1.22.2023

દીવાની કાર્યવાહી પડતર હોવાનું કારણ આપી અશાંતધારા હેઠળ મિલકત તબદીલ કરવાની પરવાનગીનો ઇનકાર થઈ શકે નહીં.

 દીવાની કાર્યવાહી પડતર હોવાનું કારણ આપી અશાંતધારા હેઠળ મિલકત તબદીલ કરવાની પરવાનગીનો ઇનકાર થઈ શકે નહીં.

કલેક્ટર સમક્ષ પૂર્વપરવાનગી મેળવવા અંગે અરજી કરવાની હોય છે•

 તા. 28/11/2018ના રોજ હુકમ કરી તેવો સિદ્ધાંત પ્રસ્થાપિત કરેલ છે

પૂર્વપરવાનગી મેળવવાની કાર્યરીતિ કથિત જોગવાઈમાં નિર્દિષ્ટ કરવામાં આવી

રાજ્યમાં જાહેર થયેલ અશાંત વિસ્તારો માની સ્થાવર મિલકતોની તબદીલી ઉપર પ્રતિબંધ મૂકવા અને અશાંત વિસ્તારમાંથી ભાડવાતોને ખાલી કરાવવા સામે રક્ષણ આપવા માટે અશાંત ધારામાં જોગવાઇ કરવામાં આવેલ છે. કોઈ વ્યક્તિ જ્યારે અશાંત વિસ્તારમાં આવેલ સ્થાવર મિલકતની તબદીલી કરવા ઇચ્છુક હોય ત્યારે, તેણે કલેક્ટર સમક્ષ પૂર્વપરવાનગી મેળવવા અંગે અરજી કરવાની હોય છે અને તેવી અરજીના અનુસંધાને સમક્ષ અધિકારી દ્વારા મુંબઈ જમીન મહેસૂલ સંહિતા વડે નિર્દિષ્ટ પદ્ધતિમાં ઔપચારિક તપાસ કરી અને અરજદારને સુનાવણીની તક આપ્યા બાદ તેમજ અધિકારી સમક્ષ રજૂ કરવામાં આવેલ પુરાવાને ધ્યાને લીધા બાદ તેઓએ એ બાબતનો નિર્ણય કરવાનો હોય છે કે, શું સ્થાવર મિલકતની તબદીલીનો પ્રસ્તાવ તબદીલ કરવાનો ઇરાદો રાખનાર યાને માલિક તેમજ તબદીલીથી લેનાર વ્યક્તિઓ યાને ખરીદનાર વ્યક્તિ દ્વારા મુક્ત સંમતિથી આપવામાં આવ્યો છે કે કેમ તેમજ જેને તબદીલ કરવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે તે, સ્થાવર મિલકતની વાજબી કિંમત બદલ છે કે કેમ.

માત્ર ઉપરોક્ત મુદ્દાઓની ચકાસણી/તપાસ કરીને અશાંત વિસ્તારમાં આવેલ સ્થાવર મિલકતની વેચાણ/તબદીલી અંગેની પરવાનગી આપવાની જોગવાઈ અશાંતધારા કાયદામાં કરવામાં આવેલ છે. આમ છતાં ઘણાં કિસ્સાઓમાં સક્ષમ મહેસૂલી કચેરી દ્વારા અશાંતધારા વિસ્તારમાં આવેલ જે તે સ્થાવર મિલકત અંગે વેચાણની પરવાનગી માંગવામાં આવે ત્યારે ઘણાં કિસ્સાઓમાં તેવી મિલકતો અંગે સિવિલ/દીવાની દાવાઓ પેન્ડિંગ હોવાની યા અન્ય ટાઇટલ બાબતેના પ્રશ્નોના કારણે પણ તબદીલી અંગેની પરવાનગીઓનો મહેસૂલી કચેરી દ્વારા ઇનકાર કરવામાં આવતા હોવાના ઘણાં કિસ્સાઓ બનતા આવેલા છે જેના કારણે સામાન્ય લોકોને પોતાની મિલકત વેચાણ કરવાના કિસ્સામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

પરંતુ દીવાની કાર્યવાહી પડતર હોવાનું કારણ આપી અશાંતધારા હેઠળ મિલકત તબદીલ કરવાની પરવાનગીનો ઇનકાર થઈ શકે નહીં. તેવો સિદ્ધાંત નામદાર ગુજરાત હાઇકોર્ટે અલી એન્ટરપ્રાઇઝ વિરુદ્ધ સ્ટેટ ઓફ ગુજરાત, સિવિલ એપ્લિકેશન નં. 6380/2018ના કામે તા. 28/11/2018ના રોજ હુકમ કરી તેવો સિદ્ધાંત પ્રસ્થાપિત કરેલ છે.

