કાયદેસર બિનખેતીની પરવાનગી મળ્યા બાદ ખેતીની જમીનને લગતા કોઈ કાયદા લાગુ પડતા નથી
ખેતીની જમીન માટે એક વખત બિનખેતીની પરવાનગી મંજૂર થયા બાદ તે જમીન કોઈ પણ હેતુઓ માટે ખેતીની જમીન રહેતી નથી એટલે કે તેનું ખેતીની જમીન તરીકેનું સ્ટેટ્સ બંધ થઈ જાય છે અને આવી જમીનને ખેતીની જમીનને લગતા કોઈ પણ કાયદા લાગુ પડતા નથી. ખેતીની જમીન બિનખેતીમાં રૂપાંતરિત થયા બાદ ખેતીની જમીન અંગેની કોઈ જોગવાઈના ભંગનો આક્ષેપ ન થઈ શકે. કાયદેસર બિનખેતીની પરવાનગી સત્તાવાળાઓ માટે ખેતીની જમીનને લગતા કોઈ કાયદા હેઠળ નોટિસ કાઢવા પ્રતિરોધ ઉપસ્થિત કરે છે.
(Ref. : રવિચંદ માણેકચંદ શેખ વિ. સ્ટેટ ઓફ ગુજરાત એન્ડ અધર્સ- નામદાર ગુજરાત હાઈકોર્ટ-૨૦૦૬)
No comments:
Post a Comment