છે. આમ આખા વર્ષ દરમ્યાન સબરજીસ્ટ્રાર જેટલા દસ્તાવેજોની નોંધણી કરે છે તે દરેકની માહિતી તેમના રજીસ્ટ્રરમાં ઈન્ડેક્ષ રૂપે લખે છે. જેમ ભણતરનું વર્ષ જુન થી મે, ઈન્કમટેક્ષનું વર્ષ એપ્રિલ થી માર્ચ તેમ સબરજીસ્ટ્રારનું વર્ષ જાન્યુઆરી થી ડિસેમ્બર સુધીનું હોય છે. એટલે કે સબરજીસ્ટ્રરના વર્ષનો પહેલો અનુક્રમ નંબર ૧લી જાન્યુઆરીએ સવારે ૧૦ઃ૩૦ કલાકે થી શરૂ થાય છે અને અંતિમ અનુક્રમ નંબર ૩૧મી ડિસેમ્બર સાંજે ૦૫ઃ૩૦ કલાકે પતે છે.
દા.ત.
તા ૧/૧/૨૦૧૩ અનુક્રમ નંબર ૧ સવારે ૧૦:૩૦ …..કલાકે.
તા ૩૧/૧૨/૨૦૧૩ અનુક્રમ નંબર છેલ્લો (જે હોય …..તે) સાંજે ૫):૩૦ કલાકે
સુરત શહેરનો વિસ્તાર ઘણો મોટો હોય તેના દસ્તાવેજની નોંધણી કરવા માટે ઘણા બધા સબરજીસ્ટ્રારોની નિમણુંક કરેલ છે. એક સબરજીસ્ટ્રાર પાસે ૮ થી ૧૦ ગામડા / વિસ્તારના દસ્તાવેજોની નોંધણી કરવાની હોય આખા દિવસ દરમિયાન નોંધાયેલ અલગ અલગ વિસ્તારના દસ્તાવેજોને દિવસને છેડે કે બીજે દિવસે તેને ગામવાઈઝ/ વિસ્તારવાઈઝ અલગ-અલગ તારવીને તેની અલગ નોંધ રાખવામાં આવે છે.
આજથી ૧૦-૧૫ વર્ષ પહેલા દસ્તાવેજ લોકલ રજીસ્ટ્રર્ડ થયા પછી નોંધણી માટે ગાંધીનગર જતા હતા અને ગાંધીનગરથી તે ૨,૫ કે ૭ અને ઘણી વખત ૧૦ વર્ષ સુધી પરત આવતા જ ન હતા. આવા સંજોગોમાં દસ્તાવેજ થયા પછી તરત જ પાર્ટી પાસે માલિકીનો કોઈ આધારી પુરાવો રહેતો જ ન હતો. તેવા સંજોગોમાં મુળ દસ્તાવેજની અવેજીમાં પાર્ટીએ જે તે મિલકત ખરીદી છે કે કેમ? તેના પુરાવ રૂપે સબરજીસ્ટ્રાર તરફથી ઈન્ડેક્ષની નકલનું પ્રમાણપત્ર સહી સિક્કા કરીને આપવામાં આવતું હતું.
આમ ભુતકાળમાં ઈન્ડેક્ષની નકલની ખુબ જ અગત્યતા રહેતી હતી કારણ કે સરકારી દફતરે નામ ટ્રાન્સફરની વિધિ ખુબ જ સમય માંગી લેતી હોય, તે વખતે ઈન્ડેક્ષની નકલને જ માલિકીનો પુરાવો માન્ય રાખવામાં આવતો હતો. પ્લાન મુકવા માટે, વેરાબીલમાં નામ ટ્રાન્સફર માટે, લાઈટબીલમાં, ગેસબીલમાં નામ ટ્રાન્સફર માટે કે બેંકની લોન લેવા માટે પણ ઈન્ડેક્ષની નકલ માલિકીના પુરાવા રૂપે માન્ય રખાતી હતી.
