2.19.2024

જો કાર્યવાહીઓ હકૂમત વિનાની કે વ્યર્થ હોય તો, તેમાં ભાગ લેવા છતાં પક્ષકાર તેને કોઈ પણ તબક્કે પડકારી શકે છે.

 

જો કાર્યવાહીઓ હકૂમત વિનાની કે વ્યર્થ હોય તો, તેમાં ભાગ લેવા છતાં પક્ષકાર તેને કોઈ પણ તબક્કે પડકારી શકે છે



જો કાર્યવાહીઓ હકૂમત વિનાની કે વ્યર્થ હોય તો, તેમાં ભાગ લેવા છતાં પક્ષકાર તેને કોઈ પણ તબક્કે પડકારી શકે છે


જ્યારે જમીન અંગે કોઈ વ્યક્તિનો હિત સંકડઆયએ હોય તો તેઓ દ્વારા રેવન્યુ રેકર્ડ હક્કપત્રકમાં પોતાના નામો દાખલ કરાવતા હોય છે. જે હક્કપત્રકમાં કબજા સાથેના હક્કો ઉપરાંત કબજાવાળા તેમજ કબજા સિવાયના ગીરોની, ખેડની તથા જમીનમાં અન્ય રીતે પ્રાપ્ત થયેલા હક્કોની જેમકે વારસાઈ હક્કથી, વીલથી, ક્રૌટુંબિક વહેંચણી, બક્ષિસ, વેચાલ, રિલીઝ, ગીરો, શાનગીરો, શરતી વેચાણના રજિસ્ટર્ડ દસ્તાવેજ, દીવાની તેમજ રેવન્યૂ કોર્ટના હુકમનામાં વિગેરેની નોંધો ગામ દફતરે હકકપત્રકમાં યોગ્ય કાર્યવાહી કરી દાખલ કરવામાં આવે છે.


ત્યારબાદ મહેસૂલી અધિકારી દ્વારા પોતાને પ્રાપ્ત સત્તા અને અધિકાર મુજબ યા કોઈ ત્રાહિત વ્યક્તિની અરજી અન્વયે જમીન ધારણ કરનારાઓ સામે કાયદાની જોગવાઈના ભંગ બદલ શરૂ કરવામાં આવતી કાર્યવાહી નોટિસ કાઢવામાં આવે છે. આવા સંજોગોમાં ફેરફાર નોંધો દાખલ થયાના થણાં લાંબા સમયગાળા બાદ આવી નોટિસો કે કાર્યવાહીઓને પણ સમયમર્યાદાનો કાયદાનો સિદ્ધાંત લાગુ પડે છે તેમજ જો તેવી કાર્યવાહીમાં પલકાર ઉપસ્થિત રહેલ હોય યા ભાગ લીધેલ હોય તો પલ જો કાર્યવાહીઓ હકૂમત વિનાની કે વ્યર્થ હોય તો, તેમાં ભાગ લેવા છતાં પક્ષકાર તેને કોઈપણ તબક્કે પડકારી શકે છે તેવો સિદ્ધાંત નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા નરેશ રમણલાલ દોશી વિરુદ્ધ સ્ટેટ ઓફ ગુજરાત, સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નંદ૯૯૧/૨૦૨ર ના કામે તા.૦૭/૦૨/૨૦૨૩ ના રોજ આખરી હુકમ કરી પ્રસ્થાપિત કરવામાં આવેલ છે (લેન્ડ લોઝ જજમેન્ટસ, વોલ્યુમ.૧, ઈશ્યૂ.૨, ફેબ્રુઆરી-૨૦૨૪, પાના નં. ૧૫૦) આ કેસની ટૂંકમાં હકીકત નીચે મુજબ છે.


