6.26.2023

દિવાની કાર્યવાહીઓમાંની જોગવાઈઓનો અમલ કરવો ફરજિયાત છે

 દિવાની કાર્યવાહીઓમાંની જોગવાઈઓનો અમલ કરવો ફરજિયાત છે


તમારી જમીન,  તમારી મિલકત 

> નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ)

દિવાની બાબતોને લગતી કાર્યવાહીઓ માટે આપણે ત્યાં કાયદાની જોગવાઇઓ કરાયેલી છે. આ કાર્યવાહીમાં તેનો અમલ કરવો ફરજિયાત છે. કઇ કાર્યવાહી માચે ક્યારે શું શું કરવું કે શું ન કરવું તેની સ્પષ્ટ જોગવાઇઓ આ ક્ષેત્રમાંના તમામ લોકો માટે જાણવી જરૂરી છે. તેમાં સિવિલ પ્રોસિજર કોડના હુકમ-૯ ના હેઠળના નિયમો વિષે અને પક્ષકારોએ હાજર થવા વિષે તથા ન હાજર થવાના પરિણામ વિષે જોઇશું.

નિયમ-૧ : પ્રતિવાદીને હાજર થઈને જવાબ આપવા માટેના સમન્સમાં ઠરાવેલા દિવસે પક્ષકારોએ હાજર થવું : પ્રતિવાદીને હાજર થઈને જવાબ આપવાને સમન્સમાં જે દિવસ ઠરાવ્યો હોય, તે દિવસે પક્ષકારોએ જાતે અથવા પોત પોતાના વકીલો મારફતે ન્યાયાલયના મકાનમાં હાજર રહેવું જોઈશે અને આગળનો કોઈ દિવસ ઠરાવીને તે ઉપર દાવાની સુનાવણી ન્યાયાલય મુલતવી ન રાખે, તો તે જ વખતે કરવી જોઈશે.

નિયમ-૨ :  જયારે આવા નક્કી કરેલા દિવસે, પ્રતિવાદી ઉપર સમન્સની બજવણી ન્યાયાલયની ફી અથવા પોસ્ટની મહેસૂલ જો હોય તો તે, તેની ચુકવણી ન કરવાના કારણે અથવા સી.પી.સી.ના હુકમ-૦ ના નિયમ-૯ દ્વારા જણાવ્યા પ્રમાણે દાવાઅરજીની નકલો રજૂ ન કરવાના કારણે પ્રતિવાદી ઉપર સમન્સ બજાવવામાં આવ્યું હોય ત્યારે ન્યાયાલય એવો દાવો કાઢી નાખવાનો હુકમ કરી શકશે. પરંતુ એવી જોગવાઈ કરાઈ છે કે આવી નિષ્ફળતા હોવા છતાં, પ્રતિવાદી રૂબરૂ અથવા એજન્ટ દ્વારા, જ્યારે હાજર થઈ જવાબ આપવા માટે નક્કી કરેલા દિવસે એજન્ટને હાજર રહેવાની છૂટ આપી હોય ત્યારે આવો કોઈપણ હુકમ કરી શક્શે નહીં.

નિયમ-૩ : જ્યારે દાવો સુનાવણી માટે નીકળે ત્યારે, બેમાંથી કોઈપણ પક્ષકાર હાજર ન થાય, ત્યારે દાવો કાઢી નાખવો એવો હુકમ ન્યાયાલય કરી શકશે.

