9.18.2022

ટ્રસ્ટોને સરકારી જમીનની ફાળવણી કરતાં ઉમેરવાની શરતો બાબત.

 

ટ્રસ્ટોને સરકારી જમીનની ફાળવણી કરતાં ઉમેરવાની શરતો બાબત.

ટ્રસ્ટોને સરકારી જમીનની ફાળવણી કરતાં ઉમેરવાની શરતો બાબત.


ગુજરાત જમીન મહેસૂલ નિયમો ૧૯૭૨ ના નિયમ -૩૨ મુજબ જાહેર ટ્રસ્ટોને વિવિધ હેતુ માટે મહેસૂલ માફી / કિંમત માફીથી સરકારી જમીન નિયમ -૩૬ ની શરતોને આધિન ફાળવવામાં આવે છે, અમુક હેતુઓ જેવા કે દૂધ ઉત્પાદક સહકારી મંડળીને દૂધ ઘર માટે તથા અન્ય સહકારી મંડળીઓને ગોડાઉન તથા સમાજવાડી માટે કબજા કિંમત વસૂલ લઈ, સંદર્ભ- (૧) થી (૫) દર્શિત નિયમો / ઠરાવ / પરિપત્રની જોગવાઈઓને આધિન નવી, અવિભાજ્ય, વિક્રિયાદી નિયંત્રીત શરતે તથા અન્ય પ્રવર્તમાન શરતોને આધિન ફાળવવામાં આવે છે. મહેસૂલ વિભાગના સંદર્ભદર્શિત ક્રમ- (૬) ના પરિપત્રની વિગતે મહેસૂલ માફી / કિંમત માફીથી ફાળવેલ જમીન તથા કબજા કિંમત વસૂલીને નવી, અવિભાજ્ય વિક્રિયાદી નિયંત્રીત શરતે ફાળવેલ સરકારી જમીન પર સરકારશ્રીનું પ્રીમીયમનું હિત સમાયેલું હોય છે. આવી જમીનના વેચાણ / તબદીલી ગીરો, બક્ષિસ કે ભાગીદારી ફેરફાર કરવાના પ્રસંગે સરકારના પ્રવર્તમાન જોગવાઈ મુજબ પ્રીમીયમની રકમ વસૂલ લેવાની શરતે પૂર્વ પરવાનગી આપવામાં આવે છે. આવી જમીનો માન્ય નાણાકીય સંસ્થા / બેંકો સમક્ષ ગીરો મુકવાના પ્રસંગે પણ કલેક્ટરશ્રીની પરવાનગી લેવાની રહે છે તેમ સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવેલ છે ઉક્ત જોગવાઈ હોવા છતાં સરકારશ્રીના ધ્યાને આવેલ છે કે કેટલાક ટ્રસ્ટો દ્વારા અમુક કિસ્સામાં મહેસૂલ માફી । કિંમત માફીથી ફાળવેલ જમીન તથા કબજા કિંમત વસૂલી ફાળવેલ જમીનનું સરકારશ્રીની પૂર્વ મંજૂરી વિના એક ટ્રસ્ટ દ્વારા બીજા ટ્રસ્ટને ચેરીટી કમિશનરશ્રી / જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી / રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ અને અન્ય સત્તાધિકારીઓની મંજુરીથી તબદીલી કરવામાં આવે છે, તથા કેટલીક સંસ્થાઓ/ ટ્રસ્ટો દ્વારા આ જમીન ગીરો મુકીને તેના પર લોન મેળવે છે અને આવી સંસ્થાઓ / ટ્રસ્ટો ફડચામાં જવાના કારણે ઓફીશીયલ લીકેવીડેટર દ્વારા હરાજી કરતાં સમયે પણ સરકારશ્રીના પ્રીમીયમનું હિત સુરક્ષિત રાખવામાં આવતું નથી . હરાજીમાં કે અન્ય રીતે વેચાણ લેનારને પણ આવી જમીનની ખરીદી સમયે મહેસૂલ વિભાગની મંજૂરી અગાઉથી લેવાપાત્ર છે તે મુજબનું જ્ઞાન ન હોવાની શક્યતાના લીધે આ પ્રકારની નવી , અવિભાજ્ય, વિક્રિયાદી નિયંત્રીત શરતની ટ્રસ્ટને ફાળવેલ જમીન, સરકારશ્રીની મંજૂરી વિના તથા સરકારશ્રીને મળવાપાત્ર નિયમાનુસારના પ્રીમીયમની રકમ ભરપાઈ થયા સિવાય વેચાણ થઈ જાય છે . વેચાણ લેનારને પણ આ જમીનની તબદીલી પૂર્વે આ જમીન પ્રિમીયમપાત્ર તથા મહેસૂલ વિભાગ / સરકારશ્રીની મંજુરી લેવાપાત્ર છે, તેવુ જ્ઞાન ન હોવા અંગે સંભાવના છે. ઉક્ત બાબત સરકારશ્રીની સક્રિય વિચારણા હેઠળ હતી તદઅન્વયે પુખ્ત વિચારણાને અંતે, મહેસૂલ વિભાગના સંદર્ભ- ( ૬ ) દર્શિત તા.૦૭/૦૨/૨૦૦૯ ના પરિપત્ર ક્રમાંક : મમજ - ૫૩૦૮-૮ - ગ મુજબની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા કાયદા વિભાગ , શિક્ષણ વિભાગ, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ અને તેમની તાબાની તમામ કચેરીઓ તથા સર્વે કલેક્ટરશ્રીઓનું પુન : ધ્યાન દોરવામાં આવે છે. વધુમાં, ટ્રસ્ટને નવી, અવિભાજ્ય , વિક્રિયાદી નિયંત્રીત શરતે ફાળવેલ સરકારી જમીનના ગામ નમુના નં .૭ માં “ નવી, અવિભાજ્ય, વિક્રિયાદી નિયંત્રીત શરતે અને મહેસૂલ વિભાગ / સરકારની પૂર્વ મંજૂરીને પાત્ર તથા પ્રિમીયમને પાત્ર " તે મુજબનો ઉલ્લેખ કલેક્ટરશ્રીઓએ કરવાનો રહેશે અને આવી જમીનની ફાળવણીના વિગતવાર હુકમમાં પણ સંબંધિત કલેક્ટરશ્રીઓ દ્વારા આવી શરતનો ઉલ્લેખ અચૂક કરવાનો રહેશે. 