પ્રશ્નવાળી જમીન અપીલકર્તાના વડીલ દ્વારા રજિ.વેચાણ દસ્તાવેજથી ખરીદ કરેલ. ત્યારબાદ કૌટુંબિક વહેંચણ થતાં પ્રશ્નવાળી જમીન અપીલકર્તાના હિસ્સે આવેલ અને તે સમયગાળા દરમિયાન અપીલકર્તાના વડીલનું અવસાન થયેલ, પરંતુ પશ્નવાળી જમીન વહેંચણ મુજબ અપીલકર્તાના હિસ્સે આવેલ હોવાથી અન્ય વારસો દ્વારા હક્ક જતાં કર્યાના લેખ અપીલકર્તાના લાભમાં કરી આપવામાં આવેલ. ત્યારબાદ મામલતદાર અને કૃષિપંચનાએ અરજદારને ગણોતધારાની કલમ-૯૩.એ તેમજ ૬૩/ બી હેઠળ હેઠળ તપાસ હાથ ધરી ખેડૂત તરીકેના દરજજાની ખરાઈ કરવા અંગેની નોટિસ ત્રાહિત વ્યક્તિની અરજીના આધારે કાઢવામાં આવી હતી. અપીલકર્તા દ્વારા વાદચસ્ત નોટિસ તથા મામલતદાર અને કૃષિપંચ દ્વારા કરમાવેલ હુકમ વિરુદ્ધ હાલનુંઆ પ્રકરણ અપીલકર્તા દ્વારા નામદાર હાઈકોર્ટ સમક્ષ ઉપસ્થિત કરવામાં આવેલ. નામદાર હાઈકોર્ટ એવા તારણ ઉપર આવેલ કે, ગણોતધારાની કલમ-૬૩ ને કલમ- ૮૪(સી) સાથે વાંચતા તે હેઠળની સત્તાનું આહ્વાન કરીને કાર્યવાહી લગભગ ૧૭ વર્ષોના સમયગાળા બાદ શરૂ કરવામાં આવેલ છે. આ કોર્ટના વિવિધ ચુકાદાઓ અને હુકમો, કે જે પૈકી ભરતભાઈ નારણભાઈ વેગડા વિ. સ્ટેટ ઓફ ગુજરાતના કેસમાં લેટર્સ પેટન્ટ અપીલ નં.૭૯૮/૨૦૧૧ ના કામે કોર્ટની ખંડપીઠે આપેલ ચુકાદા ઉપર પણ આધાર રાખવામાં આવેલ છે કે, જેમાં એ પ્રમાણેનો સિદ્ધાંત નોંધવામાં આવેલ છે કે જો પગલાં ગેરવાજબી સમયગાળા બાદ શરૂ કરવામાં આવેલ હોય તો તે હકૂમત વિનાના બની રહેશે અને વિલંબનો પ્રતિબંધ હકૂમતની ઉપયોગની વિરુદ્ધ અમલી બને છે અથવા એ કે કાર્યવાહી શરૂ કરવાનું પગલું વાજબી સમયગાળા બાદ લેવાયેલ હોય તો તેવું પગલું હકૂમત વિનાનું કહી શકાય. વધુમાં મુજબ કાયદાનો એ સુપસ્થાપિત સિદ્ધાંત છે કે, વાજબી સમયગાળા બાદ સત્તાધિકારીઓ દ્વારા કાર્યવાહી શરૂ કરવાનું વ્યર્થ અને સત્તાધિકારીઓને વાજબી સમયગાળા બાદ કોઈપણ મહેસૂલી નોંધો અંગે પશ્ન કરવાની હકૂમત નથી.

નામદાર હાઈકોર્ટ દ્વારા તા.૨૯/૦૭/૨૦૧૫ ના ચુકાદામાં ખંડપીઠ દ્વારા અપાયેલ નિરીક્ષણોનો સંદર્ભ લીધેલ કે, જો પગલું હકૂમત વિનાનું હોય તો. સંદભિત નિર્ણયમાં ઉપલી કોર્ટ દ્વારા નોંધાયા મુજબ બંધારણના આર્ટિકલ ૨૨૮ હેઠળની અરજી ચલાવી શકાય છે અને બંધારણના આર્ટિકલ ૨૨૬ હેઠળની આ કોર્ટની હકૂમતનું આહ્વાન કરી શકાય છે.

જો કાર્યવાહીનો નિર્ણય હકૂમતના આધારે કરવામાં આવેલ હોય અને બંધારણના આર્ટિકલ ૨૨૬ હેઠળની ન્યાયિક તપાસ હાથ ધરતી વેળા કોર્ટ દ્વારા તેવો નિર્ણય હફમત વિનાનો હોવાનું જણાઈ આવે તો એકમાત્ર શક્ય દૃષ્ટિકોણ એ છે કે પગલું/કાર્યવાહી હકૂમત વિનાની છે. જો પગલાં કાર્યવાહી હકૂમત વિનાના હતાં તો અમને નથી લાગતુ કે તે બંધારણના આર્ટિકલ ૨૨૬ હેઠળની સત્તાનો ઉપયોગ કરતી વખતે ધ્યાને લેવાનાં થતાં સ્વવિવેકાધિકારના દાયરામાં પડશે. નોંધી શકાય કે, રજૂઆત અરજદારોના પક્ષે થયેલ વર્તણૂક ઉપર આધારિત નથી કે જે કોર્ટને દખલગીરી કરવાનો ઈન્કાર કરવા દોરી જાય, પરંતુ રજૂઆત એવા આધાર ઉપર છે કે વાજબી સમયગાળાના મુદ્દે પ્રસ્થાપિત કાનૂની સ્થિતિની વિરુદ્ધ તેમજ પગલા શરૂ કરવામાં થયેલ વિલંબની વિરુદ્ધ બે દ્રષ્ટિકોણો શકવ નહોતા. તેથી વિદ્વાન સિંગલ જજ સાહેબ દ્વારા પસાર હુકમમાં દખલગીરી કરવાનો યોગ્ય કેસ છે અને તેને જે રજૂઆત કરવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે તેમ લેટર્સ પેટન્ટમાં આ કોર્ટની ખંડપીઠની અપીલી સત્તાની હફમતની બહાર હોવાનું કહી શકાય નહીં.




