12.11.2022

અનુ. જનજાતિ (આદિવાસી)એ ધારણ કરેલ જમીન ઉપરના નિયંત્રણો અને પરવાનગીની જોગવાઈઓ

 

અનુ. જનજાતિ (આદિવાસી)એ ધારણ કરેલ જમીન ઉપરના નિયંત્રણો અને પરવાનગીની જોગવાઈઓ



લોકાભિમુખ માર્ગદર્શન : એચ.એસ. પટેલ IAS (નિ.)

- જમીન મહેસૂલ અધિનિયમની કલમ-73 એએ હેઠળ 

- જમીનનો કબજો લીધા વિના પાંચ વર્ષની અંદર જાતે ખેતી કરવાનું બંધ કરે તો આપેલ પરવાનગી રદ કરવાની જોગવાઈ છે 

જમીન સુધારા કાયદાઓનો હેતુ, જમીન ઉપર નિર્ભર રહેતા કુટુંમ્બોનું રક્ષણ કરવું, જેમાં 'ખેડે તેની જમીન'ના ભાગરૂપે ગણોતકાયદા હેઠળ ગણોતીયા તરીકે જમીન ઉપરના માલિકીહક્કે કબજેદાર ઠરાવવા, તેજ રીતે અનુસુચિ વિસ્તારો (Schedule Area) એટલે કે ભારતના બંધારણમાં પણ અનુસુચિત જનજાતિ એટલે કે આદિવાસી વસ્તી ધરાવતા પ્રદેશોમાં રહેતા આદિવાસીઓની જમીનની તબદીલી ઉપર નિયંત્રણ લાદવાના ભાગરૂપે જમીન મહેસૂલ અધિનિયમની કલમ-૭૩એ - અએ વિગેરે લાગુ પાડવામાં આવી છે અને તે તા.૪-૪-૧૯૬૧ના જાહેરનામાની તારીખે મૂળ સર્વે સેટલમેન્ટ થયેલ ન હોય તેવા વિસ્તારોમાં આદિજાતિના લોકોએ ધારણ કરેલ જમીનની તબદીલી કલેક્ટરની પૂર્વ મંજૂરી સિવાય ન થઈ શકે તેવા નિયંત્રણો મૂકાયેલ છે. ત્યારબાદ તબક્કાવાર મૂળ ૭૩એની કલમમાં-૭૩કઘ સુધી ઉમેરવામાં આવી છે અને આ નિયંત્રણોથી ખેતી અને બિનખેતીની બંને પ્રકારની જમીનોમાં કલેક્ટરની પૂર્વપરવાનગી લેવાની જોગવાઈ છે. કલમ-૭૩એએની પેટા કલમ (૨) મુજબ કોઈ આદિવાસીએ પોતાની જમીન બીજાને વેચાણ તબદીલી કરવી હોય તો કેવા સંજોગોમાં તથા કઈ શરતોએ પૂર્વ મંજૂરી આપવી તે અંગે નિયમો ઘડવાની જોગવાઈ છે અને આ નિયમોમાં તબદીલીથી આપનાર અનુસુચિત જનજાતિના ખાતેદારના જીવનનિર્વાહનું સાધન ક્યા અસાધારણ સંજોગો છે તે ધ્યાનમાં લેવાનું છે. કલમ-૭૩એએની પેટા કલમ(૩) મુજબ કોઈ આદિજાતિ વ્યક્તિ બિન આદિજાતિ વ્યક્તિને વિના પરવાનગીએ જમીન વેચાણ તબદીલ કરે તો તેવી જમીન મૂળ જમીન ધારણ કરનારા આદિજાતી વ્યક્તિને પરત કરવાની જોગવાઈ છે. આ માટે મૂળ જમીન ધારણ કરનાર આદિજાતિ વ્યક્તિએ વેચાણ તબદીલ કર્યા પછી બે વર્ષમાં કલેક્ટરને અરજી કરવાની રહે છે. જો બે વર્ષમાં અરજી ન કરે તો તે જમીન જે આદિજાતી વ્યક્તિને તબદીલ કરવામાં આવી હોય તેની પાસે રહે છે. તા.૪-૪-૧૯૬૧ના જાહેરનામાથી મૂળ સર્વે સેટલમેન્ટ ન થયું હોય તેવા અનુસુચિત વિસ્તારોમાં આદિજાતીના લોકોએ ધારણ કરેલ જમીન કલેક્ટરની પૂર્વ મંજૂરી સિવાય તબદીલ કરવા ઉપર નિયંત્રણ મૂકેલ છે. આ નિયંત્રણની અજ્ઞાાનતાના કારણે આદિજાતીની વ્યક્તિએ બીજી આદિજાતી વ્યક્તિને જમીનો તબદીલ કરે છે અને કલમ-૭૩એની જોગવાઈઓનો ભંગ કરેલ છે. આવા કલમ-૭૩એના ભંગના કેસો તા.૪-૪-૧૯૬૧થી ૩૧મી જાન્યુઆરી ૧૯૮૧ સુધીના ગાળામાં ઉભા થયેલ હોય તો તેવા કિસ્સાઓ આપોઆપ નિયમબદ્ધ કરવાની જોગવાઈ કરવામાં આવેલ છે.

