7.04.2022

સૌરાષ્ટ્ર રાજ્યના જમીન સુધારા કાયદાઓ ખેડૂતોના હિતકારી અને લોકભોગ્ય

 

સૌરાષ્ટ્ર રાજ્યના જમીન સુધારા કાયદાઓ ખેડૂતોના હિતકારી અને લોકભોગ્ય

- લોકાભિમુખ માર્ગદર્શન : એચ.એસ. પટેલ IAS (નિ.)

- સૌરાષ્ટ્ર અઘાટ હક્ક અને ઈજારા નાબૂદી અધિનિયમ ૧૯૫૯ અન્વયે મહેસૂલ વિભાગનું સ્પષ્ટીકરણ

ગતાંકથી ચાલુ ...

લોકાભિમુખ કોલમના માધ્યમથી વાંચકોને જુદા જુદા જમીનના સત્તા પ્રકાર અને તે સત્તા પ્રકારો નાબુદ કરવાના જુદા જુદા કાયદાઓ અંગે મહેસૂલ વિભાગે તા.૨૭-૫-૨૦૨૨ના ઠરાવ / પરિપત્રોથી સ્પષ્ટીકરણ કર્યું છે તે વ્યાપક સ્વરૂપે લોકોને ઉપયોગી હોઈ આપણે, શ્રેણી સ્વરૂપે સત્તા પ્રકાર નાબુદી અંગે મહેસૂલી તંત્રમાં અર્થઘટન અંગે તેમજ લોકોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં લેતાં મહેસૂલ વિભાગે સ્પષ્ટીકરણ કર્યા છે તે અંતર્ગત જે તે સમયના મુંબઈ રાજ્યના વિસ્તારમાં ૧૯૫૬ થી સૌરાષ્ટ્ર જે અલગ રાજ્ય હતું તે મુંબઈ રાજ્યમાં ભળતાં સૌરાષ્ટ્ર એરીયા માટે અઘાટ ટેન્યોર તેમજ ઈજારા નાબુદી ધારો ૧૯૫૯ ઘડવામાં આવેલ. મારા મહેસૂલી કામગીરીનો પ્રાન્ત અધિકારી પાલનપુર અને સુરતનો કાર્યકાળ તેમજ કલેક્ટર રાજકોટ તરીકેની ફરજ દરમ્યાન એ નોંધપાત્ર બાબત ધ્યાનમાં આવી કે મુંબઈ રાજ્યના ગુજરાત વિસ્તારમાં અને આઝાદી બાદ નવીન રચાયેલ સૌરાષ્ટ્ર રાજ્યના જમીન મહેસૂલને અને ખાસ કરીને જમીન સુધારાને લગતા કાયદા જુદા હતા. મુંબઈ રાજ્યના ગુજરાતના વિસ્તારમાં મુંબઈ ખેતીની જમીનને લગતો ગણોત કાયદો - ૧૯૪૮, ખેતીની જમીનને લગતો ટોચ મર્યાદા કાયદો લાગુ હતો, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ અનુક્રમે ૧૯૫૬ સુધી બી અને સી કેટેગરીના સ્ટેટ હતાં જેમાં સૌરાષ્ટ્રમાં, સૌરાષ્ટ્ર લેન્ડ રી ફોર્મસ એક્ટ, બારખલી નાબુદી અધિનિયમ, સૌરાષ્ટ્ર ઘરખેડ અને એસ્ટેટ એકવીઝન એક્ટ અમલમાં હતા અને આજે પણ છે. જ્યારે કચ્છમાં કચ્છ વિદર્ભ કાયદો અમલમાં છે. સૌરાષ્ટ્રના પ્રગતિશીલ જમીન સુધારા કાયદા ઘડવાનો અને અમલીકરણ કરવાનો યશ તાત્કાલીન મુખ્યમંત્રી ઉચ્છંગરાય ઢેબરને જાય છે અને તેઓની અદ્દભુત કોઠા સુઝ અને જમીનની હકિક્તથી વાકેફ હોવાના કારણે સૌરાષ્ટ્રના ૨૨૨ રજવાડા હતા અને સામાજિક, આર્થિક સ્થિતિ, વિપરીત હોવા છતાં, ખેડુત કબજેદારોને ખૂબ જ ઝડપથી કબજેદાર માલિક બનાવ્યા અને જે તે સમયે સૌરાષ્ટ્રના જમીન સુધારા કાયદાઓની સમગ્ર દેશે નોંધ લીધેલ કારણ કે કાયદાના અર્થઘટનમાં કોઈ વિસંગતતા નહી, ખુબ જ સરળ (Simplified) અને ગુજરાતના પ્રદેશમાં ગણોતીયાના હક્કો અને તેને ઠરાવવા બાબતમાં પ્રક્રિયાને કારણે અમલીકરણમાં વર્ષો ગયા અને અર્થઘટનની બાબતમાં આજે પણ કેસો / પ્રકરણો ચાલે છે. આ પુર્વ ભુમિકા વાંચકોને આપવી એટલા માટે જરૂરી છે કે હાલ સૌરાષ્ટ્ર પણ ગુજરાતનો ભાગ હોવા છતાં - ૧૯૫૬માં મુંબઈ રાજ્યમાં ભળ્યું અને ત્યારબાદ ગુજરાત રાજ્યની ૧૯૬૦માં રચના થઈ પરંતુ આજે પણ સૌરાષ્ટ્ર વિસ્તારમાં અને કચ્છમાં જે તે સમયે જે કાયદાઓ ઘડવામાં આવેલ તે અમલમાં છે. ફક્ત જમીન મહેસૂલ અધિનિયમ સમાન પ્રકારે લાગુ પડે છે.