વધુમાં નામદાર હાઇકોર્ટ દ્વારા સ્પેશિયલ એપ્લિકેશન નં. ૧૨૭૮૩/૨૦૧૬ ના કામે પસાર તા.૦૯/૦૩/૨૦૧૮ ના હુકમમાં સહાયક બેન્ચે ખંડપીઠના ચુકાદાને ધ્યાને લીધા બાદ તારણ આપેલ કે, હાલના કેસમાં ૨૦ વર્ષો જેટલા લાંબા સમય બાદ કારણદર્શક નોટિસ કાઢીને શરૂ કરવામાં આવેલ કાર્યવાહીઓ ચલાવવામાં આવશે નહીં. પગલાં અને કાર્યવાહીઓ શરૂ કરવાનું કૃત્ય હકૂમત વિનાનાં ભનેલ છે. આ જ કારવાસર સામાપક્ષ દ્વારા જે ઉપસ્થિત કરવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે, તેવી વૈકિલ્પક રાહતની ઉપલબ્ધિની રજૂઆત આ સાથે ઓવરરૂલ કરવામાં આવે છે. જવારે પગલું દેખીતી રીતે હકૂમતના અભાવે ગેરકાયદેસર છે ત્યારે અને જયારે તે ભરતભાઈ નારણભાઈ વેગના કેસમાં આ કોર્ટે આપેલ નિર્ણયથી વિરુદ્ધ છે ત્યારે બંધારણના આર્ટિકલ ૨૨૬ હેઠળની આ અરજી ચલાવી શકાઈ હોત.


નામદાર હાઈકોર્ટ દ્વારા તા.૨૯/૦૭/૨૦૧૫ ના ચુકાદામાં ખંડપીઠ દ્વારા અપાયેલ નિરીક્ષણોનો સંદર્ભ લીધેલ કે, જો પગલું હકૂમત વિનાનું હોય તો. સંદભિત નિર્ણયમાં ઉપલી કોર્ટ દ્વારા નોંધાયા મુજબ બંધારણના આર્ટિકલ ૨૨૮ હેઠળની અરજી ચલાવી શકાય છે અને બંધારણના આર્ટિકલ ૨૨૬ હેઠળની આ કોર્ટની હકૂમતનું આહ્વાન કરી શકાય છે.


નામદાર હાઇકોર્ટે ઠરાવેલ કે, કાર્યવાહીમાં ભાગ લીધો હોઈ, અરજદાર માટે તેને પડકારવાનું ખુલ્લું નહોતું. એવી વિદ્વાન મદદનીશ સરકારી વકીલશ્રી દ્વારા ઉપસ્થિત કરાવેલ રજૂઆતનો પ્રશ્ન છે ત્યાં સુધી, તે સ્વીકારવાને લાયક નથી. કારણ કે જો કાર્યવાહીઓ હકીકતમાં હકૂમત વિનાની અને વ્યર્થ હોય તો પક્ષકારો તેવી કાર્યવાહીમાં ભાગ લીધા બાદ પણ તેવી કાર્યવાહીને કોઈપણ તબક્કે પડકારી શકે છે. (લેન્ડ શોઝ જજમેન્ટસ, વોલ્યુમ-૧, ઈશ્યૂ-૨, ફેબ્રુઆરી-૨૦૨૪, પાના નં. ૧૫૦)

જમીન બિનખેતીમાં ફેરવાય તો ગુજ.હાઈકોર્ટ દ્વારા ખેડૂત પ્રમાણપત્ર આપવાના નિર્દેશ

 

જમીન બિનખેતીમાં ફેરવાય તો ગુજ.હાઈકોર્ટ દ્વારા ખેડૂત પ્રમાણપત્ર આપવાના નિર્દેશ


- ખેડૂત ખાતેદારની તમામ 

- લોકાભિમુખ માર્ગદર્શન - - એચ.એસ. પટેલ IAS (નિ.)

