2.07.2022

દસ્તાવેજ રદ કરાવવો અને દસ્તાવેજ ગેરકાયદે જાહેર કરાવવો તેમાં શો ફેર ? વર્ષ પહેલાંના થયેલા જમીનના વેચાણ દસ્તાવેજમાં વારસોની કબૂલાતો લીધેલી નથી તો ટાઇટલ્સ ક્લીયર ગણાય કે કેમ ?

 દસ્તાવેજ રદ કરાવવો અને દસ્તાવેજ ગેરકાયદે જાહેર કરાવવો તેમાં શો ફેર ? 

વર્ષ પહેલાંના થયેલા જમીનના વેચાણ દસ્તાવેજમાં વારસોની કબૂલાતો લીધેલી નથી તો ટાઇટલ્સ ક્લીયર ગણાય કે કેમ ?


સામાન્ય રીતે કયા સંજોગોમાં સ્થાવર મિલકતમાં દસ્તાવેજ રદ કરાવવો જોઈએ અને કયા સંજોગોમાં દસ્તાવેજ ગેરકાયદે અગર વ્યર્થ હોવાની જાહેરાત કરાવવી જોઇએ . આમ જોઇએ તો આ બંને બાબતો સામાન્ય રીતે એક સરખી લાગે , કારણ કે બંનેનું આખરી પરિણામ તે દસ્તાવેજની અસર નાબૂદ કરે છે . પરંતુ તે બંને પ્રકારના દાવામાં કોર્ટ ફી સ્ટેમ્પનો નોંધપાત્ર તફાવત રહ્યો છે . નામદાર ગુજરાત હાઇકોર્ટના જજમેન્ટ મુજબ જ્યારે દિવાની દાવો કરનાર વાદીએ દસ્તાવેજ રદ કરવાની દાદ માગી નથી અને મુખ્ય દાદ માત્ર દાવાવાળી મિલક્ત ઉપરના વાદીના અધિકારો નક્કી કરતી જાહેરાતના એટલે કે જ્ઞાપનના સંબંધમાં જ છે ત્યારે તેઓએ વેચાણ દસ્તાવેજમાં જણાવેલી જમીન - મિલક્તની કિંમત ધ્યાને લઇને તે મુજબ કોર્ટ ફી ચૂકવવાની રહેતી નથી .

જ્યારે દસ્તાવેજ કરી આપનાર વ્યક્તિ તેને રદ કરાવવા માગતા હોય ત્યારે તેણે દસ્તાવેજના રદ્દીકરણની દાદની માગણી કરવાની રહે છે અને તેમાં દસ્તાવેજની કિંમત મુજબ કોર્ટ ફી ભરવાની રહે છે . પરંતુ જો કોઇ એવી વ્યક્તિ દસ્તાવેજ રદ કરાવવા માગતી હોય કે જેણે તે કરી આપ્યો ન હોય તો તેના માટે એવી જાહેરાત ( Declaration ) માગવાનું પૂરતું છે કે તે દસ્તાવેજ ગેરકાયદે છે અને તેમાં દસ્તાવેજની કિંમત મુજબ કોર્ટ ફી ભરવાની જરૂર નથી . અત્રે નોંધ લેવી જરૂરી છે કે કોઇપણ દિવાની દાવામાં ગમે તેટલી દાદ માગવામાં આવેલી હોય તો પણ કોર્ટ ફી એકટમાં કરેલ જોગવાઇ મુજબ દાવાનો બાંધેલ આંક મુજબ નક્કી સ્લેબ પ્રમાણે પરંતુ મહત્તમ રૂપિયા ૭૫૦૦૦ / -ની કોર્ટ ફી દાવો કરનારે ભરપાઇ કરવાની રહે છે . 

