6.29.2022

હવેથી અધૂરા પુરાવા હશે તો સબ રજીસ્ટ્રાર કચેરી માં દસ્તાવેજ નહીં થઈ શકે

 

ગેરરીતિ અટકાવવા સરકારે નવી ગાઈડ લાઈન બહાર પાડી, સબરજિસ્ટ્રાર માત્ર સાત દિવસ દસ્તાવેજ રાખી શકશે જો પુરાવા નહીં અપાય તો પરત કરી દેશે

દસ્તાવેજ પેન્ડિંગ રાખવાની કામગીરી બંધ

1લી જુલાઈથી નવા આદેશનો અમલ

પરિપત્ર માટે અહી કિલક કરો



રાજ્ય સરકારે જમીન તથા મિલકતોના દસ્તાવેજો જુદા જુદા કારણોસર પેન્ડિંગ રાખવાની જોગવાઈ તા.1લી જુલાઈથી રદ કરવામાં આવી છે. દસ્તાવેજ નોંધણી અર્થે રજૂ થાય ત્યારે તમામ જરૂરિયાત પૂર્ણ હોય અને કોઈ વાંધો ન હોય તો દસ્તાવેજની નોંધણી થઈ શકશે અને જો દસ્તાવેજ સામે વાંધો હોય તો દસ્તાવેજ કોઈપણ સંજોગોમાં થઈ શકશે નહીં અને દસ્તાવેજ કરવો હોય તો 7 દિવસની અંદર ખૂટતી બાબતોની પૂર્તતા કરે તેવી લેખિતમાં નોંધ આપશે તો દસ્તાવેજ સબ રજિસ્ટ્રાર કચેરીમાં મૂકી રાખવામાં આવશે અને 7 દિવસમાં વાંધા દૂર નહીં કરે તો દસ્તાવેજ પરત કરી દેવામાં આવશે એવી નવી જોગવાઈ કરવામાં આવી છે.

દસ્તાવેજની નોંધણીમાં અત્યાર સુધી ઓછી સ્ટેમ્પ ડ્યૂટી ભરવાના કેસમાં દસ્તાવેજ પેન્ડિંગ કરવામાં આવતા હતા. આ ઉપરાંત પાનકાર્ડ, સાક્ષીઓની સહી, પાવર ઓફ એર્ટની હોલ્ડરની હયાતી વિગેરે જેવા મુદ્દાઓ ન હોવા છતાં સબ રજિસ્ટ્રાર એકવાર દસ્તાવેજ કરી તેનો નંબર જનરેટ કરી પછી તેને પેન્ડિંગ કરી દેતા હતા. આવા કિસ્સામાં સરકારને ઘણી ફરિયાદો મળી છે. તેમાં ગેરરીતિ થવાના કિસ્સા પણ સરકારને મળ્યા છે.

સરકાર સમક્ષ મળેલી રજૂઆતોમાં દસ્તાવેજના એન્ડોર્સમેન્ટ પેજ તેમજ મુલત્વી (પેન્ડિંગ) રજિસ્ટ્રારમાં પેન્ડિંગ બાબતે જરૂરી નોંધ કરવામાં આવતી નથી તેમજ દસ્તાવેજ પેન્ડિંગ હોવા બાબતે અરજદારને વાંધાનો નિકાલ કરવા માટે નિયત સમય મર્યાદામાં નોટિસ પાઠવવામાં આવતી નથી કે કોઈપણ રીતે જાણ કરવામાં આવતી નથી. આ ઉપરાંત સબરજિસ્ટ્રાર કચેરી ખાતે નોંધણી અર્થે રજૂ થયેલા દસ્તાવેજ મિલકતની બજાર કિંમત નક્કી કરવા તથા ખુટતી સ્ટેમ્પ ડ્યૂટી વસૂલવા નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યૂટીને અસલ દસ્તાવેજો મોકલી આપવામાં આવતા હોય છે. ત્યારબાદ ઘણા કિસ્સામાં અસલ દસ્તાવેજો કચેરીમાંથી ગુમ થઈ જાય છે અને ત્યારબાદ બીજી નકલના આધારે કાર્યવાહી કરવામાં આવતી હોવાના બનાવો પણ બનવા પામ્યા છે.

