3.13.2019

પ્રોપર્ટી બાબતે છેતરપિંડી અને વિશ્વાસઘાત અંગે નાં ગુના ની અગત્ય ની કલમો

પ્રોપર્ટી બાબતે છેતરપિંડી અને વિશ્વાસઘાત અંગે નાં ગુના ની અગત્ય ની કલમો

આપણે કોઈ દુકાન, મકાન, ખેતીની જમીન ખુલ્લા પ્લોટ, ઈન્ડસ્ટ્રીઅલ શેડ વગેરે પ્રોપટીનો સોદો કરતી વખતે છેતરાયા હોઈએ તેવું જણાઈ આવે ત્યારે, પોલીસમાં ફરીયાદ આપીએ છીએ ત્યારે આપણી/ફરીયાદ ઉપરથી પ્રાથમિક તપાસના અંતે ક્રિમિનલ ગુનો બનેલ છે કે માત્ર સીવીલ મેટર બનેલ છે તેની તારવણી પોલીસ કાઢે છે. જો તે કામે ક્રિમિનલ ગુનો બન્યો હોય તો કયા ગુના અંગે (એટલેકે કઈ બાબતે) કઈ કલમો લગાડી ગુનાની એફ.આઈ.આર. (ફર્સ્ટ ઈન્ફર્મેશન રીપોર્ટ) દાખલ કરે છે તે વિષે ટુંક સારાંશ માહિતી જાણીએ.

સામાન્ય રીતે પ્રોપર્ટી બાબતે બે જાતના ગુના મુખ્યત્વે બનતા હોય છે..

૧) વિશ્વાસઘાત
૨) છેતરપિંડી

તે કામે જે કલમોનો ઉપયોગ થાય છે તે ભારતીય ફોજદારી ધારા (ઈન્ડિયન પીનલ કોડ) હેઠળની સજા કરવાની કલમો ગુનાના કામે લગાડાય છે અને તપાસ દરમ્યાન તેમજ તપાસ પૂર્ણ થતાં ચાર્જશીટ વખતે પણ લખવામાં આવે છે.
વિશ્વાસઘાત (બ્રીચ ઓફ ટ્રસ્ટ) :

     કોઈ વ્યકિતને પોતાની મિલકતની સાચવણી માટે સોંપવામાં આવી હોય ત્યારે મિલકતની સંભાળ લેનાર વ્યકિત અપ્રામાણિક રીતે મિલકતને પોતાના અંગત ફાયદા માટે મૂળ માલિકની જાણ બહાર વેચી નાંખે તો, તે વ્યકિતએ વિશ્વાસઘાતનો ગુનો કર્યો ગણાય. દા.ત. એક વ્યકિત પરદેશ જાય છે તેણે પોતાનું મકાન બીજી વ્યકિતને સારસંભાળ માટે સોંપી જાય છે. તે પરદેશથી પરત આવતાં જાણવા મળ્યું કે જેને મકાન સોંપેલ છે તે વ્યકિતએ પોતાના ફાયદા માટે આ મકાન વેચી નાંખી મળેલ રકમ પોતાના અંગત કામે વાપરી નાંખી છે. આમ બીજી વ્યકિત ઉપર ભરોસો, વિશ્વાસ રાખી મકાન સોંપેલ તેણે વિશ્વાસનો ગુનાહિત ભંગ કર્યો હોય તેને ગુનાહિત વિશ્વાસઘાતનો ગુનો કર્યો કહેવાય.

     તેવી જ રીતે કોઈ વ્યકિતને મિલકત સોંપવામાં આવી હોય અને તે પાછી માંગવા જતાં તે પાછી ન આપે અને જણાવે કે આ મિલકત તો મારી જ છે ત્યારે પણ તે વિશ્વાસભંગનો ગુનો બને છે.

