વિષય :- ગુજરાત રજીસ્ટ્રેશન (સુધારા) નિયમો – ૨૦૨૩ના અમલ બાબતે.
વંચાણે લીધુ :-
(1) મહેસૂલ વિભાગના પત્ર No. GHM-2023-4-M-RGN-122022-951-H.1.તા.૦૬/૦૧/૨૦૨૨.
(2) અત્રેના પરિપત્ર ક્રમાંકઃ ઈજર/વહટ/૨૦૨/૨૦૧૬/૨૧૨૫૪-૬૫૧/૨૦૨૦ તા.૨૩/૦૭/૨૦૨૦.(
૩) અત્રેના પરિપત્ર ક્રમાંક: ઈજર/વહટ/૨૫૨/૨૦૨૨/૨૭૭૮૩ તા.૦૩/૦૬/૨૦૨૨.
(4) અત્રેના પરિપત્ર ક્રમાંક: ઈજર/વહટ/૨૫૫/૨૦૨૨/૨૬૬૪૭-૫૭ તા. ૨૮/૦૬/૨૦૨૨.
પરિપત્ર :FOR PDF GR CLIK HERE
૧. અત્રેના પરિપત્ર ક્રમાંક: ઈજર/વહટ/૨૦૨/૨૦૧૬/૨૧૨૫૪-૬૫૧ તા.૨૩/૦૭/૨૦૨૦ ના મુદ્દા નં. ૫ ના ફકરા નંબર એકના પેટા મુદ્દા નં. (iv) "પાવર ઓફ એટર્ની આધારે સહી કરવામાં આવેલ દસ્તાવેજમાં પાવર ઓફ એટર્ની આપનાર વ્યક્તિ(Principal) હયાત હોવાની સાબિતી રજૂ કરેલ ન હોય તો, દસ્તાવેજ નોંધણી અર્થે સ્વીકારી શકાશે નહીં તેવી જોગવાઈ કરવામાં આવે છે." અને બીજા ફકરાના પેટા મુદ્દા નં. (iv) પાવર ઓફ એટર્ની હોલ્ડર દ્રારા સહી/મત્તું કરી રજૂ કરવામાં આવેલ દસ્તાવેજમાં પાવર ઓફ એટર્ની આપનાર વ્યક્તિ(Principal) હયાત હોવાનું જાહેર કરતું આ સાથે સામેલ નમુના મુજબનું પાવર ઓફ એટર્ની હોલ્ડરનું ડેકલેરેશન(સોગંદનામું) આ મુજબની સૂચના આપવામાં આવેલ હતી.
૨. મહેસૂલ વિભાગના તા.૦૬/૦૧/૨૦૨૩ના જાહેરનામાં ગુજરાત રજીસ્ટ્રેશન નિયમો-૧૯૭૦ ના નિયમ-૪૫(૧)(I )અન્વયે નિયમમાં સુધારો થતા.
""પ્રિન્સિપાલ જીવિત છે તેવું જણાવતા પાવર ઓફ એટર્ની ધારક દ્વારા ઘોષણા શબ્દો *તે/તેણી જીવિત છે તેવું જણાવતા આચાર્ય દ્વારા ઘોષણા"ને બદલવામાં આવશે."
"ગુજરાત રજીસ્ટ્રેશન નિયમો – ૧૯૭૦ ના નિયમ ૪૫(૧)(!) માં "મુખ્તયારનામું કરી આપનાર વતી મુખત્યારનામા ધારકે સોગંદનામું રજુ કરવાનું રહેશે” ના બદલે “મુખત્યારનામું કરી આપનારે પોતાની હયાતીનું સોગંદનામું રજુ કરવાનું રહેશે" આ શબ્દો દાખલ કરવામાં આવે છે.”
