12.20.2023

કોઈપણ ભાગીદારીનું સર્જન તેનું વિસર્જન થવા માટે જ થતું હોય છે?

ભાગીદારીના વિસર્જન પછી પેઢીનાં દેવાં અને મિલકત માટે ભાગીદારના કોઇ હક્ક અને જવાબદારીઓ કેટલી રહે? 

તમારી જમીન,  તમારી મિલકત 

નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ)

ભારતમાં બ્રિટીશ રૂલના સમયમાં ખાસ કરીને વ્યક્તિઓ ભેગા મળીને વેપાર ધંધો કરવા માટે ભાગીદારીનું સર્જન કરતા આવ્યા હતા અને જે પદ્ધતિએ હાલના સમયમાં પણ ધંધો ભાગીદારી પેઢીના નેજા હેઠળ ચલાવવામાં આવે છે, પરંતુ એમ કહેવાય છે કે કોઈપણ ભાગીદારીનું સર્જન તે વિસર્જન થવા માટે જ સર્જાય છે. આ લેખમાં ભાગીદારી પેઢીના વિસર્જન બાબતે ભારતના ભાગીદારી અધિનિયમ-૧૯૩૨ ની જોગવાઈઓ વિષે જાણીશું.
પેઢીનું વિસર્જન ઃ કોઈ પેઢીના તમામ ભાગીદારો વચ્ચે ભાગીદારીનું વિસર્જન ”પેઢીનું વિસર્જન” કહેવાય છે.

કબૂલાતથી વિસર્જન ઃ તમામ ભાગીદારોની સંમતિથી અથવા ભાગીદારો વચ્ચેના લેખિત કરાર અનુસાર પેઢીનું વિસર્જન કરી શકાશે.

ફરજિયાત વિસર્જન ઃ  (ક) તમામ ભાગીદારો અથવા એક સિવાય બીજા તમામ ભાગીદારોને નાદાર ઠરાવવામાં આવવાથી અથવા, (ખ) પેઢીનો ધંધો કરવાનું અથવા ભાગીદારો માટે ભાગીદારીમાં તે ધંધો કરવાનું ગેરકાયદે થાય એવો કોઈ બનાવ બનવાથી. પરંતુ પેઢી એકથી વધુ જુદા જુદા સાહસ અથવા ધંધા કરતી હોય, ત્યારે એક અથવા વધુ સાહસ અથવા ધંધા ગેરકાયદે થાય તેથી જ પેઢીના કાયદેસરના સાહસ અથવા ધંધા અંગે પેઢીનું વિસર્જન થશે નહીં.
અમુક ખાસ ઘટનાઓ બનવાથી વિસર્જન ઃ ભાગીદારો વચ્ચેના કરારને આધીન રહીને, નીચેના સંજોગોમાં પેઢીનું વિસર્જન થાય છેઃ (ક) કોઈ નિયત મુદત માટે રચવામાં આવી હોય તો તે મુદત પૂરી થવાથી, (ખ) એક અથવા વધુ સાહસો અથવા ધંધા કરવા માટે રચવામાં આવી હોય તો તે પૂરા થવાથી. (ગ) કોઈ ભાગીદારનું મૃત્યુ થવાથી, અને (ઘ) કોઈ ભાગીદારને નાદાર ઠરાવવામાં આવવાથી.

ઈચ્છાધીન ભાગીદારીનું નોટિસ આપવાથી વિસર્જન ઃ (૧) ભાગીદારી ઈચ્છાધીન હોય ત્યારે કોઈપણ ભાગીદારે બીજા તમામ ભાગીદારોને પેઢીનું વિર્સજન કરવાના પોતાના ઈરાદાની લેખિત નોટિસ આપવાથી, ેપેઢીનું વિસર્જન કરી શકાશે.
(૨) પેઢીના વિસર્જનની તારીખ તરીકે નોટિસમાં જણાવેલી તારીખથી અથવા એ રીતે તારીખ જણાવવામાં ન આવી હોય તો તે નોટિસ પહોંચાડવામાં આવે તે તારીખથી પેઢીનું વિસર્જન થાય છે.
કોર્ટ મારફત વિસર્જન ઃ કોઈ ભાગીદારના દાવા ઉપરથી કોર્ટ નીચેના કોઈપણ કારણે પેઢીનું વિર્સજન કરી શકશે, એટલે કે : (ક) કોઈ ભાગીદાર અસ્થિર મગજનો થઈ ગયો હોય, જેમ કોઈ બીજો ભાગીદાર દાવો લાવી શકે તેવી જ રીતે અસ્થિર મગજના થઈ ગયેલા ભાગીદારનો ઈષ્ટ મિત્ર પણ દાવો લાવી શકશે.
(ખ) દાવો માંડનાર ભાગીદાર સિવાયનો બીજો કોઈ ભાગીદાર, ભાગીદાર તરીકે પોતાની ફરજો બજાવવા માટે કોઈ પ્રકારે કાયમને માટે અશક્ત થઈ ગયો હોય.
(ગ) ધંધાનો પ્રકાર જોતાં દાવો માંડનાર ભાગીદાર સિવાયનો બીજો કોઈ ભાગીદાર ધંધાને પ્રતિકૂળ અસર થવાનો સંભવ હોય એવું વર્તન કરતો હોય.
(ઘ) દાવો માંડનાર ભાગીદાર સિવાયનો બીજો કોઈ પેઢીના વહીવટ અંગેની અથવા તેના ધંધાના સંચાલન અંગેની કબૂલાતોનો જાણીબૂઝીને અથવા વારંવાર ભંગ કરતો હોય અને અથવા ધંધાને લગતી બાબતમાં અન્યથા તે એવી રીતે વતર્તતો હોય કે જેથી તેની સાથે ભાગીદારીમાં ધંધો કરવાનું બીજા ભાગીદારો માટે વાજબી રીતે શકય ન હોયઃ
(ચ) દાવો માંડનાર ભાગીદાર સિવાયના બીજા કોઈ ભાગીદારે પઢીમાંનું પોતાનું સમગ્ર હિત ત્રાહિત વ્યકિતને કોઈ પ્રકારે તબદીલ કરી આપ્યું હોય અથવા દિવાની કાર્યરીતિ અધિનિયમ, ૧૯૦૮ ની પહેલી અનુસૂચિના ઓર્ડર-૨૧ના નિયમ-૪૯ ની જોગવાઈઓ હેઠળ પોતાના હિસ્સા ઉપર બોજો થવા દીધો હોય અથવા તે ભાગીદાર પાસે લ્હેણી નીકળતી જમીન-મહેસૂલની વસૂલ કરવા માટે અથવા જમીન મહેસૂલની બાકી તરીકે કરી શકાય એવાં લેણાની વસૂલાતમાં પોતાનો હિસ્સો વેચાવા દીધો હોય.
(છ) પેઢીનો ધંધો નુકસાની ભોગવ્યા વગર કરી શકાય તેમ ન હોય, અથવા
(જ) પેઢીનું વિસર્જન કરવું વાજબી અને ન્યાયી ગણાય એવા બીજા કોઈ કારણે. વિસર્જન પછી ભાગીદારોએ કરેલાં કૃત્યો માટેની જવાબદારીઃ (૧) કોઈ પેઢીનું વિસર્જન કરવામાં આવ્યું હોય તે છતાં, કોઈપણ ભાગીદારે કરેલું કૃત્ય કે જે પેઢીનું વિસર્જન કર્યા પહેલાં કરવામાં આવ્યું હોત અને પેઢીનું કૃત્ય ગણાત તે માટે પેઢીના ભાગીદારો પેઢીના વિર્સજનની જાહેર નોટિસ આપવામાં આવે નહિ ત્યાં સુધી પોતાની એવી હેસિયતથી ત્રાહિત વ્યકિતઓને જવાબદાર હોવાનું ચાલુ રહેશે. પરંતુ જે ભાગીદાર મૃત્યુ પામે અથવા જેને નાદાર ઠરાવવામાં આવે તેની અથવા જેના ભાગીદાર હોવા વિષે પેઢી સાથે વ્યવહાર કરનાર વ્યકિત જાણતી ન હોય તે ભાગીદાર નિવૃત્ત થાય તે તેની એસ્ટેટ જ્યારથી, તે ભાગીદાર ન રહે તે તારીખ પછીના પેઢીના કૃત્યો માટે આ કલમ હેઠળ જવાબદાર નથી.
(૨) કોઈપણ ભાગીદાર ઉપર જણાવ્યા મુજબ નોટિસ આપી શકશે.
વિસર્જન પછી ધંધો આટોપી લેવડાવવાનો ભાગીદારનો હક ઃ પેઢીનું વિસર્જન થતાં, દરેક ભાગીદાર અથવા તેનો પ્રતિનિધિ બીજા તમામ ભાગીદારોને સંબંધ હોય ત્યાં સુધી પેઢીનાં દેવાં અને જવાબદારીઓ ચુકવવા માટે પેઢીની મિલકતનો ઉપયોગ કરાવવા અને તેમ કરતાં વધે તે મિલકતની ભાગીદારોના હક્કો અનુસાર તેઓની અથવા તેઓના પ્રતિનિધિઓ વચ્ચે વહેંચણી કરાવવા માટે હકકદાર છે.
આટોપી લેવા માટે ભાગીદારોના ચાલુ અધિકાર ઃ પેઢીના વિર્સજન પછી દરેક ભાગીદારનો પેઢીને બંધનકર્તા થાય એવું કૃત્ય કરવાનો અધિકાર અને ભાગીદારના પરસ્પર બીજા હકક અને ફરજો પેઢીનું વિસર્જન થયું હોવા છતાં, પેઢીનું કામકાજ આટોપી લેવા માટે અને પેઢીનું વિસર્જન થયું તે સમયે શરૂ કરેલા પણ અધરાં રહેલા વ્યવહારો પૂરા કરવા માટે જરૂરી હોય તેટલે અંશે ચાલુ રહેશે, પણ અન્યથા ચાલુ રહેશે નહીં. પરંતુ જે ભાગીદારને નાદાર ઠરાવવામાં આવ્યો હોય તેનાં કૃત્યો પેઢીને કોઈપણ સંજોગોમાં બંધનકર્તા નથી, પણ તે નાદાર ઠર્યા પછી કોઈ વ્યકિત પોતાને સદરહુ નાદારના ભાગીદાર તરીકે ઓળખાવે અથવા જાણીજોઈને એ રીતે ઓળખવા દે તે વ્યકિતની જવાબદારીને તેનાથી અસર પહોંચતી નથી.
ભાગીદારો વચ્ચેના હિસાબની પતાવટ કરવાની રીત ઃ પેઢીનું વિસર્જન થયા પછી તેના હિસાબની પતાવટ કરવામાં ભાગીદારો વચ્ચેની કબૂલાતને અધીન રહીને નીચેના નિયમોનું પાલન કરવું જોઈશે. મૂડીની ઘટ સહિતની ખોટ, પ્રથમ નફામાંથી, ત્યાર પછી મૃડીમાંથી અને છેવટે જરૂર હોય તો ભાગીદારોએ પોતે જે પ્રમાણમાં નફાનો હિસ્સો મેળવવા માટે હકદાર હોય તે પ્રમાણમાં વ્યકેતિગત રીતે ભરી આપવી જોઈશે.
મૂડીની ઘટ પૂરી કરવા માટે ભાગીદારોએ આપેલી રકમો સહિતની પેઢીની અસ્કયામતો નીચે જણાવેલી રીતે અને નીચે જણાવેલા ક્રમમાં વાપરવી જોઈશે. પેઢીનાં દેવા ત્રાહિત પક્ષકારોને ચુકવવા માટે,  મૂડીથી ભિન્ન હોય એવા ધિરાણ માટે, પેઢી પાસે દરેક ભાગીદારની લ્હેણી નીકળતી રકમ તેને ફાળે પડતી ચુકવવા માટે. દરેક ભાગીદારની મૂડી પેટે લેણી નીકળતી રકમ તેને ફાળે પડતી ચુકવવા માટે અને કંઈ બાકી રહે તો તે અસ્કયામતો ભાગીદારો જે પ્રમાણે નફામાં હિસ્સો મેળવવા માટે હકદાર હોય તે પ્રમાણમાં તેમની વચ્ચે વહેંચી લેવી જોઈશે.

નોંધ:- (જમીન-મિલકત માટેના લેખોના સંદર્ભે વાચકોના કોઈ સૂચન કે પ્રશ્નો હોય તો ‘નવગુજરાત સમય’ ના નવા સરનામે (૧૦૧, પહેલો માળ, ઓમ શાયોના આર્કેડ, સિલ્વર ઓક કોલેજ પાસે, ગોતા, અમદાવાદ-૩૮૨૪૮૧) લેખિત રૂપે મોકલવા અથવા લેખકને ઈ-મેઈલ કરવા) 

12.17.2023

નોટિસ : કોઇપણ બાબત કાયદેસર ધ્યાનમાં લાવવા માટેનો સચોટ માર્ગ

 

નોટિસ આપવા પાછળનો સામાન્ય ઈરાદો સામા પક્ષકારને હકીકત અને કાનુની પરિણામોની જાણ કરવાનો હોય છે

તમારી જમીન,  તમારી મિલકત

નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ)