વિશ્વાસઘાતના ગુનામાં ઈન્ડિયન પીનલ કોડની કલમ મુજબ સજા પ્રમાણેનો સારાંશ :


છેતરપિંડી/ઠગાઈ :

     જે કોઈ વ્યકિત, અન્ય કોઈ વ્યકિતને છેતરીને, તેને કોઈ મિલકત આપી દેવા અથવા કોઈ મિલકત કોઈની પાસે રહેવા દેવા સંમતિ આપવા કપટપૂર્વક અથવા બદદાનતથી લલચાવે અથવા ઈરાદાપૂર્વક લલચાવી એવું કૃત્ય કરાવે જેથી બીજી વ્યકિતના શરીર, મન, પ્રતિષ્ઠા કે મિલકતને નુકસાન થાય તો તેણે ઠગાઈ કરી કહેવાય.

     દા.ત. એક ખેડૂત પોતાનું ખેતર એક વેપારીને વેચાણખત કરી વેચી મારે છે. ત્યારબાદ આ જ ખેડુત ફરીથી ‘આ ખેતર વેપારીને વેચી મારેલ છે’ તેવું જાણવા છતાં, અન્ય એક બીજા વેપારીને પણ આ ખેતર કોઈને વેચેલ નથી તેમ જણાવી આ નવા બીજા વેપારીને ફરીથી વેચી મારે છે ત્યારે આ ખેડૂતે આ નવા બીજા વેપારી સાથે છેતરપિંડી કે ઠગાઈ કરી છે તેમ કહેવાય.

છેતરપિંડીના ગુનામાં ઈન્ડિયન પીનલ કોડની કલમ મુજબ સજાના પ્રમાણનો સારાંશ :



     ઉપર મુજબની વિગતે ગુનાહિત વિશ્વાસભંગમાં એક વ્યકિત બીજી વ્યકિત ઉપર વિશ્વાસ મૂકીને એને મિલકત સોંપે છે. જ્યારે છેતરપિંડીમાં ઠગાઈથી એટલેકે કપટપૂર્વક પ્રથમથી જ બદઈરાદા સાથે ખોટા વચનો આપીને લલચાવીને મિલકત મેળવે છે.
ખોટા દસ્તાવેજો :

     મિલકત સંબંધી અન્ય ગુનાઓમાં ખોટા દસ્તાવેજો બનાવવાના ગુનાઓનો સમાવેશ થાય છે, જેના સારાંશ રૂપે નીચે વિગત આપવામાં આવી છે.
૧) કોઈ વ્યકિત કપટપૂર્વક અન્ય કોઈ વ્યકિતના નામે ખોટા લખાણ બનાવી કે તેના ઉપર ખોટી સહી કરી કે ખોટા સિક્કા મારી કે ખોટી નિશાનીઓ ઊભી કરી તેવા ખોટા દસ્તાવેજને સાચા તરીકે ઓળખાવે.
અથવા
૨) કોઈ સાચા દસ્તાવેજના મહત્ત્વના ભાગરૂપે કપટપૂર્વક ફેરફાર કરે.

અથવા

૩) મગજની અસ્થિરતાના કારણે અમુક દસ્તાવેજ શા બાબતે છે વગેરે વિગત જે વ્યકિત જાણી શકતી ન હોય અથવા છેતરપિંડીથી કોઈ વ્યકિત પાસે કપટપુર્ણક દસ્તાવેજ પર સહી કરાવે, સિક્કો કરાવે, દસ્તાવેજ કરાવી લે તો તેણે ‘ખોટા દસ્તાવેજ’ બનાવ્યાનો ગુનો કર્યો છે એમ કહેવાય.

     દા.ત. એક ખેડુત પોતાની સહીવાળો બીલ્ડરને જમીન વેચ્યાનો લખેલો રૂા ૧૦,૦૦૦નો સાટાખત ત્રીજી વ્યકિત પાસે છે. આ ત્રીજી વ્યકિત ઈરાદાપૂર્વક કપટ કરવા માટે રૂા ૧૦,૦૦૦ ઉપર એક મીંડુ ચડાવી ૧,૦૦,૦૦૦ની રકમ બનાવે છે. અહીંયા આ ત્રીજી વ્યકિતએ ખોટો દસ્તાવેજ બનાવવાનો ગુનો કર્યો કહેવાય.