પ્રશ્ન -૧ આશરે ૯ ( નવ ) વર્ષ પહેલાંની બા'નાચિઠ્ઠી કે બા’નાખતોના વાંધાઓ ટાઇટલમાં ગ્રાહ્ય રાખી શકાય ? ( પ્રશ્નકર્તા પ્રીતમસિંહ , અમદાવાદ ) 

ઉત્તર : જ્યારે કોઈપણ જમીન- બાંધકામવાળી મિલકતના ટાઇટલની તપાસ થતી હોય ત્યારે સહુ પ્રથમ જે જે લખાણોની જે તે કચેરીમાં રજિસ્ટ્રેશન અને નોંધ થાય છે તેની સર્ચ લેવામાં આવે છે . જેમાં કહેવાતું બા’નાખત કે કરાર નોંધાયેલા હોય તો તેમાં જણાવેલ શરતો મુજબ જે કોઇ કામો લખી આપનારે કે લખાવી લેનારે કરવાના હતા , જેવાં સમયમર્યાદા , રકમની ચૂકવણી , પરવાનગીઓ વગેરે મુદ્દાઓનો અભ્યાસ કરીને ટાઇટલ સર્ટિફિકેટ રિપોર્ટમાં તેની વિગતવાર નોંધ કરાવવી જોઇએ . વળી જમીન - મિલકત અંગે દાવાદુવી થયા છે કે નહીં તે જોવું જોઇએ . પરંતુ જો દાવો થયેલો હોય તો આવા પ્રકારના દાવા ગ્રાહ્ય કે અગ્રાહ્ય કરવા કે સાચા ખોટાનો નિર્ણય કોર્ટ કરે છે . જો તેવા બા’નાખત કે ચિઠ્ઠીઓ કોઇ ક્વેરીમાં નોંધાયેલી નથી અને વકીલ સમક્ષ જાહેર નોટિસના અનુસંધાને કોઇ વ્યક્તિએ વાંધો રજૂ કરેલો હોય તો આ સંજોગોમાં વાંધામાં જણાવેલી વિગતોને જોઈ તપાસીને કારણો સહિત તેનો ઉલ્લેખ કરાવીને ટાઇટલનો અભિપ્રાય મેળવવો જોઇએ . 

પ્ર -૨ : ૮ વર્ષ પહેલાંના થયેલા જમીનના વેચાણ દસ્તાવેજમાં વારસોની કબુલાતો લીધેલી નથી તો ટાઇટલ્સ ક્લીયર ગણાય કે કેમ ? ( પ્રશ્નકર્તા : ગિરીશ પરમાર , અમદાવાદ )

