7.25.2023

નિર્ધન વ્યક્તિએ કરેલો દાવો એ જીતી જાય કે હારી જાય ત્યારે એનો ખર્ચ કોણ ભોગવે?

 

નિર્ધન વ્યક્તિઓ પણ અન્ય વ્યક્તિઓને ન્યાય મળે તેવી સહિતની જોગવાઈ કરાઇ હોઇ કોઈ વ્યક્તિ નાણાંના અભાવે ન્યાયથી વંચિત ના રહી જાય





તમારી જમીન,  તમારી મિલકત 

> નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ)

દિવાની કાર્યવાહી સંહિતામાં દાવો કે બચાવ કરવા માટે કોઈ ર્નિંધન વ્યકિતને મદદરૂપ થવા માટે પણ યોગ્ય તે જોગવાઈ હુકમ-૩૩ અને નિયમોમાં લાગુ કરેલો છે, જેનો વિગતવાર સમાવેશ અગાઉના લેખમાં નિયમ ૧ થી ૯ સુધીનાનો અભ્યાસ કર્યો અને આજના લેખમાં આપણે દિવાની કાર્યવાહીમાં વધુ નિયમો નંબર: ૧૦ થી ૧૮ સુધીની જોગવાઈ વિશે જોઈશું.

નિયમ-૧૦. નિર્ધન વ્યક્તિ જીતે ત્યારે ખર્ચ : દાવામાં વાદી જીતે, ત્યારે નિર્ધન વ્યકિત તરીકે દાવો કરવા ન દીધો હોત તો તેણે કેટલી ન્યાયાલય ફી ભરવી પડતી તેની ન્યાયાલયે ગણતરી કરવી જોઈશે અને હુકમનામામાં જે પક્ષકારને તે રકમ આપવાનું ફરમાવ્યું હોય તેની પાસેથી તે રકમ રાજ્ય સરકાર વસૂલ કરી શકશે અને તે રકમ દાવાની વિષય વસ્તુ ઉપરનો પ્રથમ બોજો ગણાશે.

નિયમ-૧૧. નિર્ધન વ્યક્રિત હારે ત્યારે અનુસરવાની કાર્યરીતિ ઃ વાદી દાવામાં હારે અથવા તે નિર્ધન વ્યક્તિ તરીકે દાવો માંડવાની તેની પરવાનગી પાછી ખેંચી લેવામાં આવી હોય અથવા (એ) પ્રતિવાદીને હાજર થઈને જવાબ આપવા માટે કાઢેલા સમન્સ  બજાવવા જે કોઈ ન્યાયાલય ફી અથવા (હોય તે) ટપાલ ખર્ચ (લેવાનોહોય તે) વાદીએ ન આપ્યાને લીધે તે સમન્સ પ્રતિવાદી ઉપર બજ્યો ન હોવાના અથવા દાવા અરજીની નકલો અથવા સંક્ષિપ્ત નિવેદન રજૂ ન કરવાના કારણસર અથવા (બી) દાવાની સુનાવણી નીકળે તે વખતે વાદી હાજર ન થવાના કારણસર, દાવો પાછો ખેંચી લેવામાં અથવા કાઢી નાખવામાં આવે, ત્યારે નિર્ધન વ્યકિત તરીકે દાવો માંડવાની પરવાનગી ન મળી હોય તો જે ન્યાયલય ફી, વાદીએ ભરવી પડત તે ભરવાને માટે ન્યાયાલયે વાદીને અથવા દાવામાં સહવાદી બનાવી હોય તે વ્યકિતને હુકમ કરવો જોઈશે.

નિયમ-૧૧-એ. નિર્ધન વ્યક્તિનો દાવો બંધ પડતો હોય ત્યારે, અનુસારની કાર્યપદ્ધતિ ઃ જ્યારે વાદીના અથવા સહવાદી બનાવી હોય એવી કોઈ વ્યકિતના મૃત્યુના કારણે દાવો બંધ પડે, ત્યારે વાદીએ તેને નિર્ધન વ્યક્તિ તરીકે દાવો માંડવાની છૂટ મળી ન હોત તો તેણે જે ન્યાયાલય ફીની રકમ આપવી પડત, તે ન્યાયાલય ફીની રકમ મર્હુમ વાદીની મિલકતમાંથી રાજયસરકારે વસૂલ કરવી એવો ન્યાયાલયે હુકમ કરવો જોઈશે.
નિયમ-૧૨. ન્યાયાલય ફી ભરવા માટે રાજય સરકાર અરજી કરી શકશે ઃ નિયમ-૧૦, નિયમ-૧૧ અથવા નિયમ-૧૧-ક, હેઠળ જે ન્યાયલય ફી લેવાની હોય તે ભરવાનો હુકમ કરવા માટે ન્યાયાલયને કોઈપણ સમયે અરજી કરવાનો રાજ્ય સરકારને હક્ક રહેશે.

નિયમ-૧૩. રાજય સરકારને પક્ષકાર ગણવા બાબત ઃ નિયમ-૧૦,૧૧, ૧૧(એ) અથવા નિયમ-૧૨ હેઠળ રાજય સરકાર અને કોઈપણ પક્ષકાર વચ્ચે ઉપસ્થિત થતી બાબતો કલમ-૪૦ ના અર્થ મુજબ તે દાવાના પક્ષકારો વચ્ચે ઉપસ્થિત થતી બાબતો છે એમ ગણાશે.

નિયમ-૧૪. ન્યાયાલય ફીની ૨કમ વસૂલ કરવા બાબત ઃ નિયમ-૧૦, નિયમ-૧૧, અથવા નિયમ-૧૧(એ) હેઠળ હુકમ કરવામાં આવે તે પ્રસંગે, ન્યાયાલયે હુકમનામાની અથવા હુકમની નકલ કલેક્ટરને તાબડતોબ મોકલાવી આપવી જોઈશે અને કલેક્ટર, વસૂલાતની બીજી કોઈપણ પદ્ધતિને બાધ ન આવે તેવી રીતે નિર્દિષ્ટ કરેલી ન્યાયલય ફીની ૨કમ, જાણે કે તે જમીન મહેસૂલની બાકી હોય તેમ, તે રકમ આપવાને જવાબદાર હોય તેવી વ્યકિત પાસેથી અથવા તેવી મિલકતમાંથી વસૂલ કરી શકશે.

નિયમ-૧૫. અરજદારને નિર્ધન વ્યક્તિ તરીકે દાવો માંડવાની છૂટ આપવાની ના પાડવામાં આવે તો એ પ્રકારની બીજી અરજી કરી શકશે નહીં. અરજદારને નિર્ધન વ્યકિત તરીકે દાવો માંડવાની છુટ આપવાની ના પાડતો હુકમ થાય તો દાવો કરવાના હેતુ જ હક્ક અંગે તેવી જ જાતની ફરી અરજી તેનાથી કરી શકાશે નહિ, પરંતુ નિર્ધન વ્યકિત તરીકે દાવો કરવાની પરવાનગી માટે તેણે જે અરજી કરી હોય તેનો વિરોધ કરવામાં રાજય સરકારને અથવા સામા પક્ષકારને થયેલો (હોય તે) ખર્ચ દાવો માંગતી વખતે અથવા ન્યાયાલય છૂટ આપે તેવી ત્યારપછીની મુદતની અંદર તે આપે નહીં તો દાવા અરજી ના મંજુર કરવામાં આવશે.

નિયમ-૧૫-એ. ન્યાયાલય ફી ભરવા માટે મુદત આપવા બાબત ઃ નિયમ-પ૫, નિયમ-9 અથવા નિયમ-૧૫ માંના કોઈપણ મજકરથી 4િયમ-પ હેઠળ અરજી નામંજૂર કરતી વખતે અથવા નિયમ-9 હેઠળ અરજીનો અસ્વીકાર કરતી વખતે, ન્યાયાલય નકકી કરે તેટલી અથવા વખતોવખત લંબાવે તેટલી મુદતની અંદર જરૂરી ન્યાયાલય ફી ભરવા માટેનો અરજદારને સમય આપવામાં આવે તો ન્યાયાલયને બાધ આવશે નહિ, અને એવી ચુકવણી થયે અને તે સમયની અંદર નિયમ-૧૫ ના પેટા નિયમ(૨)માં જણાવેલો ખર્ચ ભર્યે નિર્ધન વ્યકિત તરીકે દાવો માંડવાની અરજી જે તારીખે રજૂ કરવામાં આવી હોય તે તારીખે દાવો માંડવામાં આવ્યો હોવાનું જણાશે.

