8.24.2021
મિલકતોના દસ્તાવેજો ની નોંધણીમાં ગરબડ કરનાર કર્મચારી દંડાય છે
પિતાની સંપત્તિ અંગે સુપ્રીમ કોર્ટનો લેન્ડમાર્ક ચુકાદો,જો પુત્રી મૃત્યુ પામે છે, તો તેના બાળકોનો રહેશે હક. જાણો વિગતવાર.
પિતાની સંપત્તિ અંગે સુપ્રીમ કોર્ટનો લેન્ડમાર્ક ચુકાદો,જો પુત્રી મૃત્યુ પામે છે, તો તેના બાળકોનો રહેશે હક. જાણો વિગતવાર.
દેશની સર્વોચ્ચ અદાલતની ત્રણ જજોની પીઠે આજે સ્પષ્ટ કરી દીધું કે ભલે પિતાનું મોત હિંદુ ઉત્તરાધિકાર કાયદો હેઠળ૨૦૦૫ પહેલા થઇ ગયું હોય, તો પણ દીકરીઓને માતાપિતાની સંપત્તિ ઉપર અધિકાર રહેશે.સુપ્રીમ કોર્ટે પોતાના મહત્વના નિર્ણયમાં કહ્યું છે કે પુત્રીને પુત્રની જેમ પૂર્વજોની સંપત્તિમાં સમાન અધિકાર મળશે. આ અંગે ૨૦૦૫ માં હિન્દુ ઉત્તરાધિકાર કાયદો લાગુ કરવામાં આવ્યો હતો.પરંતુ હવે સુપ્રીમ કોર્ટે આ કેસમાં ચુકાદો આપ્યો છે કે અગાઉના કેસમાં પણ કાયદો લાગુ થશે. આ નિર્ણય ભારતીય સામાજિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખૂબ જ મહત્વનો છે. એનાથી મહિલાઓ વધુ મજબુત બનશે અને નિર્ણયના સારા પરિણામો આવશે.
જોવામાં આવે તો, પુત્રીને સસરાની સંપત્તિમાં કોઈ અધિકાર નથી. જ્યારે પતિ સાથે કોઈ વાતને લઈને મતભેદ હોય છે, ત્યારે સ્ત્રી તેના પતિની સ્થિતિ અનુસાર મહિલાને ભરણપોષણ મળે છે, પરંતુ સાસુ-સસરાની સંપત્તિમાં કોઈ અધિકાર નથી.આવી સ્થિતિમાં મહિલાઓને પિતૃ સંપત્તિમાં સમાન અધિકાર આપવામાં આવે છે. ક્યાંક ને ક્યાંક તો તેને પિતૃ સંપત્તિમાં અધિકારની જરૂર હતી.
‘પુત્રો અને પુત્રીઓ વચ્ચે કોઈ ફરક નથી’ પહેલાં શું હતો કાયદો :- હિન્દુ કાયદા હેઠળ, મહિલાઓની સંપત્તિના અધિકાર અંગેના કાયદામાં ઘણા ફેરફાર કરવાની જરૂર હતી અને સમય-સમયે કાયદામા બદલાવ થતા રહે છે. સંસદે ૧૯૫૬ માં હિન્દુ ઉત્તરાધિકાર કાયદોબનાવ્યો હતો અને મહિલાઓને સંપત્તિમાં અધિકાર આપવામાં આવ્યો.
આ કાયદા પહેલા હિન્દુ કાયદાની બે સ્કૂલો, મિતાક્ષરા અને વારસામાં મહિલાઓની સંપત્તિ વિશે સમજાવ્યું હતું. આ કાયદામાં નોંધપાત્ર વિરોધાભાસને દૂર કરવા બધી કોશિશો કરવામાં આવી. આ હેઠળ મહિલાઓને મર્યાદિત અધિકારો કરતા વધારે અધિકારો આપવામાં આવ્યા હતા.