નિયમ-૪:  વાદી નવો દાવો માંડી શકશે અથવા ન્યાયાલય તે ફરી ફાઈલ ઉપર લઈ શક્શેઃ જ્યારે નિયમ-૨ અથવા નિયમ-૩ હેઠળ દાવો કાઢી નાંખવામાં આવે ત્યારે (મુદતના કાયદાને અધીન રહીને) વાદી નવો દાવો માંડી શકશે અથવા દાવો કાઢી નાખવાનો હુકમ, રદ કરવાનો હુકમ મેળવવા અરજી કરી શકશે. યથાપ્રસંગ, નિયમ-૨ માં ઉલ્લેખ્યા પ્રમાણેની કસૂર અથવા પોતે ગેરહાજર રહ્યો હોય તે માટે પૂરતું કારણ હતું એમ વાદી ન્યાયાલયને ખાતરી કરાવે તો ન્યાયાલયે તે દાવો કાઢી નાખ્યાનો હુકમ રદ કરવાનો હુકમ કરવો જોઈશે.
(૧) જ્યારે પ્રતિવાદી અથવા ઘણા પ્રતિવાદીઓમાંના એક પ્રતિવાદી ઉપર સમન્સ કાઢવામાં આવ્યો હોય તથા તે બજ્યા વગર પાછો આવે ત્યારે, વાદી સમન્સ બજાવનાર અધિકારીઓએ પાછા આપેલા સમન્સને ન્યાયાલયમાં સાધારણ રીતે પ્રમાણિત કરનાર અધિકારીએ ન્યાયાલયને પાછો મોકલ્યાની તારીખથી ૨ સાત દિવસ) ની મુદત સુધી નવો સમન્સ કાઢવાની અરજી કરે,તો વાદી સદરહુ મુદતમાં - 
(એ) જે પ્રતિવાદીને સમન્સ બજાવવામાં આવ્યો ન હોય તે પ્રતિવાદીનું નિવાસસ્થાન શોધી કાઢવાના બનતા પ્રયાસો કરવા છતાં પોતે તેને શોધી શક્યો નથી, અથવા
(બી) એવો પ્રતિવાદી કામગીરી હુકમ લેવાનું ટાળે છે, અથવા (સી) મુદત વધાવરવાનું બીજું કોઈ પુરતું કારણ છે, એમ ન્યાયાલયને ખાતરી કરી આપી હોય તે સિવાય, એવા પ્રતિવાદી સામેનો દાવો કાઢી નાખવાનું ફરમાવવાને માટે ન્યાયાલયને હુકમ કરવો જોઈશે. (૨) આવા પ્રસંગે વાદી (મુદતના કાયદાને આધીન રહીને) નવો દાવો લાવી શકશે.

નિયમ-૬ :એક્લો વાદી હાજર થાય ત્યારે કાર્યરીતિ : (૧) જ્યારે દાવો સુનાવણી માટે નીકળે ત્યારે વાદી હાજર થાય અને પ્રતિવાદી હાજર ન થાય ત્યારે -
(એ) જો સમન્સ યોગ્ય રીતે બજાવ્યો છે એમ સાબિત થાય તો, દાવાની એક્તરફી સુનાવણી કરવાનો હુકમ કરી શકશે.
(બી) સમન્સ યોગ્ય રીતે બજાવ્યો છે એમ સાબિત ન થાય તો પ્રતિવાદી ઉપર બીજો સમન્સ કાઢીને તે બજાવવાનો ન્યાયલયે આદેશ આપવો જોઈશે.
(સી) પ્રતિવાદી ઉપર સમન્સ બજાવ્યો છે, પણ સમન્સમાં ઠરાવેલા દિવસે હાજર થઈને જવાબ આપવાને જોઈએ તેટલા સમયની અંદર તે બજાવ્યો નથી એમ સાબિત થાય તો ન્યાયાલયે પોતે નકકી કરે તેવા કોઈ આગળના દિવસે ઉપર દાવાની સુનાવણી મુલતવી રાખવી જોઈશે. અને તે દિવસની નોટિસ પ્રતિવાદીને આપવી એવો આદેશ આપવો જોઈશે.
(૨) વાદીની કસૃરને લીધે યોગ્ય રીતે અથવા પૂરતા સમયમાં સમન્સ બજાવવામાં ન આવ્યો હોય ત્યારે સુનાવણી મુલત્વી રાખવાથી થયેલો ખર્ચ વાદીએ આપવો એવો ન્યાયાલયે હુકમ કરવો જોઈશે.

નિયમ-૭: ન્યાયાલયે દાવાની એક્તરફથી સુનાવણી અમુક દિવસ મુલતવી રાખી હોય અને તે સુનાવણી કરતી વખતે અથવા તે પહેલાં, પ્રતિવાદી, હાજર થાય અને અગાઉ હાજર ન થવાનું સબળ કારણ બતાવે ત્યારે ખર્ચ અંગે અથવા બીજી રીતની ન્યાયાલય ફરમાવે તે શરતોએ હાજર થવા માટે ઠરાવેલા દિવસે તે હાજર થયો હોત તો, તેનો જવાબ જે રીતે સાંભળ્યો હોય તો તે રીતે દાવાનો જવાબ તેની પાસેથી સાંભળી શકાશે.