જમીન-મિલકત તેમજ નાણાંકીય લેવડ- દેવડ અંગેની પક્ષકારો વચ્ચેની કોઈપણ પ્રકારના વાંધા, તકરાર અંગે કોઈપણ પગલાં લેવા અગર પતાવટ કરવા માટેનું પ્રથમ પગલું એટલે લેખિત નોટિસ.
નોટિસ એટલે સામા પક્ષકારને વિગતની જાણકારી અથવા જાહેરાત કે માહિતી આપતી ચેતવણી કહી શકાય. નોટિસ આપનાર પક્ષકાર ભવિષ્યમાં લઈ શકે તેવા સૂચિત પગલાંની માહિતી અથવા જાણ અગર સામા પક્ષકાર વિરુદ્ધ  કાનુની કાર્યવાહી કરતાં પહેલાં તેને ફેરવિચારણા કરવા માટેની તક આપવા માટેની નોટિસ આપવા પાછળનો ઉદ્દેશ છે. નોટિસ હંમેશા માટે યોગ્ય વ્યકિત પક્ષકાર કે અધિકારીને સંબોધીને લખવી જોઈએ તે ઉપરાંત નોટિસમાં વર્ણન ટુંકમાં સચોટ રીતે દર્શાવવું. નોટિસ આપવા પાછળનો સામાન્ય ઈરાદો સામા પક્ષકારને હકીકત અને કાનુની પરિણામોની જાણ કરવાનો છે. નોટિસના ત્રણ પ્રકાર છે.
(૧) કાનુની નોટિસ : જે નોટિસ મોકલવાની જરૂરીયાત કાનુની કાર્યવાહી માટે જરૂરી અગર ફરજિયાત હોય અથવા આવી નોટિસ આપવાનું કાયદા દ્વારા નિયત કરવામાં આવેલ હોય.
(૨) કરાર જન્ય નોટીસઃ જે નોટિસ આપવાની જરૂરીયાત પક્ષકારોની વચ્ચેની કરારની બાબતોના ભંગ માટેની જાણ કરવા માટે કે પક્ષકારો વચ્ચેની કરાર અંગેની જવાબદારી માટે આપવામાં આવે છે.
(૩) કુદરતી ન્યાયના સિધ્ધાંતો માટો નોટીસઃ જે નોટિસથી સંબંધિત પક્ષકારોને નોટિસ આપનાર પક્ષકારના પગલાંને પહોંચી વળવા માટેની અને તેનો નિકાલ કરવાની તક આપવા માટે આપવામાં આવે છે.
નોટિસની બજવણી ટપાલ દ્વારા, રૂબરૂ આપીને અથવા નોટિસ સ્વીકારવા માટે કોઈ પક્ષકાર ઈન્કાર કરે તેવા સંજોગોમાં ઘરનાં બારણાં ઉપર ચોંટાડી બજવણી કરી શકાય. હવે તો ઈલેક્ટ્રોનિક માધ્યમથી પણ નોટિસ આપી શકાય છે.
આ લેખમાં આપણે કેટલીક બાબતો અંગે આપવાની થતી નોટિસના સામાન્ય નમુનાઓ જોઈશું.
મકાન માલિક દ્વારા ભાડુઆતને નોટિસ:
નોટિસ રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા
મોક્લનાર શ્રી
સરનામું
પ્રતિશ્રી,
સરનામું ...............
બાબતઃ- ભાડે આપેલ મકાન ભાડું નહીં ચુકવવાના કારણસર ખાલી કરવા બાબત.
હું નીચે સહી કરનાર તમારો મકાનમાલિક અને તમોને ભાડે આપેલા મકાન અંગે તમોને આ
નોટિસ આપી જણાવું છું કેઃ-
સ્થળે આવેલ મકાન નંબર: .....
અમોએ આપને શહેર/ગામ માં તમોને માસિક રૂપિયા ........ અંકે રૂપિયા ... .. માં .. મુદત માટે રહેણાંકના ઉપયોગ પૂરતું ભાડે આપેલ તે તમારી મુદ્ત પુરી થયા પહેલાં ખાલી કરી અમોને શાંત કબજો સોંપવા સદરહું નોટિસથી જણાવીએ છીએ. અમો ભાડે આપનાર તથા તમો ભાડે લેનાર વચ્ચે થયેલ તારીખઃ …… ના રોજના કરારમાં જણાવ્યા મુજબ જો તમો ચડે ચડ્યું સતત બે માસનું ભાડું આપવામાં નિષ્ફળ જશો તો ભાડા કરાર રદ થશે. તે મુજબ આપે છેલ્લા કુલ ત્રણ માસનું ભાડું અમોને ચુકવી આપવા નિષ્ફળ ગયા હોઈ કરારની શરતોનો તમોએ ભંગ કરેલ હોઈ સદરહુ નોટિસ આપને આપવી પડેલ, જેને માટે આપ જ જવાબદાર છો. તમોએ ચઢત થયેલ ભાડાની બાકી રકમ વસુલ લેવા સદરહુ નોટિસથી જણાવીએ છીએ. કારણ કે અમોને આપને અમોનું ઉપરોક્ત વર્ણનવાળું મકાન ભોગવટા માટે સોંપેલ અને આપે સદરહુ મકાનમાં હાલમાં ભોગવટો કરો છો. ભોગવટા સમયથી આજદીન સુધી અમો દ્વારા કરવામાં આવેલ વિનંતીઓને ધ્યાને ન લઈ આપે અમોને ચઢત થયેલા ભાડાની રકમ ચુકવી આપેલ નથી.
તમોને સદરહુ નોટિસ મળ્યાથી અમો અને તમો વચ્ચેનો મકાન માલિક અને ભાડુઆત તરીકેનો સંબંધ પૂર્ણ થયેલ માનવામાં આવશે. સદરહું નોટિસ મળ્યેથી તમોએ ૧૫ દિવસમાં સદરહુ મકાનનો ખાલી અને પ્રત્યક્ષ કબજો અમોને સોંપી દેવો, જો તેમ કરવામાં તમો કસુરવાર ઠરશો તો અમોને અમારી માલીકીના મકાનનો કબજો મેળવવા માટે કાયદેસરની કાર્યવાહી તમો વિરુદ્ધ કરવાની જરૂર ઉપસ્થિત થશે તેવી તમામ કાર્યવાહીનો ખર્ચ તમારા શિરે રહેશે.
મકાન માલીકની સહી
નોટિસ રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા
મોક્લનાર શ્રી
સરનામું
પ્રતિશ્રી,
સરનામું ...............
બાબતઃ- લેણી રકમ પરત મેળવવા વસુલ લેવા.
શ્રીમાન,
આપને સામાજિક કાર્ય સારું રૂપિયાની જરૂરિયાત ઉપસ્થિત થતા તમોએ અમો પાસેથી રૂપિયા ૪૦,૦૦૦/- અંકે રૂપિયા ચાલીસ હજાર પૂરા રોકડા સેંકડે ૧૨% ના વ્યાજના દરે ૬ મહિનામાં ૫૨ત આપવાનું કબુલ કરીને મેળવેલ. તમોએ લખી આપેલ તારીખઃ ૧૫-૦૧-૨૦૨૩ ના રોજથી પ્રોમિસરી નોટના આધારે ઉછીની આપેલ તે રકમ આજદિન સુધી વ્યાજના રૂપિયા .... અંકે રૂપિયા .... પણ આપની પાસે લેણી નીકળે છે. આમ આપને પ્રોમિસરી નોટના આધારે ઉછીની આપેલ રકમ મુદ્દલ અને વ્યાજ સહિત રૂપિયા અંકે રૂપિયા પૂરાં લેણાં આજદિન સુધીના નીકળે છે તે રકમ સદરહુ નોટિસ મળ્યેથી દિન પંદરમાં અમોને ચુકવી આપી પહોંચ મેળવી લેવી, જો અમારી લેણી રકમ ચુકવી આપવામાં તમો નિષ્ફળ જશો તો અમોએ ન છુટકે આપની સામે કાયદેસરની
કાર્યવાહી કરવાની ફરજ પડશે, જેનો ખર્ચ આપના શીરે રહેશે જેની સ્પષ્ટપણે નોંધ લેશો.
નોટિસ મોકલનારની સહી અને ફરમાઈશથી તમો ડેવલપર્સ ઠે. ..
ડેવલપર ઓર્ગેનાઈજરને વકીલ દ્વારા નોટિસ
નોટિસ રજિસ્ટર એડી દ્વારા
અમો એડવોકેટ અમારા અસીલ શ્રી .. ... રહેવાસી: ... .. નાની સૂચના
.. સદર નોટિસ આપી જણાવીએ છીએ કે, અમારા અસીલે ગામ મણિપુર, તાલુકા ગાંધીનગરમાં આવેલ આપની સ્કીમ ”સારથી બંગ્લોઝ” માંના પ્લોટ / બંગલા નંબર: ૧૦ ની જમીન ખરીદવા માટે આપની સાથે તારીખઃ
૦૫-૦૧-૨૦૨૩ ના રોજ નોટરાઈઝડ કરાર કરેલ ત્યારથી અમારા અસીલ અને આપ એકમેકથી સારી રીતે પરિચિત છો.
અમારા અસીલે આપની સારથી બંગ્લોઝની સ્કીમમાં પ્લોટ/બંગલો નંબરઃ ૧૦ બુક કરાવેલ જેની બાંધકામ સાથેની કિંમત આશરે ૪૮,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા અડતાલીસ લાખ પુરા)ની નકકી કરવામાં આવી હતી. જે રકમ અમારા અસીલે આપને કરારમાં નકકી કરેલ શરતો મુજબ સમયસર પુરેપુરી ચુકવી આપેલ છે.
અમારા અસીલે ખરીદેલ સદરહુ પ્લોટ નંબર: ૧૦ નો આપે જયારે અમારા અસીલના નામે કરાર કરી આપેલ ત્યારે કરારમાં જણાવવામાં આવેલ શરતો મુજબનું વર્તન અને કાર્યવાહી તમોએ પુર્ણ કરેલ નથી જેથી અમારા અસીલને આઘાત લાગેલ છે. આપે સદર કરારમાં એન. એ. પરમીશન મેળવવા તથા ઓથોરિટી પાસેથી પ્લાન મંજૃર કરાવી આપવાનું તમોએ જણાવેલ છે. પરંતુ 
# મહિનાનો સમયગાળો થઈ ગયા પછી પણ તમોએ તેવી મંજૂરીઓ મેળવેલ નથી અને બહાના બનાવીને ફક્ત સમય પસાર કરો છે.
અમારા અસીલ સાથે તમો પ્લોટની જમીન અને બંગલાના બાંધકામ સાથે વેચાણ કરી આપવાનો કરાર કરો છો અને કોઈ જાતનું બાંધકામ પણ શરુ કરેલ નથી. આપે સદરહુ કરાર મુજબ પ્લોટની જમીનનો રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ પણ અમારા અસીલને કરી આપેલ નથી. અમારા અસીલ આપની પાસે સદરહુ બાબતે વારંવાર માગણી કરવા છતાં આપે માત્ર ઉડાઉ જવાબ આપી અમારા અસીલને ધાકધમકી આપી દબાવવાનો પ્રયત્ન કરેલ છે. તમોએ સરકાર સાથે તેમજ અમારા અસીલ સાથે છેતરપિંડી કરેલ છે.
તમો તથા તમારા મળતીયાઓ કોન્ટાક્ટર એન્જિનિયર, આર્કિટેકટ તથા અન્ય સાથે મળીને વધારે રકમ અમારા અસીલ પાસેથી મેળવવાના ઈરાદે એન.એ. તથા પ્લાન મંજુર કરાવતા નથી જેથી તમો અમારા અસીલ સાથે છેતરપિંડી કરેલ છે.
સદર નોટિસ આપી આપને જણાવવામાં આવે છે કે સદર નોટિસ મળ્યેથી દિન સાતમાં અમારા અસીલ પાસેથી તમોએ મેળવી લીધેલ પૂરેપૂરી રકમ વ્યાજ સાથે પરત કરવી. જો તેમ કરવામાં તમોઅ કસુરવાર ઠરશો તો અમારા અસીલ તમો વિરૃદ્ધ દિવાની તથા ફોજદારી રાહે પગલાં ભરશે, જેની સંપૂર્ણ જવાબદારી ખર્ચ સહિતની આપના શિરે રહેશે. સદર નોટિસ તમારી કસુરના કારણે આપવી પડેલ હોઈ સદર નોટિસ ખર્ચના ર.૩૦૦૦/- અંકે રૂપિયા પાંચ હજાર પૂરા તમારા શિરે છે, જેની નોંધ લેશો.
એડવોકેટ
નોંધઃ-(જમીન/મિલકત માટેના લેખોના સંદર્ભે વાચકોના કોઈ સુચન કે પ્રશ્નો હોય તો ‹નવગુજરાત સમય› ના સરનામે (૧૦૧, પહેલો માળ, ઓમ શાયોના આર્કેડ, સિલ્વર ઓક કોલેજ પાસે, ગોતા, અમદાવાદ-૩૮૨૪૮૧) લેખિત રૂપે મોકલવા અથવા લેખકને ઈ-મેઈલ કરવા)

12.12.2023

ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી : વેચાણ લેનાર- આપનારના હક્કો અને જવાબદારીઓ

 

મિલકતના વેચાણ સુધીની  બાકી સરકારી લાગત, ભાડું કે બીજા બોજા વ્યાજ સહિત ચુકવવા માટે વેચાણ કરનાર બંધાયેલા છે

તમારી જમીન,  તમારી મિલકત

 નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ)

ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એકટ ૧૮૮૨ માં જમીન મિલકતના વેચાણ અંગે જે પદ્ધતિ અને કાર્યવાહી અનુસારવાની હોય છે તે અંગે આ લેખમાં જોઈશું. આપણા સમાજમાં પ્રચલિત કહેવત છે કે ”જર-જમીન અને જોરુ તે કજિયાના છોરુ ” જેમાંથી હાલના સંજોગોમાં જમીન મિલકત અંગે મહદ્‌અંશે વાંધા, તકરારો થતી હોય છે. ખાસ કરીને મિલકતની કિંમતો ઘણી વધી ગયેલા હોઈ વાંધા, તકરારો ઝઘડાનું પ્રમાણ વધી ગયેલા છે. ઘણી વખત તેને લીધે સમાજમાં ક્રાઈમ, ગુના પણ વધી ગયેલા છે.

સ્થાવર મિલક્તનાં વેચાણો - વેચાણની વ્યાખ્યા:
”વેચાણ” એટલે ચૂકવેલી અથવા ચૂકવવાનું વચન આપેલી અથવા અંશતઃ ચૂકવેલી અને અંશતઃ ચૂકવવાનું વચન આપેલી કિંમતના બદલામાં માલિકી હકની તબદિલી.

વેચાણ કરવાની રીતઃ
સો રૂપિયા અને તેથી વધુ કિંમતની મૂર્ત સ્થાવર મિલકત અંગે હોય ત્યારે, અથવા કોઈ ઉત્તરાધિકાર અથવા બીજી અમૂર્ત વસ્તુ અંગે હોય ત્યારે, એવી તબદિલી રજિસ્ટર કરેલા દસ્તાવેજથી જ કરી શકાશે. સો રૂપિયાથી ઓછી કિંમતની મૂર્ત સ્થાવર મિલકત અંગે હોય તે પ્રસંગે, એવી તબદિલી રજિસ્ટર કરેલા દસ્તાવેજથી અથવા તે મિલકતની ડિલિવરી આપીને કરી શકાશે.

વેચનાર ખરીદનારને અથવા તે આદેશ કરે તેને તે કોઈ મૂર્ત સ્થાવર મિલકતનો કબજો સોંપે ત્યારે તેની ડિલિવરી આપી ગણાય. ફક્ત તેવો કરાર થયો હોવાથી તે મિલકતમાં કોઈ હિત અથવા તેના ઉપર કોઈ બોજો ઉત્પન્ન થતો નથી. જે બાબતને નામદાર હાઈકોર્ટસ તેમજ સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા
પણ ચુકાદાઓથી સમર્થન કરે છે.
ખરીદનાર અને વેચનારનાં હક અને જવાબદારીઓ ઃ જ્યારે વિરુદ્ધનો કરાર ન હોય તો, સ્થાવર મિલકત ખરીદનાર અને વેચનાર અનુકમે નીચેના નિયમોમાં અથવા તે પૈકીના વેચેલી મિલકતને લાગુ પડતા હોય તે નિયમોમાં જણાવેલી જવાબદારીઓને અધીન છે અને તેમને તેમાં જણાવેલા હક છે.