સ્ત્રીને જે મિલકત મળશે તેના ઉપર સંપૂર્ણ અધિકાર આપવામાં આવ્યો અને તે એના જીવનકાળમાં વેચી શકતી હતી. હિંદુ ઉત્તરાધિકાર કાયદામાં ૨૦૦૫ માંસંશોધન હેઠળ, મહિલાઓને પિતૃ સંપત્તિમાં સમાન પુત્રોની બરાબર જ અધિકાર આપવામાં આવ્યા અને તમામ ભેદભાવને નાબૂદ કરવામાં આવ્યો હતો.પુત્રીને પિતૃની સંપત્તિમાં જન્મથી જ ભાગીદાર બનાવવામાં આવી.
પુત્રીનું મૃત્યુ થાયતો તેના બાળકો હકદાર :-સુપ્રીમ કોર્ટે અ વાત પર ભાર મૂક્યો હતો કે પિતાની પૂર્વજોની સંપત્તિમાં પુત્રીને તેના ભાઈ કરતા થોડો પણ ઓછો અધિકાર નથી. તેમણે કહ્યું કે જો પુત્રીનું મૃત્યુ પણ૯ સપ્ટેમ્બર ૨૦૦૫ પહેલાં થાય. ૯ સપ્ટેમ્બર એટલા માટે,કારણ કે આ દિવસથી હિન્દુ ઉત્તરાધિકાર કાયદોઅધિનિયમ, ૨૦૦૫ અમલમાં આવ્યો હતો, તે પછી પણ પિતાની પૂર્વજોની સંપત્તિમાં તેમનો અધિકાર જળવાઈ રહે છે..આનો અર્થ એ છે કે જો પુત્રીના બાળકો ઇચ્છે છે કે તે તેમના માતાના પિતા એટલે કે એમના નાના ની પૈતૃક સંપત્તિમાં ભાગ લેશે, તો તેઓ તેનો દાવો પણ કરી શકે છે, તેઓને માતાના અધિકાર તરીકે નાનાની સંપત્તિમાં ભાગ મળી શકશે.
દીકરી ક્યારે જન્મી, કોઈ ફરક નથી પડતો :- હિન્દુ ઉત્તરાધિકાર કાયદો, ૨૦૦૫ જણાવે છે કે ૯ સપ્ટેમ્બર, ૨૦૦૫ ના પહેલા કે પછી પુત્રીનો જન્મ થાય છે કે પછી, તેમાંકોઈ ફરક પડતો નથી, પિતાની સંપત્તિમાં તેનો હિસ્સો ભાઈની બરાબર જ હશે.સંપત્તિ, પછી ભલે પિતાની કમાણીમાંથી મેળવેલ હોય.
હિન્દુ કાયદામાં, સંપત્તિને બે શ્રેણીમાં વહેંચવામાં આવે છે– પૂર્વજો અને સ્વ રોજગારી (પોતાની કમાણી). પિતૃની સંપત્તિમાં પુરુષોની હસ્તગત સંપત્તિ હોય છે, જેનો ક્યારેય ભાગ પડતો નથી. આવી સંપતિ પર બાળકો, પુત્ર કે પુત્રીનો જન્મ અધિકાર હોય છે.૨૦૦૫ પહેલાં, ફક્ત આ પ્રકારની સંપત્તિઓ માટે પુત્રોનો જ અધિકાર હતો, પરંતુ સંશોધન પછી, પિતા આવી મિલકતોને એની ઇચ્છા પ્રમાણે વહેંચી શકતા નથી. એટલે કે, તે પુત્રીના ભાગને નકારી ન શકે. કાયદો પુત્રીનો જન્મ થતાંની સાથે જ તેનો પિતૃ સંપત્તિ પરઅધિકાર થઇ જાય છે
IF YOU HAVE LIKED THE ARTICLES PLEASE SHARE IT
શું છે બેનામી પ્રોપર્ટી કાયદો? બેનામી પ્રોપર્ટી હેઠળના નિયમો અને સજાની જોગવાઈઓ અંગે જાણો.
શું છે બેનામી પ્રોપર્ટી કાયદો? બેનામી પ્રોપર્ટી હેઠળના નિયમો અને સજાની જોગવાઈઓ અંગે જાણો.
