12.16.2022

અમદાવાદમાં પ્રોપર્ટીની ટ્રાન્સફર ફીમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધારો કરવામાં આવ્યો છે.

 


અમદાવાદમાં પ્રોપર્ટીની ટ્રાન્સફર ફીમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધારો કરવામાં આવ્યો છે. કોમર્શિયલ અને રેસિડેન્સિયલ બંને મિલકતોમાં 25 લાખથી વધુની કિંમતની મિલકતોની નામ ટ્રાન્સફર ફી વધારવામાં આવી છે. 16 જાન્યુઆરી 2023થી નવા દર મુજબ ફી નાગરિકોએ ચૂકવવાની રહેશે. પ્રોપર્ટી નામ ટ્રાન્સફર ફીના દરમાં વધારો થવાથી રૂપિયા 15 કરોડની આવક મ્યુનિસિપલ કોર્પોરેશનને થશે.

10 વર્ષથી ટ્રાન્સફર ફીમાં કોઈ વધારો ન હતો રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે, વર્ષ 2013-14થી રહેઠાણની મિલકતો માટે અરજી દીઠ રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજની કિંમતના 0.25 ટકા લેખે તેમજ બિનરહેઠાણ મિલકતો માટે રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજની કિંમતના 0.50 ટકા લેખે (વીલ, વારસાઇની મિલકતો સિવાય) નામ ટ્રાન્સફર ફી લેવામાં આવે છે. છેલ્લા દસ વર્ષથી નામ ટ્રાન્સફર ફીમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. ટ્રાન્સફર ફી જંત્રીના દર પર આધારિત હોય છે. આમ ટ્રાન્સફર ફીમાં સામાન્ય વધારો કરવામાં આવ્યો છે. સુપર રીચ કેટેગરીની ટ્રાન્સફર ફીમાં વધારો થયો છે.

90 ટકા કરદાતાની ટ્રાન્સફર ફીમાં વધારો નહીં અગાઉ દસ્તાવેજની કિંમતની ટકાવારી મુજબ ટ્રાન્સફર ફી લેવામાં મુશ્કેલી જણાતી હતી, તે હેતુથી રાઉન્ડીંગ કરવામાં આવી છે. જેથી ટેક્સધારકો પોતાની ટ્રાન્સફર ફીની ગણતરી જાતે જ કરી શકે અને ઓનલાઇન પેમેન્ટ પણ ઝડપથી કરી શકે. હાલના ડેટા મુજબ 90 ટકા કરદાતાઓને આ ટ્રાન્સફર ફીના દરોમાં ફેરફારના કારણે કોઇ પણ નોંધપાત્ર વધારો થશે નહીં. ફક્ત 10 ટકા જેટલા ‘સુપર રિચ’ કરદાતાઓને વધુ ટ્રાન્સફર ફી ભરવાની થશે.

‘સુપર રિચ’કેટેગરીને જ અસર પડશે1 ડિસેમ્બર 2021થી 30 નવેમ્બર 2022ના એક વર્ષના સમયગાળામાં રહેઠાણની મિલકતમાં કુલ 37075માંથી 5120 અને બિન રહેઠાણની મિલકતમાં કુલ 10471 1237 એટલે કે એક વર્ષના સમયગાળામાં કુલ મિલકતો પૈકી આવી સુપર રિચ કેટેગરીવાળી મિલકતો ફકત 10 ટકા જેટલી જ છે, જે ધ્યાને લેતા આ નામ ટ્રાન્સફરના દરમાં વધારાને કારણે લગભગ 90 ટકા નાગરિકોને કોઇ પણ અસર પડશે નહીં.

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...