12.12.2022

વિલ અન્વયે રેવન્યુ રેકર્ડમાં એન્ટ્રી પડાવવા પ્રોબેટની જરૂર નથી, પરંતુ દીવાની હકક મેળવવા પ્રોબેટની જરૂરીયાત રહે છે.

 પ્રોપર્ટીઝ લોઝ એન્ડ વ્યૂઝ : શ્રી નજમુદ્દીન મેઘાણી (એડવોકેટ)

પ્રવર્તમાન સમયમાં સમાજમાં વિલ પ્રત્યે ઘણી જાગૃતિ આવી ગઈ છે અને અગાઉના સમય કરતા હાલમાં ઘણાં મોટા પ્રમાણમાં વ્યકિતઓ વિલ બનાવે છે અને વિલ બનાવ્યા પછી જ્યારે વ્યકિત ગજરી જાય છે ત્યારે તેનો અમલ કરવા માટે પ્રોબેટ અંગેનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે અને વિલનો અમલ કરવા માટે પ્રોબેટ મેળવવંજરૂરી છે કે કેમ ? તે અંગે મુંઝવણો ઉપસ્થિત થાય છે. વિલ અંગે પ્રોબેટ મેળવવા બાબત નામદાર ગજરાત હાઈકોર્ટના બે મહત્વના જજમેન્ટો છે જેમાં વિલ અંગે પ્રોબેટ મેળવવં જોઈએ કે નહીં તેનં વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

નામદાર ગુજરાત હાઈકોર્ટે મિનાક્ષીબેન શશીકાંત પટેલ વિરૂધ્ધ ડિસ્ટ્રીકટ કલેકટર ગાંધીનગર, સ્પેશિયલ સીવીલ એપ્લીકેશન નં.૧૯૩૦૩/ર૦૦૫ ના કેસમાં સિદ્ધાંત પ્રસ્થાપિત કરેલ છે કે, જો હિન્દુ વ્યક્તિ દ્વારા વિલ કરવામાં આવેલ હોય તેમજ તેવી મિલકત બોમ્બે, મદ્રાસ અને કલકત્તા હાઈકોર્ટોની મુળભૂત દિવાની (સીવીલ) હકૂમતની બહાર આવેલ મિલકત હોય, તો આ કિસ્સામાં હિન્દ વ્યક્તિએ તેવા ક્ષેત્ર વિસ્તારની બહાર બનાવવામાં આવેલ વિલના સંબંધમાં અથવા તેવા ક્ષેત્ર વિસ્તારની બહાર આવેલ સ્થાવર મિલકતના સંદર્ભમાં વિલ અંગે પ્રોબેટ મેળવવાની જરૂર નથી.

વધુમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે જણાવેલ કે, હાલના કેસમાં ભારતીય વારસા હકક અધિનિયમની કલમ-૫૭ મુજબ હિન્દુ વ્યકિત દ્વારા વિલ કરવામાં આવેલ છે અને વિલવાળી મિલકત યાને પ્લોટ પણ ગુજરાત રાજ્યની અંદર આવેલ ગાંધીનગર ખાતે આવેલ છે. જે બોમ્બે મદ્રાસ અને કલકત્તા હાઈકોર્ટોની મુળભૂત દિવાની (સીવીલ) હફૂમતની બહાર આવેલ છે. આથી વીલના એકઝીકયુટર અથવા વસીયતદારે પ્રાપ્ત કરેલ અધિકાર અદાલત સમક્ષ અથવા મહેસુલી અધિકારી (રેવન્યુ ઓથોરીટી) સહિત કોઈપણ સત્તાધિકારી સમક્ષ, પ્રોબેટ મેળવ્યા વિનતા પણ, સાબિત થઈ શકે અને હાલના કેસમાં પીટીશનર મિનાક્ષિબેને વિલના આધારે પ્રાપ્ત કરેલ અધિકાર અંગે મહેસુલી અધિકારી (રેવન્યુ ઓથોરીટી) સમક્ષ કાર્યવાહી શરૂ કરેલ છે. આથી મિનાક્ષીબેને વિલના આધારે પ્રાપ્ત કરેલ અધિકાર અંગે મહેસુલી અધિકારી (રેવન્યુ ઓથોરીટી) સમક્ષ પ્રોબેટ મેળવ્યા વિના વિલનો ગામ દફતરે અમલ થઈ શકે છે, હકક સ્થાપિત કરી શકાય છે અને આ અંગે મહેસલી અધિકારી (રેવન્ય ઓથોરીટી) પ્રોબેટ અંગેનો આગ્રહ રાખી શકે નહીં.

