2.20.2024

ખેતરે જવાના રસ્તાઓ કોઈ બંધ કરે કે આડશ ઉભી કરે ત્યારે થઈ શકતી કાનુની કાર્યવાહી

ખેતરે જવાના રસ્તાઓ કોઈ બંધ કરે કે આડશ ઉભી કરે ત્યારે થઈ શકતી કાનુની કાર્યવાહી

મામલતદાર કોર્ટની કલમ ૫ (૧), કલમ ૫(૨),કલમ૫(૩), કલમ૫(૪), કલમ ૧૮ (૧), કલમ ૧૮ (૨), કલમ ૧૯(૧), કલમ૧૯(૨) ખેતરે જવાના રસ્તામાં કૃત્રિમ આડશ ઊભી કરી દેવામાં આવે ત્યારે શું કાર્યવાહી થઇ શકે તેની વિગતે માહિતી.

ખેતરે જવાના રસ્તામાં કૃત્રિમ આડશ ઊભી કરીદેવામાં આવે છે. કલમો અને મામલતદાર કોર્ટની સત્તાઓ : કલમ ૫(૧) મુજબ સીમાંકિત કરેલ નહેરમાં વહેતા કુદરતી જળપ્રવાહમાં અથવા ખેતી, ચરાઈ, વૃક્ષ અથવા પાક માટે વપરાતી કોઈ જમીન (ખેતીનીજમીન) માથી કુદરતી રીતે નીકળતા અથવા તેના ઉપર પડતાં પાણીની સપાટીમાં કાયદાના યોગ્ય અધિકારથી કરવામાં આવ્યા ન હોય તેવા અવરોધો દૂર કરવાની કે કરાવવાની અથવા તે હેતુ માટે વપરાતી જમીનને અથવા તેની ઉપર આવેલ ચરાઈ, વૃક્ષ કે પાકને એવા અવરોધથી નુકસાન થાય અથવા થવાનો સંભવ હોય તો તેવી લગોલગની જમીનો ઉપર અવરોધ દૂર કરવાની કે કરાવવાની સત્તા.


કલમ૫(૨) મુજબ કલમ ૫ (૧) માં વ્યાખ્યાયિત કરેલા કૃત્ય બદલ મામલતદારને આવું કૃત્ય કે અવરોધ કરવાનો કે તેમ કરવાનો પ્રયત્ન નહીં કરવાનું ફરમાવવાનો મનાઈ હુકમ કાઢવાની સત્તા છે. કલમપ(૩) મુજબ આ કાયદાની કલમ ૫(૧) થી વ્યાખ્યાયિત કરેલ કોઈ કૃત્યથી અસર પામેલ વ્યક્તિને દાવો માંડવાનો હક્ક આપ્યો છે પરંતુ આવા દાવાનું કારણ ઉપસ્થિત થયા તારીખથી ૯ મહિનાની અંદરકરવો જોઈએ, અન્યથા દાવો દાખલ કરવામાં આવશે નહીં.


કલમ ૫(૪) મુજબ જે તારીખે અવરોધ કરવાનું શરૂ થયું હોય અથવા અડચણ ઊભી કરવાની શરુઆત થઈ હોય તે તારીખે દાવાનું કારણ ઉત્પન્ન થયેલું ગણાશે.


આ કાયદાની કલમ ૧૮ (૧) મુજબ કોઈ સગીરને સ્વાભાવિક વાલી અથવા યોગ્ય રીતે નિમાયેલા વાલી હોય તો દાવો માંડી શકે છે. કેટલીક વખત વારંવાર સમન્સ મોકલવા છત્તા પ્રતિવાદીઓ હાજર રહેતા ન હોય તો આ અધિનિયમની કલમ ૧૯(૨) મુજબ મામલતદાર પોતે નોટિસ બજ્યાની ખાતરી કરી પ્રતિવાદી હાજર રહીશકે તેવા પૂરતા અને વાજબી કારણોની ખાતરી કર્યા બાદ એક પક્ષીયરીતે દાવા અરજી સાંભળી તેનો નિકાલ કરી શકે છે. અને દાવા અરજીનો નિકાલકર્યા ના૩૦ દિવસની અંદર કોઈ પણ પક્ષકાર જે હાજર ન રહીશકવાના કારણોની ખાતરી કરાવે કે એ બાબતે પુરાવા રજૂ કરે તો ફરીથી કેસસાંભળી શકાય છે.