નિયમ-૮ : એક્લો પ્રતિવાદી હાજર થયા ત્યારે કાર્યરીતિઃ જ્યારે દાવો સુનાવણી માટે નીકળે ત્યારે પ્રતિવાદી હાજર થાય અને વાદી હાજર ન થાય. ત્યારે ન્યાયાલયે દાવો કાઢી નાખવાનો હુકમ કરવો જોઈશે. પરંતુ પ્રતિવાદી દાવાની રકમ અથવા તેનો કોઈ ભાગ આપવા કબૂલ થાય તો, તે કબૂલાત ઉપરથી પ્રતિવાદી વિરુદ્ધ ન્યાયાલયે હુકમનામું કરવું જોઈશે અને એ દાવાની રકમનો માત્ર એક ભાગ કબૂલ કર્યો હોય ત્યારે બાકીના ભાગ પૂરતો દાવો કાઢી નાખવો જોઈશે.

નિયમ-૯ : વાદીની ક્સૂરને લીધે તેની વિરુધ્ધ હુકમનામું થાય, તો પછી નવો દાવો કરી શક્શે નહીં.
(૧) જયારે નિયમ-૮ હેઠળ પૂરો દાવો કે તેનો કંઈ ભાગ કાઢી નાખવામાં આવ્યો હોય, ત્યારે દાવાના તે જ કારણ સંબંધમાં વાદી નવો માંડી શકશે નહીં, પરંતુ કાઢી નાખવાનો હુકમ રદ કરવા વાદી અરજી કરી શકશે અને દાવો સુનાવણી માટે નીકળ્યો ત્યારે, પોતે હાજર થઈ શક્યો નહીં. એમ વાદી ન્યાયાલયને ખાતરી કરાવે તો, ખર્ચ અથવા બીજી રીતની પોતાને યોગ્ય લાગે તે શરતો કરીને, ન્યાયાલયે દાવો કાઢી નાખવાનો હુકમ રદ કરવો જોઈશે.
(૨) આ નિયમ હેઠળનો હુકમ અરજી વિષેની નોટિસ સામા પક્ષકારને પહોંચાડવામાં ન આવી હોય, તો કરી શકાશે નહીં.

નિયમ-૧૦ : જ્યારે દાવામાં એક કરતાં વધારે વાદીઓ હોય અને તેમાંનો એક અથવા વધારે હાજર થાય અને બીજો હાજર ન થાય, ત્યારે ન્યાયાલય હાજર થયેલા વાદી અથવા વાદીઓના સૂચન ઉપરથી બધા વાદીઓ હાજર થયા હોય તેમ દાવાની કાર્યવાહી આગળ ચલાવવાની પરવાનગી આપી શકશે અથવા પોતાને યોગ્ય લાગે તેવો હુકમ કરી શકશે.

નિયમ-૧૧ :  દાવામાં જ્યારે એક કરતાં વધારે પ્રતિવાદીઓ હોય અને તેમાંનો એક અથવા વધારે હાજર હોય અને બીજા હાજર ન હોય, ત્યારે દાવાનું કામ આગળ ચાલશે અને ન્યાયાલયમાં હાજર ન થયા હોય તે પ્રતિવાદી અથવા પ્રતિવાદીઓની બાબતમાં કેંસલો આપતી વખતે, પોતાને યોગ્ય જણાય તેવો આદેશ કરી શકશે.

નિયમ-૧૨ : જે વાદી અથવા પ્રતિવાદીને જાતે હાજર થવાનો હુકમ કર્યો હોય તે જાતે હાજર ન થાય અથવા તે પ્રમાણે હાજર ન થવાની ન્યાયાલયને ખાતરી થાય એવી રીતે પૂરત કારણ ન બતાવે ત્યારે હાજર ન થનારા વાદી તથા પ્રતિવાદીને લાગુ પડે.