- ખેતીની જમીનનો ઠરાવ-બિનખેતીથી થતા બિનખેડૂત માટે પણ લાગુ કરવો જરૂરી

ગુજરાતમાં કાયદેસરનો ખેડુત ખાતેદારનો દરજ્જો ધરાવતો ન હોય તો ખેતીની જમીન ખરીદી શકતો નથી. આ અંગે ગણોતધારાની કલમ-૬૩ હેઠળ નિયંત્રણ છે કે કલેક્ટરની પરવાનગી સિવાય કોઈપણ વ્યક્તિ ખેતીની જમીન ધરાવી શકે નહિ અને આ અંગે ગણોતધારાની કલમ ૨(૨)માં જાતખેતીની વ્યાખ્યા આપવામાં આવી છે. ૧૯૪૮માં ખેતીની જમીન માટેનો ગણોતધારો ઘડવામાં આવ્યો તે આઝાદી બાદ જમીન સુધારા કાયદાઓ અંતર્ગત અમલમાં છે જ્યારે જમીન મહેસુલ અધિનિયમ-૧૮૭૯ જમીન મહેસુલ અને ખેડુત ખાતેદારોના જમીન / મિલ્કત ઉપરના હક્કોની જાળવણી માટે હક્કપત્રકના (Record of Rights) નિયમો છે આમ ખેડુત ખાતેદારનો દરજ્જો ગણોતધારાની જોગવાઈઓ હેઠળ નિયમન થાય છે. મોટા ભાગે ખેડુત ખાતેદારના દરજ્જાની ચકાસણી માટે સરકારની માર્ગદર્શક સુચનાઓ પ્રમાણે ૧૯૫૧થી એટલે કે ગુજરાતમાં મહેસુલી રેકર્ડનું પ્રમોલગેશન (પ્રમાણિત) કરવામાં આવ્યું ત્યારથી અને ગણોતધારા હેઠળ ગણોતીઆઓને જે જમીનો આપવામાં આવી, સરકાર દ્વારા ખેતીની જમીનો સાંથણીમાં કે સીલીંગ કાયદા હેઠળ ફાળવવામાં આવી હોય તે અને પરંપરાગત મૂળ ખેડુત અને તેઓના કાયદેસરના વારસો દ્વારા ધારણ કરેલ જમીનોના ખાતેદારોને કાયદેસરના ખેડુત ગણાય છે. વિકાસની પ્રક્રિયામાં ખેતીની જમીનોના ઉપયોગમાં આમુલ પરિવર્તન આવ્યું છે અને જાહેર હેતુ, આંતરમાળખાકીય સુવિધાઓ, શહેરીકરણ, ઔદ્યોગિકરણના કારણે ખેતીની જમીનોનું કદ ઘટતું જાય છે.

આ પરિપ્રેક્ષ્યમાં ગુજરાતનો ખેડુત જો ખેતીવિષયક જમીન ધરાવતો હોય અને તેના ખાતાની જમીનો વેચાણ કરવાથી બિનખેડુત થતો હોય તો તે અંગે મહેસુલ વિભાગ દ્વારા મૂળ - ૧જુન - ૨૦૨૦, ૨૨ જાન્યુઆરી ૨૦૦૨, ૨૪ જાન્યુઆરી ૨૦૦૩, ૧ જુલાઈ ૨૦૦૯ અને ૩૧ માર્ચ ૨૦૨૦ના ઠરાવોથી ખાતેદાર તેની સંપુર્ણ ખેતીની જમીન વેચી દે ત્યારબાદ સમયમર્યાદામાં જમીન ખરીદી લેવાની સુચનાઓ હતી, અમો કલેક્ટર રાજકોટ હતા ત્યારે ૧ જુલાઈ ૨૦૦૯નો મહેસુલ વિભાગને રજુઆત કરી ઠરાવ કરાવેલ જેમાં ૧૮૦ દિવસમાં ખરીદી લેવાની જોગવાઈ હતી, તે લંબાવવાની અને ખેડુત પ્રમાણપત્ર આપવાની રજુઆતના આધારે ખેડુતલક્ષી નિર્ણય લેવાયલ અને તે મુજબ જ્યારે સબંધિત ખેડુતની પુરેપુરી જમીન વેચાણ થઈ બિનખેડુત થતો હોય તો નોંધ પ્રમાણિત કરવાની સાથે જ ખાતેદારની અરજી વગર Suo-moto  ખેડુત પ્રમાણપત્ર આપવાનું છે અને ખાતેદારે ૨ વર્ષની (બે) સમય મર્યાદામાં ખેતીની જમીન ખરીદી લેવાની છે અને આ રીતે ખેડુતનો દરજ્જે જાળવી શકાય છે. ગુજરાતમાં નર્મદા યોજનાના વિસ્થાપિતોને તેઓની જમીન સંપાદન કે ડુબમાં જવાને કારણે અથવા પુનઃસ્થાપનના કારણે જે ઈસમોને ગુજરાતમાં જમીન ફાળવવામાં આવેલ તે અસરગ્રસ્તોને પણ ખેડુત ખાતેદારનો દરજ્જો મળે છે તેજ રીતે સરકારના સિંચાઈ વિભાગના મોટા ડેમોને કારણે અસરગ્રસ્ત (દા.ત. ઉકાઈ, કડાણા) ખેડુતોને જે જમીનો ફાળવવામાં આવેલ તેઓને પણ ખેડુત તરીકેનો દરજ્જો અને ૧૯૬૫માં ભારત-પાકિસ્તાનના યુધ્ધ બાદ કચ્છમાં જે લોકોને ખાસ કિસ્સા તરીકે જમીન ફાળવેલ તે મૂળ ફાળવણીકારોને અને તેઓના કાયદેસરના વારસદારો પણ ખેડુત ખાતેદાર ગણાય છે.

