7.10.2023

અશાંતધારા ના નિયમો માં કેવા મહત્વના સુધારા થયા છે ??

અશાંતધારા ના નિયમો માં કેવા મહત્વના સુધારા થયા છે ??



The Gujarat Prohibition of Transfer ofImmovable Property and Provision forProtection of Tenants from Eviction fromPremises in Disturbed Areas Act, 1991

મિલકત તબદિલી કરાવવાનો અને તબદિલીથી લેવાનો, ઈરાદો ધરાવતી વ્યકિતઓની મુક્ત સંમતિ છે કે કેમ? તે સ્પષ્ટતા થવું જરૂરી છે

તમારી જમીન,  તમારી મિલકત > નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ)

 ગુજરાત અશાંત વિસ્તાર (સુધારા) અધિનિયમ ૨૦૧૯ મુજબકેટલાક મહત્વના સુધારા થયેલા છે. સને ૧૯૯૧ ના મુખ્ય ગુજરાતના અશાંત વિસ્તાર અધિનિયમની કલમો બદલવા બાબતઃ

ક્લમઃ- “જ. સ્થાવર મિલકતની અમુક તબદિલીઓ રદબાતલ થવા બાબત. તત્સમયે અમલમાં હોય તેવા કોઈ કાયદામાં ગમે તે મજકૂર હોય તેમ છતાં, પણ કલમ-૫ ની પેટા કલમ (૧) ને અધીન રહીને, નિર્દિષ્ટ મુદત દરમિયાન અશાંત વિસ્તારમાં આવેલી સ્થાવર મિલકતની કરેલી તમામ તબદિલીઓ, એવી તબદિલીની તારીખથી રદબાતલ થશે.”

મુખ્ય અધિનિયમમાં, કલમ-પ માં, પેટા-ક્લમ(૩)માં, ખંડો(ખ) અને(ગ)ને બદલે, નીચેના ખંડો મૂકેલા છેઃ  (ખ) ક્લેક્ટરે, એવી અરજી મળ્યેથી, ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ, ૧૮૭૯ થી ઠરાવેલી રીતે ઔપચારિક તપાસ યોજવી જોઈશે અને અરજદારને સુનાવણીની તક આપ્યા પછી અને રજૂ કરવામાં આવે તેવા કોઈ પુરાવાને વિચારણામાં લીધા પછી નક્કી કરવું જોઈશે કે -

(૧) સ્થાવર મિલકતની તબદિલી ક્લમ-૨ ના ખંડ(ચ) ની બોલીઓ હેઠળ કરવા ધાર્યું છે કે કેમ, (૨) તબદિલી કરાવવાનો અને તબદિલીથી લેવાનો, ઈરાદો ધરાવતી વ્યકિતઓની મુક્ત સંમતિ છે કે કેમ? (૩) તબદિલી કરવા ધારેલી સ્થાવર મિલકતની તબદિલીની કિંમત વાજબી છે કે કેમ, (૪) તબદિલી કરવા ધારેલી સ્થાવર મિલકત જે વિસ્તારમાં આવેલી હોય તે વિસ્તારમાં વસતી જુદા જુદા સમુદાયની વ્યક્તિઓનું જનસંખ્યા વિષયક સંતુલન ખોરવતા સમુદાયને લગતા વ્યક્તિઓના ધ્રુવીકરણની શક્યતા છે કે કેમ, (૫) તબદિલી કરવા ધારેલી સ્થાવર મિલકત જે વિસ્તારમાં આવેલી હોય તે વિસ્તારમાં એક સમુદાયને લગતા વ્યક્તિઓના સમૂહમાં અંધાધૂંધી ફેલાવવાની શક્યતા છે કે કેમ અને તદનુસાર,  (ક) અરજીનો અસ્વીકાર કરી શકશે, અથવા (ખ) સ્થાવર મિલકતની કરવા ધારેલી તબદિલીને, લેખિતમાં પૂર્વમંજુરી આપનો હુકમ કરી શકશે. (ગ) ક્લેકટર, પેટા-કલમ(૨) હેઠળ કરેલી અરજીનો, તે અરજી મળ્યા તારીખથી મુખ્યત્વે ત્રણ મહિનાની મુદતની અંદર નિર્ણય કરવો જોઈશે, પરંતુ કલેક્ટર, સદરહુ મુદ્તને લંબાવવા માટેના આવશ્યક કારણોની નોંધ કરીને સદરહુ મુદત લંબાવી શકશે. મુખ્ય અધિનિયમમાં કલમ-પ૫ ને બદલે, નીચેની કલમ મૂકેલી છે.

