6.26.2023

દિવાની કાર્યવાહીઓમાંની જોગવાઈઓનો અમલ કરવો ફરજિયાત છે

 દિવાની કાર્યવાહીઓમાંની જોગવાઈઓનો અમલ કરવો ફરજિયાત છે


તમારી જમીન,  તમારી મિલકત 

> નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ)

દિવાની બાબતોને લગતી કાર્યવાહીઓ માટે આપણે ત્યાં કાયદાની જોગવાઇઓ કરાયેલી છે. આ કાર્યવાહીમાં તેનો અમલ કરવો ફરજિયાત છે. કઇ કાર્યવાહી માચે ક્યારે શું શું કરવું કે શું ન કરવું તેની સ્પષ્ટ જોગવાઇઓ આ ક્ષેત્રમાંના તમામ લોકો માટે જાણવી જરૂરી છે. તેમાં સિવિલ પ્રોસિજર કોડના હુકમ-૯ ના હેઠળના નિયમો વિષે અને પક્ષકારોએ હાજર થવા વિષે તથા ન હાજર થવાના પરિણામ વિષે જોઇશું.

નિયમ-૧ : પ્રતિવાદીને હાજર થઈને જવાબ આપવા માટેના સમન્સમાં ઠરાવેલા દિવસે પક્ષકારોએ હાજર થવું : પ્રતિવાદીને હાજર થઈને જવાબ આપવાને સમન્સમાં જે દિવસ ઠરાવ્યો હોય, તે દિવસે પક્ષકારોએ જાતે અથવા પોત પોતાના વકીલો મારફતે ન્યાયાલયના મકાનમાં હાજર રહેવું જોઈશે અને આગળનો કોઈ દિવસ ઠરાવીને તે ઉપર દાવાની સુનાવણી ન્યાયાલય મુલતવી ન રાખે, તો તે જ વખતે કરવી જોઈશે.

નિયમ-૨ :  જયારે આવા નક્કી કરેલા દિવસે, પ્રતિવાદી ઉપર સમન્સની બજવણી ન્યાયાલયની ફી અથવા પોસ્ટની મહેસૂલ જો હોય તો તે, તેની ચુકવણી ન કરવાના કારણે અથવા સી.પી.સી.ના હુકમ-૦ ના નિયમ-૯ દ્વારા જણાવ્યા પ્રમાણે દાવાઅરજીની નકલો રજૂ ન કરવાના કારણે પ્રતિવાદી ઉપર સમન્સ બજાવવામાં આવ્યું હોય ત્યારે ન્યાયાલય એવો દાવો કાઢી નાખવાનો હુકમ કરી શકશે. પરંતુ એવી જોગવાઈ કરાઈ છે કે આવી નિષ્ફળતા હોવા છતાં, પ્રતિવાદી રૂબરૂ અથવા એજન્ટ દ્વારા, જ્યારે હાજર થઈ જવાબ આપવા માટે નક્કી કરેલા દિવસે એજન્ટને હાજર રહેવાની છૂટ આપી હોય ત્યારે આવો કોઈપણ હુકમ કરી શક્શે નહીં.

નિયમ-૩ : જ્યારે દાવો સુનાવણી માટે નીકળે ત્યારે, બેમાંથી કોઈપણ પક્ષકાર હાજર ન થાય, ત્યારે દાવો કાઢી નાખવો એવો હુકમ ન્યાયાલય કરી શકશે.

નિયમ-૪:  વાદી નવો દાવો માંડી શકશે અથવા ન્યાયાલય તે ફરી ફાઈલ ઉપર લઈ શક્શેઃ જ્યારે નિયમ-૨ અથવા નિયમ-૩ હેઠળ દાવો કાઢી નાંખવામાં આવે ત્યારે (મુદતના કાયદાને અધીન રહીને) વાદી નવો દાવો માંડી શકશે અથવા દાવો કાઢી નાખવાનો હુકમ, રદ કરવાનો હુકમ મેળવવા અરજી કરી શકશે. યથાપ્રસંગ, નિયમ-૨ માં ઉલ્લેખ્યા પ્રમાણેની કસૂર અથવા પોતે ગેરહાજર રહ્યો હોય તે માટે પૂરતું કારણ હતું એમ વાદી ન્યાયાલયને ખાતરી કરાવે તો ન્યાયાલયે તે દાવો કાઢી નાખ્યાનો હુકમ રદ કરવાનો હુકમ કરવો જોઈશે.
(૧) જ્યારે પ્રતિવાદી અથવા ઘણા પ્રતિવાદીઓમાંના એક પ્રતિવાદી ઉપર સમન્સ કાઢવામાં આવ્યો હોય તથા તે બજ્યા વગર પાછો આવે ત્યારે, વાદી સમન્સ બજાવનાર અધિકારીઓએ પાછા આપેલા સમન્સને ન્યાયાલયમાં સાધારણ રીતે પ્રમાણિત કરનાર અધિકારીએ ન્યાયાલયને પાછો મોકલ્યાની તારીખથી ૨ સાત દિવસ) ની મુદત સુધી નવો સમન્સ કાઢવાની અરજી કરે,તો વાદી સદરહુ મુદતમાં - 
(એ) જે પ્રતિવાદીને સમન્સ બજાવવામાં આવ્યો ન હોય તે પ્રતિવાદીનું નિવાસસ્થાન શોધી કાઢવાના બનતા પ્રયાસો કરવા છતાં પોતે તેને શોધી શક્યો નથી, અથવા
(બી) એવો પ્રતિવાદી કામગીરી હુકમ લેવાનું ટાળે છે, અથવા (સી) મુદત વધાવરવાનું બીજું કોઈ પુરતું કારણ છે, એમ ન્યાયાલયને ખાતરી કરી આપી હોય તે સિવાય, એવા પ્રતિવાદી સામેનો દાવો કાઢી નાખવાનું ફરમાવવાને માટે ન્યાયાલયને હુકમ કરવો જોઈશે. (૨) આવા પ્રસંગે વાદી (મુદતના કાયદાને આધીન રહીને) નવો દાવો લાવી શકશે.

નિયમ-૬ :એક્લો વાદી હાજર થાય ત્યારે કાર્યરીતિ : (૧) જ્યારે દાવો સુનાવણી માટે નીકળે ત્યારે વાદી હાજર થાય અને પ્રતિવાદી હાજર ન થાય ત્યારે -
(એ) જો સમન્સ યોગ્ય રીતે બજાવ્યો છે એમ સાબિત થાય તો, દાવાની એક્તરફી સુનાવણી કરવાનો હુકમ કરી શકશે.
(બી) સમન્સ યોગ્ય રીતે બજાવ્યો છે એમ સાબિત ન થાય તો પ્રતિવાદી ઉપર બીજો સમન્સ કાઢીને તે બજાવવાનો ન્યાયલયે આદેશ આપવો જોઈશે.
(સી) પ્રતિવાદી ઉપર સમન્સ બજાવ્યો છે, પણ સમન્સમાં ઠરાવેલા દિવસે હાજર થઈને જવાબ આપવાને જોઈએ તેટલા સમયની અંદર તે બજાવ્યો નથી એમ સાબિત થાય તો ન્યાયાલયે પોતે નકકી કરે તેવા કોઈ આગળના દિવસે ઉપર દાવાની સુનાવણી મુલતવી રાખવી જોઈશે. અને તે દિવસની નોટિસ પ્રતિવાદીને આપવી એવો આદેશ આપવો જોઈશે.
(૨) વાદીની કસૃરને લીધે યોગ્ય રીતે અથવા પૂરતા સમયમાં સમન્સ બજાવવામાં ન આવ્યો હોય ત્યારે સુનાવણી મુલત્વી રાખવાથી થયેલો ખર્ચ વાદીએ આપવો એવો ન્યાયાલયે હુકમ કરવો જોઈશે.

નિયમ-૭: ન્યાયાલયે દાવાની એક્તરફથી સુનાવણી અમુક દિવસ મુલતવી રાખી હોય અને તે સુનાવણી કરતી વખતે અથવા તે પહેલાં, પ્રતિવાદી, હાજર થાય અને અગાઉ હાજર ન થવાનું સબળ કારણ બતાવે ત્યારે ખર્ચ અંગે અથવા બીજી રીતની ન્યાયાલય ફરમાવે તે શરતોએ હાજર થવા માટે ઠરાવેલા દિવસે તે હાજર થયો હોત તો, તેનો જવાબ જે રીતે સાંભળ્યો હોય તો તે રીતે દાવાનો જવાબ તેની પાસેથી સાંભળી શકાશે.

નિયમ-૮ : એક્લો પ્રતિવાદી હાજર થયા ત્યારે કાર્યરીતિઃ જ્યારે દાવો સુનાવણી માટે નીકળે ત્યારે પ્રતિવાદી હાજર થાય અને વાદી હાજર ન થાય. ત્યારે ન્યાયાલયે દાવો કાઢી નાખવાનો હુકમ કરવો જોઈશે. પરંતુ પ્રતિવાદી દાવાની રકમ અથવા તેનો કોઈ ભાગ આપવા કબૂલ થાય તો, તે કબૂલાત ઉપરથી પ્રતિવાદી વિરુદ્ધ ન્યાયાલયે હુકમનામું કરવું જોઈશે અને એ દાવાની રકમનો માત્ર એક ભાગ કબૂલ કર્યો હોય ત્યારે બાકીના ભાગ પૂરતો દાવો કાઢી નાખવો જોઈશે.

નિયમ-૯ : વાદીની ક્સૂરને લીધે તેની વિરુધ્ધ હુકમનામું થાય, તો પછી નવો દાવો કરી શક્શે નહીં.
(૧) જયારે નિયમ-૮ હેઠળ પૂરો દાવો કે તેનો કંઈ ભાગ કાઢી નાખવામાં આવ્યો હોય, ત્યારે દાવાના તે જ કારણ સંબંધમાં વાદી નવો માંડી શકશે નહીં, પરંતુ કાઢી નાખવાનો હુકમ રદ કરવા વાદી અરજી કરી શકશે અને દાવો સુનાવણી માટે નીકળ્યો ત્યારે, પોતે હાજર થઈ શક્યો નહીં. એમ વાદી ન્યાયાલયને ખાતરી કરાવે તો, ખર્ચ અથવા બીજી રીતની પોતાને યોગ્ય લાગે તે શરતો કરીને, ન્યાયાલયે દાવો કાઢી નાખવાનો હુકમ રદ કરવો જોઈશે.
(૨) આ નિયમ હેઠળનો હુકમ અરજી વિષેની નોટિસ સામા પક્ષકારને પહોંચાડવામાં ન આવી હોય, તો કરી શકાશે નહીં.

નિયમ-૧૦ : જ્યારે દાવામાં એક કરતાં વધારે વાદીઓ હોય અને તેમાંનો એક અથવા વધારે હાજર થાય અને બીજો હાજર ન થાય, ત્યારે ન્યાયાલય હાજર થયેલા વાદી અથવા વાદીઓના સૂચન ઉપરથી બધા વાદીઓ હાજર થયા હોય તેમ દાવાની કાર્યવાહી આગળ ચલાવવાની પરવાનગી આપી શકશે અથવા પોતાને યોગ્ય લાગે તેવો હુકમ કરી શકશે.

નિયમ-૧૧ :  દાવામાં જ્યારે એક કરતાં વધારે પ્રતિવાદીઓ હોય અને તેમાંનો એક અથવા વધારે હાજર હોય અને બીજા હાજર ન હોય, ત્યારે દાવાનું કામ આગળ ચાલશે અને ન્યાયાલયમાં હાજર ન થયા હોય તે પ્રતિવાદી અથવા પ્રતિવાદીઓની બાબતમાં કેંસલો આપતી વખતે, પોતાને યોગ્ય જણાય તેવો આદેશ કરી શકશે.

નિયમ-૧૨ : જે વાદી અથવા પ્રતિવાદીને જાતે હાજર થવાનો હુકમ કર્યો હોય તે જાતે હાજર ન થાય અથવા તે પ્રમાણે હાજર ન થવાની ન્યાયાલયને ખાતરી થાય એવી રીતે પૂરત કારણ ન બતાવે ત્યારે હાજર ન થનારા વાદી તથા પ્રતિવાદીને લાગુ પડે.