     આવા ખોટા દસ્તાવેજ બનાવવા માટે ઈરાદો ખુબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. સામાન્ય નિયમ પ્રમાણે જુઠો દસ્તાવેજ અપ્રામાણિકપણે બનાવવામાં આવે ત્યારે તે ખોટા દસ્તાવેજ (કુટ લેખન) બને છે.

આમ કરવા પાછળનો ઈરાદો :

૧. જનતાને કે વ્યકિતને નુકસાન કરવાનો હોય
૨. દાવાના સમર્થન માટે ખોટો દસ્તાવેજ બનાવવો. (અહીં દાવાનો અર્થ મિલકત અંગેનો દાવો તેમ સંકુચીત નહીં ગણવો. એક વ્યકિત દાવો કરનારની પત્ની છે, તેવો દાવો કરવો પણ દાવો છે, તે કારણસર)

૩. મિલકત છોડાવવા
. કરાર કરવો

૫. કપટ કરવાના ઈરાદા સાથેનું લખાણ
     આ બધા ખોટા દસ્તાવેજનાં અંગો છે.

‘ખોટા દસ્તાવેજ’ના ગુનામાં ઈન્ડિયન પીનલ કોડની કલમ મુજબ સજા પ્રમાણનો સારાંશ :



સુલેહભંગ કરવા ઉશ્કેરવા માટે ઈરાદાપૂર્વક અપમાન કરવા બાબત :

     આમાં અપશબ્દો બોલવાનો સમાવેશ થાય છે આ કામે ઈ.પી.કો ૫૦૪ હેઠળ બે વર્ષ સુધીની કેદની જોગવાઈ છે.
ગુનાહિત ધમકી :
     મુત્યુ નિપજાવવાના કે મહાવ્યથા નિપજાવવાની ધમકી આપવામાં આવે તો ઈ.પી.કો. ૫૦૬ હેઠળ બે વર્ષ સુધીની કેદનો ગુનો બને છે.








જો તમને આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો લાઈક કરી શેર જરૂર કરજો…

વન અધિકાર અધિનિયમ, ૨૦૦૬- આદિવાસી ને રહેઠાણ માટે તેમજ ખેતીના ઉપયોગ માટે મહત્તમ ૪ હેક્ટર સુધીની જમીનના હક્ક એનાયત કરવામાં આવે છે -

આદિવાસી  ને  રહેઠાણ માટે તેમજ ખેતીના ઉપયોગ માટે મહત્તમ ૪ હેક્ટર સુધીની જમીનના હક્ક એનાયત કરવામાં આવે છે - વન અધિકાર અધિનિયમ, ૨૦૦૬

વન અધિકાર અધિનિયમ, ૨૦૦૬






પરિચય


વન અધિકાર અધિનિયમ, ૨૦૦૬ એ ભારત સરકારના આદિજાતિ મંત્રાલયે બનાવેલો કાનૂન છે અને ગુજરાત રાજયમાં તેનો અમલ થઈ રહ્યો છે. આ કાયદાની જોગવાઈ અંતર્ગત અનુસૂચિત જનજાતિઓના તથા અન્ય વનવાસીઓના પરંપરાગત રહેણાંકીય, સામાજિક, આર્થિક આજીવિક વિષયક અધિકારોની નોંધણી કરી તેવા અધિકારો તેમને એનાયત કરવામાં આવે છે. જંગલ અધિકાર અધિનિયમ, ૨૦૦૬ ની જોગવાઈઓ અંતર્ગત વ્યકિતગત, સામુદાયિક અને માળખાગત સુવિધાઓ સંબંધિત હક્કોની બાબત આવરી લેવાઈ છે.


કાયદાના અમલ માટે રાજ્યમાં આદિજાતિ વિકાસ વિભાગ નોડલ એજન્સી તરીકે કાર્ય કરે છે.