આ કેસમાં અરજદારોએ વર્ષ-2013માં પ્રશ્નવાળી મિલકત ખરીદી હતી અને તે સમયે, સક્ષમ અધિકારી 'ગુજરાત અશાંત વિસ્તારોમાં સ્થાવર મિલકતની તબદીલી ઉપર પ્રતિબંધ અને ભાડાની જગ્યામાંથી ભાડવાતોને દૂર કરવાથી સુરક્ષિત કરવાની જોગવાઈ અધિનિયમ, 1986' યાને 1986ના અધિનિયમની કલમ-5 હેઠળ પરવાનગી મેળવવામાં આવી હતી. કથિત પરવાનગી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પડતર એવી સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નં. 1226/2011ના પરિણામને આધીન મંજૂર કરવામાં આવેલી. ત્યારબાદ અરજદારો પ્રશ્નવાળી મિલકતનું ફરી વેચાણ કરવા ઇચ્છુક હોવાથી કરીથી અશાંતધારા હેઠળ પરવાનગી માંગવામાં આવી ત્યારે, તેઓએ એવા આધાર ઉપર તે પરવાનગીનો ઇનકાર કર્યો કે, સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નં. 1226/2011 હાઇકોર્ટ સમક્ષ પડતર હોવાથી જ્યાં સુધી કથિત અરજીનો નિકાલ ન થાય ત્યાં સુધી પરવાનગી મંજૂર કરી શકાય નહીં તેમ ઠરાવી અશાંતધારા હેઠળની વેચાણની પરવાનગી માંગતી અરજી રદ કરવામાં આવેલ. જેને આ કેસમાં નામદાર હાઇકોર્ટે ભૂલ ભરેલો હુકમ ઠરાવી રદ જાહેર કરેલ છે અને ઠરાવેલ કે, કોઈ વ્યક્તિ જ્યારે અશાંત વિસ્તારમાં આવેલ સ્થાવર મિલકતની તબદીલી કરવા ઇચ્છુક હોય ત્યારે, પૂર્વપરવાનગી મેળવવાની કાર્યરીતિ કથિત જોગવાઈમાં નિર્દિષ્ટ કરવામાં આવી છે. 1986ના અધિનિયમની કલમ-5 (3) (બી)માં વધુમાં જણાવવામાં આવેલ છે કે, સંબંધિત વ્યક્તિ પાસેથી અરજી મળવા ઉપર કલેક્ટરે મુંબઇ જમીન મહેસૂલ સંહિતા વડે

નિર્દિષ્ટ પદ્ધતિમાં ઔપચારિક તપાસ યોજવી જોઈશે અને સંબંધિત અરજદારને સુનાવણીની તક આપ્યા બાદ તેમજ તેમની સમક્ષ રજૂ કરવામાં આવેલ પુરાવાને ધ્યાને લીધા બાદ તેઓએ એ બાબતનો નિર્ણય કરવો જોઇશે કે, શું સ્થાવર મિલકતની તબદીલીનો પ્રસ્તાવ તબદીલ કરવાનો ઇરાદો રાખનાર તેમજ તબદીલીથી લેનાર વ્યક્તિઓ દ્વારા મુક્ત સંમતિથી આપવામાં આવ્યો છે કે કેમ તેમજ જેને તબદીલ કરવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે તે, સ્થાવર મિલકતની વાજબી કિંમત બદલ છે કે કેમ.

એ નોંધવું જરૂરી છે કે, સંબંધિત સત્તાધિકારીએ એ બાબત તપાસવી જરૂરી છે કે, શું વેચાણે આપનારે કથિત મિલકતની તબદીલી માટે મુક્ત સંમતિ આપેલ છે કે નહીં તેમજ સ્થાવર મિલકતની વાજબી કિંમતનો ઉલ્લેખ તબદીલી ખતમાં કરવામાં આવેલ છે કે નહીં ? માત્ર દીવાની કાર્યવાહી પડતર હોવાનું કારણ આપી અશાંતધારા હેઠળ મિલકત તબદીલ કરવાની પરવાનગીનો ઇનકાર થઈ શકે નહીં.

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...