11.19.2023

સંયુક્ત જમીન/મિલ્કતના ભાગીદારો દ્વારા માપણી અને વેચાણ વ્યવહારો અંગેની જોગવાઈઓ

 લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)

- 'જમીન / મિલ્કતનો માલિકી હક્ક નક્કી કરવાની સત્તા સીવીલ કોર્ટનેે'


આપણો દેશ અને ગુજરાત ખેતી પ્રધાન દેશ હોવાથી જમીનોનું સર્વે સેટલમેન્ટ (મોજણી અને જમાબંધી) તરીકે ઓળખાય છે. જે બ્રિટીશ શાસન વ્યવસ્થા દરમ્યાન જમીનોનું પ્રત પ્રમાણે સર્વેક્ષણ કરી કોની પાસે કેટલું જમીન મહેસુલ કરવું તે મુખ્ય બાબત હતી, કારણકે જે તે સમયે રાજ્યનું મુખ્ય આવકનું સાધન જમીન મહેસુલ હતું. “To collect Revenue and administer the state” આ પાયાના સિધ્ધાંત ઉપર અંૈગ્રેજો દ્વારા જમીન મહેસુલ પધ્ધતિ વિકસાવવામાં આવી જે આજે પણ Land Management તરીકે પાયાના માળખા ઉપર ચાલે છે. આપણને સૌને ખબર છે કે જમીન મહેસુલ ઉપર તો અંગ્રેજોની સામે ગાંધીજીએ પ્રથમ ચંપારણ સત્યાગ્રહ કરેલ અને જે તે સફળતા મળેલ, ત્યારબાદ જમીન મહેસુલ ઉપર ખેડા અને બારડોલી સત્યાગ્રહ સરદાર પટેલના નેતૃત્વ હેઠળ થયેલ, બદલાતા જતા સંજોગોમાં રાજ્યની આવક જમીન મહેસુલ ઉપરાંત અન્ય સાધનો ઉપર થવાથી (દા.ત. હાલનું GST / ઈન્કમટેક્ષ વિગેરે) જમીન ઉપરનું મહેસુલ ગૌણ બન્યુ છે. પરંતુ જમીન એ અગત્યનું કુદરતી સંશાધન રહ્યું છે અને હાલ ફક્ત ખેત વિષયક ઉપયોગને બદલે ઔદ્યોગિક, શહેરીકરણ, વાણિજ્ય વિષયક ઉપયોગમાં જમીનનો વ્યાપક ઉપયોગ થાય છે. મુળભુત રીતે જ્યારે ખેતવિષયક કે શહેરી વિસ્તારોમાં સમાવિષ્ઠ જમીનોનું સર્વે કરવામાં આવ્યુ ત્યારે જમીન કે મિલક્ત ધારક તરીકે સબંધિત કુટુંમ્બના જ્યેષ્ઠ વ્યક્તિ કે ધારકના નામ લખવામાં આવેલ જેને મુળ Promulgation Entries ગણવામાં આવે છે અને તે આધારે જમીનોના 7 x 12 અથવા તો સીટી સર્વે વિસ્તારોમાં હક્ક ચોક્સી રજીસ્ટર આધારે મિલ્કતના કાર્ડ બનાવવામાં આવ્યા. જમીન મહેસુલ અધિનિયમમાં સૌ પ્રથમ ૧૯૦૭માં પ્રકરણ-૧૦એ કે જેને હક્કપત્રક “Record of Rights” ઉમેરવામાં આવ્યું જેથી જમીન / મિલ્કતનો કોઈપણ કબજેદાર વેચાણ, વારસાઈ, તબદીલી કરે ત્યારે તેવા ફેરફાર હક્કપત્રકના નિયમોને આધીન નોંધ કરવામાં આવે અને પ્રમાણિત અધિકારી (નાયબ મામલતદારથી ઉપરી કક્ષાના) તરીકે નોધ પ્રમાણિત (હાલ ઈ.ધરા કેન્દ્ર) કરવામાં આવે અને તે મુજબ સબંધિત સર્વે નંબરના 7 x 12 માં કે મિલ્કત રજીસ્ટરમાં ફેરફાર કરવામાં આવે છે. જેમ જણાવ્યું તેમ ખેતવિષયક સર્વે નંબરોમાં જમીનના કબજેદાર તરીકે અગાઉની પ્રણાલીકાઓ મુજબ જ્યેષ્ઠ કર્તા તરીકે વડીલપુત્રનું નામ દાખલ કરવામાં આવતું અને કોઈપણ કબજેદારનું મૃત્યુ થાય એટલે પેઢીનામા મુજબ કાયદેસરના વારસદારોના નામ દાખલ કરવામાં આવે જેમાં ૧૯૫૬ના કાયદા મુજબ તમામ દિકરીઓને પણ કાયદેસરના વારસગણી તેઓના નામ પણ દાખલ કરવાના થાય છે. હવે સામાન્ય રીતે સબંધિત સર્વે નંબરના ૭ ટ ૧૨માં બે-ત્રણ પેઢીથી જે જમીન ધારક મૃત્યુ પામે તેઓના વારસદારોના નામ દાખલ થતા જાય અને પ્રત્યક્ષ રીતે એવુ પણ બને કે જમીનોની વહેંચણી કરવામાં આવે અને ભાઈઓ અલગ રીતે જમીન ખેડતા હોય સાથોસાથ વિભાજન એટલા માટે પણ ન થયું હોય કે ટુકડાધારાનો ભંગ ગણી અલગ વહેંચણીની નોંધ કરવામાં આવી ન હોય.