શું છે બેનામી પ્રોપર્ટી કાયદો? જાણો “બેનામી પ્રોપર્ટી” હેઠળના નિયમો અને રાખવું આ બાબતોનું ધ્યાન.
દેશમાં એવા ઘણા વ્યવહારો થાય છે કે જેમાં મિલ્કત ખરીદવાની રકમ કોઈ એક વ્યક્તિ આપતો હોય છે અને તે મિલકત અન્ય કોઈ વ્યક્તિઓના નામે ખરીદવામાં આવતી હોય છે, એટલા માટે બેનામી પ્રોપર્ટી નો કાયદો લાવવાની જરૂર પડી. આજે અમે તમને જણાવી દઈએ કેઆ થવા પાછળ નું કારણ નીચે મુજબ છે.કોઈ કાયદા ની જોગવાઇઓથી બચવા માટે,ક્યારેક કોઈ લેણદારને ચુકવણી ટાળવા માટે,ટેક્સ બચાવવા માટે હોઈ શકે અથવા ઘણી વાર કાયદાની અજ્ઞાનતા માટે પણ હોય શકે. કારણ જે પણ હોય, પરંતુ જો આ કાયદા હેઠળ કોઈ પણ બેનામી વ્યવહાર કરવામાં આવે તો તેના પરિણામો ખૂબ જ ભયંકર આવી શકે છે. અમે તમને આ કાયદા ની સમજ જણાવવા જઈ રહ્યા છીએ જે પ્રશ્નના જવાબ રૂપે રજૂ કરવામાં આવેલ છે.શું છે બેનામી પ્રોપર્ટી? :- બેનામી પ્રોપર્ટી એટ્લે એવા પ્રકારની કોઈ મિલકત કે કોઈમિલકત ઊભી કરવા રકમ કોઈ એક વ્યક્તિ ચૂકવતી હોય અને તે મિલકત અન્ય વ્યક્તિના નામે કરવામાં આવતી હોય. આ મિલકતનો ફાયદો, હાલમાં કે ભવિષ્યમાં એજ વ્યક્તિ કે તેના વારસદારને મળવાનો હોય, જે વ્યક્તિએ આ મિલકતની રકમ ચૂકવી હોય છે.
આ કાયદા હેઠળનીમિલકત એટ્લે શું? :- આ કાયદા હેઠળ મિલકત એટલે સ્થાવર, જંગમ, કે કોઈ ખાસ હકની મિલકત વગેરે તમામનો સમાવેશ થઈ જાય છે. જેમ કે, ખેતીની જમીન, કોઈ ખાલી પ્લોટ, ઘર, ફ્લેટ, મોટર કાર, સ્કૂટર, બેન્ક એકાઉન્ટ, ટ્રેડમાર્ક, વગેરે તમામ પ્રકારની મિલકતનો એમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
આ કાયદો ક્યારથી કરવામાં આવેલા વ્યવહારો પર લાગુ પડશે? :- આ કાયદા હેઠળ ૧૯મે ૧૯૮૮થી કરવામાં આવેલા તમામ વ્યવહારો પર લાગુ પડશે. ૦૧-૧૧-૨૦૧૬થી આ કાયદો સુધારવામાં આવ્યો છે. પરંતુ તે જૂના વ્યવહારો પર પણ લાગુ કરવામાં આવશે.
“બેનામીદાર” એટ્લે શું? :- “બેનામીદાર” એટલે કોઈ પણ વ્યક્તિ કે અનામી વ્યક્તિ હોય જેમના નામે કોઈ બેનામી મિલકત ખરીદવામાં કે લેવામાં આવે છે. આ બેનામીદારમાં વ્યક્તિ, પેઢી, કંપની, ટ્રસ્ટ વી. તમામનો સમાવેશ કરવામાં આવે છે.