ગુજરાતના રાજયપાલશ્રીના હુકમથી અને તેમના નામે 


હિન્દુ-લો પ્રમાણે પરિવારની સંપત્તિના ઉત્તરાધિકાર, ભાગલા અને વારસાઈની કેવી જોગવાઇ છે?

 હિન્દુ-લો પ્રમાણે પરિવારની સંપત્તિના ઉત્તરાધિકાર, ભાગલા અને વારસાઈની કેવી જોગવાઇ છે?


વ્યકિત પોતાની સ્વપાર્જિત મિલકત કોઈ અજાણી વ્યકિતની તરફેણમાં ગિફ્ટ ડીડ અને અન્ય રીતે પણ આપી

તમારી જમીન,તમારી મિલકત >

 નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ)

સંયુક્ત હિન્દુ પરિવારની મિલકતોના ઉત્તરાધિકાર ભાગલા અને વારસો અંગેના ચુકાદા ભારત દેશમાં મહદઅંશે હિન્દુ નાગરિકો છે જેથી તેને લાગુ પડતા હિન્દુ-લોની જોગવાઈમાં જેનો ઉલ્લેખ છે તે મુજબ સંયુક્ત હિન્દુ પરિવારની સંપત્તિના ઉત્તરાધિકાર, ભાગલા અને વારસાઈ અંગેના અસંખ્ય ચુકાદાઓ છે. હિન્દુની મિલકત અંગે ભાગલા, ઉત્તરાધિકાર અને વારસો માટેનો હિન્દુ કાયદો ચોકક્સપણે સ્પષ્ટ અને તથ્યપૂર્ણ છે, પરંતુ દાવાનો કલાત્મક મુસદ્દો અને સંયુક્ત મિલકતનો દાવો જે તેને અસ્પષ્ટ બનાવે છે. ભારતની માનનીય સુપ્રીમ કોર્ટે ઘણી વખત કાયદાની સમક્ષ તથ્યો અનુસાર અર્થઘટન આપ્યું છે, તેવા ચુકાદાઓમાં ભાગલા પછીની ઉત્તરાધિકાર, વારસો અને સંપત્તિની સ્થિતિને સમજવામાં મદદરૂપ થાય છે અને નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદા તે લો ઓફ લેન્ડ ગણાય છે. આ લેખમાં તેમાંથી કેટલાકની ચર્ચા કરવામાં આવી છે. હિન્દુ કાયદામાં પ્રોપર્ટી દ્વારા ભાગ લેવામાં આવેલા હિસ્સાના વિચલનને ખૂબ સારી રીતે સમજાવવામાં આવ્યું છે.

પાર્ટીશન એટલે કે વહેંચણી પર હસ્તગત શેરનું વિચલન :- પાર્ટીશનમાં હેતુ અને અસર કોર્પાસનરીને વિસર્જન કરવાનો છે, પરિણામે, સંયુક્ત કુટુંબની મિલકતની વહેંચણી પછીથી કુટુંબના જુદા જુદા સભ્યો તેમની પોતાની સંપત્તિ તરીકે ધરાવે છે અને દરેક સભ્યનો હિસ્સો તેના મૃત્યુ પર તેના વારસોને સરખે હિસ્સે મળશે. તેમ છતાં, જો કોઈ સભ્ય તેના અન્ય કોર્પાસનર્સથી અલગ થતાં તેના પોતાના પુરુષ સાથે સંયુક્ત રીતે ચાલુ રહે છે, તો તેને ભાગલા પર ફાળવવામાં આવેલા શેર, તેના હાથમાં, પુરુષના સંદર્ભમાં કોર્પાસનરી મિલકતનું હાર્દ પાત્ર જાળવી રાખે છે. સી.