અધિકારો


વ્યક્તિગત અધિકારો

વ્યક્તિગત હક્કોના પ્રકારમાં કાયદા અનુસાર પાત્રતા ધરાવતા દાવેદારોને રહેઠાણ માટે તેમજ ખેતીના ઉપયોગ માટે મહત્તમ ૪ હેક્ટર સુધીની જમીનના હક્ક એનાયત કરવામાં આવે છે.


આ માટેના લાભાર્થી :
પરંપરાગત અનુસૂચિત જનજાતિની અથવા પરંપરાગત વનવાસી હોવા જોઈએ અને છેલ્લી ત્રણ પેઢઓથી અધિકૃત રીતે ખેતીની આજીવિકા માટે જંગલ પર નિર્ભર હોવા જોઈએ.
વન અધિકાર અધિનિયમ, ૨૦૦૬ હેઠળ આવા હક્કોની માન્યતા એ શરતને આધીન છે કે તેવા અનુસૂચિત જનજાતિની કે અન્ય પરંપરાગત વનવાસી વ્યક્તિ ૧૩ ડિસેમ્બર ૨૦૦૫ પહેલાં જંગલની જમીન ધરાવતા હોવા જોઈએ અને ૩૧મી ડિસેમ્બર ૨૦૦૭ ના દિવસે તે જમીનનો કબજો તેમની પાસે હોવો જોઈએ. 

સામુદાયિક અધિકારો

જંગલ જમીન પર તેમજ જંગલની પેદાશ પર સમુદાયનો હક્ક ગૌણ જંગલ પેદાશો એકત્રિત કરવા માટે તેમજ તેનો ઉપયોગ કરવા માટે, માછીમારો માટે, જંગલમાં પશુઓ ચરાવવા માટે, જંગલમાં આવેલ જલસ્ત્રોતોનો ઉપયોગ કરવા માટે તેમજ આદિજાતિ જૂથોના સંદર્ભે જંગલમાં વસવાટ કરવા માટેના સામુદાયિક હક માન્ય કરી શકાય છે.
માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે જંગલ જમીનનો ઉપયોગ

કાયદાની કલમ ૩(૨) માં કરેલી જોગવાઈ અનુસાર વિકાસ માટેના હક્કના પ્રકારમાં, શાળા, હોસ્પિટલ, લઘુસિંચાઈ, પેયજલ સુવિધા જેવી કુલ ૧૩પ્રકારની માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે જંગલની જમીનની ફાળવણી કરવાની જોગવાઈ છે.

અમલીકરણ સ્થિતિ
વન અધિકાર અધિનિયમ, ૨૦૦૬ ના લાભાર્થીઓની દાવો રજૂ કર્યા પછીની સ્થિતિ
વન અધિકાર અધિનિયમ હેઠળના તા. ૬-૯-૨૦૧૨ ના સુધારેલ નિયમોનો નિયમ ૧૬ એમ સૂચવે છે કે દાવેદારે દાવો રજૂ કર્યા બાદ તેમને સમર્થન પૂરું પાડવું જોઈએ તેમજ
વન અધિકાર અધિનિયમના અધિકાર ધારકોને તમામ સંબંધિત ખાતાઓના વડાઓએ તેમજ જિલ્લા કલેક્ટરોને સૂચનાઓ જારી કરી છે કે વન અધિકાર અધિનિયમના લાભાર્થીને સરકારી યોજનાઓનો લાભ પૂરો પાડવો.
કૃષિ વિભાગે ઈ-પોર્ટલ પર વન અધિકાર અધિનિયમ લાભાર્થીઓની યાદી જાહેર કરી છે.