કોઈ પણ વ્યવહાર બેનામી વ્યવહાર જાહેર થાય તો તેનાપર આ પગલાં લેવામાં આવી શકે :-જો કોઈ વ્યક્તિ કેટલાક કાયદાકીય જવાબદારી થી છટકવા કે લેણદારોને ચુકવણી કરવાથી બચવા માટે આ પ્રકાર ના બેનામી વ્યવહાર કરે અથવા કોઈ તેને આવા વ્યવહારો કરવામાં થોડી પણ મદદ કરે તે વ્યક્તિને ઓછામાં ઓછી એક વર્ષથી લઈને ૭વર્ષ સુધી જેલની સજા અને મિલકતની બજાર કિમત ના ૨૫% સુધીનો દંડ થઇ શકે છે.
બેનામી પ્રોપર્ટી કાયદા હેઠળની કાર્યવાહીના નિયમો :- આ કાયદા હેઠળ કોઈ જમીનની સ્તર ની કામગીરી ઇન્કમ ટેક્સના કાર્યકરો દ્વારા કરવામાં આવશે.“બેનામી પ્રોપર્ટી” હેઠળના આ નિયમો મુજબ તેની ખાસ તકેદારી રાખવી જરૂરી છે.
જો કોઈ મિલકતઆ નિયમો વિરુદ્ધ ખરીદવામાં આવે તો તે મિલકત જપ્ત થઈ શકે છે અને જો એવું સાબિત થઇ જાય કે આ “બેનામી વ્યવહાર કે મિલકત” કોઈ કાયદાકીય જવાબદારી થી બચવા માટે, લેણદારની રકમ ચૂકવણીથી બચવા માટે કરવામાં આવેલ હોય તો તે વ્યક્તિને જેલની સજા પણ થઈ શકે છે.
જ્યારે કોઈ વ્યક્તિએ કોઈ મિલકત એમના ભાઈ કે બહેન, તેના પેઢીના કોઈ વારસદાર અથવા સીધી લીટીના પૂર્વજ ના નામ પર લીધેલી હોય અને તે મિલકતમાં તે વ્યક્તિનું નામ પણ સંયુક્ત હોય અને આ ચુકવણી તે વ્યક્તિના જાહેર કરવામાં આવેલા સ્ત્રોત માંથી કરવામાં આવી હોય તો આ વ્યવહાર બેનામી વ્યવહાર નહીં ગણાય.
ગણોતધારો કલમ ૪૩ હેઠળ કાયમી ગણોતીયાના હક્કોમેળવવા માટેનો મહત્વનો પરિપત્ર અંગે જાણો
ગણોતધારો કલમ ૪૩ હેઠળ કાયમી ગણોતીયાના હક્કોમેળવવા માટેનો મહત્વનો પરિપત્ર અંગે જાણો
વીલથી મળેલી મિલકત વડીલોપાર્જિત મિલકત ગણાય કે સ્વતંત્ર મિલકત? જાણો કોને મળે છે એનો લાભ
વીલથી મળેલી મિલકત વડીલોપાર્જિત મિલકત ગણાય કે સ્વતંત્ર મિલકત? જાણો કોને મળે છે એનો લાભ
પિતાએ તેમના પિતા પાસેથી વારસદાર તરીકે મેળવેલી મિલકતમાં તેમના દીકરાઓને પણ જન્મથી જ એટલો અધિકાર મળે છે અને સંયુક્ત મિલકત અંગે કોઈ એક સહહિસ્સેદાર વ્યક્તિને (કોપાર્સનર) સમગ્ર મિલકતની વ્યવસ્થા કરવાનો અધિકાર મળતો નથી.
જ્યારે પિતાએ એમની હયાતી હોય ત્યારે મિલકતની વહેંચણી કરી ન હોય તો પછી તેઓના મૃત્યુ પછી તેઓના વારસદારો વચ્ચે એમની મિલકતની વ્યવસ્થા હિંદુ વારસાદાર અધિનિયમની કલમ-૮ મુજબ થઈ શકે છે. ઉપરોક્ત સિદ્ધાંત નામદાર ગુજરાત હાઈકોર્ટે કાંતિભાઈ ઈશ્વરભાઈ પટેલના વારસો વિરુદ્ધ ચંદ્રકાંત ઈશ્વરભાઈ પટેલના કેસમાંપ્રસ્થાપિત કરેલ છે. આ કેસની ટૂંકમાં હકીકત નીચે મુજબ છે.
