8.07.2022

વારસાગત વડીલોપાર્જીત ખેતીની જમીનમાં વારસાઈમાં દીકરીઓના સંતાનોને મળવાપાત્ર હક્ક અંગે માહિતી

 

વારસાગત વડીલોપાર્જીત ખેતીની જમીનમાં વારસાઈમાં દીકરીઓના સંતાનોને મળવાપાત્ર હક્ક અંગે માહિતી

લોકાભિમુખ માર્ગદર્શન એચ.એસ. પટેલ IAS (નિ.)

વડીલોપાર્જીત ખેતીની જમીનમાં દીકરીના સંતાનો મહેસૂલ વિભાગના નિર્ણયને કારણે ખેડૂતનો દરજાજો પ્રાપ્ત કરશે

જમીન/મિલ્કતને લગતા જમીન મહેસૂલ અધિનિયમ અને તે હેઠળના હક્કપત્રકના નિયમો, જમીન મહેસૂલ વસુલ કરવા અને જમીનને નિયમન કરતા કાયદાઓ છે અને પાયાના સિધ્ધાંત Cardinal Principleની તરીકે વિરૂધ્ધનું પુરવાર ન થાય ત્યાં સુધી - unless contrary proved ત્યાં સુધી હક્કપત્રકની નોંધો માન્ય રાખવાની છે. જ્યારે મિલ્કત અને વારસાહક્ક તેમજ ધર્મ આધારિત મિલ્કતના હક્કો અંગેના Governing Act મિલ્કત તબદીલી અધિનિયમ, ભારતીય વારસાહક્ક અધિનિયમ, રજીસ્ટ્રેશન એક્ટ, હિન્દુ લો વિગેરે આ કાયદાઓમાં મિલ્કતની તબદીલી તેમજ કુટુંમ્બની વ્યાખ્યામાં આવતા કાયદેસરના વારસોના હક્ક, સિવિલ કોર્ટના કાર્યક્ષેત્ર, મિલ્કતની તબદીલીના instrument, માધ્યમ દા.ત. વેચાણ, ભેટ, બક્ષીસ, વસીયતનામું વિગેરે અને આ કાયદા હેઠળ જે સિવિલ કોર્ટ હુકમ કરે તે માલિકીહક્ક કે હિસ્સો નક્કી કરતી બાબત પક્ષકારોને બંધનકર્તા છે અને તેની નોંધ હક્કપત્રકમાં નિયમોનુસાર પાડવામાં આવે છે. આમ તમામ જમીન/મિલ્કત ધારકોએ ધારણ કરેલ જમીન/મિલ્કતને લગતા જમીન મહેસૂલ કાયદાઓ અને ઉપર જણાવેલ અન્ય કાયદાઓ મુજબ નિયમન થાય છે. જમીન મહેસૂલ કાયદા અન્વયે હક્કપત્રકની ફેરફાર નોંધો (Mutation entries) છે તે પક્ષકારોની સંમતિથી પાડવામાં આવે છે અને મંજૂર કરવામાં આવે છે એટલે કે તેનો સરકાર પક્ષે હેતુ એ છે કે મહેસૂલી રેકર્ડ અદ્યતન રહે અને કોની પાસેથી મહેસૂલ ઉઘરાવવું તે મુખ્યત્વે છે. જ્યારે પક્ષકારો માટે કાનુની કોર્ટમાં ગયા વગર સર્વ સંમતિથી હક્ક હિત ધરાવતા પક્ષકારોના નામ હક્કપત્રકના નિયમો હેઠળ વેચાણ / બક્ષીસ / વસીયતનામા આધારે દાખલ કરવા અને તેને મહેસૂલી ટાઈટલ તરીકે ઓળખવામાં આવે છે.