નિયમ-૧૩ : પ્રતિવાદી સામેનું એક તરફી હુકમનામું રદ કરવા બાબત : કોઈપણ કેસમાં પ્રતિવાદી સામેનું એક તરફી હુકમનામું થયું હોય ત્યારે, તે રદ કરવાનો હુકમ કરાવવા માટે તે હુકમનામું કરનારા ન્યાયાલયને તે પ્રતિવાદી અરજી કરી શકશે જો તે ન્યાયાલયને ખાતરી કરાવે કે સમન્સ યોગ્ય રીતે બજાવવામાં આવ્યો ન હતો અથવા દાવો સુનાવણી માટે નીકળ્યો તે વખતે કોઈ પૂરતાં કારણને લીધે પોતે હાજર થઈ શક્યો ન હતો, તો ખર્ચ વિષે ન્યાયાલયમાં રકમ ભરવા વિષે અથવા બીજી રીતે તે વિષે ન્યાયાલયને યોગ્ય લાગે તે શરતો કરીને, પ્રતિવાદી સામે હોય તે હુકમનામું, રદ કરવાનો ન્યાયાલયે હુકમ કરવો જોઈશે અને દાવાની કાર્યવાહી માટે દિવસ નક્કી કરવો જોઈશે. પરંતુ એવું હુકમનામું માત્ર એવા પ્રતિવાદી પૂરતું રદ ન કરી શકાય એવા પ્રકારનું હોય, ત્યારે તે બીજા તમામ અથવા બીજા કોઈપણ પ્રતિવાદી પૂરતું રદ કરી શકાશે. વધુમાં જો ન્યાયાલયને એવી ખાતરી થાય કે પ્રતિવાદીને સુનાવણીની તારીખની જાણ હતી અને વાદીના દાવાનો હાજર થઈ જવાબ આપવા માટે તેની પાસે સમય હતો, તો સમન્સ બજાવવામાં અનિયમિતતા થઈ છે માત્ર તેવા કારણે કોઈપણ ન્યાયાલયથી એક તરફી કરેલું હુકમનામું રદ કરી શકાશે નહીં.
સ્પષ્ટીકરણઃ આ નિયમ હેઠળ કરવામાં આવેલા એક તરફી હુકમનામા સામે અપીલ કરવામાં આવી હોય અને અપીલ કરનારે અપીલ પાછી ખેંચી લીધી છે તેવા કારણ સિવાયના કોઈપણ કારણે અપીલનો નિકાલ કરવામાં આવ્યો હોય, તો તે એક તરફથી હુકમનામું રદ કરવા માટે આ નિયમ હેઠળ કોઈ અરજી કરી શકાશે નહીં. નિયમ ૧૪: સામા પક્ષકારને નોટિસ પહોંચાડયા વિના હુકમનામું રદ કરવું નહીં.

જમીનોનું રીસર્વે અને સીટી સર્વેની જમીન મહેસૂલ કાયદાની જોગવાઈઓ




 જમીનોનું રીસર્વે અને સીટી સર્વેની જમીન મહેસૂલ કાયદાની જોગવાઈઓ


લોકાભિમુખ માર્ગદર્શન -  એચ.એસ. પટેલ IAS (નિ.)

- રીસર્વેની ક્ષતિ સુધારણા ઝુંબેશ સ્વરૂપે કરવી જરૂરી

ભારત ખેતી પ્રધાન દેશ છે અને આજે પણ ભારતનું અર્થતંત્ર કૃષિ આધારિત ઉપર મહત્વ ધરાવે છે અને તે અનુસાર ખેતીની જમીન ઉપરનું મહેસુલ ઉઘરાવવુ તે રાજ્યનું અગત્યનું આવકનું સાધન હતું. અંગ્રેજોના આગમન પહેલાં - શેરશાહ સુરી દ્વારા પ્રથમવાર જમીનની પ્રત પ્રમાણે જમીનનો આકાર (મહેસુલ) નક્કી કરવામાં આવેલ. મુંબઈ પ્રાન્તમાં અને હાલના ગુજરાતમાં 'રૈયતવારી' પધ્ધતિ હતી જેમાં બ્રિટીશ હકુમતના વિસ્તારમાં રાજ્યને મહેસુલ સીધે સીધુ આપવાનું થતું હતું. આ મહેસુલી પધ્ધતિને સર્વે સેટલમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે જેમાં મુંબઈ માપણી અને જમાબંધી નિયમસંગ્રહ આર. જી. ગોર્ડન આઈ.સી.એસ. અધિકારીએ તૈયાર કરેલ, જેમાં જમીનની માપણીની પધ્ધતિઓ અને જમીનની પ્રત પ્રમાણે મહેસુલ નક્કી કરવાની પધ્ધતિને સેટલમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ એન્ડરસન દ્વારા મહેસુલી હિસાબી પધ્ધતિ વિકસાવી જેને રેવન્યુ એકાઉન્ટ મેન્યુઅલ તરીકે ઓળખવામાં આવે છે. અને તે અનુસાર ગામના નમુના નં. ૧ થી ૧૮ કે જેમાં સમગ્ર મહેસુલી ગામનો વહીવટ આવી જાય છે.