જમીન મહેસૂલ અધિનિયમની કલમ-૭૩એએની પેટા કલમ-૪ અન્વયે આદિજાતીની જમીન બિન આદિવાસીઓને વિના પરવાનગીએ વેચાણ તબદીલ કરેલ હોય તે જમીન સરકારમાં ખાલસા કરવાની જોગવાઈ કરવામાં આવેલ છે. તે મુજબ બિન આદિવાસી વ્યક્તિને જમીન તબદીલ કરવામાં આવી હોય તેને નોટીસ આપી તબદીલી ગેરકાયદેસર જાહેર થયે જમીન કોઈપણ પ્રકારના બોજા રહિત સરકારને પ્રાપ્ત થાય છે અને કલમ-૭૩એએ પેટાકલમ-૫ મુજબ આવી રીતે સરકાર દાખલ થયેલ જમીન મૂળ આદિજાતી વ્યક્તિને પરત કરવાની જોગવાઈ છે. પરંતુ મૂળ ખાતેદાર જમીન પોતે ખેડવા તૈયાર છે તે મુજબની લેખિત બાંહેધરી લેવાની છે અને પેટા કલમ-૬ મુજબ જો મૂળ આદિજાતી કબજેદાર જમીન પરત લેવા અને ખેડવા તૈયાર ન હોય તો જમીન તેજ ગામના બીજી આદિજાતી વ્યક્તિને અથવા તો નજીકના ગામના બીજી આદિજાતી વ્યક્તિને તે જમીન પરત આપવાની જોગવાઈ છે. જો તે મુજબ ગામની કે નજીકના ગામની આદિજાતી વ્યક્તિઓ આ જમીન લેવા તૈયાર ન હોય તો સરકારે જે અગ્રતાક્રમ નક્કી કર્યા છે તે મુજબ અન્ય વ્યક્તિઓને તે જમીન ગ્રાન્ટ કરવાની જોગવાઈ છે. આ કાયદાની કલમ-૭૩એએની પેટા કલમ-૭ મુજબ આદિજાતી વ્યક્તિની જમીન બિન આદિજાતી વ્યક્તિને વિના પરવાનગીએ તબદીલ કરવામાં આવી હોય તે કિસ્સામાં બિન આદિજાતી ખરીદનાર વ્યક્તિને બીજી જે શિક્ષા થઈ શકે તે ઉપરાંત જમીનની કિંમતની ત્રણ ગણી રકમ સુધીનો દંડ કરવાની જોગવાઈ છે અને પેટા કલમ (૮) મુજબ દંડ આપવામાં ન આવે તો બિન આદિજાતી વ્યક્તિ પાસેથી જમીન મહેસૂલની બાકી તરીકે વસુલ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

