2.19.2024

જો કાર્યવાહીઓ હકૂમત વિનાની કે વ્યર્થ હોય તો, તેમાં ભાગ લેવા છતાં પક્ષકાર તેને કોઈ પણ તબક્કે પડકારી શકે છે.

 

જો કાર્યવાહીઓ હકૂમત વિનાની કે વ્યર્થ હોય તો, તેમાં ભાગ લેવા છતાં પક્ષકાર તેને કોઈ પણ તબક્કે પડકારી શકે છે



જો કાર્યવાહીઓ હકૂમત વિનાની કે વ્યર્થ હોય તો, તેમાં ભાગ લેવા છતાં પક્ષકાર તેને કોઈ પણ તબક્કે પડકારી શકે છે


જ્યારે જમીન અંગે કોઈ વ્યક્તિનો હિત સંકડઆયએ હોય તો તેઓ દ્વારા રેવન્યુ રેકર્ડ હક્કપત્રકમાં પોતાના નામો દાખલ કરાવતા હોય છે. જે હક્કપત્રકમાં કબજા સાથેના હક્કો ઉપરાંત કબજાવાળા તેમજ કબજા સિવાયના ગીરોની, ખેડની તથા જમીનમાં અન્ય રીતે પ્રાપ્ત થયેલા હક્કોની જેમકે વારસાઈ હક્કથી, વીલથી, ક્રૌટુંબિક વહેંચણી, બક્ષિસ, વેચાલ, રિલીઝ, ગીરો, શાનગીરો, શરતી વેચાણના રજિસ્ટર્ડ દસ્તાવેજ, દીવાની તેમજ રેવન્યૂ કોર્ટના હુકમનામાં વિગેરેની નોંધો ગામ દફતરે હકકપત્રકમાં યોગ્ય કાર્યવાહી કરી દાખલ કરવામાં આવે છે.


ત્યારબાદ મહેસૂલી અધિકારી દ્વારા પોતાને પ્રાપ્ત સત્તા અને અધિકાર મુજબ યા કોઈ ત્રાહિત વ્યક્તિની અરજી અન્વયે જમીન ધારણ કરનારાઓ સામે કાયદાની જોગવાઈના ભંગ બદલ શરૂ કરવામાં આવતી કાર્યવાહી નોટિસ કાઢવામાં આવે છે. આવા સંજોગોમાં ફેરફાર નોંધો દાખલ થયાના થણાં લાંબા સમયગાળા બાદ આવી નોટિસો કે કાર્યવાહીઓને પણ સમયમર્યાદાનો કાયદાનો સિદ્ધાંત લાગુ પડે છે તેમજ જો તેવી કાર્યવાહીમાં પલકાર ઉપસ્થિત રહેલ હોય યા ભાગ લીધેલ હોય તો પલ જો કાર્યવાહીઓ હકૂમત વિનાની કે વ્યર્થ હોય તો, તેમાં ભાગ લેવા છતાં પક્ષકાર તેને કોઈપણ તબક્કે પડકારી શકે છે તેવો સિદ્ધાંત નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા નરેશ રમણલાલ દોશી વિરુદ્ધ સ્ટેટ ઓફ ગુજરાત, સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નંદ૯૯૧/૨૦૨ર ના કામે તા.૦૭/૦૨/૨૦૨૩ ના રોજ આખરી હુકમ કરી પ્રસ્થાપિત કરવામાં આવેલ છે (લેન્ડ લોઝ જજમેન્ટસ, વોલ્યુમ.૧, ઈશ્યૂ.૨, ફેબ્રુઆરી-૨૦૨૪, પાના નં. ૧૫૦) આ કેસની ટૂંકમાં હકીકત નીચે મુજબ છે.