હિન્દુ લો - ૧૯૫૬ મુજબ વડીલોપાર્જીત પિતાની મિલ્કતમાં દીકરાઓ સમાન દીકરીને પણ જમીન / મિલ્કતમાં હક્ક છે. ૨૦૦૫ના સુધારા કાયદાથી તેને પશ્ચાતવર્તી અસર પણ આપી છે. સામાન્ય રીતે આપણા દેશમાં પુરૂષપ્રધાન સમાજ (Patriarchal Society) હોવાથી દીકરીને પારકા ઘરે એટલે કે પરણાવીને સાસરે જવાનું હોવાથી પ્રણાલીકાગત સ્વરૂપે પિતાજીની ફરજ દીકરીને પરણાવીને, કરિયાવર આપીને તેમજ ત્યારબાદના સારાનરસા પ્રસંગોએ વ્યવહાર કરીને જવાબદારી નિભાવતા હોવાથી દીકરીઓને ૧૯૫૬થી કાયદેસરના મિલ્કતમાં હક્ક આપ્યા હોવા છતાં અગાઉ પિતાજીનું મૃત્યુ થાય ત્યારે વારસદારો તરીકે દીકરીઓને પેઢીનામાં બતાવવામાં આવે, પરંતુ નિવેદન લઈને પોતાનો હક્ક જતો કરે  તેમ કરીને વારસાઈમાં પણ તે મુજબ ફેરફાર કરવામાં આવતા. 

આ પરિસ્થિતિ જે પ્રવર્તતી તે દર્શાવવામાં આવ્યું છે. હવેના હક્કપત્રકના નિયમોમાં પિતાજીના કે વડીલોપાર્જીત જમીન ધારકના મૃત્યુ બાદ વારસાઈ કરવામાં આવે છે તેમાં કાયદેસરના તમામ વારસદારોના નામ દીકરીઓ સહિત દાખલ કરવામાં આવે છે.

ઉપર્યુક્ત પરિપ્રેક્ષ્યમાં જમીન / મિલ્કતધારકનું મૃત્યુ થાય, ત્યારે વારસાઈ કરવાનું ધોરણ મહેસૂલી રેકર્ડ અદ્યતન રાખવાનો એક ભાગ છે અને તે મુજબ તમામ કાયદેસરના વારસદારોનું પેઢીનામું બનાવી વારસાઈ કરવામાં આવે છે. પરંતુ પ્રવર્તમાન સમયમાં મૃત્યુ થાય ત્યારે વારસાઈ કરાવવામાં આવે પરંતુ તે પહેલાં હયાતીમાં જ સહભાગીદારી /  સામુદાયિકમાં નામ દાખલ કરવાના પ્રસંગો ઉપસ્થિત થતાં તેમજ આવા વ્યવહારોને રજીસ્ટર્ડ કરાવવાના બદલે હિત ધરાવતા તમામ પક્ષકારોની સંમતિથી મહેસૂલ વિભાગના તા.૧૪-૩-૨૦૧૬ના પરિપત્રક્રમાંક ઃ- હકપ-૧૦૨૦૧૬-૧૦૧૭-જ અન્વયે ખેતીની જમીનોમાં વડીલોપાર્જીત, સ્વપાર્જીત, મિલ્કતમાંથી હક્ક ઉઠાવવો, વહેંચણી કરવી, પુનઃવહેંચણી કરવી તથા હયાતીમાં હક્ક દાખલ કરવાની કાર્યપધ્ધતિ દાખલ કરવા માટે પરિપત્ર કરવામાં આવેલ છે અને તે મુજબ જુદા જુદા પ્રકારના વ્યવહારો પૈકી મોટાભાગના વારસાઈ, વહેંચણીના કિસ્સામાં રૂ. ૩૦૦/-ના સ્ટેમ્પ પેપર ઉપર તમામ પક્ષકારોની સંમતિથી આ ફેરફારો થઈ શકે છે અને આ મુજબ વડીલોપાર્જીત ખેતીની જમીનમાંથી દીકરીઓ પણ તેમની સંમતિથી વારસાઈ બાદ સ્વેચ્છાએ પોતાનો હક્ક ઉઠાવી શકે છે. તેજ રીતે કોઈ કારણોસર પિતાજીના મૃત્યુ બાદ કોઈ કારણોસર વારસાઈમાં દીકરીનું નામ દાખલ કરવાનું રહી ગયું હોય તો તમામ હિત ધરાવતા પક્ષકારોની સંમતિ લઈને નામ દાખલ કરાવી શકે છે. તાજેતરમાં મહેસૂલ વિભાગે એક મહત્વનો નિર્ણય લીધો છે તેમાં આ પરિપત્રના પરિપ્રેક્ષ્યમાં વડીલોપાર્જીત મિલ્કતના પિતાની દીકરીના સંતાનો પણ અગાઉ હકકમી ના પ્રસંગે જે સ્ટેમ્પ ડયુટી વસુલ લેવાનું ૪.૯% ના ધોરણે હતું તે રદ કરીને રૂ.૩૦૦/- ના સ્ટેમ્પ પેપર કરાવી શકે છે. તેવો નિર્ણય લેવામાં આવેલ છે.