ચાલુ દાવા દરમિયાન મામલતદારને જરૂરી લાગે તેવા પક્ષકારોને પોતે વાદી કે પ્રતિવાદી તરીકે કલમ ૧૮(૨) અનુસંધાને કેસમાં ઉમેરી શકે છે. વધુમાં આ અધિનિયમની કલમ ૧૯ (૨) મુજબ મામલતદાર પોતાને ૨૧(૪) માં કરવામાં આવેલ છે. વધુમાં કેટલાક કિસ્સાઓમાં જો મામલતદાર કોર્ટ એક્ટ અનુસંધાને ચાલતા દાવાના કારણે બે પક્ષો વચ્ચે સુલેહ-શાંતિનો ભંગ થશે એવું લાગે તો બંને પક્ષે પોતાની સત્તાની રૂએ ક્રિમિનલ પ્રોસીઝર કોડની કલમ ૧૦૭ મુજબ ચેપ્ટર કેસ દાખલ કરીને પણ પગલાં લઈ શકે છે.

યોગ્ય લાગે તો જાતે પણ રૂબરૂજઈને તકરારી મિલકતની મુલાકાત કરીને પક્ષકારોની રૂબરૂમાં તપાસી શકે છે. દાવા અરજી કરતી વખતે આટલો ઉલ્લેખ જરૂરી છે: આ અધિનિયમનો ઉપયોગ કરનાર ખેડૂતોએ ખાસ ધ્યાનમાં રાખવું કે, મામલતદાર કોર્ટમાં દાવા અરજી દાખલ કરવામાં વાદીનું નામ, ઉંમર, ધર્મ, જ્ઞાતિ, ધંધોઅને રહેઠાણની માહિતી આપવાની રહે છે. વધુમાં પ્રતિવાદી (સામેવાળા) નુંનામ, ઉંમર, ધર્મ, જ્ઞાતિ, ધંધો અને રહેઠાણની વિગતો પણ આપવાની રહે છે. તે અવરોધ કરવામાં આવેલ હોય પ્રકાર અને ક્યા સ્થળે કરવામાં આવ્યો છે તે સ્થળ અને એક બીજાને લગો લગ આવેલ જમીનોનું સ્થાન અને માંગેલી દાદનો પ્રકાર. જે તારીખે દાવાનું કારણ ઉદભવ્યું હોય તે તારીખ તથા જે હકીકત પરથી દાવાનું કારણ ઊભું થયું હોય તે હકીકત.

વાદીના દસ્તાવેજ તથા તેના સાક્ષીઓની યાદી અને કયો સાલી શું પુરાવો આપશે તે પણ ઉલ્લેખ કરવાનો રહે છે. અત્રે નોંધનીય છે કે, આ અધિનિયમની કલમ ૮ મુજબ ઉપરોક્ત નમુનામાં અરજી મળેલ ન હોય પરંતુ દાવાનો વિષય કલમ ૫ મુજબ હોય તો અરજદારને મળતી દાદ વિષે સમજાવી તેની ઇચ્છાની અરજી પર નોંધ કરવાની તેમજ આવી અરજી દાવા અરજી તરીકે સ્વીકારવાની સૂચન થયેલ છે. આવા સમયે મામલતદાર આ અધિનિયમની કલમ ૯ મુજબ સોગંપ ઉપર જુબાની લઈ અને કેસ દાખલ કરી મુદ્દત આપી શકે છે.