એન. અરુલાચલ મુદાલીઆર વિ.સી.એ. મુરુગનાથ મુદાલીઆર (એઆરઆઈ ૧૯૫૩ એસ સી)ના કેસમાં સુપ્રીમ કોર્ટે કેસમાં આ પ્રશ્ને વિચાર્યું કે વિલ હેઠળ કુટુંબના સભ્ય દ્વારા હસ્તગત  કરેલી મિલકતો-સંપત્તિઓ તેના હાથમાં પૂર્વજોની અથવા સ્વસંપાદિત સંપત્તિ તરીકે ગણવામાં આવશે. જ્યાં વાદીએ તેના પિતા અને ભાઈ સામે દાખલ કરેલા દાવામાં મિલકતના ભાગલા પાડવાનો દાવો કર્યો હતો. પિતાની વાત એ એ હતી કે ઘરની મિલકત તેના પિતાની સ્વહસ્તગત સંપત્તિ છે અને તેમણે મિલકત વિલ હેઠળ મેળવેલી છે, જેથી તે સ્વતંત્ર માલિકીની મિલકત ગણાય.
મીતાક્ષર કાયદા દ્વારા સંચાલિત સંયુક્ત હિન્દુ પરિવારના કર્તા પિતા પાસે તેમની સ્વહસ્તગત સ્થાવર મિલકત અંગે સ્વભાગની સંપૂર્ણ અને અનિયંત્રિત શક્તિ છે અને તેમાં કોઈપણ સભ્ય આવા હક્કોમાં કોઈપણ રીતે દાખલ કરી શકશે નહીં. કોર્ટે આ પ્રશ્નની તપાસ કરતાં જણાવ્યું કે પુત્ર તેના પિતાની સ્વહસ્તગત સંપત્તિમાં જે રસ લે છે, તે તેને ભેટ અથવા વસિયતનામા દ્વારા પ્રાપ્ત થયેલી છે, જેથી ધ્યાનમાં લેવામાં આવ્યું હતું કે મીતાક્ષર પિતાને તેની પોતાની હસ્તગત સંપત્તિ અંગે વહીવટ, વ્યવસ્થા કરવાનો સંપૂર્ણ અધિકાર છે, જેમાં કોઈ અપવાદ હોઈ શકે નહીં. તેના પુરુષ વંશ દ્વારા લીધેલી આવી મિલકત વસાહત કરેલી હોય કે પુત્રને ભેટ આપવામાં આવે તે જરૂરી રીતે પૂર્વજોની મિલકત હોવી જરૂરી છે. એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું કે પિતા દ્વારા તેમના પુત્રને ભેટમાં આપવામાં આવેલી સંપત્તિ પૂર્વજની ન બની શકે. હાથમાં રહેલી મિલકતએ હકીકતને કારણે કે તેને તેના પિતા અથવા પૂર્વજ પાસેથી મળી છે.

