રાજ્યના મહેસૂલ કાયદામાં સુધારો થતા લાખો ખેડૂતોને થશે ફાયદો, હવે નવી શરતની જમીન સીધેસીધી…રાજ્યભરમાં નવી શરતની જમીનને સીધી બિનખેતીમાં ફેરવી શકાય તે માટે રાજ્યના મહેસૂલ વિભાગે મહત્ત્વનો નિર્ણય લીધો છે.
FOR GR CLEKHERE
નવી શરતની જમીન ઉપર સળંગ ૧૫ વર્ષથી કબજો હોય, વાવેતરની નોંધો મોજૂદ હોય અને કોઇ પણ પ્રકારનો શરતભંગ ના થયો હોય તેવા કિસ્સામાં નવી શરતની જમીન સીધેસીધી બિનખેતીમાં ફેરવાઇ શકશે. નવી શરતની જમીનના ખેડૂત ખાતેદાર જો તેમની જમીન બિનખેતીમાં ફેરવવા માગતા હશે તો આ શક્ય બનશે. આ માટે ખેડૂતે માત્ર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
નવી શરતની જમીનને બિનખેતીમાં તબદીલ કરવા માટે જૂની શરતમાં ફેરવવાની તથા બિનખેતી કરાવવાની એમ બંને પ્રકારની અરજી એક સાથે થઇ શકશે. જિલ્લા તંત્ર દ્વારા આવી અરજીઓના આધાર-પુરાવા મેળવી જૂની શરતનું બિનખેતી હેતુને પાત્ર પ્રીમિયમ અને બિનખેતીનો રૃપાંતર કર એક સાથે વસૂલતો હુકમ કરી જમીનને બિનખેતી કરી અપાશે.