ખાસ ધ્યાનમાં રાખવાની બાબત : ઘણી વખત મામલતદાર કચેરીમાં કેસોનો ભરાવો થયેલ હોય અથવા કોઈ રાજકીય અથવા અન્ય કારણોસર મામલતદાર કચેરી દ્વારા આપની દાવા અરજીને નામંજૂર કરવાનું પહેલેથી જ નક્કી કરવામાં આવેલ હોય છે. દાવા અરજી નામંજૂર કરવા માટે ભાગે અરજી આપવા જઈએ ત્યારે રૂબરૂ અથવા ટપાલમાં અરજી મોકલાવી હોય તો ફોન દ્વારા અરજદાર પાસેથી દાવાનું કારણ ઊભું થવાની તારીખ પૂછવામાં આવતી હોય છે અરજદાર એવું જણાવે કે ગયા વર્ષે અમારો ખેતરે જવાનો રસ્તો બંધ કરેલ પતો દાવાનું કારણ ઊભું થવાને e મહિનાથી વધારે સમય થયો હોવાનું કારણ બતાવી આ કાયદાની કલમ ૧૨ મુજબ દાવા અરજી નામંજૂર કરવામાં આવતી હોય છે. આથી મામલતદાર કચેરીમાં જ્યારે પણ અરજી દાખલ કરવાના પ્રસંગો ઊભા થાય ત્યારે દાવા અરજીમાં ખાસ ૬ મહિના અંદરની તારીખ દર્શાવવી જોઈએ.

અરજદારે કેસ શરૂ થયાની પહેલી જ મુદ્દતે જ્યાં સુધી કેસ નો ચુકાદો ન આવે ત્યાં સુધી પોતાના ખેતરે અવર જવર શરૂ રહે અથવા તો પાણીના નિકાલ બાબતે પ્રશ્ન હોય તો તેને અવરોધે નહીં તે માટે તાત્કાલિક કામ ચલાઉ મનાઈ હુકમ મળવા બાબતની માંગણી કરવી જોઈએ. મામલતદાર કોર્ટના આખરી નિર્ણયની અમલવારી કઈ રીતે : થણી વખત એવા દાખલાઓ ધ્યાનમાં આવતા હોય છે કે, રસ્તો ખુલ્લો કરવાનો હુકમ કર્યા બાદ મામલતદાર કચેરીએ વારંવાર પક્કા ખાધા બાદ પણ રસ્તાની અડચણ દૂર કરવામાં આવતી નથી અથવા તો મામલતદાર કચેરીમાંથી એવું પણ જણાવવામાં આવે છે કે, અમે હુકમ કરી દીધો છે એટલે હવે તમે પોલીસ પ્રોટેકશન મેળવીને તમારા ખર્ચે રસ્તો ખુલ્લો કરાવી લ્યો. પરંતુ આપને જણાવી દઉં કે, આ અધિનિયમની કલમ ૨૧(૧) મુજબ મામલતદાર કોર્ટ એક્ટ મુજબ કરવામાં આવેલ હુકમની અમલવારી કરાવવાની જવાબદારી મહેસૂલી અધિકારીઓની જ છે.