તાજેતરમાં મહેસુલ વિભાગ દ્વારા સંયુક્ત જમીનના ધારકો પૈકી કોઈપણ એક વ્યક્તિ દ્વારા જમીનની માપણી કરવાની અરજી ડીઆઈએલઆરને કરે તો અન્ય કબજેદારોની સંમતિ સિવાય પણ માપણી કરાવી શકે છે તે અંગે મારી સમક્ષ એવી રજુઆતો આવી કે સંયુક્ત કબજેદારો પૈકીનો એક વ્યક્તિ માપણી કરાવીને પોતાના હિસ્સાની જમીન વેચાણ કરે અને રજીસ્ટ્રેશન કાયદા હેઠળ દસ્તાવેજની નોંધણી કરવામાં આવે તો હક્કપત્રકમાં આવી નોંધ કરવામાં આવતી નથી. હવે આ અંગે જમીન મહેસુલ અધિનિયમની હક્કપત્રકની જોગવાઈઓ અને રજીસ્ટ્રેેશન કાયદાની જોગવાઈઓ બંન્ને અલગ છે. એટલે જ્યાં સુધી હક્કપત્રકની જોગવાઈઓનું પાલન કે અનુસરણ ન થાય ત્યાં સુધી હક્કપત્રકની નોંધ પ્રમાણિત ન થાય એટલે સંયુક્ત જમીનના કબજેદાર દ્વારા જમીનની માપણી કરાવવાથી તેઓના હિસ્સાનું વેચાણ કરવામાં આવે તો શુ પરિસ્થિતિ ઉભી થાય તે અંગે મેહસુલ વિભાગના માપણી અંગેના પરિપત્રની સ્પષ્ટતા કરવી જરૂરી બને છે. સૌ પ્રથમ તો મહેસુલ વિભાગ દ્વારા ૨૦૧૬માં વડીલોપાર્જીત ખેતીવિષયક જમીનોમાં વારસોના નામ હયાતીમાં દાખલ કરવા, હક્ક કમી કરવા વહેંચણી કરવી વિગેરે બાબતોનો સમાવેશ થાય છે. જેથી સંયુક્ત જમીનનો કબજેદાર પોતાના ભાગના હિસ્સાની જમીનની માપણી કરાવી / વેચાણ કરે ત્યારે સંયુક્ત કબજેદારો વચ્ચે વહેંચણી કે હિસ્સા પાડવામાં આવ્યા હોય તે અંગેનો દસ્તાવેજ અથવા હક્કપત્રકમાં ફેરફાર થયેલ હોવો જોઈએ અથવા તો સંમતિ હોવી જોઈએ. બીજું કે કાયદેસરના વિભાજન / વહેંચણી સિવાય તેમજ ચર્તુદિશાની હદો સિવાય પોતાના હિસ્સાની જમીન રજીસ્ટ્રેશન કાયદા મુજબ દસ્તાવેજ થઈ શક્યો હોય પરંતુ તેની અસર હક્કપત્રકના નિયમો પ્રમાણે અમલ ન પણ થઈ શકે, કારણકે સબંધિત જમીનના વ્યવહાર અંગે અન્ય કબજેદારોની સંમતિ ૧૩૫ડીની નોટીસના માધ્યમથી પણ જરૂરી બને છે. આ સિવાય જમીન / મિલ્કતના માલીકીપણા અંગે વાદવિવાદ હોય ત્યારે હક્ક / હિસ્સો નક્કી કરવાની સત્તા સીવીલ કોર્ટને છે અને જો તે પ્રમાણે નક્કી કરવામાં આવેલ હોય તો તે પ્રમાણે હક્કપત્રકમાં ફેરફાર થઈ શકે છે. 