(૧) વેચનાર નીચે પ્રમાણે કરવા માટે બંધાયેલ છે -
(ક) જેની વેચનારને જાણ હોય પણ ખરીદનારને ન હોય અને ખરીદનાર સાધારણ કાળજીથી જે શોધી શકે નહીં એવી કોઈ મહત્વની ખામી તે મિલકતમાં અથવા વેચનારના માલિકી હકમાં હોય તો ખરીદનારને તે પ્રગટ કરવા માટે,
(ખ) ખરીદનાર વિનંતી કરે ત્યારે પોતાના કબજામાં અથવા અધિકારમાં હોય એવા તે મિલકત સંબંધી માલિકી હકના તમામ દસ્તાવેજ તપાસવા માટે તેની પાસે રજૂ કરવા માટે,
(ગ) તે મિલકત અથવા તેના માલિકીહક અંગે ખરીદનાર પૂછે તે તમામ પ્રસ્તુત પ્રશ્નોના પોતાની પૂરી માહિતી અનુસાર જવાબ દેવા માટે,
(ઘ) ખરીદનાર યોગ્ય સમયે અને સ્થળે મિલકતનું યોગ્ય વેચાણખત રજૂ કરે ત્યારે કિંમત અંગે લેણી થતી રકમ ચૂકવવામાં અથવા ધરવામાં આવે તો તેવું ખત કરી આપવા માટે
(ચ) વેચાણના કરારની અને મિલકતની ડિલિવરીની તારીખ દરમિયાન મિલકતની અને તે સંબંધી પોતાના કબજામાં હોય તે તમામ માલિકીના દસ્તાવેજોની એક સમજદાર માલિક એવી મિલક્ત અને દસ્તાવેજોની સંભાળ રાખે તેવી સંભાળ રાખવા માટે,
(છ). ખરીદનાર તરફથી માગણી થયે તેને અથવા તે આદેશ કરે તેને મિલકતનો પ્રકાર જોતાં આપી શકાય તેવો તેનો કબજો આપવા માટે,
(જ) વેચાણની તારીખ સુધીમાં તે મિલકત અંગે લેણાં થઈ ચૂકેલ તમામ સરકારી લાગત તથા ભાડું અને તે તારીખે તે મિલકત ઉપરના તમામ બોજા અંગે લેણું થતું વ્યાજ ચૂકવવા માટે અને મિલકત બોજા સહિત વેચી હોય તે સિવાય, તે મિલકત ઉપર તે વખતે હોય તે તમામ બોજાઓમાંથી તેને છોડાવવા માટે.
વેચનાર જે હિત તબદિલ કરવા કહેતો હોય તે હિત અસ્તિત્વમાં છે અને તબદિલ કરવાની તેને સત્તા છે એવો તેણે ખરીદનાર સાથે કરાર કર્યો ગણાશે.પરંતુ કોઈ વ્યકિતએ પોતાની વિશ્વાસ યોગ્ય હેસિયતથી વેચાણ કર્યું હોય ત્યારે તેણે ખરીદનાર સાથે એવો કરાર કર્યો ગણાશે કે વેચનારે મિલકત ઉપર બોજો જાય એવું અથવા તો તબદિલ કરવામાં તેને હરકત આવે એવું કોઈ કૃત્ય કર્યું નથી.આ  મિલકત તબદીલી અધિનિયમમાં જણાવેલા કરારનો લાભ, તબદિલીથી મેળવનારના તબદિલીથી મેળવનાર તરીકેના હિતની સાથે જોડાયેલો રહેશે અને તે હિતની સાથે તે પ્રાપ્ત થશે અને જે વ્યકિતમાં તે હિત વખતોવખત પૂરેપૂરું અથવા અંશતઃ નિહિત થયેલું હોય તે દરેક વ્યક્તિ તેનો અમલ કરાવી શકશે. વેચનારને પૂરેપૂરી વેચાણ કિંમત ચૂકવી દેવામાં આવી હોય ત્યારે, તેના કબજામાં કે અધિકારમાં હોય તેવા તે મિલકત સંબંધી માલિકી હકના તમામ દસ્તાવેજો ખરીદનારને સોંપી દેવા માટે તે પણ બંધાયેલો છે. પરંતુ (ક) વેચનાર તે દસ્તાવેજોવાળી મિલકતનો કોઈ ભાગ પોતે રાખે ત્યારે, તમામ દસ્તાવેજો રાખવા તે હક્કદાર છે, અને (ખ) તે આખી મિલકત જુદા જુદા ખરીદનારાઓને વેચી હોય ત્યારે, સૌથી વધુ કિંમતી ભાગ ખરીદનાર તે દસ્તાવેજો માટે હકદાર છે પણ (ક)ની બાબતમાં વેચનાર અને (ખ)ની બાબતમાં સૌથી વધુ કિંમતી ભાગ ખરીદનાર, યથાપ્રસંગ, ખરીદનાર અથવા બીજા ખરીદનારાઓ પૈકી કોઈ જ્યારે પણ વાજબી માગણી કરે ત્યારે અને માગણી કરનાર વ્યકિતના ખર્ચે તે દસ્તાવેજો રજૂ કરવા અને તે માગે તેવી તે દસ્તાવેજોની ખરી નકલો અથવા તેમાંના ઉતારા આપવા માટે બંધાયેલ છે, અને તે દરમિયાન યથાપ્રસંગ, સદરહુ વેચનારે અથવા સૌથી વધુ કિંમત ભાગના ખરીદનારે સદરહુ દસ્તાવેજોને સલામતીપૂર્વક અને રદ કર્યા વિના અને ચેક-ભૂસ કર્યા વિના રાખવા
જોઈશે, સિવાય કે આગ અથવા બીજા અનિવાર્ય અકસ્માતને કારણે તે એ પ્રમાણે કરી શકે નહીં.

વેચાણ માટેનો કરારઃ
કોઈ સ્થાવર મિલકત વેચવાનો કરાર (બાનાખત-સાટાખત) એટલે પક્ષકારો વચ્ચે નક્કી થયેલી શરતોએ તેનું વેચાણ થશે એવો કરાર.
વેચનાર નીચેના માટે હકકદાર છે:
(ક) મિલકતની માલિકી ખરીદનારે પ્રાપ્ત થતા સુધી તેના ભાડા અને નફા માટે, (ખ) પૃરી ખરીદ કિંમત ચુકવાયા પહેલાં મિલકતની માલિકી ખરીદનારને પ્રાપ્ત થઈ હોય ત્યારે ખરીદ-કિંમત અથવા તેનો કોઈ બિનચૂકવાયેલા ભાગનો અને જે તારીખે કબજો સોંપી દેવામાં આવ્યો હોય તે તારીખથી વેચાણ કિંમત અથવા તેના કોઈ ભાગ ઉપરના વ્યાજનો બોજો સદરહુ ખરીદનાર, અવેજ વિના તબદિલીથી લેનાર અથવા વેચાણ કિંમત ચૂકવાઈ નથી એવી જાણ સાથે તબદિલીથી મેળવનાર હસ્તરની તે મિલકત ઉપર બોજો રહે તે માટે. 
ખરીદનાર નીચે પ્રમાણે કરવા બંધાયેલ છે:
(ક) મિલકતમાંનું વેચનારનું હિત કેવા પ્રકારનું છે અને કેટલું છે તે વિશે કોઈ હકીક્ત ખરીદનાર જાણતો હોય પણ વેચનાર જાણતો ન હોવાનું માનવાને ખરીદનારને કારણ હોય અને તેથી એવા હિતની કિંમતમાં સારો એવો વધારો થતો હોય તો તે હકીકત, વેચનારને પ્રગટ કરવા માટે.
(ખ) વેચાણ પૂરું થવાના સમયે અને સ્થળે વેચનારને અથવા તે આદેશ કરે તે વ્યકિતને ખરીદ કિંમત આપવા અથવા ધરવા માટે, પરંતુ મિલકત બોજા રહિત વેચવામાં આવી હોય ત્યારે ખરીદનાર વેચાણની તારીખે તે મિલકત ઉપર હોય તેવા બોજાઓની રકમ ખરીદ કિંમતમાંથી રાખી લઈ શકશે અને તેણે રોકી લીધેલી રકમ તે માટે હકકદાર વ્યકિતઓને તેણે ચૂકવવી જોઈશે. 
(ગ) વેચનારની મિલકતની માલિકી ખરીદનારને પ્રાપ્ત થઈ હોય ત્યારે વેચનાર જે માટે કારણભૂત ન હોય એવા, તે મિલકતના નાશ, હાનિ કે તેની કિંમતના ઘટાડાથી થયેલું નુકસાન સહન કરવા માટે.
(ઘ) વેચનારની મિલકતની માલિકી ખરીદનારને પ્રાપ્ત થઈ હોય ત્યારે, તેની અને વેચનારની વચ્ચેનો પ્રશ્ન હોય ત્યાં સુધી તે મિલકત અંગે ચૂકવવા પાત્ર થાય એવા તમામ સરકારી લાગત અને ભાડું, જે બોજા સહિત તે મિલકત વેચવામાં આવી હોય તેની લેણી થતી મુદ્લ રકમો અને ત્યારપછીની તેના ઉપર લેણું થતું વ્યાજ ચૂકવવા માટે
(૬) ખરીદનાર નીચના માટે હક્કદાર છે :
(ક) મિલકતની માલિકી પોતાને પ્રાપ્ત થઈ હોય ત્યારે મિલકતમાં કંઈ સુધારો અથવા તેની કિંમતમાં વધારો થયો હોય તેના ફાયદા માટે અને તે મિલકતનાં ભાડા અને નફા માટે,
(ખ) મિલકતની ડિલિવરી લેવાની તેણે અયોગ્ય રીતે ના પાડી ન હોય તો ડિલિવરી મળવાની અપેક્ષાએ ખરીદનારે યોગ્ય રીતે ના પાડે તો, બાનાની રકમ (હોય તો તે ) માટે અને કરારનું યથાનિર્દિષ્ટ પાલન કરાવવા અથવા તે રદ કરવા માટે હુકમનામું મેળવવા માટેના દાવામાં તેને કંઈ ખર્ચ અપાવવામાં આવ્યું (હોય તો) તેનો પણ બોજો વેચનાર અને તેની પાસેથી હક્ક પ્રાપ્ત કરનાર વ્યકિતઓ વિરુદ્ધ વેચનારના તે મિલકતમાંના હિત પૂરતો મિલકત ઉપર રહે તે માટે.
નોંધઃ-(જમીન/મિલકત માટેના લેખોના સંદર્ભે વાચકોના કોઈ સુચન કે પ્રશ્નો હોય તો ‘નવગુજરાત સમય’ ના નવા સરનામે (૧૦૧, પહેલો માળ, ઓમ શાયોના આર્કેડ, સિલ્વર ઓક કોલેજ પાસે, ગોતા, અમદાવાદ-૩૮૨૪૮૧) લેખિત રૂપે મોકલવા અથવા કે લેખકને ઈ-મેઈલ કરવા)

12.07.2023

garvi 2.0 related video

REGISTRATION PUBLIC DATA ENTRY
                           


LOKARPAN
POWER OF ATTRORNY SEC-33





PARTITION DEED

MORGAGE DEED





PARTNERSHIP WITH AUTHORITY
GENERAL POWER OF ATTORNY





PUBLIC DATA ENTRY 
PUBLIC DATA ENTRY 






12.03.2023

ટી.પી. એક્ટ અન્વયે નગર યોજનાઓનું અમલીકરણ વિશ્વનીય સ્વરૂપે જરૂરી

 લોકાભિમુખ માર્ગદર્શન  - એચ.એસ. પટેલ IAS (નિ.)

- 'જાહેર હેતુ માટે ડ્રાફ્ટ ટીપી તબક્કે પણ જમીનનો કબજો લેવાની કાયદાકીય જોગવાઈ



હિન્દુસ્તાનના સાંસ્કૃતિક ભવ્ય વારસા સાથે નગર આયોજનની દ્રષ્ટિએ પણ ઐતિહાસિક વિરાસત છે. મોહેજદડો અને હરાપ્પાના (Harrapan Civilization) અવશેષો ઉપરથી પ્રસ્થાપિત થાય છે તે વખતની Streets, Roads, Drainage, Bathingghats, Water Conservation નું આયોજન હતું. ગુજરાતના કચ્છમાં ધોલાવીરા અને લોથલમાં આજ પ્રકારની વ્યવસ્થા હતી તેવું પ્રત્યક્ષ જોઈ શકાય છે. માનવ ઉત્ક્રાંતિનો ઈતિહાસ સતત વિકસી રહ્યો છે અને તે સાથે માનવીની જરૂરિયાત મુજબ ફેરફાર થવાનો કુદરતી ક્રમ છે. જુદાજુદા શાસકોના સમયમાં પણ પ્રગતિશીલ રજવાડાઓ જેવાં કે, વડોદરા, ગોંડલ, મૈસુર વિગેરે રાજ્યો પણ સુઆયોજીત સ્વરૂપે વિકસિત કરવામાં આવેલ તે સાથે તેને અનુરૂપ માળખાગત સુવિધા, રસ્તા, પાણી, ગટર, બગીચા જેવી વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવેલ, આ તમામ વ્યવસ્થાઓ સર સયાજીરાવ ત્રીજા વડોદરામાં દિર્ઘદ્રષ્ટિથી કરવામાં આવેલ, ગોંડલના રસ્તા -Street – Underground Electricity Wiring જે સાંપ્રત સમયમાં બધા શહેરોમાં યોગ્ય સ્વરૂપે નથી. આ પૂર્વભૂમિકા ફક્ત આજના શાસકો, વહીવટદારો અને નાગરિકોની જવાબદેહી (Accountability) નક્કી કરવા માટે છે કારણ કે હાલ આપણે રાજાશાહીના બદલે લોકશાહી શાસન વ્યવસ્થાના એક ભાગ છીએ.

સૌ પ્રથમ તો કાનુની સ્વરૂપે જોઈએ તો ગુજરાતમાં સુઆયોજીત સ્વરૂપે શહેરી વિસ્તારોનો વિકાસ થાય તે માટે ગુજરાત ટાઉન પ્લાનીંગ અને અર્બન ડેવલપમેન્ટ એક્ટ -૧૯૭૬ ઘડવામાં આવ્યો અને આજે અમલમાં છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં આ કાયદો સ્વીકૃતિ સ્વરૂપે અમલમાં છે અને આ કાયદા પહેલાં જે તે મહાનગરપાલિકા / નગરપાલિકા સબંધિત  બીપીએમસી એક્ટ / મ્યુનિસિપાલીટી એક્ટ હેઠળ પોતાના શહેરનો માસ્ટર ડેવલપમેન્ટ પ્લાન બનાવી, યોગ્ય સ્વરૂપે અમલી કરી શકતા, પરંતુ તે ડેવલપમેન્ટ પ્લાન સર્વગ્રાહી સ્વરૂપે અમલમાં થતો ન હતો. ફક્ત બૃહદ સ્વરૂપે લેન્ડ યુઝ પ્લાન ગણાતો. ટી.પી. એક્ટ અમલમાં આવતાં શહેરી વિકાસ મંડળો અને વિસ્તાર વિકાસ મંડળો - AUDA / VUDA /RUDA / SUDA વિગેરે અસ્તિત્વમાં આવ્યા અને શહેરો પણ આ એક્ટની જોગવાઈઓ પ્રમાણે અનુસરણ કરે તેવી આ કાયદામાં જોગવાઈઓ છે, જેમાં સબંધિત વિસ્તારોની વિકાસ પ્રક્રિયા, શહેરીકરણનો વ્યાપ, વિસ્તારની જરૂરિયાત, જાહેર સુખાકારીને ધ્યાનમાં લઈ પરામર્શ પ્રક્રિયા બાદ માસ્ટર ડેવલપમેન્ટ પ્લાન દસ વર્ષના સમયગાળા માટે બનાવવામાં આવે છે. જેને રાજ્યસરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવે છે અન જેમાં ખાસ કિસ્સામાં જરૂરિયાતને ધ્યાનમાં લઈ વચગાળાના સમયમાં પણ ઝોનીંગ Land use Patternમાં બદલાવ પણ કરવામાં આવે છે.