હવે ઉક્ત નિર્ણયથી બાબત એ ઉદ્દભવે છે કે પિતાજીની વડીલોપાર્જીત ખેતીની જમીનમાંથી અન્ય કાયદેસરના વારસો સાથે દીકરીઓના હિસ્સો નક્કી કરવો પડે અને દીકરીનો સંતાનો તેના હક્કના જ ભાગીદાર છે. દા.ત. અન્ય ભાઈઓના ભાગના જમીનમાં કે સંયુક્ત હિસ્સેદાર / ભાગીદાર હોય તેમાં દીકરીના સંતાનોને ભાગ ન મળે, કારણ કે ભારતીય વારસા અધિનિયમ અને હિન્દુ લો પ્રમાણે હિન્દુ અવિભક્ત કુટુંમ્બ અને લોહીના સબંધોના વારસદારોને જે સરખે ભાગે ભાઈઓ અને બહેનોને પિતાજીની વડીલોપાર્જીત ખેતીની જમીનમાં કે અન્ય મિલ્કતમાં હિસ્સો મળવાપાત્ર છે અને તે મુજબ દીકરીના હિસ્સામાં તેના સંતાનોને ભાગ મળે અથવા હક્કપત્રકના નિયમો પ્રમાણે તમામ હિત ધરાવતા પક્ષકારોની સંમતિ હોય તો જે નવીન સુધારો દીકરીના સંતાનોને રૂ. ૩૦૦/- ના સ્ટેમ્પ પેપર ઉપર રજીસ્ટર્ડ કરાવ્યા સિવાય નામ દાખલ કરવાની જોગવાઈ કરતો સુધારો મહેસૂલ વિભાગે તાજેતરમાં કર્યો છે તે મુજબ નામ દાખલ થઈ શકે છે. આ નિર્ણયથી એવું પણ બનશે કે જે દીકરીઓના સંતાનો ખેડુત ખાતેદારનો દરજ્જો ધરાવતા નથી તેવી વ્યક્તિઓ પણ દીકરીના વારસાઈ હક્કને કારણે તે સંતાનો ખેડૂતનો દરજ્જો પ્રાપ્ત કરી શકે છે. 

છેવટે જેમ જણાવ્યું તેમ મહેસૂલી રેકર્ડની નોંધો 'Fiscal Purpose' માટે છે. જ્યારે જમીન / મિલ્કતના હક્ક / માલિકી હક્ક કે કાયદેસરના હિસ્સા માટે તકરાર થાય તો વારસા અધિનિયમ / હિન્દુ લોની જોગવાઈઓ મુજબ હક્ક / હિસ્સો નક્કી કરી આપવાનું કામ સિવિલ કોર્ટનું છે અને તેનો નિર્ણય માલિકી હક્ક અંગે આખરી ગણાય છે.

કોઈ મિલકતના હક્ક સંબંધી થયેલા દાવાનો સરળતાથી નિકાલ કરવા શું કરવું જોઇએ?

 

સરકાર દ્વારા કે સરકાર સામે કોઇ મિલકત માટે દાવો કરાય ત્યારે કાયદેસરની કેવી પ્રક્રિયા હાથ ધરાય છે ?


તમારી જમીન,તમારી મિલકત

 > નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ)

 કોઈ મિલકતના હક્ક સંબંધી થયેલા દાવાનો સરળતાથી નિકાલ કરવામાં ગુજરાત જમીન મહેસૂલ નિયમો -૧૯૭૨ ની જોગવાઈઓ મહત્વની છે. આપ્રકારના દાવાઓનો સરળતાથી નિકાલ થઇ શકે તેને માટેની કેવી પ્રક્રિયા હોય છે તેના વિષે આજે જોઇશું. કલમ ૩૭ હેઠળની તપાસ બાબત (જમીન-મિલકત ખાનગી માલિકીની જાહેર કરવા બાબતે)