સબરજિસ્ટ્રાર કચેરી ખાતે એક જ પ્રકારની મિલકતના દસ્તાવેજમાં કોઈપણ યોગ્ય કારણ સિવાય દસ્તાવેજમાં કોઈપણ યોગ્ય કારણ સિવાય દસ્તાવેજ પેન્ડિંગ કરી દેવામાં આવે છે. જ્યારે બીજીબાજુ આવી જ મિલકતો દસ્તાવેજ કરી તેની નકલ પક્ષકારને પરત કરી દેવામાં આવે છે. આ અંગે કચેરીમાં બિનજરૂરી પ્રશ્નો ઊભા થાય છે અને અરજદારોને ઘણી હાડમારીઓ ભોગવવી પડે છે. દસ્તાવેજ નોંધણીનો મુખ્ય હેતુ જે જમીન કે મિલકતના વેચાણની નોંધણી થઈ છે. તેની જાહેરાત કરવાનો છે. જ્યારે દસ્તાવેજની નોંધણીની કાર્યવાહી પૂર્ણ થાય ત્યારે જ મિલકત તબદિલી કાયદા મુજબ થાય છે. ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં લેતા જ્યારે કોઈ દસ્તાવેજ નોંધણી અર્થે રજૂ થાય તે તમામ જરૂરિયાતો પૂરી કરે છે તથા તેની આખરી નોંધણી સામે કોઈ વાંધો ન જણાતો હોય તેવા જ દસ્તાવેજની જ નોંધણીની કાર્યવાહી હાથ ધરવાથી લોકોની હાડમારી દૂર થશે અને છેતરપિંડીના બનાવો પણ અટકશે.

સરકારે નવી ગાઈડ લાઈન બહાર પડી પરિપત્ર કાર્યો છે અને રાજ્યભરમાં તેનો અમલ તા.1લી જુલાઈથી કરવાનો આદેશ કર્યો છે. નવા પરિપત્રમાં જણાવ્યું છે કે જ્યારે દસ્તાવેજ નોંધણી અર્થે રજૂ કરાવમાં આવે ત્યારે પ્રથમ તેની નોંધણી કાયદા મુજબ છે કે નહીં તે ચકાસવામાં આવશે અને ત્યારબાદ તમામ જોગવાઈ પરિપૂર્ણ જણાય તથા તેની આખરી નોંધણી સામે કોઈ વાંધો જણાતો તેવા જ દસ્તાવેજોની નોંધણી હાથ ધરવાની રહેશે અને દસ્તાવેજની ચકાસણી બાદ જ યોગ્ય જણાય તો દસ્તાવેજનો નંબર જનરેટ કરવાનો રહેશે અને જો દસ્તાવેજ તમામ જોગવાઈ મુજબ ના હોય તથા દસ્તાવેજની નોંધણી સામે વાંધો હોય તો તે દસ્તાવેજની નોંધણી સબ રજિસ્ટ્રારે કરવાની રહેશે નહીં અને આ સ્થિતિમાં દસ્તાવેજ કરાવનારને લેખિતમાં કારણ સાથે જાણ કરવાની રહેશે અને લેખિતમાં જાણ કર્યા અંગેની સહી પણ લેવાની રહેશે અને જો પક્ષકાર સહી કરવાની ના પાડે તો તેની નોંધ લખી સબ રજિસ્ટ્રારે શેરો મારવાનો રહેશે.

પરિપત્રમાં જણાવ્યું છે કે નોંધણી અર્થે રજૂ થતા દસ્તાવેજમાં યોગ્ય સ્ટેમ્પ ડ્યૂટી ભરપાઈ કરી નો હોય તો સબરજિસ્ટ્રારે ગણતરી કરી ખૂટતી સ્ટેમ્પ ડ્યૂટીની ભરપાઈ કરવા માટે પક્ષકારને જાણ કરવાની રહેશે તથા દસ્તાવેજો પરત્વે તેનો પ્રકાર નક્કી કરવામાં કે સ્ટેમ્પ ડ્યૂટીની ગણતરી ના થઈ શકતી હોય તો તેવા કિસ્સામાં યોગ્ય સ્ટેમ્પ ડ્યૂટી માટે નાયબ કલેક્ટર સમક્ષ રજૂ કરવા પક્ષકારને જણાવવાનું રહેશે. દસ્તાવેજ પક્ષકારની કબૂલાત માટે પેન્ડિંગ રાખી શકાશે નહીં. દસ્તાવેજ રજૂ થાય ત્યારે એક જ કાગળમાં તમામ વાંધાઓ પક્ષકારને જણાવવાના રહેશે. ત્યારબાદ બીજા વાંધાઓ સબરજિસ્ટ્રાર ઉપસ્થિત કરી શકશે નહીં. તેમજ જ્યારે કોઈ દસ્તાવેજ નોંધણી અર્થે રજૂ થાય ત્યારે તે તમામ જરૂરિયાતો પૂર્ણ થાય કે નહીં તેના માટે એક એક લિસ્ટ બનાવવામાં આવ્યું છે. તે પક્ષકારને બતાવવાનું રહેશે અને ચેકલિસ્ટ સિવાય કોઈ કારણ હોય તો તે અન્ય કારણની નોંધણી થઈ શકે તેમ નથી. તે લેખિતમાં જણાવવાનું રહેશે.રાજ્ય સરકારે ક્યા સંજોગોમાં દસ્તાવેજના થઈ શકે અને ક્યા મુદ્દો છે જેની પૂર્તતા કરવા જરૂરી છે તેનું ચેકલિસ્ટ બનાવવામાં આવ્યું છે તેના કેટલાક મુદ્દાઓ અહી પ્રસ્તુત છે.