કોઈપણ વિસ્તારનો માસ્ટર ડેવલપમેન્ટ પ્લાન Land use Plan તરીકે ઓળખાય છે તેનું અમલીકરણ ટીપી સ્કીમના માધ્યમથી થાય છે અને ટીપી સ્કીમનું કદ ૫૦ એકરથી (Micro TP) શરૂ કરીને ૫૦૦ એકર કે ૧૦૦૦ એકર સુધીનું થઈ શકે છે. જે Development Swing ને ધ્યાનમાં લઈ કરવામાં આવે છે. આ પ્રક્રિયાને ટીપી સ્કીમનો ઈરાદો (Intention) પ્રારંભિક ડ્રાફ્ટ ટીપી અને ફાઈનલ જેવા વિવિધ કાનુની તબક્કા હાથ ધરી ટાઉન પ્લાનીંગ ઓફિસર ટીપી સ્કીમમાં સમાવિષ્ટ જમીન / પ્લોટધારકોને સાંભળીને આખરી (Final) કરવા રાજ્ય સરકારને મોકલે છે અને રાજ્ય સરકારની મંજૂરી બાદ અમલીકરણ કરવાની જવાબદારી સબંધિત Appropriate Authority તરીકે શહેરી સત્તા મંડળો / મહાનગરપાલિકા / નગરપાલિકાની છે. સામાન્ય નાગરિકો કે જમીનધારકોની જાણકારી માટે શહેરી વિકાસ વિભાગ દ્વારા ટીપીમાં સમાવિ જમીનનાધારકોની (Occupied Plot – OP) જમીનની કપાતના ધોરણો ૪૦% સુધી અને જુદા જુદા હેતુ માટે કપાત કરવામાં, રોડ આંતરમાળખાકીય સુવિધા (Social Infrastructure) Saleable Plot, ફરજીયાતપણે નબળા અને આર્થિક રીતે પછાત માટે (EWS) ફરજીયાત આવાસ યોજના માટે ૭.૫% જેટલી જમીન કપાતનો સમાવેશ થાય છે. આ પ્રક્રિયામાં ટીપીઓ દ્વારા પારદર્શકતા જાળવવામાં આવે તે જરૂરી છે તે સાથે સમયમર્યાદામાં ટીપી આખરી (Final)  કરવામાં આવે તો જ હેતુ સિધ્ધ થાય છે

આજના લેખનો મુખ્ય ઉદ્દેશ ટીપી ફાઈનલ થયા બાદ અમલીકરણના છે. જેમા મુળ જમીનધારકોના સર્વે નંબરનું Reconstitution એટલે કે પુનઃઘટન થવાથી FPના ક્ષેત્રફળ મુજબના કબજાફેર અને જાહેર હેતુ માટે જમીનોના કબજા અગત્યના છે. આ કાયદાની અગત્યતા એ છે કે, જમીન સંપાદનની કાયદાની પ્રક્રિયા વગર સુઆયોજીત વિકાસ માટે જમીન સંપ્રાપ્ત થાય છે. અમો જયારે વડોદરા ડેપ્યુટી મ્યુનિસીપલ કમિશનર હતા ત્યારે ટીપીના આખરીકરણમાં વિલંબ થતો એટલે ૧૯૯૯માં ટીપી એક્ટમાં સુધારો કરાવડાવી જાહેર હેતુ માટે રસ્તા તેમજ અન્ય આંતરમાળખાકીય સુવિધા માટે જમીન ડ્રાફ્ટ ટીપીના તબક્કાએ કબજો લેવા માટે સુધારો કરાવવામાં આવેલ અને તેનો પ્રથમ અમલ અમોએ વડોદરામાં ભીમનાથ માઈક્રો ટીપી સ્કીમ બનાવી,  ભીમનાથ બ્રીજ પુરો કરી સયાજીગંજથી જેલ રોડનું જોડાણ કરી મહત્વનું નેટવર્ક ઊભુ કરેલ, આજ જોગવાઈઓ અમદાવાદના એસ.પી. રીંગ રોડ પુરો કરવામાં તત્કાલીન ઔડાના ચેરમેન સુરેન્દ્રભાઈ પટેલ દ્વારા લાગુ કરી અમલ કરવામાં આવેલ, આમ ટીપીમાં સમાવિષ્ટ જમીનધારકોના પ્લોટ હોલ્ડર્સને તેમજ નાગરિકોની વિશ્વસનિયતા પેદા કરવા જાહેર હેતુ માટે સૌ પ્રથમ આંતરમાળખાકીય સુવિધામાં રોડ, ગટર અને પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવે તો લોકોની ટીપીના અમલીકરણમાં વિશ્વસનીયતા ઊભી કરી શકાય. બીજું કે ટીપીના પ્લોટધારકો પાસેથી Incremental Cost તેમજ વિકાસ પરવાનગી / બાંધકામ પરવાનગી માટે જે ચાર્જીસ વસુલ કરવામાં આવે તે રકમ સબંધિત વિસ્તારની ટીપી સ્કીમ માટે earmark નિયત કરી વાપરવી જોઈએ અને હાલ upfront  સ્વરૂપે આ ચાર્જીસ વસુલ કરવામાં આવે છે. બીજું કે ટીપી સ્કીમની કલમ - ૬૭/૬૮ હેઠળ ફાઈનલ ટીપીના પ્લોટના કબજામાં ફેરફાર / સંપાદન કરવાની જોગવાઈ છે. આમાં ફોજદારી કાર્યવાહી સહિતની જોગવાઈ છે

12.02.2023

જમીન/મિલકતની મહત્વની બાબતોની ચકાસણી કર્યા વિના કોઇ ડગ ભરવું નહીં

પ્રોપર્ટીનું ટાઈટલ માર્કેટેબલ, બોજા રહિતનું હોવા અગર હયાત સ્થળ સ્થિતિ મુજબનું ટાઈટલ કલીયરન્સ સર્ટિ. મેળવવું જરૂરી છે

તમારી જમીન,  તમારી મિલકત > નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ)

પ્રથમ તો સર્વે વાચક મિત્રોને નવા વર્ષની શુભકામનાઓ. મિલકતોની ખરીદી-વેચાણમાં કેટલીક લીગલ બાબતોનું ધ્યાન રાખવાનાં સૂચન નવા વર્ષે ઉપયોગી થઇ પડે એ માટે અહીં રજૂ કરાયાં છે:
કોઇપણ મિલકત કે જમીનની ખરીદી કે વેચાણ કરતી વખતે અથવા તેના હક્ક તબદિલ કરતી વખતે કેટલીક મહત્વની બાબતોની ચકાસણી કરવામાં ન આવે તો બાદમાં અનેક ગૂંચવણો અને સમસ્યાઓ ઊભી થઇ શકે છે. 
પ્રથમ સ્થાવર મિલકત અંગેના કરાર, દસ્તાવેજો, હુકમો, રેવન્યુ રેકર્ડ, સિટી સર્વે રેકર્ડ, મંજુર થયેલા પ્લાન સહિતના તમામ કાગળોની ફાઈલ સોલિસિટર્સ / એડવોકેટસે મેળવવાની રહે છે જેથી તે ફાઈલનાં પેપર્સની પ્રાથમિક ચકાસણી થઈ શકે.

- જે તે લાગુ સબ રજિસ્ટ્રાર પાસેથી મિલકત અંગે થયેલ રજિસ્ટર્ડ લખાણોની ઓછામાં ઓછા ૩૦ વર્ષની સર્ચ તપાસની નકલ જરૂરી ફી સરકારશ્રીમાં ભરપાઈ કરીને મેળવવી જોઈએ.

- જમીન-મિલકત ઉપર કોઈનો કોઈપણ પ્રકારનો હકક-હિત બોજો હોય તો તેની જાણની આમંત્રિત કરતી દૈનિકપત્રમાં જાહેર નોટિસ આપવી. જોઈએ.

- રેવન્યુ રેકર્ડની કચેરી, સિટી સર્વે કચેરી, પંચાયત કાર્યાલયમાંથી ગામ નમુના નંબર: ૭/૧૨ના ઉતારા, ફેરફાર નોંધો સને ૧૯૫૦ પછીના લેટેસ્ટ રેકર્ડ મેળવવા.

- મિલકતના ટાઈટલ અંગેનાં લખાણો, દસ્તાવેજો વગેરે તપાસવા.

- જમીન / મિલકતમાં કોઈનો કોઈપણ પ્રકારનો હકક, હિત, અધિકાર છે કે કેમ તેની ચકાસણી કરવી જોઈએ.

- જમીન / મિલકત જો લીઝહોલ્ડ હોય તો સમય અને શરતો સહિતની ચકાસણી કરવી જોઈએ.

- ડી.આઈ.એલ.આર.ની માપણી અંગે પ્લાનની નકલમાં ખૂંટ અને ક્ષેત્રફળ અંગે ચોકસાઈ કરવી.

- ખેતી-બિનખેતીની જમીન અંગે કલેક્ટર / સંબંધિત અધિકારીઓના હુકમોની પ્રમાણિત નકલ મેળવવી અને શરતોની વિગતો તપાસવી.

- નગર વિકાસ યોજના (ટાઉન પ્લાનિંગ સ્કીમ) લાગુ પડેલી હોય તો ફોર્મ એફ અગર ”બી” તથા પાર્ટ પ્લાન તથા કબજા ફેરફારના કરારની નકલ.

- મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરી વિકાસ સત્તા મંડળમાંથી જમીન અંગેનું ઝોનિંગ સર્ટિફિકેટ મેળવવું અને બાંધકામની પરવાનગી મળી શકે તેમ છે કે કેમ તે જોવું.

- જમીનમાં બાંધકામ અધિકૃત (પરવાનગી મેળવીને કરેલ છે કે કેમ ? જેમ કે બાંધકામના પ્લાન મંજુર કરીને રજાચિઠ્ઠી મળેલી છે કે કેમ ? 

- ઈમ્પેક્ટ ફી ભરેલી છે કે કેમ મિલકતનો કબજો પ્રત્યક્ષ રૂપે જમીન-મિલકતના માલીક પાસે છે કે કેમ તે જોવું.

- ખેતીની જમીન ખેડૂત અગર બિનખેડુતને વેચાણ થયેલ હોય તો તેની ચકાસણી કરો.

- મિલકત રજિસ્ટર્ડ પાવર ઓફ એટર્ની હોલ્ડર દ્ધારા વેચાણ કરવામાં આવેલી હોય તો વેચાણ કરવાની સત્તા અધિકાર છે કે કેમ ? હાલમાં પાવર ઓફ એટર્ની ચાલુ છે તેની એફિડેવિટ  છે કે કેમ? પાવર ઓફ એટર્ની યોગ્ય કિંમતના સ્ટેમ્પ પેપર હોવા બાબત સ્ટેમ્પ થયેલ છે કે કેમ ? તપાસો.

- જમીન ગણોતધારા અન્વયેની જુની શરતની છે કે નવી શરતની છે તે તપાસવું.  જો જમીન નવી શરતની હોય તો ખેતી-બિનખેતીના હેતુ માટે પરવાનગી મેળવવા માટે કંઈ (પ્રિમીયમ) રકમ ચુકવવી પડશે કે કેમ તે ચકાસવું.

- જમીનને ટુકડા ધારાની અન્ય લાગુ કાયદાઓ-નિયમોની જોગવાઈ લાગુ પડે છે કે કેમ તેની ચકાસણી કરવી.

- જમીન કોઈ આદિવાસી કે પછાતવર્ગની વ્યક્તિની હોય તો વેચાણ અંગેની પરવાનગી છે કે કેમ ? મળવાની શકયતા તપાસો.

- જમીન મિલકત અવિભકત હિન્દુ કુટુંબની / સ્વતંત્ર / વડીલોપાર્જિત / ભાગીદારી / વ્યકિતગત / કંપની / સહકારી મંડળી / બિનધંધાકીય કોર્પોરેશન વિગરે પૈકી કોની છે તે તપાસવું.

- કુટુંબ અને ગુજરનારના તમામ વારસદારોની વિગત તથા તલાટીનું સર્ટિફાઈડ કરેલું પેઢીનામું મેળવવું. કુટુંબના વંશ / વારસો અંગેના હકક, હિત, અધિકારને લગતા ટાઈટલ્સ ચકાસવાં.

- ઉપરાંત સગીરોનું હિત સમાયેલ હોય તો સક્ષમ કોર્ટનું વાલી નિયુક્તિનું અને હિત સાચવણીનો હુકમ મેળવવો જોઈએ.

- જમીન / મિલક્ત કો.ઓ.હાઉસિંગ સોસાયટી / નોન ટ્રેડિંગ કોર્પોરેશન / પ્રાઈવેટ લિમિટેડ કંપની હેઠળ હોય તો સંસ્થાની નોંધણી પ્રમાણપત્ર, હોદ્દેદારોની અધિકૃતતા મેમોરેન્ડમ એન્ડ આર્ટીકલ્સ ઓફ એસોસિયેશન, વેચાણનો ઠરાવ, અધિકૃત કરેલ ઠરાવ, પઝેશન લેટર, બાયલોઝ, શેર સર્ટિફિકેટ, એલોટમેન્ટ લેટર, નો ડ્યૂ સર્ટિફિકેટ, નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ વગેરેની ચકાસણી કરો. ભાગીદારી પેઢીની જમીન / મિલક્ત હોય તો રજિસ્ટર્ડ ભાગીદારી દસ્તાવેજ તથા ભાગીદારી પેઢી રજિસ્ટર્ડ થયાનું નોંધણી પ્રમાણપત્ર તેમજ તમામ ભાગીદારોની સંમતિ ઓથોરીટી પત્ર છે કે કેમ તેની ચકાસણી કરો.

- જમીન/મિલકત અંગે કોઈ કોર્ટ-ક્ચેરીમાં કાનુની કાર્યવાહી ચાલુ છે કે કેમ ? અને દરમ્યાન વચગાળાનો હુકમ, મનાઈ હુકમ, હુકમનામાંની ચકાસણી કરો.

- અગાઉ કોઈપણ વ્યકિત કે સંસ્થા સાથેના કોઈપણ પ્રકારના હક્કો આપતા કરાર / લખાણની ચકાસણી કરો.

- મિલક્ત લીઝ, ભાડે લાયસન્સ ગીરો, ચાર્જ લીયનને આધિન છે કે કેમ ?

- વિલ (વસિયતનામા)થી જમીન/મિલક્ત પ્રાપ્ત થયેલ હોય તો વિલ (વસિયતનામા)ની નકલ મેળવી, તેમાં કોઈ પ્રતિબંધકર્તા જોગવાઈ છે કે કેમ તેની ચકાસણી કરો, પ્રોબેટ કે સક્સેશન સર્ટિફિફિકેશન મેળવેલ છે કે કેમ ?

- મિલકત અંગે વેચાણ વેરા, આવકવેરા, મ્યુનિસિપલ / પંચાયતના વેરા મહેસુલ જેવા કોઈ સરકારી ચુકવણાં બાકી છે કે કેમ ?

- જમીન - મિલકત કોઈપણ પ્રકારના સંપાદનમાં છે કે કેમ ? રસ્તાની લાઈન દોરી અથવા કપાતમાં ગયેલ છે કે કેમ ? તે તપાસવું.

- જમીન-મકાન ખરીદ કરતી સમયે સરકારી જંત્રી મુજ જમીન / મિલકતની આંકેલ કિંમતની ચકાસણી કરો.

- જો જમીન / મિલકતનો દસ્તાવેજ કરતા અગાઉ તે મિલકતના અગાઉના દસ્તાવેજો યોગ્ય કિંમતની ચકાસણી કરી તે પર પૃરતી સ્ટેમ્પ ડયુટી વપરાયેલ છે કે કેમ ? તે તપાસો અને તે અગાઉના કોઈ દસ્તાવેજ સબ-રજિસ્ટ્રાર સમક્ષ કે સ્ટેમ્પ ડ્યૂટી વેલ્યુએશન કચેરી સમક્ષ પડતર છે કે કેમ તે તપાસો.

- જમીન-મિલકતમાં અન્ય કોઈનો કોઈપણ પ્રકારનો હકક, હિત હોય તો તેની પૂર્ણતા કરાવવી.
ઉપરોક્ત વિગતો તથા સોલીસીટર્સ / એડવોકેટસએ અન્ય બાબતે કાયદાકીય રૂપે જરૂરી હોય તેવી બાબતો જોઈ તપાસીને પોતાની નકકી થયેલ લીગલ ફી તથા થયેલી ખર્ચની રકમ મેળવીને જમીન-મિલક્તના ટાઈટલ ચોખ્ખા, માર્કેટેબલ, બોજા રહિતનું હોવા બાબત અગર તો હયાત પરિસ્થિતિ, સ્થળ સ્થિતિ મુજબનું ટાઈટલ કલીયરન્સ સર્ટિફિકેટ અને જરર પડે ટાઈટલનો વિગતવાર રીપોર્ટ પણ આપી શકાય તેવું નમ્રપણે સૂચન છે.

