9.23.2022

હવે તલાટી મકાનો, ફલેટ, એપાર્ટમેન્ટ, વાણિજય દુકાનો, ઓફીસો માટે પેઢીનામું બનાવશે સોગંદનામા વગર સ્વ-ઘોષણા આઘારે

 હવે મકાન, ફ્લેટ, દુકાન કે ઓફિસ માટે પણ તલાટી પેઢી નામું બનાવશે


પેઢીનામા તૈયાર કરવા અંગેનો 2014નો પરિપત્ર સુધારાયો,2014ના પરિપત્રમાં ખેતીની, બિનખેતીની જમીનની વારસાઈ અંગે પેઢીનામું બનાવવાનો ઉલ્લેખ હતો


વતન સ્થળ સિવાયના સ્થળે અવસાન થયું હોય તો પણ વતન સ્થળના તલાટીએ પેઢીનામું કરવાનું રહેશે

અરજદાર દ્વારા જે સંબંધિત તલાટીને અરજી કરવામાં આવે, તે તલાટીએ આ કામગીરી પૂર્ણ કરવાની રહેશે

મહેસૂલ વિભાગ દ્વારા પેઢીનામું તૈયાર કરવા બાબતના 2014ના પરિપત્રમાં સુધારો કર્યો  અને તે અંગે નવો પરિપત્ર કરાયો

નવગુજરાત સમય, અમદાવાદ 

પેઢીનામા તૈયાર કરવા માટેના પરિપત્રમાં સુધારો કરવામાં આવ્યો છે. જે મુજબ હવે તલાટીએ મકાન, ફ્લેટ, દુકાન કે ઓફિસ સહિતની તમામ સ્થાવર મિલકતોનું પણ પેઢીનામું બનાવવાનું રહેશે. અગાઉના પરિપત્રમાં ખેતીની તથા બિન ખેતીની જમીનની વારસાઈ અંગે પેઢીનામું બનાવવાનો ઉલ્લેખ હતો, જેથી આ સુધારો કરવામાં  આવ્યો છે. ઉપરાંત કોઈ વ્યક્તિનું અવસાન વતનના સ્થળ સિવાય થયું હોય તો પણ વતન સ્થળના તલાટીએ પેઢીનામું કરવાનું રહેશે. અગાઉના પરિપત્ર અનુસાર અરજદારે એફિડેવિટ કરવાની રહેતી હતી, તેના બદલે હવે સેલ્ફ ડેક્લેરેશન માન્ય રહેશે.

મહેસૂલ વિભાગ દ્વારા 14 મે, 2014ના રોજ પરિપત્ર બહાર પાડી પેઢીનામા તૈયાર કરવા અંગેની સૂચનાઓ બહાર પાડવામાં આવી હતી. આ પરિપત્રમાં ખેતીની તથા બિનખેતીની જમીન (ખુલ્લા પ્લોટ)ની વારસાઈ અંગે પેઢીનામું બનાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેનું અર્થઘટન ફક્ત ખેતીની જમીન તથા બિનખેતીની જમીન (ખુલ્લા પ્લોટ)નું જ પેઢીનામું તૈયાર કરવાનું રહે છે તેમ કરવામાં આવતું હતું. જેથી મહેસૂલ વિભાગ દ્વારા પેઢીનામું તૈયાર કરવા બાબતના 2014ના પરિપત્રમાં સુધારો કર્યો છે અને તે અંગે સત્તાવાર નવો પરિપત્ર 
બહાર પાડ્યો છે.

મહેસૂલ વિભાગ દ્વારા પેઢીનામાને લઈને બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ખેતીની જમીન તથા બિન ખેતીની જમીન (ખુલ્લા પ્લોટ) ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં તથા શહેરી વિસ્તારમાં પરંતુ સિટી સર્વે દાખલ થયેલા ન હોય તેવા વિસ્તારમાં આવેલા મકાનો, ફ્લેટ, એપાર્ટમેન્ટ, વાણિજ્ય દુકાનો, ઓફિસો જેવી તમામ સ્થાવર મિલકતો બાબતે પણ સબંધિત તલાટી કમ મંત્રી- સિટી- કસ્બા તલાટીએ પેઢીનામુંં બનાવી આપવાનું રહેશે. ઉપરાંત જે વ્યક્તિનું અવસાન રહેણાકના સ્થળ અથવા વતનના સ્થળે સિવાયના સ્થળે થાય તો તેવા કિસ્સામાં પણ જે તે વ્યક્તિનું પેઢીનામું તેના સ્થાયી રહેઠાણના સ્થળ અથવા વતનના સ્થળના તલાટીએ કરવાનું રહેશે.

અરજદારને વતન કે રહેણાકના સ્થળના તલાટીને અરજી કરવાનો વિકલ્પ ઉપલબ્ધ રહેશે. અરજદાર દ્વારા જે સંબંધિત તલાટીને અરજી કરવામાં આવે, તે તલાટીએ આ કામગીરી પૂર્ણ કરવાની રહેશે. ઉપરાંત 2014ના પરિપત્રમાં જ્યાં સોગંદનામા શબ્દનો ઉલ્લેખ કરાયો છે તેના બદલે સેલ્ફ ડેક્લેરેશન ધ્યાને લેવાનું રહેશે. આ સિવાય 2014ના પરિપત્રની અન્ય બાબતો યથાવત રાખવામાં આવી છે.



ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...