10.10.2022

મોટાભાઈના નામે ચાલતી વારસાગત જમીનમાં કાયદેસરના વારસદારોના નામ દાખલ કરવાની જોગવાઈઓ

 

વડીલોપાર્જીત ખેતવિષયક નવી / જૂની શરતની

લોકાભિમુખમાર્ગદર્શન - એચ.એસ.પટેલ IAS (નિ.)

 પરિપત્ર માટે અહિ કિલક કરો

- પ્રવર્તમાન સમયમાં ખાતેદારના મૃત્યુ પહેલાં કાયદેસરના વારસદારોના હયાતીમાં નામ દાખલ કરવા જરૂરી

ભારતીય વારસા અધિનિયમમાં જમીન / મિલકતના ધારકનું મૃત્યુ થાય ત્યારે કાયદેસરના વારસોમાં મળવાપાત્ર હક્ક મુજબ જમીનનું વિભાજન (Devolution) કરવાની જોગવાઈઓ છે. આ પ્રક્રિયામાં સામાન્ય રીતે હિન્દુ અવિભક્ત કુટુંબના વડા તરીકે પ્રણાલીકાગત જયેષ્ઠ પુત્રનું (મોટાભાઈ) કર્તા તરીકે નામ ચાલતું હોય છે. જેમ રાજાશાહીની પ્રણાલીમાં સૌથી જયેષ્ઠ પુત્ર હોય તે રાજાના મૃત્યુ બાદ ગાદી ધારણ કરે છે તેમ જમીન / મિલકતોમાં મોટાભાઈનું નામ દાખલ કરાવવાની પ્રથા હતી, પ્રવર્તમાન સમયમાં હવે ઘણા ફેરફારો થયા છે, જેમકે હવે હયાતીમાં તમામ કાયદેસરના વારસદારોના નામ દાખલ કરવામાં આવે છે અને હવે પિતાની મિલકતમાં ૧૯૫૬ના કાયદા મુજબ દીકરીઓને પણ સમાન હક્ક મળ્યો હોય, કાયદેસરના વારસદાર તરીકે બહેન / દીકરીઓના નામ દાખલ કરવામાં આવે છે. મારી સમક્ષ એવી રજૂઆત આવી કે, નવી શરત કે ગણોતધારા હેઠળ મોટાભાઈના નામે જમીન ગ્રાન્ટ કરી હોય તેમના મૃત્યુ બાદ તમામ કાયદેસરના વારસોના નામ દાખલ થાય કે કેમ ? તો આ બાબતે નવી અને અવિભાજ્ય સત્તા પ્રકારે ગ્રાન્ટ થતી જમીનોમાં, સરકારે સાંથણીમાં આપેલ જમીનો, ગણોતધારા હેઠળ મળેલ જમીનો, ભુદાનમાં આપવામાં આવેલ જમીનો વિગેરે હવે એવું બને કે, આવી જમીનો કુટુંમ્બના વડા તરીકે મોટાભાઈને આવા સત્તા પ્રકારની જમીનો ગ્રાન્ટ કરવામાં આવી હોય, પરંતુ ખરેખર આવી જમીનોમાં તેઓના ભાઈઓનો પણ સંયુક્ત ખાતેદાર તરીકે હિસ્સો હોય એટલે સામાન્ય રીતે મોટાભાઈનું મૃત્યુ થાય ત્યારે વારસાઈ તરીકે તેઓના સીધી લીટીના વારસદારનું નામ દાખલ કરવામાં આવે, પરંતુ ભાઈઓ અથવા અન્ય વારસદારોનું હિત હોય તેમના નામ દાખલ કરવામાં આવતા ન હતા એટલે સરકારના મહેસૂલ વિભાગના તા.૧૫-૩-૧૯૯૬ના પરિપત્રક્રમાંક ઃ હકપ-૧૦૯૫-૨૭૦૪-જ - અન્વયે નિર્ણય લેવામાં આવેલ છે કે નવી શરત હેઠળ પ્રાપ્ત થયેલ જમીનોમાં રાજ્યમાં કેટલીક જગ્યાઓએ લાગણીના સબંધોમાં અથવા અમુક રિવાજોના કારણે જમીન સંયુક્ત કબજાવાળી / હક્કવાળી હોવા છતાં મહેસૂલી રેકર્ડના ૭/૧૨માં અથવા હક્કપત્રકમાં માત્ર મોટાભાઈના નામે ચાલતી હોય છે અને જ્યારે તેઓનું મૃત્યુ થાય ત્યારે ફક્ત તેમના સીધી લીટીના વારસદારોના નામે થાય છે.

