9.11.2023

મ્રત્યુ નજીક છે એમ માનીને આપેલી મિલકતરૂપ બક્ષીસસોની કાયદેસરતા ક્યારે ગણાય ??



તમારી જમીન,  તમારી મિલકત > નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ)
 ભારતીય વારસાહકક અધિનિયમ ૧૯૨૫ ની જોગવાઈઓ મુજબ વ્યક્તિ પોતાની હયાતીમાં કરેલી પોતાની માલિકીની જંગમ મિલકતની બક્ષીસની કાર્યવાહીઓ અંગે આ લેખમાં અભ્યાસ કરીશું.
(1) કોઈ મૃત્યુ નજીક છે એમ માનીને આપેલી બક્ષિસથી મિલક્ત તબદીલી કરી શકાય.
(અ) કોઈ વ્યકિત, પોતે વિલથી જે જંગમ મિલકતની વ્યવસ્થા કરી શકતી હોય તે મિલકતની વ્યવસ્થા મૃત્યુ નજીક છે એમ માનીને આપેલી બક્ષિસથી કરી શકશે. (બ) પોતે બિમાર હોય અને બિમારીથી પોતે ટૂંક સમયમાં મૃત્યુ પામશે એવું માનતી હોય તે વ્યક્તિ, સદરહુ બિમારીથી પોતે મૃત્યુ પામે તો બક્ષિસ તરીકે રાખી લેવા માટે કોઈ બીજી વ્યક્તિ તેને કોઈ જંગમ મિલકતનો કબજો સોંપે ત્યારે તે બક્ષિસ મૃત્યુ નજીક છે એમ માનીને આપી છે એમ કહેવાય. (ક) દાતા એવી બક્ષિસ પાછી લઈ શકશે અને જે બિમારી દરમિયાન તે આપવામાં આવી હોય તેમાંથી દાતા સાજો થાય અથવા જેને તે મિલકત આપવામાં આવી હોય તે વ્યક્તિની પાછળ હયાત રહે તો
તે બક્ષિસ અમલી બનશે નહીં.
 દૃષ્ટાંત:-
(અ) “ક” બિમાર છે અને પોતે મૃત્યુ પામશે એમ માનીને ”ખ’ ને કોઈ ટ્રકની ચાવી જેમાં પોતાનો માલનો જથ્થો રાખેલો હોય વખારની ચાવી ”ખ” ને સોંપે છે. તેનો ઈરાદો ”ક” ને ટ્રકમાંની વસ્તુઓ ઉપર અથવા વખારમાં રાખેલા માલ ઉપર અંકુશ આપવાનો છે. અને પોતે મૃત્યુ પામે તો ”ખ” તે માલ રાખી શકે એમ “ક” ઈચ્છે છે. જે બિમારી દરમિયાન ”5” એ આ વસ્તુઓ સોંપી તે બિમારીથી તે મૃત્યુ પામે છે. સદરહુ ટ્રક અને તેમાંની વસ્તુઓ માટે અથવા વખારમાં રાખેલા ”ક5” ના માલના જથ્થા માટે ”ખ” હકકદાર છે. (બ) બક્ષિસ બાદ દાતાનું મૃત્યુ થાય તો જ અમલી બને છે. જો દાતા બીમારીથી સાજો થાય અથવા તો બક્ષિસગ્રહિતા મૃત્યુ પામે તો બક્ષિસ અમલી બનશે નહીં. (ક) દાનની વિષયવસ્તુની સોંપણી થઈ હોવી જોઈએ. (ડ)બક્ષિસ એવા સંજોગો નીચે હોવી જોઈએ કે જે દર્શાવતા હોય કે જો દાતા સાજો થાય તો તે વસ્તુઓ તેની પાસે પાછી ફરશે.
મૃત્યુશૈયાદાન મૌખિક અથવા લખાણોમાં નોંધણી સહિત કે નોંધણી વગર પણ આપી શકાય છે, પરંતુ સોંપણી કરવાનું ખૂબ જ જરૂરી છે.
મૃત્યુશૈયાદાન અને ઉત્તરદાન:
(અ) ઉત્તરદાનની બાબતમાં પ્રોબેટ લેવું જરૂરી છે. મરણશૈયાદાનને માટે પ્રોબેટની જરૂર નથી, કારણ કે સોંપણી થતાં બક્ષિસ અસરકારક બને છે. (બ) વસિયતમાં કે ઉત્તરદાનમાં પ્રવર્તકની સંમતિ, ઉત્તરદાનગ્રહિતાના માલિકીહક્કને સંપૂર્ણ કરવા માટે જરૂરી છે. આવી પ્રવર્તકની સંમતિ મૃત્યુ શૈયાદાનમાં જરૂરી નથી.