આજ રીતે સીટી સર્વેમાં મિલ્કત કાર્ડમાં હક્ક ચોકસી વખતે પ્રથમ Promulgation કરવામાં આવ્યું હોય ત્યારે મૂળ મિલ્કત ધારકનું નામ દાખલ કરવામાં આવ્યું હોય તેમાં પણ વેચાણ / વારસાઈ કરવામાં આવે ત્યારે મિલ્કતનું ક્ષેત્રફળ દર્શાવામાં આવ્યુ હોય, જેથી તે અનુસાર સબંધિત મિલ્કતની વિભાગ માપણી કરાવવી જરૂરી બને છે અને સીટી સર્વે વિસ્તારમાં આવેલ તમામ મિલ્કતો બિનખેતીની હોય છે એટલે ખેતીવિષયક જમીનોમાં જે કાયદાઓ લાગુ પડે છે. દા.ત. બિનખેડુત / ટુકડાધારો વિગેરે લાગુ પડતો નથી પરંતુ જે હિસ્સાનું / હક્કનું વેચાણ કે તબદીલી કરાવવામાં આવે તેની માપણી કરાવીને અલગ મિલ્કત કાર્ડ બનાવી શકાય છે. હવે ગુજરાતમાં મોટા પાયે શહેરીકરણ અને ઔદ્યોગિકરણ થવાથી બિનખેતી વિષયકજમીનોમાં રૂપાંતર થયુ છે અને ટાઉનપ્લાનીંગ એક્ટ અમલમાં આવવાથી ટીપીની જોગવાઈઓ મુજબ જમીનોનું સબપ્લોટીંગ થાય છે. તો તે મુજબ 'એફ' ફોર્મ મુજબ પણ જમીનના-૭માં કે મિલ્કત રજીસ્ટરમાં સીધેસીધો ફેરફાર થઈ શકે છે. રાજ્યના મહેસુલ વિભાગે સંયુક્ત કબજેદારની જમીનની માપણી અંગે કરેલ પરિપત્રમાં ઉક્ત અવલોકન મુજબ ફેરફાર કરવો જરૂરી છે.

કોર્ટનો મનાઇહુકમ કયા સંજોગોમાં મળી શકે અને કેવા સંજોગોમાં ના મળી શકે?