નિયમ-૧૬. ખર્ચ : નિર્ધન વ્યક્તિ તરીકે દાવો માંડવાની પરવાનગી માટે કરેલી અરજીનો અને નિર્ધનતા અંગેની તપાસનો ખર્ચ તે દાવો ખર્ચ ગણાશે.

નિયમ-૧૭.નિર્ધન વ્યક્તિઓ દ્વારા બચાવ ઃ જે કોઈ પ્રતિવાદી, મજરે માગવા અથવા સામો દાવો કરવા માગતો હોય તે પ્રતિવાદીને નિર્ધન વ્યકિત તરીકે આવો દાવો માંડવાની છૂટ આપી શકાશે અને આ હુકમમાં જણાવેલા નિયમો, શકય હોય તેટલે સુધી, જાણે કે તે વાદી હોય અને તેનું લેખિત નિવેદન દાવા અરજી હોય તેમ તેને લાગુ પડશે.

નિયમ-૧૮.નિર્ધન વ્યક્રિતિઓને મફત કાનૂની સેવા આપવા માટેની સરકારની સત્તા : (૧) આ હુકમની જોગવાઈઓને આધીન રહીને, કેન્દ્ર અથવા રાજય સરકાર જેમને નિર્ધન વ્યક્તિઓ તરીકે દાવો માંડવા માટે પરવાનગી આપવામાં આવી હોય તેમને મફત કાનૂની સેવા આપવા માટે પોતાને યોગ્ય લાગે તેવી પૂરક જોગવાઈઓ કરી શકશે.
(૨) ઉચ્ચ ન્યાયાલય, રાજ્ય સરકારની પૂર્વ મંજુરીથી, પેટા નિયમ(૧) માં જણાવેલ નિર્ધન વ્યક્તિઓને મફત કાનૃની સેવા આપવા માટે કેન્દ્ર અથવા રાજય સરકારે કરેલી પૂરક જોગવાઈઓની અમલ કરવા માટે નિયમો કરી શક્શે, અને આવા નિયમોમાં, એવી કાનૂની સેવાઓના પ્રકાર અને વ્યાપ જે શરતોએ તે મળી શકે તે શરતો અને જે બાબતોના સંબંધમાં અને જે એજન્સીઓ મારફતે આવી સેવા કરી શકાય તે બાબતો અને એજન્સીનો સમાવેશ કરી શકાશે. આમ કાયદામાં નિર્ધન વ્યક્તિઓ પણ અન્ય વ્યક્તિઓને ન્યાય મળે તેવી સહિતની જોગવાઈ કરેલ છે જેથી કરીને કોઈ વ્યક્તિ નાણાંના અભાવે ન્યાયથી વંચિત ના રહી જાય


નોંધ:-(જમીન/મિલક્ત માટેના લેખોના સંદર્ભે વાચકોના કોઈ સૂચન કે પ્રશ્નો હોય તો ‘નવગુજરાત સમય’ ના નવા સરનામે (૧૦૧, પહેલો માળ, ઓમ શાયોના આર્કડ, સિલ્વર ઓક કોલેજ પાસે, ગોતા, અમદાવાદ-૩૮૨૪૮૧) લેખિત રૂપે મોકલવા કે લેખકને ઈ-મેઈલ કરવા)

7.21.2023

કોર્ટમાં દાવો કરવા રૂપિયા હોવા જ જોઇએ એવું નથી, નિર્ધન વ્યક્તિને પણ હક્ક છે

 

કોર્ટમાં દાવો કરવા રૂપિયા હોવા જ જોઇએ એવું નથી, નિર્ધન વ્યક્તિને પણ હક્ક છે


તમારી જમીન,  તમારી મિલકત > નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ)

 સિવિલ પ્રોસીજર કોડ ૧૯૦૮ માં દિવાની કાર્યવાહી કરવા માટે એટલે કે દાવો કરવા માટે કે દાવાનો બચાવ કરવા માટે વ્યક્તિ પાસે નાણાંકીય સગવડ ન હોય તો પણ કાયદામાં નિશ્ચિત જોગવાઈઓને આધિન એટલે કે હુકમ--૩૩ હેઠળના નિયમો મુજબ તેવી નિર્ધન વ્યક્રિતિને કાયદેસર રીતે હક્ક અને અધિકાર પ્રાપ્ત થાય છે.