ખરેખર તો ઉપર્યુક્ત હકિક્ત જણાવી તેમ આવી જમીનોમાં બીજા ભાઈ / બહેનોનો પણ સંયુક્ત હક્ક હોય છે કે જે કાયદેસરના વારસદાર તરીકે તેમના નામ પણ દાખલ કરવાપાત્ર થાય છે. જેથી સરકારના મહેસૂલ વિભાગના તા.૧૫-૩-૧૯૯૬ના પરિપત્રથી મૃત્યુ પામનાર મોટાભાઈના વારસદારો ઉપરાંત સબંધિત જમીનમાં સંયુક્ત હક્કદાર તરીકે અન્ય ભાઈ / બહેનનાં નામ પણ વારસદાર તરીકે દાખલ થઈ શકે છે અને વારસાઈએ તબદીલી નથી, જેથી નવી શરતની જમીન હોવા છતાં આ કિસ્સાઓમાં કલેક્ટરની પૂર્વ પરવાનગી પણ મેળવવાની નથી. આજ રીતે ખેતવિષયક જૂની શરતની જમીનોમાં પણ વડીલોપાર્જીત મિલકતમાં ફક્ત મોટાભાઈના નામે ચાલતી જમીનમાં અન્ય ભાઈ / બહેનોના કાયદેસરના વારસદાર તેમજ સંયુક્ત હક્કદાર તરીકે હોય તો તેમના નામ પણ દાખલ થઈ શકે છે. ફક્ત પેઢીનામાના આધારે કાયદેસરના વારસદાર છે. તેવું પેઢીનામું રજૂ કરવું પડે અને હવે આ અંગેનું સોગંદનામું રજૂ કરવાનું છે. આ બાબત અગત્યની એટલા માટે છે કે અને રાજ્ય સરકારે પણ વધુ સ્પષ્ટતા કરવાની જરૂર છે કે પ્રવર્તમાન નિયમો પ્રમાણે ખાતેદાર દ્વારા પણ જમીન અન્ય જગ્યાએ ખરીદવામાં આવે ત્યારે 'ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર' રજૂ કરવાનું હોય છે અને તેમાં અગાઉની વડીલોપાર્જીત જમીનમાં ક્રમશઃ ખાતેદારનું નામ છે કે કેમ તેની ખાત્રી કરવાની હોય છે એટલે ઘણી જગ્યાએ એવું બને કે જેમ ઉપર જણાવ્યું તેમ ફક્ત વડીલોપાર્જીત જમીન ફક્ત મોટાભાઈના નામે ચાલતી હોય અને તેઓના જ સીધી લીટીના વારસદારના નામ દાખલ થયા હોય અને સબંધિત જમીનમાં ભાઈના વારસદાર અથવા સંયુક્ત કુટુંમ્બના વારસદાર તરીકે તેમનો પણ હક્ક હોય તો તેવા કિસ્સામાં ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર વડીલોપાર્જીત જમીનના પેઢીનામાના આધારે આપવું જોઈએ, કારણ કે આવી બાબતોના કારણે ઘણા ય્ીહેૈહી સાચા ખેડૂતના વારસદારોના પણ ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર મેળવવામાં મુશ્કેલી અનુભવાય છે.

રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા તાજેતરમાં અગાઉના મહેસૂલ વિભાગના તા.૧૪-૩-૨૦૧૬ના ખેતીની જમીનોમાં વડીલોપાર્જીત, સ્વપાર્જીત મિલકતમાંથી હક્ક ઉઠાવવો, વહેંચણી કરવી, પુનઃવહેંચણી કરવી તેમજ હયાતીમાં નામ દાખલ કરવાની કાર્યપધ્ધતિ નક્કી કરવામાં આવી છે અને આ પ્રક્રિયામાં રજીસ્ટર્ડ દસ્તાવેજ કરવાની જરૂર નથી તેવી સ્પષ્ટતા કરવામાં આવેલ છે તેમજ આ પ્રક્રિયામાં રૂ.૩૦૦/-ના સ્ટેમ્પ પેપર ઉપરના લેખથી ફેરફાર થાય છે. આમાં વહેંચણીના કિસ્સામાં રાજ્ય સરકારે વહેંચણ થતી જમીનની પહેલાં માપણી કરાવવી તેવી જોગવાઈ કરેલ તે રદ કરી છે. ખરેખર તો આ જોગવાઈ દાખલ કરેલ તેમાં તા.૧૪-૩-૨૦૧૬ના પરિપત્રનું હાર્દ જળવાતું ન હતું એટલા માટે કે ભાઈઓ ભાગની વહેંચણી એ કૌટુંમ્બિક વ્યવસ્થા છે તે ઉપરાંત જે હિસ્સા પડે તે મુજબ સર્વે નંબરના પેટા નંબર આપવા પડે અને હવે જમીનના રી સર્વે બાદ નવીન રેકર્ડ લખાયેલ છે. પરંતુ માપણીમાં ભૂલોના કારણે રાજ્યમાં ઘણી જગ્યાએ ફરીયાદો આવે છે અને તેના પણ મૂળ કારણમાં સબંધિત ખાતેદારને માપણી વખતે પ્રત્યક્ષ હાજર ન રાખવાના કારણે ક્ષતિઓનું પ્રમાણ વધુ છે.

 ઉપર્યુક્ત વારસાઈની જોગવાઈઓ જણાવી છે તે અગાઉ ખાતેદારનું મૃત્યુ થાય ત્યારે વારસદારોના નામ દાખલ કરવામાં આવતા તેમાં પણ ફક્ત મોટાભાઈના નામ ચાલુ રાખવાના કારણે અન્ય કાયદેસરના વારસદારોના નામ દાખલ કરવામાં મુશ્કેલી અનુભવાતી એટલે તમામ વડીલોપાર્જીત ખેતીની જમીન ધારકોને જણાવવામાં આવે છે કે, હયાતીમાં કાયદેસરના વારસદારોના નામ દાખલ કરાવવા અને મહેસૂલ વિભાગના તા.૧૪-૩-૨૦૧૬ના પરિપત્રમાં જણાવ્યા મુજબ હક્ક ઉઠાવી લેવાની જોગવાઈ કરવામાં આવી છે. ભાઈઓ વચ્ચે વહેંચણી કરવાની જોગવાઈ પણ છે, જેથી ફક્ત રૂ. ૩૦૦/- સ્ટેમ્પ ડયુટી ઉપરના લેખ ઉપર વડીલોપાર્જીત ખેતીની જમીનમાં ખાતેદારનું મૃત્યુ પામે તે પહેલાં હયાતીમાં નામ દાખલ તેમજ કૌટુંમ્બિક વહેંચણી કરવામાં આવે તો 'ખેડૂત તરીકેનો દરજ્જો' ચાલુ રહે અને તે મુજબ ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર પણ મળી રહે અને પાછળથી કોઈપણ વાદ વિવાદ થાય નહીં

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...