9.14.2022

પ્રથમ કૌટુંબિક વહેંચણી માટે રૂ.100ને બદલે 300ની સ્ટેમ્પ ડયૂટી ભરપાઈ કરવા એકરારનામું કરવા જોગવાઈ જાહેર

 પાંચ વર્ષ બાદ સરકારે સ્ટેમ્પ ડયૂટીમાં રૂ.200નો વધારો કર્યો

'પુત્ર, પતિ, પત્નીને બદલે' નવા પરિપત્રમાં કાયદેસરના વારસદારો શબ્દ પ્રયોજાયો

પુત્રી અને પત્ની એ ત્રણેય શબ્દોને રદ્દ કર્યા

[[$glead]]

રાજ્યના મહેસૂલ વિભાગે ખેતીની જમીનમાં વડિલોપાર્જિત, સ્વ- પાર્જિત મિલકતમાંથી હક્ક ઉઠાવવો, વહેંચણી કરવી, પુનઃવહેંચણી કરવી તથા હયાતીમાં હક્ક દાખલ કરવાની કાર્યપધ્ધતિ બાબતે પરિપત્ર કર્યો છે. જેમાં ખેડૂતો ખાતેદારના મૃત્યુ બાદ વારસાઈથી દાખલ થતા કાયદેસરના વારસદારો વચ્ચે થતી પ્રથમ કૌટુંબિક વહેંચણી માટે રૂ.100ને બદલે 300ની સ્ટેમ્પ ડયૂટી ભરપાઈ કરવા એકરારનામું કરવા જોગવાઈ જાહેર થઈ છે. ગુજરાત સરકારે વારસાઈથી હક તબદિલીને તબક્કે એક સમાન સ્ટેમ્પ ડયૂટી અને પ્રક્રિયા સંદર્ભે વર્ષ 2016માં વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન કેટલાક સુધારા જાહેર કર્યા હતા. 14 માર્ચ 2016ના રોજ 6 પાનાનો વિસ્તૃત ઠરાવમાં ''ખેડૂત ખાતેદારના મૃત્યુ બાદ વારસાઈ દાખલ થતા કાયદેસરના વારસદારો (પુત્ર, પુત્રી અને પત્ની) વચ્ચે થતી પ્રથમ કૌટુંબિક વહેંચણી માટે ખેતીની જમીન માટે રૂ.100ની સ્ટેમ્પ ડયુટી ભરપાઈ કરેલ એકરારનામું કરવાનું રહેશે'' એવી જોગવાઈ કરાઈ હતી. આ જોગવાઈ મુજબ વારસદારોમાં પુત્ર, પુત્રી કે પત્ની હોય તો વધારાની કોઈ સ્ટેમ્પ ડયૂટી લેવાતી નહોતી. પરંતુ, પુત્ર કે પુત્રીનું મિલકત વહેંચણી પહેલા મૃત્યુ થાય તેવા કિસ્સામાં તેના સીધી લિટીના વારસદારો (પૌત્ર)ના ભાગે આવતી મિલકતની બજારકિંમતને આધારે સ્ટેમ્પ ડયૂટી લેવાય છે. આથી, આવા કિસ્સાને પણ ખેડૂત ખાતેદારના મૃત્યુ બાદ વારસાઈ દાખલ થતા કાયદેસરના વારસદારો ગણી લાભ આપવાની બાબત સરકાર સમક્ષ વિચારણા હેઠળ હતી. મહેસૂલ વિભાગે તેના માટે પુત્ર, પુત્રી અને પત્ની એ ત્રણેય શબ્દોને રદ્દ કર્યા છે.

ખેતીની જમીનોમાં વડિલોપાર્જિત, સ્વ-પાર્જિત મિલકતમાંથી હક્ક ઉઠાવવો, વહેંચણી કરવી, પુનઃવહેંચણી કરવી તથા હયાતીમાં હક્ક દાખલ કરવા અંગેની કાર્યપધ્ધતિ બાબત-3

ખેતીની જમીનોમાં વડીલોપાર્જિત, સ્વ-પાર્જિત મિલકતોમાંથી હક્ક ઉઠાવવો, વહેંચણી કરવી પુન:વહેચણી કરવી તથા હયાતીમાં હક્કદાખલ કરવા અંગેની કાર્ય પદ્ધતિ બાબત-2

ખેતીની જમીનોમાં વડીલોપાર્જીત, સ્વ-પાર્જિત મિલકતમાંથી હક્ક ઉઠાવવો, વહેચણી કરવી, પુનઃ વહેચણી કરવી તથા હયાતીમાં હક્ક દાખલ કરવા અંગેની કાર્યપધ્ધતિ બાબત.-1

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...