દાવા નક્કી કરવા માટે પુરાવાઓ

દાવાની ખરાઈ પુરવાર કરવા માટે નીચેના પૈકી બે પુરાવા જરૂરી છે
જાહેર દસ્તાવેજો, ગેઝેટીયર, વસ્તી ગણતરી સેન્સસ, મોજણી અને વસવાટ સંબંધિત અહેવાલો જેવું સરકારી રેકર્ડ, નકશા, સેટેલાઈટ ઈમેજરી (ઉપગ્રહમાં ઝીલાતું છાયાચિત્ર), વર્કીંગ પ્લાન, માઈક્રો પ્લાન, જંગલ તપાસ અહેવાલો, અન્ય જંગલ સંબંધિત અહેવાલો.
સરકારે અધિકૃત કરેલ દસ્તાવેજ જેમકે મતદાતા ઓળખપત્ર, રેશનકાર્ડ, પાસપોર્ટ, ઘરવેરા પાવતી, વતન સંબંધિત પ્રમાણપત્ર, આવાસ, ઝૂંપડું, બંધ, ચેકડેમ (બંધપાળા) જેવી કાયમી લાક્ષણિકતાઓ
અર્ધ ન્યાયિક અને ન્યાયિક રેકર્ડ, અદાલતી હુકમો અને ચુકાદા
અધિકાર સંબંધિત, રાહત સંબંધિત, અગાઉના રાજા રજવાડા દ્વારા કૃપાની રાહે કરવામાં આવેલ તરફેણનું રેકર્ડ
વન અધિકાર સંબંધિત રીત રીવાજો કે પરંપરાઓના સંશોધન અભ્યાસો
પરંપરાગત માળખા - જેવાં કે કુવા, સ્મશાન ગૃહ, પવિત્ર સ્થાન
જાતિના વયોવૃધ્ધ વ્યકિતનું નિવેદન

પધ્ધતિ
ગ્રામ સભાએ નિયુક્ત કરેલી વન અધિકાર સમિતિ દાવા અરજી સ્વીકારે છે, તેની ચકાસણી કરે છે, રેકર્ડની નોંધ કરે છે અને દાવા અરજીના નિર્ણય માટે ગ્રામસભા તરફ રવાના કરે છે.
ગ્રામસભા તે દાવા અરજીની સ્વીકાર કે અસ્વીકારની ભલામણ સાથે પેટાવિભાગીય કક્ષાની સમિતિ સમક્ષ મોકલે છે.
પેટા વિભાગીય સમિતિ દાવા અરજી અને તેની સાથે મોકવામાં આવેલા પુરાવાની ચકાસણી કરે છે અને દાવા અરજી સંબંધિત ભલામણ સાથે નિર્ણય અર્થે જિલ્લા કક્ષાની સમિતિ તરફ રવાના કરે છે.
જિલ્લા કક્ષાની સમિતિ આ સંબંધિત નિર્ણય લેવા માટે આખરી સત્તા ધરાવતું તંત્ર છે.










જો તમને આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો લાઈક કરી શેર જરૂર કરજો…

ખેડૂત કોણ બની શકે? બિનખેડૂત ખેતીની જમીન ખરીદે તો?

ખેડૂત કોણ બની શકે? બિનખેડૂત ખેતીની જમીન ખરીદે તો?

1. ખેડૂત – બિનખેડૂત – ખેતમજુર :