 તમારી જમીન,  તમારી મિલકત  > નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ)



યથાનિર્દિષ્ટ દાદ અધિનિયમ ૧૯૬૩ (સ્પેસિફિક રિલીફ એક્ટ-૧૯૬૩)ની કેટલીક વધારાની જોગવાઈઓ ખાસ કરીને દાવામાં કોર્ટ તરફથી મનાઈ હુકમ કયા સંજોગોમાં આપી શકાય અને કેવા સંજોગોમાં ના આપી શકાય તે વિષે આ લેખમાં જાણીશું.
હક્ક ઠરાવી આપવાના હુકમનામાં હોદ્દો અથવા હક ઠરાવી આપવા અંગે કોર્ટના વિવેકાધિકાર અંગેની પણ જાણકારી મેળવીશું. કોઈ કાનૂની હેસિયત માટે અથવા કોઈ મિલકત અંગેના કોઈ હક માટે હકકદાર વ્યક્તિ એવી હેસિયત હક અંગે પોતે હકદાર હોવાનો ઈન્કાર કરતી અથવા ઈન્કાર કરવામાં હિત ધરાવતી વ્યક્ત સામે દાવો માંડી શક્શે, અને કોર્ટ પોતાની વિવેકબુદ્ધિ અનુસાર, તે દાવામાં એવું ઠરાવી આપી શકશે કે તે, હકદાર છે અને એવા દાવામાં વાદીએ કોઈ વધુ દાદ માગવાની જરૂર નથી. પરંતુ હક ઠરાવી આપવાની જ દાદ માગવા ઉપરાંત વાદી વધુ દાદ માગી શકતો હોય છતાં, તેણે તે ન માગી હોય તો કોઈ કોર્ટથી એવું ઠરાવી આપી શકાશે નહીં.

સ્પષ્ટીકરણઃ- મિલકતો ટ્રસ્ટી, જે વ્યક્તિ હયાત ન હોય, પણ જો તે હયાત હોત તો પોતે તેનો ટ્રસ્ટી હોય તે વ્યકિતના હકને પ્રતિકૂળ હકનો ઈન્કાર કરવામાં હિત ધરાવતી વ્યકિત છે.
હક ઠરાવી આપવાની અસર આ પ્રકરણ હેઠળ કરી આપેલો ફરાવ ફક્ત દાવાના પક્ષકારોને અને અનુકમે તેમની મારફત હક્ક પ્રાપ્ત કરનાર વ્યક્તિઓને અને તેમાના કોઈ પક્ષકારો ટ્રસ્‍ટી હોય ત્યારે જે વ્યક્તિઓ ઠરાવ કરી આપવાની તારીખે હયાત હોય તો તે પક્ષકારો તેના ટ્રસ્ટી હોત તે વ્યક્તિઓને બંધનકર્તા છે.