હાલના સંજોગોમાં હવે દસ્તાવેજોની નોંધણી થયા પછી આપણને તરત જ એટલે કે તે જ દિવસે કે એકાદ-બે દિવસમાં ઓરીજીનલ દસ્તાવેજ મળી જવાથી આપણે હવે માલિકીના પુરાવા તરીકે દસ્તાવેજની નકલ રજુ કરી શકીએ છીએ અને વધારાના પુરાવા તરીકે ઈન્ડેક્ષની નકલ રજુ કરીએ છીએ.
ઈન્ડેક્ષની નકલ એટલે મિલકતની નોંધણીનું પ્રમાણપત્ર કોઈપણ મિલકતનો સબરજીસ્ટ્રાર દફતરે દસ્તાવેજ બે પાર્ટી વચ્ચે નોંધાયો હોય અને તેની નકલ જ્યારે પણ જોઈતી હોય ત્યારે જે તે નંબરે મળી શકે છે. પરંતુ ત્યારબાદ સમય વિતતા તે જ મિલકત ફરીથી ત્રીજી વ્યકિતને વેચાય ત્યારે તેનો અનુક્રમ નંબર / વર્ષ બદલાય છે એનાથી એવું ફલિત થાય છે કે ઈન્ડેક્ષની નકલમાં ખરીદનાર પાર્ટી કાયમી ધોરણે જે તે મિલકતનો માલિક ન પણ હોઈ શકે. કારણ કે ત્યાર બાદ તેણે મિલકત અન્યને વેચી પણ દીધી હોઈ શકે છે મિલકતનો લેટેસ્ટ માલિક કોણ છે? તે જાણવા માટે સરકારી દફતરનો રેકોર્ડ (૭/૧૨ અથવા પ્રોપર્ટીકાર્ડ), સબરજીસ્ટ્રારના દફતરે લેટેસ્ટ સર્ચ (શોધ), અથવા પેપરમાં જાહેર નોટીસથી જાણકારી મેળવી શકાય છે.
સબરજીસ્ટ્રાર ઓફિસમાં સર્ચ એટલે કે શોધથી જે તે મિલકતનો છેલ્લો દસ્તાવેજ કયારે થયો છે? કયાં નંબરથી થયો છે? અને છેલ્લામાં છેલ્લો માલિક કોણ છે? તે જાણી શકાય છે. જ્યારે કોમ્પ્યુટર સીસ્ટમ ન હતી ત્યારે મેન્યુઅલી સદરહુ રેકોર્ડ શોધવો પડતો હતો અને તે સમય માંગી લે તેવું કામ હતું પરંતુ હવે કોમ્પ્યટરરાઈઝ્ડ થઈ જવાથી સહેલાઈથી તરત જ માહિતી પ્રાપ્ત થઈ શકે છે.
જેઓ વિદેશમાં વસતા હોય જેઓએ પોતાની મિલકતનો પાવર ઓફ એટર્ની આપેલો હોય, જેઓની પ્રોપર્ટી ડીસ્પ્યુટમાં હોય, જેઓને પોતાના અંગત માણસોથી જ દગો-ફટકો થવાની દહેશત હોય તેઓએ દર ૬ માસે પોતાની પ્રોપર્ટી બાબતે શોધ કરાવતા રહેવું અને ખાતરી કરી લેવી કે પોતાની જાણ બહાર મિલકત વેચાઈ તો નથી ગઈને? કારણ કે બોગસ રીતે વેચાણ થઈ ગયાની જાણ ઘણા વર્ષો પછી ખબર પડે ત્યારે જે તે મિલકત ઘણા બધા હાથોમાં ફરી ગઈ હોય, તેમાં ફેરફાર થઈ ગયો હોય, બાંધકામ થઈ ગયું હોય, કબજા ફેરફાર થઈ ગયા હોય તેવા સંજોગોમાં સદરહુ મિલકત પોતાના હસ્તગત કરવું ખુબ જ અઘરૂં થઈ પડે છે અને કોર્ટ કેસો, દાવા, તકરારી મેટરમાં સંડોવાવું પડે છે.