ચેકલિસ્ટ

મિલકતના દસ્તાવેજમાં મિલકત ઓળખી શકાય તેટલા પુરાવા નથી.

રજિસ્ટ્રેશન એક્ટ મુજબ નિયત સમય મર્યાદામાં દસ્તાવેજ રજૂ કર્યો નથી.

દસ્તાવેજ રજૂ કરનારનો પાસપોર્ટ સાઈઝનો ફોટો તથા ફિંગર પ્રિન્ટ લાવી રજૂ કર્યા નથી.

જેના દસ્તાવેજની નોંધ કરાવવાની છે તેમણે અધિકૃત પુરાવા આપ્યા નથી.

દસ્તાવેજના દરેક પાના ઉપર પક્ષકારમાંથી કોઈ એકની સહી કે અંગુઠો નથી.

કુલમુખત્યારનામા ધારકે દસ્તાવેજ કરી આપ્યો હોય તેવા કિસ્સામાં મુખ્યત્યારનામુ કરી આપનાર હયાતી છે. જેવી સાબિતી જોડેલી નથી.

અંશાતધારાનું સર્ટિ. રજૂ કર્યું નથી.

તૈયાર મિલકત અંગે અધિકારીની પરવાનગી રજૂ કરાઈ નથી.

જાહેર ટ્રસ્ટની મિલકત હોય તો સમક્ષ અધિકારીની પરવાનગી જરૂરી છે.

કોર્ટ કેસ હોય તો તેનો નંબર.

દસ્તાવેજ સાથે ઝોનિંગ સર્ટિ. રજૂ કર્યું નથી.

સ્ટેમ્પનો સમય મર્યાદા 6 માસમાં ઉપયોગ કરેલ નથી

ખેતીથી બિનખેતી માટે ટાઉન પ્લાનીગ /ટીપી/ડીપી વિસ્તાર માં 60 ટકા જમીનનું પ્રીમિયમ ભરવાનું રહેશે

 FOR GR CLIK HERE

N. A. માટે અરજી કરતા જમીન માલિકોને મોટો ફાયદો: 40 ટકા કપાતનું ધોરણમાં ધ્યાનમાં રખાશે


ખેતીથી બખેતીન શરતફેરના કિસ્સામાં જો જમીન ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ જાહેર થઈ ગઈ હોય તો 40 ટકા કપાત કરી બાકી રહેતી 60 ટકા જમીન પરક જંત્રી મુજબ પ્રીમિયમ લેવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. આ માટે સરકારે જંત્રીમાં ખુલ્લા પ્લોટની ગાઈડ લાઈન બહાર પાડવામાં આવી છે.
રાજ્ય સરકારે તાજેતરમાં એક પરિપત્ર બહાર પાડી આ અંગે નિર્ણય જાણ કરી છે. રાજ્યમાં અત્યાર સુધી ખેતીની જમીન જો 10,000 ચો.મી. હોય તો બિન ખેતીમાં ફેરવવામાં માટે અરજી થાય તો પ્રીમિયમ 10,000 ચો.મી.નો જ વસુલવામાં આવતો હતો. આ અંગે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે અહેવાલ મંગાવતા રાજ્યમાં આ અંગે જુદી જુદી નીતિઓ અમલમાં હતી. દરેક જિલ્લામાં આ અંગે અલગ અલગ માપદંડો અમલમાં હતા. 