નોંધ:- (જમીન-મિલકત માટેના લેખોના સંદર્ભે વાચકોના કોઈ સૂચન કે પ્રશ્નો હોય તો ‘નવગુજરાત સમય’ ના નવા સરનામે (૧૦૧, પહેલો માળ, ઓમ શાયોના આર્કેડ, સિલ્વર ઓક કોલેજ પાસે, ગોતા, અમદાવાદ-૩૮૨૪૮૧) લેખિત રૂપે મોકલવા અથવા લેખકને ઈ-મેઈલ કરવા)

11.19.2023

સંયુક્ત જમીન/મિલ્કતના ભાગીદારો દ્વારા માપણી અને વેચાણ વ્યવહારો અંગેની જોગવાઈઓ

 લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)

- 'જમીન / મિલ્કતનો માલિકી હક્ક નક્કી કરવાની સત્તા સીવીલ કોર્ટનેે'


આપણો દેશ અને ગુજરાત ખેતી પ્રધાન દેશ હોવાથી જમીનોનું સર્વે સેટલમેન્ટ (મોજણી અને જમાબંધી) તરીકે ઓળખાય છે. જે બ્રિટીશ શાસન વ્યવસ્થા દરમ્યાન જમીનોનું પ્રત પ્રમાણે સર્વેક્ષણ કરી કોની પાસે કેટલું જમીન મહેસુલ કરવું તે મુખ્ય બાબત હતી, કારણકે જે તે સમયે રાજ્યનું મુખ્ય આવકનું સાધન જમીન મહેસુલ હતું. “To collect Revenue and administer the state” આ પાયાના સિધ્ધાંત ઉપર અંૈગ્રેજો દ્વારા જમીન મહેસુલ પધ્ધતિ વિકસાવવામાં આવી જે આજે પણ Land Management તરીકે પાયાના માળખા ઉપર ચાલે છે. આપણને સૌને ખબર છે કે જમીન મહેસુલ ઉપર તો અંગ્રેજોની સામે ગાંધીજીએ પ્રથમ ચંપારણ સત્યાગ્રહ કરેલ અને જે તે સફળતા મળેલ, ત્યારબાદ જમીન મહેસુલ ઉપર ખેડા અને બારડોલી સત્યાગ્રહ સરદાર પટેલના નેતૃત્વ હેઠળ થયેલ, બદલાતા જતા સંજોગોમાં રાજ્યની આવક જમીન મહેસુલ ઉપરાંત અન્ય સાધનો ઉપર થવાથી (દા.ત. હાલનું GST / ઈન્કમટેક્ષ વિગેરે) જમીન ઉપરનું મહેસુલ ગૌણ બન્યુ છે. પરંતુ જમીન એ અગત્યનું કુદરતી સંશાધન રહ્યું છે અને હાલ ફક્ત ખેત વિષયક ઉપયોગને બદલે ઔદ્યોગિક, શહેરીકરણ, વાણિજ્ય વિષયક ઉપયોગમાં જમીનનો વ્યાપક ઉપયોગ થાય છે. મુળભુત રીતે જ્યારે ખેતવિષયક કે શહેરી વિસ્તારોમાં સમાવિષ્ઠ જમીનોનું સર્વે કરવામાં આવ્યુ ત્યારે જમીન કે મિલક્ત ધારક તરીકે સબંધિત કુટુંમ્બના જ્યેષ્ઠ વ્યક્તિ કે ધારકના નામ લખવામાં આવેલ જેને મુળ Promulgation Entries ગણવામાં આવે છે અને તે આધારે જમીનોના 7 x 12 અથવા તો સીટી સર્વે વિસ્તારોમાં હક્ક ચોક્સી રજીસ્ટર આધારે મિલ્કતના કાર્ડ બનાવવામાં આવ્યા. જમીન મહેસુલ અધિનિયમમાં સૌ પ્રથમ ૧૯૦૭માં પ્રકરણ-૧૦એ કે જેને હક્કપત્રક “Record of Rights” ઉમેરવામાં આવ્યું જેથી જમીન / મિલ્કતનો કોઈપણ કબજેદાર વેચાણ, વારસાઈ, તબદીલી કરે ત્યારે તેવા ફેરફાર હક્કપત્રકના નિયમોને આધીન નોંધ કરવામાં આવે અને પ્રમાણિત અધિકારી (નાયબ મામલતદારથી ઉપરી કક્ષાના) તરીકે નોધ પ્રમાણિત (હાલ ઈ.ધરા કેન્દ્ર) કરવામાં આવે અને તે મુજબ સબંધિત સર્વે નંબરના 7 x 12 માં કે મિલ્કત રજીસ્ટરમાં ફેરફાર કરવામાં આવે છે. જેમ જણાવ્યું તેમ ખેતવિષયક સર્વે નંબરોમાં જમીનના કબજેદાર તરીકે અગાઉની પ્રણાલીકાઓ મુજબ જ્યેષ્ઠ કર્તા તરીકે વડીલપુત્રનું નામ દાખલ કરવામાં આવતું અને કોઈપણ કબજેદારનું મૃત્યુ થાય એટલે પેઢીનામા મુજબ કાયદેસરના વારસદારોના નામ દાખલ કરવામાં આવે જેમાં ૧૯૫૬ના કાયદા મુજબ તમામ દિકરીઓને પણ કાયદેસરના વારસગણી તેઓના નામ પણ દાખલ કરવાના થાય છે. હવે સામાન્ય રીતે સબંધિત સર્વે નંબરના ૭ ટ ૧૨માં બે-ત્રણ પેઢીથી જે જમીન ધારક મૃત્યુ પામે તેઓના વારસદારોના નામ દાખલ થતા જાય અને પ્રત્યક્ષ રીતે એવુ પણ બને કે જમીનોની વહેંચણી કરવામાં આવે અને ભાઈઓ અલગ રીતે જમીન ખેડતા હોય સાથોસાથ વિભાજન એટલા માટે પણ ન થયું હોય કે ટુકડાધારાનો ભંગ ગણી અલગ વહેંચણીની નોંધ કરવામાં આવી ન હોય.

તાજેતરમાં મહેસુલ વિભાગ દ્વારા સંયુક્ત જમીનના ધારકો પૈકી કોઈપણ એક વ્યક્તિ દ્વારા જમીનની માપણી કરવાની અરજી ડીઆઈએલઆરને કરે તો અન્ય કબજેદારોની સંમતિ સિવાય પણ માપણી કરાવી શકે છે તે અંગે મારી સમક્ષ એવી રજુઆતો આવી કે સંયુક્ત કબજેદારો પૈકીનો એક વ્યક્તિ માપણી કરાવીને પોતાના હિસ્સાની જમીન વેચાણ કરે અને રજીસ્ટ્રેશન કાયદા હેઠળ દસ્તાવેજની નોંધણી કરવામાં આવે તો હક્કપત્રકમાં આવી નોંધ કરવામાં આવતી નથી. હવે આ અંગે જમીન મહેસુલ અધિનિયમની હક્કપત્રકની જોગવાઈઓ અને રજીસ્ટ્રેેશન કાયદાની જોગવાઈઓ બંન્ને અલગ છે. એટલે જ્યાં સુધી હક્કપત્રકની જોગવાઈઓનું પાલન કે અનુસરણ ન થાય ત્યાં સુધી હક્કપત્રકની નોંધ પ્રમાણિત ન થાય એટલે સંયુક્ત જમીનના કબજેદાર દ્વારા જમીનની માપણી કરાવવાથી તેઓના હિસ્સાનું વેચાણ કરવામાં આવે તો શુ પરિસ્થિતિ ઉભી થાય તે અંગે મેહસુલ વિભાગના માપણી અંગેના પરિપત્રની સ્પષ્ટતા કરવી જરૂરી બને છે. સૌ પ્રથમ તો મહેસુલ વિભાગ દ્વારા ૨૦૧૬માં વડીલોપાર્જીત ખેતીવિષયક જમીનોમાં વારસોના નામ હયાતીમાં દાખલ કરવા, હક્ક કમી કરવા વહેંચણી કરવી વિગેરે બાબતોનો સમાવેશ થાય છે. જેથી સંયુક્ત જમીનનો કબજેદાર પોતાના ભાગના હિસ્સાની જમીનની માપણી કરાવી / વેચાણ કરે ત્યારે સંયુક્ત કબજેદારો વચ્ચે વહેંચણી કે હિસ્સા પાડવામાં આવ્યા હોય તે અંગેનો દસ્તાવેજ અથવા હક્કપત્રકમાં ફેરફાર થયેલ હોવો જોઈએ અથવા તો સંમતિ હોવી જોઈએ. બીજું કે કાયદેસરના વિભાજન / વહેંચણી સિવાય તેમજ ચર્તુદિશાની હદો સિવાય પોતાના હિસ્સાની જમીન રજીસ્ટ્રેશન કાયદા મુજબ દસ્તાવેજ થઈ શક્યો હોય પરંતુ તેની અસર હક્કપત્રકના નિયમો પ્રમાણે અમલ ન પણ થઈ શકે, કારણકે સબંધિત જમીનના વ્યવહાર અંગે અન્ય કબજેદારોની સંમતિ ૧૩૫ડીની નોટીસના માધ્યમથી પણ જરૂરી બને છે. આ સિવાય જમીન / મિલ્કતના માલીકીપણા અંગે વાદવિવાદ હોય ત્યારે હક્ક / હિસ્સો નક્કી કરવાની સત્તા સીવીલ કોર્ટને છે અને જો તે પ્રમાણે નક્કી કરવામાં આવેલ હોય તો તે પ્રમાણે હક્કપત્રકમાં ફેરફાર થઈ શકે છે. 

આજ રીતે સીટી સર્વેમાં મિલ્કત કાર્ડમાં હક્ક ચોકસી વખતે પ્રથમ Promulgation કરવામાં આવ્યું હોય ત્યારે મૂળ મિલ્કત ધારકનું નામ દાખલ કરવામાં આવ્યું હોય તેમાં પણ વેચાણ / વારસાઈ કરવામાં આવે ત્યારે મિલ્કતનું ક્ષેત્રફળ દર્શાવામાં આવ્યુ હોય, જેથી તે અનુસાર સબંધિત મિલ્કતની વિભાગ માપણી કરાવવી જરૂરી બને છે અને સીટી સર્વે વિસ્તારમાં આવેલ તમામ મિલ્કતો બિનખેતીની હોય છે એટલે ખેતીવિષયક જમીનોમાં જે કાયદાઓ લાગુ પડે છે. દા.ત. બિનખેડુત / ટુકડાધારો વિગેરે લાગુ પડતો નથી પરંતુ જે હિસ્સાનું / હક્કનું વેચાણ કે તબદીલી કરાવવામાં આવે તેની માપણી કરાવીને અલગ મિલ્કત કાર્ડ બનાવી શકાય છે. હવે ગુજરાતમાં મોટા પાયે શહેરીકરણ અને ઔદ્યોગિકરણ થવાથી બિનખેતી વિષયકજમીનોમાં રૂપાંતર થયુ છે અને ટાઉનપ્લાનીંગ એક્ટ અમલમાં આવવાથી ટીપીની જોગવાઈઓ મુજબ જમીનોનું સબપ્લોટીંગ થાય છે. તો તે મુજબ 'એફ' ફોર્મ મુજબ પણ જમીનના-૭માં કે મિલ્કત રજીસ્ટરમાં સીધેસીધો ફેરફાર થઈ શકે છે. રાજ્યના મહેસુલ વિભાગે સંયુક્ત કબજેદારની જમીનની માપણી અંગે કરેલ પરિપત્રમાં ઉક્ત અવલોકન મુજબ ફેરફાર કરવો જરૂરી છે.

કોર્ટનો મનાઇહુકમ કયા સંજોગોમાં મળી શકે અને કેવા સંજોગોમાં ના મળી શકે?

 તમારી જમીન,  તમારી મિલકત  > નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ)



યથાનિર્દિષ્ટ દાદ અધિનિયમ ૧૯૬૩ (સ્પેસિફિક રિલીફ એક્ટ-૧૯૬૩)ની કેટલીક વધારાની જોગવાઈઓ ખાસ કરીને દાવામાં કોર્ટ તરફથી મનાઈ હુકમ કયા સંજોગોમાં આપી શકાય અને કેવા સંજોગોમાં ના આપી શકાય તે વિષે આ લેખમાં જાણીશું.
હક્ક ઠરાવી આપવાના હુકમનામાં હોદ્દો અથવા હક ઠરાવી આપવા અંગે કોર્ટના વિવેકાધિકાર અંગેની પણ જાણકારી મેળવીશું. કોઈ કાનૂની હેસિયત માટે અથવા કોઈ મિલકત અંગેના કોઈ હક માટે હકકદાર વ્યક્તિ એવી હેસિયત હક અંગે પોતે હકદાર હોવાનો ઈન્કાર કરતી અથવા ઈન્કાર કરવામાં હિત ધરાવતી વ્યક્ત સામે દાવો માંડી શક્શે, અને કોર્ટ પોતાની વિવેકબુદ્ધિ અનુસાર, તે દાવામાં એવું ઠરાવી આપી શકશે કે તે, હકદાર છે અને એવા દાવામાં વાદીએ કોઈ વધુ દાદ માગવાની જરૂર નથી. પરંતુ હક ઠરાવી આપવાની જ દાદ માગવા ઉપરાંત વાદી વધુ દાદ માગી શકતો હોય છતાં, તેણે તે ન માગી હોય તો કોઈ કોર્ટથી એવું ઠરાવી આપી શકાશે નહીં.

સ્પષ્ટીકરણઃ- મિલકતો ટ્રસ્ટી, જે વ્યક્તિ હયાત ન હોય, પણ જો તે હયાત હોત તો પોતે તેનો ટ્રસ્ટી હોય તે વ્યકિતના હકને પ્રતિકૂળ હકનો ઈન્કાર કરવામાં હિત ધરાવતી વ્યકિત છે.
હક ઠરાવી આપવાની અસર આ પ્રકરણ હેઠળ કરી આપેલો ફરાવ ફક્ત દાવાના પક્ષકારોને અને અનુકમે તેમની મારફત હક્ક પ્રાપ્ત કરનાર વ્યક્તિઓને અને તેમાના કોઈ પક્ષકારો ટ્રસ્‍ટી હોય ત્યારે જે વ્યક્તિઓ ઠરાવ કરી આપવાની તારીખે હયાત હોય તો તે પક્ષકારો તેના ટ્રસ્ટી હોત તે વ્યક્તિઓને બંધનકર્તા છે.