હવે સૌરાષ્ટ્ર વિસ્તારમાં પ્રવર્તતા અઘાટ ટેન્યોર અને ઈજારા નાબુદીના વિષય ઉપર ચર્ચા કરીએ તો ઘણા સામાન્ય લોકો 'અઘાટ' જે મહેસૂલી તંત્રની પરિભાષાનો શબ્દ છે. તે સમજતા ન હોય તેઓની જાણકારી માટે 'અઘાટ' એટલે કે કોઈપણ પ્રકારના સરકારી નિયંત્રણો વગરની જમીન અને ખાસ કરીને નવી અને અવિભાજ્ય કે પ્રતિબંધિત શરતો સિવાયની જમીન કે જેમાં કલેક્ટરની પરવાનગી સિવાય જમીન તબદીલ / વેચાણ થઈ શકે તેને 'અઘાટ' જમીન તરીકે ઓળખવામાં આવે છે અને એટલે જ ઉપર જે પુર્વ ભુમિકા આપવામાં આવી તે મુજબ સૌરાષ્ટ્રના કાયદાઓના અમલીકરણમાં સરકારે જમીન આપી હોય કે ખેત જમીન ટોચમર્યાદા, ભુદાન, સિવાયની કોઈપણ કબજેદારને કાયમી હક્ક આપ્યા તે જમીનો ઉપર નિયંત્રણ નથી એટલે બાકીની તમામ જમીનો અઘાટ એટલે કે જૂની શરતની છે એટલે મુંબઈ અઘાટ ટેન્યોર અને ઈજારા એબોલીશન કાયદામાં મોટા ભાગની જમીનો જૂની શરતમાં ગણવામાં આવી છે અને તે મુજબ ૧૯૫૯ના કાયદાની કલમ-૫ મુજબ જે અઘાટ ધારણ કરનારના કબજામાં હશે તો આવા અઘાટ ધારણ કરનારના હક્કો જૂની શરતના ગણાશે એ જ રીતે અઘાટ ધારણ કરનારની જમીનમાં ગણોતીયા સિવાયની કોઈ વ્યક્તિ કબજાહક્ક ધરાવતું હોય તો તે જૂની શરતે ધારણ કરશે અને જો આવી જમીન ગણોતીયાના કબજામાં હશે અને ગણોતીયાએ ઠરાવેલ મુદ્દતમાં નિયત દિવસના (Appointed Day) તુરતના અગાઉના ૧ વર્ષ માટેનું ચુકવેલ અથવા ચુકવવાપાત્ર ભાડાની ૧૨ ગણી કબજા કિંમત અઘાટ હોલ્ડરને ભરીને પ્રાપ્ત કરેલા કબજા જૂની શરતના ગણાશે અને જો આવી નિયત રકમ એક વર્ષમાં વસુલ ન આવે તો ગણોતીયો સરકારી જમીનનો અનઅધિકૃત કબજો ગણીને જમીન ઉપરથી સંક્ષિપ્ત રીતે (Summarily Evicted) દૂર કરવામાં આવશે. આમ જેમ ઉપર દર્શાવ્યું તેમ અઘાટ ટેન્યોર હેઠળની તમામ જમીનો જૂની શરતની ગણાશે.