ક્લમઃ ‘પ-ક. રદબાતલ કર્યાના હુકમ હેઠળ લાભ મેળવે હોય તેવા તબદિલીથી લેનાર અને તબદિલી કરનારની જવાબદારીઃ (૧) (5) કલમ-૪ હેઠળ સ્થાવર મિલકતની તબદિલી રદબાતલ હોય, ત્યારે આવી તબદિલી માટે જેણે કોઈ અવેજ લીધો હોય તેવા તબદિલી કરનારે-
(૧) આવી તબદિલી, ગુજરાત અશાંત વિસ્તારોમાંની સ્થાવર મિલકતની તબદિલી પર પ્રતિબંધ મૂકવા તથા તે વિસ્તારોમાંની જગ્યામાંથી ભાડુતોને ખાલી કરાવવામાંથી રક્ષણ આપવા અંગેની જોગવાઈ કરવા બાબત(સુધારા) અધિનિયમ, ૨૦૧૯ ના આરંભની તારીખ પહેલાં કરી હોય, (૨) આવી તબદિલી, આવા આરંભની તારીખ પછી કરી હોય, ત્યારે આવી તબદિલીથી લેનારને તારીખથી છ મહિનાની અંદર, - તબદિલીથી લેનારને અવેજ પરત કરવો જોઈશે. (ખ) જેની પાસે એવી સ્થાવર મિલકતનો કબજો હોય તેવા તબદિલીથી લેનાર અથવા તબદિલીથી લેનાર વતી બીજી કોઈ વ્યક્તિએ (જેનો આ કલમમાં હવે પછી, ‘એજન્ટ તરીકે ઉલ્લેખ કર્યો છે તેણે) છ મહિનાની સદરહુ મુદતની અંદર, તબદિલી કરનારને મિલકતનો કબજો પરત આપવો જોઈશે.
(ગ)તબદિલીથી લેનારે મિલકતમાં કોઈ સુધારો કરવો જોઈશે નહીં અને ક્લેકટર, હુકમથી, તબદિલીથી લેનારને મિલકતમાં કોઈ સુધારા કરતાં રોકી શકશે.

(૨) (ક) તબદિલી કરનાર, છ મહિનાની સદરહુ મુદતની અંદર તબદિલીથી લેનારને અવેજ પરત કરવામાં ચૂક કરે, ત્યારે અથવા (ખ) તબદિલીથી લેનાર અથવા તેનો એજન્ટ, છ મહિનાની સદરહુ મુદતની અંદર તબદિલી કરનારને સ્થાવર મિલકતનો કબજો પરત કરવામાં ચૂક કરે, ત્યારે પેટા-કલમ(૧)ના ખંડ(ક)ના કિસ્સામાં તબદિલીથી લેનાર અને પેટા ક્લમ(૧)ના ખંડ(ખ)ના કિસ્સામાં, તબદિલી કરનાર, ઠરાવવામાં આવે તેવા નમૂનામાં અને તેટલી મુદતની અંદર, તબદિલી કરનારને અવેજ પરત કરવાનો તબદિલીથી લેનારને આદેશ કરવા અથવા યથાપ્રસંગ, તબદિલીથી લેનારને, સ્થાવર મિલકતનો કબજો તબદિલી કરનારને પરત કરવાનો આદેશ કરતો હુકમ કરવા માટે ક્લેક્ટરને અરજી કરી શકશે. 

(૩) કલેક્ટર, કોઈપણ સમયે પોતાની જાતે અથવા પેટા-કલમ(૨)
હેઠળ તેમને અરજી મળ્યેથી ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમમાં ઠરાવેલી રીતે ઔપચારિક તપાસ કર્યા પછી અને તબદિલી કરનાર અને તબદિલીથી લેનાર અથવા યથાપ્રસંગ, તેના એજન્ટને સુનાવણીની તક આપ્યા પછી અને રજૂ કરવામાં આવે તેવા પુરાવાને વિચારણામાં લીધા પછી, હુકમમાં નિર્દિષ્ટ કરવામાં આવે તેટલા સમયમાં, તબદિલી કરનારને તેવી અવેજની રકમ તબદિલીથી લેનારને પરત કરવાનો અથવા યથાપ્રસંગ, તબદિલી કરનારને તેવી અવેજની રકમ તબદિલીથી લેનારને પરત કરવાનો અથવા યથાપ્રસંગ, તબદિલીથી લેનાર અથવા તેના એજન્ટને, હુકમમાં નિર્દિષ્ટ કરવામાં આવે તેટલા સમયની અંદર સ્થાવર મિલકતનો કબજો પરત કરવા આદેશ કરતો હુકમ અથવા પોતે યોગ્ય ગણે તેવો બીજો હુકમ લેખિતમાં કરી શકશે.

(ક) તબદિલી કરનાર, પેટા ક્લમ(૩) હેઠળ કરવામાં આવેલા હુકમમાં નિર્દિષ્ટ સમયની અંદર તબદિલીથી લેનારને અવેજ પરત કરવામાં ચૂક કરે, તો ક્લેકટર, જમીન મહેસૂલની બાકી રકમ તરીકે તબદિલી કરનાર પાસેથી અવેજ વસૂલ કરી શકશે અને આવી વસૂલાત માટેના ખર્ચની કપાત કર્યા પછી, તબદિલીથી લેનારને તે (અવેજ) ચૂકવી શકશે. મુખ્ય અધિનિયમમાં, કલમ-૦૬ ને બદલે, નીચેની કલમ મૂકેલ છે. “ અપીલ :(૧) ક્લમ-૫ ની પેટા ક્લમ(ર) હેઠળ અરજી નામંજૂર કરતા કલેક્ટરના નિર્ણયથી નારાજ થયેલી કોઈ વ્યકિત, ઠરાવવામાં આવે તેવી રીતે, તેટલા સમયની અંદર અને તેટલી ફીની ચૂકવણી કર્યથી, રાજય સરકાર સમક્ષ અપીલ રજૂ કરી શકશે. પરંતુ અપીલ અધિકારીને ખાતરી થાય કે આવી વ્યકિતને પૂરતા કારણસર ઠરાવેલી સમયમર્યાદાની અંદર અપીલ કરતા અટકાવવામાં આવી છે તો, તેઓ તેવી ઠરાવેલી સમયમર્યાદા પછી પણ અપીલ સ્વીકારી શકશે.