નિર્ધન વ્યક્તિઓના દાવા
નિયમ-૧ નિર્ધન વ્યક્તિ તરીકે દાવો માંડી શકાય : નીચેની વ્યકિતઓને આધીન રહીને, કોઈપણ દાવો નિર્ધન વ્યક્ત માંડી શકશે. 
સ્પષ્ટીકરણ-૧ઃ કોને નિર્ધન વ્યક્તિ ગણી શકાય. (એ) જે તે આવો દાવો માંડવામાં દાવા અરજીને માટે કાયદામાં ઠરાવેલી ફી ભરવા જેટલી (હુકમનામાની બજવણી વખતે જપ્તીમાંથી મુક્ત રહે તેવી અને દાવાની વિષયવસ્તુ સિવાયની મિલકત સિવાય) પૂરતાં સાધન ધરાવતી ન હોય તો, અથવા (બી) જ્યાં તેવી ફી ન ઠરાવી હોય ત્યાં હુકમનામાની બજવણી વખતે જપ્તીમાંથી મુક્ત રહે તેવી અને દાવાની વિષયવસ્તુ સિવાયની એક હજાર રૂપિયાની કિંમતની મિલકતની તે હકદાર ન હોય ત્યારે, સ્પષ્ટીકરણ-૨ : નિર્ધન વ્યકિત તરીકે દાવો માંડવાની પરવાનગી માટેની રજુઆત પછી અને અરજીના નિર્ણય પહેલાં કોઈ વ્યકિતએ પ્રાપ્ત કરેલી કોઈ મિલકત, તે વ્યક્તિ નિર્ધન વ્યકિત છે કે નહિ તે પ્રશ્નનો નિર્ણય કરતી વખતે ધ્યાનમાં લેવી જોઈશે.
સ્પષ્ટીકરણ-૩ : વાદી પ્રતિનિધિની હેસિયતથી દાવો કરે ત્યારે, તે નિર્ધન વ્યકિત છે કે કેમ તે પ્રશ્નનો નિર્ણય એવી હેસિયતમાં તેણે ધરાવેલાં સાધનોના સંદર્ભમાં કરવો જોઈશે.
નિયમ-૧-એ. નિર્ધન વ્યક્તિના સાધનોની તપાસ ઃ કોઈ વ્યકિત નિર્ધન વ્યકિત છે કે નહિ તે પ્રશ્ન અંગેની દરેક તપાસ, પ્રથમ તબકકે ન્યાયાલય અન્યથા આદેશ કરે તે સિવાય, ન્યાયાલયના મુખ્ય વહીવટી અધિકારીએ કરવી જોઈશે અને ન્યાયાલય, જાણ કે પોતાનો નિર્ણય હોય તેમ તેવા અધિકારીનો રિપોર્ટ સ્વીકારી લઈ શકશે અથવા તે પ્રશ્નની જાતે તપાસ કરી શકશે.
નિયમ-ર. અરજીની વિગતો ઃ નિર્ધન વ્યક્તિ તરીકે દાવો માંડવાની પરવાનગી માટેની દરેક અરજીમાં દાવામાં દાવા અરજીઓ માટે આવશ્યક હોય તે વિગતો હોવી જોઈશે અરજદારની સ્થાવર અથવા જંગમ જે કંઈ મિલક્ત હોય તેનું તથા તેની આશરે કિંમતનું એક પત્રક તેની સાથે જોડવું જોઈશે, અને પ્લીડિંગ ઉપરની સહી માટે તથા તેની ખરાઈ માટે ઠરાવેલી રીતે તે ઉપર સહી તથા ખરાઈ કરવી જોઈશે.
નિયમ-૩. અરજીમાંની રજૂઆત ઃ આ નિયમોમાં ગમે તે મજકુર હોય તે છતાં, અરજદારે પોતે જાતે ત્યાયાલય સમક્ષ અરજી રજ કરવી જોઈશે, પરંતુ ન્યાયાલયમાં હાજર થવામાંથી તેને મુક્તિ મળી હોય તો તે અરજીને લગતાં બધા અગત્યના સવાલોના જવાબ આપી શકશે તેવો અધિકૃત એજન્ટ અરજી રજૂ કરી શકશે, અને જે પક્ષકારનો તે પ્રતિનિધિ હોય તે પક્ષકાર જાતે હાજર થયો હોય ત્યારે, તેની જે રીતે જુબાની લઈ શકાય તે રીતે તે એજન્ટની જુબાની લઈ શકશે. પરંતુ, એક કરતા વધુ વાદીઓ હોય ત્યારે, વાદીઓ પૈકી એક અરજી રજ કરે તો તે પૂરતું ગણાશે.
નિયમ-૪. અરજદારની જુબાની ઃ (૧) અરજી યોગ્ય નમૂનામાં અને યોગ્ય રીતે રજૂ કરેલી હોય ત્યારે ન્યાયાલય પોતાને યોગ્ય લાગે, તો હકદાવાના ગુણદોષ વિશે તથા અરજદારની મિલકત વિશે અરજદારની, અથવા અરજદારને એજન્ટ મારફત હાજર થવાની રજા આપી હોય ત્યારે તેના એજન્ટની જુબાની લઈ શકશે.
(૨) જો એજન્ટે અરજી આપી હોય ત્યારે, ન્યાયાલય પોતાને યોગ્ય લાગે તો, ગેરહાજર હોયા તેવા જો એજન્ટ અરજી આપી હોય તો કમિશન દ્વારા અરજદારની જુબાની લેવાનું ન્યાયાલય ફરમાવી શકશે સાક્ષીની જુબાની જે રીતે લેવાય છે તે રીતે, કમિશન મારફત અરજદારની જુબાની લેવાનો હુકમ કરી શકશે.
નિયમ-પ. અરજી નામંજૂર કરવા બાબત ઃ નિર્ધન વ્યકિત તરીકે દાવો માંડવાની પરવાનગી માટેની અરજી નીચેના કોઈપણ પ્રસંગે ન્યાયાલયે નામંજૂર કરવી જોઈશે. (એ) નિયમો (૨) તથા (૩) માં ઠરાવેલી રીતે તૈયાર કરીને રજૂ કરી ન હોય, અથવા (બી) અરજદાર નિર્ધન વ્યકિત ન હોય, અથવા (સી) અરજી રજ કર્યાની તરત પહેલાંના બે મહિનાની અંદર અરજદારે કપટથી અથવા નિર્ધન વ્યકિત તરીકે દાવો માંડવાની પરવાનગી મેળવવા માટે પોતે અરજી કરી શકે તે વિચારથી કોઈ મિલકતનો નિકાલ કરી નાખ્યો હોય. પરંતુ અરજદારે નિકાલ કરેલી મિલકતની કિંમત લક્ષમાં લીધા પછી પણ અરજદાર નિર્ધન વ્યકિત તરીકે દાવો માંડવા હકદાર થતો હોય તો કોઈ અરજી નામંજુર કરી શકાશે નહિ.
($) અરજદારે લખેલી બાબતો ઉપરથી દાવાનું કારણ ઉત્પન્ન થાય છે એમ જણાતું ન હોય, અથવા (ઈ) સૂચિત દાવાની વિષય વસ્તુ સંબંધમાં તેણે કોઈ એવો કરાર કર્યો હોય કે જેની હેઠળ તે વિષય વસ્તુમાં બીજી કોઈ વ્યકિતનું હિત પ્રાપ્ત કર્યું હોય, અથવા (એફ) અરજદારે અરજીમાં લખેલી બાબતો ઉપરથી દાવાને તે સમયે અમલમાં હોય તેવા કાયદાનો બાધ છે એમ જણાતું હોય, અથવા (જી) બીજી કોઈ વ્યકિત તેની સાથે કબૂલાત કરી દાવો લડવા નાણાંકીય જોગવાઈ કરી આપવા કબૂલ થયેલ હોય.
નિયમ-6 અરજદારની નિર્ધનતાનો પુરાવો લેવા માટે ઠરાવેલા દિવસની નોટિસ ઃ આ “નિયમ-૫ માં જણાવેલા કારણોમાંના કોઈપણ કારણસર અરજી નામંજૂર કરવાનું ન્યાયાલયને કંઈ કારણ જણાય નહિ, ત્યારે પોતાની નિર્ધનતા સાબિત કરવામાં અરજદાર જે પુરાવો આપે તે લેવા માટે તથા તેની ગેરસાબિતી માટે જે પુરાવો આપવામાં આવે તે સાંભળવા માટે ન્યાયાલયે દિવસ નકકી કરવો જોઈશે (જેની ઓછામાં ઓછી ચોખ્ખા દસ દિવસની નોટિસ સામા પક્ષકારને તથા સરકારી વકીલને આપવી જોઈશે.)
નિયમ-૭. સુનાવણી વખતે અનુસરવાની કાર્યરીતિ ઃ (૧) એવી રીતે નિયત કરેલા દિવસે, અથવા ત્યાર પછી અનુકળ હોય તેટલું જલદી બેમાંથી ગમે તે પક્ષકારે હાજર કરેલા(હોય તે) સાક્ષીઓને ન્યાયાલયે તપાસવા જોઈશે અને ન્યાયાલય અરજદારની અથવા તેના એજન્ટની જુબાની લઈ શકશે અને ન્યાયાલયે તેમના પુરાવાની સંપુર્ણ નોંધ કરવી જોઈશે.
(૧-એ) પેટા નિયમ (૧) હેઠળ સાક્ષીઓની જુબાની, નિયમ-૫ ના ખંડ(બી), ખંડ(સી), અને ખંડ (ડી)માં નિર્દિષ્ટ કરેલી બાબતો પૂરતી મર્યાદિત રહેશે, પણ અરજદાર અથવા તેના એજન્ટની જુબાની, નિયમ-પ૫ માં નિર્દિષ્ટ કરેલી કોઈપણ બાબતને લગતી હોઈ શકશે. (૨) સદરહુ અરજી તથા નિયમ-૬ હેઠળ અથવા આ નિયમ હેઠળ ન્યાયાલયે લીધેલો પુરાવો (હોય તે) વાંચવાથી નિયમ-પ૫ માં નિર્દિષ્ટ કરેલ કોઈપણ પ્રતિબંધોને અરજદાર પાત્ર છે કે નહિ, એ પ્રશ્ન વિશે પક્ષકારો જે દરખાસ્ત કરવા માગે તે પણ ન્યાયાલયે સાંભળવી જોઈશે.
(૩) ત્યારબાદ અરજદારની નિર્ધન તરીકે દાવો માંડવાની અરજી ન્યાયાલયે મંજૂર રાખવી જોઈશે અથવા મંજર રાખવાની ના પાડવી જોઈશે.
નિયમ-૮. જો, અરજી દાખલ કરવામાં આવે તો, અનુસરવાની કાર્યરીતિ : અરજી મંજુર રાખવામાં આવે ત્યારે તેની ઉપર નંબર પાડીને તે નોંધવી જોઈશે અને દાવામાં તે દાવા અરજી તરીકે ગણવી રહેશે અને સાધારણ રીતે માંડેલા દાવા તરીકે બધી બાબતમાં તે દાવાનું કામ આગળ ચલાવવામાં આવશે, પરંતુ કોઈ અરજી અંગે કે વકીલની નિમણુંક અંગે કે દાવાને લગતી બીજી કાર્યવાહી અંગે કોઈ કોર્ટ ફી અથવા કામગીરી હુકમ બજાવવા અંગે જે ફી આપવી પડે તે ફી આપવાને વાદી જવાબદાર થશે નહીં. નિયમ-7. નિર્ધન વ્યક્રિત તરીકે દાવો માંડવાની પરવાનગી પાછી ખેંચવા બાબત. ન્યાયાલય, પ્રતિવાદીની અથવા સરકારી વકીલની અરજી ઉપરથી જેની ચોખ્ખા સાત દિવસની લેખિત નોટિસ વાદીને આપવી જોઈશે, નીચેના કોઈપણ પ્રસંગે વાદી નિર્ધન વ્યકિત નથી એવો હુકમ કરી શકશે.
(એ) દાવો ચાલતો હોય તે વખતે ત્રાસદાયક અથવા અયોગ્ય વર્તણૂંક બદલ તે દોષિત હોય તો,
(બી) નિર્ધન વ્યકિત તરીકે તેણે દાવો ચાલુ ન રાખવો જોઈએ એવા સાધન એની પાસે છે એમ જણાય તો અથવા
(સી) દાવાની વિષયવસ્તુ સંબંધમાં તેણે કોઈપણ એવો કરાર કર્યો હોય જેની હેઠળ તેથી તે વિષય વસ્તુમાં બીજી કોઈપણ વ્યકિતનું હિત પ્રાપ્ત કર્યું હોય તો, નિયમ-૯-એ. જે નિર્ધન વ્યક્તિનું પ્રતિનિધિત્વ થતું ન હોય તેને માટે ન્યાયલય વકીલ રોકી શકશે.
(૧) જે કોઈ વ્યકિતને નિર્ધન વ્યકિત તરીકે દાવો માંડવાની પરવાનગી આપવામાં આવી હોય તે વ્યકિતનું વકીલ મારફત પ્રતિનિધિત્વ થતું ન હોય, ત્યારે ન્યાયાલય, કેસના સંજોગો તેમ કરવાનું ફરમાવે તો, તેને માટે વકીલ રોકી શકશે.
(ર) ઉચ્ચ ન્યાયાલય રાજય સરકારની અગાઉથી પરવાનગી મેળવીને નીચેની બાબતોની જોગવાઈ કરતા નિયમો કરી શકશે.
(એ) પેટા નિયમ(૧) હેઠળ રોકવાના વકીલોની પસંદગીની રીત,
(બી) ન્યાયાલયે એવા વકીલોને આપવાની સગવડો બાબત,
(સી) પેટા નિયમ(૧)ની જોગવાઈઓને અમલમાં લાવવા માટે નિયમોથી જેની જોગવાઈ કરવાનું આવશ્યક હોય તેવી અથવા જેની જોગવાઈ કરી શકાય તેવી બીજી કોઈપણ બાબત.
નિર્ધન વ્યકિત માટે દિવાની કાર્યવાહી સહિતના વધુ નિયમો આવતા અંકમાં જોઈશું.