આજ રીતે ઈજારા જમીનોના કબજાહક્ક બાબતમાં કલમ-૬ પ્રમાણે ઘરખેડમાં ધારણ કરનારા ઈજારદારની ઈજારા જમીનો જૂની શરતની ગણાશે. જો આવી જમીનો ગણોતીયાના કબજામાં હોય તો ઈજારદારને આકારની છ ગણી કબજાહક્કની રકમ ભરીને જમીન જૂની શરતની ગણાશે. આવી રીતે અન્ય કિસ્સાઓમાં પણ આકારની ૩ ગણી જેટલી કબજા કિંમત ઈજારદારને ભરીને મેળવેલા હક્ક જૂની શરતના ગણાશે. ઈજારાની જમીનમાં ગણોતીયો હોય તો તેણે કબજાહક્કની રકમ એક વર્ષમાં કલેક્ટરને ડિપોઝીટ તરીકે ભરપાઈ કરવાની છે અને જો તે ભરપાઈ ન કરે તો જમીન મહેસૂલ બાકી તરીકે વસુલ કરવાની છે અને જો આવી જમીન ઉપર બિન અધિકૃત કબજો ચાલુ હોય તો ગણોતીયાને જમીન ઉપરથી સંક્ષિપ્ત રીતે દૂર કરવાનો થાય છે.

આ કાયદાની કલમ-૮ પ્રમાણે ઈજારા તેમજ અઘાટ હક્ક સિવાયની જમીનમાં જે શરતોએ જમીન આપી હોય તે સિવાય જમીન મહેસૂલ અધિનિયમની જોગવાઈ લાગુ પડે છે અને તે હેઠળ નિકાલ કરેલ જમીનને નવી અને અવિભાજ્ય શરતે ગણવાની છે. આ સિવાય જો જમીનના ૭/૧૨માં ચોક્કસ શરત દર્શાવવામાં ભુલ હોય તો મૂળ જમીન મહેસૂલ રેકર્ડની નોંધો તેમજ અન્ય બાબતો તપાસી કલેક્ટરે કાર્યવાહી કરવાની છે. 

આ ઉપરાંત આ નાબુદી કાયદા અન્વયે જો કોઈ કેસો ચાલતા હોય અથવા આવી જમીનના હેતુ ફેરના કિસ્સામાં મહેસૂલ વિભાગના તા.૨૭-૫-૨૦૨૨ના ઠરાવમાં કરેલ સ્પષ્ટીકરણ મુજબ કાર્યવાહી કરવાની છે. આ કાયદા હેઠળ મહદ્દ અંશે જોયુ તેમ અઘાટ કે ઈજારા હેઠળની જમીનો મોટા ભાગે જૂની શરતની ગણવાની છે એટલે મહેસૂલી અધિકારીઓ યોગ્ય પરિપ્રેક્ષ્યમાં પ્રજાહિતમાં અર્થઘટન કરે તે જરૂરી છે.

સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં ઉપલબ્ધ ભૌતિક સ્વરૂપના રેકર્ડ (Index-2 વોલ્યુમ) ગરવી વેબ એપ્લિકેશન મારફતે લોકોને ઘેરબેઠા ઉપલબ્ધ થશે

 ખાતેદારો હવે જાતે વારસાઇની નોંધ ઓનલાઇન દાખલ કરી શકશે


મહેસૂલ વિભાગના પગલાંનું પરિણામ: I-ORA પ્લેટફોર્મ પર વિવિધ મહેસૂલી સેવાઓ ઓનલાઇન ઉપલબ્ધ# સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં ઉપલબ્ધ ભૌતિક સ્વરૂપના રેકર્ડ (Index-2 વોલ્યુમ) ગરવી વેબ એપ્લિકેશન મારફતે લોકોને ઘેરબેઠા ઉપલબ્ધ થશે

સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં ઉપલબ્ધ ભૌતિક સ્વરૂપના રેકર્ડ (Index-2 વોલ્યુમ) ગરવી વેબ એપ્લિકેશન મારફતે લોકોને ઘેરબેઠા ઉપલબ્ધ થશે