નિયમ-૧૩ : પ્રતિવાદી સામેનું એક તરફી હુકમનામું રદ કરવા બાબત : કોઈપણ કેસમાં પ્રતિવાદી સામેનું એક તરફી હુકમનામું થયું હોય ત્યારે, તે રદ કરવાનો હુકમ કરાવવા માટે તે હુકમનામું કરનારા ન્યાયાલયને તે પ્રતિવાદી અરજી કરી શકશે જો તે ન્યાયાલયને ખાતરી કરાવે કે સમન્સ યોગ્ય રીતે બજાવવામાં આવ્યો ન હતો અથવા દાવો સુનાવણી માટે નીકળ્યો તે વખતે કોઈ પૂરતાં કારણને લીધે પોતે હાજર થઈ શક્યો ન હતો, તો ખર્ચ વિષે ન્યાયાલયમાં રકમ ભરવા વિષે અથવા બીજી રીતે તે વિષે ન્યાયાલયને યોગ્ય લાગે તે શરતો કરીને, પ્રતિવાદી સામે હોય તે હુકમનામું, રદ કરવાનો ન્યાયાલયે હુકમ કરવો જોઈશે અને દાવાની કાર્યવાહી માટે દિવસ નક્કી કરવો જોઈશે. પરંતુ એવું હુકમનામું માત્ર એવા પ્રતિવાદી પૂરતું રદ ન કરી શકાય એવા પ્રકારનું હોય, ત્યારે તે બીજા તમામ અથવા બીજા કોઈપણ પ્રતિવાદી પૂરતું રદ કરી શકાશે. વધુમાં જો ન્યાયાલયને એવી ખાતરી થાય કે પ્રતિવાદીને સુનાવણીની તારીખની જાણ હતી અને વાદીના દાવાનો હાજર થઈ જવાબ આપવા માટે તેની પાસે સમય હતો, તો સમન્સ બજાવવામાં અનિયમિતતા થઈ છે માત્ર તેવા કારણે કોઈપણ ન્યાયાલયથી એક તરફી કરેલું હુકમનામું રદ કરી શકાશે નહીં.
સ્પષ્ટીકરણઃ આ નિયમ હેઠળ કરવામાં આવેલા એક તરફી હુકમનામા સામે અપીલ કરવામાં આવી હોય અને અપીલ કરનારે અપીલ પાછી ખેંચી લીધી છે તેવા કારણ સિવાયના કોઈપણ કારણે અપીલનો નિકાલ કરવામાં આવ્યો હોય, તો તે એક તરફથી હુકમનામું રદ કરવા માટે આ નિયમ હેઠળ કોઈ અરજી કરી શકાશે નહીં. નિયમ ૧૪: સામા પક્ષકારને નોટિસ પહોંચાડયા વિના હુકમનામું રદ કરવું નહીં.

જમીનોનું રીસર્વે અને સીટી સર્વેની જમીન મહેસૂલ કાયદાની જોગવાઈઓ




 જમીનોનું રીસર્વે અને સીટી સર્વેની જમીન મહેસૂલ કાયદાની જોગવાઈઓ


લોકાભિમુખ માર્ગદર્શન -  એચ.એસ. પટેલ IAS (નિ.)

- રીસર્વેની ક્ષતિ સુધારણા ઝુંબેશ સ્વરૂપે કરવી જરૂરી

ભારત ખેતી પ્રધાન દેશ છે અને આજે પણ ભારતનું અર્થતંત્ર કૃષિ આધારિત ઉપર મહત્વ ધરાવે છે અને તે અનુસાર ખેતીની જમીન ઉપરનું મહેસુલ ઉઘરાવવુ તે રાજ્યનું અગત્યનું આવકનું સાધન હતું. અંગ્રેજોના આગમન પહેલાં - શેરશાહ સુરી દ્વારા પ્રથમવાર જમીનની પ્રત પ્રમાણે જમીનનો આકાર (મહેસુલ) નક્કી કરવામાં આવેલ. મુંબઈ પ્રાન્તમાં અને હાલના ગુજરાતમાં 'રૈયતવારી' પધ્ધતિ હતી જેમાં બ્રિટીશ હકુમતના વિસ્તારમાં રાજ્યને મહેસુલ સીધે સીધુ આપવાનું થતું હતું. આ મહેસુલી પધ્ધતિને સર્વે સેટલમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે જેમાં મુંબઈ માપણી અને જમાબંધી નિયમસંગ્રહ આર. જી. ગોર્ડન આઈ.સી.એસ. અધિકારીએ તૈયાર કરેલ, જેમાં જમીનની માપણીની પધ્ધતિઓ અને જમીનની પ્રત પ્રમાણે મહેસુલ નક્કી કરવાની પધ્ધતિને સેટલમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ એન્ડરસન દ્વારા મહેસુલી હિસાબી પધ્ધતિ વિકસાવી જેને રેવન્યુ એકાઉન્ટ મેન્યુઅલ તરીકે ઓળખવામાં આવે છે. અને તે અનુસાર ગામના નમુના નં. ૧ થી ૧૮ કે જેમાં સમગ્ર મહેસુલી ગામનો વહીવટ આવી જાય છે.

ઉક્ત પૂર્વભૂમિકા સર્વે અને સેટલમેન્ટના પાયાના સિધ્ધાંતો સમજવા માટે વર્ણવવામાં આવી. જમીન મહેસુલ અધિનિયમ-૧૮૭૯ની જોગવાઈઓમાં જમીનોનું સર્વે એટલેકે મોજણી-માપણીની જોગવાઈ કરવામાં આવી છે અને જમીન ઉપરનું મહેસુલ દર ૩૦ વર્ષે રીવાઈઝ કરવામાં આવશે તેવી જોગવાઈ કરવામાં આવી છે અને આ કાયદાની જોગવાઈ પ્રમાણે રાજ્યને કોઈપણ વિસ્તારનું રીસર્વે કરવાની સત્તાઓ આપવામાં આવેલ છે. ગુજરાતમાં આઝાદી બાદ મોટાભાગના ગામોમાં ૧૯૫૫-૫૬માં સર્વે કરવામાં આવેલ અને તે આધારે દરેક ગામનો કાયમી ખરડો (રકબો) તૈયાર કરવામાં આવેલો જે આજે પણ આધારભુત તરીકે માન્ય રાખવામાં આવે છે અગાઉ જે સર્વે કરવામાં આવેલ જે જુની સાંકળપધ્ધતિથી કરવામાં આવેલ અને તેમાં જે ક્ષેત્રફળમાં ખાસ કરીને traverse  બિનસરકારી નંબરોમાં લાગુ સર્વે નંબરના દબાણો તેમજ અન્ય ક્ષતિઓ રહેવા પામેલ તેમ છતાં અગાઉના સર્વે માપણી પ્રમાણે જે રેકર્ડ કાયમી ખરડાને આધારે ૭/૧૨ લખવામાં આવેલ અને સબંધિત પ્રાન્ત અધિકારી દ્વારા પ્રથમ Promulgation કરવામાં આવેલ, તે મહ્દ્અંશે સબંધિત સર્વે નંબરના કબજેદારોને માન્ય હતું અને આ રેકર્ડનો ૭/૧૨નો સમયગાળો દસ વર્ષનો હતો એટલે Rewritingના ભાગરૂપે ફરીથી તે રેકર્ડ જે સર્વે નંબરોના ભાગલા પડયા હોય તેના પેટા હિસ્સો આપી, મૂળ સ્વરૂપે રેકર્ડ લખાઈને સબંધિત પ્રાન્ત અધિકારી દ્વારા પ્રમાણિત જાહેર કરવામાં આવતું.

રાજ્ય સરકારે ભારત સરકારની યોજના અન્વયે મહેસુલી રેકર્ડ અદ્યતન કરવાના ભાગરૂપે પાયલોટ પ્રોજેક્ટ તરીકે જામનગર અને મહેસાણા જીલ્લાઓને રીસર્વે માટે લેવામાં આવેલ, અને આ કામગીરી ખાનગી એજન્સીને આપવામાં આવેલ શરૂઆતના પાયલોટ પ્રોજેક્ટ બાદ, રાજ્યના તમામ જીલ્લાઓને આવરી લેવામાં આવેલ, આમ તો રીસર્વેમાં મૂળ રેકર્ડ મુજબ એટલેકે ડી.આઈ.એલ.આર. દ્વારા જે મૂળ ગામનાં મહેસુલી રેકર્ડ નિભાવવામાં આવતું તેને Base લેવાનો હતો અને સબંધિત ગામની માપણી સમયે સબંધિત ગામના સર્વેનંબરના ખાતેદાર / કબજેદારની હાજરીમાં માપણી કરવામાં આવનાર હતી તેમજ ગામસભા બોલાવીને જાણ કરવાની હતી. પરંતુ તેમ કરવાને બદલે ખાનગી એજન્સી દ્વારા જે કબજેદારો / ખાતેદારો સાથે પ્રત્યક્ષહાજરીમાં માપણી કરવાની હતી તેના બદલે Bisag ની તેમજ Google image ના આધારે માપણી કરી રેકર્ડ સુપ્રત કરવામાં આવ્યુ અને તે અનુસાર ઉતાવળે સબંધિત પ્રાન્ત અધિકારીઓ દ્વારા રેકર્ડ પ્રમાણિત જાહેર કરવામાં આવ્યુ જેની સંખ્યાબંધ ભુલો હજુ પણ સુધારી શકાયેલ નથી. ઘણી જગ્યાએ એવુ પણ બનવા પામેલ છે કે સરકારનું હિત સમાયેલ હોય તેવા સરકારી / ગૌચરના સર્વે નંબરોનું ક્ષેત્રફળ ઓછું થયું છે અથવા તો વર્ષો પહેલાં સરકારી જમીન જેમને ગ્રાન્ટ કરવામાં આવી હોય તે કબજો સુપ્રત કર્યો હતો તેના બદલે વિકસીત વિસ્તારમાં કે મુખ્ય રસ્તાઓની બાજુમાં જમીન માપણી કરાવી, ક્ષેત્રફળ દર્શાવામાં આવ્યું હોય. આ તો ઉદાહરણ સ્વરૂપે દાખલાઓ દર્શાવ્યા છે. ઘણી જગ્યાએ વ્યાજબી કિસ્સાઓ જેમ કે ભાઈઓ ભાગે વહેંચણી થયેલ હોય મૂળ સર્વે નંબરના પેટા હિસ્સા આપવામાં આવેલ હોય નવીન માપણીમાં પેટા હિસ્સાને બદલે સ્વતંત્ર સર્વે નંબર આપવાનો હોય તેના બદલે મૂળ સર્વે નંબર મુજબનું અદલાબદલાના કિસ્સામાં પણ નંબરો ઉલટ સુલટ કરવામાં આવ્યા હોય આમ આવી પાયાની ક્ષતિઓ કે જેને રેકર્ડ આધારિત દુરસ્તી કરવાની હોય તેમાં પણ અગાઉ તો શરૂઆતમાં આવા ક્ષેત્રફળ સુધારવા નાયબકલેક્ટર સમક્ષ અપીલ કરવાનું જણાવવામાં આવતું પરંતુ સમગ્ર રાજ્યમાં મોટાભાગે આવા કિસ્સાઓ હોવાથી ફક્ત સબંધિત ખાતેદારની અરજીના આધારે ફેરફાર કરવાનું જણાવવામાં આવેલ અને આ પ્રક્રિયાને પણ પાંચ વર્ષ ઉપરાંતનો સમય થયેલ છે. હજી સુધી આ કાર્યવાહી પુર્ણ થયેલ નથી હજુ પણ જીલ્લાવાર મોટાપાયે અરજીઓ Pending છે રાજ્યમાં અમુક જીલ્લાઓમાં તો હજુ ઘણા ગામડાઓનું રીસર્વે મુજબ Promulgation થયેલ નથી. 

આમ મહેસુલી રેકર્ર્ડ અદ્યતન કરવાના ભાગરૂપે રીસર્વેદાખલ કરવામાં આવેલ, તેમાં તમામ ખાતેદારના સર્વે નંબરનો નકશો પણ ઉપલબ્ધ થાય અને ચોક્કસ ક્ષેત્રફળ મળી રહે, સરકારી, સાર્વજનિક ઉપયોગી જમીનો ઉપર દબાણ ન થાય તેના ભાગરૂપે ચોક્કસ હદ્ નિશાન સાથે ક્ષેત્રફળ મળી રહે તે આશય હતો તે સિધ્ધ થયેલ નથી. 

રીસર્વે બાદ ઉદભવેલ પ્રશ્નોના નિરાકરણ માટે મૂળ સર્વે થયેલ તે ડી.આઈ.એલ.આર પાસેનું સર્વે રેકર્ડ ગુણાકાર બુક સહિત ટીપ્પણ, ગામનો કાયમી ખરડા સાથે રીસર્વે મુજબ થયેલ માપણી, ક્ષેત્રફળમાં થયેલ વધ-ઘટ અને તે ચોક્કસ પુરાવા આધારિત સર્વે વિભાગના અધિકારીઓની ટીમ બનાવી, જરૂર જણાયે સ્વતંત્ર માપણી એજન્સીઓ રોકી અથવા નિવૃત્ત ડી.આઈ.એલ.આર. / એસ.એલ.આર ને રાખીને ઝુંબેશ સ્વરૂપે રીસર્વેની ક્ષતિઓ સુધારવા માટે કામગીરી કરવી જરૂરી છે અને તો જ જમીના ધારકોને તેઓએ ધારણ કરેલ જમીનના ક્ષેત્રફળ મુજબના હક્કો પ્રાપ્ત થશે. પ્રવર્તમાન સમયમાં શહેરીકરણ / ઔદ્યોગિકરણના આગામી લેખમાં વિવરણ કરીશુ.

6.21.2023

ગણોતધારો : ખેતીમાં વચેટ હિતો ધરાવતા મધ્યસ્થીઓ(inter-mediary tenures)ની નાબૂદી માટેના કાયદા.

 ગણોતધારો : ખેતીમાં વચેટ હિતો ધરાવતા મધ્યસ્થીઓ(inter-mediary tenures)ની નાબૂદી માટેના કાયદા.



ખેતીની જમીન સંબંધે સ્વાધીનતા પહેલાં અને પછી વિચારાયેલી નીતિમાં ત્રણ બાબતો મુખ્ય હતી : (1) મધ્યસ્થીઓનાં હિતોવાળા જમીનધારણના પ્રકારો નાબૂદ કરી બધા ખાતેદારોને રાજ્ય સાથેના સીધા કબજેદારો બનાવવા; (2) શોષણ પર આધારિત કે શોષણને પ્રોત્સાહિત કરતી ગણોતપ્રથા નાબૂદ કરવી અથવા તેનું નિયમન કરવું અને (3) એક ખેડૂત કુટુંબ ખેતીની વધુમાં વધુ કેટલી જમીનની માલિકી ધરાવી શકે તેનું પ્રમાણ નક્કી કરવું એટલે કે જમીનધારણની ટોચમર્યાદા નિર્ધારિત કરવી.