નિવારક દાદ : મનાઈ હુકમો વિશે સામાન્ય જોગવાઈઓ નિવારક દાદ કેવી રીતે અપાય ? નિવારક દાદ કોર્ટની વિવેકબુદ્ધિ અનુસાર હંગામી અથવા કાયમી મનાઈહુકમની આપવામાં આવશે.
હંગામી અને કાયમી મનાઈ હુકમો ઃ હંગામી મનાઈ હુકમો, નિર્દિષ્ટ કરેલા સમય સુધી અથવા કોર્ટ બીજો હુકમ ન કરે ત્યાં સુધી ચાલુ મનાઈ હુકમો છે અને એવા મનાઈહુકમો દાવાના કોઈપણ તબકકે આપી શકાશે અને દીવાની અધિનિયમ, ૧૯૦૮ મુજબ તેમનું નિયમન થશે. કાયમી મનાઈ હુકમ દાવાની સુનાવણી વખતે અને દાવાના ગુણદોષ ઉપરથી કરેલા હુકમનામાં આપી શકાય, તેવા મનાઈ હુકમથી વાદીના હકની વિરુધ્ધ હોય એવો કોઈ હક પ્રતિપાદિત કરવાની અથવા એવું કોઈ કાર્ય કરવાની પ્રતિવાદીને કાયમને માટે મના કરવામાં આવે છે.
કાયમી મનાઈહુકમ ક્યારે અપાય ?
(૧) કોર્ટ દ્ધારા કાયમી મનાઈહુકમ આ પ્રકરણની અથવા તેમાં ઉલ્લેખેલી બીજી જોગવાઈઓને અધીન રહીને, વાદીની તરફેણમાં સ્પષ્ટ કે ગર્ભત રીતે વિદ્યમાન હોય
એવી કોઈ જવાબદારીનો ભંગ થતો અટકાવવા માટે આપી શકાશે.
(૨) એવી કોઈ જવાબદારી કરારમાંથી ઉભી થતી હોય તો કોર્ટ, પ્રકરણ-રમાં જણાવેલ નિયમોને પ્રકરણની જોગવાઈઓને અનુસરશે.
(૩) પ્રતિવાદી જયારે વાદીના મિલકતના હક્ક ઉપર અથવા ભોગવટા ઉપર આકમણ કરે અથવા કરવાની ધમકી આપે ત્યારે કોર્ટ, નીચેના દાખલાઓમાં કાયમી મનાઈ હુકમ આપી શકાશે.
(ક) પ્રતિવાદી વાદીની મિલકતનો ટ્રસ્ટી હોય ત્યારે,
(ખ) આક્રમણને કારણે ખરેખર થાય અથવા થવાનો સંભવ હોય તે કબૂલાત નક્કી કરવા માટે કોઈ ધોરણ ન હોય ત્યારે,
(ગ) આક્રમણ એવું હોય કે નાણાંમાં વળતર આપવાથી પૂરતી દાદ મળી શકતી ન હોય ત્યારે,
(ઘ) બહુવિધ ન્યાયી કાર્યવાહીઓ થતી અટકાવવા માટે એવો મનાઈહુકમ જરૂરી હોય ત્યારે કાયમી મનાઈ હુકમ આપી શકાશે.
આદેશાત્મક મનાઈ હુકમ કોઈ જવાબદારીનો ભંગ થતો અટકાવવા માટે કોર્ટ અમલ કરાવી શકે તેવા ચોકકસ કાર્યો બજાવવાની ફરજ પાડવી જરૂરી હોય, ત્યારે કોર્ટ પોતાની વિવેક્બુદ્ધિ અનુસાર જેના વિશે ફરિયાદ કરવામાં આવી હોય તેનો ભંગ થતો અટકાવવા માટે અને આવશ્યક એવાં કાર્યો બજાવવાની ફરજ પાડવા માટે પણ મનાઈ હુકમ આપી શકશે. જરૂરી હોય, ત્યારે કોર્ટ પોતાની વિવેકબુદ્ધિ અનુસાર જેના વિશે ફરિયાદ કરવામાં આવી હોય તેનો ભંગ. થતો અટકાવવા માટે અને આવશ્યક એવાં કાર્યો બજાવવાની ફરજ પાડવા માટે પણ મનાઈહુકમ આપી શકશે.
મનાઈ હુકમને બદલે અથવા મનાઈહુકમ ઉપરાંત નુક્સાની અંગે ઃ (૧) ઉપર જણાવ્યા મુજબ કાયમી મનાઈહુકમ અથવા હેઠળ આદેશાત્મક મનાઈહુકમ ( ઉ બ કાયમી ઈહુક ઠળ આદેશાત્મક ઈચ્છુક માટેના દાવાનો વાદી, એવા મનાઈહુકમ ઉપરાંત અથવા તેના બદલે નુકસાની માગી શકશે અને કોર્ટ, પોતાને યોગ્ય લાગે તો એવી નુકસાની તેને અપાવી શકશે.
(૨) વાદીએ પોતાની દાવા અરજીમાં નુકસાની અપાવવાની દાદ માગી ન હોય, તો તેવી કોઈ દાદ આપવામાં આવશે નહીં. પરંતુ દાવા અરજીમાં એવી કોઈ નુકસાની માગવામાં આવી ન હોય તો કોર્ટ, કાર્યવાહીના કોઈપણ એવી માગણી સામેલ કરવા માટે વાદીને વાજબી શરતોએ દાવા અરજીમાં સુધારો કરવા દેશે. વાદીની તરફેણમાં વિદ્યમાન હોય એવી કોઈ જવાબદારીનો ભંગ થતો અટકાવવા માટેનો દાવો કાઢી નાખવામાં આવે, તો એવા ભંગ બદલ નુકસાનીનો દાવો માંડવાના તેના હક્કને બાધ આવશે.
મનાઈ હુકમ આપવાની ક્યારે ના પાડી શકાય ? નીચેના સંજોગોમાં કે બાબતો માટે મનાઈહુકમ આપી શકાય નહીં અથવા કોર્ટ મનાઇહુકમ આપે નહીં. (ક) કોઈ વ્યકિતને, જે દાવામાં મનાઈહુકમ માગવામાં આવ્યો હોય તે દાવો માંડતી વખતે નિકાલ બાકી હોય એવી કોઈ ન્યાયિક કાર્યવાહી ચલાવતી રોકવા માટે, સિવાય કે એ પ્રમાણે તેને રોકવી બહુવિધ કાર્યવાહીઓ થતી અટકાવવા માટે જરૂરી હોય. કોઈ વ્યકિતને, જે કોર્ટ પાસે મનાઈહુકમ માગવામાં આવ્યો હોય તેના તાબાની ન હોય એવી કોઈ કાર્યવાહી માંડતી અથવા તેમાં ચલાવતી રોકવા માટે, કોઈ વ્યક્તિને ફોજદારી બાબતમાં કોઈ કાર્યવાહી માંડતી અથવા ચલાવતી રોકવા માટે, જે કૃત્ય ત્રાસદાયક નીવડશે એમ વાજબી રીતે સ્પષ્ટ થતું ન હોય એવું કોઈ કૃત્ય ત્રાસદાયક તે કારણે તે થતું અટકાવવા માટે. વાદીએ જેની મૂક-સંમતિ આપી હોય એવો સતત ભંગ થતો અટકાવવા માટે ઃ વિશ્વાસઘાતના દાખલમાં હોય તે સિવાય, બીજી કોઈ સામાન્ય પ્રકારની કાર્યવાહી દ્વારા એટલી અસરકારક દાદ અવશ્ય મળી શકતી હોય ત્યારે,
(અ) જો તેને કોઈ ઈન્ડ્રાસ્ટ્રકચર પ્રોજેકટની પ્રગતિમાં અથવા પૂર્ણ થવામાં કોઈ અવરોધ અથવા કરતો હોય અથવા તેવી યોજનાની વિષય વસ્તુ હોવાને કારણે તેને સંબંધિત સુસંગત સુવિધાની સતત જોગવાઈઓમાં અથવા બજવણીમાં હસ્તક્ષેત કરતો હોય. વાદીની અથવા તેના એજન્ટની વર્તણૂક એવી હોય કે જેથી કોર્ટની મદદ મેળવવા માટે વાદી ન રહે ત્યારે, (બ) સંબંધિત બાબતમાં વાદીને અંગત હિત ન હોય ત્યારે.
નકારાત્મક કબૂલાતનું પાલન કરવા માટે મનાઈહુકમ ઃ ઉપરોક્ત કલમ-૪, ૧ માં ગમે તે મજકૂર હોય છતાં, કોઈ કરારમાં અમુક કાર્ય કરવા માટેના નકારાત્મક હોય અને તેની સાથે સાથે અમુક કૃત્ય ન કરવા માટેની સ્પષ્ટ અથવા ગર્ભિત નકારાત્મક કબૂલાત હોય ત્યારે કોર્ટ હકારાત્મક કબૂલાતનું યથાનિર્દિષ્ટ પાલન કરવાની ફરજ પાડી શકે નહિ તેવા સંજોગો હોય કોર્ટને નકારાત્મક કબૂલાતનું પાલન કરાવવા માટે મનાઈહુકમ આપવામાં બાધ આવશે નહીં.

નોંધ:-(જમીન/મિલકત માટેના લેખોના સંદર્ભે વાચકોના કોઈ સૂચન કે પ્રશ્નો હોય તો ‘નવગુજરાત સમય’ ના નવા સરનામે (૧૦૧, પહેલો માળ, ઓમ શાયોના આર્કેડ, સિલ્વર ઓક કોલેજ પાસે, ગોતા, અમદાવાદ-૩૮૨૪૮૧) લેખિત રૃપે મોકલવા અથવા  લેખકને ઈ-મેઈલ કરવા)

11.07.2023

ઉર્જા ક્ષેત્રના સુધારા' - 'પરંપરાગત (Renewable) વીજળી ઉપર ભવિષ્ય'

  લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)

- ઊર્જા નિતી-૨૦૨૩  સપ્ટેમ્બર ૨૦૨૮ સુધી એટલે કે પાંચ વર્ષના સમયગાળા માટે અમલી રહેશે 

- રાજ્ય સરકારના ડીમ્ડ એન.એ.ના પરિપત્રમાં સુધારો જરૂરી


ગતાંકથી ચાલુઃ-

ગત આર્ટિકલમાં રાજ્ય સરકારના ઊર્જા અને પેરોકેમીકલ વિભાગ દ્વારા તા. ૪/૧૦/૨૦૨૩ના ઠરાવથી પરંપરાગત (Renewable) ઊર્જા નિતી-૨૦૨૩ બહાર પાડવામાં આવી છે તે અંગે વર્ણન કરવામાં આવેલ, આ નિતી સપ્ટેમ્બર ૨૦૨૮ સુધી એટલે કે પાંચ વર્ષના સમયગાળા માટે અમલી રહેશે અને અગાઉ સોલર પોલીસી-૨૦૨૧ અને પવન (Wind) ઊર્જાની ૨૦૧૮ અને ૨૦૧૬ની નિતી આ ઠરાવથી “Supersede” કરવામાં આવે છે અને સર્વગ્રાહી સ્વરૂપે આ નિતીનો અમલ કરવાનો છે. વર્ષો પહેલાં સૌર ઊર્જા માટે 'કુકર' નો ઉપયોગ થતો હવે “Roof Top” સોલર પ્રચલિત બન્યુ છે અને ઘણા વીજગ્રાહકો હવે 'નેટ મીટરીંગ' થવાથી અને ટેકનોલોજીમાં સુધાર થવાથી “Photovoltaic”ની ગુણવત્તા સાથે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની સબસીડીની નિતીના કારણે તેમજ ગ્રોસ મીટરીંગથી જીઈઆરસી (Gujarat Electricity Regulatory Commission) દ્વારા મંજુર કરેલ નિયમો મુજબ પેદા કરેલ વધુ પાવર નક્કી કરેલ ટેરીફ મુજબ વિજવીતરણ કંપનીઓને જે બજાર કિંમત નક્કી કરવામાં આવી હોય તે મુજબ વેચી શકાય છે અને આ અંગે ૨૫ વર્ષ સુધીના પીપીએ (Power Purchase Agreement) થઈ શકે છે. આજ રીતે ગ્રાઉન્ડ માઉન્ટ સોલર (Ground Mount Solar) પ્લાન્ટ સરકારી કે ખાનગી જમીનમાં સ્થાપિત થઈ શકે છે અને આ ઉત્પાદિત કરેલ પાવર ડીસ્ટ્રીબ્યુશન કંપનીને આપી શકાય છે અને તેજ રીતે પોતાના ઉપયોગ (Captive Use) માટે વપરાશ થઈ શકે છે અને તે અંગે વીજપ્રવહન માટે Wheeling Charge જે નક્કી કરવામાં આવે તે ભરપાઈ કરવાના થાય છે. 

આ ઉપરાંત જુદાજુદા Models થી પરંપરાગત વીજળી ઉત્પાદન કરવામાં આવે તેમાં Floating / Canal Based Solarનિી પણ નિતી નક્કી કરવામાં આવી છે. ગુજરાતમાં જુદાજુદા ડેમ અને કેનાલ આવેલ છે. દા.ત. ખાસ કરીને નર્મદા કેનાલ અને રાજ્યના સિંચાઈ વિભાગ હસ્તકના ડેમ / કેનાલ ઉપર જે સોલર પેનલ મુકવામાં આવે તેમાં રાજ્યની વિજવીતરણ કંપનીઓને વેચી શકાય છે અને સબંધિત વિભાગ પણ પોતાના માટે ઉપયોગ કરવાની જોગવાઈઓ છે અને થર્ડ પાર્ટીને પણ વેચી શકાય અને તે અંગેની Royalty જે નક્કી કરવામાં આવે તે ખરીદનારે ચુકવવાની થાય છે. 

આજ રીતે Wind Power Project પણ ખાનગી અને સરકારી જમીન ઉપર સ્થાપિત થઈ શકે અને પોતાના ઉપયોગ અથવા ખાનગી વ્યક્તિને તેમજ વીજવીતરણ કંપનીઓને વેચી શકાય છે. આજ રીતે Wind-Solar Hybrid Plant પણ આ નિતી અંગે જીઈઆરસી નિયમો નક્કી કરે તે ટેરીફ અનુસાર નિયમન કરવાનું છે. આ તમામ  નિતીની વિગતવાર માર્ગદર્શક સુચનાઓ ઉર્જા વિભાગની Website ઉપર ઉપલબ્ધ છે.

રાજ્ય સરકારની Renewable Energyની નિર્ધારિત લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે તેને અમલીકૃત કરવા માટે જમીનની જરૂરિયાત અગત્યનું પરિબળ છે અને તેને ધ્યાનમાં લેતાં સરકારના મહેસુલ વિભાગના તા. ૧૬/૧૦/૨૦૨૩ના પરિપત્ર ક્રમાંકથી ગુજરાત રાજ્યમાં સ્થપાતા રીન્યુએબલ એનર્જીના તમામ પ્રોજેક્ટસ માટે ખાનગી માલીકીની લીઝથી ધારણ કરેલ જમીનને મહત્તમ ૩૦ વર્ષ માટે હંગામી બિનખેતીની પરવાનગી આપણે નિર્ણય કર્યો છે તેનો ઉદ્દેશ રાજ્ય સરકાર દ્વારા જે લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે તે માટે ગુજરાતના ઔદ્યોગિક સાહસિકો તેમજ જમીન માલીકોને ફાયદો થાય તેવા ઉદ્દેશથી આવી જમીનોમાં રીન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ સ્થાપવા માટે ડીમ્ડ (Deemed) NA બિન ખેતીની પરવાનગીનો લાભ મળે તે માટે પ્રામાણિક ઔદ્યોગિક હેતુ (Bonafide Industrial Purpose) તરીકે માન્યતા મળેલ હોઈ તે માટે જમીન ખરીદવા અને ઉપયોગ કરવા માટે જમીન મહેસુલ અધિનિયમની કલમ-૪૮ તથા કલમ-૬૫બી હેઠળ આવરી લઈ તેને ખરેખર (Actual) ઔદ્યોગિક હેતુ ગણી Deemed એન.એ. પરવાનગી આપવાની જોગવાઈ કરી છે. આ અંગે સબંધિત જીલ્લાના પ્રાન્ત અધિકારીઓને સત્તા આપવામાં આવી છે. અને ૩૦ દિવસમાં નિર્ણય લેવા જણાવવામાં આવ્યું છે

11.02.2023

સગીરનો હિસ્સો માત્ર જરૂરિયાતના અથવા દેખીના ફાયદા માટે હોય તેવા જ કિસ્સામાં વેચાણ પરવાનગી મંજૂર થવી જોઈએ



જ્યારે કોઈ સ્થાવર મિલકતમાં સગીરનું હિત- હિસ્સો સમાયેલો હોય તો તેવા સંજોગોમાં સગીરના હિતની તબદીલીના લખાણો કરતા અગાઉ સક્ષમ કોર્ટની પૂર્વ પરવાનગી મેળવવી જરૂરી છે તેમ છતાં જો કોઈ સ્થાવર મિલકતમાં કોઈ સગીરનો વણવહેંચાયેલો હિસ્સો સમાયેલો હોય અને તેવી મિલકતનું સગીરના કુદરતી વાલી અથવા અન્ય કોઈ દ્વારા તેવા સગીરનું હિત સમાવિષ્ટ હોય તેવી સ્થાવર મિલકતનું વેચાણ કોઈપણ જાતની વાજબી જરૂરિયાત વિના કે સગીરનું હિત જોખમમાં મુકાય તે રીતે અને તેવા વેચાણ વ્યવહાર અંગે સક્ષમ કોર્ટ કનેથી સગીર વતી પરવાનગી મેળવ્યા વિના કરી દેવામાં આવે તો તેવું વેચાણ મૂળથી જ નલ એન્ડ વોઇડ રહે છે. અને તેવું વેચાણ સગીરને બંધનકર્તા રહેતું નથી. જેથી આવા દરેક કિસ્સામાં ભવિષ્યમાં તકરારો- દાવાદુવીના પ્રકરણો ઉપસ્થિત થવાની શક્યતાઓ- સંભાવનાઓ રહેલી હોય છે.