ગુજરાતના મહેસૂલ વિભાગે છેલ્લા કેટલાક સમયમાં ખૂબ મોટા નિર્ણયો લઈને ઓનલાઈન સેવાઓ ઉપલબ્ધ કરાવી છે. જેમાં એક i-ORA પ્લેટફોર્મ અત્યંત નોંધનીય છે. જેના દ્વારા વિવિધ જનહિત લક્ષી મહેસૂલી સેવાઓ ઓનલાઇન ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેના કારણે હવે ખાતેદાર પોતે વારસાઇની નોંધ ઓનલાઇન દાખલ કરાવી શકશે. તે સુવિધા પણ i-ORA પર ઉપલબ્ધ છે. ઇન્ટિગ્રેટેડ રેવન્યૂ કેસ મેનેજમેન્ટ સિસ્ટમ (iRCMS) દ્વારા રાજયભરની મહેસૂલ કચેરીઓમાં ચાલતા મહેસૂલી કેસોનું પણ ડિજિટલાઇઝેશન કરાયું છે. આ ઉપરાંત (૧) નોંધણી ફી (૨) સ્ટેમ્પ ડ્યૂટીની ઓનલાઇન ગણતરી (૩) ફરજિયાત ઓનલાઇન એપોઇન્ટમેન્ટ (૪) દસ્તાવેજ નોંધણીની ઓનલાઇન વીડિયોગ્રાફી (૫) થમ્બ ઇમ્પ્રેશન (૬) ફોટોગ્રાફી (૭) દસ્તાવેજનું સ્કેનીંગ, પ્રિન્ટિંગ (૮) ઓનલાઇન જાળવણી (૯) સર્ચ (૧૦) ઇન્ડેક્સ-૨, દસ્તાવેજ ઓનલાઇન જોવાની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે.

હવે, સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં ઉપલબ્ધ ભૌતિક સ્વરૂપના રેકર્ડ (Index-2 વોલ્યુમ) ગરવી વેબ એપ્લિકેશન મારફતે લોકોને ઘેરબેઠા ઉપલબ્ધ કરાવવાનું નક્કી કરાયું છે. આગામી સમયમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ની કલમ ૩૧ (દસ્તાવેજ કરતાં અગાઉ વાપરવાની સ્ટેમ્પ ડયુટી અંગે અભિપ્રાય મેળવવો), કલમ-૪૦ (ઓછી ભરાયેલી સ્ટેમ્પ ડયુટી ભરવા તે થયા તારીખથી એક વર્ષમાં સામેથી ડયુટી ભરવા રજૂ કરવો), કલમ-૫૩(૧) (નાયબ કલેક્ટરના ડયુટી ભરવાના હુકમ સામે મુખ્ય નિયંત્રક મહેસૂલી પ્રાધિકારીને અપીલ) અને કલમ ૫૩-ક (નાયબ કલેક્ટર દ્વારા ઓછી ડયુટી લીધેલી હોય તો મુખ્ય નિયંત્રક મહેસૂલી પ્રાધિકારી ધ્વારા રીવ્યૂ) અંગેના કેસોની કામગીરી ઓન લાઇન કરવાનું આયોજન છે.

મહેસૂલ વિભાગ દ્વારા ગામ નમૂના નંબર-6ની હસ્તલિખિત નોંધો તથા ગામ નમૂના નંબર-7/12ના હસ્તલિખિત પાનિયા સ્કેન કરી વેબસાઇટ પર મૂકી દેવામાં આવ્યાં છે. જેને દુનિયાના કોઈપણ દેશમાંથી જોઈ શકાય છે. અરજદારોની વિવિધ પ્રકારની મહેસૂલી સેવાઓ માટેની અરજીઓ અંગે અરજદારો પાસેથી ગામ નમૂના નં.–6 તથા 7/12 માંગવામાં આવતા નથી અને વહીવટીતંત્ર પોતે જ ઓનલાઈન મહેસૂલી રેકર્ડ મેળવી લે છે. તમામ મહેસૂલી કેસોની વિગતો આર.સી.એમ.એસ સોફ્ટવેર પર ઓનલાઇન કરવામાં આવી છે.