ભારતમાં મધ્યસ્થીઓનાં હિતોવાળા જમીનધારણના પ્રકારો હિંદુ, મુસ્લિમ તથા મરાઠા રાજ્યવહીવટ દરમિયાન રાજકીય હેતુઓ માટે ઊભા કરાયા હતા. તેના પરિણામે જમીન ઉપરના હકોમાં મધ્યસ્થીઓનાં હિતોવાળા જમીનધારણના પ્રકાર રાજ્ય અને ખેડૂત વચ્ચે અસ્તિત્વમાં હતા. સમગ્ર રાજ્યમાં ખેડૂતને રાજ્ય સાથે સીધા સંબંધ ધરાવતો બનાવવા આ પ્રકારોની નાબૂદી જરૂરી હતી અને તેથી જ્યારે ગુજરાત, મુંબઈ રાજ્યનું અંતર્ગત ભાગ હતું ત્યારે મુંબઈ રાજ્યે સમગ્ર રાજ્યમાં એક જ જમીનવહીવટ-પ્રથા અને પદ્ધતિ દાખલ થાય તે માટે આ જમીનધારણના પ્રકારોની નાબૂદી જરૂરી માની હતી. મુંબઈ રાજ્યે 1949થી 1960 દરમિયાન એટલે કે ગુજરાત રચાયું ત્યાં સુધીમાં મધ્યસ્થીઓ અંગેના ઘણાબધા જમીનધારણના પ્રકારો કાયદા દ્વારા નાબૂદ કર્યા. મે 1960માં ગુજરાતની રચના પછી તેણે પણ આ નાબૂદી કાર્યક્રમ ચાલુ રાખ્યો અને છેલ્લે 1969માં દેવસ્થાન સત્તાપ્રકાર નાબૂદી કાયદો ઘડી તેનો અમલ પણ શરૂ કર્યો.

મધ્યસ્થીઓ દ્વારા જમીનધારણ-વ્યવસ્થા નાબૂદ કરવા માટેના કાયદાની જે પદ્ધતિ મુંબઈ રાજ્યે અને ગુજરાતે અપનાવી તે મુજબ બધા નાબૂદી કાયદામાં —

(1) મધ્યસ્થીઓનો જે તે જમીનધારણ પ્રકાર નાબૂદ કરાયો. મધ્યસ્થી તરીકે જમીન ધરાવનાર પોતે ખેતીની જે જમીનનો કબજો ધરાવતો હોય તેના પૂરતો તેને તે જમીનના લૅન્ડ રેવન્યૂ કોડ મુજબનો કબજેદાર બનાવવો અને તેને પૂરું જમીનમહેસૂલ રાજ્યને ભરવા પાત્ર ઠરાવવો.

(2) મધ્યસ્થીઓનો તે પ્રકાર ધરાવનારા જે ગણોતિયા કે કનિષ્ઠ ખાતેદારો હોય તેમને પણ તેમના હસ્તકની જમીનના લૅન્ડ રેવન્યૂ કોડ મુજબના કબજેદાર બનાવી તેમને રાજ્ય સાથેના સીધા સંબંધમાં મૂકવા તથા મધ્યસ્થીઓ સાથેના તેમના સંબંધોનો અંત લાવવા તેમણે તેમની જમીનના આકારના ચોક્કસ પટ વળતર તરીકે મધ્યસ્થીઓને આપવાના ઠરાવ્યા. આ વળતર આકારના 3 પટ કે 6 પટ જેટલું હતું.

(3) મધ્યસ્થી પોતે ખેતીની જમીન સિવાયની જે મિલકતો પોતાના મધ્યસ્થી તરીકેના બિરુદને કારણે જે તે ગામમાં ધરાવતો હોય તે મિલકતો; જેવી કે નદી, નાળાં, તળાવ, નહેરો, જાહેર કૂવા, રસ્તા, પડતર જમીન, ખરાબાની જમીન વગેરેમાંથી પણ મધ્યસ્થીઓની નાબૂદી થતાં રાજ્યને સંપ્રાપ્ત થાય. આ માટે જાહેર મિલકત સિવાયની મિલકતો માટે રાજ્યે નજીવું વળતર આપવાનું ઠરાવવામાં આવ્યું.

આ રીતે મધ્યસ્થીઓનાં હિતોની નાબૂદી થતાં તેઓ પોતે તથા તેમના હસ્તકના ખેડૂતો અને અન્ય જે તેમના તરફથી જમીન ધરાવતા હતા તે બધા સીધો ભોગવટો ધરાવતા કબજેદાર (occupants) ખેડૂતો બન્યા અને રાજ્ય સિવાય તેમને કોઈ સાથે કોઈ સંબંધ રહ્યો નહિ.

તળ ગુજરાતના વિસ્તાર ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ આવા મધ્યસ્થીઓના પ્રકાર હતા તે માટે તે વિસ્તારોમાં જુદા કાયદા ઘડાયા અને અમલી બનાવાયા.

સૌરાષ્ટ્રમાં મધ્યસ્થીઓના દરેક પ્રકારનો ભોગવટો ધરાવનારા માટે જુદા જુદા કાયદા ઘડવાને બદલે માત્ર ત્રણ કાયદા ઘડાયા : એક કાયદો ત્યાંના ગરાસદારી પ્રકાર માટે ‘સૌરાષ્ટ્ર લૅન્ડ રીએન્ફોર્સમેન્ટ ઍક્ટ’ (1951) ઘડાયો અને બીજો કાયદો બારખલી સત્તાપ્રકાર ધરાવતા બારખલીદારો માટે ‘બારખલી ઍબોલિશન ઍક્ટ’ (1951) ઘડાયો. આ બંને કાયદામાં ખેતીની જમીન પરત્વે હકો આપવાની બાબત હતી; જ્યારે ત્રીજો કાયદો ગરાસદારો તથા બારખલીદારોની બિનખેતીની બાબતો સંપ્રાપ્ત કરવા માટે ‘સૌરાષ્ટ્ર જાગીર ઉપાર્જન કાયદો’ ઘડાયો. 1952ના આ કાયદાથી ગરાસદારો અને બારખલીદારોની ખેતી સિવાયની સંપત્તિ જેવી કે નદી, નાળાં, તળાવ, વૃક્ષો, રસ્તા વગેરે સંપ્રાપ્ત કરાઈ. આમાં જાહેર મિલકતો હોય તેના માટે કશું વળતર ન અપાયું. બીજી મિલકતો માટે આકારના પટના ધોરણે રાજ્ય તરફથી વળતર અપાયું.

સૌરાષ્ટ્રના કાયદાની ધ્યાન ખેંચે તેવી જોગવાઈ એ હતી કે તેમાં ગરાસદાર પાસે પોતાની જાતખેતી માટે જમીન ન હોય કે અપૂરતી હોય તો તેને ચોક્કસ ઠરાવેલ પ્રમાણમાં જમીન પહેલાં ગણોતિયા પાસેથી લેવામાં આવે તે પછી જ ગણોતિયો પોતાની બાકી રહેતી જમીન પરત્વે કબજેદાર બની શકતો. આમ ત્યાં આ કાયદો સમાન ભાગના સિદ્ધાંત ઉપર ઘડાયો અને પરિણામે ત્યાં નાબૂદીના કારણે ઓછો અસંતોષ થયો.

કચ્છમાં મધ્યસ્થીઓનો જે પ્રકાર હતો તે ઇનામદારી પ્રકાર કહેવાતો. એની નાબૂદી માટે કચ્છ ક્ષેત્રમાં ઇનામદારી નાબૂદ કરવા મુંબઈ રાજ્યે 1958નો કાયદો ઘડેલ. આની જોગવાઈઓ મુંબઈના જાગીરનાબૂદી કાયદા ઉપરથી ઘડાયેલ અને તેમાં પણ ઇનામદારોનો પ્રકાર નાબૂદ કરી તેમને તેમના કબજાની જમીનના કબજેદારો બનાવાયા અને તેમના ખેડૂતોને પણ આકારના 6 પટ જેવી રકમ ઠરાવી તે અપાયા બાદ કબજેદાર બનાવાયા. કચ્છના આ કાયદા અંગે ત્યાંના ઇનામદારોએ ઠીકઠીક સમય સુધી વિરોધ કરેલ; પરંતુ કાયદા બહાર થોડીક વાજબી છૂટછાટો આપી તેમનો વિરોધ શાંત પડાયો.

આમ ગુજરાતમાં હવે રાજ્ય અને ખેડૂત વચ્ચે મધ્યસ્થીઓનાં કોઈ હિતો રહેતાં નથી અને રાજ્ય ખેતી-બિનખેતીની જમીનોનો સીધો વહીવટ કરી શકે તેવી સ્થિતિ થઈ છે.

આ પછી (સમગ્ર ગુજરાતમાં) જમીન પરત્વે હવે મધ્યસ્થીઓનાં કોઈ હિતો રહેતાં નથી, બધા સરકાર પાસેથી જમીન ધરાવનારા કબજેદારો બની ગયા છે અને જમીનનો પૂરો આકાર ભરે છે.

મધ્યસ્થીઓની નાબૂદી અંગેના આ કાયદા ઉપરાંત ખેતીની જમીન પરત્વે સુધારાના જે કાયદા પસાર થયા છે તે આ મુજબ છે :

(1) મુંબઈનો ખેતીની જમીનોના ખંડવિભાજન અને ઉપવિભાજન અટકાવવા તથા જમીનનું એકત્રીકરણ કરવા બાબતોનો કાયદો, 1947; અમલ : તા. 8–4–48.

(2) ખેતીની જમીનોની ટોચમર્યાદાનો કાયદો, 1960; અમલ : તા. 1–9–61 થી.

આ બંને સત્તાપ્રકાર જમીનમાલિકીની નાબૂદી અંગેના કાયદા નથી પણ ખેતીની જમીનની વ્યવસ્થા તથા વહીવટ માટેના કાયદા છે અને તેનો અમલ ચાલે છે.

મુંબઈ રાજ્યનો ગણોતધારો : ખેતીની જમીનની વ્યવસ્થા માટે જૂના મુંબઈ ઇલાકામાં પસાર કરવામાં આવેલો મહત્ત્વનો કાયદો. બ્રિટિશ હકૂમત નીચેના મુંબઈ પ્રાંતમાં આમ તો ખેતીની જમીન બાબત આદર્શ ગણાતી પદ્ધતિ  – રૈયતવારી પદ્ધતિ અમલી હતી. આમ છતાં તે પદ્ધતિમાં કબજેદાર બનેલા લોકો પોતાની જમીન પોતે ખેડવાને બદલે બીજા પાસે ખેડાવી જમીનના ઉત્પન્નનો માતબર હિસ્સો ગણોત તરીકે વસૂલ લઈ વગર મહેનતે ઘેરબેઠાં જમીનની માલિકી ભોગવતા. આ ગણોતપદ્ધતિ માટે બ્રિટિશ તંત્રમાં કોઈ કાયદો ન હતો. જમીનના વહીવટ માટેનો મુંબઈનો 1879નો જમીનમહેસૂલ કાયદો હતો. રૈયતવારી પદ્ધતિ માટે આ કાયદો નમૂનેદાર હતો અને તે અત્યારે પણ અમલમાં છે; પરંતુ ગણોતિયાના ગણોત સંબંધની સ્પષ્ટતા તથા વાજબી ગણોત માટે તેમાં કોઈ જોગવાઈ ન હતી. આના પરિણામે ખરેખર જમીન ખેડનાર અને જમીન પાછળ મહેનત કરનારનો વર્ગ પછાત, ગરીબ અને કચડાયેલો જ રહ્યો હતો. 1939માં મુંબઈ રાજ્યમાં કૉંગ્રેસે શાસન સંભાળ્યું ત્યારે તેણે આ પ્રશ્ર્ન પરત્વે લક્ષ આપી ‘1939નો મુંબઈનો ગણોત કાયદો’ ઘડ્યો. બહુ જ ટૂંકો અને માત્ર 31 કલમ ધરાવતો આ કાયદો, તે વખતના સમગ્ર મુંબઈ રાજ્યમાં તા. 11–4–46થી અમલી બન્યો. તે પહેલાં તેને ગવર્નર-જનરલની મંજૂરી મળતાં તે તા. 2–4–40ના રોજ કાયદો બનેલો, પરંતુ તે વખતે તે મુંબઈ પ્રાંતના મર્યાદિત વિસ્તારને લાગુ કરાયેલો. આ વિસ્તારમાં હાલના ગુજરાતનો માત્ર સૂરત જિલ્લો આવતો હતો. 1942માં આ કાયદામાં લશ્કરી કર્મચારીઓ તેમની જમીન પેટાપટે આપે તો તે માટે તેમની હકાલપટ્ટી નહિ થઈ શકે તેવી જોગવાઈ થઈ. આ પછી વળી પાછી કાગ્રેસ પક્ષની સરકાર સત્તા ઉપર આવતાં આ કાયદો તા. 11–4–46થી સમગ્ર રાજ્યને લાગુ કરાયો. આ કાયદાનો મર્યાદિત સમયમાં જે અનુભવ થયો તે જોઈ 1946માં આ કાયદામાં સુધારા કરાયા અને સુધારેલો કાયદો તા. 8–11–46થી સમગ્ર રાજ્યને લાગુ કરાયો.