(ક) સરકાર તરફથી કલમ ૩૭ મુજબ તપાસ કરતાં પહેલાં સરકાર તરફથી લેખિત નોટિસ આપવી અને બજાવવી જરૂરી બને છે તેમજ નિર્દિષ્ટ કરેલાં સ્થળોમાં પણ એવી લેખિત નોટિસ ચોંટાડવી. મુંબઈ જમીન મહેસુલ અધિનિયમ ૧૮૭૯ની કલમ ૩૭(૨)ની જોગવાઈ કોઈ મિલકતના હક્ક સંબંધી થયેલા દાવાના નિકાલને સ્પર્શે છે. સરકાર તરફે કલમ ૩૭(ર)ના અધિકારો ધરાવતા અધિકારીઓ દ્વારા કરવામાં આવતી પધ્ધતિસરની આ તપાસ ખામીયુક્ત હોવાને પરિણામે મિલકત સંબંધી રાજ્યના હક્ક હિતને નુકસાન પહોંચે છે. તેથી જમીન મહેસુલ કાયદાની ક્લમ ૩૭(૨) જમીન મહેસુલ [નિયમો ૧૮૭રના [નિયમ ૨૯ તથા સરકારશ્રીના મહેસુલ વિભાગના તા.૧૫/૦૦૬/૧૯૯રના સંકલિત ઠરાવની જોગવાઈઓનો કાળજીપૂર્વકનો અભ્યાસ કરી તેમાં જણાવેલી પ્રકિયા અનુસરવી જોઈએ.
ક્લમ ૩૭(ર)ની જોગવાઈ : 

(૧). કોઈ મિલકત માટે અથવા કોઈ મિલકતમાંના અથવા તે ઉપરના કોઈ હક્ક માટે સરકાર પોતે દાવો કરે અથવા સરકારના વતી દાવો કરવામાં આવે અથવા સરકારની સામે કોઈ વ્યક્તિ દાવો કરે ત્યારે કલેક્ટર અથવા અધિકાર પ્રાપ્ત કરવનાર અધિકારી પદ્ધતિસર તપાસ કરવાની યોગ્ય નોટીસ આપવામાં આવી હોય તે કર્યા પછી તે દાવાનો નિકાલ કરતો હુકમ કરે તો તે કાયદેસર ગણાશે.

(2). કરેલા કોઈ હુકમની તારીખથી અથવા એવા હુકમ સામે એક અથવા વધારે અપીલો ઠરાવેલી મુદતની અંદર કરી હોય તો કલમ ૨૦૪ અનુસાર નકકી કરેલા છેવટના અપીલ અધિકારીએ કરેલા હુકમની તારીખથી એક વર્ષ પૂરું થયા પછી કોઈ કોર્ટમાં માંડેલો દાવો હોવો જોઈએ જો એ દાવો એવા હુકમ રદ કરવા સારુ માંડ્યો હોય અથવા તેમાં માગેલી દાદ એવા હુકમ સાથે અસંગત હોય તો કાઢી નાખવો તેમજ હુકમની બાબતમાં વાદીને એવા હુકમની યોગ્ય નોટીસ આપવી જોઈએ.

કાર્યપદ્ધતિ :
આમ જયારે અમુક જમીન મિલકત કે તેમાંનું હિત સરકારી છે કે ખાનગી માલીકીની છે તે બાબતે તકરાર ઉપસ્થિત થાય ત્યારે રીતસરની તપાસ કરી નિર્ણય આપવાની પ્રકિયા કલમ ૩૭ (૨) માં મુકરર કરવામાં આવી છે. આવી તપાસ કરવા માટે પુરતી જાહેરાત નોટીસ કરવી જરૂરી છે. જે માટે જ જમીન મહેસુલ નિયમ-૨૯ માં જોગવાઈ કરવામાં આવી છે.