દસ્તાવેજની નોંધણી થઈ ગયા બાદ તેના ઉપર સબરજીસ્ટ્રારના નોંધણીના દરેક પાને સિક્કા લગાડવામાં આવે છે. જેની જાણકારી મહિતી નીચે મુજબ છે ધારોકે દસ્તાવેજ ઉપરના પાનાં પર નીચે મુજબનો સિક્કો છે.
પ્રથમ લીટીથી માલુમ પડે છે કે તે દસ્તાવેજ સુરતનો છે. (જાપ્ત્-જોચિ) અને સબરજીસ્ટ્રાર નંબર-૩માં નોંધાયેલો છે. અને સદરહુ સબરજીસ્ટ્રાર સાહેબની ઓળખ નવાગામના સબરજીસ્ટ્રાર તરીકેની છે જેનું ટુંકુ રૂપ શ્ફળ છે. બીજી લીટીમાં પ્રથમ આંકડો એ દસ્તાવેજની જે તે વર્ષની નોંધણીનો અનુક્રમ નંબર છે. એટલે કે વર્ષ ૨૦૧૩માં જ્યારે આ દસ્તાવેજ નોંધાયો ત્યારે તેનો અનુક્રમ નંબર ૨૨૨૨૨ હતો અને ૧૨/૨૨ નો મતલબ છે તમે જે પાનું જોઈ રહ્યા છો તેનો પાના નંબર ૧૨ છે અને આ દસ્તાવેજોમાં કુલ ૨૨ પાના છે. આખા દસ્તાવેજમાંથી કોઈ પાનું ગાયબ થાય તો તે પકડી શકાય છે અથવા તેની આપણને જાણકારી થઈ શકે છે અને છેલ્લે ૨૦૧૩ લખેલ છે તેનો મતલબ સદરહુ દસ્તાવેજ ૨૦૧૩ના વર્ષમાં થયેલ છે.
ખાસ નોંધઃ
ઈન્ડેક્ષની નકલના નમુનાની એક કમ્પ્યુટ્રાઈઝડ નકલ નીચે મુજબ આપવામાં આવેલ છે. અને આ નકલનો દુરઉપયોગ ન થાય તે માટે વિગતો બદલાવીને રજુ કરેલ છે.
IF YOU HAVE LIKED THE ARTICLES PLEASE SHARE IT!!
હક્કપત્રક ૬ એટલે જમીનની કુંડળી હક્કપત્રક એટલે આઝાદી પછીનો, જેતે ગામની જમીનનો ઈતિહાસ
હક્કપત્રક ૬ એટલે જમીનની કુંડળી હક્કપત્રક એટલે આઝાદી પછીનો, જેતે ગામની જમીનનો ઈતિહાસ
માન્યતા પ્રમાણે જેમ સ્વર્ગમાં ચિત્રગુપ્ત લોકોના સારા નરસા કાર્યનો હિસાબ-કિતાબ રાખે છે. તેમ ગામમાં તલાટી, જે તે ગામની જમીનો અંગેના કોઈ પણ વ્યવહારો કે ફેરફાર થતા હોય તેની નોંધ રાખે છે. એટલે કે ગામની જમીનનો ઈતિહાસ તલાટી લખે છે. આ ફેરફારો જેવા એ જમીનનું વેચાણ, જમીનમાં વરસાદ, હક્કથી ફેરફાર, ભાઈઓ ભાઈ વચ્ચે વહંેચાણ, મરણને કારણે થતી વરસાઈની નોંધ, સરકારના હુકમને કારણે થતા ફેરફારની નોંધ, લોન કર્જ લીધો કે ભરપાઈ કર્યાની નોંધ વિગેરેની નોંધ તલાટી દ્ધારા રાખવામાં આવે છે. આ નોંધ જે રજીસ્ટરમાં રાખવામાં આવે છે તેને હક્ક પત્રક-૬ રજીસ્ટર કહેવામાં આવે છે. જમીનના હક્ક અંગે જે ફેરફાર થતા હોય તેની વિગત ખૂબ જ ટૂંકમા અને સ્પષ્ટ રીતે નોંધવાની હોય છે.