ઉક્ત પાયાની બાબત જે ૧ જુલાઈ ૨૦૦૯માં મહેસુલ વિભાગે ઠરાવ કરેલ, તે ખેતીની જમીન વેચાણ કરવાથી બિનખેડુત થતો હોય તો તેના માટે ખેડુતનો દરજ્જો જળવાય રહે તે માટે જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ જો ખાતેદારની તમામ જમીન અથવા તેઓના હક્કની જમીન બિનખેતીમાં ફેરવાય અને તે બિનખેડુત થાય તો ઉક્ત સરકારી ઠરાવો લાગુ ન પડવાના અર્થઘટનના કારણે બનાસકાંઠા જીલ્લાના થરાદ / ધાનેરા તાલુકાના ગામ ભોરાડુ અને પેનગીયાના ખેડુતની જમીનો વેચાણ રાખી તે બિનખેતીમાં ફેરવવાથી બિનખેડુત થતાં તેઓએ સબંધિત વિસ્તારના થરાદના નાયબ કલેક્ટર પાસે ખેડુત પ્રમાણપત્ર માંગતાં તેઓની જમીન બિનખેતીમાં ફેરવાઈ જતાં સરકારના મહેસુલ વિભાગના તા. ૧ જુલાઈ ૨૦૦૯ના તેમજ અન્ય પરિપત્રો ખેતીની જમીનને જ લાગુ પડતા હોય તેઓને ખેડુત પ્રમાણપત્ર આપવામાં આવેલ ન હતું અને જણાવવામાં આવેલ કે તમોને સરકારના ઉક્ત પરિપત્રની જોગવાઈઓ લાગુ પડતી નથી.

નાયબ કલેક્ટર, થરાદના આ નિર્ણયથી નારાજ થતાં સબંધિત પક્ષકાર સાઈ હુસેનશાહ રહીમશાહે ગુજરાત હાઈકોર્ટમાં એસ.સી.એ.નં.-૧૩૨૨૭/૨૦૨૩ દાખલ કરતાં તા. ૨૦-૯-૨૦૨૩ ન્યાયમુર્તી નીરલ આર. મહેતાએ મહત્વપુર્ણ ચુકાદો આપી જણાવેલ કે જ્યારે સરકારે કોઈપણ ખેડુત ખાતેદાર તેની તમામ જમીનો વેચી બિનખેડુત થતો હોય તો તેને ખેડુત પ્રમાણપત્ર આપવામાં આવે છે તો કોઈપણ ખેડુત ખાતેદાર તેની જમીન બિનખેતીમાં ફેરવવાથી પણ બિનખેડુત થતો હોય તો તેને પણ ખેડુત પ્રમાણપત્ર ત્રણ મહિનામાં આપી દેવાના દિશાનિર્દેશ કરવામાં આવ્યા છે. આ મહત્વપુર્ણ ચુકાદામાં નામદાર કોર્ટ અગાઉના બાવાજી કાનપુરી બાલાપુરી પ/જ સ્ટેટ ઓફ ગુજરાત એસ.સી.એ.નં.-૧૯૬૨૯/૨૦૧૭ તા. ૧૮ એપ્રિલ ૨૦૧૮નો ચુકાદો ટાંકી વિસ્તાર પુર્વકનો ચુકાદો આપેલ છે. ગુજરાતમાં સંભવતઃ આવા ઘણા કિસ્સાઓ હશે અને મોટાભાગના અજ્ઞાાન ખેડુત ખાતેદારોને જાણકારી ન હશે કે તેઓની જમીન બિનખેતીમાં તમામ જમીન ફેરવવામાં આવે તો ખડુતનો દરજ્જો મટી જાય છે. 

સરકારના મહેસુલ વિભાગે જ્યારે ખેતીની જમીનો વેચાણથી (પુરેપુરી) બિનખેડુત થાય તો ૧ જુલાઈ ૨૦૦૯ના ઠરાવ અને અન્ય પરિપત્રોથી ખેડુત પ્રમાણપત્ર આપવાની જોગવાઈઓ કરવામાં આવી છે તે જ ધોરણે ઉક્ત ગુજરાત હાઈકોર્ટના ચુકાદા મુજબ ખેતીની જમીનો માટે ખેડુતનો દરજ્જો જાળવવા માટે જે જોગવાઈ કરવામાં આવી છે તે જોગવાઈઓ ખાતેદારની તમામ જમીનો બિનખેતીમાં ફેરવાય ત્યારે પણ સરકારના મહેસુલ વિભાગ દ્વારા લાગુ કરવા માટે ગુજરાત હાઈકોર્ટના ઉક્ત ચુકાદા આધારે ઠરાવ કરવામાં આવે તે જરૂરી છે. 

અને તે માટે સાચા ખેડુત ખાતેદારો ખેતીની જમીન ધારણ કરવાના હક્કો જળવાય તે માટે જરૂરી સુધારો કરતો ઠરાવ બહાર પાડવામાં આવે જેથી સમગ્ર રાજ્યમાં આ અંગે એકસુત્રતા જળવાય ફરીથી સ્પષ્ટતા કરતાં જણાવવાનું કે સુપ્રિમકોર્ટના વિનોદચંદ્ર કાપડીયાના ગભેણી  સુરતના કેસમાં ઠરાવ્યા મુજબ વીલ યાને વસીયતનામા આધારે બિનખેડુત વ્યક્તિ ખેડુત ખાતેદારનો દરજ્જો કાયદેસરનો પ્રાપ્ત કરતો નથી

સ્થાવર મિલકતની કરેલી તબદિલી બીજી વ્યક્તિની તરફેણમાં ક્યારે અસરકર્તા બને?