7.10.2023

અશાંતધારા ના નિયમો માં કેવા મહત્વના સુધારા થયા છે ??

અશાંતધારા ના નિયમો માં કેવા મહત્વના સુધારા થયા છે ??



The Gujarat Prohibition of Transfer ofImmovable Property and Provision forProtection of Tenants from Eviction fromPremises in Disturbed Areas Act, 1991

મિલકત તબદિલી કરાવવાનો અને તબદિલીથી લેવાનો, ઈરાદો ધરાવતી વ્યકિતઓની મુક્ત સંમતિ છે કે કેમ? તે સ્પષ્ટતા થવું જરૂરી છે

તમારી જમીન,  તમારી મિલકત > નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ)

 ગુજરાત અશાંત વિસ્તાર (સુધારા) અધિનિયમ ૨૦૧૯ મુજબકેટલાક મહત્વના સુધારા થયેલા છે. સને ૧૯૯૧ ના મુખ્ય ગુજરાતના અશાંત વિસ્તાર અધિનિયમની કલમો બદલવા બાબતઃ

ક્લમઃ- “જ. સ્થાવર મિલકતની અમુક તબદિલીઓ રદબાતલ થવા બાબત. તત્સમયે અમલમાં હોય તેવા કોઈ કાયદામાં ગમે તે મજકૂર હોય તેમ છતાં, પણ કલમ-૫ ની પેટા કલમ (૧) ને અધીન રહીને, નિર્દિષ્ટ મુદત દરમિયાન અશાંત વિસ્તારમાં આવેલી સ્થાવર મિલકતની કરેલી તમામ તબદિલીઓ, એવી તબદિલીની તારીખથી રદબાતલ થશે.”

મુખ્ય અધિનિયમમાં, કલમ-પ માં, પેટા-ક્લમ(૩)માં, ખંડો(ખ) અને(ગ)ને બદલે, નીચેના ખંડો મૂકેલા છેઃ  (ખ) ક્લેક્ટરે, એવી અરજી મળ્યેથી, ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ, ૧૮૭૯ થી ઠરાવેલી રીતે ઔપચારિક તપાસ યોજવી જોઈશે અને અરજદારને સુનાવણીની તક આપ્યા પછી અને રજૂ કરવામાં આવે તેવા કોઈ પુરાવાને વિચારણામાં લીધા પછી નક્કી કરવું જોઈશે કે -

(૧) સ્થાવર મિલકતની તબદિલી ક્લમ-૨ ના ખંડ(ચ) ની બોલીઓ હેઠળ કરવા ધાર્યું છે કે કેમ, (૨) તબદિલી કરાવવાનો અને તબદિલીથી લેવાનો, ઈરાદો ધરાવતી વ્યકિતઓની મુક્ત સંમતિ છે કે કેમ? (૩) તબદિલી કરવા ધારેલી સ્થાવર મિલકતની તબદિલીની કિંમત વાજબી છે કે કેમ, (૪) તબદિલી કરવા ધારેલી સ્થાવર મિલકત જે વિસ્તારમાં આવેલી હોય તે વિસ્તારમાં વસતી જુદા જુદા સમુદાયની વ્યક્તિઓનું જનસંખ્યા વિષયક સંતુલન ખોરવતા સમુદાયને લગતા વ્યક્તિઓના ધ્રુવીકરણની શક્યતા છે કે કેમ, (૫) તબદિલી કરવા ધારેલી સ્થાવર મિલકત જે વિસ્તારમાં આવેલી હોય તે વિસ્તારમાં એક સમુદાયને લગતા વ્યક્તિઓના સમૂહમાં અંધાધૂંધી ફેલાવવાની શક્યતા છે કે કેમ અને તદનુસાર,  (ક) અરજીનો અસ્વીકાર કરી શકશે, અથવા (ખ) સ્થાવર મિલકતની કરવા ધારેલી તબદિલીને, લેખિતમાં પૂર્વમંજુરી આપનો હુકમ કરી શકશે. (ગ) ક્લેકટર, પેટા-કલમ(૨) હેઠળ કરેલી અરજીનો, તે અરજી મળ્યા તારીખથી મુખ્યત્વે ત્રણ મહિનાની મુદતની અંદર નિર્ણય કરવો જોઈશે, પરંતુ કલેક્ટર, સદરહુ મુદ્તને લંબાવવા માટેના આવશ્યક કારણોની નોંધ કરીને સદરહુ મુદત લંબાવી શકશે. મુખ્ય અધિનિયમમાં કલમ-પ૫ ને બદલે, નીચેની કલમ મૂકેલી છે.

ક્લમઃ ‘પ-ક. રદબાતલ કર્યાના હુકમ હેઠળ લાભ મેળવે હોય તેવા તબદિલીથી લેનાર અને તબદિલી કરનારની જવાબદારીઃ (૧) (5) કલમ-૪ હેઠળ સ્થાવર મિલકતની તબદિલી રદબાતલ હોય, ત્યારે આવી તબદિલી માટે જેણે કોઈ અવેજ લીધો હોય તેવા તબદિલી કરનારે-
(૧) આવી તબદિલી, ગુજરાત અશાંત વિસ્તારોમાંની સ્થાવર મિલકતની તબદિલી પર પ્રતિબંધ મૂકવા તથા તે વિસ્તારોમાંની જગ્યામાંથી ભાડુતોને ખાલી કરાવવામાંથી રક્ષણ આપવા અંગેની જોગવાઈ કરવા બાબત(સુધારા) અધિનિયમ, ૨૦૧૯ ના આરંભની તારીખ પહેલાં કરી હોય, (૨) આવી તબદિલી, આવા આરંભની તારીખ પછી કરી હોય, ત્યારે આવી તબદિલીથી લેનારને તારીખથી છ મહિનાની અંદર, - તબદિલીથી લેનારને અવેજ પરત કરવો જોઈશે. (ખ) જેની પાસે એવી સ્થાવર મિલકતનો કબજો હોય તેવા તબદિલીથી લેનાર અથવા તબદિલીથી લેનાર વતી બીજી કોઈ વ્યક્તિએ (જેનો આ કલમમાં હવે પછી, ‘એજન્ટ તરીકે ઉલ્લેખ કર્યો છે તેણે) છ મહિનાની સદરહુ મુદતની અંદર, તબદિલી કરનારને મિલકતનો કબજો પરત આપવો જોઈશે.
(ગ)તબદિલીથી લેનારે મિલકતમાં કોઈ સુધારો કરવો જોઈશે નહીં અને ક્લેકટર, હુકમથી, તબદિલીથી લેનારને મિલકતમાં કોઈ સુધારા કરતાં રોકી શકશે.

(૨) (ક) તબદિલી કરનાર, છ મહિનાની સદરહુ મુદતની અંદર તબદિલીથી લેનારને અવેજ પરત કરવામાં ચૂક કરે, ત્યારે અથવા (ખ) તબદિલીથી લેનાર અથવા તેનો એજન્ટ, છ મહિનાની સદરહુ મુદતની અંદર તબદિલી કરનારને સ્થાવર મિલકતનો કબજો પરત કરવામાં ચૂક કરે, ત્યારે પેટા-કલમ(૧)ના ખંડ(ક)ના કિસ્સામાં તબદિલીથી લેનાર અને પેટા ક્લમ(૧)ના ખંડ(ખ)ના કિસ્સામાં, તબદિલી કરનાર, ઠરાવવામાં આવે તેવા નમૂનામાં અને તેટલી મુદતની અંદર, તબદિલી કરનારને અવેજ પરત કરવાનો તબદિલીથી લેનારને આદેશ કરવા અથવા યથાપ્રસંગ, તબદિલીથી લેનારને, સ્થાવર મિલકતનો કબજો તબદિલી કરનારને પરત કરવાનો આદેશ કરતો હુકમ કરવા માટે ક્લેક્ટરને અરજી કરી શકશે. 