3. સંદર્ભ (૨)ના પરિપત્ર ના મુદ્દા નં. ૫. ના બીજા ફકરાના ક્રમ નં.(iv) માં નીચે મુજબનો સુધારો ગણવો.”પાવર ઓફ એટર્ની હોલ્ડર દ્રારા સહી/મત્તું કરી રજૂ કરવામાં આવેલ દસ્તાવેજમાં પાવર ઓફ એટર્ની આપનાર વ્યક્તિ(Principal) હયાત હોવાનું જાહેર કરતું આ સાથે સામેલ નમુના મુજબનું પાવર ઓફ એટર્ની કરી આપનારનું ડેકલેરેશન(સોગંદનામું) રજૂ કરવાનું રહેશે.”
પાવર ઓફ એટર્ની કરી આપનાર(Principal) દ્રારા હયાત હોવાનું જાહેર કરતું ડેકલેરેશન(સોગંદનામમું)નો નમુનો આ સાથે સામેલ છે.
૪. અત્રેના પરિપત્ર ક્રમાંક: ઈજર/વહટ/૨૫૫/૨૦૨૨/૨૬૬૪૭-૫૭ તા. ૨૮/૦૬/૨૦૨૨ અન્વયે નોંધણી અર્થે રજુ થયેલ લેખ કબુલાતના કારણ સિવાય મુલત્વી ન રાખવા જણાવેલ તેમાં વિદેશમાં એક્ઝિક્યુટ થયેલા પાવર ઓફ એટર્નીના આધારે કોઈ લેખ નોંધણી અર્થે રજૂ થાય ત્યારે પાવર ઓફ એટર્ની કરી આપનારનું(Principal) ડેકલેરેશન(સોગંદનામું) ન હોવાને કારણે નોંધણી માટે રજુ થયેલ લેખ સ્વીકાર્યા બાદ એક મહિના સુધી મુલત્વી રાખી શકશે.
આ પરિપત્રનો ચુસ્તપણે અમલ કરવા માટે સૂચના આપવામાં આવેલ છે
સુધારા પરિપત્ર:
અત્રેની કચેરીના પરિપત્ર ક્રમાંક: ઈજર/વહટ/૨૦૨/૨૦૧૬(ભાગ-૨)/૧૪૦૨/૨૦૨૩ તા. ૦૯/૦૧/૨૦૨૩ ના મુદ્દા નં. ૩ ના ફકરા નંબર બે માં “પાવર ઓફ એટર્ની કરી આપનાર(Principal) દ્રારા હયાત હોવાનું જાહેર કરતું ડેકલેરેશન(સોગંદનામું)નો આ સાથે સામેલ છે.” જેના બદલે આ સાથે સામેલ ડેકલેરેશન(સોગંદનામું)નો નમૂનો ધ્યાને લેવાનો રહેશે.
વધુમાં ઉપરોક્ત પરિપત્રના મુદ્દા નં.૪ માં "અત્રેના પરિપત્ર ક્રમાંક: ઈજર/વહટ/૨૫૫/૨૦૨૨/૨૬૬૪૭-૫૭ તા. ૨૮/૦૬/૨૦૨૨ અન્વયે નોંધણી અર્થે રજુ થયેલ લેખ કબુલાતના કારણ સિવાય મુલત્વી ન રાખવા જણાવેલ તેમાં વિદેશમાં એક્ઝિક્યુટ થયેલા પાવર ઓફ એટર્નીના આધારે કોઈ લેખ નોંધણી અર્થે રજૂ થાય ત્યારે પાવર ઓફ એટર્ની કરી આપનારનું(Princ|pal) ડેકલેરેશન(સોગંદનામું) ન હોવાને કારણે નોંધણી માટે રજૂ થયેલ લેખ સ્વીકાર્યા બાદ એક મહિના સુધી મુલત્વી રાખી શકશે.”તેવું જણાવેલ.
જે પરત્વે જણાવવાનું કે, તા.૧૪/૦૨/૨૦૨૩ સુધી નોંધણી અર્થે રજૂ થયેલ દસ્તાવેજ આ હેતુ માટે મુલત્વી રાખી શકાશે. તા.૧૫/૦૨/૨૦૨૩ કે ત્યારપછી આ હેતુથી નોંધણી અર્થે લેખ મુલત્વી રાખી શકાશે નહિ/મુલત્વી રાખવાનો રહેશે નહિ,