દસ્તાવેજ નોંધણી માટે વેબ એપ્લિકેશન ‘Garvi 2.0’ શરુ

છેલ્લા છ માસ દરમ્યાન મહેસૂલ વિભાગ દ્વારા જે કેટલાક અન્ય પગલાં ભરાયા છે. તે મુજબ, મિલ્કત નોંધણી માટે વેબ એપ્લિકેશન ‘Garvi’ના માધ્યમથી સબ રજિસ્ટ્રાર કક્ષાએ દસ્તાવેજ નોંધણી બાદ અરજદારને ડિજીટલી સાઇન્ડ પ્રમાણિત નકલની ઉપલબ્ધિ થઈ શકે છે. ઇન્ડેક્સ-૨ અને બોજા પ્રમાણપત્ર ઓનલાઇન ઘરે બેઠા મેળવવાની સુવિધા પ્રાપ્ત થઈ છે. દસ્તાવેજોની નોંધણી કરીને ૧ દિવસમાં જ તે દસ્તાવેજ પક્ષકારને પરત મળી જાય છે. નોંધણી ફી, સર્ચ ફી, નકલ ફી માત્ર ઓનલાઇન સ્વીકારાય છે. ખેતી, સીટી સર્વેની મિલકતના દસ્તાવેજની નોંધણી બાદ ઓટો મ્યુટેશન થઈ શકે છે. ગુજરાતના ૧૧૭ જેટલા તાલુકાઓની સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં વધુ યુઝર ફ્રેન્ડલી, દસ્તાવેજ નોંધણી માટે વેબ એપ્લિકેશન ‘Garvi 2.0’ શરુ (Live) કરવામાં આવી છે. 

કોઈપણ મેરેજ એક્ટ હેઠળના લગ્નોની નોંધણી ઓનલાઈન

બોમ્બે મેરેજ એક્ટ હેઠળ ૩૧મી, ડિસેમ્બર-૨૦૦૭ સુધી નોંધાયેલા લગ્નના પ્રમાણપત્ર, ઈન્ડિયન ક્રિશ્ચન મેરેજ એક્ટ હેઠળ નોંધાયેલા લગ્નના પ્રમાણપત્ર, સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ નોંધાયેલા લગ્નના પ્રમાણપત્ર ઘેર બેઠા મળે તેવી તથા લગ્ન નોંધણીની પ્રક્રિયા ઓનલાઇન કરવાની કામગીરી ઉપરાંત કલમ- ૩૧, કલમ-૩૨(ક), કલમ-૫૩ (ક) અને ૫૩ (૧)ના કેસોની નોંધણી તથા અન્ય ઓનલાઈન કામગીરી, દસ્તાવેજની પ્રમાણિત નકલ, વર્ષ ૨૦૧૯ પહેલાનાં સ્થાવર મિલકતના દસ્તાવેજની પ્રમાણિત નકલ ઈ-સીલ તથા QR કોડ સાથે PDF સ્વરૂપમાં ઓનલાઈન ઉપલબ્ધ થઈ રહે તેવી ઓનલાઈન વ્યવસ્થા ઉભી 
કરાઈ છે.

જમીન / મિલકતની ખરીદી કરવામાં કેવા કેવા પ્રકારના દસ્તાવેજોની ચકાસવા જરૂરી છે ?

 

જમીન / મિલકતની  ખરીદી કરવામાં કેવા કેવા પ્રકારના દસ્તાવેજોની ચકાસવા જરૂરી છે ?

જમીન/મિલકત ઉપર કોઈપણ સરકારી લેણું કે કોઈપણ પ્રકારનો બોજો ન હોવા બાબતનું તલાટીનું પ્રમાણપત્ર લેવું જરૂરી છે

તમારી જમીન,તમારી મિલકત > નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ)

 કોઇપણ જમીન કે મિલકતનું વેચાણ ત્યારે જ થઇ શકે કે જ્યારે એ બોજા-વિવાદ-વાંધા, હક્ક-દાવા વિનાની અને સંપૂર્ણ માર્કેટેબલ હોય. એ માટે જે તે મિલકતનું ટાઇટલ ક્લિયર હોવાની આવશ્યકતા છે. મિલકતની ખરીદી પહેલાં તેના ટાઇટલ્સની ચકાસણી એટલા માટે કરવી અનિવાર્ય હોય છે કે વેચાણ, ફેરફાર નોંધ કે તબદિલી પછી તેનેમાટેની કોઇ કાનૂની ગૂંચવણ ઊભી ન થાય. જમીન-મિલકતના ક્લિયર ટાઇટલ્સ માટે જે તે ચકાસણી આવશ્યક હોય છે. તેમા કઇ કઇ બાબતોની ચકાસણી કરવી આવશ્યક છે, તે જોઇએ:
જમીન / મિલકતની ખરીદી કરવા માટે મેળવવાના જરૂરી દસ્તાવેજોની યાદી