જમીન મહેસૂલ અધિનિયમમાં કલમ-૭૩એએ તેમજ નિયમોની કલમ-૫૭માં આદિવાસીઓની જમીન અન્ય આદિવાસી ઈસમને ખેતીના હેતુ માટે આ મુજબ જણાવેલ શરતો સંતોષાતી હોય તો કલેક્ટરશ્રી મંજૂરી આપી શકે છે. જેમાં જીવન નિર્વાહના સારા સાધનો માટે અન્ય સ્થળે કાયમ માટે ગામ છોડી જતા હોય, નામે કરી આપનાર ભુમિહિન અથવા કમાવવાના સાધન વિનાનો થયો નથી, શારિરીક, માનસિક રીતે જાતે ખેતી કરી શકે તેમ નથી અને કુટુંમ્બમાં કોઈ ખેતી કરી શકે તેમ નથી, જમીન મહેસૂલના બાકી લ્હેણાં માટે જમીન વેચવામાં આવે, ટ્રસ્ટ દ્વારા અથવા અન્ય બક્ષીસ તરીકે શુદ્ધબુદ્ધિથી આદિવાસી લોકોની રૂઢિ અનુસાર તબદીલ કરવાની હોય, જમીન મહેસૂલ નિયમના ૫૭એલ (૨) જોગવાઈ મુજબ આવી મંજૂરીથી મળેલ જમીન, જમીન ધારકે જાતે ખેતી કરવી જોઈએ, કબજો લીધાથી એક વર્ષમાં જાતે ખેતી ન કરે અથવા કલેક્ટરની પરવાનગી લીધા વીના જમીનનો કબજો લીધા વિના પાંચ વર્ષની અંદર જાતે ખેતી કરવાનું બંધ કરે તો આપેલ પરવાનગી રદ કરવાની જોગવાઈ છે અને ખરીદનાર વ્યક્તિ પોષણક્ષમ જમીનથી વધારે જમીન ન ધરાવતો હોવો જોઈએ. જમીન મહેસૂલ નિયમની ૫૭એલ(૩)ની જોગવાઈ મુજબ આદિવાસી ઈસમની જમીન બિન આદિવાસી ઈસમની જમીન બિન આદિવાસી ઈસમને રાજ્ય સરકારની પૂર્વ પરવાનગી મેળવીને બોનાફાઈડ હેતુ જેવા કે સરકારી ગૃહમંડળી, શૈક્ષણિક, વાણિજ્ય અંડરટેકીંગ, સખાવતી સંસ્થા, જાહેર હેતુ માટે રાજય સરકારની મંજૂરી બાદ તબદીલ કરવામાં આવે છે. જમીન મહેસૂલ નિયમોના નિયમ ૫૭ (૪) મુજબ કલેક્ટર અથવા અનુસુચિ વિસ્તારોમાં જીલ્લા વિકાસ અધિકારી કોઈપણ આદિવાસી ખાતેદારની જમીન કોઈપણ આદિવાસી અથવા બિન આદિવાસીને અમુક શરતોને આધીન પરવાનગી આપી શકાય છે. જેમાં આદિવાસી ખાતેદાર પોતાના સ્ત્રોતો બિન આદિવાસી પાસેથી મેળવેલ હોવી જોઈએ .

ક્રમશઃ

નવા સુધારેલા ગુજરાત ઓનરશીપ ફ્લેટ એક્ટની મુખ્ય જોગવાઈઓ

 

રિડેવલપમેન્ટને લગતું કોઈ કામ તેના ૭૫ ટકાથી ઓછા નહીં તેટલા ફ્લેટ-માલિકોની સંમતિ મેળવ્યા પછી નિર્ધારિત શરતોએ હાથ ધરાય છે 


તમારી જમીન,તમારી મિલકત 

નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ)

 ગુજરાત રાજ્યનાં મોટાં શહેરોમાં ફ્લેટો કે એપાર્ટમેન્ટ પ્રકારના બહુમાળી બિલ્ડિંગ્સ  બંધાયાં છે અને તેમાં ૨૫ વર્ષથી વધુ જુના હોય તેવા ખૂબ જ જર્જરિત હાલતમાં થઈ ગયેલા હોય તેવી મિલકતો રી-ડેવલપ કરવા ગુજરાત ઓનરશીપ ફ્લેટ એક્ટ, ૧૯૦૩ ની જોગવાઈઓમાં ગુજરાત ઓનરશીપ ફ્લેટ ( એમેન્ડમેન્ટ) એકટ, ૨૦૧૮ (સને ૨૦૧૯ ના ગુજરાત અધિનિયમ ક્રમાંક: ૫ ) દ્વારા મહત્વપૂર્ણ સુધારા કરવામાં આવ્યા છે કે જે તારીખ ૨૧-૫-૨૦૧૯ થી અમલી બનેલ છે. સદર કાયદામાં સુધારા-વધારામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તે અંગેની વિગતો નીચે મુજબ છે.