(૩) કલેક્ટર, કોઈપણ સમયે પોતાની જાતે અથવા પેટા-કલમ(૨)
હેઠળ તેમને અરજી મળ્યેથી ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમમાં ઠરાવેલી રીતે ઔપચારિક તપાસ કર્યા પછી અને તબદિલી કરનાર અને તબદિલીથી લેનાર અથવા યથાપ્રસંગ, તેના એજન્ટને સુનાવણીની તક આપ્યા પછી અને રજૂ કરવામાં આવે તેવા પુરાવાને વિચારણામાં લીધા પછી, હુકમમાં નિર્દિષ્ટ કરવામાં આવે તેટલા સમયમાં, તબદિલી કરનારને તેવી અવેજની રકમ તબદિલીથી લેનારને પરત કરવાનો અથવા યથાપ્રસંગ, તબદિલી કરનારને તેવી અવેજની રકમ તબદિલીથી લેનારને પરત કરવાનો અથવા યથાપ્રસંગ, તબદિલીથી લેનાર અથવા તેના એજન્ટને, હુકમમાં નિર્દિષ્ટ કરવામાં આવે તેટલા સમયની અંદર સ્થાવર મિલકતનો કબજો પરત કરવા આદેશ કરતો હુકમ અથવા પોતે યોગ્ય ગણે તેવો બીજો હુકમ લેખિતમાં કરી શકશે.

(ક) તબદિલી કરનાર, પેટા ક્લમ(૩) હેઠળ કરવામાં આવેલા હુકમમાં નિર્દિષ્ટ સમયની અંદર તબદિલીથી લેનારને અવેજ પરત કરવામાં ચૂક કરે, તો ક્લેકટર, જમીન મહેસૂલની બાકી રકમ તરીકે તબદિલી કરનાર પાસેથી અવેજ વસૂલ કરી શકશે અને આવી વસૂલાત માટેના ખર્ચની કપાત કર્યા પછી, તબદિલીથી લેનારને તે (અવેજ) ચૂકવી શકશે. મુખ્ય અધિનિયમમાં, કલમ-૦૬ ને બદલે, નીચેની કલમ મૂકેલ છે. “ અપીલ :(૧) ક્લમ-૫ ની પેટા ક્લમ(ર) હેઠળ અરજી નામંજૂર કરતા કલેક્ટરના નિર્ણયથી નારાજ થયેલી કોઈ વ્યકિત, ઠરાવવામાં આવે તેવી રીતે, તેટલા સમયની અંદર અને તેટલી ફીની ચૂકવણી કર્યથી, રાજય સરકાર સમક્ષ અપીલ રજૂ કરી શકશે. પરંતુ અપીલ અધિકારીને ખાતરી થાય કે આવી વ્યકિતને પૂરતા કારણસર ઠરાવેલી સમયમર્યાદાની અંદર અપીલ કરતા અટકાવવામાં આવી છે તો, તેઓ તેવી ઠરાવેલી સમયમર્યાદા પછી પણ અપીલ સ્વીકારી શકશે.

(૨) રાજ્ય સરકાર, આવી વ્યકિતને સુનાવણીની તક આપ્યા પછી, જે હુકમ વિરુદ્ધ અપીલ કરવામાં આવી હોય તેવા હુકમને મંજૂર કરી શકશે, સુધારી શકશે અથવા નામંજૂર કરી શકશે.” મુખ્ય અધિનિયમમાં, કલમ-૦૬ પછી નીચેની કલમો દાખલ કરેલી છે.
“ક-ક. ક્લમો-૪ અને પ પુનર્વસવાટ યોજનાઓમાં સ્થાવર મિલકતની અમુક તબદિલીને લાગુ નહીં પાડવા બાબતઃ(૧) કલમો-૪ અને પ નો કોઈપણ મજકૂર, રાજપત્રમાં જાહેરનામાથી, રાજય સરકાર ઘ્વારા નિર્દિષ્ટ કરવામાં આવે તેવા અશાંત વિસ્તારમાં, રાજય સરકારની આવી પુનર્વસવાટ યોજનાઓમાં રહેતી વ્યકિતઓ દ્વારા સ્થાવરતામિલકતોની તબદિલીને લાગુ પડશે નહીં. (૨) ક્લમ-પ૫ નો કોઈપણ મજકૂર, રાજય સરકારે, અશાંત વિસ્તારમાં આવતી પુનર્વસવાટ યોજનાઓ પૈકીની કોઈપણ પુનર્વસવાટ યોજનમાં વ્યક્તિઓને પુનઃસ્થાપિત કરી હોય તો તેને લાગુ પડશે નહીં.

ક-ખ. સ્થાવર મિલકતનો પુનઃવિકાસઃ મહેસૂલી રેકર્ડમાં તેના નામે રહેલી સ્થાવર મિલકતનો પુનવેકાસ કરવા ઈચ્છતી હોય તેવી કોઈપણ વ્યક્તિએ, પુનવેકાસ પછીની તેની વધુ સંપુર્ણ અથવા અંશતઃ તબદિલી માટે, કલેક્ટરની પૂર્વમંજુરી મેળવવા માટે, ક્લમ-પ૫ ની પેટા-કલમ(૧) હેઠળ અરજી કરવી જોઈશે અને તેમ થયેથી, આવી અરજીને ક્લમ-પ૫ ની બાકી જોગવાઈઓ ઉચિત ફેરફાર સાથે લાગુ પડશે. પરંતુ વ્યકિત તેના અંગત ઉપયોગ માટે, તેની સ્થાવર મિલકતમાં પુનઃવિકાસ કરવાનો ઈરાદો ધરાવતી હોય તે કિસ્સામાં, કલેક્ટરની પૂર્વમંજુરીની જરૂર રહેશે નહીં.
ખ-ગ. ફેરવિચારણાઃ રાજય સરકાર, પોતાની જાતે અથવા અરજી મળ્યેથી, આ અધિનિયમની જોગવાઈઓ હેઠળ કરેલ કોઈ હુકમ અથવા કાર્યવાહી, જેની સામે તેની કાયદેસરતા અથવા યોગ્યતાની બાબતમાં અથવા આવી કાર્યરીતિની નિયમિતતાની બાબતમાં, કલમ-૭ હેઠળકોઈપણ અપીલ થયેલ ન હોય તેવા કરેલ કોઈપણ હુકમની અથવા લીધેલી કાર્યવાહીનું રેકર્ડ મંગાવી શક્શે અને તેની તપાસ કરી શકશે અને તેના સંબંધમાં પોતે યોગ્ય ગણે તેવો હુકમ કરી શકશેઃ પરંતુ આ બાબતમાં અસરગ્રસ્ત વ્યકિતને સુનાવણીની વાજબી તક આપ્યા વગર આવો કોઈપણ હુકમ કરવો જોઈશે નહીં.

નોંધ:- (જમીન-મિલકત માટેના લેખોના સંદર્ભે વાચકોના કોઈ સૂચન કે પ્રશ્નો હોય તો ‘નવગુજરાત સમય’ ના નવા સરનામે (૧૦૧, પહેલો માળ, ઓમ શાયોના આર્કેડ, સિલ્વર ઓક કોલેજ પાસે, ગોતા, અમદાવાદ-૩૮૨૪૮૧) લેખિત રૂપે મોકલવા અથવા લેખકને ઈ-મેઈલ કરવા)


 

7.04.2023

ચેક રિટર્નના કેસની ટ્રાયલમાં પૂરતી ઉલટ તપાસ થવી કેમ જરૂરી છે?