પ્રશ્નવાળી જમીન અપીલકર્તાના વડીલ દ્વારા રજિ.વેચાણ દસ્તાવેજથી ખરીદ કરેલ. ત્યારબાદ કૌટુંબિક વહેંચણ થતાં પ્રશ્નવાળી જમીન અપીલકર્તાના હિસ્સે આવેલ અને તે સમયગાળા દરમિયાન અપીલકર્તાના વડીલનું અવસાન થયેલ, પરંતુ પશ્નવાળી જમીન વહેંચણ મુજબ અપીલકર્તાના હિસ્સે આવેલ હોવાથી અન્ય વારસો દ્વારા હક્ક જતાં કર્યાના લેખ અપીલકર્તાના લાભમાં કરી આપવામાં આવેલ. ત્યારબાદ મામલતદાર અને કૃષિપંચનાએ અરજદારને ગણોતધારાની કલમ-૯૩.એ તેમજ ૬૩/ બી હેઠળ હેઠળ તપાસ હાથ ધરી ખેડૂત તરીકેના દરજજાની ખરાઈ કરવા અંગેની નોટિસ ત્રાહિત વ્યક્તિની અરજીના આધારે કાઢવામાં આવી હતી. અપીલકર્તા દ્વારા વાદચસ્ત નોટિસ તથા મામલતદાર અને કૃષિપંચ દ્વારા કરમાવેલ હુકમ વિરુદ્ધ હાલનુંઆ પ્રકરણ અપીલકર્તા દ્વારા નામદાર હાઈકોર્ટ સમક્ષ ઉપસ્થિત કરવામાં આવેલ. નામદાર હાઈકોર્ટ એવા તારણ ઉપર આવેલ કે, ગણોતધારાની કલમ-૬૩ ને કલમ- ૮૪(સી) સાથે વાંચતા તે હેઠળની સત્તાનું આહ્વાન કરીને કાર્યવાહી લગભગ ૧૭ વર્ષોના સમયગાળા બાદ શરૂ કરવામાં આવેલ છે. આ કોર્ટના વિવિધ ચુકાદાઓ અને હુકમો, કે જે પૈકી ભરતભાઈ નારણભાઈ વેગડા વિ. સ્ટેટ ઓફ ગુજરાતના કેસમાં લેટર્સ પેટન્ટ અપીલ નં.૭૯૮/૨૦૧૧ ના કામે કોર્ટની ખંડપીઠે આપેલ ચુકાદા ઉપર પણ આધાર રાખવામાં આવેલ છે કે, જેમાં એ પ્રમાણેનો સિદ્ધાંત નોંધવામાં આવેલ છે કે જો પગલાં ગેરવાજબી સમયગાળા બાદ શરૂ કરવામાં આવેલ હોય તો તે હકૂમત વિનાના બની રહેશે અને વિલંબનો પ્રતિબંધ હકૂમતની ઉપયોગની વિરુદ્ધ અમલી બને છે અથવા એ કે કાર્યવાહી શરૂ કરવાનું પગલું વાજબી સમયગાળા બાદ લેવાયેલ હોય તો તેવું પગલું હકૂમત વિનાનું કહી શકાય. વધુમાં મુજબ કાયદાનો એ સુપસ્થાપિત સિદ્ધાંત છે કે, વાજબી સમયગાળા બાદ સત્તાધિકારીઓ દ્વારા કાર્યવાહી શરૂ કરવાનું વ્યર્થ અને સત્તાધિકારીઓને વાજબી સમયગાળા બાદ કોઈપણ મહેસૂલી નોંધો અંગે પશ્ન કરવાની હકૂમત નથી.

નામદાર હાઈકોર્ટ દ્વારા તા.૨૯/૦૭/૨૦૧૫ ના ચુકાદામાં ખંડપીઠ દ્વારા અપાયેલ નિરીક્ષણોનો સંદર્ભ લીધેલ કે, જો પગલું હકૂમત વિનાનું હોય તો. સંદભિત નિર્ણયમાં ઉપલી કોર્ટ દ્વારા નોંધાયા મુજબ બંધારણના આર્ટિકલ ૨૨૮ હેઠળની અરજી ચલાવી શકાય છે અને બંધારણના આર્ટિકલ ૨૨૬ હેઠળની આ કોર્ટની હકૂમતનું આહ્વાન કરી શકાય છે.

જો કાર્યવાહીનો નિર્ણય હકૂમતના આધારે કરવામાં આવેલ હોય અને બંધારણના આર્ટિકલ ૨૨૬ હેઠળની ન્યાયિક તપાસ હાથ ધરતી વેળા કોર્ટ દ્વારા તેવો નિર્ણય હફમત વિનાનો હોવાનું જણાઈ આવે તો એકમાત્ર શક્ય દૃષ્ટિકોણ એ છે કે પગલું/કાર્યવાહી હકૂમત વિનાની છે. જો પગલાં કાર્યવાહી હકૂમત વિનાના હતાં તો અમને નથી લાગતુ કે તે બંધારણના આર્ટિકલ ૨૨૬ હેઠળની સત્તાનો ઉપયોગ કરતી વખતે ધ્યાને લેવાનાં થતાં સ્વવિવેકાધિકારના દાયરામાં પડશે. નોંધી શકાય કે, રજૂઆત અરજદારોના પક્ષે થયેલ વર્તણૂક ઉપર આધારિત નથી કે જે કોર્ટને દખલગીરી કરવાનો ઈન્કાર કરવા દોરી જાય, પરંતુ રજૂઆત એવા આધાર ઉપર છે કે વાજબી સમયગાળાના મુદ્દે પ્રસ્થાપિત કાનૂની સ્થિતિની વિરુદ્ધ તેમજ પગલા શરૂ કરવામાં થયેલ વિલંબની વિરુદ્ધ બે દ્રષ્ટિકોણો શકવ નહોતા. તેથી વિદ્વાન સિંગલ જજ સાહેબ દ્વારા પસાર હુકમમાં દખલગીરી કરવાનો યોગ્ય કેસ છે અને તેને જે રજૂઆત કરવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે તેમ લેટર્સ પેટન્ટમાં આ કોર્ટની ખંડપીઠની અપીલી સત્તાની હફમતની બહાર હોવાનું કહી શકાય નહીં.