નિવારક દાદ : મનાઈ હુકમો વિશે સામાન્ય જોગવાઈઓ નિવારક દાદ કેવી રીતે અપાય ? નિવારક દાદ કોર્ટની વિવેકબુદ્ધિ અનુસાર હંગામી અથવા કાયમી મનાઈહુકમની આપવામાં આવશે.
હંગામી અને કાયમી મનાઈ હુકમો ઃ હંગામી મનાઈ હુકમો, નિર્દિષ્ટ કરેલા સમય સુધી અથવા કોર્ટ બીજો હુકમ ન કરે ત્યાં સુધી ચાલુ મનાઈ હુકમો છે અને એવા મનાઈહુકમો દાવાના કોઈપણ તબકકે આપી શકાશે અને દીવાની અધિનિયમ, ૧૯૦૮ મુજબ તેમનું નિયમન થશે. કાયમી મનાઈ હુકમ દાવાની સુનાવણી વખતે અને દાવાના ગુણદોષ ઉપરથી કરેલા હુકમનામાં આપી શકાય, તેવા મનાઈ હુકમથી વાદીના હકની વિરુધ્ધ હોય એવો કોઈ હક પ્રતિપાદિત કરવાની અથવા એવું કોઈ કાર્ય કરવાની પ્રતિવાદીને કાયમને માટે મના કરવામાં આવે છે.
કાયમી મનાઈહુકમ ક્યારે અપાય ?
(૧) કોર્ટ દ્ધારા કાયમી મનાઈહુકમ આ પ્રકરણની અથવા તેમાં ઉલ્લેખેલી બીજી જોગવાઈઓને અધીન રહીને, વાદીની તરફેણમાં સ્પષ્ટ કે ગર્ભત રીતે વિદ્યમાન હોય
એવી કોઈ જવાબદારીનો ભંગ થતો અટકાવવા માટે આપી શકાશે.
(૨) એવી કોઈ જવાબદારી કરારમાંથી ઉભી થતી હોય તો કોર્ટ, પ્રકરણ-રમાં જણાવેલ નિયમોને પ્રકરણની જોગવાઈઓને અનુસરશે.
(૩) પ્રતિવાદી જયારે વાદીના મિલકતના હક્ક ઉપર અથવા ભોગવટા ઉપર આકમણ કરે અથવા કરવાની ધમકી આપે ત્યારે કોર્ટ, નીચેના દાખલાઓમાં કાયમી મનાઈ હુકમ આપી શકાશે.
(ક) પ્રતિવાદી વાદીની મિલકતનો ટ્રસ્ટી હોય ત્યારે,
(ખ) આક્રમણને કારણે ખરેખર થાય અથવા થવાનો સંભવ હોય તે કબૂલાત નક્કી કરવા માટે કોઈ ધોરણ ન હોય ત્યારે,
(ગ) આક્રમણ એવું હોય કે નાણાંમાં વળતર આપવાથી પૂરતી દાદ મળી શકતી ન હોય ત્યારે,
(ઘ) બહુવિધ ન્યાયી કાર્યવાહીઓ થતી અટકાવવા માટે એવો મનાઈહુકમ જરૂરી હોય ત્યારે કાયમી મનાઈ હુકમ આપી શકાશે.
આદેશાત્મક મનાઈ હુકમ કોઈ જવાબદારીનો ભંગ થતો અટકાવવા માટે કોર્ટ અમલ કરાવી શકે તેવા ચોકકસ કાર્યો બજાવવાની ફરજ પાડવી જરૂરી હોય, ત્યારે કોર્ટ પોતાની વિવેક્બુદ્ધિ અનુસાર જેના વિશે ફરિયાદ કરવામાં આવી હોય તેનો ભંગ થતો અટકાવવા માટે અને આવશ્યક એવાં કાર્યો બજાવવાની ફરજ પાડવા માટે પણ મનાઈ હુકમ આપી શકશે. જરૂરી હોય, ત્યારે કોર્ટ પોતાની વિવેકબુદ્ધિ અનુસાર જેના વિશે ફરિયાદ કરવામાં આવી હોય તેનો ભંગ. થતો અટકાવવા માટે અને આવશ્યક એવાં કાર્યો બજાવવાની ફરજ પાડવા માટે પણ મનાઈહુકમ આપી શકશે.
મનાઈ હુકમને બદલે અથવા મનાઈહુકમ ઉપરાંત નુક્સાની અંગે ઃ (૧) ઉપર જણાવ્યા મુજબ કાયમી મનાઈહુકમ અથવા હેઠળ આદેશાત્મક મનાઈહુકમ ( ઉ બ કાયમી ઈહુક ઠળ આદેશાત્મક ઈચ્છુક માટેના દાવાનો વાદી, એવા મનાઈહુકમ ઉપરાંત અથવા તેના બદલે નુકસાની માગી શકશે અને કોર્ટ, પોતાને યોગ્ય લાગે તો એવી નુકસાની તેને અપાવી શકશે.