 

અવિભક્ત કુટુંબના રહેઠાણનો હિસ્સો એ કુટુંબના સભ્ય ન હોય એવી વ્યક્તિ ભોગવટા માટે હક્કદાર ગણાય ખરી?


તમારી જમીન તમારી મિલકત | 

નિલેશ  વી. ત્રિવેદી (એડવોકેટ)

સ્થાવર મિલકતની તબદિલીની બાબત ઘણી અગત્યની અને તેના અણલી કરણમાં અનેક કાયદાકીય અર્થઘટનો માગી લે છે. આપણે ત્યાં અમલી બનેલા ટ્રાન્સફર ઓફ પ્રોર્પટી એક્ટ-૧૮૮૨ની ક્લમ ૩૮ થી ૪૯ની જોગવાઇઓ વિષે આજે જોઇશું. આ કલમોની જોગવાઇ નીચે મુજબ છે.

સ્થાવર મિલકતની તબદિલી : અમુક સંજોગોમાં જ તબદિલ કરવા અધિકૃત વ્યક્તિએ કરેલી તબદિલી ઃ સ્વાભાવિક રીતે બદલાતા રહેતા અમુક સંજોગોમાં જ કોઈ સ્થાવર મિલકતની વ્યવસ્થા કરવા માટે અધિકૃત વ્યકિત એવા સંજોગો છે એમ કહી અવેજસર એવી મિલક્ત તબદિલ કરે, ત્યારે તબદિલીથી મેળવનાર એવા સંજોગો છે એની ખાતરી કરવા માટે વાજબી કાળજી લઈને શુદ્ધબુદ્ધિથી વર્ત્યો હોય તો, એક તરફ તબદિલીથી મેળવનાર અને બીજી તરફ તબદિલ કરનારની અને તબદિલીની જેના ઉપર અસર પહોંચી હોય તેવી, હોય તેવી અન્ય વ્યક્તિઓ વચ્ચેનો પ્રશ્ન હોય ત્યાં સુધી, એવા સંજોગો અસ્તિત્વમાં હતા એમ ગણાશે.

ત્રાહિત વ્યક્તિ ભરણપોષણ મેળવવા હક્કદાર હોય ત્યારે તબદિલી ઃ કોઈ ત્રાહિત વ્યકિતને કોઈ સ્થાવર મિલકતના નફામાંથી તેનું ભરણપોષણ  મેળવવાનો અથવા તેની ઉન્નતિ અથવા લગ્ન માટેનું ખર્ચ મેળવવાનો હક્ક હોય અને તેવી મિલકત તબદિલ કરવામાં આવે, ત્યારે તબદિલીથી મેળવનારને, તે હક્ક અંગેની જાણ હોય તો, અથવા જો તે તબદિલી વિનામૂલ્યે કરવામાં આવી હોય તો, તબદિલીથી મેળવનારની વિરુદ્ધ તે હક્કનો અમલ કરાવી શકાશે, પણ તે હક્ક અંગેની જાણ વિના અવેજ આપીને તબદિલીથી મેળવનાર વિરુદ્ધ અથવા તેના હસ્તકની તે મિલકત વિરુદ્ધ તે હક્કનો અમલ કરાવી શકાશે નહીં.

જમીનના ભોગવટા ઉપર નિયંત્રણ મૂકતી જવાબદારીનો બોજો અથવા માલિકીની સાથે સંલગ્ન, પરંતુ તેમાંનું હિત કે પડોશ હક્ક ન હોય તેવી જવાબદારીનો બોજો ઃ કોઈ ત્રાહિત વ્યકિતને, પોતાની સ્થાવર મિલકત વધુ લાભકારક રીતે ભોગવવા માટે બીજી વ્યકિતની સ્થાવર મિલકતમાંનો કોઈ હિત અથવા પડોશીહક્કથી સ્વતંત્ર એવો, તે બીજી વ્યક્તિની મિલકતનો અમુક રીતે ભોગવટો થતો અટકાવવાનો હક્ક હોય ત્યારે અથવા કરારથી ઉત્પન્ન થયેલી અને સ્થાવર મિલકતની માલિકી સાથે જોડાયેલી હોય પણ જે મિલકતમાંનું હિત અથવા તેનો પડોશહક્ક ન બનતો હોય એવી કોઈ જવાબદારીનો ફાયદો મેળવવાનો કોઈ ત્રાહિત વ્યકિતને હક્ક હોય ત્યારે એવા હક્ક અથવા જવાબદારીની જાણ સાથે તબદિલીથી મેળવનાર વિરુદ્ધ અથવા તેની અસર પહોંચતી હોય તે મિલકત વિનામૂલ્યે તબદિલીથી મેળવનાર વિરુદ્ધ તેનો અમલ કરાવી શકાશે, પણ તે હક્ક અથવા જવાબદારીની જાણ વિના અવેજસર તબદિલીથી મેળવનાર વિરુદ્ધ અથવા તેના હસ્તકની એવી મિલકત વિરુદ્ધ તેનો અમલ કરાવી શકાશે નહિ.