તલાટી જ્યારે તેના હક્કપત્રક રજીસ્ટરમાં કોઈપણ ફેરફાર બાબતોની નોંધ કરે છે ત્યારે તેણે શરૂઆત ૧ નંબરથી કરીને સળંગ અનુક્રમ નંબર આપતા રહેવાનુ હોય છે. અને તે ૧,૦૦,૦૦૦ સુધી ક્રમશઃ આપવાનો હોય છે.
જો ગામ ઝડપથી વિકસતુ હોય અને તે ગામની જમીનોમાં વારંવાર અને ઘણા બઘા ફેરફાર થતા હોય તો તે ગામનાં હક્કપત્રક રજીસ્ટરનો અનુક્રમ નંબર હાલમાં ૧૫૦૦૦થી ૨૦૦૦૦ ઉપરનો ચાલતો હોય છે. અને જે ગામમાં વિકાસ નહિવત્ હોય તો તેવા ગામમાં હક્કપત્રક રજીસ્ટરનો અનુક્રમ ૧૫૦૦થી ૨૦૦૦ આસપાસ ચાલતો હોય છે.
તલાટી જ્યારે તેના હક્કપત્રક રજીસ્ટરમાં ફેરફાર બાબતોની નોંધ જે તે અનુક્રમ નંબર પર કરતો હોય છે, ત્યારે નમુના પત્રકનાં કોલમ નં. ૩માં બતાવ્યા મુજબ જે તે જમીનનો સર્વે નંબર / બ્લોક નંબરની નોંધ પણ કરતો હોય છે. ત્યારે સાથે સાથે આ ફેરફારોનો અનુક્રમ નંબર જે તે ૭/૧૨ માં પણ લખી દેતો હોય છે.
અગાઉ જૂની ૭/૧૨માં આ અનુક્રમ નંબરો ગોળ ચકરડાથી બતાવવામાં આવતા હતા જેમ કે ૫૧ ૨૦૧ ૪૦૩ ૫૨૫ હાલમાં કોમ્પ્યુટરાઈઝડ ૭/૧૨માં આ અનુક્રમ નંબરો ગુજરાતીમાં લખીને (કુંડાળા વગર) અલ્પવિરામ ચિન્હથી છુટા પાડીને લખવામાં આવે છે.
આથી ગામની જમીન જ ૭/૧૨માં ઓછા હક્કપત્રક નંબરો લખેલા હશે તેના ઈતિહાસમાં ઓછો ફેરફાર હશે અને જે ૭/૧૨માં ઘણાબધા હકપત્રક નંબરો લખાયેલા હશે તો તેના ઈતિહાસમાં ઘણાબધા ફેરફારો થયેલા હશે માટે જમીન ખરીદતી વખતે આ ઈતિહાસ વાંચવો ખૂબ જ જરૂરી છે.
હક્કપત્રક ૬ વિશેની અગત્યની માહિતી :
દરેક ગામે હક્કપત્રક રાખવાનુ હોય છે.કોઈ પણ ફેરફારની નોંધ બાબતે અરજદારે ઈ-ધરામાં પુરાવા સાથે અરજી કરવાની હોય છે. સરહદ ફેરફાર બાબતની ચકાસણી તલાટી/સર્કલ ઓફિસરે કરી મંજુર કરી આપવાની હોય છે. સૌ પ્રથમ હક્કપત્રકમાં એન્ટ્રી પડે ત્યારે તેને “કાચી એન્ટ્રી” પ્રમાણે પ્રમાણિત કરવામાં આવે છે. હક્કપત્રકમાં એન્ટ્રી પડયા પછી કોમ્પ્યુટરાઈઝડ્ ૧૩૫-ડીની નોટિસ જનરેટ થાય છે અને તેના ફેરફાર બાબતની જાણ આગલા ખાતેદારને કરવામાં આવે છે.