મૃત્યુ શૈયાદાન અને બક્ષિસ:
(અ) મૃત્યુ શૈયાદાન રદ કરી શકાય છે. બક્ષિસ જો કાયદેસર હોય તો રદ થઈ શક્તી નથી. (બ) મિલકતો ઓછી હોય તો મૃત્યુ શૈયાદાન વસિયત કરનારાના દેવા માટે જવાબદાર છે. જ્યારે બક્ષિસની બાબતમાં આવો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.
(2) અંગ્રેજીમાં આવી બક્ષિસોને ડોનેશિયો મોટિસિ કોઝા (Donetio Mortis Cause) કહેવામાં આવે છે. આ રીતે મૃત્યુની અપેક્ષાથી કરેલ બક્ષિસથી મિલક્ત તેના દાનગ્રહિતામાં તરત જ નિરપેક્ષ રીતે સ્થિત થતી નથી. મૃત્યુ ન થાય તો તેના દાતાને તે પરત મળે છે. વળી, મૃત્યુ એ જ બિમારીથી થવું જોઈએ જે દરમિયાન દાતાએ બક્ષિસો આપી હોય. આવી બક્ષિસોમાં જંગમ મિલકતનો પ્રત્યક્ષ કબજો મેળવવો એ અનિવાર્ય તત્વ છે. આવી બક્ષિસ એ લગભગ જીવનકાળમાં કરેલી બક્ષિસ જેવી જ છે. મૃત્યુ સુધી એ બક્ષિસ પર તેના ગ્રહિતાનો અધિકાર અપર્ણ રહે છે, પણ દાતાનું મૃત્યુ થતાં તેનો અધિકાર પુર્ણ બને છે. આ પ્રમાણે મૃત્યુની અપેક્ષામાં કરેલ બક્ષિસોના મૂળભૂત અંગો પણ એમ ગણાવી શકાય.
(અ) બક્ષિસદાતાના અપેક્ષિત મૃત્યુથી કરેલ હોવી જોઈએ એટલે કે મરણ સન્મુખ આવી ઊભું છે એમ દાતાને લાગે ત્યારે તેણે કરેલી બક્ષિસ.
(બ) એવી બક્ષિસો શરતી હોય છે એટલે કે જો દાતા મૃત્યુ પામશે તો જ તેનો અમલી બનશે, અન્યથા નહીં.
(3) બક્ષિસના વિષય કે વસ્તુનો કબજો દાતાએ દાનગ્રહિતાને આપ્યો હોવો જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો દાતાના મૃત્યુ પહેલાં તેણે પોતે પોતાના મૃત્યુની અપેક્ષામાં કરેલ બક્ષિસો તેના મૃત્યુ પછી અમલી બનશે, પરંતુ જો દાતા જીવી જશે તો તે બક્ષિસો બિનઅમલી બનશે. આવી બક્ષિસો પુરવાર કરવાનો બોજો દાનગ્રહિતા પ૨ છે. પરંતુ જો દાતા પોતે આત્મઘાત (Suicide) કરવાનો હોય છે અને તે કરતાં પહેલાં જો તે બક્ષિસો આપે તો બક્ષિસોને મૃત્યુશૈયા પર કરેલ બક્ષિસો (Donetio Mortis Cause)  કહેવામાં આવશે નહીં. બક્ષિસ આપનાર દાતા તરફ એ જરૂરી છે કે તેણે બક્ષિસમાં આપેલી વસ્તુઓનો કબજો દાનગ્રહણ કરનારને સોંપવો એટલે કે વસ્તુઓનો કબજો તેને સોંપવો જ જોઈએ. તદુપરાંત તે વસ્તુ પરના સર્વે અધિકાર તેણે ત્યજી દેવા જોઈએ. જો તેમ નહિ થાય તો આવી બક્ષિસ પૂર્ણ ન હોઈ દાનગ્રહિતા તેને પ્રાપ્ત કરી શકશે નહીં. એક દાવામાં દાતાએ ઝવેરાતથી ભરેલી એક નાની પેટી બક્ષિસમાં આપી અને તેનો કબજો પણ સોંપ્યો, પરંતુ તેની ચાવી તેણે પોતાની પાસે રાખી મૂડી. આ પ્રમાણેની સોંપણી આખરી એટલે કે પૂર્ણ ન થઈ હોઈ દાનગ્રહીતા તેને પ્રાપ્ત કરી શકે નહીં.
