8.24.2021

પિતાની સંપત્તિ અંગે સુપ્રીમ કોર્ટનો લેન્ડમાર્ક ચુકાદો,જો પુત્રી મૃત્યુ પામે છે, તો તેના બાળકોનો રહેશે હક. જાણો વિગતવાર.



પિતાની સંપત્તિ અંગે સુપ્રીમ કોર્ટનો લેન્ડમાર્ક ચુકાદો,જો પુત્રી મૃત્યુ પામે છે, તો તેના બાળકોનો રહેશે હક. જાણો વિગતવાર.


દેશની સર્વોચ્ચ અદાલતની ત્રણ જજોની પીઠે આજે સ્પષ્ટ કરી દીધું કે ભલે પિતાનું મોત હિંદુ ઉત્તરાધિકાર કાયદો હેઠળ૨૦૦૫ પહેલા થઇ ગયું હોય, તો પણ દીકરીઓને માતાપિતાની સંપત્તિ ઉપર અધિકાર રહેશે.સુપ્રીમ કોર્ટે પોતાના મહત્વના નિર્ણયમાં કહ્યું છે કે પુત્રીને પુત્રની જેમ પૂર્વજોની સંપત્તિમાં સમાન અધિકાર મળશે. આ અંગે ૨૦૦૫ માં હિન્દુ ઉત્તરાધિકાર કાયદો લાગુ કરવામાં આવ્યો હતો.પરંતુ હવે સુપ્રીમ કોર્ટે આ કેસમાં ચુકાદો આપ્યો છે કે અગાઉના કેસમાં પણ કાયદો લાગુ થશે. આ નિર્ણય ભારતીય સામાજિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખૂબ જ મહત્વનો છે. એનાથી મહિલાઓ વધુ મજબુત બનશે અને નિર્ણયના સારા પરિણામો આવશે.


જોવામાં આવે તો, પુત્રીને સસરાની સંપત્તિમાં કોઈ અધિકાર નથી. જ્યારે પતિ સાથે કોઈ વાતને લઈને મતભેદ હોય છે, ત્યારે સ્ત્રી તેના પતિની સ્થિતિ અનુસાર મહિલાને ભરણપોષણ મળે છે, પરંતુ સાસુ-સસરાની સંપત્તિમાં કોઈ અધિકાર નથી.આવી સ્થિતિમાં મહિલાઓને પિતૃ સંપત્તિમાં સમાન અધિકાર આપવામાં આવે છે. ક્યાંક ને ક્યાંક તો તેને પિતૃ સંપત્તિમાં અધિકારની જરૂર હતી.

‘પુત્રો અને પુત્રીઓ વચ્ચે કોઈ ફરક નથી’ પહેલાં શું હતો કાયદો :- હિન્દુ કાયદા હેઠળ, મહિલાઓની સંપત્તિના અધિકાર અંગેના કાયદામાં ઘણા ફેરફાર કરવાની જરૂર હતી અને સમય-સમયે કાયદામા બદલાવ થતા રહે છે. સંસદે ૧૯૫૬ માં હિન્દુ ઉત્તરાધિકાર કાયદોબનાવ્યો હતો અને મહિલાઓને સંપત્તિમાં અધિકાર આપવામાં આવ્યો.



આ કાયદા પહેલા હિન્દુ કાયદાની બે સ્કૂલો, મિતાક્ષરા અને વારસામાં મહિલાઓની સંપત્તિ વિશે સમજાવ્યું હતું. આ કાયદામાં નોંધપાત્ર વિરોધાભાસને દૂર કરવા બધી કોશિશો કરવામાં આવી. આ હેઠળ મહિલાઓને મર્યાદિત અધિકારો કરતા વધારે અધિકારો આપવામાં આવ્યા હતા.