આ કાયદાની મહત્વની જોગવાઈ રૂપે સંરક્ષિત ગણોતિયાનો એક નવો વર્ગ ઊભો કરાયો. ચોક્કસ તારીખ પહેલાં 6 વર્ષથી જમીન ધરાવતા ગણોતિયાને આ વર્ગમાં મુકાયા. પરિણામે ગણોતિયાના 3 વર્ગો થયા : (1) કાયમી ગણોતિયા, (2) સંરક્ષિત ગણોતિયા અને (3) સામાન્ય ગણોતિયા. આ કાયદાથી ગણોતિયાને પહેલી જ વખતે તેમના ગણોત સંબંધ માટે સ્થિરતા મળી, ઉપરાંત જમીનમાલિકના ગણોત ઉપર મહત્તમ મર્યાદાનું એક નિયંત્રણ મુકાયું. તેમને તેમનાં ઘર, ખોરડાં તથા વાવેલ વૃક્ષો માટે હકો મળ્યા. ગણોતિયાની કેટલીક ઠરાવેલ કસૂરો સિવાય તેને જમીન ઉપરથી હટાવાય નહિ તેવી જોગવાઈ થઈ, પરંતુ જમીનમાલિકને જાતખેતી માટે જમીન મેળવવાની જોગવાઈ પણ તેમાં હતી.

1948નો મુંબઈ ગણોત અને ખેતીની જમીનના વહીવટનો કાયદો : 1939ના કાયદાના અમલથી ગણોતિયાનો પ્રશ્ન કે ગણોતપ્રથાનાં અનિષ્ટો દૂર નહિ થાય તેમ જણાતાં 1948માં મુંબઈનો ગણોત અને ખેતીની જમીનના વહીવટનો કાયદો ઘડાયો. આ કાયદામાં ગણોતિયાની બાબતો ઉપરાંત જમીનના કાર્યક્ષમ વહીવટ, જમીનદારોની જમીન ઉપર વહીવટ મૂકવાની તથા બિનખેડૂતને ખેતીની જમીન વેચવા ઉપર નિયંત્રણની અગત્યની બાબતો હોવાથી તે માત્ર ગણોત કાયદો ન રહેતાં ખેતીની જમીનના વહીવટનો કાયદો પણ બન્યો અને તે રીતે તે ખાલસા રૈયતવારી જમીન, જેના ઉપર ગણોતિયા ન હોય તેવા જમીન ધરાવનારાને પણ અસરકર્તા બન્યો.

1948ના આ કાયદાની તે વખતની 1956 પહેલાંની સ્થિતિએ નીચે મુજબની જોગવાઈઓ અગત્યની હતી : (1) જિરાયત જમીન માટે પાકમાં 1/3 અને સિંચાઈની જમીન માટે 1/4 ભાગ મહત્તમ ગણોત તરીકે લેવાની 1939ના કાયદાની જોગવાઈમાં સુધારો કરી આવા ગણોતમાં પણ ઓછું ગણોત ઠરાવી શકાય અને આકારના અમુક પટ જેટલું ગણોત રોકડમાં ઠરાવવાની જોગવાઈ થઈ. (2) મામલતદારોને વાજબી ગણોત ઠરાવવાના અધિકારો અપાયા. (3) ગણોતિયા પોતાની જમીન ઉપર પોતાના હક પૂરતો બોજો કરી શકે તેવો તેને હક અપાયો. (4) સંરક્ષિત ગણોતિયાને પોતે ધરાવતો હોય તે જમીન ખરીદવાનો હક અપાયો. (5) જમીનદારોની જમીનો ખેડૂતની આર્થિક અને સામાજિક સ્થિતિ સુધારવા તથા જમીનના કાર્યક્ષમ વહીવટ માટે સરકારી વહીવટમાં લેવાની જોગવાઈ થઈ. (6) જમીનમાલિકના જમીન વેચવાના હકો ઉપર નિયંત્રણ તરીકે, તે જમીન ગણોતિયાને વેચી શકે અથવા તો તે ખરીદવા તૈયાર ન થાય તો નજીકના ખેડૂતને જ વેચી શકે એવાં નિયંત્રણો મુકાયાં. (7) ખેતીની જમીનમાં જમીન જાતે ન ખેડનારા લોકો પ્રવેશ ન મેળવે એટલા માટે બિનખેડૂતને કલેક્ટરની રજા વિના જમીન વેચવા સામે પ્રતિબંધ મુકાયો. (8) કોઈ વાજબી કારણ વિના સતત બે વર્ષ સુધી વણખેડાયેલી રહેલી ખેતીની જમીનનો વહીવટ સરકાર હસ્તક લેવાની જોગવાઈ થઈ. (9) ગણોત કાયદાની કોઈ પણ બાબત માટે દીવાની કોર્ટની હકૂમત બાદ રખાઈ.

આ વિસ્તૃત જોગવાઈઓથી આ કાયદો જમીનમાલિકો તથા ગણોતિયાના સંબંધો અંગે એક મહત્વનો પ્રગતિશીલ કાયદો બન્યો; પરંતુ તેનો અમલ જોતાં સંરક્ષિત ગણોતિયાને જમીન ખરીદવાના હક મળ્યા છતાં માત્ર 2 % ગણોતિયાઓએ એ હકનો ઉપયોગ કર્યો. મુંબઈ રાજ્યની કૃષિનીતિ ખરેખર ખેડનારને જમીનના માલિક બનાવવાની હતી. તે નીતિ આ સ્વૈચ્છિક ખરીદીની જોગવાઈથી હાંસલ નહિ થઈ શકે તેમ જણાતાં આ કાયદામાં સુધારા કરવા એક નવો ખરડો તા. 15–6–55ના રોજ પ્રસિદ્ધ થયો. 27 ઑગસ્ટ, 1955ના રોજ આ ખરડો પ્રવર સમિતિને સોંપાયો. પ્રવર સમિતિની ભલામણો સાથે 14 સપ્ટેમ્બર, 1955ના રોજ તે ધારાસભામાં રજૂ થયો. 24 સપ્ટેમ્બર, 1955ના રોજ આ ખરડો ધારાસભામાં ત્રણે વાચનમાંથી પસાર થયો. તા. 16–3–56થી તેને રાષ્ટ્રપતિની અનુમતિ મળી અને તા. 1–8–56થી તે અમલમાં મુકાયો. ‘ખેડે તેની જમીન’ની જોગવાઈ સમાવતો આ કાયદો એક ક્રાન્તિકારી નમૂનેદાર કાયદો ગણાયો છે. તા. 1–4–57ના દિવસે કાયદેસર રીતે જમીન ખેડતા હોય તે બધા ગણોતિયાને થોડાક અપવાદ સિવાય આ કાયદાની જોગવાઈથી ખરીદહક, કશી અરજી કે લખાણ વિના આપોઆપ મળી ગયા. આ કાયદાને ‘ખરીદો કે ખાલી કરો (purchase or quit)’ કાયદો કહેવાય છે, કેમ કે તેમાં ગણોતિયો જમીન ખરીદવા ઇચ્છા ન બતાવે તો તેને જમીન છોડી દેવી પડે તે સિવાય તેને કોઈ વિકલ્પ ન હતો. તા. 1–4–57થી આપોઆપ કાયદાના બળથી ખરીદનાર બની ગયેલ ગણોતિયાને પછી મામલતદાર પાસે માત્ર ખરીદકિંમત ઠરાવવા પૂરતું જવાનું રહે. ત્યાં જો તે જમીન ખરીદ કરવા અનિચ્છા બતાવે તો જમીન કલેક્ટરને હવાલે જાય અને તે પછી તે તેનો નિકાલ કરે એવી જોગવાઈ દાખલ થઈ. આ નિકાલમાં પણ જો ગણોતિયા આગળ આવે તો તેને જમીન ખરીદવામાં અગ્રતા મળે. તે તૈયાર ન થાય તો જમીનનો નિકાલ કરવા માટે અગ્રતાવાળા વર્ગના લોકો, જેમાં જમીનવિહોણા ખેતમજૂરો વગેરેનો સમાવેશ થાય છે, તેને પસંદગી અપાય છે.

ગુજરાતે તેની સ્થાપના થઈ (1960) ત્યારપછી આ કાયદામાં લગભગ 28 વખત સુધારા કર્યા છે; જેમાં 1960, 1965 અને 1973ના સુધારા મહત્વના છે. બધા સુધારાનો ઉદ્દેશ ગણોતપ્રથા સદંતર નિર્મૂળ કરવાનો હતો. જાતખેતીની વ્યાખ્યા ગણોતપ્રથાનું મૂળ છે; તેમાં ગુજરાતે દેખરેખ રાખી જાતખેતી કરનારે ખેતીની મોસમ વખતે પોતાની જમીનના 15 કિલોમીટર વિસ્તારમાં રહેવું પડે તેવું ઠરાવી દૂર બેસી જાતખેતી કરવાનું મુશ્કેલ બનાવ્યું છે. વળી બિનખેડૂતનો પ્રવેશ અટકાવવા ખેડૂતને પણ પોતાની જમીનથી 8 કિમી. દૂર જમીન ખરીદવા માટે બિનખેડૂત ગણી કલેક્ટરની રજા લેવાનું ઠરાવેલું છે. આનાથી સ્થળ પર રહી જાતખેતી કરવાનું લગભગ ફરજિયાત બને છે. જુદે જુદે સ્થળે જમીન ધરાવવાનું પણ આ રીતે અટકાવાયું છે.

ગણોતિયાઓને પ્રલોભન આપી તે જમીન ખરીદવાની અનિચ્છા બતાવે તે બાબત બંધ કરવા તેવી જમીનો જમીનમાલિકને ન મળે તેવી જોગવાઈ કાયદામાં છે. રાજીનામાની જમીન પણ સરકારને મળે અને ગણોતિયો ખરીદકિંમતના હપતા ભરવાનું ચૂકે તે જમીન પણ જમીનમાલિકને ન જાય એટલા માટે સરકાર મોટા પાયા ઉપર ધિરાણ કરી ખરીદકિંમતની ચૂક રોકે છે. કેટલાક નાના ગણોતિયા માટે સરકાર પોતે ખરીદકિંમત ભરી પછી તે ગણોતિયા પાસેથી વસૂલ લે છે. આમ ગુજરાતમાં ‘ખેડે તેની જમીન’(‘land to the tiller’)નો સિદ્ધાંત ચુસ્તપણે અપનાવી અમલી બનાવેલ છે; આમ છતાં એક અંદાજ મુજબ ગુજરાતમાં હજુ છૂપા ગણોતિયાઓની સંખ્યા 20થી 25 હજાર જેટલી છે. છૂપા ગણોતિયા પોતાના જીવનનિર્વાહ માટે છૂપા રહી ગણોતિયા તરીકે જમીનો ખેડે છે અને જમીન ખરીદવા આગળ આવતા નથી, પરંતુ જમીન ખરીદવા માટે આગળ આવવા ગુજરાતમાં કાયદામાં કોઈ મુદત નિર્ધારિત કરવામાં આવી નથી. એટલે છૂપો ગણોતિયો ગમે તે વખતે છતો થઈ પોતાનો હક માગવા આગળ આવી શકે છે. આમ ગણોતપદ્ધતિ ગુજરાતમાં વહેલીમોડી નિર્મૂળ થશે.

ગુજરાતના કચ્છ વિસ્તારમાં ‘મુંબઈનો ગણોત વહીવટ અને ખેતીની જમીનનો કાયદો, 1948’ અમલમાં નથી. ત્યાં તેના માટે ‘મુંબઈનો ગણોત વહીવટ અને ખેતીની જમીનનો (વિદર્ભ પ્રદેશ અને કચ્છ ક્ષેત્ર માટેનો) કાયદો, 1958’ તા. 30–12–58થી અમલી છે. આ કાયદો જોકે મુંબઈના ગણોત વહીવટ અને ખેતીની જમીનના 1948ના કાયદાની જોગવાઈઓ મુજબનો જ છે, છતાં તેમાં કચ્છની જમીનની સ્થિતિની તથા ગણોતિયાના પ્રશ્નની હળવાશ લક્ષમાં રાખી મહત્વના ફેરફારો કર્યા છે. ત્યાં જમીન ફરજિયાત ખરીદવાની જોગવાઈ નથી; પરંતુ ખેડૂત ઇચ્છે તો તે જમીન ખરીદી શકે, નહિતર ગણોતિયા તરીકે ચાલુ રહી શકે એવી જોગવાઈ છે. કચ્છમાં જમીન ઊતરતી કક્ષાની અને ઓછી ઉત્પાદક છે અને જમીન ખેડવા ઇચ્છનારની સંખ્યા પણ મોટી નથી. એટલે ત્યાં ફરજિયાત ખરીદી જરૂરી ગણી નથી. આ સિવાયની બીજી જોગવાઈઓ તો મુંબઈના કાયદા જેવી જ છે.