 તમારી જમીન,  તમારી મિલકત > નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ)




 ચેક રિટર્ન થવાની ઘટનાઓ હવે તો સામાન્ય થઇ ગઇ છે. ચેક રિટર્નના કેસમાં કસુરવાર ઠરનારને સજા પણ થતી હોય છે, પરંતુ આવા મોટા ભાગના કિસ્સાઓમાં અનેક ટેકનીક બાબતો આવતી હોય છે. એટલે જો ચેક રિટર્ન કેસમાં તેનાં કારણો અને વૈધાનિક જોગવાઇઓ અનુસાર પૂરતી તપાસ કરાય તો સાચી હકીકત બહાર આવતી હોય છે. એટલે આવા કેસોમાં ઉટતપાસ બરાબર થવી જરૂરી હોય છે. તેને માટે યોગ્ય માર્ગદર્શન મળે તે માટેની ઉપયોગી માહિતી અહીં રજૂ કરાઇ છે.  
ધી નેગોશિયેબલ ઈન્સ્ટ્મેન્ટસ એક્ટ-૧૮૮૧ની જોગવાઈઓમાં ચેક રિટર્નના કેસોની ટ્રાયલમાં ઉલટતપાસ અંગે માર્ગદર્શન અને ઉપયોગી પ્રશ્નાવલિ આ મુજબ છે: 

ઉલટ-તપાસ શરૂ કરવા માટે સૌ પ્રથમ આરોપી તથા ફરિયાદી વચ્ચેના સંબંધો અંગેનો ખુલાસો કરતા પ્રશ્નો પૂછવા જરૂરી છે. મોટાભાગના કિસ્સાઓમાં આવા સંબંધો મુખ્યત્વે નીચે જણાવેલ બે પ્રકારના હોય છે.
(૧) ધંધાકીય સંબંધો, (ર) સગપણ, મિત્રતા તથા ઓળખાણના સંબંધો.

(૧) ધંધાકીય સંબંધો :
# તમારું નામ અને ધંધો શું છે ?
# કોના મારફતે ઓળખાણ થયેલ ?
# કેટલાં વર્ષોથી આપના વચ્ચે ધંધાકીય સંબંધો છે ?
# આ વહેવાર અગાઉ કોઈ નાણાંકીય વ્યવહાર હતો ? જો હોય તો તે વ્યવહાર / વ્યવહારો અંગેનો ખુલાસો કરતા પ્રશ્નો પૂછવા.
# કહેવાતો વ્યવહાર / વ્યવહારો કોની હાજરીમાં થયેલ માલ અંગેના બિલો આપેલાં કે કેમ તથા ડિલિવરી ચલણ અંગેનો ખુલાસો.
# સદર બિલોની એન્ટ્રીઓ જીએસટી-સેલ્સ-ટેક્સ /વેટ વગેરે દફ્તરોમાં દર્શાવેલ છે કે કેમ ? માલની જાત, બનાવટ તથા સરકારી પરવાના વગેરે સંબંધિત પ્રશ્નો.
# કહેવાતા વ્યવહારનો માલ મોકલતાં અગાઉ ઓર્ડર કેવી રીતે મળેલ કે કોના દ્વારા મળેલ તે અંગેનો ખુલાસો.
# માલની ગુણવત્તા તથા પ્રમાણ (ક્વોલિટી અને ક્વોન્ટીટી) અને પેમેન્ટ ચુકવણી અંગેની શરતો(ટર્મ્સ અને કન્ડીશન્સ) વગેરે સંબંધિત ખુલાસો.
# કહેવાતા વ્યવહારનો માલ/સર્વિસીસ કઈ રીતે ક્યા ટ્રાન્સપોર્ટેશન કે કુરિયર અથવા ક્યા આંગડિયા મારફતે મોકલવામાં આવે છે તે અંગેનો ખુલાસો.
# જરૂરી કિસ્સામાં જીએસટી, ઈન્કમટેક્સ, કસ્ટમ્સ અને આબકારી જકાત વગેરેની વિગતો અંગેનો ખુલાસો.
# આ કામના આરોપીએ યોગ્ય ગુણવત્તા વાળો માલ ન હોવાનાં કારણે માલ પરત લઈ જવા જણાવેલું અને ચેક પરત કરવા જણાવેલું ?
# આ કામના આરોપીએ જેટલા જથ્થામાં માલ મંગાવેલો હતો તેટલા જથ્થામાં માલની કિંમત ગણી તમોએ ચેક લીધેલો ? જે એડવાન્સ સ્વરૂપમાં હતો ?
# તમારી પાસે જે જથ્થામાં માલ મંગાવેલો હતો તેવો જથ્થો તમોએ પૂરો પાડેલો ન હતો ? અને બદ-ઈરાદાપુર્વક માલ આપ્યા પહેલાં ચેક ભરેલો છે ?

(૨) સગપણ, મિત્રતા તથા ઓળખાણના સંબંધો :
# બન્ને પક્ષકારો વચ્ચે મિત્રતા, સગપણ કે ઓળખાણ વિગેરેમાંથી કેવા પ્રકારના સંબંધો વચ્ચે હતા ?
# જો મિત્રતા/ઓળખાણના સંબંધો હોય તો કેટલા સમયથી સંબંધોનું અસ્તિત્વ છે?
# કોની હાજરીમાં પૈસાનો વ્યવહાર થયેલ ?
# કહેવાતા વહેવાર અગાઉ કોઈ નાણાંકીય વ્યવહાર હતો ?
# કહેવાતા વહેવાર અંગે જે કોઈ લખાણ કે પહોંચ ખરી ?
# શું તમે એ વાત જાણો છો કે ઈન્કમટેક્સ એક્ટની કલમ-૨૦ પ્રમાણે જો વ્યવહારની

કાયદેસર રકમ ૨૦ હજાર કરતાં વધારે હોય તો ચેક દ્વારા જ વ્યવહાર કરવો જોઈએ ?
# કહેવાતા વહેવારના પૈસા તમારા પોતાના હતા કે અન્ય કોઈ વ્યક્તિ પાસેથી લઈને આપેલા?
# કહેવાતા વ્યવહાર અંગે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં જણાવેલું કે કેમ ? જો હા તો ક્યારે જણાવેલું ?
# તે અંગેના કોઈ દસ્તાવેજી પુરાવાઓ રજ કરી શકો ખરા ?
# તમારા ઘરે આવવા-જવાના સંબંધો હતા કે કેમ ? જો હા તો સારા નરસા પ્રસંગોએ આવવા જવાના સંબંધો હતા ?
# આટલાં વર્ષોમાં તમારા ઘરે કેટલા સારા-નરસા પ્રસંગો થયેલ હતો ?
# સદર પ્રસંગોમાં આરોપીની હાજરી હતી કે કેમ ? જો હા તો કયા પ્રસંગે હાજર રહેલા ?
# એની હાજરી અંગેના વિડિયો/ફોટોગ્રાફસ કે અન્ય કોઈ પુરાવાઓ રજૂ કરી શકો ખરા ?
# જે હેતુ માટે નાણાં લીધેલાનું જણાવેલું હોય તે હેતુ અંગે ખુલાસો કરતાં જરૂરી સવાલો પૂછવા. 
# તમારા આ કામના આરોપી સાથે કેટલા વર્ષથી નાણાંકીય સંબંધો છે ? છેલ્લો વ્યવહાર ક્યારે થયેલો ?
# તમો આરોપી પાસેથી દરેક વખતે લેવડદેવડના વ્યવહારના લખાણો કરતા હતા કે કેમ ? તેની કોઈ અંગત નોંધ રાખતા હતા કે કેમ ?
# કહેવાતા વ્યવહાર અગાઉ થયેલા વ્યવહારોની કોઈ નોંધો રજૂ કરી શકો ખરા ? અગાઉ
# કરેલા વ્યવહારની નોંધો તમો ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટમાં જણાવી છે કે કેમ ?