 ઉત્તર : જો ૮ વર્ષ પહેલાંનો જમીનનો જે વેચાણ દસ્તાવેજ રજિસ્ટર્ડ થયેલો છે , તેમાં વેચાણ આપનાર જે જમીન વેચાણ કરે છે તે જમીન તેમની સ્વઉપાર્જિત છે કે વડીલોપાર્જિત છે ? અને જો રેકર્ડ ઉપર ફકત વેચાણ આપનારના જ નામે ચાલતી હોય અને જો સ્વઉપાર્જિત હોય તો તેમના હયાત વારસોની સહીઓની જરૂર નથી . જો જમીન વડીલોપાર્જિત હોય તો વેચાણ આપનાર હિન્દુ અવિભકત કુટુંબના કર્તા અને મેનેજર તરીકે ધારણ કરતા હોય તો હિન્દુ અવિભક્ત કુટુંબના પુખ્ત વયના સભ્યોની કબુલાત જરૂરી ગણાય . મારા મતે ૮ વર્ષ જૂનો આ પ્રકારનો દસ્તાવેજ થયો હોય , તો પણ કબુલાતો લેવી હિતાવહ છે . પરંતુ સમયમર્યાદાના કાયદા મુજબ તેવો વેચાણ દસ્તાવેજ થયા તારીખથી ત્રણ વર્ષમાં સિવિલ કોર્ટમાં દાવો કરીને ચેલેન્જ થઇ શકે તે પણ તપાસવું પડે . જો વેચાણ કરનારને જે તે જમીન હિન્દુ વારસા ધારાની મીતાક્ષરી મુજબ યાને કે સીધી લીટીના વારસદાર તરીકે પ્રાપ્ત થઇ હોય જેમ કે પિતાના મૃત્યુ પછી મિલકત તેની પત્ની , દીકરો કે દીકરી અગર અવસાન પામેલ દીકરાનો દીકરો એ રીતે મળેલી હોય , તો વેચાણ આપનારે તે મિલકતમાં તેમના પોતાના વારસદારોની કબુલાત લેવાની જરૂર નથી . જો સીધી લીટીમાં આવતા વારસદારો પૈકીના કોઇ એકનું નામ મિલકતના કબજેદાર તરીકે નોંધવાનું બાકી રહી ગયું હોય , તો તેવી વ્યક્તિ સહમાલિક ગણાય , તેની સહી જોઇએ જેમ કે વેચનારને જ્યારે વડીલોપાર્જીત મિલકત મળી હોય ત્યારે ટાઇટલ્સ ક્લીયર ગુજરનારના વારસામાં તેમના અવસાન પામેલા ભાઇનો દીકરો હોય અને તે ભત્રીજાનું નામ રેવન્યુ દફતરે પોતાની સાથે વારસદાર તરીકે દાખલ ન થયું હોય , તો તે ભત્રીજાનો તે મિલકતમાં સહભાગીદાર તરીકેનો હક્ક હોવાનું જણાય , તેથી ભત્રીજાનું નામ ન હોય તો પણ તેની મંજૂરી લેવી જોઈએ .

 પ્રશ્ન : ( ૩ ) જો ૯ વર્ષ જૂની બા'નાચિઠ્ઠી જૂના બાનાખતથી હક્ક દાવો દાખલ થાય છે તો વાંધાઓ ધ્યાને લઇ શકાય ? ટાઇટલ આપી શકાય ? ( પ્રશ્નકર્તા : પ્રિયંકા પરમાર , એડવોકેટ )

 ઉત્તર : સિવિલ પ્રોસીજર કોડની જોગવાઇ મુજબ દાવો દાખલ કરવો નહીં તે ચલાવવો અને તેનો આખરી નિર્ણય કરવા માટે ફક્ત સિવિલ કોર્ટની હકુમત છે . વળી જયારે કોઇપણ દાવો સિવિલ કોર્ટમાં ન્યાય નિર્ણય માટે જારી હોય અને વચગાળાના હુકમ કે આખરી હુકમનામું થયેલું હોય તો તેને અનુસરવું ફરજિયાત બને છે . જે સંજોગોમાં દિવાની દાવાનો અને હુકમોની વિગતો લખીને ટાઇટલ અભિપ્રાય આપી શકાય . 

પ્રશ્ન -૪ : જમીનનાટાઇટલ તપાસણી વખતે એડવોકેટશ્રી દ્વારા જણાવવામાં આવતા પુર્તતાના કાગળો લાવવાની જવાબદારી કોની વેચાણ આપનારની ? વેચાણ લેનારની કે દલાલની ? ( પ્રશ્ન કર્તા ; નિસર્ગ ત્રિવેદી , એડવોકેટ ) 