ગોવિંદભાઈ છોટાભાઈ પટેલ વિગેરે વિરુદ્ધ પટેલ રમણભાઈ મથુરભાઈ (એઆઈઆર ૨૦૧૯ એસસી ૪૮૨૨) માં નક્કી કરવામાં આવ્યું હતું કે : તે વ્યક્તિ જેણે સંપત્તિ ખરીદી હતી, તેથી તે કોઈપણ વ્યક્તિની તરફેણમાં વિલ કરવા માટે સક્ષમ હતી. વિલમાં કોઈ હેતુ ન હોવા પર, લાભકર્તા સ્વ-હસ્તગત સંપત્તિ તરીકે મિલકત હસ્તગત કરશે. પુરાવાનો ભાર મિલકત એકલા પૂર્વજોની મિલકત હોવાનો દાવો કરતા પક્ષકાર પર હતો, જેથી તેઓએ એ સાબિત કરવું હતું કે વિલનો હેતુ પરિવારના હિત માટે સંપત્તિ આપવાનો હતો, જેથી પૂર્વજોની સંપત્તિ તરીકે ગણવામાં આવે. આવી કોઈપણ અવગણનાની ગેરહાજરીમાં અથવા સાબિતી, દાતાના હાથમાં રહેલી મિલકતને સ્વ-હસ્તગત સંપત્તિ તરીકે ગણવામાં આવે છે. એકવાર દાતાના હાથમાં રહેલી મિલકત સ્વ-હસ્તગત સંપત્તિ હોવાનું માની લેવામાં આવે તો તે પોતાની સંપત્તિ સાથે તે રીતે વ્યવહાર કરવા માટે સક્ષમ છે. બીજા શબ્દના અર્થમાં જોઈએ તો વ્યકિત પોતાની સ્વપાર્જિત મિલકત કોઈ અજાણી વ્યકિતની તરફેણમાં ગિફ્ટ ડીડ અને અન્ય રીતે પણ આપી શકે. આશનૂરસિંહ વિ. હરપાલ કૌર (એઆઈઆર ૨૦૧૯ એસસી ૩૦૯૮) નકકી કરવામાં આવ્યું