હક્કપત્રકમાં પડેલી એન્ટ્રી બાબતે કોઈ વાંધો હોય તો ૧૩૫-ડીની નોટિસથી ૩૦ દિવસમાં લેખિતમાં વાંધો રજૂ કરવાનો રહે છે. હક્કપત્રકમાં પડેલી નોંધ બાબતે ૩૦ દિવસના સમય પછી કોઈ વાંધો ન આવે તો નોટિસનો સમય પુરો થયો છે, નોટિસ બજાવેલ છે, ફેરફાર કાયદાની બાબતે બરાબર નિયત સમય મર્યાદામાં કોઈ વાંધા રજૂ થયેલ નથી, તેની ખાતરી કરી આવી નોંધ પ્રમાણિત કરવામાં આવે છે હક્કપત્રકની નોંધનો નિકાલ મોડામાં મોડો ૯૦ દિવસમાં કરવાનો હોય છે એવી સરકારની કડક સુચના છે. એન્ટ્રી મંજુર-નામંજુર થયાની લેખિત જાણ પક્ષકારોને કરવાની હોય છે. હક્કપત્રકે મંજુર કે નામંજુર એન્ટ્રીથી પક્ષકાર નારાજ હોય તો અપીલ રીવીઝન થઈ શકે છે.
હક્કપત્રક એન્ટ્રી અંગેના નિર્ણયથી નારાજ કોઈ વ્યકિત તેને આવા નિર્ણયની જાણ થયાની તારીખથી ૬૦ દિવસમાં સક્ષમ અધિકારીને જરૂરી કાગળ સાથે અપીલ/અરજી કરી દેવી જોઈએ. રીવીઝનની કાર્યવાહી સમયસર થવી જોઈએ. લાંબા સમય બાદ કરેલ રીવીઝનની કાર્યવાહીને ખૂબ મોડી ગણી રદ કરી અરજદારની તરફેણમાં ચુકાદો આપી શકે છે હક્કપત્રકની નોંધને કાયદેસરના અનુમાનનો દરજજો છે. હક્કપત્રકમાં નોંધાયેલ બાબત ખોટી છે તેવું વાંધો લેનાર સાબિત ન કરી શકે ત્યાં સુધી તે નોંધ કાયદેસર હોવાનું અનુમાન કાયદેસર રીતે કહી શકાય.
જયાં સુધી હક્કપત્રકની નોંધ વિરૂધ્ધ કોઈ સબળ પુરાવા રજૂ ન થાય ત્યાં સુધી તે સાચી હોવાનંુ અનુમાન કાયદેસર રહે છે. હક્કપત્રક સંબંધે સ્થળ પર પ્રત્યક્ષ કબજો ખૂબજ મહત્વની બાબત છે. હક્કપત્રકની ખરી નકલો ઈ-ધરામાંથી મેળવી શકાય છે.
જમીન સંબંધી દરેક ફેરફાર રજીસ્ટર્ડ કરાવવો જરૂરી છે, તેમ છતાં તા.૨૫-૫-૬૬ પહેલા જે નોંધ હક્કપત્રકમાં દાખલ થઈ ગયેલી હોય કે પ્રમાણિત થયેલી હોય તેમાં રજીસ્ટ્રેશન જરૂરી નથી. હકકપત્રકમાં વારસાઈ નોંધો જન્મ મરણના પત્રક (પુરાવા) ઉપરથી પાડવાની હોય છે
બેંક-સહકારી મંડળી તરફથી બોજાના ફોર્મ નંબર-૫૮ થી તલાટી-કમ મંત્રીને ગીરોખતની નકલ સાથે જમીન ઉપર બોજો નોંધવા જણાવવામાં આવે કે તરત જ હક્કપત્રકે બોજાની નોંધ પાડવામાં આવે છે. બેંક-સહકારી મંડળી તરફથી ઉપાડેલા ધીરાણ- બોજાની રકમ ભરપાઈ થયેથી જે તે બેંક શાખા અધિકારીનુ બોજામુકિતનુ પ્રમાણપત્ર મેળવી લઈ તેની તલાટીને જાણ કરી બોજામુકિતની નોંધ હક્કપત્રકે એન્ટ્રી પડાવી મંજુર થયેલ ૭/૧૨ના અન્ય હક્કના પાનામાં બોજામુકિતની નોંધ કરાવવાની રહે છે. આવી જાણ બોજામુકિતના ૩ માસમાં તલાટીને કરાવવાની રહે છે.