(એ) ખેડૂત :
     ખેડૂત એટલે જમીનની જાતે ખેતી કરતી વ્યકિત. ખેતી કરવી એટલે કોઈ પણ ખેતી વિષયક કામકાજ કરવું અને જાતે ખેતી કરવી એટલે પોતાના શ્રમથી અથવા પોતાનાં કુટુંબની કોઈ વ્યકિતના શ્રમથી અથવા પોતાના કુટુંબની વ્યકિતના અંગત દેખરેખ હેઠળ જેમને રોકડ વસ્તુના રૂપમાં મજુરી આપવાની હોય પણ પાકના ભાગના રૂપમાં મજુરી આપવાની ન હોય તેવા નોકરો રાખીને અથવા દહાડિયા રાખીને અથવા પોતાના ખર્ચે ખેતી કરવી તે એટલે કે ખેડૂત.
(બી) બિનખેડૂત :
       એવી વ્યકિત કે જેણે આજ દિન સુધી ખેતી અંગેનું કોઈ કામકાજ કર્યુ ન હોય અને તે વારસાગત ખેડૂત નથી.
(સી) ખેતમજુરો પોતાની જમીન ધારણ કરી શકે છે. :
       સૌપ્રથમ તો ખેતમજૂર કોને ગણવો? જે વ્યકિત ૫ વર્ષથી ખેતમજૂરી કરતો હોય અને જે વ્યકિતના પોતાના નામે કે સંયુકત નામે કોઈ ખેતીની જમીન નથી કે વારસાઈમાં તેને આવી જમીન મળવાની નથી. ખેતમજૂર ખેતમજૂરી સિવાય અન્ય કોઈ વ્યવસાય કે આનુંસંગીક વ્યવસાય ન કરતી હોવી જોઈએ. આવી વ્યકિતની વાર્ષિક આવક રૂપિયા ૫૦૦૦થી વધુ હોવી ન જોઈએ.
       આવી વ્યકિતઓએ મામલતદાર પાસેથી પ્રમણપત્ર મેળવી તેઓ પોતાની જાતને ખેતમજૂર પ્રસ્થાપિત કરીને ત્યારબાદ ખેતીની જમીન ખરીદી શકે છે.

2. બિનખેડૂત વ્યકિત પોતાની જમીન ખરીદ કરી શકે કે કેમ ? :