તેમજ જ્યારે સગીરના હિસ્સાનું વેચાણ કરવા સંબંધી પરવાનગી અરજી કોર્ટમાં દાખલ કરવામાં આવે ત્યારે નામદાર કોર્ટ દ્વારા હિન્દુસગીરત્વ અને વાલીપણા અધિનિયમની જોગવાઈઓ તથા તેવી અરજીના અનુરૂપ તથ્યો આધારિત દરેક પ્રકારના પાસાઓ કાળજીપૂર્વક ધ્યાને લેવામાં આવે છે અને સગીરના હિતેચ્છુ એવા તમામ સંબંધિત પક્ષકારો કે જેઓ સગીરો અને તેમની મિલકતને સંબંધિત હકીકતોની જાણકારી ધરાવતા હોય તેને સાંભળશે અને તમામ હકીકતો જાણી અને નામદાર કોર્ટને જો સ્થાવર મિલક્તમાં રહેલ સગીરના હિતનું વેચાણ કરવું એ માત્ર સગીરની જરૂરિયાતના અથવા સગીરના દેખીતા ફાયદા માટે હોય તેવા જ કિસ્સામાં તેવી પરવાનગી મંજૂર કરશે

10.29.2023

સ્થાવર મિલકતથી વંચિત કરાયા હોય તેઓ તેનો કબજો-ભોગવટો કેવી રીતે મેળવી શકે?

તમારી જમીન, તમારી મિલકત 

> નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ)

યથાનિર્દિષ્ટ અધિનિયમ-૧૯૬૩ (સ્પેસિફિક રિલીફ એક્ટ-૧૯૬૩) હેઠળ યથાનિર્દિષ્ટ દાદ દિવાની કોર્ટમાં સ્થાવર અને જંગમ મિલકત અંગે દાદ માગી શકાય છે જે પૈકીની કેટલીક વિગતો આ લેખમાં જોઈશું. મિલકતનો કબજો પાછો મેળવવા વિશે: (૧) નિર્દિષ્ટ સ્થાવર મિલકત પાછી મેળવવા બાબત : નિર્દિષ્ટ સ્થાવર મિલકતનો કબજો ધરાવવા માટે હક્કદાર વ્યક્તિ દિવાની કાર્યરીતિ અધિનિયમ-૧૯૦૮ માં ઠરાવેલી રીતે તેનો કબજો પાછો મેળવી શકશે. (૨) સ્થાવર મિલકતના કબજાથી વંચિત કરાયેલી વ્યક્તિનો દાવોઃ (૧) કાયદા અનુસાર હોય તે સિવાય કોઈ વ્યકિત તેની સંમતિ વિના સ્થાવર મિલકતના કબજાથી વંચિત કરવામાં આવી હોય તો, તે વ્યક્તિ અથવા (જેની મારફતે તેનો કબજો રહ્યો હોય તેવી વ્યકિત અથવા ) તેની મારફત હક્ક-દાવો કરનાર વ્યકિત, દાવો માંડીને, એવા દાવામાં બીજો કોઈ હક્ક દાખવવામાં આવે છતાં, તે મિલકતનો કબજો પાછો મેળવી શકશે. (૨) આ કલમ હેઠળનો કોઈપણ દાવોઃ (ક) કબજારહિત થયાની તારીખથી છ મહિના પૂરા થયા પછી અથવા (ખ) સરકાર વિરુદ્ધ લાવી શકાશે નહીં. (૩) આ કલમ હેઠળ માંડેલા દાવામાં થયેલા કોઈ હુકમ અથવા હુકમના સામે અપીલ થઈ શકશે નહીં તેમજ એવા કોઈ હુકમ અથવા હુકમનામાનું પુનર્વિલોકન થઈ શકશે નહીં.

નિર્દિષ્ટ જંગમ મિલકત પાછી મેળવવા બાબતઃ નિર્દિષ્ટ જંગમ મિલકતનો કબજો ધરાવવા માટે હક્કદાર વ્યકિત, ‘દિવાની કાર્યરીતિ અધિનિયમ ૧૯૮૦ માં ઠરાવેલી રીતે તેનો કબજો પાછો મેળવી શકશે. સ્પષ્ટીકરણઃ (૧) કોઈ ટ્રસ્ટી, પોતે જેનો ટ્રસ્ટી હોય તે વ્યક્તિ જે જંગમ મિલકતમાંના ફાયદાકારક હિત માટે હક્કદાર હોય તે મિલકતનો કબજો મેળવવા માટે આ કલમ હેઠળ દાવો માંડી શકશે. સ્પષ્ટીકરણઃ (ર)  કોઈ જંગમ મિલકતનો વર્તમાન કબજો ધરાવવાનો ખાસ અથવા હંગામી હક્ક આ કલમ હેઠળના દાવાના સમર્થન માટે પૂરતો છે.

માલિક તરીકે કબજો ધરાવતી ન હોય તે વ્યક્તિની તત્કાળ કબજા માટે હક્કદાર વ્યક્તિને કબજો સોંપી દેવાની ફરજઃ જેનો પોતે માલિક ન હોય એવી અમુક જંગમ વસ્તુનો કબજો ધરાવનારી અથવા તેનું નિયંત્રણ કરનારી વ્યક્તિને તે વસ્તુ, તેનો તત્કાળ કબજો ધરાવવા હક્કદાર વ્યક્તિને નીચેના કોઈપણ દાખલામાં નિર્દિષ્ટ રીતે આપી દેવાની ફરજ પાડી શકાશે. (ક) જેના માટે દાવો કરવામાં આવતો હોય તે વસ્તુ પ્રતિવાદી, વાદીના એજન્ટ અથવા ટ્રસ્ટી તરીકે ધરાવતો હોય ત્યારે, (ખ) જેના માટે દાવો કરવામાં આવતો હોય તે વસ્તુ પાછી ન મળવા બદલ નાણાંમાં વળતર આપવાથી વાદીને પૂરતી દાદ મળે નહીં ત્યારે (ગ) તે વસ્તુ પાછી ન મળવાથી થતું ખરેખર નુક્સાન કરવું મુશ્કેલ હોય ત્યારે, (ઘ) જેના માટે દાવો કરવામાં આવતો હોય તે વસ્તુનો કબજો વાદી પાસેથી ગેરકાયદે મેળવવામાં આવ્યો હોય ત્યારે, સ્પષ્ટીકરણઃ- વિરુદ્ધનું સાબિત ન થાય તો અને ત્યાં સુધી આ કલમના ખંડ(ખ) અથવા ખંડ (ગ) હેઠળ જેના માટે દાવો કરવામાં આવતો હોય તેવી કોઈપણ જંગમ વસ્તુ અંગે કોર્ટ એવું માની લેશે કે યથાપ્રસંગ- (ક) તે વસ્તુ પાછી ન મળવા બદલ નાણાંના વળતર આપવાથી વાદીને પૂરતી દાદ મળે નહીં, અથવા (ખ) તે વસ્તુ પાછી ન મળવાથી થતું ખરેખર નુકસાન નક્કી કરવું અત્યંત મુશ્કેલ થશે.

કરારોનું યથાનિર્દિષ્ટ પાલન અંગેની જોગવાઈ કરારના આધારે દાદ મેળવવા માટેના દાવા અંગે બચાવઃ આ અધિનિયમમાં અન્યથા જોગવાઈ કરવામાં આવી હોય તે સિવાય કોઈ અંગે આ પ્રકરણ હેઠળ દાદ માગવામાં આવે ત્યારે જેની સામે દાદ માગી હોય તે વ્યકિત, કરારો સંબંધી કોઈ કાયદા હેઠળ તેને ઉપલબ્ધ હોય તેવો કોઈપણ આધાર પોતાના બચાવ તરીકે પ્રતિપાદિત કરી શકશે. નિર્દિષ્ટ રીતે અમલ કરાવી શકાય તેવા કરારો: કરારોના યથાનિર્દિષ્ટ પાલન બાબતઃ ન્યાયાલય દ્વારા કોઈ કરારનું યથાનિર્દિષ્ટ પાલન સ્પેસિફિક રિલીફ એકટની કલમ-૧૧ ની પેટા કલમ (૨), કલમ-૧૪ અને કલમ-૧૬ માંની જોગવાઈઓને આધીન રહીને કરવામાં આવશે.)

ટ્રસ્ટ સાથે સંબંધ ધરાવતા કરારોનું યથાનિર્દિષ્ટ પાલન કરાવી શકાય તેવા દાખલાઓઃ (૧) આ અધિનિયમમાં અન્યથા જોગવાઈ કરવામાં આવી હોય તે સિવાય, જે કાર્ય કરવા માટે કબૂલાત થઈ હોય તે કોઈ ટ્રસ્ટના પૂરા અથવા અંશતઃ પાલન માટે કરવાનું હોય, તો (તે કરારનું યથાનિર્દિષ્ટ પાલન કરાવશે). (૨) કોઈ ટ્રસ્ટીએ પોતાની સત્તા બહાર થઈને અથવા વિશ્વાસઘાત કરીને કરેલા કરારનો  નિર્દિષ્ટ રીતે અમલ કરાવી શકાય નહીં.

કરારના કોઈ એક ભાગનું યથાનિર્દિષ્ટ પાલનઃ (૧) આ કલમમાં હવે પછી અન્યથા જોગવાઈ કરવામાં આવી હોય તે સિવાય, કોર્ટથી કરારના કોઈ એક ભાગનું યથાનિર્દિષ્ટ પાલન કરવાનો આદેશ કરી શકાશે નહીં. (૨) કરારના કોઈ પક્ષકાર કરારના પોતાના પૂરેપૂરા ભાગનું પાલન કરી શકે તેમ ન હોય પણ પાલન કાર્ય વિના રહેવા દેવો પડે તે ભાગ પૂરા ભાગના પ્રમાણમાં મૂલ્યમાં ઘણો નાનો હોય અને તેનું નાણાંમાં વળતર આપી શકાય તેમ હોય ત્યારે, બેમાંથી કોઈ પક્ષકારના દાવામાં, કોર્ટ, કરારના જે ભાગનું પાલન કરી શકાય, તેમ હોય તે ભાગનું યથાનિર્દિષ્ટ પાલન કરવાનો આદેશ કરી શકશે અને બાકીના ભાગ માટે નાણાંમાં વળતર અપાવી શકશે. (ક) નાણાંમાં વળતર આપી શકાતું હોય છતાં, સદરહુ પૂરા ભાગનો તે એક ગણનાપાત્ર અંશ હોય, અથવા (ખ) તેનું નાણાંમાં વળતર આપી શકાય તેમ ન હોય, ત્યારે તે પક્ષકાર યથાનિર્દિષ્ટ પાલન માટેનું હુકમનામું મેળવવા હક્કદાર થશે નહીં, પણ કોર્ટ બીજા પક્ષકારના દાવામાં, જો તે પક્ષકાર- (૧) ખંડ (ક) હેઠળ આવતા દાખલમાં જે ભાગ પાલન કર્યા વિના રહેવા દેવો પડે તે ભાગ પૂરતો અવેજ બાદ કરીને આખા કરાર માટે નકકી થયેલો અવેજ ચૂકવી આપે અથવા તેણે ચૂકવી આપ્યો હોય તો અને ખંડ(ખ) હેઠળ આવતા દાખલામાં કશું ઓછું કર્યા વિના આખા કરાર માટેનો અવેજ ચૂકવી આપે અથવા તેણે ચૂકવી આપ્યો હોય, અને (૨) બેમાંથી કોઈપણ દાખલામાં કરારના બાકીના ભાગનું પાલન કરાવવાના તમામ દાવા અને કરારના અધૂરા પાલન બદલ અથવા પ્રતિવાદીની કસૂરને લીધે તેણે ભોગવેટલી ખોટ અથવા નુકસાન બદલ વળતર મેળવવાના પોતાના તમામ હક્ક જતા કરે, તો કસૂર કરનાર પક્ષકાર પોતે કરી શક્તો હોય તેવું તે કરારના તેના ભાગનું યથાનિર્દિષ્ટ પાલન કરવાનો કોર્ટ તેને આદેશ કરી શકશે. (૪) કરારના જે ભાગનું નિર્દિષ્ટ રીતે પાલન કરી શકાય તેમ હોય અને કરવું જોઈએ તે ભાગ, તે જ કરારના બીજા જે ભાગનું નિર્દિષ્ટ રીતે પાલન કરી શકાય તેમ ન હોય કે કરવું પણ ન જોઈએ.

તે ભાગથી કોઈ અલાયદી અને અલગ ભૂમિકા ઉપર હોય ત્યારે, કોર્ટ પહેલાં જણાવેલા ભાગના યથાનિર્દિષ્ટ પાલન માટે આદેશ કરી શકશે. સ્પષ્ટીકરણઃ- કરારના કોઈ પક્ષકારે કરારના જે ભાગનું પાલન કરવાનું હોય તેની વિષયવસ્તુનો કોઈ ભાગ કરારની તારીખે હસ્તીમાં હોય પણ કરારનું પાલન કરાવવાના સમયે હસ્તીમાં ન હોય તો, તે પક્ષકાર આ કલમના હેતુઓ માટે તે કરારનું પોતાના ભાગનું પૂરેપૂરું પાલન કરવા અશક્તિમાન છે એમ ગણાશે. હક વગરની અથવા અધૂરા હકવાળી વ્યક્તિ વિરુદ્ધ ખરીદનારના અથવા પટ્ટેદારના હકકઃ (૧) હક વગરની અથવા ફક્ત અધૂરા હક્કવાળી વ્યકિત કોઈ સ્થાવર મિલકત વેચવાનો અથવા ભાડે આપવાનો કરાર કરે ત્યારે (આ પ્રકરણની બીજી જોગવાઈઓને અધીન રહીને) ખરીદનાર અથવા પટ્ટેદારને નીચેના હક્ક રહે છે. (ક) કરાર કર્યા પછી વેચનારે અથવા પટ્ટે આપનારે તે મિલકતમાં કંઈ હિત સંપાદિત કર્યું હોય તો ખરીદનારના અથવા પટેદાર એવા હિતમાંથી કરાર પૂરો કરવાની તેને ફરજ પાડી શકશે. (ખ) હક્ક કાયદેસરનો બનાવવા માટે બીજી વ્યક્તિઓની સહમતિની જરૂર હોય અને તેઓ વેચનાર અથવા પટ્ટે આપનારની વિનંતી ઉપરથી સહમતિ આપવા માટે બંધાયેલ હોય, ત્યારે ખરીદનાર અથવા પટ્ટેદાર એવી સહમતિ મેળવવા માટે તેને ફરજ પાડી શકશે અને જયારે હક્ક કાયદેસરનો બનાવવા માટે બીજી વ્યક્તિઓએ તે મિલકતની માલિકી ફેર કરી આપવાની જરૂર હોય અને તેઓ વેચનાર અથવા પટ્ટે આપનારની વિનંતી ઉપરથી માલિકીફેર કરી આપવા માટે બંધાયેલ હોય, ત્યારે ખરીદનાર અથવા પટ્ટેદાર તે મિલકતનો માલિકીફેર કરાવી આપવાની તેને ફરજ પાડી શકશે. (ગ) વેચનાર બોજારહિત મિલકત વેચવાનું કહેતો હોય, પણ ખરીદ-કિંમત કરતાં વધુ નહીં એવી રકમ માટે તે મિલકત ગીરો મૂકેલી હોય અને હકીકતમાં વેચનારને કેવળ તે મિલકત છોડાવવાનો હક હોય ત્યારે, ખરીદનાર, ગીરો છોડાવવાની અને બોજામાંથી કાયદેસરની મુકિત મેળવવાની અને જરૂર હોય ત્યારે ગીરોદાર પાસેથી માલિકીફેર ખત પણ મેળવી આપવાની વેચનારને ફરજ પાડી શકશે. (ઘ) વેચનાર અથવા પટ્ટે આપનાર કરારના યથાનિર્દિષ્ટ પાલન માટે દાવો માંડે અને તેને હક્ક ન હોવાને અથવા તેનો હક્ક અધૂરો હોવાને કારણે દાવો કાઢી નાખવામાં આવે ત્યારે પ્રતિવાદીને તેની કંઈ અનામત ૨કમ હોય તો તે વ્યાજ સાથે મેળવવાનો, પોતાનું દાવા ખર્ચ મેળવવાનો, અને એવી અનામત રકમ, વ્યાજ અને ખર્ચને માટે કરારની વિષયવસ્તુમાં વેચનારનું અથવા પટ્ટે આપનારનું કોઈ હિત હોય તેના ઉપર લિયનનો હકક છે. પેટા કલમ-(૧) ની જોગવાઈઓ જંગમ “મિલકતનું વેચાણ કરવાના અથવા તે ભાડે આપવાના કરારને પણ શક્ય હોય ત્યાં સુધી લાગુ પડશે.