હિંદુ લો મુજબ કહેવામાં આવે તો વડીલોની મિલકત તેઓના પુત્ર કે તેમના પુત્રો અને તેમના પણ પુત્રો એમ ત્રણ પેઢી સુધી આ કોપાર્સનરી મિલકત ગણાય શકે છે અને જ્યાં સુધી તેઓ તમામ વારસદારો વચ્ચેનો હક અને તે બાબતોના હિસ્સાઓની વહેંચણી ન કરી હોય તો ત્યાં સુધી તેવા હિસ્સાઓ કે મિલકત વારસદારો વચ્ચે સંયુક્ત જ રહે છે એટલે કે વારસદારો વચ્ચે હિસ્સા કે મિલકત વહેંચવામાં આવી ન હોય ત્યાં સુધી સંયુક્ત જ રહે છે.સામાન્ય રીતે કોઈ પણ પુરુષને તેના પિતા, દાદા કે વડદાદા પાસેથી વારસામાં અમુક સંપતિ પ્રાપ્ત થાય છે તે સંપત્તિને ‘પૈતૃક સંપત્તિ’ કહેવામાં આવે છે. બાળક જન્મતાંની સાથે જ પૈતૃક સંપત્તિનું વારસદાર બની જતું હોય છે.વીલ દ્વારા મહત્વના લાભ વારસદારને રહે છે કે એમને જે મિલકત, રોકડ, દાગીના કે સ્થાવર કે જંગમ સ્વરૂપે જે-તે વીલ દ્વારા મળશે, તેનો સંપૂર્ણ દસ્તાવેજ પર આધાર રહેશે એટલે કે વારસો સદર મિલકતના માલિક કેવી રીતે બન્યા છે, તે વીલ દ્વારા પુરવાર કરી શકાય છે. આજે અમે તમને વિલ એટલે કે વસિયતનામું શું છે એના વિશે જણાવવા જઈ રહ્યા છીએ, તો ચાલો જાણી લઈએ એના વિશે વિસ્તારમાં..
શું છે વીલ-વસિયતનામું :- વીલ-વસિયતનામું એટલે જે કોઈ વ્યક્તિના મૃત્યુ પછી તેની બધી મિલકત કોને મળે અને તેની બધી વ્યવસ્થા અને વહેંચણી કેવી રીતે કરવામાં આવે તે માટેનો કોઈ લેખ અથવા દસ્તાવેજ કોઈ વ્યક્તિ બનાવી લે તો તેને વીલ-વસિયતનામું કહેવાય.જો કોઈ વ્યક્તિ પોતાની હયાતી દરમિયાન વીલ-વસિયતનામું તૈયાર કર્યું ન હોય તો તેની મિલકત માટે વારસદાર નો ધારો લાગુ પડે છે. વીલ-વસિયતનામાનો અમલ વીલ કરનાર વ્યક્તિ ના મૃત્યુ થઇ ગયા પછી જ થઈ શકે છે. વિલનો અમલ વ્યક્તિના મરણ બાદ થાય છે. વિલ કર્યા બાદ પોતાની હયાતીમાં સંજોગો વશાત સુધારા વધારા કરી શકાય છે.વીલ-વસિયતનામાના આધારે કોને એનો લાભ મળી શકે :- વીલ-વસિયતનામાંનો બધો લાભ સીધી લીટીના વારસદારો એટલે કે પેઢીના વારસદાર સગીર કે પુખ્ત વયના વ્યક્તિ અથવા વારસદારો ન હોય તેવી વ્યક્તિ. આંધળા, બહેરા વ્યક્તિ, મૂંઢ, ગાંડા કે અપંગ વ્યક્તિ. માતાના ગર્ભમાં રહેલું ગર્ભસ્થ બાળક. વિદેશમાં રહેતી કોઈ વારસદાર વ્યક્તિ. કોઈ વિદેશી નાગરિક. ચેરિટેબલ શૈક્ષણિક સામજિક કે ધાર્મિક કોઈ સંસ્થા. વિદેશીમાં કોઈ ચેરીટેબલ ટ્રસ્ટ. દુશ્મન હોય તેવી વ્યક્તિ. પશુ-પ્રાણી કે પક્ષી વગેરે કોઈ પણ વીલના આધારે એનો લાભ વારસદારનો લાભ લઈ શકે છે.