(૨) રાજ્ય સરકાર, આવી વ્યકિતને સુનાવણીની તક આપ્યા પછી, જે હુકમ વિરુદ્ધ અપીલ કરવામાં આવી હોય તેવા હુકમને મંજૂર કરી શકશે, સુધારી શકશે અથવા નામંજૂર કરી શકશે.” મુખ્ય અધિનિયમમાં, કલમ-૦૬ પછી નીચેની કલમો દાખલ કરેલી છે.
“ક-ક. ક્લમો-૪ અને પ પુનર્વસવાટ યોજનાઓમાં સ્થાવર મિલકતની અમુક તબદિલીને લાગુ નહીં પાડવા બાબતઃ(૧) કલમો-૪ અને પ નો કોઈપણ મજકૂર, રાજપત્રમાં જાહેરનામાથી, રાજય સરકાર ઘ્વારા નિર્દિષ્ટ કરવામાં આવે તેવા અશાંત વિસ્તારમાં, રાજય સરકારની આવી પુનર્વસવાટ યોજનાઓમાં રહેતી વ્યકિતઓ દ્વારા સ્થાવરતામિલકતોની તબદિલીને લાગુ પડશે નહીં. (૨) ક્લમ-પ૫ નો કોઈપણ મજકૂર, રાજય સરકારે, અશાંત વિસ્તારમાં આવતી પુનર્વસવાટ યોજનાઓ પૈકીની કોઈપણ પુનર્વસવાટ યોજનમાં વ્યક્તિઓને પુનઃસ્થાપિત કરી હોય તો તેને લાગુ પડશે નહીં.

ક-ખ. સ્થાવર મિલકતનો પુનઃવિકાસઃ મહેસૂલી રેકર્ડમાં તેના નામે રહેલી સ્થાવર મિલકતનો પુનવેકાસ કરવા ઈચ્છતી હોય તેવી કોઈપણ વ્યક્તિએ, પુનવેકાસ પછીની તેની વધુ સંપુર્ણ અથવા અંશતઃ તબદિલી માટે, કલેક્ટરની પૂર્વમંજુરી મેળવવા માટે, ક્લમ-પ૫ ની પેટા-કલમ(૧) હેઠળ અરજી કરવી જોઈશે અને તેમ થયેથી, આવી અરજીને ક્લમ-પ૫ ની બાકી જોગવાઈઓ ઉચિત ફેરફાર સાથે લાગુ પડશે. પરંતુ વ્યકિત તેના અંગત ઉપયોગ માટે, તેની સ્થાવર મિલકતમાં પુનઃવિકાસ કરવાનો ઈરાદો ધરાવતી હોય તે કિસ્સામાં, કલેક્ટરની પૂર્વમંજુરીની જરૂર રહેશે નહીં.
ખ-ગ. ફેરવિચારણાઃ રાજય સરકાર, પોતાની જાતે અથવા અરજી મળ્યેથી, આ અધિનિયમની જોગવાઈઓ હેઠળ કરેલ કોઈ હુકમ અથવા કાર્યવાહી, જેની સામે તેની કાયદેસરતા અથવા યોગ્યતાની બાબતમાં અથવા આવી કાર્યરીતિની નિયમિતતાની બાબતમાં, કલમ-૭ હેઠળકોઈપણ અપીલ થયેલ ન હોય તેવા કરેલ કોઈપણ હુકમની અથવા લીધેલી કાર્યવાહીનું રેકર્ડ મંગાવી શક્શે અને તેની તપાસ કરી શકશે અને તેના સંબંધમાં પોતે યોગ્ય ગણે તેવો હુકમ કરી શકશેઃ પરંતુ આ બાબતમાં અસરગ્રસ્ત વ્યકિતને સુનાવણીની વાજબી તક આપ્યા વગર આવો કોઈપણ હુકમ કરવો જોઈશે નહીં.

નોંધ:- (જમીન-મિલકત માટેના લેખોના સંદર્ભે વાચકોના કોઈ સૂચન કે પ્રશ્નો હોય તો ‘નવગુજરાત સમય’ ના નવા સરનામે (૧૦૧, પહેલો માળ, ઓમ શાયોના આર્કેડ, સિલ્વર ઓક કોલેજ પાસે, ગોતા, અમદાવાદ-૩૮૨૪૮૧) લેખિત રૂપે મોકલવા અથવા લેખકને ઈ-મેઈલ કરવા)


 

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...