સૌરાષ્ટ્રમાં પણ મુંબઈનો 1948નો આ કાયદો લાગુ પડતો નથી. ત્યાં ગણોત કાયદો નથી; પરંતુ ખેડૂતો જમીન પટ્ટે આપે તે સામે પ્રતિબંધ મૂક્યો છે. ખેડાણ જમીનોના પટ્ટાની મનાઈ કરવા બાબતનો 1953નો કાયદો ત્યાં અમલમાં છે, ત્યાં આ કાયદો તા. 7–10–1953થી અમલી બન્યો છે. મુંબઈનો ગણોત કાયદો હવે ત્યાં લાગુ કરવામાં ઘણી મુશ્કેલી છે. મુંબઈના ગુજરાત વિસ્તારમાં તો હકપત્રકો પણ સારી સ્થિતિમાં હતાં એટલે ગણોતિયાને હકો મળવામાં મુશ્કેલી ન હતી. સૌરાષ્ટ્રમાં તો તેની રચના પછી લાંબા સમયે હકપત્રકો અસ્તિત્વમાં આવ્યાં અને ત્યાં ગણોતિયાનો પ્રશ્ન ગુજરાત જેવો ઉગ્ર ન હતો. વળી મોટા ભાગના ખેડૂતોને સૌરાષ્ટ્રના ભૂમિસુધારણા કાયદાથી કબજાહક મળી જતાં ત્યાં ગણોતપ્રથા બહુ નજીવા પ્રમાણમાં બાકી રહી હતી. આ પટ્ટા પ્રતિબંધક કાયદાની ખામી એ છે કે જમીન પટ્ટાથી ખેડનારને પ્રતિબંધની કાર્યવહીમાં દૂર કરાય છે. એટલે પટ્ટાની વાત જાહેર કરવામાં પટેદારને કોઈ રસ હોતો નથી, પણ પટ્ટે આપનાર તેવા પટેદારને કાઢી મૂકવા સામે ચાલીને પોતાની કસૂર જાહેર કરી પટેદારને કાઢી મુકાવી શકે છે.

ગુજરાતના ભૂમિ પંચના મે 1979ના અહેવાલ મુજબ ગણોત કાયદાના પરિણામે 11.88 લાખ ગણોતિયા 9.75 લાખ હેક્ટર જમીનના ખરીદનાર બની ગયા છે.

ગણોતિયા માટે ખરીદ કિંમતની જોગવાઈ નીચે મુજબ છે :

કાયમી ગણોતિયાતે જે જમીન ધરાવતો હોય તેના ગણોતના 6 પટ

(છ ગણી રકમ).

સામાન્ય ગણોતિયાઆકારના 20થી 200 પટ 12 હપતે 4½ %ના વ્યાજે.

કૂવા, ઇમલા, ઝાડ, જમીન વગેરે માલિકનાં હોય

તો તેની જુદી કિંમત. (બજારકિંમત)

પછાત વિસ્તારના

ગણોતિયા માટે

80થી 100 પટની મર્યાદામાં એટલે 20થી 80 પટ

કે 20થી 100 પટ

આ નજીવી કિંમતે જમીન ખરીદવાની તક ગણોતિયાને આ કાયદાથી મળી છે. આ ખરીદકિંમત ભરવામાં સરકાર લોનની સહાય કરે છે; કેમ કે ખરીદકિંમત ચૂકી જનાર ગણોતિયો તેના ખરીદહક ખોઈ બેસે છે; પરંતુ ગુજરાતે તેવું થવા દીધું નથી. આ રીતે ખરીદમાં મળેલ જમીન કલેક્ટરની રજા વિના અને રાજ્યને ઠરાવેલ પ્રીમિયમ ભર્યા વિના અન્યને વેચી શકાતી નથી, એટલે ખરીદનાર ગણોતિયો પોતાની જમીન અન્યને વેચી શકતો નથી.

જમીન માલિકીની ટોચમર્યાદા : સમાજવાદી સમાજવ્યવસ્થાના સિદ્ધાંતના ભાગ તરીકે ગણ્યાગાંઠ્યા લોકોના હાથમાં એકહથ્થું જમીનની જમાવટ ન થઈ જાય તે માટે અને જમીન ધારણ કરવાનો એક વ્યવસ્થિત ઢાંચો (pattern) નક્કી થાય તે માટે ખેતીની જમીન પરત્વે ટોચમર્યાદા મૂકવાની આયોજન પંચે પ્રથમથી જ ભલામણ કરેલી હતી. નાગપુર કૉંગ્રેસની બેઠકમાં બધાં રાજ્યોમાં 1959 સુધીમાં ટોચમર્યાદા અંગે કાયદા ઘડવાનું કામ પૂરું કરવાનો આદેશ અપાયો હતો. ગુજરાતે આ આદેશને અનુલક્ષીને ગુજરાતનો ખેતીની જમીન સંબંધનો ટોચમર્યાદાનો કાયદો 1960માં ઘડ્યો અને તેનો અમલ તા. 1-9-61થી શરૂ કર્યો. આ કાયદામાં ખેતીની જમીનની ટોચ ઘણી ઊંચી હતી અને ટોચ માટે ગુજરાતની જમીનની ફળદ્રૂપતા અંગેના બધા મુદ્દા ધ્યાનમાં લઈ ટોચ ઠરાવવા માટે રાજ્યનાં ગામોના નવ સ્થાનિક વિસ્તારો ‘એ’થી ‘આઈ’ ઠરાવેલ. વળી ટોચ માટે જમીનના પણ ચાર વર્ગ ઠરાવી દરેક વર્ગ માટે જુદી ટોચ ઠરાવી.

જમીનમાલિકીની આ ટોચ વ્યક્તિના ધોરણે નહિ પણ કુટુંબના ધોરણે ઠરાવેલ હતી. ઉપરાંત તેમાં મુક્તિની વધુ પડતી ઉદાર જોગવાઈઓ હતી એટલે તે મુજબ ઘણી જમીનો ટોચ ક્ષેત્રથી મુક્ત બની જતી. આમ આ ટોચ કાયદાથી ભૂમિહીનોને આપવા ફાજલ જમીન ધાર્યા મુજબ મળી નહિ.

આ પછી 1970–72ના ગાળામાં વડાપ્રધાન સમક્ષ રાજ્યોના મુખ્યમંત્રીઓની પરિષદો મળી અને તેમાં આ ટોચ ઘટાડવા નિર્ણય લેવાયો. નવી ટોચ સિંચાઈની ખેતીવાળી જમીન માટે 4.05થી 7.29 હેક્ટર અને સૂકી જમીનની ટોચ 21.6 હેક્ટર રાખવા સૂચવવામાં આવ્યું. મોટા ભાગની મુક્તિની બાબતો રદ કરવાનું પણ ઠરાવ્યું.

ગુજરાતમાં આ મુજબ ટોચ ઘટાડવા, મુક્તિ રદ કરવા અને અન્ય છટકબારીઓ દૂર કરવા સુધારા કાયદો ઘડાયો અને ધારાસભામાં સુધારા ખરડો તા. 14–11–73ના રોજ પસાર થયો. ખરડાને તા. 23–2–74ના રોજ રાષ્ટ્રપતિની મંજૂરી મળી અને તે મુજબ તે તા. 2–3–74ના રોજ પ્રસિદ્ધ થયો. તે પછી કાયદો તા. 1-4-76થી અમલી બન્યો. આ કાયદામાં સ્થાનિક વર્ગો તો ‘એ’થી ‘આઈ’ એમ જ ચાલુ રહ્યા, પણ વર્ગવાર ટોચ નીચે મુજબ નક્કી કરાઈ. સુધારા કાયદાથી બારમાસી સિંચાઈની જમીનમાં બે વર્ગો કર્યા. તેવી જ રીતે સૂકી જમીનમાં પણ બે વર્ગો કર્યા અને તે માટે જુદી જુદી ટોચ ઠરાવી. સુધારા કાયદાથી ટોચ ઘટાડવા સાથે કેટલીક છૂટછાટ પણ અપાઈ. પુખ્ત ઉંમરના પુત્ર માટે ટોચ જેટલી જમીન પિતા ધરાવી શકે તેમ જ પુખ્ત પુત્ર ટોચમર્યાદામાં જુદી જમીન ધરાવતો હોય તો તેની જમીન પિતા સાથે ભેગી નહિ કરાય એવી જોગવાઈ કરાઈ.

કુટુંબમાં પાંચ સભ્યો કરતાં નીચેના પ્રકારના સભ્યો હોય તો તેવા કુટુંબને દરેક સભ્ય માટે ટોચથી 1/5 જેટલી વધારે જમીન રહેવા દેવાશે એવી જોગવાઈ કરવામાં આવી :

(1) સગીર પુત્ર, (2) અગાઉ મૃત્યુ પામેલા પુત્રની વિધવા, (3) અગાઉ મૃત્યુ પામેલા પુત્રનો સગીર પુત્ર અથવા અપરિણીત પુત્રી – જેની માતા મૃત્યુ પામી હોય. આમ પાંચ માણસના કુટુંબ માટે આ છૂટછાટ સાથે ટોચમર્યાદા નક્કી કરવામાં આવી.

મુખ્યમંત્રીઓની બેઠકના નિર્ણય મુજબ બગીચાની જમીનને સૂકી જમીનના વર્ગમાં ગણવાની ભારત સરકારની ભલામણ હતી, પરંતુ ગુજરાતમાં બગીચાની જમીનને ઊંચી જિરાયતના વર્ગમાં મૂકી તેની ટોચ ઘટાડી નાખી છે.

ટોચમર્યાદાનું સુધારેલું ક્ષેત્રફળ

ટોચમર્યાદા ક્ષેત્રફળહેક્ટરમાં અને તેના આશરે કેટલા એકર થાય છે તે

દર્શાવતી સારણી

     * ‘ખાનગી સાધનથી સિંચાઈ કરેલી’ એટલે ડીઝલ અથવા વીજળી શક્તિથી ચલાવાતા ટ્યૂબવેલ અથવા પંપસિંચાઈ દ્વારા કાયમી પાણીની આવકમાંથી સિંચાઈ કરેલી.

વળતરની જોગવાઈમાં કોઈ ફેરફાર થયો નથી અને ‘એ’થી ‘આઈ’ વર્ગોની જમીનો માટે વળતર આકારના 200 પટથી 80 પટ ચાલુ રહ્યું. ‘એ’ વર્ગની જમીન માટે આકારના 200 પટ, ‘બી’ માટે 185 પટ, ‘સી’ માટે 170 પટ, ‘ડી’ માટે 155 પટ, ‘ઈ’ માટે 140 પટ, ‘એફ’ માટે 125 પટ, ‘જી’ વર્ગ માટે 110 પટ, ‘એચ’ માટે આકારના 95 પટ અને ‘આઈ’ માટે આકારના 80 પટ. ગૌશાળા–પાંજરાપોળોને તેમનાં ઢોરની સંખ્યા મુજબ જમીન રાખવા દેવાની છૂટ અપાઈ. જે ટ્રસ્ટોએ ગૌશાળાપાંજરાપોળ માટે જુદી જમીન મુકરર ન કરી હોય અને છતાં ગૌશાળા ચલાવતાં હોય તેમને તે માટે જુદી જમીન મુકરર કરી લેવા સમય અપાયો.

આમ આ સુધારા કાયદાથી જમીનમાલિકીની ટોચમર્યાદા નક્કી કરતો કાયદો ઠીક ઠીક આકરો બન્યો છે. મૂળ જમીનમાલિકોને ચૂકવવાપાત્ર વળતરની રકમ પહેલાં રાજ્ય ચૂકવે છે અને પછી લાભાર્થી પાસેથી હપતેથી તે વસૂલ લે છે.

આ કાયદો અમલી બને તે પહેલાં જમીનોની તબદીલી રોકવા ગુજરાતમાં જે પશ્ચાદવર્તી તારીખ તથા સમય ઠર્યાં છે તે ઠીક ઠીક લાંબાં છે અને તે મુજબ તા. 24–1–71 અને 1–4–76 વચ્ચેની જમીનની તબદીલીઓ કલેક્ટર અરજદારની અરજી માન્ય રાખે તો જ તે ધ્યાનમાં લેવાશે તેવું ઠર્યું છે. આ ગાળામાં ઘણી તબદીલીઓ સ્વાભાવિક અને અસ્વાભાવિક રીતે થયેલ છે એટલે આવા કેસોની સંખ્યા ઠીક ઠીક મોટી બની છે.

એક તારણ મુજબ 1988ના માર્ચ સુધીમાં સરકારે 1,00,000 હેક્ટર જમીન ફાજલ તરીકે જાહેર કરી તેમાંથી 60,323 હેક્ટરનો કબજો લેવાયો છે અને કબજે લેવાયેલ જમીન પૈકી 43,725 હેક્ટર જમીનનું 24,554 વ્યક્તિઓ વચ્ચે વિતરણ થયું છે. આ કાયદા મુજબના વિતરણમાં ખેતમજૂરો, ભૂમિહીન વ્યક્તિઓ તથા નાના ખાતેદારોની મંડળીઓને અગ્રતા અપાઈ. તે પછી ખેતમજૂરો, ભૂમિહીન વ્યક્તિઓ અને નાના ખાતેદારોને વ્યક્તિગત અગ્રતા અપાઈ છે. આમાં પણ અનુસૂચિત જનજાતિ તથા અનુસૂચિત જાતિની મંડળી તથા વ્યક્તિઓને અગ્રતા અપાઈ છે. લાભાર્થીઓને રાજ્ય તરફથી આર્થિક સહાય આપવાની પણ જોગવાઈ છે.

આમ આ કાયદાથી ખેતીની જમીનની એકહથ્થું જમાવટ રોકવા માટે પ્રશંસનીય પ્રયાસ થયો છે એમ કહી શકય.

સી. એમ. જોશી

6.14.2023

બિનખેડૂત છો તો શું ખેતી કરવા માટે જમીન ખરીદી શકાય? જાણો નિયમો

 

જો કોઈ વ્યક્તિ ખેડૂત ન હોય અને ખેતી લાયક જમીન લેવા માંગતો હોય અથવા તો ખેતી કરવા માંગતો હોય તો શું છે નિયમો?