(૧) ૭/૧૨ ની છેલ્લા મહિનાની (છેલ્લા ૩૦ વર્ષ દરમિયાન નોંધાયેલી ) તમામ ફેરફાર નોંધો સહિતની નકલ સીટી સર્વે પ્રોપર્ટી રજિસ્ટર્ડ કાર્ડની (છેલ્લાં ૩૦ વર્ષ દરમિયાન નોંધાયેલા ) તમામ ફેરફાર નોંધો સહિતની છેલ્લા મહિનાની પ્રમાણિત નકલ.
(૨) હકકપત્રકના નમૂનો-૬ ની તમામ ફેરફાર નોંધોની પ્રમાણિત નકલ.
(૩)ખાતાનો ઉતારો નમૂનો -૮(અ)
(૪)ડિસ્ટ્રિક્ટ લેન્ડ રેકર્ડ / સિટી સર્વે સનદની આંકડાવાળી માપણીની સર્ટિફાઈડ નકલ.
(૫)વેચાણ આપનારે જે દસ્તાવેજથી જમીન પ્રાપ્ત કરી હોય તે અસલ દસ્તાવેજ તથા તેની પહેલાંના જૂના તમામ મિલકતની તબદિલી અંગેના ખતો તથા ઈન્ડેક્સ (૨ ) ની નકલ.
(૬)યુ.એલ.સી. અન્વયે સંપાદન હેઠળ અથવા સંપાદનને પાત્ર ન હોવા બાબતનું પ્રમાણપત્ર.
(૭)મંજૂર થયેલા પ્લાન તથા રજાચિઠ્ઠીની નકલ.
(૮) વપરાશની પરવાનગીની નકલ.
(૯)એન.એ.ના ઓર્ડરની સર્ટિફાઈડ નકલ.
(૧૦)સક્ષમ અધિકારીશ્રીની કલમ -૬૩ અન્વયેની પરવાનગી આપતા હુકમની સહી-સિકકાવાળી ખરી નકલ.
(૧૧)ઝોનિંગ સર્ટિફિકેટ તથા પાર્ટ સાઈઝ પ્લાનની નકલ.
(૧૨) ટી.પી સ્કીમના”બી” અને “એફ” ફોર્મની નકલ.
(૧૩)ટી.પી. પાર્ટ પ્લાન તથા કબજા ફેરફારની સનદ.
(૧૪)મ્યુનિસિપલ / ગ્રામ પંચાયતની છેલ્લા વર્ષના વેરા ભર્યાની રસીદ.
(૧૫)જમીન/મિલકત ઉપર કોઈપણ સરકારી લેણું કે કોઈપણ પ્રકારનો બોજો ન હોવા બાબતનું તલાટીનું પ્રમાણપત્ર.
(૧૬)ઈલેકટિક, પાણી, ગેસ, ટેલિફોન વિગેરેના બિલ ચુકવાઈ ગયાની રસીદો.
(૧૭)જમીન/મિલક્ત સોસાયટી હસ્તક હોય તો શેર સર્ટિફેકેટ તથા છેલ્લા મહિનાનો મેઈન્ટેન્સ ચાર્જ ભર્યાની રસીદ તથા સોસાયટીમાં નામ ટાન્સફર કરવા અંગેનો ઠરાવ તથા ટ્રાન્સફર ફી અંગેની રસીદ, નો-ડયુ સર્ટિફિકેટ, નો-ઓબ્જેકશન સર્ટિફેકેટ, નો-ચાર્જ સર્ટિફેકેટ. જમીન/મિલકત લીઝ હોલ્ડ હોય તો લીઝ ડીડ તથા મૂળ જમીન--માલિકનો સંમતિપત્ર.
(૧૮)જમીન/મિલકત હસ્તક હોય તો કંપની દ્વારા કરવામાં આવેલા ઠરાવની નકલ. 
(૧૯) જમીન નવી શરતની હોય તો જમીન વેચાણ અંગે સંબંધિત અધિકારીના હુકમની નકલ.
(૨૦)જમીન/મિલકત અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિની હોય તો સંબંધિત અધિકારીના હુકમની નકલ. 
(૨૨)જમીન/મિલકત માલિકની ટાઈટલ્સ અંગે એફિડેવિટ.