વીલના આધારે કોને એનો લાભ ન મળી શકે :- જે વ્યક્તિઓએ વીલમાં સાક્ષી તરીકે હસ્તાક્ષર કર્યા હોય. વસિયતકર્તાનું અપમૃત્યુ એટલે કે કોઈએ ખૂન કર્યું હોય તો તેવા સંજોગોમાં ખૂન કરનાર વ્યક્તિ કે ખૂન કરવામાં મદદ કરનાર વ્યક્તિ, વસિયતકર્તા મૃત્યુ પામે તે પહેલા ઉત્તરદાનગ્રહિતા નું મૃત્યુ થઇ જાય તો તે ઉત્તરદાન એટલે કે એને વારસદારનો લાભ ન મળી શકે. એક્ઝિક્યુટર વહીવટકર્તા ઉત્તરદાન કે વસિયતનામા મેળવવા અયોગ્ય ઠરતા નથી.
IF YOU HAVE LIKED THE ARTICLES PLEASE SHARE IT
8.10.2021
જમીન મિલ્કતો અંગે ની દીવાની તકરારો માં હાઇકોર્ટો દ્વારા આપવામાં આવેલ અગત્ય ના ચુકાદા ઓ !!!!
8.08.2021
મિલકતના કેસમાં અપીલ, રીવીઝન અને રીવ્યુનો અર્થ શું હોઈ શકે?
મિલકતના કેસમાં અપીલ, રીવીઝન અને રીવ્યુનો અર્થ શું હોઈ શકે?
દીકરીઓના મિલ્કતમાં વારસાઈ હક્ક જતા કરવા સંદર્ભમાં માર્ગદર્શન સાથે સ્પષ્ટતા
દીકરીઓના મિલ્કતમાં વારસાઈ હક્ક જતા કરવા સંદર્ભમાં માર્ગદર્શન સાથે સ્પષ્ટતા
બિનવસીયત મૃત્યુ પામનાર વ્યક્તિની મિલકતના વારસદારો કેવી રીતે નક્કી થાય છે?
બિનવસીયત મૃત્યુ પામનાર વ્યક્તિની મિલકતના વારસદારો કેવી રીતે નક્કી થાય છે?
લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળની અરજીઓ હવે ઓનલાઇન કરવી પડશે
લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળની અરજીઓ હવે ઓનલાઇન કરવી પડશે
ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.
ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here Share Facebook Twitt...
-
જમીન સરકાર હસ્તક ગઈ હોય તો કેવી રીતે પરત મેળવવી ? for pdf click here જો તમને આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો લાઈક કરી શેર જરૂર કરજ...
-
પડોશીએ ગેરેકાયદેસર રીતે દબાણ કરી બાંધકામ કર્યું હોય તો શુ કરવું ?? if you have liked the article please share it and follow me.
-
ગુજરાત જમીન મહેસુલ નિયમો 1972(ગુજરાતી અનુવાદ) for pdf clik here
-
ખેતીની જમીનમાં / વારસાઈ, ખાતેદારના મૃત્યુ પહેલાં, વહેંચણી, હયાતીમાં હક્ક દાખલ / કમી વિગેરેની જોગવાઈઓખેતીની જમીનમાં / વારસાઈ, ખાતેદારના મૃત્યુ પહેલાં, વહેંચણી, હયાતીમાં હક્ક દાખલ / કમી વિગેરેની જોગવાઈઓ લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલIA...
-
વિલ નહિ બનાવ્યું હોય તો તમારા સંતાન ને તમારી મિલકતમાંથી કાઈ નહિ મળે....50 થી 60 વર્ષની કોઈ પણ મિલકત ધરાવતી વ્યક્તિએ વિલ એકવાર તો અચૂક બનાવ...