બેન્ક નોટ્સ, નેગોશિયેબલ ઈન્સ્ટુમેન્ટ બોન્ડ, ઈન્સ્યોરન્સની પોલિસી, ગીરો પણ મૃત્યુશૈયા પર આપવામાં આવતી બક્ષિસોનો વિષય બની શકે છે. આવી બક્ષિસો હિન્દુ કાયદામાં પણ થાય છે, પરંતુ હિન્દુ કાયદામાં સામાન્ય બક્ષિસો અને આવી બક્ષિસો વચ્ચે કોઈ સ્પષ્ટ ભેદ પાડવામાં આવ્યો નથી. તેમાં જો દાતાનો ઈરાદો બક્ષિસ આપવાનો હતો તેમ સ્પષ્ટ નકકી થઈ શકે તો આવી બક્ષિસો માન્ય ગણાશે. કુમાર ઉપેન્દ્ર કૃષ્ણ વિ. નવીન કૃષ્ણ (૧૯૦૧, ૩ બી.એલ.આર.ઓ. સી ૧૧૩ ) ના વાદમાં એક હિન્દુ, જે મૃત્યુશૈયા પર પડયો હતો, તેણે પોતાના, મૃત્યુના થોડાક કલાક પહેલાં રૂ.૩૦,૦૦૦/- ની કિંમતનાં સરકારી કાગળિયાં ઘરમાંથી મંગાવી, પોતાના હાથમાં રાખી, તેમને દાનગ્રહિતાના હાથમાં સોંપ્યા એવા ઈરાદાથી કે તેમાંની મિલક્ત પેલા દાનગ્રહિતાના ને મળે, પરંતુ તેના ઉપર કોઈપણ પ્રકારનું લખાણ કરી શક્યો નહીં. લખાણ કરવાનું તેને કહેવામાં આવતા તે તેમ કરવાને અશક્ત હોવાથી તેણે તેમ કરવાની ઈચ્છા દર્શાવી નહીં. આમ હોવા છતાં તે બક્ષિસ માન્ય બક્ષિસ ગણવામાં આવી. હિન્દુ કાયદા પ્રમાણે “પે ઈન્ટર વિવોસ” (Inter Vivos) બક્ષિસ તરીકે અને ઈંગ્લિશ કાયદા પ્રમાણે તે “ડોનેશિયો મોર્ટિલ કોઝા” તરીકે પણ માન્ય હતી. મુસ્લિમ કાયદા પ્રમાણે આવી બક્ષિસોને મર્ઝ-ઉલ-મોત (Marz-UlMaut)  એટલે કે મૃત્યુ પામશે એવા પ્રકારનો રોગ (મર્ઝ) અર્થાત્‌ મૃત્યુ-શૈયા સ્થિતિ) બક્ષિસ કહે છે. આ કાયદા મુજબ બક્ષિસ માન્ય રહે તે સારુ નીચેનાં તત્વો જરૂરી છે.
(અ) મોતનો નજીદીકનો ભય એટલે કે તરતમાં જ મૃત્યુ થશે એવી આશંકા અને ડર, (બ) એવી આશંકા રોગીના મનમાં ઉપસ્થિત થવી જોઈએ. તેના સગાં-વહાલાંનાં મનમાં તેવી કુશંકા પેદા થાય તેનું કોઈ મહત્વ નથી.
(5) તદુપરાંત મૃત્યુ તુરતમાં જ થશે એવું લાગવું જોઈએ અર્થાત્‌ તેના ચિહ્નો જણાવાં જોઈએ. ટૂંકમાં રોગીની માનસિક પરિસ્થિતિએ આખા પ્રસંગનું મુખ્ય સંચાલક બળ છે. પરંતુ નીચેના રોગોને મર્ઝ-ઉલ-મોત (મરણાવસાયી રોગ) માં ગણવામાં આવ્યા નથી.
(૧) ૧ વર્ષથી વધુ સમય માટે ચાલુ એવો Albuminuria,  (૨) લકવો (Paralysis), (૩) દમ (asthama), (૪) ચાલુ માંદગી, (૫) Fever અને મસા (piles) કે હરસ, (૬) ઉદરમાંથી લોહી પડવું, (૭) ધીમો ક્ષય ((consumption, (૮) વારંવાર થતો ડાયેરિયા (diarrhoea) 
# જજમેન્ટસ 
(૧) ભારતીય વારસાધારા અધિનિયમ ૧૯રપની જોગવાઈઓમાં જણાવેલી કલમ -૧૯૧ હેઠળ જરૂરી તત્વો - એ.આઈ.આર. ૧૯૯૧ સુ.કો. ૧૮૪૭ ૧૯૯૧ એ.આઈ.આઅર. સુ.કો. વિકલી ૨૦૩૦
(૨) મિલકત જંગમ હોવી જોઈએ - મૃત્યુના ઈરાદાથી – આપનાર બિમાર હોવો જોઈએ અને બિમારીથી મૃત્યુ ટુંકમાં સંભવિત હોવું જોઈએ. મિલકત ભેટ અપાયેલી હોવી જોઈએ-ભેટ આપનાર સાજો થાય તો ભેટ પરત લઈ શકાતી નથી - આ તત્વો હોવાં જોઈએ. એ.આઈ.આર. ૧૯૯૧. સુ.કો. ૧૮૪૭ 

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...