દેખીતા માલિકે કરેલી તબદિલી ઃ કોઈ સ્થાવર મિલકતમાં હિત ધરાવતી વ્યકિતઓની સ્પષ્ટ અથવા ગર્ભિત સંમતિથી કોઈ વ્યકિત એવી મિલકતનો દેખીતો માલિક હોય અને તે મિલકત અવેજસર તબદિલ કરે ત્યારે તબદિલ કરનારને તબદિલ કરવાને અધિકાર આપેલ ન હતો તે કારણે તે તબદિલી રદ થવા પાત્ર થશે નહીં, પરંતુ તબદિલીથી મેળવનાર તબદિલ કરનારને તબદિલ કરવાની સત્તા હતી તેની ખાતરી કરવા માટે વાજબી કાળજી લીદ્યા પછી શુદ્ધબુદ્ધિથી વર્ત્યો હોવો જોઈએ.

આગલી તબદિલી રદ કરવાનો અધિકાર ધરાવતી વ્યક્તિએ કરેલી તબદિલી ઃ તબદિલી રદ કરવાની સત્તા સ્વાધીન રાખીને કોઈ વ્યકિત સ્થાવર મિલકત તબદિલ કરે અને ત્યારપછી તે મિલકત બીજી કોઈ વ્યકિતને અવેજસર તબદિલ કરે ત્યારે, સદરહુ સત્તાની રૂએ આગલી તબદિલી રદ કરી શકાતી હોય તેટલે અંશે (તે સત્તાનો ઉપયોગ કરતી વખતે પાળવાની શરતને અધીન રહીને) તે રદ કરવામાં આવી છે એમ ગણીને પાછળથી કરેલી તબદિલી તે બીજી વ્યક્તિની તરફેણમાં ક્યારે અસરકર્તા બને છે?

પ્રથમ તબદિલ કરવા અનધિકૃત પરંતુ પોતે તબદિલ કરેલ મિલકતમાં પાછળથી હિત સંપાદિત કરનાર વ્યક્તિએ કરેલી તબદિલી ઃ કોઈ વ્યકિત કપટપૂર્વક અથવા ભૂલથી એવી રજુઆત કરે કે પોતાને અમુક સ્થાવર મિલકત તબદિલ કરવાનો અધિકાર છે અને પોતે તે મિલકત અવેજસર તબદિલ કરવાનું કરે ત્યારે, તબદિલીથી મેળવનાર જો તેમ ઈચ્છે, તો એવી તબદિલી અંગેનો કરાર અમલમાં હોય તે દરમિયાન કોઈપણ સમયે તબદિલ કરનાર તે મિલકતમાં હિત સંપાદન કરે, ત્યારે તે હિત અંગે તે તબદિલીથી અસરકર્તા થશે. સદરહુ વિકલ્પ હોવાની જાણ વિના શુદ્ધબુદ્ધિથી અવેજસર તબદિલીથી મેળવનારાઓના હકકને આ કલમના કોઈપણ મજકુરથી નુકસાન થશે નહીં.

એક સહમાલિકે કરેલી તબદિલી ઃ સ્થાવર મિલકતના બે અથવા વધુ સહમાલિકો પૈકી એક સહમાલિક એવી [મિલકતમાંનો પોતાનો હિસ્સો અથવા તેમાંનુ હિત તબદિલ કરવાની કાયદેસર ક્ષમતા ધરાવતો હોય અને તેમ કરે ત્યારે તબદિલીથી મેળવનાર એવા હિસ્સા અથવા હિત અંગે અને તબદિલીનો અમલ કરવા માટે જરૂરી હોય તેટલે અંશે તે મિલકતના સંયુકત કબજા માટેનો અથવા મિલકતનો સહિયારો અથવા આંશિક ભોગવટો કરવાને, અને તેનું વિભાજન કરવાનો તબદિલ કરી આપનારનો હકક, એ રીતે તબદિલ કરેલ હિસ્સા અથવા હિતને તબદિલીની તારીખે અસરકર્તા હોય એવી શરતો અને જવાબદારીઓને અધીન રહીને, સંપાદિત કરે છે. કોઈ અવિભક્ત કુટુંબની માલિકીના રહેઠાણના ઘરનો કોઈ હિસ્સો તબદિલીથી મેળવનાર વ્યક્તિ, તે કુટુંબના સભ્ય ન હોય ત્યારે, તે આ કલમના કોઈપણ મજકુરથી તે ઘરના સંયુક્ત કબજા માટે અથવા બીજા સહિયારા કે આંશિક ભોગવટા માટે હકદાર થાય છે એમ ગણાશે નહીં.