આવ્યું હતું કે તે મીતાક્ષર કાયદા હેઠળનો નિયમ છે કે જયારે પણ કોઈ પુરુષ પૂર્વજો તેના પૈતૃક પૂર્વજોની કોઈપણ મિલકત તેની ઉપર ત્રણ પેઢી સુધીનો વારસો મેળવે છે, એટલે કે તેના પુરુષ કાયદાકીય વારસો ત્રણ પેઢી (દાદા, પિતા અને પુત્ર)સુધીનો અધિકાર મેળવશે, કારણ કે તે મિલકતમાં હક્ક ”કોર્પાસનર્સ” તરીકેનો એટલે કે ”સમાંશિત સભ્ય” તરીકે લાગુ પડશે. ઉત્તરાધિકારના કિસ્સા જે હિન્દુ સક્સેસન એક્ટ ૧૯૫૬ પહેલાં નક્કી કરવામાં આવ્યા હતા, તે કાયદો સ્થાયી થયો હતો કે કર્તાને કોર્પાસેનરી મિલકત વેચવાનો હક્ક અમુક પ્રતિબંધોને આધિન છે. પરંતુ તેવું વેચાણ કાનૂની આવશ્યકતા (લીગલ નેસેસિટી) માટે હોવું જોઈએ અથવા બેનિફિટ ઓફ એસ્ટેટના લાભ માટે હોવું જોઈએ. કાનૂની આવશ્ક્યતાના અસ્તિત્વની સ્થાપના માટેની જવાબદારી વેચાણ કે ટ્રાન્સફર કરનાર પર છે.

શ્રી શ્યામ નારાયણ પ્રસાદ વિરુદ્ધ ક્રિશ્ના પ્રસાદ વિગેરે (એઆઈઆર ૨૦૧૮ એસસી ૩૧૫૨)માં નક્કી કરવામાં આવ્યું હતું કે હિન્દુ પુરુષ દ્વારા તેના પિતા, પિતાના પિતા અથવા પિતાના પિતાના પિતાની વારસામાં મેળવેલી સંપત્તિ પિતૃક સંપત્તિ છે. મીતાક્ષર કાયદા અનુસાર પુત્રો, પૌત્રો અને પૌત્ર પૌત્ર સંપત્તિની આવશ્યક વિશેષતા છે. જે વ્યકિત તેને વારસામાં પ્રાપ્ત કરે છે, તેના જન્મની ક્ષણે આ પ્રકારની મિલકત સાથે તેના હક્ક પ્રાપ્ત કરે છે. પૂર્વજોની સંપત્તિના ભાગ પર કોર્પાસનર જે શેર મેળવે છે તે તેના પુરુષ મુદ્દાને ઘ્યાનમાં રાખી તે પિતૃક સંપત્તિ છે. ભાગલા પછી, સંપત્તિ પુત્રના સાથે પૂર્વજ સંપત્તિ તરીકે ચાલુ રહેશે અને તે પુત્રનો પ્રાકૃતિક અથવા દત્તક પુત્ર તેના હક્કદાર છે.વિજય એ મિત્તલ વિરુદ્ધ કુલવંત રાય(મૃત) ના વારસદારો (૨૦૧૯) ૩ એસસીસી ૫૨૦માં નક્કી કરવામાં આવેલ હતું કે, કાયદો નિશ્ચિત થયો છે કે હિન્દુ સંયુક્ત કુટુંબના કર્તાની સંપત્તિ વેચવાનો હક્ક અને અધિકાર અમુક પ્રતિબંધોને આધિન છે. જેમ કે વેચાણ કાનૂની આવશ્યકતા માટે અથવા એસ્ટેટના લાભ માટે હોવું જોઈએ.

નોંધ:-(જમીન-મિલક્ત માટેના લેખોના સંદર્ભે વાચકોના કોઈ સૂચન કે પ્રશ્નો હોય તો ‹નવગુજરાત સમય› ના નવા સરનામે (૧૦૧, પહેલો માળ, ઓમ શાયોના આર્કેડ, સિલ્વર ઓક કોલેજ પાસે, ગોતા,અમદાવાદ-૩૮૨૪૮૧) લેખિત રૂપે મોકલવા અથવા લેખકને ઈ-મેઈલ કરવા)


FOR LATEST UPDATES FOLLOW ME

જાહેર હરાજીથી મળતી મિલકત ઉપર સરકારના અન્ય નિયંત્રણો લાગુ પડતા નથી

 

હરાજીમાં મેળવેલ મિલકતના માર્કેટેબલ ટાઈટલ અંગે સુપ્રિમકોર્ટનો મહત્વનો ચુકાદો

- બેંકોના લ્હેણા પેટે ટાંચમાં મૂકેલ મિલકતોની

લોકાભિમુખ માર્ગદર્શન  એચ.એસ.પટેલ IAS (નિ.)

