3.08.2019

શું છે અશાંત ધારો? આ કાયદાને ટૂંકમાં સમજો

શું છે અશાંત ધારો

અમદાવાદઃ મંગળવારના રોજ રાજ્ય સરકારે અશાંત ધારા હેઠળ શહેરના નવા 74 વિસ્તારોને સમાવેશ કર્યો. અમદાવાદના કલેક્ટર વિક્રાંત પાંડે દ્વારા આ જાહેનામુ સોમવારે બહાર પાડવામાં આવ્યું છે. અમદાવાદમાં 770 વિસ્તારોમાં અશાંત ધારો લાગું થયેલો છે. આ પહેલા પણ તમે સમાચારોમાં અને ન્યૂઝ ચેનલોમાં અશાંત ધારા વિશે સાંભળ્યું હશે. આજે અમે તને જણાવીશું કે શું છે અશાંત ધારો..

આ કાયદાને ટૂંકમાં સમજો



જે વિસ્તારમાં અશાંત ધારો લાગું કરાવમાં આવ્યો હોય તે વિસ્તારમાં મકાન કે દુકાન વેચવી હોય તો નિયંત્રણ લાગે, અને જો મિલકત વેચવી હોય તો કલેક્ટરને જાણ કરવી પડે છે. સાથે મિલકત કોને વેચી રહ્યા છો તેની વિગતો આપવી પડે છે. જિલ્લા કલેક્ટર ખરીદનાર અને વેચનારની સુનાવણી હાથ ધરે છે, અને કલેક્ટરને યોગ્ય લાગે તો જ આ સોદો થયેલો ગણાય છે. અશાંત ધારામાં કલેક્ટરને કેટલીક વિશેષ સત્તાઓ આપવામાં આવી છે. અશાંત ધારા હેઠળના વિસ્તારોમાં કોઈ મિલકતો ટ્રાન્સફર થઇ હોય તેમાં કલેક્ટરને કોઈ શંકા જાય તો ‘સુઓ મોટો’ ફરિયાદ દાખલ કરી પોતાની રીતે તપાસ કરીને મિલકત ટ્રાન્સફર માટે તૈયાર થયેલા માલિકને એની મિલકત પાછી અપાવી શકે એવી સત્તા અપાવામાં આવે છે.

શા માટે આ કાયદો લાગુ કરવામાં આવ્યો


કોમી તોફાનો પછી મિલકતોની ખરીદ-વેચાણની ફરિયાદો વધી જતી હતી. અશાંત ધારો એવા સ્થાન પર લગાવાય છે જ્યાં વારંવાર બે કોમ વચ્ચે તણાવ થતો હોય. બે કોમ વચ્ચે વર્ચસ્વ વધારવા માટે મિલકત ખરીદીને સામેની કોમ પર દબાણ ઊભું કરાતું હોય. જેના પગલે આ અશાંત ધારાનો કાયદો લાગુ કરવામાં આવ્યો.

ગુજરાતમાં 1991માં આ કાયદામાં સુધારો કરાયો


ગુજરાત કોમી તોફાનોનો ઇતિહાસ ધરાવે છે. આ સંજોગોમાં 1991માં તત્કાલિન મુખ્યમંત્રી સ્વ. ચીમનભાઇ પટેલે 1986ના અશાંત ધારામાં કેટલાક સુધારા સાથે તેને લાગુ કરવાની જાહેરાત કરી હતી. 2002ના ગોધરાકાંડ બાદ કેટલાક સંગઠનો દ્વારા અશાંત ધારો અમલમાં મૂકવાની માંગણી કરી રહ્યા હતા. તેને ધ્યાનમાં રાખીને સરકારે વર્ષ 2022 સુધી ગોધરામાં અશાંત ધારો લાગુ પાડી દેવાયો છે

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...