કોઈ પણ હક્કપત્રકની ફેરફાર નોંધની નકલ ગ્રામપંચાયતના નોટિસ બોર્ડ પર સહેલાઈથી દેખાય આવે તેવી રીતે ૩ મહિના સુધી રાખવાની હોય છે.
ત્યાર બાદ તેને નોટિસબોર્ડ ઉપરથી ઉતારી એક વર્ષ સુધી તલાટીની ફાઈલમાં જાહેરાતના પુરાવા તરીકે સાચવવાની હોય છે. એન્ડરસન મેન્યુઅલની સ્પષ્ટતા મુજબ લોકોને ગમે તે વખતે ગામ નમુના નંબર ૬, ૭/૧૨, અને નકરાટી- વારસાઈ રજીસ્ટર જોવા તથા તેની નકલો માંગવા માટેનો અધિકાર છે. અરજી ઉપર કોર્ટ ફી સ્ટેમ્પની જરૂર નથી.
હક્કપત્રકમાં જુદા જુદા પ્રકારની નોંધ દાખલ કરવા માટેના જરૂરી પુરાવા :
1. ખેતીની જમીનુ વેચાણ :
1. દસ્તાવેજની નકલ
2. ઈન્ડેક્ષની અસલ નકલ (જો પાવરઓફ એટર્ની હોય તો નાયબ કલેકટર-સ્ટેમ્પ ડયુટી મુલ્યાંકન. પાસેથી વેરીફીકેશન કરાવી નકલ મુકવી.)
3. વારસાગત ખેડુતોનો પુરાવો
4. ખરીદી પ્રમાણપત્ર
5. ૭/૧૨,૮-અ ની કોમ્પ્યુટરાઈઝડનકલ
2. બિન ખેતીની જમીનુ વેચાણ :
1. દસ્તાવેજની નકલ
2. ઈન્ડેક્ષની અસલ નકલ (જો પાવર ઓફ એટર્ની હોય તો કલેકટર-સ્ટેમ્પ ડયુટી મુલ્યાંકન પાસેથી વેરીફીકેશન કરાવી નકલ મુકવી.
3. વેચાણ આપવાનુ સોગંદનામુ (એફીડેવિટ)
4. મંજુર કરેલ લે-આઉટ પ્લાન
5. બિન ખેતીની માટે હેતુ ફેરની પરવાનગીની નકલ
6. ૭/૧૨, ૮-અ નીકોમ્પ્યુટરાઈઝડ નકલ
3. બિન ખેતીની પ્લોટનુ વેચાણ :
1. દસ્તાવેજની નકલ
2. ઈન્ડેક્ષની અસલ નકલ
3. વેચાણ આપવાનુ સોગંદનામુ. (જો પાવર ઓફ એટર્ની હોય તો નાયબ કલેકટર-સ્ટેમ્પડયુટી મુલ્યાંકન પાસેથી વેરીફીકેશન કરાવી નકલ મુકવી)
4. ૭/૧૨, ૮-અ ની કોમ્પ્યુટરાઈઝ નકલ
4. વારસાઈ વીલ :
1. પેઢીનામુ-પંચકયા
2. bમરણનો દાખલો
3. વારસાનો ત.ક. મંત્રી રૂબરૂ જવાબ વીલ કરેલ હોયતો સીવીલ કોર્ટનું પ્રોબાઈટ રજુ કરવુ
4. ૭/૧૨, ૮-અ નીકોમ્પ્યુટરાઈઝડ નકલ5. વહંેચણી
5. નોટરી રૂબરૂ કરેલ વહંેચણી કરાર
6. પક્ષકારો નો જવાબ
7. ૭/૧૨, ૮-અ ની કોમ્પ્યુટરાઈઝડ નકલ
5. સામાયીક પણામાં નામ :
1. નોટરી રૂબરૂ કરેલ કરાર
2. પક્ષકારોનો જવાબ
3. પેઢીનામુ
4.૭/૧૨, ૮-અ ની કોમ્પ્યુટરાઈઝડ નકલ
6. હક્ક કમી :