રાજ્યના જમીન માલિકોએ આ અંગે એવી રજૂઆત કરી હતી કે જમીન એન.એ. માટે અરજી કરવામાં આવે ત્યારે પૂરેપૂરી જમીનનું પ્રીમિયમ વસૂલવામાં આવે છે અને ત્યારબાદ તેના ડેવલપમેન્ટ માટે તેને મૂકવામાં આવે ત્યારે સત્તામંડળો 40 ટકા કપાતના ધોરણે જમીન લઈ 60 ટકાના પ્લોટમાં ડેવલપમેન્ટ માટે મંજૂરી આપતા હોય છે. ત્યારે 40 ટકા જમીન પર સરકાર દ્વારા જે પ્રીમિયમ વસૂલવામાં આવે છે તે જમીન માલિક ઉપર વધારાનો બોજ ન પડે છે અને તેના કારણે પ્રોજેક્ટ કોસ્ટ વધી જાય છે. એટલું જ નહીં બાંધકામની સ્કીમમાં આ બોજો ગ્રાહક ઉપર નાખવામાં આવે છે. આ બોજો દૂર કરવા માટે સરકારને રજૂઆત કરવામાં આવી હતુ. 

ઉપરોક્ત સમયે રજૂઆત વખતે સરકાર તરફથી દલીલ કરવામાં આવી હતી કે બાકીની 40 ટકા જમીન ઉપર પ્રીમિયમ વસૂલવામાં ના આવે તો સરકારની આવક ઉપર મોટો ફટકો પડે તેમ છે અને આ જમીન ઉપર સત્તામંડળો તેનો ઉપયોગ કરવાના છે કેટલાક પ્લોટ વેચી આવક પણ ઉભી કરશે. ત્યારે પ્રીમિયમ ગ્રાહક પાસેથી વસૂલવા માટેની દલીલ પણ થઈ હતી. આ મુદ્દે સત્તામંડળે ભારે વિરોધ નોંધાવ્યો હતો અને તેમણે પ્રીમિયમ એન.એ. કરતી વખતે જ વસૂલવામાં આવે તેમ જણાવ્યું હતું. 

સરકારે તમામ રજૂઆત બાદ તાજેતરમાં આ અંગે નિર્ણય કરી પરિપત્ર કરવામાં આવ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે સ્ટેમ્પ અધિનિયમ કડક અમલ માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં જમીન તથા સ્થાવર મિલકતોની બજાર કિંમત નક્કી કરવા ગાઈડલાઈન (જંત્રી) સમયાંત્તરે નક્કી કરવામાં આવ્યા છે. સરકારે કાળજીપૂર્વક વિચારણાને અંતે ખેતીથી ખેતીના શરતફેરના કિસ્સામાં જ્યારે ટાઉન પ્લોટ ભંગ સ્કીમનો ઈરાદો જાહેર થયો હોય કે ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ જાહેર થઈ હોય અથવા ટી.પી. સ્કીમ પ્રિલીમીનરી અને ફાઈનલ જાહેર થઈ હોય તેવા સમયે જ્યારે બિનખેતી માટે અરજી આવે તે સમયે “એફ. ફોર્મ”માં દર્શાવેલ અંતિમખંડ (ફાઈનલ પ્લોટ)નું ક્ષેત્રફળ ધ્યાનમાં લેવાતું રહેશે અથવા જો “એફ. ફોર્મ” નહીં હોય તો તેવા કિસ્સામાં સામાન્ય રીતે 40 ટકા કપાત ધ્યાનમાં લઈ મળવાપાત્ર ફાઈનલ પ્લોટના ક્ષેત્રફળને ધ્યાનમાં રાખીને ખેતીથી બિનખેતીનું પ્રીમિયમ તેમજ તે મુજબના જ ક્ષેત્રફળને ધ્યાનમાં રાખીને ખેતીથી ખેતીનું પ્રીમિયમ વસૂલવાનું રહેશે.