ઉક્ત પૂર્વભૂમિકા સર્વે અને સેટલમેન્ટના પાયાના સિધ્ધાંતો સમજવા માટે વર્ણવવામાં આવી. જમીન મહેસુલ અધિનિયમ-૧૮૭૯ની જોગવાઈઓમાં જમીનોનું સર્વે એટલેકે મોજણી-માપણીની જોગવાઈ કરવામાં આવી છે અને જમીન ઉપરનું મહેસુલ દર ૩૦ વર્ષે રીવાઈઝ કરવામાં આવશે તેવી જોગવાઈ કરવામાં આવી છે અને આ કાયદાની જોગવાઈ પ્રમાણે રાજ્યને કોઈપણ વિસ્તારનું રીસર્વે કરવાની સત્તાઓ આપવામાં આવેલ છે. ગુજરાતમાં આઝાદી બાદ મોટાભાગના ગામોમાં ૧૯૫૫-૫૬માં સર્વે કરવામાં આવેલ અને તે આધારે દરેક ગામનો કાયમી ખરડો (રકબો) તૈયાર કરવામાં આવેલો જે આજે પણ આધારભુત તરીકે માન્ય રાખવામાં આવે છે અગાઉ જે સર્વે કરવામાં આવેલ જે જુની સાંકળપધ્ધતિથી કરવામાં આવેલ અને તેમાં જે ક્ષેત્રફળમાં ખાસ કરીને traverse  બિનસરકારી નંબરોમાં લાગુ સર્વે નંબરના દબાણો તેમજ અન્ય ક્ષતિઓ રહેવા પામેલ તેમ છતાં અગાઉના સર્વે માપણી પ્રમાણે જે રેકર્ડ કાયમી ખરડાને આધારે ૭/૧૨ લખવામાં આવેલ અને સબંધિત પ્રાન્ત અધિકારી દ્વારા પ્રથમ Promulgation કરવામાં આવેલ, તે મહ્દ્અંશે સબંધિત સર્વે નંબરના કબજેદારોને માન્ય હતું અને આ રેકર્ડનો ૭/૧૨નો સમયગાળો દસ વર્ષનો હતો એટલે Rewritingના ભાગરૂપે ફરીથી તે રેકર્ડ જે સર્વે નંબરોના ભાગલા પડયા હોય તેના પેટા હિસ્સો આપી, મૂળ સ્વરૂપે રેકર્ડ લખાઈને સબંધિત પ્રાન્ત અધિકારી દ્વારા પ્રમાણિત જાહેર કરવામાં આવતું.