1. નોટરી રૂબરૂ કરેલ કરાર
2. પક્ષકારોનો જવાબ
3. ૭/૧૨, ૮-અ ની કોમ્પ્યુટરાઈઝડનકલ
7. બોજો દાખલ :
1. બેંક/ સંસ્થાનુ ડેકલ્ેારેશન
2. ૭/૧૨, ૮-અ ની કોમ્પ્યુટરાઈઝડનકલ
8.બોજો કમી :
1. બેંક/ સંસ્થાનુ બોજ કમી
2. ડેકલ્ેારેશન
3. ૭/૧૨, ૮-અ ની કોમ્પ્યુટરાઈઝડ નકલ
9. ટુકડા મુકિત :
1. સીંચાઈ ખાતાનુ પ્રમાણપ્રત્ર
2. છેલ્લા ૧૦ વર્ષની ૭/૧૨, ૮-અ ની નકલ
3. પંચનામુ
4. ૭/૧૨, ૮-અ ની કોમ્પ્યુટરાઈઝડ નકલ
10. બિન ખેતીની નોંઘ :
1. સક્ષમ અઘિકારોનો હુકમ
2. મંજુર કરેલ લે-આઉટ પ્લાન
3. ૭/૧૨, ૮-અની કોમ્પ્યુટરાઈઝડ નકલ.
11. હુકમ નોંઘ :
1. સક્ષમ અઘિકારોનો હુકમ
2. ૭/૧૨, ૮-અ ની કોમ્પ્યુટરાઈઝડનકલ
12. સુઘારા નોંઘ :
1. સુઘારાની વિગત
2. ૭/૧૨, ૮-અ ની કોમ્પ્યુટરાઈઝડ નકલ
13. અન્ય :
1. પ્રક્રાર મુજબ દસ્તાવેજ
2. ૭/૧૨, ૮-અ ની કોમ્પ્યુટરાઈઝડ નકલ
14. મોર્ગેજ :
1. મોર્ગેજ ડીડ
2. ૭/૧૨, ૮-અ ની કોમ્પ્યુટરાઈઝડ નકલ
ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.
ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here Share Facebook Twitt...
-
જમીન સરકાર હસ્તક ગઈ હોય તો કેવી રીતે પરત મેળવવી ? for pdf click here જો તમને આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો લાઈક કરી શેર જરૂર કરજ...
-
પડોશીએ ગેરેકાયદેસર રીતે દબાણ કરી બાંધકામ કર્યું હોય તો શુ કરવું ?? if you have liked the article please share it and follow me.
-
ગુજરાત જમીન મહેસુલ નિયમો 1972(ગુજરાતી અનુવાદ) for pdf clik here
-
ખેતીની જમીનમાં / વારસાઈ, ખાતેદારના મૃત્યુ પહેલાં, વહેંચણી, હયાતીમાં હક્ક દાખલ / કમી વિગેરેની જોગવાઈઓખેતીની જમીનમાં / વારસાઈ, ખાતેદારના મૃત્યુ પહેલાં, વહેંચણી, હયાતીમાં હક્ક દાખલ / કમી વિગેરેની જોગવાઈઓ લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલIA...
-
વિલ નહિ બનાવ્યું હોય તો તમારા સંતાન ને તમારી મિલકતમાંથી કાઈ નહિ મળે....50 થી 60 વર્ષની કોઈ પણ મિલકત ધરાવતી વ્યક્તિએ વિલ એકવાર તો અચૂક બનાવ...