(૨૩)જમીન પાવર ઓફ એટર્ની દ્વારા ટ્રાન્સફર કરવામાં આવતી હોય તો પાવર ઓફ એટર્નીની સર્ટિફાઈડ નકલ તથા હાલમાં કુલમુખત્યારનામું અમલમાં હોવા તથા યોગ્ય કિંમતના સ્ટેમ્પ ઉપર હોવા બાબતનું સક્ષમ અધિકારીશ્રીના વેરિફિકેશન સર્ટિફેકેટની સર્ટિફાઈડ નકલની ખાતરી કરવી.
(૨૪)જમીન/મિલકત ભાગીદારી પેઢીની હોય તો ભાગીદારી દસ્તાવેજની નકલ તથા ભાગીદારી પેઢી નોંધણી પ્રમાણપત્ર.
(૨૫)જમીન / મિલકત વિલ (વસિયતનામા)થી પ્રાપ્ત થયેલી હોય તો વિલ (વાસિયતનામા)ની નકલ તથા પ્રોબેટ ( જો મેળવેલ હોય તો ) ની નકલ.
 (૨૬)વેચનાર, લેનાર તથા કન્ફર્મિંગ પાર્ટીના રહેઠાણ અંગેના તથા આઈડેન્ટિટી પ્રૂફ, ( આધારકાર્ડ, રેશનકાર્ડ, પાસપોર્ટ, લાઈટ બિલ, વેરા બિલ, ઈલેક્શન કાર્ડ, પાન કાર્ડ, ફોટા). (૨૭)સરકારી / પંચાયત / મ્યુનિસિપલ કોર્પોરેશનનું લેણું બાકી ન હોવા બાબતનું તલાટીનું પ્રમાણપત્ર. (૨૮) વેચાણ આપેલી મિલકત પર કોઈપણ પ્રકારનો બોજો ન હોવા બાબતનું પ્રમાણપત્ર. (૨૯) વેચાણ આપેલ જમીન રિઝર્વેશન કે એકેવઝિશનમાં ન હોવા બાબતનું તલાટીનું પ્રમાણપત્ર. (૩૦) જમીન / મિલકત વડીલોપાર્જિત હોય તો તલાટીએ સર્ટિફાઈડ કરેલું પેઢીનામું. (૩૧) ખેતજમીન ટોચમર્યાદા અન્વયે સંપાદન હેઠળ અથવા સંપાદનને પાત્ર ન હોવા બાબતનું પ્રમાણપત્ર. (૩૨) ટુકડાધારાની જોગવાઈ લાગુ પડે છે કે કેમ ? (૩૩) હિન્દુ અવિભક્ત કુટુંબની મિલકત હોય તો તમામ વારસદારોની વિગત. (૩૪) જંત્રી મુજબ જમીન / મિલકતનું વેલ્યુએશન સર્ટિફિકેટ.
(૩૫) વેચાણ અંગે જાહેર નોટિસ પ્રસિદ્ધ કરાવ્યા અંગેની વિગતો તથા વાંધાઓ ( જો કોઈ હોય તો ) તેની વિગત. 
(૩૬) જંત્રી મુજબ સ્ટેમ્પ ડયુટીનું વેલ્યુએશન. 
(૩૭) વેચાણ દસ્તાવેજ લખાવી લેનાર તમામના ફોટોગ્રાફસ. 
(૩૮) વેચાણ દસ્તાવેજ લખી આપનારના તમામના ફોટોગ્રાફ્સ.
(૩૯) કન્ફર્મિગ પાર્ટીના ફોટોગ્રાફસ.
(૪૦) વેચાણ દસ્તાવેજ કરનારની મિલકતના ફોટોગ્રાફસ.
(૪૧) લેનાર તથા વેચનારનું ખેડૂત તરીકેનું પ્રમાણપત્ર.
(૪૨) ચુકવેલી અવેજ અંગેના ચેક / કાફ્ટની ઝેરોક્ષ નકલ.
(૪૩) મિલકત ટ્રાન્સફર કરવા માટે કલમ ૧૩૫(ડી)ની નોટિસ તથા મહાનગરપાલિકાનું ફોર્મ તથા સીટી સર્વેની અરજી. (૪૪) સબ-રજિસ્ટારશ્રીની કચેરીમાં રજિસ્ટર્ડ થયેલા દસ્તાવજો અંગે છેલ્લા ૩૦ વર્ષ દરમિયાન થયેલા ફેરફારો અંગેના સર્ચ રિપોર્ટની નકલ.


ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...