(૨) વાદીએ પોતાની દાવા અરજીમાં નુકસાની અપાવવાની દાદ માગી ન હોય, તો તેવી કોઈ દાદ આપવામાં આવશે નહીં. પરંતુ દાવા અરજીમાં એવી કોઈ નુકસાની માગવામાં આવી ન હોય તો કોર્ટ, કાર્યવાહીના કોઈપણ એવી માગણી સામેલ કરવા માટે વાદીને વાજબી શરતોએ દાવા અરજીમાં સુધારો કરવા દેશે. વાદીની તરફેણમાં વિદ્યમાન હોય એવી કોઈ જવાબદારીનો ભંગ થતો અટકાવવા માટેનો દાવો કાઢી નાખવામાં આવે, તો એવા ભંગ બદલ નુકસાનીનો દાવો માંડવાના તેના હક્કને બાધ આવશે.
મનાઈ હુકમ આપવાની ક્યારે ના પાડી શકાય ? નીચેના સંજોગોમાં કે બાબતો માટે મનાઈહુકમ આપી શકાય નહીં અથવા કોર્ટ મનાઇહુકમ આપે નહીં. (ક) કોઈ વ્યકિતને, જે દાવામાં મનાઈહુકમ માગવામાં આવ્યો હોય તે દાવો માંડતી વખતે નિકાલ બાકી હોય એવી કોઈ ન્યાયિક કાર્યવાહી ચલાવતી રોકવા માટે, સિવાય કે એ પ્રમાણે તેને રોકવી બહુવિધ કાર્યવાહીઓ થતી અટકાવવા માટે જરૂરી હોય. કોઈ વ્યકિતને, જે કોર્ટ પાસે મનાઈહુકમ માગવામાં આવ્યો હોય તેના તાબાની ન હોય એવી કોઈ કાર્યવાહી માંડતી અથવા તેમાં ચલાવતી રોકવા માટે, કોઈ વ્યક્તિને ફોજદારી બાબતમાં કોઈ કાર્યવાહી માંડતી અથવા ચલાવતી રોકવા માટે, જે કૃત્ય ત્રાસદાયક નીવડશે એમ વાજબી રીતે સ્પષ્ટ થતું ન હોય એવું કોઈ કૃત્ય ત્રાસદાયક તે કારણે તે થતું અટકાવવા માટે. વાદીએ જેની મૂક-સંમતિ આપી હોય એવો સતત ભંગ થતો અટકાવવા માટે ઃ વિશ્વાસઘાતના દાખલમાં હોય તે સિવાય, બીજી કોઈ સામાન્ય પ્રકારની કાર્યવાહી દ્વારા એટલી અસરકારક દાદ અવશ્ય મળી શકતી હોય ત્યારે,
(અ) જો તેને કોઈ ઈન્ડ્રાસ્ટ્રકચર પ્રોજેકટની પ્રગતિમાં અથવા પૂર્ણ થવામાં કોઈ અવરોધ અથવા કરતો હોય અથવા તેવી યોજનાની વિષય વસ્તુ હોવાને કારણે તેને સંબંધિત સુસંગત સુવિધાની સતત જોગવાઈઓમાં અથવા બજવણીમાં હસ્તક્ષેત કરતો હોય. વાદીની અથવા તેના એજન્ટની વર્તણૂક એવી હોય કે જેથી કોર્ટની મદદ મેળવવા માટે વાદી ન રહે ત્યારે, (બ) સંબંધિત બાબતમાં વાદીને અંગત હિત ન હોય ત્યારે.
નકારાત્મક કબૂલાતનું પાલન કરવા માટે મનાઈહુકમ ઃ ઉપરોક્ત કલમ-૪, ૧ માં ગમે તે મજકૂર હોય છતાં, કોઈ કરારમાં અમુક કાર્ય કરવા માટેના નકારાત્મક હોય અને તેની સાથે સાથે અમુક કૃત્ય ન કરવા માટેની સ્પષ્ટ અથવા ગર્ભિત નકારાત્મક કબૂલાત હોય ત્યારે કોર્ટ હકારાત્મક કબૂલાતનું યથાનિર્દિષ્ટ પાલન કરવાની ફરજ પાડી શકે નહિ તેવા સંજોગો હોય કોર્ટને નકારાત્મક કબૂલાતનું પાલન કરાવવા માટે મનાઈહુકમ આપવામાં બાધ આવશે નહીં.

નોંધ:-(જમીન/મિલકત માટેના લેખોના સંદર્ભે વાચકોના કોઈ સૂચન કે પ્રશ્નો હોય તો ‘નવગુજરાત સમય’ ના નવા સરનામે (૧૦૧, પહેલો માળ, ઓમ શાયોના આર્કેડ, સિલ્વર ઓક કોલેજ પાસે, ગોતા, અમદાવાદ-૩૮૨૪૮૧) લેખિત રૃપે મોકલવા અથવા  લેખકને ઈ-મેઈલ કરવા)

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...