મૂળ કાયદાની કલમ -૨૬% ની એકરારની વિગતોઃ
(૧) એકરારમાં નીચેની વિગતો હોવી જોઈશે :-
(ક) જેની ઉપર મકાનો અને સુધારણા કર્યા અથવા કરવાના હોય તે જમીનનું વર્ણન અને જમીન અબાધિત રીતે અથવા પટે લીધેલી છે કે કેમ ?
(ખ) માળ અને ભોંયતળિયાની સંખ્યા, એપાર્ટમેન્ટની સંખ્યા, મકાન જેમાંથી બાંધ્યું કે બાંધવાનું હોય તે મહત્વના માલસામાનની વિગતો સાથે મકાનનું વર્ણન
(ગ ) દરેક એપાર્ટમેન્ટનો નંબર અને તેનું સ્થળ, આશરે ક્ષેત્રફળ, રૂમોની સંખ્યા અને તેમાંથી જયાં આવ-જા કરી શકાય તેવું નજીકનું સહિયારું ક્ષેત્ર અને તેની યોગ્ય ઓળખ માટે જરૂરી બીજી કોઈ માહિતી
(ઘ) સહિયારાં, ક્ષેત્રો અને સુવિધાઓનું વર્ણન,
(ચ) સહિયારાં ક્ષેત્રો અને સુવિધાઓ મર્યાદિત હોય, તો જે એપાર્ટમેન્ટો માટે તેમનો ઉપયોગ મર્યાદિત રાખ્યો છે તેની વિગત,
(છ) મિલકતની અને દરેક એપાર્ટમેન્ટની કિંમત અને દરેક એપાર્ટમેન્ટને લગતા સહિયારાં ક્ષેત્રો અને સુવિધાઓમાં અને મતદાન સહિતના તમામ હેતુઓ માટે એપાર્ટમેન્ટ-માલિકના અવિભાજિત હિતના ટકા અને અવિભાજિત હિતના એવા ટકા એકરારની તારીખે કોઈપણ રીતે બોજાગ્રસ્ત નથી એવું નિવેદન,
(જ) જે હેતુઓ માટે મકાન અને દરેક એપાર્ટમેન્ટ રાખવા ધાર્યું હોય અને તેના ઉપયોગ મર્યાદિત રાખ્યો હોય તેની વિગત,
(ઝ) આમાં હવે પછી જોગવાઈ કરેલા કેસોમાં કામગીરી હુકમની બજવણી સ્વીકારનાર વ્યકિતનું નામ અને તેના રહેઠાણ અથવા ધંધાનું સ્થળ, જે મકાન જયાં આવેલું હોય તે શહેર, નગર અથવા ગામની અંદર હોવું જોઈશે.
(ત) એપાર્ટમેન્ટ-માલિકોએ (આપવાના મતોના ૭૫ ટકાથી ઓછા નહીં તેટલા ટકા ) નિર્ણાયક બને તે નક્કી કરવાની અથવા સમગ્ર મિલકત કે તેના ભાગને નુક્સાન પહોંચે અથવા તેનો નાશ થાય તે પ્રસંગે, મિલકત ફરી બાંધવા, તેની મરામત કરવા, તેને યથાવત સ્થિતિમાં લાવવા અથવા વેચવા સંબંધી જોગવાઈઓ,
(થ)મિલકત અંગે જે બીજી કોઈ વિગતો એકરાર કરી આપનાર વ્યક્તિને આ ભાગને સુસંગત રહીને જણાવવાનું ઈષ્ટ લાગે તે વિગતો,
(દ) આ ભાગની જોગવાઈઓને સુસંગત રીતે એકરારમાં સુધારો કરવાની રીત.
(૨) દરેક એકરારની અને ઉપ-નિયમોની ખરી નકલ અને એકરાર અને ઉપનિયમોમાં કરવામાં આવેલા સુધારા યોગ્ય સત્તાધિકારીની ઓફિસમાં ફાઈલ કરવા જોઈશે.
“નવા સુધારેલા કાયદામાં ક્લમ ૨ %(ટ) માં મતોના ૭૫ ટકાથી ઓછા ન હોય એવો સુધારો કરવામાં આવેલ છે ”