(૩) નોટિસ તથા તેની બજવણી સંબંધિત પ્રશ્નો :
# નોટિસ ક્યારે આપેલી ?
# તમોએ નોટિસ વાંચેલી ? તેવી નોટિસમાં તમારી સહી છે ?
# નોટિસમાં કરવામાં આવેલ વર્ણન અને ફરિયાદમાં કરવામાં આવેલા વર્ણન, બંન્ને વચ્ચે કોઈ તફાવત (એટલે કે વિરોધાભાસ) હોય તે પૃછી શકાય.
# નોટિસ બજવણી થયાની એકનોલેજમેન્ટ સ્લીપમાં તમોને ક્યારે કયાં મળેલી?
# ૨જિ.એ.ડી. અથવા સ્પીડ પોસ્ટ એ.ડી.ની એકનોલેજમેન્ટ સ્લીપમાં કોની સહી છે ?
# આ સ્લીપની સહી આરોપી સિવાયના વ્યક્તિની હોય તો તે ઓળખો કે કેમ ? વગેરે પ્રશ્નો પૂછી શકાય.
# નોટિસમાંનું આરોપીનું સરનામું અને ફરિયાદમાંનું સરનામું એક જ છે કે કેમ ? તે જોવું. જો એક જ ન હોય તો બચાવ લેવા પ્રયત્ન કરવો, કે યોગ્ય સરનામે નોટિસની બજવણી થયેલી નથી અને સીધી જ ફરિયાદ કરાઇ છે.
# નોટિસનો જવાબ આપવામાં આવેલ છે કે કેમ ?
# જવાબ ક્યારે આપવામાં આવેલો ? કોના દ્વારા આપવામાં આવેલો ? આ જવાબ તમે મેળવેલો કે કેમ ?
# જો જવાબ રજૂ ન કરે તો રજૂ કરવા માંગ કરવી અને જો તેમ ન કરે તો આપણે રજૂ કરી તેમાંની સહી અને લખાણ વગેરે(જરૂર જણાય તો ) રીફર કરી આંકે પડાવશો. નોટિસના જવાબ મોકલ્યા અંગેની એકનોલેજમેન્ટ અસલ સ્લીપ રજૂ કરવી અને આંકે પડાવવી.
# જો નોટિસનો જવાબ રિફ્યુઝ્ડ કરેલો હોય તો કવર બંધ હાલતમાં જ પરત આવેલ જે તે પરિસ્થિતિમાં રજૂ કરી આંકે પડાવવું.
# નોટિસનો જવાબ મળ્યો ? તો તમોએ તેવા જવાબનો પણ જવાબ આપેલ છે કે કેમ ?
# જો જવાબનો ખુલાસો કરવા જવાબ આપેલ ન હોય તો તે વિગતની બચાવ માટે ખાતરી કરવી.
ચેક સંબંધિત પ્રશ્નોઃ
# ચેકમાં લખાણ કોના હસ્તાક્ષરમાં ક્યા સ્થળે કરવામાં આવેલું છે ? ક્યારે કરેલું છે ? તે હસ્તાક્ષર આરોપીનાં ન હોય ત્યારે ચેક તફડાવી કે અન્ય રીતે મેળવી લીધેલાનું જણાતું હોય અથવા તો આવો ચેક બેન્કમાં જે તારીખે ભરવામાં આવ્યો તે તારીખ પહેલાં ચેકની ગુમ થયા અંગે જાણવાજોગ ફરિયાદ નોંધાયેલી હોય વગેરે.
હિસાબી લેણી રકમ કરતાં ચેક વધારે રકમનો હોય તો તે અંગે ખુલાસો:
# ચેકની તારીખ કોઈપણ કાયદેસરના લેણાં નાણાં અસ્તિત્વમાં આવ્યા પહેલાની હોય તો તેવો ચેક પોસ્ટ ડેટેડ લખાયેલો ગણી શકાય. એટલે કે લેણું ઊભું થતાં પહેલાંનો અથવા સિક્યુરીટી પેટે અપાયેલો ચેક ગણી શકાય તેવું અનુમાન થઈ શકે.
# ચેક એક કરતાં વધારે વખત ભરાયેલો હોય તો તેના સંદર્ભે કેવી રીતે કયારે, કયા કારણથી, કેટલીવાર ભરવો પડેલ ?
# ચેકને હાથમાં લઈ જોઈ ચકાસી ખાતરી કરવી કે હકીકતમાં ચેક બેન્કમાં ભરાયેલ છે કે કેમ ? અને જે તે બેન્કનું ચેકના આગળના ભાગે, પાછળના ભાગે ક્લીયરીંગ આપ્યાનું એન્ડોર્સમેન્ટ છે કે કેમ?
# ચેક સેલ્ફનો હોય તો પણ તેવો ચેક કઈ શાખામાં રજૂ થયો અને પાછળ આરોપીની સહી છે કે કેમ ?
# ચેક વણસ્વીકારાયે પરત આવ્યાના કારણદર્શક મેમોને ચકાસી જોવું અને કારણ સંદર્ભે તે અંગેના પ્રશ્નો પૂછવા.
# ચેક બેન્કમાં ભરાયા અંગેની કાઉન્ટર સ્લીપ અંગે પ્રશ્નો પૂછી શકાય.
# કાઉન્ટર સ્લીપ ઉપરથી ચેક તે વ્યક્તિને ઉદ્દેશીને એકાઊન્ટ પેઈ ઓન્લીનો લખાયો છે તેમજ તેનાજ ખાતામાં ભરાયો છે કે કેમ? તેની ચકાસણી થઈ શકે.
# જે તે બેન્કનો ચેક હોય તે બેન્કના અધિકારીને સાહેદ સમન્સ તરીકે બોલાવી શકો?
(પ) કાયદેસરના લેણાં સંદર્ભે પ્રશ્નો અથવા તો અન્ય કોઈ જવાબદારી પેટે અદા કરવા અપાયેલો?
ચેક સંદર્ભે પ્રશ્નો :
# કાયદેસરનું લેણું કયારે ઉપસ્થિત થયું ?
# કયા વ્યવહાર પેટે ?
# કોની જવાબદારી સ્વીકારી આરોપીએ ચેક આપેલ ?
# જવાબદારી લેખિતમાં લીધી કે કેમ ?
# જવાબદારી ઊભી થવાના સંજોગો સંબંધે પ્રશ્નો પૂછવા ?
# જામીનગીરી પેટે આપેલ ચેક હતા કે કેમ ? તેના અપાયેલ ચેકનો ઉપયોગ થયેલ છે કે કેમ ?
# જામીનગીરી પેટે અપાયેલ ચેકો ભરતાં પહેલાં મૂળ કરજદાર પાસેથી નાણાં વસૂલાતની કાર્યવાહી કરેલી કે કેમ ? કેટલી રકમ વસૂલ આવેલી ? કેટલી બાકી રહેલી ?
# જામીનદારને આવી રકમ ભરપાઈ કરવા માટે નોટિસ આપેલી કે કેમ ?
# જામીનદારને નોટિસ આપ્યા બાદ પણ જો તેઓ ભરપાઈ નર્હી કરે તો જામીનગીરી પેટે લેવામાં આવેલ ચેક જવાબદારી સંદર્ભે ભરી રકમ વસૂલાત અર્થે ભરવામાં આવશે તેવા મતલબની નોટિસ આપેલી કે કેમ?
# કાયદેસરનું લેણું ન હોવાનું અથવા તો આરોપીએ જવાબદારી પેટે ચેક આપેલ ન હોય તેવું પુરવાર કરવા જરૂરી જણાય તેવા અન્ય સવાલો પૂછવા.

7.03.2023

સિટી સર્વેને લગતી, જમીન મહેસૂલ અધિનિયમના હક્કપત્રકની જોગવાઈઓ

 

સિટી સર્વેને લગતી, જમીન મહેસૂલ અધિનિયમના હક્કપત્રકની જોગવાઈઓ


- લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)

- બિનખેતીવિષયક પ્લોટ ધારકોને એક યુનિફોર્મ મિલ્કત કાર્ડ આપવું જરૂરી ગતાંકથી ચાલુ.

આપણે ગત લેખમાં જમીનોના રીસર્વે અને તેમાંથી ઉદભવેલા પ્રશ્નો અંગે જાહેરજનતા માહિતગાર થાય તે બાબતોને વર્ણવેલ, જમીન એક 'કુદરતી શંશાધન' છે. Natural Resource અને તેને ધ્યાનમાં લેતાં મનુષ્ય, પ્રાણી, પક્ષી તમામનો આધાર જમીન સાથે સંકળાયેલ છે. મહદઅંશે જમીનની પરિભાષા ફક્ત ખેતીવિષયક બાબત નથી. બદલાતા જતા સમયને અનુરૂપ માનવજાતિના વિકાસ સાથે ઔદ્યોગિકરણ, શહેરીકરણને કારણે જમીનના ઉપયોગમાં બદલાવ આવ્યો અને તેમાં કેન્દ્ર સ્થાને જમીન છે. ભારતના પરિપ્રેક્ષ્યમાં વહિવટના સૌથી નીચેના વહિવટી એકમને ગામ તરીકે ઓળખવામાં આવે છે અને મહેસુલી ગામના રકબા (Area) સાથે વ્યક્તિઓનો સમુહ રહેતો હોય તેને વસવાટ તરીકે 'ગામતળ' તરીકે ઓળખવામાં આવે છે અને જુના ગામતળના રકબાને મહેસુલ માફી એટલે કે મહેસુલમાંથી મુક્તિ હતી. જેમ જણાવ્યું તેમ શહેરીકરણની પ્રક્રિયા થવાથી ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરો તરફના સ્થળાંતરને કારણે જે મોટા વસવાટો થયા, તેને 'શહેર' City તેમજ Town નગર તરીકે ઓળખવામાં આવે છે. રહેણાંક, વાણિજ્ય વિષયક, ઔદ્યોગિક તેમજ તમામ સંસ્થાકીય હેતુ માટે વપરાતી જમીનો ખેતીવિષયક હેતુમાંથી બિનખેતીવિષયક હેતુ માટે ફેરવવામાં આવે છે અને તે ફક્ત માસ્ટર ડેવલપમેન્ટના ઝોન પ્રમાણે Landuse તરીકે નિયમન થાય છે. જેમાં સબંધિત વિસ્તારની મહાનગર પાલીકા / સી.જી.ડી.સી.આર. (Common General Development Control Regulation) નાઆધારે બાંધકામ કરવાનું હોય છે. 