  • ખેતી લાયક જમીન ખરીદવાના શું છે નિયમો? 
  • જાણો ખેડૂત માટેના નિયમો 
  • ખેતમજુરો પોતાની જમીન ધારણ કરી શકે છે?

કોઈ વ્યક્તિ ખેતી કરવા માંગતો હોય અથવા તો ખેતી લાયક જમીન ખરીદવા માંગતો હોય પરંતુ તેનું નામ ખેડૂતમાં નથી તો તે જમીન ખરીદી શકે કે નહીં? આવા ઘણા પ્રશ્નો તમને થતા હશે જે બધાના જવાબ અહીં તમને મળી જશે. તેના માટે સૌથી પહેલા ખેડૂત અને ખેતી કરાવતા વ્યક્તિ વચ્ચેનો ભેદ જાણવો જરૂરી છે.  

ખેડૂત એટલે જાતે જમીન પર ખેતી કરતી વ્યકિત. ખેતી કરવી એટલે કોઈ પણ ખેતી વિષયક કામકાજ કરવું અને જાતે ખેતી કરવી એટલે પોતાના શ્રમથી અથવા પોતાનાં કુટુંબની કોઈ વ્યકિતના શ્રમથી અથવા પોતાના કુટુંબની વ્યકિતના અંગત દેખરેખ હેઠળ જેમને રોકડ વસ્તુના રૂપમાં મજુરી આપવાની હોય પણ પાકના ભાગના રૂપમાં મજુરી આપવાની ન હોય તેવા નોકરો રાખીને અથવા દહાડિયા રાખીને અથવા પોતાના ખર્ચે ખેતી કરવી તે એટલે કે ખેડૂત.

ખેતમજુરો પોતાની જમીન ધારણ કરી શકે છે
સૌપ્રથમ તો આપણે ખેતમજૂર કોને ગણવા? તેવો પ્રશ્ન થાય, તો જે વ્યકિત ૫ વર્ષથી ખેતમજૂરી કરતો હોય અને જે વ્યકિતના પોતાના નામે કે સંયુકત નામે કોઈ ખેતીની જમીન નથી કે વારસાઈમાં તેને આવી જમીન મળવાની નથી. ખેતમજૂર ખેતમજૂરી સિવાય અન્ય કોઈ વ્યવસાય કે આનુંસંગીક વ્યવસાય ન કરતી હોવી જોઈએ. આવી વ્યકિતની વાર્ષિક આવક રૂપિયા 5000થી વધુ હોવી ન જોઈએ.આવી વ્યક્તિઓએ મામલતદાર પાસેથી પ્રમણપત્ર મેળવી તેઓ પોતાની જાતને ખેતમજૂર પ્રસ્થાપિત કરીને ત્યારબાદ ખેતીની જમીન ખરીદી શકે છે.

કોઈ વ્યકિતને ખેતીની જમીન બિનખેતીના કામ માટે જોઈતી હોય તો તે લઈ શકે? 
જમીનના માલિકે કલમ-55ના ઠરાવોનું પાલન કર્યુ હોવું જરૂરી છે. કોઈ જમીન જે ગામમાં આવેલી હોય તે ગામનો કોઈ પણ ખેડૂત તે જમીનના માલિક પાસેથી તે જમીન પટે લેવાને તૈયાર ન હોય તેવા સંજોગોમાં તે જમીન કોઈ ઔદ્યોગિક-વેપાર ધંધાના સાહસમાં લાભ લેવા માટે અથવા કેળવણી વિષયક કે ધર્માદા સ્થાપવા માટે જોઈતી હોય. તે જમીન સહકારી મંડળીને જોઈતી હોય  તો જમીન ગીરો લઈ શકાય છે. પરંતુ તે માટે ગીરો લેનારે કલેક્ટર પાસેથી ‘‘પોતે ખેડુતનો ધંધો કરવા ધારે છે અને જમીનને જાતે ખેડવા કબુલ થાય છે’’ એ મતલબનું પ્રમાણપત્ર મેળવવાનું હોય છે. 

જો કોઈ જમીનનો માલિક એવા કોઈ શખ્સને દાનમાં આપવા માંગતો હોય કે જે શખ્સ કોઈ પણ જમીનની માલિકી ધરાવતો ન હોય. પરંતુ તેણે પોતે ખેડૂતનો ધંધો કરવા ધારે છે અને જાતે જમીન ખેડવા ઈચ્છે છે. એ મતલબનું પ્રમાણપત્ર મામલતદાર પાસેથી મેળવેલ હોય છે. ખેતીવાડીનો માન્ય અભ્યાસક્રમ (બિહેવીયર ઓફ એગ્રીકલ્ચર) કરેલ વ્યકિત પોતાનો વ્યવસાય કરવા માંગતી હોય અને પોતે જાતે ખેતી કરવાની બાહેંધરી આપતો હોય. ખેડૂત પ્રમણપત્ર મેળવનારે એક વર્ષમાં ઉપયોગ કરવો જરૂરી. ખેતીની જમીનનો કબજો લીધાની તારીખથી 1 વર્ષની મુદ્દતમાં જે કારણ સારૂં પરવાનગી મેળવેલ હોય તે કારણસરનું કામ શરૂ કરી દેવું પડે છે.

બિનખેડૂત વ્યકિત પોતાની જમીન ખરીદ કરી શકે કે કેમ ?
પરપ્રાંતનો ખેડૂત ગુજરાતમાં ખેડૂત ન ગણાય અને તે ગુજરાતમાં ખેતીની જમીન ખરીદી શકે નહી. ખેડૂત સાથે બિનખેડૂત વ્યક્તિ સહભાગીદાર તરીકે પોતાની જમીન ખરીદી શકે નહી. મતલબ કે ખેડૂત સાથેનો બિનખેડૂત ભાગીદાર ખેતીની જમીન ખરીદીને ખેડૂત બની શકે નહી. ગુજરાતનો વ્યક્તિ પણ આવા સંજોગોમાં ગુજરાતમાં ખેતીની જમીન ખરીદી શકતો નથી.

બિનખેડૂત 
એવી વ્યકિત કે જેણે આજ દિન સુધી ખેતી અંગેનું કોઈ કામકાજ કર્યુ ન હોય અને તે વારસાગત ખેડૂત નથી.

પુરૂષ પોતે ખેડૂત ન હોય પણ પત્ની ખેડૂતપુત્રી હોય તો?
પતિ ખેડૂત ન હોય પણ પત્ની ખેડૂતપુત્રી હોય તો પત્નીએ સૌપ્રથમ પોતાના પિતાના ખાતામાં વારસાઈથી સહમાલિક તરીકે નામ દાખલ કરાવી ખેડૂતનું પ્રમાણપત્ર મેળવવાનું હોય છે. ત્યાર બાદ તેણી પોતે ખેતીની જમીન ખરીદી શકે છે અને તેણીના વારસદારો પુત્ર, પુત્રી (પતિ નહી) વારસાગત રીતે ખેડૂત ગણાશે અને તેમના નામે પણ ખેતીની જમીન ખરીદી શકાય છે.

નર્મદા યોજનાના કારણે વિસ્થાપીત થતી વ્યકિત પછી તે ખેડૂત હોય કે બિનખેડૂત હોય મહેસુલ વિભાગના તારીખ ૧૩-૦૮-૯૧ના ઠરાવ ગણાતા – ૧૩૯૦ એમ.આર. ૧૫-જ મુજબ ગુજરાત રાજ્યમાં ખેડૂત તરીકે ગણાવાના રહે છે.

ગેરકાયદેસર રીતે પ્રાપ્ત કરેલ ખેતીની જમીન જપ્ત થઈ શકે છે: ઉપરોકત નિયમો અનુસાર જો કોઈએ ગેરકાયદેસર રીતે જમીન તબદિલ કરીને જમીનનો કબ્જો ધરાવતો હોય તો તેવી વ્યકિતઓને જમીન ખાલી કરાવવા માટે કલેક્ટરશ્રી કાર્યવાહી કરીને કલમ-૭૫થી મળેલ સમાનુસાર જમીન ખાલી કરાવી શકે છે.

મૃતક હિંદુ મહિલા ના સંતાનો તેની ના વારસો ગણાય જ

 



6.13.2023

ગણોતધારાની કલમ-૬૩ અને સૌરાષ્ટ્ર ઘરખેડની કલમ ૫૪/૫૫ની જોગવાઈઓ મુજબ બિનખેડુત વ્યક્તિ કલેક્ટરની મંજુરી સિવાય ખેતીની જમીન ધારણ કરી શકે નહિ

 

રેવન્યુ ટાઈટલ અંગેની કાયદાકીય જોેગવાઈઓની યથાર્થતા


ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર અને

લોકાભિમુખ માર્ગદર્શન  -

 એચ.એસ. પટેલ IAS  (નિ.)

કલેક્ટરની કલમ-૬૩ની પરવાનગી સિવાય બિનખેડૂત ખેડૂત થઈ શકે નહીં

જાહેર આમ જનતા અને વાંચકોના વ્યાપક હિતમાં છેલ્લા બે લેખથી જમીન વ્યવસ્થાપનમાં ખેડુતના દરજ્જા અને તેને સંલગ્ન જોગવાઈઓની સમજ આપી અને તેમાં ગણોતધારો અને ખેતીની જમીનના વહિવટ-૧૯૪૮ના કાયદાની જોગવાઈઓ અને કાયદાકીય રીતે બિનખેડુત વ્યક્તિ ખેતીની જમીન ધારણ ન કરી શકે અને તેનો ભંગ કરી ખેતીની જમીન ખરીદાય / ધારણ કરે તો ગણોતધારાની કલમ-૮૪સી અને અન્ય જોગવાઈઓની સમજ આપવામાં આવેલ છે. કાયદાના જાણકારોના મનમાં એમ પણ થાય કે બંધારણમાં મુળભુત હક્કોમાં જ્યારે દરેક નાગરિકને દેશના કોઈપણ ભાગમાં કાયદેસરનો ધંધો / વ્યવસાય કરવા માટે સ્વતંત્રતા છે તો ખેતીની જમીનમાં કેમ નિયંત્રણ તેવો સ્વાભાવિક પ્રશ્ન થાય પરંતુ બંધારણની અનુસુચિમાં (Schedule) એટલે કે રાજ્યોના વિષયોની યાદીમાં 'જમીન'નો સમાવેશ થાય છે અને તે મુજબ સંબંધિત રાજ્યોનું જમીનને લગતા કાયદાઓ ઘડવાની સત્તા રાજ્યોને છે પરંતુ જમીન સુધારા અન્વયે (Land Reforms Act) આઝાદી બાદ જમીનો ઉપરના ગણોતીયા / કબજેદારોને જમીન ઉપરના હક્ક આપવા. ગણોતધારો-૧૯૪૮ અને સૌરાષ્ટ્ર ઘરઘેડ-૧૯૪૯ ઘડવામાં આવ્યો અને આ કાયદાને ભારતના રાષ્ટ્રપતિ એટલે કે કેન્દ્ર સરકારની અનુમતિ છે અને તે અનુસાર ગણોતધારાની કલમ-૬૩ અને સૌરાષ્ટ્ર ઘરખેડની કલમ ૫૪/૫૫ની જોગવાઈઓ મુજબ બિનખેડુત વ્યક્તિ કલેક્ટરની મંજુરી સિવાય ખેતીની જમીન ધારણ કરી શકે નહિ, આમ જેમ જણાવ્યુ તેમ ભારતના બંધારણનો મિલક્ત ધરાવવાનો હક્ક કે દેશમાં કોઈપણ જગ્યાએ વ્યવસાય કરવાનો ખેતી કરવા કે જમીન ધારણ કરવા ઉપર ખેડુત સિવાયના વ્યક્તિને નિયંત્રણ છે અને તે અનુસાર કાયદાકીય પીઠબળ છે.

ઉપર્યુક્ત પાયાની કાયદાકીય જોગવાઈઓની સ્પષ્ટતા બાદ ગણોતધારાની કલમ-૬૩ની જોગવાઈઓ અનુસાર 'આ અધિનિયમમાં ઠરાવ્યું હોય તે સિવાય ખેડુત ન હોય તેવી વ્યક્તિની તરફેણમાં કોઈપણ જમીન અથવા તેમાંના હિત સંબંધમાં કોઈપણ વેચાણ (દીવાની કોર્ટના હુકમનામાની બજવણીમાં અથવા જમીન મહેસુલ બાકી વસુલ કરવા માટે અથવા જમીન મહેસુલ બાકી તરીકે વસુલ કરી શકાય તેવી રકમો માટેના વેચાણ સહિત) બક્ષીસ, વિનિયમ અથવા પટ્ટો અથવા જેમાં ગીરો મુકેલ મિલ્કતનો કબજો ગીરો રાખનારને સોપ્યો હોય તેવી કોઈ જમીન અથવા તેમાંના હિત સંબંધનો ગીરો કાયદેસર ગણાશે નહિ. પરંતુ કલેક્ટર અથવા રાજ્ય સરકારે આ અર્થેે અધિકૃત કરેલો કોઈ અધિકારી ઠરાવવામાં આવે તેવી શરતોએ, વેચાણ, બક્ષીસ, વિનિમય, પટ્ટો, ગીરો માટે પરવાનગી આપી શકશે. પરંતુ આવી વ્યક્તિની તમામ આવકના સાધનોમાંથી વાષિક આવક રૂ. ૫૦૦૦/- થી વધુ હોવી જોઈએ નહિ આવી જ રીતે સમાન પ્રકારની જોગવાઈ સૌરાષ્ટ્ર ઘરખેડ વટહુકમની (૧૯૪૯) કલમ-૫૪માં જોગવાઈ કરેલ છે.'