જાહેર હરાજીથી મેળવેલ મિલકતના ટાઈટલ અંગે અનેક પ્રશ્નો થતા હોય છે. જાહેર હરાજી કરવાની જોગવાઈઓ પણ જુદા જુદા કાયદામાં જુદા પરિપ્રેક્ષ્યમાં પણ હોય છે. દા.ત. સરકારી જમીનનો કે મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની જમીનોની જાહેર હરાજી થાય ત્યારે ટાઈટલ સ્વાભાવિક રીતે clear હોય છે. પરંતુ બેંકોના લ્હેણા પેટે / જામીનગીરી આપનારની મિલકતો, જમીન મહેસૂલ બાકી તરીકે વસુલ કરવાના ભાગરૂપે થતી હરાજી જુદી જુદી નાણાંકીય સંસ્થાઓ તેમજ અન્ય કાનુની સત્તામંડળોના (Enforcement Agencies) ધિરાણ જે કાયદાકીય secured હોય તે વસુલ ન થાય ત્યારે ટાંચમાં (Attached) લેવામાં આવે અને હરાજી કરવામાં આવે ત્યારે જમીન / મિલકતના ટાઈટલના પ્રશ્નો ઊભા થતા હોય છે. વિશેષમાં બેંકોના ધિરાણ અને વસુલાતની પ્રક્રિયામાં ધિરાણ લેનાર ઉપરાંત Securityના ભાગરૂપે જામીનદાર અને જે મિલકતો ગીરો મૂકવામાં આવેલ હોય તે સંલગ્ન પક્ષકારો હોય છે એટલે વાંચકો તરફથી આવા પ્રકારના પ્રશ્નોની પૃચ્છા કરવાનો વ્યાપ વધતો જાય છે એટલે આ અંગે પણ બહોળા જનસમુદાયને જાણકારી મળે તે માટે આ બાબતમાં સુપ્રિમ કોર્ટ દ્વારા વર્ષ ૨૦૧૪માં આપવામાં આવેલ ચુકાદા સાથે આલેખન કરવામાં આવે છે. જેથી ટાંચમાં લીધેલ મિલકતની હરાજીમાં મેળવનારને clear and marketable title પ્રાપ્ત થાય છે જેની સ્પષ્ટતા થાય છે.