રાજ્ય સરકારે ભારત સરકારની યોજના અન્વયે મહેસુલી રેકર્ડ અદ્યતન કરવાના ભાગરૂપે પાયલોટ પ્રોજેક્ટ તરીકે જામનગર અને મહેસાણા જીલ્લાઓને રીસર્વે માટે લેવામાં આવેલ, અને આ કામગીરી ખાનગી એજન્સીને આપવામાં આવેલ શરૂઆતના પાયલોટ પ્રોજેક્ટ બાદ, રાજ્યના તમામ જીલ્લાઓને આવરી લેવામાં આવેલ, આમ તો રીસર્વેમાં મૂળ રેકર્ડ મુજબ એટલેકે ડી.આઈ.એલ.આર. દ્વારા જે મૂળ ગામનાં મહેસુલી રેકર્ડ નિભાવવામાં આવતું તેને Base લેવાનો હતો અને સબંધિત ગામની માપણી સમયે સબંધિત ગામના સર્વેનંબરના ખાતેદાર / કબજેદારની હાજરીમાં માપણી કરવામાં આવનાર હતી તેમજ ગામસભા બોલાવીને જાણ કરવાની હતી. પરંતુ તેમ કરવાને બદલે ખાનગી એજન્સી દ્વારા જે કબજેદારો / ખાતેદારો સાથે પ્રત્યક્ષહાજરીમાં માપણી કરવાની હતી તેના બદલે Bisag ની તેમજ Google image ના આધારે માપણી કરી રેકર્ડ સુપ્રત કરવામાં આવ્યુ અને તે અનુસાર ઉતાવળે સબંધિત પ્રાન્ત અધિકારીઓ દ્વારા રેકર્ડ પ્રમાણિત જાહેર કરવામાં આવ્યુ જેની સંખ્યાબંધ ભુલો હજુ પણ સુધારી શકાયેલ નથી. ઘણી જગ્યાએ એવુ પણ બનવા પામેલ છે કે સરકારનું હિત સમાયેલ હોય તેવા સરકારી / ગૌચરના સર્વે નંબરોનું ક્ષેત્રફળ ઓછું થયું છે અથવા તો વર્ષો પહેલાં સરકારી જમીન જેમને ગ્રાન્ટ કરવામાં આવી હોય તે કબજો સુપ્રત કર્યો હતો તેના બદલે વિકસીત વિસ્તારમાં કે મુખ્ય રસ્તાઓની બાજુમાં જમીન માપણી કરાવી, ક્ષેત્રફળ દર્શાવામાં આવ્યું હોય. આ તો ઉદાહરણ સ્વરૂપે દાખલાઓ દર્શાવ્યા છે. ઘણી જગ્યાએ વ્યાજબી કિસ્સાઓ જેમ કે ભાઈઓ ભાગે વહેંચણી થયેલ હોય મૂળ સર્વે નંબરના પેટા હિસ્સા આપવામાં આવેલ હોય નવીન માપણીમાં પેટા હિસ્સાને બદલે સ્વતંત્ર સર્વે નંબર આપવાનો હોય તેના બદલે મૂળ સર્વે નંબર મુજબનું અદલાબદલાના કિસ્સામાં પણ નંબરો ઉલટ સુલટ કરવામાં આવ્યા હોય આમ આવી પાયાની ક્ષતિઓ કે જેને રેકર્ડ આધારિત દુરસ્તી કરવાની હોય તેમાં પણ અગાઉ તો શરૂઆતમાં આવા ક્ષેત્રફળ સુધારવા નાયબકલેક્ટર સમક્ષ અપીલ કરવાનું જણાવવામાં આવતું પરંતુ સમગ્ર રાજ્યમાં મોટાભાગે આવા કિસ્સાઓ હોવાથી ફક્ત સબંધિત ખાતેદારની અરજીના આધારે ફેરફાર કરવાનું જણાવવામાં આવેલ અને આ પ્રક્રિયાને પણ પાંચ વર્ષ ઉપરાંતનો સમય થયેલ છે. હજી સુધી આ કાર્યવાહી પુર્ણ થયેલ નથી હજુ પણ જીલ્લાવાર મોટાપાયે અરજીઓ Pending છે રાજ્યમાં અમુક જીલ્લાઓમાં તો હજુ ઘણા ગામડાઓનું રીસર્વે મુજબ Promulgation થયેલ નથી. 

આમ મહેસુલી રેકર્ર્ડ અદ્યતન કરવાના ભાગરૂપે રીસર્વેદાખલ કરવામાં આવેલ, તેમાં તમામ ખાતેદારના સર્વે નંબરનો નકશો પણ ઉપલબ્ધ થાય અને ચોક્કસ ક્ષેત્રફળ મળી રહે, સરકારી, સાર્વજનિક ઉપયોગી જમીનો ઉપર દબાણ ન થાય તેના ભાગરૂપે ચોક્કસ હદ્ નિશાન સાથે ક્ષેત્રફળ મળી રહે તે આશય હતો તે સિધ્ધ થયેલ નથી. 

રીસર્વે બાદ ઉદભવેલ પ્રશ્નોના નિરાકરણ માટે મૂળ સર્વે થયેલ તે ડી.આઈ.એલ.આર પાસેનું સર્વે રેકર્ડ ગુણાકાર બુક સહિત ટીપ્પણ, ગામનો કાયમી ખરડા સાથે રીસર્વે મુજબ થયેલ માપણી, ક્ષેત્રફળમાં થયેલ વધ-ઘટ અને તે ચોક્કસ પુરાવા આધારિત સર્વે વિભાગના અધિકારીઓની ટીમ બનાવી, જરૂર જણાયે સ્વતંત્ર માપણી એજન્સીઓ રોકી અથવા નિવૃત્ત ડી.આઈ.એલ.આર. / એસ.એલ.આર ને રાખીને ઝુંબેશ સ્વરૂપે રીસર્વેની ક્ષતિઓ સુધારવા માટે કામગીરી કરવી જરૂરી છે અને તો જ જમીના ધારકોને તેઓએ ધારણ કરેલ જમીનના ક્ષેત્રફળ મુજબના હક્કો પ્રાપ્ત થશે. પ્રવર્તમાન સમયમાં શહેરીકરણ / ઔદ્યોગિકરણના આગામી લેખમાં વિવરણ કરીશુ.

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...