ઉપરોક્ત અક્ષરંસઃ કાયદાની જોગવાઈઓ મુજબ સ્પષ્ટ થાય છે કે કોઈપણ બિનખેડુત વ્યક્તિ ખેતીની જમીન કલેક્ટરની પરવાનગી સિવાય ધારણ કરી શકતો નથી, અગાઉના લેખમાં આધાર પુરાવા સહિત જણાવવામાં આવ્યુ છે કે - વીલ યાને વસીયતનામાથી પણ સુપ્રિમકોર્ટે ઠરાવ્યા મુજબ બિન ખેડુત વ્યક્તિ ખેતીની જમીન વારસાઈના ધોરણે પણ ધારણ કરવા માટે લાયક નથી આમ સમગ્રતયા જોઈએ તો આટલી ચોક્કસ અને સ્પષ્ટ જોગવાઈઓ હોવા છતાં, મહેસુલી નોંધ પ્રમાણિત અધિકારીઓ બિન ખેડુતની તરફેણમાં હક્કપત્રકની નોંધો શા માટે મંજુર કરવામાં આવે છે, જ્યારે કાયદાની જોગવાઈઓ નિષ્ફળ બનાવવા માટે બિન ખેડુત વ્યક્તિઓ સામાન્ય ખેડુતોની જમીન સસ્તાભાવે છીનવીને નફાકીય સાધનનું માધ્યમ બનાવે, અને એકવાર ખેતી જમીનની નોંધ પ્રમાણિત કરવામાં આવે, ત્યારબાદ સબંધિત તે બિનખેડુત જુદી જુદી જગ્યાએ જમીનો ખરીદે અને તે વ્યવહારો સમયસર નોધો રીવીઝનમાં લેવામાં ન આવે. કાયદાની કલમ-૮૪સી હેઠળ રાજ્યસાત કરવામાં ન આવે અને લીમીટેશનના મુદ્દાઓ ઉપર વર્ષો સુધી લીટીગેશન ચાલે અને સરવાળે કોઈને કોઈ તબક્કે કાનુની પ્રક્રિયાનો ગેરઉપયોગ કરી કાયદાની જોગવાઈઓ નિષ્ફળ બનાવવામાં આવે, એટલે આ અંગે સરકારે સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવાનું Mechanism વ્યવસ્થાતંત્ર કરવુ જોઈએ. આ બાબત આક્રમક સ્વરૂપે એટલા માટે જણાવુછે કે બીજી બાજુ સાચા -  Genuine ખેડુત ખાતેદારો છે તેમની હક્કપત્રકની અલબત વારસાઈની નોધોે સમયસર પાડવામાં આવતી નથી અને પેઢીનામાના બહાને, રેકર્ડ આધારિત ક્ષતિઓ કાઢી સાચો ખેડુત ખાતેદારો હેરાન થાય છે. 

હવે મારે જે અગત્યના વિષય ઉપર સરકારનું તેમજ સાચા ખેડુતોને ન્યાય મળે તે પરત્વે દોરવાનું છે કે ઉક્ત ગણોતધારાની કલમ-૬૩ની બિન ખેડુત વ્યક્તિઓ માટે નિયંત્રણો છે. રાજ્ય સરકારની મહેસુલ વિભાગે બિન ખેડુતની તરફેણમાં નોંધો મંજુર ન થાય તે માટે 'ખેડુત ખરાઈ પ્રમાણપત્ર' મેળવવાનું કોઈપણ કાયદાની જોગવાઈઓ વિરૂદ્ધ - ફક્ત એક પરિપત્ર / ઠરાવ કરીને મેળવવાની જોગવાઈઓ દાખલ કરી છે. અગાઉ મામલતદાર કક્ષાએ આવુ પ્રમાણપત્ર આપવામાં આવતાં અને આ પરિપત્રમાં પણ જે તે સમયે નોધ રેકર્ડ આધારે મંજુર કર્યા બાદ સંબધિત તાલુકાના મામલતદાર પાસેથી ખરાઈ મેળવી લેવાની હતી. હવે સરકારે આ ખેડુત ખરાઈ પ્રમાણપત્ર સબંધિત વિસ્તારના પ્રાન્ત અધિકારી પાસેથી 'ઓન લાઈન' મેળવવાની જોગવાઈ કરવામાં આવી છે અને આ પ્રક્રિયા એટલી Tedious પ્રકારની છે કે એજન્ટ રોક્યા સિવાય સામાન્ય ખેડુત અથવા અજાણ વ્યક્તિ કરી શકે તેમ નથી, કારણ કે જુની હક્કપત્રકની નોંધોના નંબર સાથે, હુકમી નોંધ, ત્યારબાદની નોંધ વિગેરે દર્શાવવાની છે. વધુમાં પ્રાન્ત અધિકારી દ્વારા કોઈને કોઈ કારણ રજુ કરી અરજી નામંજુર કરવામાં આવે છે અને પુર્તતા કરવાનું જણાવવામાં આવે છે. ઘણીવાર ખેતીની જમીન ઘરના વડીલ હોય તેમના નામે ચાલતી હોય પાછળથી વારસાઈ અથવા સહભાગીદારમાં નામ દાખલ કરવામાં આવેલ હોય તો પણ ૧૯૫૧થી ઉતારા રજુ કરવા જણાવવામાં આવે છે.ખેડૂત ખાતાવાહી અને રેવન્યુ ટાઈટલ અંગે આગામી લેખમાં વિવરણ કરીશું

ભાગીદારી પેઢી છૂટી થાય એટલે એમની પેઢીનું પણ વિસર્જન થઇ જાય છે

 

તમામ ભાગીદારોની સંમતિથી અથવા ભાગીદારો વચ્ચેના અગાઉના કરાર અનુસાર પેઢીનું વિસર્જન કરી શકાય છે.

.

તમારી જમીન,  તમારી મિલકત

નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ)

thelaw_office@yahoo.com
​​​​​

દરેક ભાગીદારી પેઢીનું સર્જન ભાગીદારો વચ્ચેના વિશ્વાસથી થાય છે અને દરમિયાનમાં સમય જતાં ભાગીદારો વચ્ચેનો વિશ્વાસ તુટે ત્યારે તેવી ભાગીદારીનું વિસર્જન થાય છે. આ લેખમાં ભારતીય ભાગીદારી કાયદામાં ભાગીદારી પેઢીના વિસર્જનની જોગવાઈઓ જોઈશું.

પેઢીનું વિસર્જન :  કોઈ પેઢીના તમામ ભાગીદારો વચ્ચે ભાગીદારીનું વિસર્જન “પેઢીનું વિસર્જન” 

કહેવાય છે.

કબૂલાતથી વિસર્જનઃ તમામ ભાગીદારોની સંમતિથી અથવા ભાગીદારો વચ્ચેના કરાર અનુસાર પેઢીનું વિસર્જન કરી શકાશે.

ફરજિયાત વિસર્જનઃ નીચેના સંજોગોમાં પેઢીનું વિસર્જન થાય છે.

(ક) તમામ ભાગીદારો અથવા એક સિવાય બીજા તમામ ભાગીદારોને નાદાર ઠરાવવામાં આવવાથી, અથવા (ખ) પેઢીનો ધંધો કરવાનું અથવા ભાગીદારો માટે ભાગીદારીમાં તે ધંધો કરવાનું ગેરકાયદેસર થાય એવો કોઈ બનાવ બનવાથી:

પરંતુ પેઢી એકથી જુદા જુદા સાહસ અથવા ધંધા કરતી હોય, ત્યારે એક અથવા વધુ સાહસ અથવા ધંધા ગેરકાયદેસર થાય તેથી જ પેઢીના કાયદેસરના સાહસ અથવા ધંધા અંગે પેઢીનું વિસર્જન થશે નહીં.

અમુક ઘટનાઓ બનવાથી વિસર્જનઃ ભાગીદારો વચ્ચેના કરારને આધીન રહીને, નીચેના સંજોગોમાં પેઢીનું વિસર્જન થાય છેઃ

(ક) કોઈ નિયત મુદત માટે રચવામાં આવી હોય તો તે મુદત પૂરી થવાથીઃ (ખ) એક અથવા વધુ સાહસો અથવા ધંધા કરવા માટે રચવામાં આવી હોય તો તે પૂરા થવાથી. (ગ) કોઈ ભાગીદારનું મૃત્યુ થવાથી, અને (ઘ) કોઈ ભાગીદારને નાદાર ઠરાવવામાં આવવાથી.

ઈચ્છાધીન ભાગીદારીનું નોટિસ આપવાથી વિસર્જનઃ (૧) ભાગીદારી ઈચ્છાધીન હોય ત્યારે કોઈપણ ભાગીદારે બીજા તમામ ભાગીદારોને પેઢીનું વિસર્જન કરવાના પોતાના ઈરાદાની લેખિત નોટિસ આપવાથી, પેઢીનું વિસર્જન કરી શકાશે.

(૨) પેઢીના વિસર્જનની તારીખ તરીકે નોટિસમાં જણાવેલી તારીખથી અથવા એ રીતે તારીખ જણાવવામાં ન આવી હોય તો તે નોટિસ પહોંચાડવામાં આવે તે તારીખથી પેઢીનું વિસર્જન થાય છે.

કોર્ટ મારફત વિસર્જનઃ કોઈ ભાગીદારના દાવા ઉપરથી કોર્ટ નીચેના કોઈપણ કારણે પેઢીનું વિસર્જન કરી શકશે, એટલે કે - (ક) કોઈ ભાગીદાર અસ્થિર મગજનો થઈ ગયો હોય, જેમ કોઈ  બીજો ભાગીદાર દાવો લાવી શકે તેવી જ રીતે અસ્થિર મગજના થઈ ગયેલા ભાગીદારનો ઈષ્ટ મિત્ર પણ દાવો લાવી શકશે. (ખ) દાવો માંડનાર ભાગીદાર સિવાયનો બીજો કોઈ ભાગીદાર, ભાગીદાર તરીકે પોતાની ફરજો બજાવવા માટે કોઈ પ્રકારે કાયમને માટે અશકત થઈ ગયો હોય. (ગ) ધંધાનો પ્રકાર જોતાં દાવો માંડનાર ભાગીદાર સિવાયનો બીજો કોઈ ભાગીદાર ધંધાને પ્રતિકફળ અસર થવાનો સંભવ હોય એવું વર્તન કરતો હોય. (ઘ) દાવો માંડનાર ભાગીદાર સિવાયનો બીજો કોઈ પેઢીના વહીવટ અંગેની અથવા તેના ધંધાના સંચાલન અંગેની કબૂલાતોનો જાણીબૂઝીને અથવા વારવાર ભંગ કરતો હોય અથવા ધંધાને લગતી બાબતમાં અન્યથા તે એવી રીતે વર્તતો હોય કે જેથી તેની સાથે ભાગીદારીમાં ધંધો કરવાનું બીજા ભાગીદારો માટે વાજબી રીતે શક્ય ન હોય.

(ચ) દાવો માંડનાર ભાગીદાર સિવાયના બીજા કોઈ ભાગીદારે પેઢીમાંનું પોતાનું સમગ્ર હિત ત્રાહિત વ્યકિતને કોઈ પ્રકારે તબદીલ કરી આપ્યું હોય અથવા દિવાની કાર્યરીતિ અધિનિયમ, ૧૯૦૮ની પહેલી અનુસૂચિના ઓર્ડર-૨૧ ના નિયમ-૪૯ની જોગવાઈઓ હેઠળ પોતાના હિસ્સા ઉપર બોજો થવા દીધો હોય અથવા તે ભાગીદાર પાસે લ્હેણી નીકળતી જમીન-મહેસૂલની વસૂલ કરવા માટે અથવા જમીન મહેસૂલની બાકી તરીકે કરી શકાય એવાં લેણાની વસૂલાતમાં પોતાનો હિસ્સો વેચાવા દીધો હોય.

(છ) પેઢીનો ધંધો નુકસાની ભોગવ્યા વગર કરી શકાય તેમ ન હોય, અથવા (જ) પેઢીનું વિસર્જન કરવું વાજબી અને ન્યાયી ગણાય એવા બીજા કોઈ કારણે.

વિસર્જન પછી ભાગીદારોએ કરેલાં કૃત્યો માટેની જવાબદારી : (૧) કોઈ પેઢીનું વિસર્જન કરવામાં આવ્યું હોય તે છતાં, કોઈ પણ ભાગીદારે કરેલુ કૃત્ય કે જે પેઢીનું વિસર્જન કર્યા પહેલાં કરવામાં આવ્યું હોત અને પેઢીનું કૃત્ય ગણાત તે માટે પેઢીના ભાગીદારો પેઢીના વિસર્જનની જાહેર નોટિસ આપવામાં આવે નહીં ત્યાં સુધી પોતાની એવી હેસિયતથી ત્રાહિત વ્યક્તિઓને જવાબદાર હોવાનું ચાલુ રહેશે. પરંતુ જે ભાગીદાર મૃત્યુ પામે અથવા જેને નાદાર ઠરાવવામાં આવે તેની અથવા જેના ભાગીદાર હોવા વિષે પેઢી સાથે વ્યવહાર કરનાર વ્યકિત જાણતી ન હોય તે ભાગીદાર નિવૃત્ત થાય તે તેની એસ્ટેટ જયારથી, તે ભાગીદાર ન રહે તે તારીખ પછીનાં પેઢીનાં કૃત્યો માટે જવાબદાર નથી.