તાજેતરમાં ધ્યાનમાં આવ્યુ છે કે રાજ્યની સબ રજીસ્ટ્રાર કચેરો તથા ડેપ્યુટી કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી દ્વારા ફાઈનલ પ્લોટને ધ્યાનમાં લેવાના બદલે આખેઆખા પ્લોટના ક્ષેત્રફળને ધ્યાનમાં રાખીને સ્ટેમ્પ ડ્યુટી ભરાવવામાં આવે છે. તેમજ પ્રીમિયમ પણ વસુલવામાં આવે છે. આ બાબતે ઘણી રજૂઆતો મળી છે. આમ જંત્રી 2011ની ગાઈડ લાઈન મુજબ જે કિસ્સામાં જમીનોની તથા સ્થાવર મિલકતોની બજાર કિંમત નક્કી કરવા માટે ખુલ્લા પ્ટોલની વ્યાખ્યા મુજબ ખુલ્લા પ્લોટની જંત્રી ધ્યાનમાં લઈ સ્ટેમ્પ ડ્યુટી નક્કી કરતી વખતે ડ્રાફ્ટ ટાઉન પ્લાનીંગ સ્કીમનો ઈરાદો જાહેર થઈ ગયો હોય તો જમીનનુ “એફ. ફોર્મ” મુજબ ફાઈનલ પ્લોટનું ક્ષેત્રફળ ધ્યાને લેવાતું રહેશે અને જે કિસ્સામાં “એફ. ફોર્મ”ના હોય તેવા કિસ્સામાં સંબંધિત સત્તામંડળ દ્વારા અપનાવેલા કપાતના ધોરણ મુજબ જમીન કપાત કરી બાકી રહેતા ક્ષેત્રફળને ધ્યાનમાં લઈ બજાર ભાવ નક્કી કરવાનો રહેશે અને તે મુજબ પ્રીમિયમ ભરવાનું રહેશે. ઉપરોક્ત નિર્ણયથી ખેતીથી બિનખેતી માટે થતી અરજીઓમાં જમીન માલિકોને મોટો ફાયદો થશે તેમને 60 ટકા જમીનના પ્લોટ મુજબ જ પ્રીમિયમ ભરવાનું રહેશે.

ખુલ્લા પ્લોટના દસ્તાવેજોમાં મિલ્કતનું ફરજિયાત સ્થળ નિરીક્ષણ કરીને જરૂરી કાર્યવાહી હાથ ધરવા બાબત

 સબ રજીસ્ટ્રાર કચેરી એ સરકારી શ્રી ને સ્ટેમ્પ અને નોધણી ફી ની આવક કરતો અગત્યનો વિભાગ છે. સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફી ની આવક સરકારી નિયમિત મળતી રહે તથા સ્ટેમ્પ ડ્યૂટીની ચોરી અટકાવવા માટે સરકાર શ્રી દ્વારા વખતોવખત સૂચનાઓ અને પરિપત્રો જાહેર કરવામાં આવતા હોય છે તાજેતરમાં તારીખ ૨૦/૦૬/૨૦૨૨ ના રોજ ખુલ્લા પ્લોટ   ના દસ્તાવેજ ફરજિયાત સ્થળ તપાસ કરવાની સુચના આપવામાં આવેલ છે. 


           (૧)  ઉપરોકત વિષય પરત્વે જણાવવાનું કે, રાજ્યમાં આવેલા સબ રજિસ્ટ્રાર કચેરીઓ દ્વારા નોંધણી કરવામાં આવતા સ્થાવર મિલ્કતના દસ્તાવેજો પૈકીથી બીન ખેતીના ખુલ્લા પ્લોટની મિલ્કતના દસ્તાવેજોમાં જણાવેલી જમીનમાં સ્થળે બાંધકામ થયેલ છે કે કેમ? તે અંગેની ચકાસણી કરવા સંદર્ભદર્શિત પરિપત્રોથી અવાર નવાર જરૂરી સુચનાઓ આપવામાં આવેલ છે. જેમાં જરૂરી સુધારો કરી નિચેની વિગતે ખુલ્લા પ્લોટના દસ્તાવેજોમાં મિલ્કતનું ફરજિયાત સ્થળ નિરીક્ષણ કરીને જરૂરી કાર્યવાહી હાથ ધરવાની સુચના આપવામાં આવેલ છે

        (૨)  તમામ સબ રજિસ્ટ્રારશ્રીઓએ અત્રેના સંદર્ભ-૪વાળા પરિપત્રથી નિયત કરેલા પત્રક મુજબની માહીતી તેમજ ખુલ્લા પ્લોટના દસ્તાવેજને સંલગ્ન ફોર્મ નં. ૧, ગણતરી પત્રક તથા દસ્તાવેજની નકલ સબંધીત નાયબ ક્લેક્ટરશ્રી સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન તંત્રને દર સોમવારે બિનચુક મોકલી આપવા જણાવવામાં આવેલ છે. તફાવતે સબંધીત સબ રજિસ્ટ્રારની જવાબદારી નક્કી કરવામાં આવશે. તેવું જણાવવામાં આવેલ છે