પાયાના સિદ્ધાંંત તરીકે જાહેર હરાજી કરવામાં પારદર્શકતા જળવાય અને Discovery of market price ના ભાગરૂપે Bidding process કરવામાં આવે છે અને જેમાં સૌથી ઊંચી બોલી બોલનારને હરાજીની પ્રક્રિયાના ભાગરૂપે સક્ષમ સત્તાધીકારી દ્વારા મંજૂર કરવામાં આવે છે. આમ તો મિલકતોની તબદીલીને નિયમન કરતો કાયદો મિલકત તબદીલી અઘિનિયમ-૧૮૮૨ છે. જેમાં જુદા જુદા વ્યવહારોના માધ્યમથી દા.ત. વેચાણ, બક્ષીસ, ગીરો વિગેરેથી મિલકતની તબદીલી થાય છે. બેંકો તેમજ અન્ય નાણાંકીય સંસ્થાઓ દ્વારા જે ધિરાણ કરવામાં આવે તેમાં સમયસર વસુલાત ન થાય તો મિલકતો ટાંચમાં લઈ હરાજી કરવામાં આવે તેના ટાઈટલ સબંધી નામદાર સુપ્રિમકોર્ટનો તા.૮-૧-૨૦૧૪ સિવિલ અપીલ નં.૧૬૧-૧૬૨/૨૦૧૪નો ચુકાદો, ન્યાયમૂર્તિ, એ. કે. પટનાયક અને જગદીશશીઘ કહેર દ્વારા સદાશિવ પ્રસાદ શિંઘ વિરૂદ્ધ હરેન્દ્ર સિંઘ અને બીજાઓમાં મહત્વપૂર્ણ ચુકાદાની હકિક્ત એવી છે કે અલ્હાબાદ બેંકે તા.૧૧-૯-૧૯૮૯ના રોજ મેસર્સ અમર ટીંબર વર્કસને ૧૨.૭૦ લાખની લોન ભાગીદારી પેઢીને આપવામાં આવેલ, જે સમય મર્યાદામાં વસુલ ન આવતાં, કાયદાકીય જોગવાઈ પ્રમાણે ડી.આર.ટી. દ્વારા (Debt Recovery Tribunal) વસુલાતની કાર્યવાહી શરૂ કરી હતી. આ દરમ્યાન અંબર ટીમ્બર વર્કસના ભાગીદારો પૈકી જગમોહન સિંઘ વસુલાતની કાર્યવાહી દરમ્યાન મૃત્યુ પામ્યા હતા અને પટણામાં ટાંચમાં લીધેલ પ્લોટ તેઓની માલિકીનો હતો અને જગમોહન સિંઘના ભાઈ હરેન્દ્ર સિંઘે વસુલાત અધિકારી સમક્ષ વાંધા અરજી દાખલ કરી હતી અને તેઓનો આક્ષેપ હતો કે, ટાંચમાં લેવાયેલ મિલકત દેણદારોની માલિકીની ન હતી, પરંતુ તેમના દ્વારા તેમના ભાઈ જગમોહન સિંઘ પાસેથી ખરીદવામાં આવી હતી, પરંતુ તે અંગેનું સાટાખત હતું, રજીસ્ટર્ડ દસ્તાવેજ નોંધાયેલ ન હતો એટલે કે કાયદાકીય પીઠબળ હતું નહી એટલે વસુલાત અધિકારી સમક્ષ ત્યારબાદની કાર્યવાહી દરમ્યાન તેઓના દાવા / હક્ક અંગે તેઓ ગંભીર ન હતા. આ કેસમાં ફક્ત બે મુખ્ય પક્ષકારો હતા. અલ્હાબાદ બેંક તરફે ઋણ વસુલી ટ્રીબ્યુનલના (DRT) વસુલાત અધિકારી દ્વારા હરાજીની કાર્યવાહી કરવામાં આવી અને તે મુજબ ઊંચી બોલી બોલનાર (Highest Bidder) શ્રી સદાશીવ પ્રસાદ સિંઘની તરફેણમાં તા.૨૮-૮-૨૦૦૮ના રોજ વેચાણ જાહેર કરવામાં આવેલ અને સવાલવાળી જમીનનો કબજો હરાજીથી ખરીદનારને તા.૧૧-૩-૨૦૦૯ના રોજ સુપ્રત કરવામાં આવ્યો હતો. 