(એ) પરપ્રાંતનો ખેડૂત ગુજરાતમાં ખેડૂત ન ગણાય અને તે ગુજરાતમાં ખેતીની જમીન ખરીદી શકે નહી :
       ખેડૂત સાથે બિનખેડૂત વ્યકિત સહભાગીદાર તરીકે પોતાની જમીન ખરીદી શકે નહી. મતલબ કે ખેડૂત સાથેનો બિનખેડૂત ભાગીદાર ખેતીની જમીન ખરીદીને ખેડૂત બની શકે નહી. ગુજરાતનો વ્યકિત પણ આવા સંજોગોમાં ગુજરાતમાં ખેતીની જમીન ખરીદી શકતો નથી.
(બી) બિનખેડૂત વ્યકિત કે સંસ્થાને ખેતીની જમીન ખરીદવા માટે પણ નાયબ મદદનીય કલેકટરશ્રી પાસેથી ખેડૂત પ્રમાણપત્ર મેળવવું પડે છે. અને તે નીચે મુજબની પરિસ્થિતિમાં પમાણપત્ર મળી શકે છે :
૧. કોઈ વ્યકિતને ખેતીની જમીન બિનખેતીના કામ માટે જોઈતી હોય.
૨. તે જમીનના માલિકે કલમ-૫૫ના ઠરાવોનું પાલન કર્યુ હોય.
૩. કોઈ જમીન જે ગામમાં આવેલી હોય તે ગામનો કોઈ પણ ખેડૂત તે જમીનના માલિક પાસેથી તે જમીન પટે લેવાને તૈયાર ન હોય તેવા સંજોગોમાં.
૪. તે જમીન કોઈ ઔદ્યોગિક-વેપાર ધંધાના સાહસમાં લાભ લેવા માટે અથવા કેળવણી વિષયક કે ધર્માદા સ્થાપવા માટે જોઈતી હોય.
૫. તે જમીન સહકારી મંડળીને જોઈતી હોય.
૬. જમીન ગીરો લઈ શકાય છે. પરંતુ તે માટે ગીરો લેનારે કલેક્ટર પાસેથી ‘‘પોતે ખેડુતનો ધંધો કરવા ધારે છે અને જમીનને જાતે ખેડવા કબુલ થાય છે’’ એ મતલબનું પ્રમાણપત્ર મેળવવાનું હોય છે.
૭. જો કોઈ જમીનનો માલિક એવા કોઈ શખ્સને દાનમાં આપવા માંગતો હોય કે જે શખ્સ કોઈ પણ જમીનની માલિકી ધરાવતો ન હોય. પરંતુ તેણે પોતે ખેડૂતનો ધંધો કરવા ધારે છે. અને જાતે જમીન ખેડવા ઈચ્છે છે. એ મતલબનું પ્રમાણપત્ર મામલતદાર પાસેથી મેળવેલ હોય છે.
૮. ખેતીવાડીનો માન્ય અભ્યાસક્રમ (બિહેવીયર ઓફ એગ્રીકલ્ચર) કરેલ વ્યકિત પોતાનો વ્યવસાય કરવા માંગતી હોય અને પોતે જાતે ખેતી કરવાની બાહેંધરી આપતો હોય.
(સી) ખેડૂત પ્રમણપત્ર મેળવનારે એક વર્ષમાં ઉપયોગ કરવો જરૂરી :
       ખેતીની જમીનનો કબજો લીધાની તારીખથી ૧ વર્ષની મુદ્દતમાં જે કારણ સારૂં પરવાનગી મેળવેલ હોય તે કારણસરનું કામ શરૂ કરી દેવું પડે છે.
(ડી) પુરૂષ પોતે ખેડૂત ન હોય પણ પત્ની ખેડૂતપુત્રી હોય તો :
       પતિ ખેડૂત ન હોય પણ પત્ની ખેડૂતપુત્રી હોય તો પત્નીએ સૌપ્રથમ પોતાના પિતાના ખાતામાં વારસાઈથી સહમાલિક તરીકે નામ દાખલ કરાવી ખેડૂતનું પ્રમાણપત્ર મેળવવાનું હોય છે. ત્યાર બાદ તેણી પોતે ખેતીની જમીન ખરીદી શકે છે અને તેણીના વારસદારો પુત્ર, પુત્રી (પતિ નહી) વારસાગત રીતે ખેડૂત ગણાશે અને તેમના નામે પણ ખેતીની જમીન ખરીદી શકાય છે.
(ઈ) નર્મદા યોજનાના કારણે વિસ્થાપીત થતી વ્યકિત પછી તે ખેડૂત હોય કે બિનખેડૂત હોય મહેસુલ વિભાગના તારીખ ૧૩-૦૮-૯૧ના ઠરાવ ગણાતા – ૧૩૯૦ એમ.આર. ૧૫-જ મુજબ ગુજરાત રાજ્યમાં ખેડૂત તરીકે ગણાવાના રહે છે.
(એફ) ગેરકાયદેસર રીતે પ્રાપ્ત કરેલ ખેતીની જમીન જપ્ત થઈ શકે છે.
       ઉપરોકત નિયમો અનુસાર જો કોઈએ ગેરકાયદેસર રીતે જમીન તબદિલ કરીને જમીનનો કબ્જો ધરાવતો હોય તો તેવી વ્યકિતઓને જમીન ખાલી કરાવવા માટે કલેક્ટરશ્રી કાર્યવાહી કરીને કલમ-૭૫થી મળેલ સમાનુસાર જમીન ખાલી કરાવી શકે છે.

પ્રશ્નોત્તરી :