ઉક્ત પુર્વભુમિકાના પરિપ્રેક્ષ્યમાં હવે સીટી સર્વેની જમીન મહેસુલ અધિનિયમની જોગવાઈઓ તેમજ તેને આનુસંગિક હક્કપત્રકના નિયમોની જોગવાઈઓ જોવામાં આવે તો ગુજરાતના બ્રિટીશ હકુમતના વિસ્તારમાં સૌપ્રથમ ભરૂચમાં સીટી સર્વે દાખલ કરવામાં આવેલ, ત્યારબાદ સુરત, અમદાવાદમાં ૧૮૯૦માં પ્રથમવાર સીટી સર્વે દાખલ કરવામાં આવેલ, જમીન મહેસુલ અધિનિયમની કલમ-૧૨૬ મુજબ કલેક્ટરશ્રી સબંધિત વિસ્તારમાં સીટી સર્વે દાખલ કરવાનો હુકમ કરવામાં આવે છે અને તે અનુસાર સબંધિત વિસ્તારમાં સમાવિષ્ઠ વિસ્તારનું સર્વે કર્યા બાદ, કાનુની કાર્યવાહી હાથ ધરવા હક્ક ચોકસી અધિકારી એટલે ઈન્કવાયરી ઓફિસરની નિમણુક કરવામાં આવે છે. (Enquiry officer to ascertain rights.) અને મિલ્કતોનું સર્વે કરવામાં આવ્યું હોય તેને મિલ્કતોની Sheet પ્રમાણે ચાલતા નંબર આપવામાં આવે છે. અને હક્ક ચોકસી અધિકારી સબંધિત મિલ્કતના કબજેદારોને નોટીસ આપી જરૂરી આધાર પુરાવા રજુ કરવા અને સાંભળવાની તક આપવામાં આવે છે અને તે અનુસાર હક્ક ચોકસી અધિકારી Enquiry Register હક્ક ચોકસી રજીસ્ટરમાં પોતાનો નિર્ણય આપે છે. આ પ્રક્રિયા અર્ધન્યાયિક પ્રકારની (Quasi-Judicial) છે. હક્ક ચોકસીની કામગીરી પુરી થયા બાદ સમગ્ર સીટી સર્વેનું રેકર્ડ એસ.એલ.આર. સુપ્રિટેન્ડન્ટ લેન્ડ રેકોર્ડને આપવામાં આવે છે અગાઉ આ રેકર્ડ સબંધિત વિસ્તારના પ્રાન્ત અધિકારી જાહેર નોટીસ અપાયા બાદ મિલ્કતોની ખાત્રી કરીને રેકર્ડ પ્રમાણિત (promulgate) જાહેર કરવામાં આવે છે આ પ્રમાણિત જાહેર કરવાની પ્રક્રિયા હવે સબંધિત જીલ્લાના / વિસ્તારના સુપ્રિટેન્ડન્ટ ઓફ લેન્ડ રેકર્ડ કરે છે. પાયાના સિધ્ધાંત તરીકે જે સર્વે નંબરો ખેતી વિષયક હોય તે સિવાયના બિનખેતીવિષયક સર્વે નંબરોની મિલ્કતો સીટી સર્વેમાં પ્રમાણિત જાહેર કરવામાં આવે છે અને ખેતીવિષયક સર્વે નંબરોને લગતા વ્યવહારો મહેસુલી તંત્ર / તલાટી / ઈ-ધરા કેન્દ્ર દ્વારા ફેરફારો થાય છે. સીટી સર્વે પ્રમાણિત જાહેર થયેલ સીટી સર્વેના મિલક્ત રજીસ્ટર ઉપરના ફેરફાર સીટી સર્વે દ્વારા કરવાના છે. ખેતવિષયક સર્વે નંબરનું રેકર્ડ મામલતદાર દ્વારા નિભાવવાનું છે અને તે મુજબ જે ફેરફાર થાય તેની નોંધ મહેસુલી રેકર્ડમાં કરવાની થાય છે.

જે રેકર્ડ સીટી સર્વેમાં પ્રમાણિત જાહેર કરવામાં આવે તે આધારે સબંધિત પ્લોટ / મિલ્કત ધારકોના 'મિલ્કત કાર્ડ' નિભાવવામાં આવે છે અને જેમ ઈ-ધરામાં હક્કપત્રકની નોંધ પાડવામાં આવે તે અનુસાર સીટી સર્વેેના મિલ્કત રજીસ્ટર / કાર્ડમાં પણ ફેરફાર કરવામાં આવે છે જેમાં વેચાણ / તબદીલી / બોજો જેવી તમામ બાબતોનો સમાવેશ થાય છે. ઉક્ત બાબતો સિવાય બદલાતા જતા સમયમાં બહુમાળી મકાન / ફ્લેટ વિગેરેના બાંધકામ થાય તો સેટલમેન્ટ કમિશ્નર દ્વારા ફ્લેટ માલીકી અધિનિયમ ખનચા “Flat Owner Act” પ્રમાણે સીટી સર્વે રેકર્ડમાં નોંધ કરવાની થાય છે. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાંથી મારી સમક્ષ જે રજુઆતો આવે છે તેમાં અગાઉ કો-ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી રજીસ્ટર્ડ કરાવી, મકાનો રહેણાંકના બાંધકામ થયા છે તેમાં સોસાયટીના સભ્યો બનાવીને પ્લોટ ફાળવેલ હોય છે તેમજ ૧૯૮૭ પહેલાં સોસાયટી હાઉસીંગના હેતુમાટે પણ ખેતીની જમીન કલેક્ટરની પરવાનગી સિવાય ખરીદતા તેવી જમીનો બિનખેતી વિષયક ફેરવવામાં આવેલ હોય અથવા રહી ગયેલ હોય તો જમીન મહેસુલ અધિનિયમની કલમ-૬૬/૬૭ હેઠળ નિયમબધ્ધ કરીને પણ સોસાયટીના સભ્યોના પ્લોટ ધારકોને અલગ મિલ્કત કાર્ડ / અથવા તમામ પ્લોટ ધારકોના ક્ષેત્રફળ મુજબ નામ ધારણ કરી શકાય. આ ઉપરાંત જે વિસ્તારોમાં ટી.પી. સ્કીમ દાખલ થઈ હોય અને આખરી થઈ હોય તે કિસ્સામાં ટી.પી. આધારીત રેકર્ડ લખાવવુ જોઈએ એટલે મહેસુલી / સીટી સર્વેને તમામ રેકર્ડ Supersede થાય છે. એટલે તે અનુસાર હવે સીટી સર્વેના રેકર્ડ લખીને / પ્રમાણિત કરવાનુ થાય. એકવાર ટી.પી. ફાઈનલ થાય એટલે તેને આખરી કાયદાકીય સ્વરૂપ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત રાજ્ય સરકારના મહેસુલ વિભાગ દ્વારા હવે તમામ ગામતળમાં આવેલ, મિલ્કતોને મિલ્કત રજીસ્ટર આધારે મિલ્કત કાર્ડ આપવાના થાય છે પરંતુ આ કાર્યવાહી થતી નથી તેજ રીતે જે જમીનોનું બિનખેતી થાય છે તેમાં પણ બિનખેતીના પ્લોટ ધારકોના અલગ મિલ્કત કાર્ડ આપવાના થાય છે આ કાર્યવાહી પણ ડી.આઈ.એલ.આર (District inspector of Land Records) દ્વારા કરવાની છે. આમ સમગ્ર રીતે જોવામાં આવે તો શહેરી કે બિનખેતીની મિલ્કતોના આધારભુત મિલ્કત કાર્ડ આપવામાં Multiple Agency છે તેના બદલે એક જ કાયદાકીય દસ્તાવેજ આપવામાં આવે તો તમામ મિલ્કત ધારકોને આધારભુત દસ્તાવેજ પ્રાપ્ત થશે.

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...