ઉત્તર : સામાન્ય રીતે સ્થાવર , મિલકતના ટાઇટલ તપાસતી વખતે એડવોકેટ સોલિસિટર્સ દ્વારા માગવામાં આવતા કાગળો દસ્તાવેજો વગેરે મેળવીને લાવવાની તમામ જવાબદારી માલીક તે વેચાણ આપનારની ગણાય . પરંતુ જો કોઇ સંજોગોમાં વેચાણ આપનાર દ્વારા તથા વેચાણ લેનાર દ્વારા બ્રોકર ( દલાલ ) ની નિમણૂક કરવામાં આવેલી હોય તો તેવા સંજોગોમાં વેચાણ આપનાર પાસે માલિકીના જે કોઇ દસ્તાવેજો પુરાવાઓ આવેલા હોય તે રજૂ કરવા જોઇએ . જ્યારે સરકારી ચેરીમાંથી કોઇપણ પુરાવા મેળવવાની જરૂરિયાત ઉપસ્થિત થાય અને તે અંગેની જવાબદારી જે વ્યક્તિએ લીધેલ હોય તો તેઓએ કઢાવી આપવા જોઇએ . તેમજ ટાઇટલ અંગે જે કોઇ દસ્તાવેજી પુરાવાઓ ત્રાહિત વ્યક્તિ પાસેથી કે સરકારી કચેરીમાંથી મેળવવાની જરૂરીયાત ઉપસ્થિત થાય તો તેવા સંજોગોમાં ખર્ચ કોને ભોગવવાનો છે તે નક્કી કર્યા બાદ તેવા દસ્તાવેજો મેળવી આપવા જોઈએ . પ્રાથમિક રીતે કાયદામાં એમ જણાવેલ છે કે જમીન મિલકતના માલીકે તમામ જરૂરી દસ્તાવેજો પુરાવાઓ રજૂ કરવા જોઇએ . પરતુતે અંગે ટાઇટલતપાસનારે મદદરૂપ થવું જોઇએ અને સૂચનો આપવા જોઈએ .

નિલેશ વી . ત્રિવેદી ( એડવોકેટ )