વધુમાં નામદાર હાઇકોર્ટ દ્વારા સ્પેશિયલ એપ્લિકેશન નં. ૧૨૭૮૩/૨૦૧૬ ના કામે પસાર તા.૦૯/૦૩/૨૦૧૮ ના હુકમમાં સહાયક બેન્ચે ખંડપીઠના ચુકાદાને ધ્યાને લીધા બાદ તારણ આપેલ કે, હાલના કેસમાં ૨૦ વર્ષો જેટલા લાંબા સમય બાદ કારણદર્શક નોટિસ કાઢીને શરૂ કરવામાં આવેલ કાર્યવાહીઓ ચલાવવામાં આવશે નહીં. પગલાં અને કાર્યવાહીઓ શરૂ કરવાનું કૃત્ય હકૂમત વિનાનાં ભનેલ છે. આ જ કારવાસર સામાપક્ષ દ્વારા જે ઉપસ્થિત કરવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે, તેવી વૈકિલ્પક રાહતની ઉપલબ્ધિની રજૂઆત આ સાથે ઓવરરૂલ કરવામાં આવે છે. જવારે પગલું દેખીતી રીતે હકૂમતના અભાવે ગેરકાયદેસર છે ત્યારે અને જયારે તે ભરતભાઈ નારણભાઈ વેગના કેસમાં આ કોર્ટે આપેલ નિર્ણયથી વિરુદ્ધ છે ત્યારે બંધારણના આર્ટિકલ ૨૨૬ હેઠળની આ અરજી ચલાવી શકાઈ હોત.


નામદાર હાઈકોર્ટ દ્વારા તા.૨૯/૦૭/૨૦૧૫ ના ચુકાદામાં ખંડપીઠ દ્વારા અપાયેલ નિરીક્ષણોનો સંદર્ભ લીધેલ કે, જો પગલું હકૂમત વિનાનું હોય તો. સંદભિત નિર્ણયમાં ઉપલી કોર્ટ દ્વારા નોંધાયા મુજબ બંધારણના આર્ટિકલ ૨૨૮ હેઠળની અરજી ચલાવી શકાય છે અને બંધારણના આર્ટિકલ ૨૨૬ હેઠળની આ કોર્ટની હકૂમતનું આહ્વાન કરી શકાય છે.


નામદાર હાઇકોર્ટે ઠરાવેલ કે, કાર્યવાહીમાં ભાગ લીધો હોઈ, અરજદાર માટે તેને પડકારવાનું ખુલ્લું નહોતું. એવી વિદ્વાન મદદનીશ સરકારી વકીલશ્રી દ્વારા ઉપસ્થિત કરાવેલ રજૂઆતનો પ્રશ્ન છે ત્યાં સુધી, તે સ્વીકારવાને લાયક નથી. કારણ કે જો કાર્યવાહીઓ હકીકતમાં હકૂમત વિનાની અને વ્યર્થ હોય તો પક્ષકારો તેવી કાર્યવાહીમાં ભાગ લીધા બાદ પણ તેવી કાર્યવાહીને કોઈપણ તબક્કે પડકારી શકે છે. (લેન્ડ શોઝ જજમેન્ટસ, વોલ્યુમ-૧, ઈશ્યૂ-૨, ફેબ્રુઆરી-૨૦૨૪, પાના નં. ૧૫૦)

No comments:

Post a Comment

મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં

  મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં. જ્યારે જમીન મિલકત વેચાણ વ્યવહાર કરવામાં આવેલ ત્યારે  પક્ષકારો વચ્ચે કાય...