ક્લમ-૩૭. નાશ અથવા નુક્સાન થયેથી, મિલકતની વ્યવસ્થા કરવા બાબત: સમગ્ર મિલકતને અથવા તેના ભાગને નુકસાન અથવા તેનો નાશ થયાની તારીખથી સાઇઠ દિવસની અંદર ( એપાર્ટમેન્ટ - માલિકોનું એસોસિયેશન, એવા માલિકોને ૭૫ ટકાથી ઓછા નહીં તેટલા માલિકોની સંમતિથી ) તે મિલકતની મરામત કરવાનું, તેનું ફરી બાંધકામ કરવાનું અથવા તેને ફરી બાંધવાનું નકકી કરે નહીં તો અને ત્યારે (ક)મિલકત એપાર્ટમેન્ટ-માલિકોની સહિયારી માલિકીની ગણાશે, (ખ)દરેક એપાર્ટમેન્ટ-માલિકને લગતું સહિયારી માલિકીની મિલકતમાંનું અવિભાજિત હિત, સહિયારાં ક્ષેત્રો અને સુવિધાઓમાં આવા માલિકની અગાઉની માલિકીના અવિભાજિત હિતના ટકા જેટલું રહેશે,  (ગ) કોઈ એપાર્ટમેન્ટને લગતા કોઈ બોજાઓમાં હવે જોગવાઈ કર્યા પ્રમાણે મિલકતમાં એપાર્ટમેન્ટ-માલિકનું જેટલા ટકા અવિભાજિત હિત હોય તેના પ્રમાણમાં વર્તમાન અગ્રતાકમ અનુસાર તબદિલ કરેલા ગણાશે.
(ઘ) કોઈપણ એપાર્ટમેન્ટ-માલિકના દાવા ઉપરથી મિલકત વિભાજન થવાને આધિન રહેશે અને તે પ્રસંગે, તે મિલકત ઉપર વીમો હોય, તો તેની ચોખ્ખી આવક સહિત વેચાણની ચોખ્ખી આવક એક ફંડ તરીકે ગણાશે અને તે હેતુ માટે પૂરતા હોય તેટલા પ્રમાણમાં, એપાર્ટમેન્ટ-માલિકોના તમામ સંબંધિત હિસ્સા અને દરેક એપાર્ટમેન્ટ-માલિકની માલિકીની મિલકતમાંના અવિભાજિત હિત ઉપરના તમામ ચાર્જ પ્રથમ ચૂકવ્યા પછી મિલકતમાં દરેક માલિકની માલિકીના અવિભાજિત હિતના ટકા જેટલા ટકામાં તમામ એપાર્ટમેન્ટ-માલિકો વચ્ચે તે વહેંચી આપવી જોઈશે. નવા સુધારેલા કાયદાની કલમ -૩૭ માં “એપાર્ટમેન્ટ્સમાં માલિકોનું એસોસિએશનના ૭૫% થી ઓછા ના હોય તેવા માલિકો” એવો સુધારો કરવામાં આવેલ છે. નવા સુધારેલા કાયદામાં નવી ક્લમ-૪૧-ક ઉમેરવામાં આવી છે, જે નીચે મુજબ છેઃ
ક્લમઃ ૪૧-ક. ફ્લેટ અને એપાર્ટમેન્ટના પુનઃ વિકાસ બાબતેઃ
આ અધિનિયમમાં ગમે તે મજકર હોય તેમ છતાં, કોઈ મકાનના પુનઃવિકાસને લગતું કોઈ કામ, આવા મકાનના ૭૫ ટકાથી ઓછા નહીં તેટલા ફ્લેટ-માલિકોની સંમતિ મેળવ્યા પછી, ઠરાવવામાં આવે તેવી બોલીઓ અને શરતોએ હાથ ધરી શકાશે, પરંતુ આવા મકાનના સંબંધમાં (૧) સંબંધિત સત્તાધિકારીએ વિકાસ માટે પરવાનગી આપ્યાની તારીખથી પચ્ચીસ વર્ષનો સમયગાળો પુરો થઈ ગયેલો હોવો જોઈએ અથવા (૨) સંબંધિત સત્તાધિકારીએ, આવું મકાન ખંડેર હાલતમાં છે અથવા પડવાની શકયતા છે, અથવા તેનો કબજો ધરાવતા ઉપયોગ કરનાર માટે અથવા આવા મકાન અથવા તેની નજીકના કોઈ બીજા મકાન અથવા સ્થળ માટે અથવા એવી જગ્યાએથી પસાર થતી કોઈ વ્યકિત માટે કોઈપણ રીતે જોખમકારક છે એવું જાહેર કર્યું હોય. સ્પષ્ટીકરણ : આ કલમના હેતુઓ માટે, ”પુનવિકાસ” એ શબ્દપ્રયોગનો અર્થ, સંબંધિત વિકાસ નિયંત્રણ વિનિયમોમાં તેનો જે અર્થ કરવામાં આવ્યો હોય તે થશે.
નોંધઃ-(જમીન-મિલક્ત માટેના લેખોના સંદર્ભે વાચકોના કોઈ સુચન કે પ્રશ્નો હોય તો ‹નવગુજરાત સમય› ના નવા સરનામે (૧૦૧, પહેલો માળ, ઓમ શાયોના આર્કેડ, સિલ્વર ઓક કોલેજ પાસે, ગોતા, અમદાવાદ-૩૮૨૪૮૧) લેખિત રૂપે મોકલવા અથવા લેખકને ઈ-મેઈલ કરવા)

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...