સ્ત્રીને જે મિલકત મળશે તેના ઉપર સંપૂર્ણ અધિકાર આપવામાં આવ્યો અને તે એના જીવનકાળમાં વેચી શકતી હતી. હિંદુ ઉત્તરાધિકાર કાયદામાં ૨૦૦૫ માંસંશોધન હેઠળ, મહિલાઓને પિતૃ સંપત્તિમાં સમાન પુત્રોની બરાબર જ અધિકાર આપવામાં આવ્યા અને તમામ ભેદભાવને નાબૂદ કરવામાં આવ્યો હતો.પુત્રીને પિતૃની સંપત્તિમાં જન્મથી જ ભાગીદાર બનાવવામાં આવી.


પુત્રીનું મૃત્યુ થાયતો તેના બાળકો હકદાર :-સુપ્રીમ કોર્ટે અ વાત પર ભાર મૂક્યો હતો કે પિતાની પૂર્વજોની સંપત્તિમાં પુત્રીને તેના ભાઈ કરતા થોડો પણ ઓછો અધિકાર નથી. તેમણે કહ્યું કે જો પુત્રીનું મૃત્યુ પણ૯ સપ્ટેમ્બર ૨૦૦૫ પહેલાં થાય. ૯ સપ્ટેમ્બર એટલા માટે,કારણ કે આ દિવસથી હિન્દુ ઉત્તરાધિકાર કાયદોઅધિનિયમ, ૨૦૦૫ અમલમાં આવ્યો હતો, તે પછી પણ પિતાની પૂર્વજોની સંપત્તિમાં તેમનો અધિકાર જળવાઈ રહે છે..આનો અર્થ એ છે કે જો પુત્રીના બાળકો ઇચ્છે છે કે તે તેમના માતાના પિતા એટલે કે એમના નાના ની પૈતૃક સંપત્તિમાં ભાગ લેશે, તો તેઓ તેનો દાવો પણ કરી શકે છે, તેઓને માતાના અધિકાર તરીકે નાનાની સંપત્તિમાં ભાગ મળી શકશે.


દીકરી ક્યારે જન્મી, કોઈ ફરક નથી પડતો :- હિન્દુ ઉત્તરાધિકાર કાયદો, ૨૦૦૫ જણાવે છે કે ૯ સપ્ટેમ્બર, ૨૦૦૫ ના પહેલા કે પછી પુત્રીનો જન્મ થાય છે કે પછી, તેમાંકોઈ ફરક પડતો નથી, પિતાની સંપત્તિમાં તેનો હિસ્સો ભાઈની બરાબર જ હશે.સંપત્તિ, પછી ભલે પિતાની કમાણીમાંથી મેળવેલ હોય.

હિન્દુ કાયદામાં, સંપત્તિને બે શ્રેણીમાં વહેંચવામાં આવે છે– પૂર્વજો અને સ્વ રોજગારી (પોતાની કમાણી). પિતૃની સંપત્તિમાં પુરુષોની હસ્તગત સંપત્તિ હોય છે, જેનો ક્યારેય ભાગ પડતો નથી. આવી સંપતિ પર બાળકો, પુત્ર કે પુત્રીનો જન્મ અધિકાર હોય છે.૨૦૦૫ પહેલાં, ફક્ત આ પ્રકારની સંપત્તિઓ માટે પુત્રોનો જ અધિકાર હતો, પરંતુ સંશોધન પછી, પિતા આવી મિલકતોને એની ઇચ્છા પ્રમાણે વહેંચી શકતા નથી. એટલે કે, તે પુત્રીના ભાગને નકારી ન શકે. કાયદો પુત્રીનો જન્મ થતાંની સાથે જ તેનો પિતૃ સંપત્તિ પરઅધિકાર થઇ જાય છે


IF YOU HAVE LIKED THE ARTICLES PLEASE SHARE IT

No comments:

Post a Comment

મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં

  મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં. જ્યારે જમીન મિલકત વેચાણ વ્યવહાર કરવામાં આવેલ ત્યારે  પક્ષકારો વચ્ચે કાય...