5.07.2022

પાવર ઓફ એટર્નીના આધારે થતા મિલ્કત દસ્તાવેજોમાં ‘વેચાણ’નો અધિકાર ચકાસવો જરૂરી

 પાવર ઓફ એટર્નીના આધારે થતા મિલ્કત દસ્તાવેજોમાં ‘વેચાણ’નો અધિકાર ચકાસવો જરૂરી

મિલ્કત નોંધણી ઓથોરીટી પર જવાબદારી લાદતી સુપ્રીમ કોર્ટ: રજીસ્ટ્રેશન એકટની વ્યાપક સમીક્ષા

નવી દિલ્હી: દેશમાં પાવર ઓફ એટર્ની મારફત વેચાણ, લીઝ કે અન્ય પ્રકારે અપાતા અધિકારમાં એક મહત્વના ચૂકાદામાં સર્વોચ્ચ અદાલતે પાવર ઓફ એટર્ની જેના નામે અપાયું હોય તેને કઈ કઈ સતાઓ આપવામાં આવી છે. તેની ચકાસણી રજીસ્ટ્રેશન ઓથોરીટીની ફરજ છે અને તેના વગર કોઈ પ્રકારે આ પાવર ઓફ એટર્નીના આધારે વેચાણ કે અન્ય પ્રકારના કરાર કે ડીડને રજીસ્ટર કરી શકે નહી. સર્વોચ્ચ અદાલતનો આ ચૂકાદો દૂરગામી અસરકર્તા છે. જેમાં ખાસ કરીને મિલ્કતોના વેચાણ અથવા તેના પર બોજો ઉભો કરવા (લોન લેવી કે કોઈના નામે મોર્ગેજ કરવી) માટે જે રીતે પાવર ઓફ એટર્નીનો ઉપયોગ થાય છે

તો તે સમયે વેચાણ-મોર્ગેજ ડીડ નોંધણી કરનાર ઓથોરીટીએ પાવર ઓફ એટર્નીમાંજ શરતો હોય છે તે ચકાસવી જરૂરી છે. વેચાણ કરાર કે મોર્ટગેજ ડીડ મારફત મિલ્કતોની માલીકી બદલવી કે તેના પર બોજો ઉભો કરવાના દસ્તાવેજોની નોંધણી એ કોઈ કામ નથી. સર્વોચ્ચ અદાલતે નોંધ્યું છે કે રજીસ્ટ્રેશન એકટની કલમ 34(3)(સી) આ પ્રકારના પાવર ઓફ એટર્નીની ચકાસણી કરવાની જવાબદારી નોંધણી ઓથોરીટી કે રજીસ્ટ્રેશન અધિકારીની છે અને તેણે જે વ્યક્તિ પાવર ઓફ એટર્ની સાથે રજુ થાય તેને કયાં કયાં અધિકાર અપાયો છે તે ચકાસવું જરૂરી છે.

જો રજીસ્ટ્રેશન અધિકારી આ ચકાસણી વગર જ નોંધણી કરી આપે અને વેચાણ, બોજો કે અન્ય રીતે મુળ માલીકનો મિલ્કત પરથી હકક જતો રહે તેમાં કોઈ ફોલ્ટ કે ગેરરીતિ માટે રજીસ્ટ્રેશન ઓથોરીટી જવાબદાર રહેશે. એસેટસ રીક્ધસ્ટ્રકશન કંપની (ઈન્ડીયા) મારફત સુપ્રીમ કોર્ટમાં એક રીટ દાખલ થઈ હતી જેમાં એક મિલ્કત પર આ કંપનીનો બોજો (ધિરાણ) કે હિત હતું અને તે કંપનીની જાણ વગર જ પાવર ઓફ એટર્નીના આધારે વેચાણ કરી દેવામાં આવી હતી. હાઈકોર્ટે અગાઉ આ કેસમાં મિલ્કતના વેચાણ દસ્તાવેજને રદ કરીને બોજો ધરાવનાર કંપનીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.


IF YOU HAVE LIKED THE ARTICLES PLEASE SAHRE IT


ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...