નોંધ:-(જમીન/મિલકત માટેના લેખોના સંદર્ભે વાચકોના કોઈ સૂચન કે પ્રશ્નો હોય તો ‘નવગુજરાત સમય’ ના નવા સરનામે (૧૦૧, પહેલો માળ, ઓમ શાયોના આર્કેડ, સિલ્વર ઓક કોલેજ પાસે, ગોતા, અમદાવાદ-૩૮૨૪૮૧) લેખિત રૃપે મોકલવા અથવા  લેખકને ઈ-મેઈલ કરવા)

10.20.2023

સામાન્ય રીતે વિલ કરી આપતી વખતે કઇ કઇ બાબતો ધ્યાનમાં લેવી જોઇએ?

 

કોરા કાગળ ઉપર સહી લઈને પાછળથી વિલ લખવામાં આવ્યું હોય ત્યારે આવું વિલ ચોકક્સપણે નિરર્થક છે




તમારી જમીન,  તમારી મિલકત

 > નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ)

ભારતીય વારસાહક્ક અધિનિયમ-૧૯૨૫ ની ક્લમ-%૩ માં કોઈ ખાસ વ્યક્તિઓ દ્વારા કરાયેલા કે કરવાના વિલ યાને વસિયતનામા બાબતે જરૂરી જોગવાઈઓ કરેલ છે.
કોઈ લશ્કરી પ્રસ્્થાનનું કામ કરતો અથવા ખરેખર યુદ્ધમાં રોકાયેલો સૈનિક (અથવા એ રીતે કામ કરતો કે રોકાયેલો વિમાની) અથવા દરિયાઈ સફર ખેડતો નાવિક હોય એવા દરેક વિલ કરનારે, પોતાનું વિલ નીચેના નિયમો અનુસાર કરી આપવું જોઈએ.
(ક) વિલ કરનારે વિલ ઉપર પોતાની સહી કરવી જોઈશે અથવા પોતાની અંગુઠાની નિશાની લગાડવી જોઈશે, અથવા બીજી કોઈ વ્યકિતઓએ તેની હાજરીમાં અને તેની સૂચના અને કહેવા મુજબ તેના ઉપર સહી કરવી જોઈશે.
(ખ) વિલ કરનારની સહી અથવા અંગૃઠો નિશાની અથવા તેના વતી સહી કરનાર વ્યકિતની સહી એ રીતે કરવી જોઈશે કે તેમ કરવાથી લખાણને વિલ તરીકે અસરકર્તા બનાવવાનો ઈરાદો હતો તેવું જણાઈ આવે.
(ગ) વિલ ઉપર એવા બે કે વધુ સાક્ષીઓને સાખ એટલે કે સાક્ષી કરવી જોઈશે કે જેમાના દરેક વિલ કરનારને વિલ ઉપર સહી કરતાં અથવા તેનું અંગુઠાનું નિશાન કરતાં જોયો હોય અથવા વિલ કરનારની હાજરીમાં અને તેના આદેશથી કોઈ બીજી વ્યક્તિને વિલ ઉપર સહી કરતાં જોઈ હોય અથવા જેની પાસે વિલ કરનારે પોતાની સહી અથવા નિશાન કર્યાનું અથવા એવી બીજી વ્યકૅતિએ સહી કર્યાનું જાતે કબૂલ કર્યું હોય અને સાક્ષીઓ પેકી દરેકે વિલ કરનારની હાજરીમાં વિલ ઉપર સહી કરવી જોઈશે, પણ એકથી વધુ સાક્ષીઓનું એક સાથે હાજર હોવું જરૂરી રહેશે નહિ. અને અમુક રીતે જ સાખ કે સાક્ષી સહી કરવી જરૂરી રહેશે નહિ. (આ કલમ હિન્દુઓ, બોદ્ધો, શીખો તેમજ જેનોને લાગુ પડે છે.)
# જજમેન્ટસ
# પિતાએ તેની અપરિણીત અપંગ પુત્રીની તરફેણમાં વસિયત કરતાં તેનો વિરોધ મોટી બે પુત્રીઓ દ્વારા કરાયો હતો. જ્યારે ભાઈઓ બે વિરોધ ન દર્શાવ્યો. પુરાવાથી જણાવ્યું કે વસિયતકર્તા વસિયતનો કાયદો ઘડવા વકીલને સૂચના આપવા ગયેલા. જે વસિયતમાં વિરોધ કરનાર બન્ને પુત્રીઓની સહીઓ હતી. લાભ મેળવનાર પુત્રીની તરફેણમાં ગૌણ વિરોધાભાસોના કારણે અમલીકરણ પુરવાર થયું નથી તેવું ઠરાવવામાં કેસ ચલાવનાર અદાલતની ભૂલ જણાવી હતી.
# વ્યક્તિનું વડીલોપાર્જિંત મિલકતમાં મજિયારું હિત રહેલું છે, પરંતુ વસિયતમાં મિલકત સ્વ-ઉપજની બતાવેલી હોય તેથી વસિયત રદ થાય નહીં. આવી મિલકત મજિયારી સાબિત કરી શકાય તો વારસદાર પોતાનું હિત માગી શકે.
કેસ લૉ : નલિનીબેન એસ. પટેલ વિ. એર્સ ઓફ જશોદાબેન સી. પટેલ જી.એલ.આર. ૨૦૦૦(૩) ૨૨૬૬.
# વ્યકિતના વિલનું સાચા અર્થમાં અર્થઘટન થવું જોઈએ. પોતાની પુત્રીને વિલથી આપેલી મિલકતને તેનો પતિ વેચવાનો અધિકાર ધરાવતો ન હતો. પતિ-પત્ની બંને અલગ રહેતાં હતાં. આવા સંજોગોમાં જ્યારે પતિ તેના અડધા ભાગની અડધી મિલકત માટે દાવો કરે તો ચાલવાપાત્ર નથી.
# વસિયતકર્તા વસિયત પોતાની બનાવતી વખતે સ્થિર મગજનો અને વસિયતી બાબત સમજી સહી કરવાને સમર્થ હતો તેવું સાબિત કરવાનો બોજો પ્રતિવાદી ઉપર રહે છે. જી.એલ.એચ. ૧૯૯૯(૧) પાન નં. ૫૯%
# કોઈપણ વિલનું ખરાપણું જ્યાં પ્રોબેટની જરૂરિયાત હોય ત્યાં પ્રોબેટની કાર્યવાહીથી નક્કી થઈ શકે. દિવાની કાર્યવાહી ઓર્ડર -ર૨ રૂલ –પ હેઠળ વિલની ખરાઈ કરી શકાય નહિ તેવું નામદાર કોર્ટે ઠરાવેલ છે. કેસ લૉ :- શ્રીમતિ શર્મિષ્ઠાદેવી સૂર્વે વિ. લાલ સાહેબ એઆઈઆર ૧૯૯૬(મ.પ્ર.) પાન નં. ૧૩
# વિલમાં સાક્ષી કરનાર સાક્ષીએ તેની જાતે સહી નિશાની કરવી જોઈએ. બીજા વતી આવી સહી “નિશાની કરી હોય તો તે નિરર્થક બને. કેસ લૉ : ૧૯૯૮(૫) સુ.કો.કે. પાન નં. ૨૮૫
# કોરા કાગળ ઉપર સહી લઈને પાછળથી વિલ લખવામાં આવ્યું હોય ત્યારે આવું વિલ ચોકક્સપણે નિરર્થક છે- વિલ લખનાર ક્યારેચ સાક્ષી બની શકે નહિ. જ્યારે વિલનો સાક્ષી વિલ કરનાર સહી કરતો હોય કે વિલ લખવામાં આવ્યું હોય ત્યારે હાજર હોવો જરૂરી નથી. કેસ લોં : એ.આઈ.આર.૧૯૯૫ ક્રિ.પો. પાના નં. ૭૪
# કલમ ૬૩ જે વ્યક્તિ વિલ રજૂ કરે તેણે વિલ સાબિત કરવું જોઈએ વિલને પડકારનાર જણાવતા નથી કે વિલ કરનાર શારીરિક રીતે એફિલકોડ હતા કે માનસિક રીતે અસમર્થ હતા. પુરાવા પરથી જણાય છે કે સામાવાળા પિતૃપક્ષે સગા હતા. વળી, વિલ કરનાર, સાક્ષીઓ વિલ બનાવતી વખતે હાજર હતા. આવા સંજોગોમાં વિલના ફાઈન્ડીંસમાં દાખલ કરી શકાય નહીં. કેસ લૉ : કમલા દેવી વિ. બલભદ્ર બહેરા સી.સી.સી. ૧૯૯૫(૧) પાન નં. ૮૪
કલમ ૦૬૩, સાક્ષીઓની સરતપાસ વસિયતનામાની તરફેણમાં હતી. પરંતુ ઉલટ-તપાસમાં વિરોધી કથન, સાક્ષીઓના પુરાવા અમાન્ય બન્યા. રજિસ્ટ્રારે પણ એન્ડોર્સમેન્ટની કલમ-૬૩ની શરતો પૂર્ણ કરેલી ન હતી. પુરાવા અધિનિયમની કલમ- ૬૮ મુજબ વિલનું યોગ્ય નિષ્પાદન થતું નથી. માટે વિલની નોંધણીનું કોઈ મહત્વ રહેતું નથી. હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલ નિર્ણય ફેરવી નંખાયો. કેસ લો : ભગવાન કૌર વિ. કરતાર કૌર ૧૯૯૪ (૫) ૨૨. સુ.કો.કે. પાન નં. ૧૩૫
# વિલના નિષ્પાદન માટે વિલ લેખિત હોવું જોઈએ. વિલ કરનારે યોગ્ય રીતે સહી કરેલી હોવી જોઈએ. ઓછામાં ઓછા બે સાક્ષીઓએ તેમાં સાખ કરેલી હોવી જોઈએ. વસિયત કરનાર તે વસિયતમાં સહી કરે કે અંગુઠો કે કોઈ નિશાની કરે તે સહી કરેલી બરોબર ગણાશે તેમજ બીજી વ્યકિતને વિલ કરનારની સંમતિથી તેની હાજરીમાં સૂચનાથી સહી કરે તો તે વિલ કરનારે સહી કરેલી છે તેમ માનવામાં આવે છે.
કોઈ વ્યક્તિએ વિલમાં કઈ જગ્યાએ સહી કરવી તે જણાવતી નથી. બે સાક્ષીઓએ સાખ કરેલી હોવી જોઈએ અને સાક્ષીઓએ વસિયતકર્તાને સહી કરતા જોયેલો હોવો જોઈએ. તેમજ વસિયતકર્તાની હાજરીમાં સાક્ષીઓએ શાખ કરવી જોઈએ. વસિયત લખનાર સાક્ષી ગણાય-- પણ સાક્ષી ગણી શકાય, સાક્ષીએ સહી કરવી જરૂરી નથી. પરંતુ અંગુઠા નિશાની કરી શક્શે. વસિયત કોઈપણ ભાષામાં થઈ શકે, કોઈપણ પદાર્થ, પાન-કાગળ ઉપર થઈ શકે, અને આવું વિલ વસિયતકર્તાના મૃત્યુ બાદ અમલી થાય.
# એચ.યુ.એફ. વડીલોપાર્જિત મિલકતમાં રહેલા હિતનું વ્યક્તિ દ્વારા વસિયત થઈ શકે છે. વધુ સમર્થન માટે દરેક પાના વિલકર્તાની સહી હોવી તે સારું છે. ચોક્કસપણે વિલની નોંધણી જરૂરી નથી અને વિલ રજિસ્ટર્ડ હોવાના એક માત્ર કારણથી તે સાચું અને ખરું બનતું નથી. વિલની ભાષા (લખાણ) તથા સહી જુદી ભાષામાં હોવાને કારણે વિલ ખોટુ ઠરતું નથી અને વિલ પુરાવાના કાયદાની કલમ-૬૭ હેઠળ ચોકક્સપણે પુરવાર થવું જોઈએ.
# કલમ: ૭૦ ની જોગવાઈ મુજબ સામાન્ય વિલ અથવા કોડૅસેલ રદ થવા બાબત. કોઈ સામાન્ય વિલ અથવા કોડિસિલ કે તેનો કોઈ ભાગ લગ્નથી અથવા બીજા વિલ અથવા કોડિસિલથી અથવા આ અધિનિયમમાં અગાઉ જણાવ્યા મુજબ કોઈ સામાન્ય વિલ નિયમસર કરી આપવું જરૂરી હોય એ રીતે વિલ રદ કરવાનો ઈરાદો જાહેર કરતું હોઈ લખાણ નિયમસર કરી આપવું જરૂરી હોય એ રીતે વિલ રદ કરવાનો ઈરાદો જાહેર કરતું કોઈ લખાણ નિયમસર કરી આપવાથી, અથવા વિલ કરનારે અથવા તેની હાજરીમાં અને તેની સૂચના મુજબ કોઈ વ્યકિતને તેને રદ કરવાના ઈરાદાથી અને તેને બાળી નાખવાથી, ફાડી નાખવાથી અથવા બીજી રીતે તેનો નાશ કરવાથી રદ થાય તે સિવાય બીજા તે સિવાય બીજા કારણે તે રદ થશે નહિ. 
પરાધીન સાપેક્ષ પ્રતિસંહરણનો સિધ્ધાંતઃ જયારે વસિયત કરનાર તેના વડે કરવામાં આવેલા અગાઉના વિલ અથવા કોડિસિલને પુનર્જીવિત કરવાના ઈરાદાથી પછીના વિલ અથવા કોડિસિલનો નાશ કરે, ત્યારે એ રદ કરવાનો ઈરાદો શરતી હોય છે અર્થાત, પુનર્જીવિત કરવાના દસ્તાવેજોની કાયદેસરતા બાબતની શરત હોય છે. તેથી જો પુનર્જીવિત કરવાનો હોય તે દસ્તાવેજ કાયદેસર હોય નહીં, દા.ત. જો તે કાયદેસર રીતે કરવામાં આવ્યો ન હોય-તો પછી વિલ રદ થતું નથી. આ સામાન્ય રીતે પરાધીન સાપેક્ષ પ્રતિસંહરણ સિદ્ધાંત તરીકે ઓળખાય છે. આ સિદ્ધાંત લાગુ પાડવામાં ઈરાદાનો સવાલ છે. આ બાબત વસિયત કરનારનો તેના વિલમાં જણાતી ભાષા ઉપરથી નકકી કરવામાં આવે છે. જયાં સુધી પ્રથમનો દસ્તાવેજ અથવા લખાણ અસરકારક રીતે પુનર્જીવિત કરવામાં આવે નહીં ત્યાં સુધી પછીનું વિલ રદ થતું નથી, પરાધીન સાપેક્ષ રદ કરવાનો સિદ્ધાંત લાગુ પડે તે માટે નાશ કરવાનું કૃત્ય કોઈ બોજો વસિયતી દસ્તાવેજ પુનર્જીવિત થતો હોવો જોઈએ

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...