આ કેસમાં વસુલાત અધિકારીના (DRT) નિર્ણયને પટણા હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો અને હાઈકોર્ટ દ્વારા હરાજીથી ખરીદનાર સદાશીવ પ્રસાદને પક્ષકાર તરીકે હાઈકોર્ટ દ્વારા જોડવામાં આવ્યા હતા. અપીલકર્તાએ હાઈકોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે અમર ટીમ્બર વર્કસ એ ભાગીદારી પેઢી છે અને ભાગીદાર પૈકી એક ભાગીદારની મિલકતને ટાંચમાં લઈ હરાજી કરી શકાય નહીં. નામદાર હાઈકોર્ટે તમામ પાસાંઓ ચકાસીને વેચાણ / હરાજીની કાર્યવાહી જે તબક્કે પહોંચેલ છે તે જોતાં યોગ્ય સમયે પડકારવામાં આવેલ નથી તેમજ પક્ષકાર પાસે તે અંગેના કોઈ સંતોષકારક ખુલાસા રજૂ થયા નથી અને જેને કોર્ટે અવલોકન કરેલ કે અરજદારની વર્તણૂંકને કારણે તેમની તરફેણમાં કોઈપણ પ્રકારના હુકમો કરતાં અટકાવેલ છે તેમજ પ્રતિબંધિત કરેલ છે અને જેથી હાઈકોર્ટ રીટ અરજીમાં કોઈ ગુણદોષ ન હોવાથી રીટ રદ કરવામાં આવેલ. આ હુકમથી નારાજ થઈ પક્ષકારે LPA લેટર્સ પેટન્ટ અપીલ કરવામાં આવી. જેમાં પક્ષકારે લોન લીધેલ હોવાનું કબુલ કરેલ, પરંતુ હરાજીમાં બોલેલ રકમ અને વસુલ કરવાપાત્ર રકમ અંગે કોર્ટ દ્વારા વિસંગતતા ધ્યાનમાં આવતાં, નાણાં વસુલી અધિનિયમ તેમજ સમન્યાયિતા અને અન્ય બાબતો ચકાસીને હરાજીમાં ખરીદનાર વ્યક્તિને વ્યાજ સહિત રૂ. ૧૭ લાખ પરત આપવા અને લ્હેણદારોને હપ્તા કરી આપવાનો હુકમ LPAમાં કરવામાં આવેલ અને પુરેપુરી રકમ હરાજીમાં ખરીદનારને ચૂકવાયા બાદ વસુલાત અધિકારીએ કબજો પરત ચૂકવવાનો હુકમ કરવામા આવેલ, આમ LPAમાં સીંગલ જ્ડજનો હુકમ રદ કરવામાં આવેલ.

    પટણા હાઈકોર્ટના બંને ચુકાદાઓને એટલે કે LPAને સુપ્રિમ કોર્ટમાં હરાજીથી રાખનાર પક્ષકાર સદાશિવ પ્રસાદ સિંઘ દ્વારા પડકારવામાં આવ્યો અને સુપ્રિમ કોર્ટે શકવર્તી ચુકાદો આપી, પટણા હાઈકોર્ટનો LPAમાં આપવામાં આવેલ ચુકાદો રદ (Set aside) કરવામાં આવ્યો અને નોંધવામાં આવ્યું કે LPAમાં બેંક અને ર્ંધીરાણ લેનાર વ્યક્તિઓ વચ્ચેના પ્રસ્તાવો અને પ્રતિ પ્રસ્તાવો (Claims and Counterclaim) આધારિત બાબતો રજૂ થઈ હતી. જ્યારે હરાજીથી ખરીદનાર યોગ્ય રીતે જાહેર કરાયેલ હરાજીના અનુસંધાનમાં મૂલ્ય માટે શુદ્ધબુદ્ધિથી ખરીદનાર હોઈ (Bonafide Purchaser) ત્યારે હાઈકોર્ટ દ્વારા સમન્યાયના સિદ્ધાંત ઉપર નિર્ણય લેવાપાત્ર ન હતો. આમ હરાજીથી મિલકત રાખનાર અપીલકર્તાના હક્કને બહાલી આપવામાં આવી. આ કેસની વિગતો આમ જનતા માટે જણાવવી એટલા માટે જરૂરી હતી કે જાહેર હરાજીમાં રાખનાર વ્યક્તિનો હક્ક સબંધી કોઈપણ પ્રકારના બોજા વગર માર્કેટેબલ ટાઈટલથી પ્રાપ્ત થાય છે. 

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...