નિયમ-ર૨૯ હેઠળ નોટીસ :

ક્લમ-૩૭(૨)ની તપાસની કાર્યદક્ષતાનો આધાર નોટીસની વિધિ બરાબર થઈ છે કે કેમ તેના પર હોય છે. એટલે નોટીસ બજવણીમાં ખૂબ જ કાળજી રાખવી આવશ્યક છે.
(૧) કલમ-૩૭ મુજબ તપાસ કરતાં પહેલાં કરવા ધારેલી તપાસ તથા તેનો સમય, સ્થળ અને તપાસના વિષય બાબતની નિયમ નમુના મુજબની લેખિત નોટીસ.
(૨) આવી લેખિત નોટીસ કરવા ઠરાવેલી તારીખ પહેલાં ઓછામાં ઓછા ૧૦ દિવસ પહેલાં આપવી જોઈએ.
(૩) જે ગામ કે સ્થળે મિલકત આવેલી હોય તે ગામની ચાવડી કે બીજા કોઈ જાહેર સ્થળે ચોંટાડવી તથા જે મિલકત માટે તપાસ કરવાની હોય તે મિલકત ઉપર જોઈ શકાય તેવી જગ્યાએ ચોંટાડવી.
(૪) આ નોટીસ તપાસના વિષય બાબતમાં જે વ્યકિતઓએ દાવો કર્યો છે તથા મિલકતમાં જેનું હિત હોય તેવી માહિતી હોય તેવા બધાને વ્યકિતગત પહોંચાડવી.
(૫) જે વ્યક્તિ ઉપર નોટીસ બજાવવાની હોય તે વ્યક્તિને હાથોહાથ પહોંચાડવી.
(૬) સરકાર પક્ષે થયેલા જમીનના દાવા કે પક્ષકાર/પક્ષકારોએ કરેલા દાવામાં તમામ પક્ષકારોને પદ્ધતિસરની નોટીસ બજાવવી અને કાર્યવાહીમાં વિશેષ કાળજી રાખવી.
૩૭ (૨) ની કાર્યવાહીમાં પુરાવાની તમામ અને નિર્ણય પ્રક્રિયા:

કોઈપણ જમીન કે મિલકત પોતાની છે તેવું સાબિત કરવા નીચે મુજબના પુરાવા રજુ કરી શકે અને આ પુરાવાની કાયદેસરતા માટે ઊંડાણમાં ઉતરવું અનિવાર્ય છે.
(૧) જમીન કે મિલકત કેવી રીતે મેળવી છે તેના સંતોષકારક પુરાવા કે સાબિતી.
(૨) આવી જમીન કે મિલકત પરનો સતત ૬૦ વર્ષનો ભોગવટો.
(૩) ૬૦ વર્ષ ન થયા હોય, પરંતુ કબજાના આધારો રજુ કરતા પુરાવા.
(૪) “પ્રતિકૂળ કબજો” એટલે કે વાદીનો દાવો હોય.
(૫) કબજો સતત ૦9૦ વર્ષનો ન હોય પરંતુ કબજાના આધારે માલીકીનો દાવો થયો હોય આમાં કબજો કેવા પ્રકારનો છે તે જોવું. માત્ર જમીન ઉપયોગમાં લેવામાં આવી હોય તે કબજો નથી. સ્વતંત્ર કબજાના તો દાવામાં સરકાર પક્ષે સબળ પુરવો હોવો જોઈએ.
(૬) ખાનગી વ્યકિતના કબજાના દાવામાં સરકાર પક્ષે સબળ હક્ક પુરાવામાં હોવો જોઈએ. જો દાવેદાર સાબિત કરી આપે કે તેનો કબજો સતત ૬૦ વર્ષનો છે. ત્યારે આ પ્રમાણે છે કે નહીં તે સાબિત કરવાની જવાબદારી સરકારની છે જો તપાસમાં સાબિત થાય કે ૩૦ વર્ષ પહેલાં આવી વાદગ્રસ્ત જમીન સરકારના કબજામાં હતી તો દાવેદારનો દાવો માન્ય રહે નહીં.
(૭) આ કલમમાં અભિપ્રેત છે કે બધી જમીન સરકારી છે. તેથી જમીનમાં કોઈ હક્ક છે. તેવું સાબિત કરવાનો બોજો દાવો કરનારના શિરે ગણાય. પુરાવાનો તમામ બોજો દાવો કરનાર ઉપર છે.
(૮) ક્લમ-૩૭(૨)ની માલીકીની તકરાર અને જમીન દબાણનો કેસ બંન્ને જુદા પાડવા.
(૯)પ્રથમ-૩૭(૨)ની તપાસ કરવી અને નિર્ણયમાં જો જમીન સરકારી ઠરે તો દબાણનો કેસ જુદો ચલાવી નિર્ણય કરવો. આમ બંન્ને પ્રક્રિયાને સંબંધ હોવા છતાં ભિન્ન રીતે કાર્યવાહી થાય.
(૧૦) સુખાધિકારના અધિકારોના ભોગવટા અંગેનો દાવો કલમ ૩૭(૨) હેઠળ તપાસી શકાય નહીં.
(૧૧) સત્તા પ્રકારો નીચેની જમીનોની સંપ્રાપ્તિના કિસ્સામાં જમીન ક્યા સત્તા પ્રકારની નીચે ધારણ કરતા હતા ધારણકર્તાને જમીન પરત્વે માલીકી હકક હતો કે માત્ર મહેસુલ લેવા પુરતો હક્ક હતો તે બાબત તપાસવી જોઈએ એટલે જયારે સતા પ્રકાર નાબુદી કાયદામાં સંપ્રાપ્તિ અંગેની તકરાર અંગે ખાસ વ્યવસ્થાની જોગવાઈ ન હોય ત્યારે આવી તપાસ ૩૭(૨) હેઠળ થઈ શકે.
(૧૨) ઉપરાંત, સત્તા પ્રકાર નાબુદીની જમીન ધારણ કરવાના હક્ક પરત્વે  તે કાયદાની જોગવાઈઓ અનુસાર કેવી અસર થાય છે તે મુદ્દો પણ તપાસવો જોઇએ.
(૧૩) ગુજરાતના જુદા જુદા સત્તા પ્રકારના કાયદાઓ નીચે માત્ર બે પ્રકારની ખેતીની જમીનો સરકારમાં સંપ્રાપ્ત થાય છે.
(૧). પડતર જમીનો અને  ર). ત્રણ વર્ષ કે તેથી વધુ સમયની ખેડાણ વિનાની રખાયેલી ખેડાણ જમીનો.
(૧૪) કોઈના શાંતિમય કબજામાં જમીન હોય છતાં કલમ ૩૭(૨)ની તપાસ હાથ ધરી શકાય આવી ‹મિલકતના કે તેના હકક પરત્વે દાવો રાજ્ય તરફથી કે અન્ય તરફથી રાજય વિરુદ્ધ કરવામાં આવે ત્યારે પણ આ કલમ હેઠળ તપાસ હાથ ધરી શકાય.
(૧૫) તકરારની બાબતમાં જો ત્રાહિત વ્યક્તિને રસ હોય અગર તો તેના હક્કને અસર પહોંચવાની હોય તો આવી વ્યકિતને અપીલનો નિકાલ કરતી વખતે જો તેઓ પક્ષકાર થવા અરજી કરે તો તેમને સાંભળવાની તક મળવી જોઈએ.
(૧૬) ૩૭(૨)ની તપાસ ફોર્મલ ઈન્કવાયરી તરીકેની પદ્ધતિથી કરવાની હોઈ તે દિવાની પ્રકારની કાર્યવાહી હોવાથી સરકારી વકીલને સરકાર પક્ષે રજુઆત કરવા હાજર રહેવા સમન્સ કરી શકાય.
(૧૭)સરકાર પક્ષે ૩૭(૨)ની તપાસ કરવામાં આવી રહી હોય ત્યારે તમામ પ્રકારના રેવન્યુ રેકર્ડના આધાર પુરવાનો ઊંડાણપુર્વક અભ્યાસ કરવો અને ખરાઈ કરવી. ખાનગી વ્યકિતના દાવામાં થયેલા પુરાવાની મહેસુલી રેકર્ડ સાથે સંપુર્ણ ખરાઈ કરવી.
(૧૮) આ પ્રમાણે ૩૭(૨)ની તપાસની પ્રકિયા કાયદા અને (નિયમોની જોગવાઈ તેમજ રેકર્ડની ખરાઈ પૂરી કરીને નિર્ણય લેવો.
(૧૯) ૩૭(૨)ના ઠરાવની સંપૂર્ણ વિધિસર જાણ કરવી જોઈએ, કારણ કે વિધિસર જાણ નહીં કરાયેલી હોય તો દિવાની કોર્ટમાં સરકાર પક્ષે દાવો ટકશે નહીં.
(૨૦) મહેસૂલ વિભાગે કલમ ૩૭(૨) હેઠળ તપાસની કાર્યવાહી બાબતમાં આપેલી સૂચનાઓ છે, જેનું ચુસ્તપણે પાલન થવું જરૂરી છે.

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...