(૨) કોઈપણ ભાગીદાર નોટિસ આપી શકશે.

વિસર્જન પછી ધંધો આટોપી લેવડાવવાનો ભાગીદારોનો હકકઃ પેઢીનું વિસર્જન થતાં, દરેક ભાગીદાર અથવા તેનો પ્રતિનિધિ બીજા તમામ ભાગીદારોને સંબંધ હોય ત્યાં સુધી પેઢીનાં દેવાં અને જવાબદારીઓ ચૂકવવા માટે પેઢીની મિલકતનો ઉપયોગ કરાવવા અને તેમ કરતાં વધે તે મિલકતની ભાગીદારોનાં હકકો અનુસાર તેઓની અથવા તેઓના પ્રતિનિધિઓ વચ્ચે વહેંચણી કરાવવા માટે હકદાર છે.

આટોપી લેવા માટે ભાગીદારોના ચાલુ અધિકાર : પેઢીના વિસર્જન પછી દરેક ભાગીદારનો પેઢીને બંધનકર્તા થાય એવું કૃત્ય કરવાનો અધિકાર અને ભાગીદારના પરસ્પર બીજા હક્ક અને ફરજો પેઢીનું વિસર્જન થયું હોવા છતાં, પેઢીનું કામકાજ આટોપી લેવા માટે અને પેઢીનું વિસર્જન થયું તે સમયે શરૂ કરેલા પણ અધુરાં રહેલા વ્યવહારો પુરા કરવા માટે જરૂરી હોય તેટલે અંશે ચાલુ રહેશે, પણ અન્યથા ચાલુ રહેશે નહિ. પરંતુ જે ભાગીદારને નાદાર ઠરાવવામાં આવ્યો હોય તેનાં કૃત્યો પેઢીને કોઈપણ સંજોગોમાં બંધનકર્તા નથી, પણ તે નાદાર ઠર્યા પછી કોઈ વ્યકિત પોતાને સદરહુ નાદારના ભાગીદાર તરીકે ઓળખાવે અથવા જાણીજોઈને એ રીતે ઓળખવા દે તે વ્યકિતની જવાબદારીને અસર પહોંચતી નથી.

નોંધ:-(જમીન/મિલક્ત માટેના લેખોના સંદર્ભે વાચકોના કોઈ સૂચન કે પ્રશ્નો  ‘નવગુજરાત સમય’ ના નવા સરનામે (૧૦૧, પહેલો માળ, ઓમ શાયોના આર્કેડ, સિલ્વર ઓક કોલેજ પાસે, ગોતા, અમદાવાદ-૩૮૨૪૮૧) લેખિત રૂપે મોકલવા અથવા લેખકનો સંપર્ક કરવો કે લેખકને ઈ-મેઈલ કરવા)

6.08.2023

પાંજરાપોળ, યુનિવર્સિટીઓ તેમજ અન્ય ટ્રસ્ટો/સંસ્થા દ્વારા ધારણ કરેલ ખેતવિષયક જમીનોની કાયદાકીય જોગવાઈઓ

 

પાંજરાપોળ, યુનિવર્સિટીઓ તેમજ અન્ય ટ્રસ્ટો/સંસ્થા દ્વારા ધારણ કરેલ ખેતવિષયક જમીનોની કાયદાકીય જોગવાઈઓ



- લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)

- ગણોત કાયદાની કલમ-88 અને સીલીંગ કાયદાની કલમ  (3) પાંજરાપોળ તેમજ અન્ય સંસ્થાઓ માટે પાલન કરવી જરૂરી

બ્રિટિશ શાસન વ્યવસ્થા દરમિયાન સૌપ્રથમ બંગાળા બિહાર અને ઓરિસ્સા પ્રાંતની દિવાની હક્ક એટલે કે જમીન ઉપર નો મહેસુલ હક ઉઘરાવવાનો અધિકાર અંગ્રેજોએ મેળવ્યો અને તે ભારતીય જમીન મહેસુલ વ્યવસ્થાનો પાયો ગણાય છે અને તે આધારે જમીનોનું Survey & Settlement થયું. હાલના ગુજરાતનો બ્રિટિશ શાસન વ્યવસ્થામાં મુંબઈ પ્રાન્ત તરીકે ઓળખાતો અને તેમાં જમીન ઉપરના વહિવટ માટે મુંબઈ જમીન મહેસુલ અધિનિયમ 1879 ઘડવામાં આવેલા અને તે આજે પણ અમલમાં છે. જમીન મહેસુલ અધિનિયમ મુખ્યત્વે સરકારનો જમીન મહેસુલ ઉઘરાવવા અને તેને નિયમન કરતો ચુકાદો છે આજે એક તબક્કે જેની લોકોમાં વધુ પ્રચલિત પરવાનગી માનવામાં આવે છે  તે બિનખેતીની કલમ-65 હેઠળની NA પરવાનગી પણ બિનખેતી આકાર (મહેસુલ) નક્કી કરવાની વ્યવસ્થા છે અને તે આધારે બિનખેતી ધારો વસૂલ કરવાનો છે આઝાદી મળ્યા બાદ જમીન ઉપરના હક્કો કબજેદારોને આપવા તેમજ સંપતિનું સમન્યાયી ધોરણે (Equitable distribution) વિતરણ કરવા તેમજ કલ્યાણ રાજ્ય સ્થાપવાના ભાગરૂપે કાયદાકીય પીઠબળ સાથે જમીન સુધારા લાવવા બંધારણની અનુસૂચિમાં સમાવેશ કરવામાં આવ્યા છે. 

મુંબઈ પ્રાંતના અને હાલના જમીન સુધારાના ભાગરૂપે મુંબલ ગણોત અને ખેતીની જમીન ઉપરનો વહિવટ અધિનિયમ 1948 ઘડવામાં આવ્યો(The Bombay Land Tenancy and Agriculture Land Act-1948) આમ આ કાયદો ખેતીની જમીન ઉપરના ગણોતીયા અને તેના નિયમન માટેનો હતો. આ કાયદાનું મુળભુત તત્વ ખેતીની જમીનનો કાર્યસાધક ઉપયોગ થાય તે માટે''ખેડે તેની જમીન''ના સિધ્ધાંત ઉપર જમીન ઉપરનો ખેડુતો/ગણોતીયાઓને કાયમી કબજા હક્ક આપવાના હતા. આ રીતે સૌરાષ્ટ્ર રાજ્ય કે જે 1956 સુધી અસ્તિત્વમાં હતું તેના સૌરાષ્ટ્ર જમીન સુધારા અને કચ્છમાં કચ્છ વિદર્ભ અધિનિયમ અસ્તિત્વમાં હતો અને આજે પણ અમલમાં છે. અને તેમાં સૌરાષ્ટ્ર ઘરખેડ વટહુકમ-1949, સૌરાષ્ટ્ર બારખલી નાબુદી અધિનિયમ, એસ્ટેટ એબોલીશન કાયદા અમલમાં છે. જેમ જણાવ્યું તેમ. ખેતીની જમીન માટે ગણોત અધિનિયમની જોગવાઈઓ ખેતીની  જમીનના નિયમન માટે છે. એટલે 1999 સુધી ખેડુત પણ ખેતીની જમીન ગણોત કાયદાની કલમ 2(2) અને 2(6) હેઠળ 8 કિમીની મર્યાદામાં જમીન ધારણ કરતા હતા. 1999માં કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હેઠળની સરકારે આ કલમો નાબુદ (Delete) કરતાં હવે મૂલ ગુજરાતનો ખેડુત ખાતેદાર, રાજ્યમાં કોઈપણ જગ્યાએ ખેત જમીન ટોચ મર્યાદામાં ખેતીની જમીન ધારણ કરી શકે છે.

પરંતુ ગણોતધારામાં મહત્વની જોગવાઈ ''ખેડુત''ની વ્યાખ્યા કલમ-63 માં આપવામાં આવી છે અને આ જોગવાઈ હેઠળ ખેડુત ખાતેદાર સિવાય કોઈપણ બિન ખેડુત વ્યક્તિ ખેતીની જમીન ધારક કરી શકતો નથી અને જો ખેડુતનો દરજ્જો મેળવવો હોય તો કલમ-63 હેઠળ કલેક્ટરની મંજુરી મેળવવી પડે છે અને તે સિવાય ખેતીની જમીન ધારણ કરજીવી કાયદેસર નથી. આ જોગવાઈ 1948 ના ગણોતધારો અમલમાં આવ્યાથી લાગુ પડે છે. તાજેતરમાં ગાંધીનગર કલેક્ટર દ્વારા કલોલ તાલુકાના મુલાસણા ગામની પાંજરાપોળની જમીનની તબદીલી અને બિનખેતીની પરવાનગીના મુદ્દા અંગે અનિયમિતતાઓ આચરવામાં આવી હોવાનું તપાસ અધિકારીએ આપણે અહેવાલના આધારે જે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે એટલે વ્યાપક વાંચકોએ મારી સમક્ષ પાંજરાપોળ તેમજ સંસ્થાઓ કઈ રીતે ખેતીની જમીન ધારણ કરી શકે અને તે અંગેની જોગવાઈઓ જાણકારી આપવાનું જણાવતાં ઉપર્યુક્ત પૂર્વભુમિકા જણાવી છે તેનાથી ઘણી બાબતો સ્પષ્ટ થાય છે કે કોઈપણ બિન ખેડુત વ્યક્તિ કે સંસ્થા કલેક્ટરની પરવાનગી સિવાય ખેતીની જમીન ધારણ કરી શકે નહિં. હવે પાંજરાપોળ કે ટ્રસ્ટો, શૈક્ષણિક સંસ્થાઓ કઈ રીતે ખેતીની જમીનો ધારણ કરી શકે કે કઈ રીતે મુક્તિ મળે અને જોગવાઈઓનો ભંગ થાય તો શું કાર્યવાહી કરવાની થયા તે અંગે  જાણકારી માટે રજુ કરું છું. સૌ પ્રથમ તો ગણોતધારો ખેતીની જમીન ધારણ કરવા ખેડુત સિવાય પ્રતિબંધ મુકે છે અને તે ઉપરાંત ગણોત કાયદો અને ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા કાયદો-1960 અમુક મર્યાદા કરતાં ખેતીની જમીન ધારણ કરવા ઉપર પ્રતિબંધ મુકે છે આમ આ બંન્ને કાયદાઓની જોગવાઈઓ એક બીજાની પુરક છે જેનું અર્થઘટન  isolation માં કરવું ન જોઈએ.

ગણોતધારાની કલમ-88 (ક) થી 88 (ચ) સુધીની જોગવાઈઓ સાર્વજનિક હેતુ માટે ધારણ કરેલ ખેતીની જમીન, ભૂદાન હેઠળની જમીનો, પાંજરાપોળ, ગૌશાળા, યુનિવર્સિટી, શૈક્ષણિક સંસ્થાઓ, કૃષિ, યુનિવર્સીટી, સરકાર તેમજ તે હસ્તકના વિભાગો, વૈધાનિક સંસ્થાઓએ ધારણ કરેલ ખેતીની જમીનોને ગણોતધારાની કલમ-63માંથી મુક્તિ આપવામાં આવી છે. આ બધા કિસ્સામાં સરકાર સિવાય પાંજરાપોળ, ટ્રસ્ટોએ તમામ સંસ્થાઓએ મામલતદાર અને કૃષિપંચ અને કલેક્ટરનું ખેતીની જમીન ધારણ કરવા માટે મુક્તિની જરૂર છે. અને આ નિયંત્રણ પટ્ટાની (Lease-Land) જમીનોને લાગુ પડે છે અને ટ્રસ્ટોએ ધારણ કરેલ ખેતીની જમીનો ઉપર ગણોતીયા હોય તો તેઓને પણ ગણોતીયા તરીકે હક્ક આપવામાંથી મુક્તિ એટલકે કે બાધ આવે છે કે પાંજરાપોળ કે ટ્રસ્ટની જમીનો ઉપર ગણોતહક્ક આપવમાંથી મુક્તિ આપવામાં આવી છે. આમ ગાંધીનગર જીલ્લાના કલોલ તાલુકાના મુલાસણા ગામની અમદાવાદ પાંજરાપોળની જમીન ઉપર ખેતીની જમીન ઉપર 1918 ધારણ કરેલ જમીન ઉપર મુક્તિ આપવામાં આવેલ તે કઈ રીતે મુક્તિ રદ કરી. ગણોતીયાને લગભગ ત્રણ જેટલી પેઢી બાદ અધિકાર આપવામાં આવ્યા અને કયા ધોરણે દરજ્જે વેચાણ વ્યવહારો બાદ બિનખેતીમાં પરિવર્તીત કરવામાં આવી, પ્રાથમિક રીતે પાંજરાપોળ, ટ્રસ્ટોએ ધારણ કરેલ જમીનો ટ્રસ્ટ અધિનિયમ 1950ના કાયદા હેઠળ વિનીયમિત થાય છે અને તેના મિલ્કત રજીસ્ટર ઉપર આ મિલ્કતો ચઢાવેલ હોવી જોઈએ અને ટ્રસ્ટ અધિનિયમ હેઠળ મુક્તિ આપવમાં અવી હોય તો તે અંગે ચેરીટી કમિશ્નરની મંજુરી મેળવેલ હવી જોઈએ. ગણોતધારાની કલમ 88ની જોગવાઈઓ હેઠળ ખેતી મુક્તિ રદ કરવામાં આવી હોય તો કયા કારણોસર નફાકીય હેતુમાટે આ જમીનો મુક્ત કરવામાં આવી.

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...