આ કલમ મુજબ મામલતદારનો નિર્ણય અવરોધ દૂર કરવા માટે અથવા કબ્જો સોંપવા માટે અથવા ઉપયોગ હક્ક પુનઃ પ્રાપ્ત કરવા માટે હોય તો તે ગ્રામ અધિકારીઓ (તલાટી) અથવા તાબાના કોઈ અધિકારી (નાયબ મામલતદાર કે સર્કલ અધિકારી) ને અથવા તે ને યોગ્ય લાગે તો બીજી રીતે હુકમ કાહીને અમલમાં લાવશે. પોતાના હુકમની અમલવારી કરવામાં આવતી ન હોય તો IPC ની કલમ ૧૮૮ મુજબ કાયદાકીય પગલાઓ પણ મામલતદાર ભરી શકે છે, જે બાબતનો ઉલ્લેખ આ અધિનિયમની કલમ મામલતદાર કોર્ટ એક્ટ ૧૯૦૯ ની જોગવાઇઓ મુજબ કાર્યવાહી કરતાં હોય છે. ઘણી વખત કોઈ બાબતે શેઢા પાડોશીઓ વચ્ચે ઝઘડો થવાને કારણે એક ખેડૂત દ્વારા બીજા ખેડૂતને તેના ખેતરે જવાના રસ્તામાં કૃત્રિમ આડશ ઊભી કરીદેવામાં આવે છે. અથવા ખેતરા ઉપર જવાના રસ્તામાં ખાડા ખોદી નાંખવામાં આવે છે. ઘણી વખત રસ્તા આડે બાવળીયાનો ઢગલો કરીને પણ રસ્તો બંધ કરવામાં આવે છે. અથવા અવરોધ ઊભો કરીને વરસાદી પાણીનો નિકાલ અટકાવવામાં આવતો હોય છે પણ આવા સમયે જેનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે તેવો આર્થિક અને શારીરિક રીતે નબળો ખેડૂત રસ્તા બંધ કરનાર માથાભારે ખેડૂતની વિરુદ્ધમાં આ રસ્તો ખુલ્લો કરાવવા માટે મામલતદાર કચેરીમાં ફરિયાદ દાખલ કરી શકે છે. મામલતદાર આ બાબતે 'મામલતદારકોર્ટએક્ટ ૧૯૦e' ની જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરતાં હોય છે. ઉક્ત અધિનિયમ હેઠળ મામલતદારને કેટલીક વિશેષસત્તાઓ આપવામાં આવેલ છે. અગાઉનો મામલતદાર કોર્ટ એક્ટ ૧૮૭૬ ૨૬ કરીને મામલતદાર કોર્ટ એક્ટ ૧૯૦૯ સમગ્ર ગુજરાત રાજ્યને લાગુ પાડવામાં આવ્યો છે. આ અધિનિયમથી મામલતદારને કોર્ટનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ કાયદામાં કલમ નંબર ૫ માં કોર્ટને અમર્યાદિત સત્તાઓ આપવામાં આવેલ છે. મહત્વનીબાબત મામલતદાર કોર્ટ એક્ટ એક ખૂબ નાનો પરંતુ અસરકારક અને ખેડૂતોને ઉપયોગી કાયદો છે. આ અધિનિયમની કલમ ૨૩ (૧) હેઠળ મામલતદારે કરેલ કોઈ પણ હુકમ ઉપર અપીલ થઈ શકશે નહીં. માત્ર જિલ્લા કલેક્ટર પોતે આ અધિનિયમની કલમ ૨૩(૨) મુજબ આવા કોઈ દાવાનું રેકર્ડમાં મંગાવીને તપાસી શકશે અને જો કોઈ કાર્યવાહી કે હુકમ ભૂલ ભરેલો જણાશે તો પક્ષકારો ને નોટિસ આપી રૂબરૂ સાંભળીને યોગ્ય તે હુકમ કરી શકશે. ઘણા તાલુકાઓમાં કલેકટરે આ સત્તા પોતાના તાબા હેઠળ નાનાયબ કલેકટરોને આપવામાં આવેલ હોય છે. આથી મામલતદારના હુકમ સામે નારાજ પક્ષકાર કલમ ૨૩ (૨) મુજબની રિવિઝન અરજી અહી દાખલ કરી શકે છે. નોંધ : આ પ્રકારનો કોઈ પ્રશ્ન ઉપસ્થિતિ થાય ત્યારે સુલેહ શાંતિ થીવાત- ચિત કરીને પંચાયત અથવા પંચને વાતચીત કરી પ્રશ્ન હલ કરવો જોઈએ અથવા વકીલશ્રી તેમજ અધિકારીશ્રીનો સંપર્ક કરી યોગ્ય માહિતી અને માર્ગદર્શન મેળવવું જોઈએ.

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...