આ ઉપરાંત નામદાર ગુજરાત હાઈકોર્ટે મહેશ ગોવિંદજી ત્રિવેદી વિરૂદ્ધ મર્હમભગવાનજી ગોવિંદજી ત્રિવેદીના વારસદારો (ર૦૧૪ (ર)જી.એલ.આર. ૧૪૮૨)ના કેસમાં જસ્ટિસશ્રી આર.ડી.કોઠારીએ નામદાર સુપ્રીમ કોર્ટના કલારેન્સ પૈઈસનાં કેસનો હવાલો આપતા વિશ્લેષણ કરતા તારણ આપ્યં છે કે, ભારતીય વારસા અધિનિયમની કલમ-ર૧૩ અંગે છણાવત કરતાં સપ્રિમ કોર્ટે નીચે મુજબનાં સિદ્ધાંત પ્રસ્થાપિત કર્યા છે :

“«(૧) તે પ્રોબેટનાં રજૂથયા વિના વસિયત હેઠળ અમલકર્તા અથવા લાભાર્થીનાં હક્કોને સ્વીકારવા ઉપર પ્રતિબંધ મૂકે છે;

(ર) તેપુરાવાનો નિયમ સ્થાપિત કરે છે અને ખરા અર્થમાં ફોરમનાં કાયદાની પ્રક્રિયાત્મક જરૂરીયાતનો ભાગ બનાવે છે;

(૩) પ્રતિબંધ કે જે, આ કલમ દ્વારા લાડવામાં આવેલ છે તે, માત્ર અમલકર્તા અથવા લાભાર્થી તરીકેનાં હક્કને પ્રસ્થાપિત કરવાનાં સંબંધમાં છે અને અન્ય કોઈ હેસિયતમાં હક્કને પ્રસ્થાપિત કરવાનાં સંબંધમાં નથી;

(૪) ક્લમમાં જણાવવામાં આવેલ હોય, તે સિવાયનાં હેતુઓ માટે વસિયતને તપાસવા ઉપર કલમ પ્રતિબંધ લાદતી નથી.

(૫) હક્કનેપ્રસ્‍થાપિત કરવા ઉપરનો પ્રતિબંધ માત્ર ન્યાયની અદાલત સમક્ષ તેને પ્રસ્થાપિત કરવા માટે છે અને નહી કે, વહીવટી અને અન્ય ટ્રિબ્યુનલ સમક્ષની અન્ય કાર્યવાહીઓમાં સંદર્ભ કરવા માટે; અને

(૬) જોકોઈ પ્રોબેટ અથવા વહીવટી પત્ર મંજૂર કરવામાં આવેલ ન હોય તો, કલમ, એવી દરેકવ્યક્તિઓ માટે પ્રતિબંધરૂપ છે, કે જે, વસિયત હેઠળ દાવો કરે છે, પછી તે, વાદી તરીકેહોય અથવા પ્રતિવાદી તરીકે હોય.”

નામદાર ગજરાત હાઈકોર્ટના ઉપરોકત ઉલ્લેખ કરેલ બંને ચકાદાઓને ધ્યાનમાં લેતા એમ કહી શકાય કે, મિનાક્ષીબેન શશીકાંતભાઈ પટેલ વિ. જિલ્લા કલેકટરના નિર્ણય મુજબ : હિન્દુ વસિયતનેપ્રોબેટની જરૂર નથી. પરંત મહેશ ગોવિંદજી ત્રિવેદી વિરૂદ્ધ મર્હમ ભગવાનજી ગોવિંદજી ત્રિવેદીના વારસદારોના કેસ મજબ : પ્રોબેટ વિનાની વસિયતના આધારે મહેસૂલી રેકર્ડમાં ફેરફારની નોંધ પડી શકે, પરંતુ પ્રોબેટ વિનાની વસિયતના આધારે ન્યાયની અદાલતમાં દાવામાં હકક પ્રસ્‍થાપિત થઈ શકે નહીં. કારણ કે, ભારતીય વારસા અધિનિયમની કલમ-ર૧૩ મુજબ પ્રોબેટ મળેલ ન હોય, તેવી વસિયતના આધારે વહીવટકર્તા અથવા ઉત્તરદાનગ્રહિતા તરીકેનો હકક પ્રસ્‍થાપિત થઈ શકે નહીં.

(લેન્ડ લોઝ જજમેન્ટસ, વોલ્યમ-૧, ઈસ્યુ-૩, માર્ચ-૨૦૧૪, પાના નં.૧૯૯)





ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...