   (૩) આપેલી વખત તો વખતની સૂચનાઓનો અસરકારક અમલ થાય, કેસોનો ઝડપી નિકાલ થઇ શકે અને સ્ટેમ્પ ડયુટીની આવકને સુરક્ષિત કરી શકાય તે હેતુસર સબ-રજીસ્ટ્રાર કચેરી તરફથી મળેલા ખુલ્લા પ્લોટના દસ્તાવેજોમાં સ્થળ નિરીક્ષણ કરવાની કામગીરી કોના મારફતે કરાવવી તે બાબત સુનિશ્ચિત કરવી ખુબજ જરૂરી બને છે. સદર બાબતે કામગીરીની વહેંચણી કરવામાં આવેલ છે

    ગ્રામ્ય વિસ્તાર,નગરપાલીકા વિસ્તાર અને મહાનગરપાલીકા ઓથોરિટી વિસ્તારના નોંધાયેલા ખુલ્લા પ્લોટના દસ્તાવેજોમાં જણાવેલી વિગતો આધારે મિલ્કતનુ સ્થળ નિરીક્ષણની કામગીરી નીચે મુજબની વિગતે કરવાનું નક્કી કરવામાં આવેલ છે

અનુ.નંબર

વિસ્તાર

 

અધિકૃત અધિકારી/ કર્મચારી

દસ્તાવેજમાં જણાવેલ

 

રકમ

ખુલ્લા પ્લોટનો વિસ્તાર

1

ગ્રામ્ય

કચેરી અધિક્ષક /સ્ટેમ્પ નિરીક્ષક

૫ લાખ સુધી

રપ૦ ચો. મીટર થી

ઓછો

 

નાયબ કલેકટરશ્રી

૫ લાખથી ઉપર

૨૫૦ ચો.મીટરથી

વધુ

2

શહેરી

કચેરી અધિક્ષક /સ્ટેમ્પ નિરીક્ષક

- ૧૦ લાખ સુધી

૧૦૦ ચો.મીટર સુધી

 

નાયબ કલેકટરશ્રી

૧૦ લાખથી ઉપર

 

૧૦૦ ચો.મીટર થી વધુ

     (૪) ઉપર કોષ્ટકમાં દર્શાવેલ વિગતો મુજબ ખુલ્લા પ્લોટના દસ્તાવેજોમાં જણાવેલી મિલકતની બજારકિંમત નક્કી કરતાં પહેલા મિલકતનું ફરજિયાત સ્થળ નિરીક્ષણ કરીને જ મિલકતની બજારકિંમત નક્કી કરવાની કામગીરી હાથ ધરવી. કોષ્ટકમાં જણાવ્યા મુજબની વિગતો અને દસ્તાવેજમાં જણાવેલ અવેજ અને મિલ્કતના વિસ્તારમાં તફાવત જણાય તેવા કિસ્સામાં સ્થળ નિરીક્ષણ કોણે કરવુ તેનો નિર્ણય નાયબ કલેકટરશ્રીએ કરવાનો રહેશે.

    તમામ નાયબ ક્લેક્ટરશ્રી, સ્ટેમ્પ ડયુટી મુલ્યાંકન તંત્રની કચેરીને મળેલા ખુલ્લા પ્લોટના દસ્તાવેજો અંગેનું રજિસ્ટર નિભાવવાનું રહેશે. જે દસ્તાવેજોમાં જણાવેલી ખુલ્લા પ્લોટની મિલ્કતો બાબતમાં સ્થળ નિરીક્ષણ કર્યા બાદ કોઈ વિસંગતતા જણાઈ આવે તો એવા દસ્તાવેજો પરત્વે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ ની કલમ ૩૨-ક (૪) મુજબ કાર્યવાહી કરવાની સુચના આપવામાં આવેલ છે

 ઉક્ત સુચનાનો ચૂસ્તપણે અમલ કરવા જણાવવામાં આવેલ છે . 

FOR GR CLIK HERE

એ પી તાવિયાડ સબ રજીસ્ટ્રાર

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...