અવેજસર સંયુક્ત તબદિલી ઃ કોઈ સ્થાવર મિલક્ત બે અથવા વધુ વ્યક્તિઓને અવેજસર તબદિલ કરવામાં આવે અને એવો અવેજ તેમના સહિયારા ભંડોળમાંથી આપવામાં આવ્યો હોય ત્યારે વિરુદ્ધનો કરાર ન હોય, તો સદરહુ ભંડોળમાં તેઓ અનુકમે જે હિત માટે હકદાર હોય તેટલા શકય હોય ત્યાં સુધી સમાન હિત માટે હકદાર થશે, અને જ્યારે એવો અવેજ તેમના પોતે પોતાના ભંડોળમાંથી આપવામાં આવ્યો હોય ત્યારે, એથી વિરુદ્ધનો કરાર ન હોય તો, તેઓએ અનુકમે અવેજનો જે હિસ્સો આપ્યો હોય ત્યારે, એથી વિરૃઘ્ધનો કરાર ન હોય તો, તેઓએ અનુકમે અવેજનો જે હિસ્સો આપ્યો હોય તેના પ્રમાણમાં તેઓ તે મિલકતમાંના હિત માટે હકકદાર થશે. તે ભંડોળમાં તેઓ અનુક્રમે કેટલા હિત માટે હકદાર હતા અથવા તેઓએ અનુકમે અવેજનો કેટલો હિસ્સો આપ્યો હતો તે વિષે પુરાવો ન હોય, તો તે વ્યક્તિઓ તે મિલકતમાં સરખું હિત ધરાવે છે એમ માની લેવું જોઈશે.

 જુદાં જુદાં હિત ધરાવતી વ્યકિતઓએ અવેજસર કરેલી તબદિલી ઃ કોઈ સ્થાવર મિલકતમાં જુદું જુદું હિત ધરાવતી વ્યક્તિઓ તે મિલકત તબદિલ કરે ત્યારે વિરુધ્ધનો કરાર ન હોય તો, તબદિલ કરનારા, તે મિલક્તમાંના તેઓના હિત સરખી કિંમતનાં હોય ત્યારે સરખે ભાગે અને જયારે એવાં હિત અસમાન કિંમતના હોય ત્યારે પોતપોતાના હિતના પ્રમાણમાં અવેજનો હિસ્સો મેળવવા હક્કદાર છે.

સહમાલિકોએ સહિયારી મિલક્તના હિસ્સાની કરેલી તબદિલી ઃ કોઈ સ્થાવર મિલકતના સહમાલિકો પોતાના ક્યા હિસ્સા અથવા હિસ્સાઓ અંગે તબદિલી અમલી બનશે તે દર્શાવ્યા વિના તે મિલકતનો કોઈ હિસ્સો તબદિલ કરે ત્યારે, તબદિલી કરનાર વચ્ચેનો પ્રશ્ન હોય ત્યાં સુધી સદરહુ હિસ્સા સરખા હોય ત્યારે, એવા હિસ્સાઓ અંગે સરખે ભાગે અને સદરહુ હિસ્સા અસમાન હોય ત્યારે તેના પ્રમાણમાં તે તબદિલી અમલી બનશે.

ઉદાહરણ ઃ મોજે સુલતાનપુરમાં ”ક” ૧/ર અને ”ખ” અને ”ગ” દરેકનો ૧/૪ હિસ્સો છે. તેઓ તેમના જુદા જુદા ક્યા હિસ્સામાંથી તબદિલી કરવામાં આવે છે તે દર્શાવ્યા વિના તે મોજેનો ૧/૮ હિસ્સો ”ઘ” ને તબદિલ કરે છે. તે તબદિલીનો અમલ કરવા માટે ”ક” ના હિસ્સામાંથી ૧/૧% [હિસ્સો અને ”ખ” અને ”ઘ” દરેકના હિસ્સામાંથી ૧/૩૨ હિસ્સો લેવામાં આવશે.

તબદિલીથી ઉત્પન્ન કરેલા હકકોની અગ્રતા ઃ એક જ મિલકત જુદા જુદા વખતે તબદિલ કરીને તેમાં અથવા તે ઉપર કોઈ વ્યકિતએ હક્ક ઊભો કર્યાનું અભિપ્રેત થતું હોય અને એવા તમામ હક્ક એક સાથે અસ્તિત્વમાં ન રહી શકે અથવા તેનો સંપૂર્ણપણે એક સાથે અમલ થઈ શકે તેમ ન હોય ત્યારે પાછળથી ઊભો કરેલો દરેક હકક, આગળની તબદિલીથી લેનારાઓને બંધનકર્તા કોઈ ખાસ કરાર અથવા શરત ન હોય તો, અગાઉ ઊભા કરેલા હક્કોને અધીન રહેશે.

વીમા પોલિસીની રૂએ તબદિલીથી મેળવનારનો હકક ઃ કોઈ સ્થાવર મિલકત અવેજસર તબદિલ કરવામાં આવે અને તબદિલીની તારીખે એવી મિલકતનો કે તેના કોઈ ભાગનો આગથી થતી નુકસાની અથવા હાનિ સામે વીમો ઉતરાવેલ હોય તો એવી નુકસાની કે હાનિ થાય તે પ્રસંગે, તબદિલીથી મેળવનાર, વિરુદ્ધનો કરાર ન હોય ત્યારે, તે પોલિસી હેઠળ તબદિલી કરનારને મળે તે રકમ અથવા તેમાંથી જરૂરી હોય એટલી રકમ તે મિલકતને મૂળ સ્થિતિમાં મૂકવા માટે વાપરવામાં આવે એવી ફરજ પાડી શકશે.

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...