જંત્રી મુજબ સ્ટેમ્પ વાપરેલ ન હોવાના કારણે દસ્તાવેજ સ્વીકારવાનો ઈનકાર થઈ શકે નહીં

 જંત્રી મુજબ સ્ટેપ વાપરેલ ન હોવાના કારણે દસ્તાવેજ સ્વીકારવાનો ઈનકાર થઈ શકે નહીં 



સને -2007 પહેલાં અપૂરતી સ્ટેમ્પ ડ્યૂટીવાળા દસ્તાવેજો પણ સબ - રજિસ્ટ્રાર કચેરી સમક્ષ નોંધણી માટે રજૂ કરવામાં આવતા હતા અને . આવા સંજીગોમાં સામાન્ય રીતે આવા ખૂટતી સ્ટેમ્પ ડ્યૂટીવાળા દસ્તાવેજોને સંબંધિત મિલકતની બજાર કિંમત નક્કી કરવા બાબત બોમ્બે સ્ટેમ્પ અધિનિયમની કલમ -૩૨ ( ક ) હેઠળ નાયબ ક્લેક્ટર , સ્ટેમ્પ ડ્યૂટ મૂલ્યાંકન્ન તંત્ર સમક્ષ ન્યાય - નિર્ણય કરવા આવા લેખો મોકલવામાં આવતા હતા . નાયબ ક્લેક્ટર દ્વારા અપૂરતી સ્ટેમ્પ ડ્યૂટીવાળા દસ્તાવેજો અંગે મિલકતોની બજાર કિંમત નક્કી કર્યા બાદ પક્ષકાર તેવા હુકમથી સંમત થયા બાદ આવા દસ્તાવેજો અંગે ખૂટતી સ્ટેમ ડ્યૂટી પક્ષકાર દ્વારા ભર્યા બાદ આવા લેખોની નોંધણીની કાર્યવાહી પૂર્ણ થતી નથી . પરંતુ રાજ્ય સરકાર દ્વારા ઉપર મુજબની પ્રક્રિયા ટાળવા તા . ૦૯-૦૫-૨૦૦૭ના રોજ પરિપત્ર બહાર પાડવામાં આવેલ . આ પરિપત્રમાં કરેલ જોગવાઈ મુજબ જો પક્ષકાર નોંધણી માટે કોઈ દસ્તાવેજ રજૂ કરે અને તે દસ્તાવેજમાં રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ જંત્રી મુજબની બજાર કિંમત મુજબ સ્ટેમ્પ ડ્યૂટી વપરાયેલ ન હોય તો નોંધણી અધિકારી તેને સ્વીકારશે નહીં અને ટોકન પણ આપશે નહીં અને પક્ષકારોને આવે દસ્તાવેજ ડેપ્યુટી ક્લેક્ટર સમક્ષ યોગ્ય સ્ટેમ્પ ડ્યૂટી નક્કી કરવા માટે રજૂ કરવા સૂચિત કરશે અને આવા રજૂ થયેલા લેખો અંગે નોંધણી ફી સ્વીકારવાની રહેશે નહીં . એથતિ દસ્તાવેજ યોગ્ય સ્ટેમ્પ ડ્યૂટી ધરાવતા હોય તેમ જ પક્ષકાર પૂરતી સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવે ફક્ત ત્યારબાદ જ આવા દસ્તાવેજ નોંધણી માટે સ્વીકારવાના રહેશે અને તો જ આવા લેખો અંગે નોંધણી અધિનિયમની પ્રક્રિયા હાથ ધરી શકાશે , તે મુજબની જોગવાઈ આ પરિપત્રમાં કરવામાં આવેલ . આ પરિપત્રનો અમલ તા . ૧૫-૫-૨૦૦૭થી કરવા તેમ જ આ પરિપત્રની સૂચનાઓનું કાળજીપૂર્વક પાલન કરવા પણ જણાવવામાં આવેલ હોવાથી આ પરિપત્રના આધારે તા . ૧૫-૫-૨૦૦૭થી જે લેખો રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ જંત્રી મુજબની બજાર કિંમત પ્રમાણે પૂરેપૂરી સ્ટેમ્પ ડ્યૂટી વાપરવામાં આવેલ હોય માત્ર તેવા દસ્તાવેજો જ નોંધણી અધિકારી સમક્ષ રજૂ થઈ શકતા હતા અને માત્ર તેવા દસ્તાવેજો અંગે જ નોંધણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હતી અને તે મુજબની સ્ટેમ્પ ડ્યૂટી વપરાયેલ ન હોય તેવા લેખો નોંધણી માટે સ્વીકારવાની નોંધણી અધિકારી દ્વારા ના પાડી દેવામાં આવતી હતી .

રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ તા . ૯-૫-૨૦૦૭ના રોજ બહાર પાડવામાં આવેલ આ પરિપત્રની કાયદેસરતાને જુદી જુદી અરજીઓ કરી નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પડકારવામાં આવેલ . આથી નામદાર ગુજરાત હાઈકોર્ટે આવી તમામ જુદી જુદી અરજીઓને એક સાથે ભેગી લઈ લેવામાં આવેલ . આથી નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા અરુણભાઈ રામજીભાઈ પટેલ અને બીજા વિરુદ્ધ સ્ટેટ ઓફ ગુજરાત અને બીજા , રિટ પિટિશન નં . ૧૦/૨૦૧૩ અને સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નં . ૧૮૯૬૪/૨૦૦૭ , ૧૫૭૦૦/૨૦૦૭ મુજબનું પ્રકરણ ચલાવવામાં આવેલ . ( લેન્ડ લોઝ જજમેન્ટ્સ ( L. ) , વોલ્યુમ -૧ , ઇયૂ -૫ , મે -૨૦૧૪ , પાના નં . ૩૭૯ ) . આ કેસમાં ગુજરાત રાજ્ય સરકારના વકીલશ્રી તરફથી એવી દલીલો કરવામાં આવેલ કે , આ પરિપત્રનો ઉદ્દેશ વિવિધ નોંધણીપાત્ર દસ્તાવેજો માટે ચૂકવવાપાત્ર ખૂટતી સ્ટેમ્પ ડ્યૂટીને લગતા વિવાદો , કે જે વિલંબિત નોંધણીમાં પરિણમે છે , તેના ઝડપી નિકાલ માટે નોંધણી નિયમોના હાલના નિયમ ૪ પના સરલીકંરણનો છે . પરિપત્ર નોંધણી અધિનિયમ અથવા સ્ટેમ્પ અધિનિયમ હેઠળની નિયમો બનાવવાની સત્તા હેઠળ કાઢવા આવ્યો નહોતો , આવા પરિપત્ર કોઈપણ રીતે અસ્તિત્વમાન કોઈ કાયદા હેઠળ નાગરિકોમાં નિહિત કોઈ હક ઝૂંટવી લીધો નથી . જ્યારે કોઈ દસ્તાવેજ નોંધણી માટે રજૂ કરવામાં આવે ત્યારે જો નોંધણી અધિકારી મિલકતનાં મૂલ્યાંકન વિશેનાં વિવાદને યથાવત્ રાખી દસ્તાવેજ સ્વીકારે અને નોંધણી માટે દસ્તાવેજ રજૂ થયા બાબતની પહોંચ મંજૂર કરે , તો . નોંધણી માટે દસ્તાવેજને રજૂ કરનાર વ્યક્તિ તેમ જ તેવા વ્યવહાર હેઠળનો લાભાર્થી મૂલ્યાંકનના વિવાદની પતાવટની કરવામાંથી અને સાથે સાથે સક્ષમ સત્તાને ત્યારબાદની વધારાની સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવવામાંથી રસ ગુમાવી દેશે . જો નોંધણી અધિકારીને એવું ૬૯ , જણાય કે , દરતાવેજમાં દશવિવામાં આવેલ અવેજ તેના મુખ ઉપરથી રાજયે દ્વારા વિરતારો પ્રમાણે તૈયાર કરાયેલ જમીનની કિંમત કે જે જંત્રી - કિંમત તરીકે જાણીતી છે , તેમાં દર્શાવ્યા મુજબની બજાર કિંમત કરતાં ઓછો છે , તો વિવાદી જાહેરનામા દ્વારા તેમને આવી રજૂઆતને નહીં સ્વીકારવાની અને દસ્તાવેજ રજૂ કરનાર વ્યક્તિને સલામ વ્યક્તિ નામે ડેપ્યુટી કલેક્ટર દ્વારા યોગ્ય મૂલ્યાંકન કરાવવાનું કહેવાની મુનસફી આપવામાં આવેલ છે . વિવાદી પરિપત્રમાં ઠરાવેલ પ્રક્રિયા , નોંધણી માટે દસ્તાવેજ રજૂ . કરનાર વ્યક્તિ અથવા વ્યવહારનાં પક્ષકારોના હિતને કોઈ રીતે અસર કરતી નથી . રે આ કેસમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે મુખ્યત્વે નોંધણી અધિનિયમની કલમો -૨૩ , ૪૭ , અને નોંધણી નિયમોના નિયમ -૪ પ તેમ જ બોમ્બે સ્ટેમ્પ અધિનિયમની કલમ -૩૨ ( ક ) . તેમ જ પ ૩ ( ક ) ની જોગવાઈઓ વિશેષરૂપે ધ્યાને લીધેલ અને તેની ચર્ચા કરેલ . આ કેસમાં નામદાર ગુજરાત હાઈકોર્ટ એવા તારણ ઉપર આવેલ કે , વૈધાનિક જોગવાઈઓ એવી જોગવાઈ કરે છે કે , જ્યારે દસ્તાવેજ નોંધણી માટે એવા મૂલ્યાંકન સાથે રજૂ કરવામાં આવે કે જે નોંધણી અધિકારીના મતે યોગ્ય મૂલ્યાંકન કરતાં ઓછું હોય અને પરિણામે સ્ટેમ્પ અધિનિયમ હેઠળ ચૂકવવાપાત્ર જરૂરી સ્ટેમ્પ ડ્યૂટીની રકમનો સ્ટેમ્પ વપરાયો ન હોય તેવી સ્થિતિમાં , દસ્તાવેજને નોંધણી માટે સ્વીકારવાની અને ત્યારબાદ તે દસ્તાવેજ રજૂ કરનાર વ્યક્તિને ઠરાવેલ સમયમર્યાદામાં ખૂટતી સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવવાનું જણાવવા બોલાવવાની નોંધણી અધિકારીની જ છે અને જો દસ્તાવેજ રજૂ કરનાર વ્યક્તિ વિવાદ ઉપસ્થિત કરે તો , તે વિવાદનો ન્યાય - નિર્ણય કરવાની અને ત્યારબાદ , બાકીની રકમ ઠરાવેલ સમયમાં ચૂકવવાની સૂચના આપવાની એ કથિત અધિકારીની ફરજ છે . અલબત્ત , નોંધણી અધિકારી દ્વારા થનાર આવો ન્યાય - નિર્ણય સ્ટેપ અધિનિયમની કલમ - પ ૩ ( ક ) માં ઠરાવેલ યોગ્ય સત્તાધિકારી સમક્ષ ફેરતપાસને આધીના હોય છે અને તે વિવાદ ઉચ્ચતર ફોરમ સમક્ષ પણ લઈ જઈ શકાય છે . વિવાદી પરિપત્રની મદદ વડે દસ્તાવેજને “ ઓછા મૂલ્યાંકનવાળા દસ્તાવેજ ' તરીકે સ્વીકારવાનો ઇનકારે કરવો એ સ્ટેમ્પ અધિનિયમની કલમો -૩૨ ( ક ) એ પ ૩ ( ક ) માં તેમ જ નોંધણી નિયમોના નિયમ -૪ પમાં કરાયેલ જોગવાઈની પ્રક્રિયાનો ભંગ ગણાય . સ્ટેમ્પ અધિનિયમની કલમો ૩ ર ( ક ) અને પ ૩ ( ક ) તેમ જ નિયમ -૪ પમાં જણાવવામાં આવેલ નિર્ધારિત પ્રક્રિયા ઉપરથી વિચલિત થવાનો કોઈ અવકાશ નથી . ઉપરોક્ત જોગવાઈઓની રૂએ , નોંધણી માટે દસ્તાવેજ રજૂ કરનાર વ્યક્તિને અયોગ્ય , અપૂરતી સ્ટેમ્પ ડ્યૂટી સાથે પણ દસ્તાવેજ રજૂ થયાની હકીકત સ્વીકારતી રસીદ મેળવવાનો અને ત્યારબાદ યોગ્ય મૂલ્યાંકનના નિર્ણય માટેની કાર્યવાહીનો સામનો કરવાનો હક છે . એક નાગરિકને નોંધો અધિનિયમની . કલમ -૨૩ હેઠળ ઠરાવેલ સમયના છેલ્લા દિવસે પણ નોંધણી માટે દસ્તાવેજ રજૂ કરવાનો હક છે , પરંતુ વિવાદી પરિપત્રની મદદ લઈને બચાવકતઓ છેલ્લા દિવસે તેને સ્વીકારવાનો ઇનકાર કરીને દસ્તાવેજ રજૂ કરવાના હકને સમયમર્યાદાથી પ્રતિબંધિત કરી શકે છે તેમ જ બખૂબી સમયમર્યાદામાં રજૂ થયેલ દસ્તાવેજને પણ સ્વીકારવાનો ઇનકાર કરીને અને નોંધણી અધિનિયમની કલમ -૨૩ હેઠળ ઠરાવેલ સમયમાં મૂલ્યાંકનના વિવાદનો નિવેડો નહીં લાવીને પણ નોંધણી માટે દસ્તાવેજ રજૂ કરવાનો હક પ્રતિબંધિત થઈ શકે છે .