     પ્રશ્ન : કોઈ ખેડૂત/ખાતેદાર પોતાની જમીન વેચાણ/તબદિલ કરવા માંગતો હોય તો તે અંગે તેણે કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ ?
જવાબ : જૂના મુંબઈ રાજ્યનાં વિસ્તારમાં ગણોતધારાની કલમ ૬૩ અન્વયે, કચ્છમાં કચ્છ-ગણોતધારાની કલમ ૮૯ હેઠળ અન્વયે તથા જુના સૌરાષ્ટ્ર રાજ્યના વિસ્તારમાં સૌરાષ્ટ ઘરખેડ ગણોત પતાવટ અને ખેતીની જમીન અંગેનો ૧૯૪૯ના કાયદાની કલમ ૫૪, જે રાષ્ટ્ર લેન્ડ રીફોર્મસ એકટથી અમલી કરવામાં આવી છે. તેમાં ખેતીની જમીન બિનખેડૂતને તબદિલ/વેચાણ કરવા ઉપર પ્રતિબંધ છે. ખેડૂત અગર ગણોતિયો પણ જે તે વિસ્તારના ટોચ મર્યાદા કરતાં જમીન વધતી હોય તો આવી વધારાની ખેતીની જમીન વેચાણ રાખી શકે નહીં.
     પ્રશ્ન : કોઈ બિનખેડૂતને જાત ખેતી કરવા માટે જમીન વેચાણથી રાખવી હોય તો કોઈ જોગવાઈ છે ?
જવાબ : હા, કોઈ બિનખેડૂત જો ખેતીના હેતુ માટે જ જમીન વેચાણથી રાખવા માંગતો હોય તો નાયબ કલેક્ટરશ્રી/કલેક્ટરશ્રી તરફથી ઠરાવવામાં આવે છે. તેવી શરતોએ વેચાણ, બક્ષીસ, પટા અથવા ગિરોથી તે બાબતનું પ્રામાણપત્ર મેળવી રાખી શકશે. એમાં જે તે વ્યકિતની વાર્ષિક આવક રૂ. ૫૦૦૦/- થી વધે નહીં તે તથા આવી બાબત ધ્યાનમાં રાખીને સક્ષમ અધિકારી નિર્ણય લે છે અને પોતાને સંતોષ થાય તો જ આવી પરવાનગી આપે છે.
     પ્રશ્ન : કોઈ ખેડૂત/વ્યકિતએ પોતાની જમીન અન્ય ખેડૂતને તબદિલ કરવી હોય તો કોઈ બાબતમાં નિયંત્રણ છે ?
જવાબ : હા, ગુજરાતના અનૂસુચિત વિસ્તાર તરીકે જાહેર થયેલ વિસ્તારમાં કોઈ આદિવાસીએ ધારણ કરેલી કે તેમને સરકારે જાતખેતી માટે આપેલી ખેતીની કે બિનખેતીની જમીન બીજી કોઈ વ્યકિતને ભલે તે ખેડૂત હોય કે આદિવાસી હોય પરંતુ કલેકટરશ્રીની પૂર્વ મંજુરી વિના તબદીલ કે વેચાણ થઈ શકતી નથી અને જો આવી કાર્યવાહી પૂર્વમંજુરી સિવાય થઈ હોય તો ગેરકાયદેસર છે. આમાં ખેતી વિષયક હેતુ માટે લોન લેવા સહકારી કે જમીન વિકાસ બેંકને જમીન તારણ આ૫વાનો સમાવેશ થતો નથી. નામદાર ગુજરાત હાઈકોર્ટના બિનખેતીની વ્યાખ્યાના અર્થઘટન મુજબ કોઈ પણ વ્યકિત એક જ ગામમાં એક જ જથ્થે અથવા અલગ આવેલી હોય તો તેવા ભાગો એક બીજાથી ૮ કિ.મી. કરતાં વધુ અંતરે આવેલ ન હોય તો જ તે ખેડૂત ગણવામાં આવે છે અને તે કરતાં વધુ અંતરના વિસ્તાર માટે તેવી વ્યકિત ખેડૂત ગણવા પાત્ર નથી તે કારણે ખેડૂત-ખેડૂત વચ્ચેના વેચાણમાં પણ તે મુદ્દો તપાસવાને પાત્ર છે.

જો તમને આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો લાઈક કરી શેર જરૂર કરજો…

હક પત્રક માં એન્ટ્રી કઈ રીતે પડે? કેમ મંજુર? ના મંજુર થાય?

હક પત્રક માં એન્ટ્રી કઈ રીતે પડે? કેમ મંજુર? ના મંજુર થાય?


















If you have liked the article, please share it

વાલીએ કરેલ સગીરની મિલકતનું વેચાણ રદ કરાવવા માટેના દાવા ની સમયમર્યાદા અંગે કાયદાકીય જોગવાઈઓ

વાલીએ કરેલ સગીરની મિલકતનું વેચાણ રદ કરાવવા માટેના દાવા ની સમયમર્યાદા અંગે કાયદાકીય જોગવાઈઓ 




































જો તમને આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો લાઈક કરી શેર જરૂર કરજો…





ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...