ર વધુમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે એવું મંતવ્ય કરેલ કે , રાજ્ય - સત્તાવાળાઓને વિલંબ માફીની કથિત જોગવાઈનું આહ્વાન કરવા કોઈ નાગરિકને મજબૂર કરવાનો કોઈ હક નથી તે પણ જ્યારે તે તેના હકની રૂએ , આક્ષેપિત ઓછા મૂલ્યાંકન અને તેના પરિણામે સ્ટેમ્પ ડ્યૂટીની અપૂરતી રકમ સાથે પણ સમયમર્યાદાના સમયગાળામાં દસ્તાવેજ રજૂ કરવાના તેના હકનો ઉપયોગ કરવા માગતો હોય . જ્યાં સુધી સ્ટેમ્પ ડ્યૂટીને લગતાં વિવાદનો રાજ્ય સત્તાવાળાઓ દ્વારા નિવેડો લાવવામાં ન આવે ત્યાં સુધી દસ્તાવેજનાં પક્ષકારો મૂલ્યાંકનને લગતાં વિવાદના નિકાલને ઝડપી બનાવશે અને સ્ટેમ્પ ડ્યૂટીની જરૂરી રકમની ચૂકવણી કરશે . આ કેસમાં નોંધણી માટેનાં દસ્તાવેજને ચલાવવાના કેસ અંગે અને તે પણ જ્યારે નોંધણી અધિકારી અપૂરતા સ્ટેમ્પ સાથે ઓછા મૂલ્યાંકનનો આક્ષેપ કરે છે ત્યારે વિશેષ વૈધાનિક જોગવાઈનું અસ્તિત્વ હોવા છતાં રાજ્ય સરકારે વિવાદી પરિપત્ર કાઢીને સક્ષમ વિધાનસભા દ્વારા પસાર કરાયેલ કાયદાને ટાળવાની ગેરકાયદેસર પદ્ધતિ શોધી કાઢેલ છે . ઉપરોક્ત પરિપત્ર સક્ષમ વિધાનસભા દ્વારા માન્ય કરાયેલ ન હોઈ કાયદાની કોઈ સત્તા વિનાનો છે અને તેથી ઊલટું આ જ વિષય અંગે જોગવાઈ કરતાં અસ્તિત્વમાન કાયદાની વિરુદ્ધનો છે . આથી નામદાર ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ તા . ૯ પ -૨૦૦૭ ના રોજનો પરિપત્ર હકૂમત વિનાનો હોવાનું ઠરાવી રદ કરવાનો હુકમ ફરમાવેલ તેમ જ ઓછા મૂલ્યાંકન અને અપૂરતી સ્ટેમ્પ ડ્યૂટી લગાડેલ દસ્તાવેજની રજૂઆતના કેસોમાં અસ્તિત્વમાન વૈધાનિક જોગવાઈઓને અનુસરવા રાજ્ય સરકારને સૂચના પણ આપવામાં આવેલ . ઉપરોક્ત કેસ ઉપરથી સ્પષ્ટ થાય છે કે , રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ તા . ૯-૫-૨૦૦૭ના રોજનો પરિપત્ર નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવેલ હોવાથી પક્ષકારો ખૂટતી સ્ટેમ્પ ડ્યૂટીવાળા દસ્તાવેજને નોંધણી માટે રજૂ કરી શકે છે અને નોંધણી અધિકારીને સંબંધિત મિલકતની બજાર કિંમત નક્કી કરવા બાબત બોમ્બે સ્ટેમ્પ અધિનિયમની કલમ -૩ ર ( ક ) હેઠળ નાયબ કલેક્ટર , સ્ટેમ્પ ડ્યૂટી મૂલ્યાંકન તંત્ર સમક્ષ ન્યાય - નિર્ણય કરવા મોકલી શકે છે અને પક્ષકારો આવા કેસોમાં પુરાવાઓ રજૂ કરી પોતાની રજૂઆતો કરી શકે છે , ( સંદર્ભ લેન્ડ લોઝ જજમેન્ટ્સ ( LLJ ) , વોલ્યુમ -૧ , ઇશ્યપ , મે -૨૦૧૪ , પાના નં . ૩૭૯ ) .

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...