1.11.2023

પાવર ઓફ એટર્ની થી રજૂ થતા દસ્તાવેજોમાં પાવર ઓફ એટર્ની ની આપનારે પોતાની હયાતી નું સોગંદનામુ રજૂ કરવાનું રહેશે



 વિષય :- ગુજરાત રજીસ્ટ્રેશન (સુધારા) નિયમો – ૨૦૨૩ના અમલ બાબતે.

વંચાણે લીધુ :- 

(1) મહેસૂલ વિભાગના પત્ર No. GHM-2023-4-M-RGN-122022-951-H.1.તા.૦૬/૦૧/૨૦૨૨.

(2) અત્રેના પરિપત્ર ક્રમાંકઃ ઈજર/વહટ/૨૦૨/૨૦૧૬/૨૧૨૫૪-૬૫૧/૨૦૨૦ તા.૨૩/૦૭/૨૦૨૦.(

૩) અત્રેના પરિપત્ર ક્રમાંક: ઈજર/વહટ/૨૫૨/૨૦૨૨/૨૭૭૮૩ તા.૦૩/૦૬/૨૦૨૨.

(4) અત્રેના પરિપત્ર ક્રમાંક: ઈજર/વહટ/૨૫૫/૨૦૨૨/૨૬૬૪૭-૫૭ તા. ૨૮/૦૬/૨૦૨૨.

પરિપત્ર :FOR PDF GR CLIK HERE

૧. અત્રેના પરિપત્ર ક્રમાંક: ઈજર/વહટ/૨૦૨/૨૦૧૬/૨૧૨૫૪-૬૫૧ તા.૨૩/૦૭/૨૦૨૦ ના મુદ્દા નં. ૫ ના ફકરા નંબર એકના પેટા મુદ્દા નં. (iv) "પાવર ઓફ એટર્ની આધારે સહી કરવામાં આવેલ દસ્તાવેજમાં પાવર ઓફ એટર્ની આપનાર વ્યક્તિ(Principal) હયાત હોવાની સાબિતી રજૂ કરેલ ન હોય તો, દસ્તાવેજ નોંધણી અર્થે સ્વીકારી શકાશે નહીં તેવી જોગવાઈ કરવામાં આવે છે." અને બીજા ફકરાના પેટા મુદ્દા નં. (iv) પાવર ઓફ એટર્ની હોલ્ડર દ્રારા સહી/મત્તું કરી રજૂ કરવામાં આવેલ દસ્તાવેજમાં પાવર ઓફ એટર્ની આપનાર વ્યક્તિ(Principal) હયાત હોવાનું જાહેર કરતું આ સાથે સામેલ નમુના મુજબનું પાવર ઓફ એટર્ની હોલ્ડરનું ડેકલેરેશન(સોગંદનામું) આ મુજબની સૂચના આપવામાં આવેલ હતી.

૨. મહેસૂલ વિભાગના તા.૦૬/૦૧/૨૦૨૩ના જાહેરનામાં ગુજરાત રજીસ્ટ્રેશન નિયમો-૧૯૭૦ ના નિયમ-૪૫(૧)(I )અન્વયે નિયમમાં સુધારો થતા.

""પ્રિન્સિપાલ જીવિત છે તેવું જણાવતા પાવર ઓફ એટર્ની ધારક દ્વારા ઘોષણા શબ્દો *તે/તેણી જીવિત છે તેવું જણાવતા આચાર્ય દ્વારા ઘોષણા"ને બદલવામાં આવશે."

"ગુજરાત રજીસ્ટ્રેશન નિયમો – ૧૯૭૦ ના નિયમ ૪૫(૧)(!) માં "મુખ્તયારનામું કરી આપનાર વતી મુખત્યારનામા ધારકે સોગંદનામું રજુ કરવાનું રહેશે” ના બદલે “મુખત્યારનામું કરી આપનારે પોતાની હયાતીનું સોગંદનામું રજુ કરવાનું રહેશે" આ શબ્દો દાખલ કરવામાં આવે છે.”

3. સંદર્ભ (૨)ના પરિપત્ર ના મુદ્દા નં. ૫. ના બીજા ફકરાના ક્રમ નં.(iv) માં નીચે મુજબનો સુધારો ગણવો.”પાવર ઓફ એટર્ની હોલ્ડર દ્રારા સહી/મત્તું કરી રજૂ કરવામાં આવેલ દસ્તાવેજમાં પાવર ઓફ એટર્ની આપનાર વ્યક્તિ(Principal) હયાત હોવાનું જાહેર કરતું આ સાથે સામેલ નમુના મુજબનું પાવર ઓફ એટર્ની કરી આપનારનું ડેકલેરેશન(સોગંદનામું) રજૂ કરવાનું રહેશે.”

પાવર ઓફ એટર્ની કરી આપનાર(Principal) દ્રારા હયાત હોવાનું જાહેર કરતું ડેકલેરેશન(સોગંદનામમું)નો નમુનો આ સાથે સામેલ છે.

૪. અત્રેના પરિપત્ર ક્રમાંક: ઈજર/વહટ/૨૫૫/૨૦૨૨/૨૬૬૪૭-૫૭ તા. ૨૮/૦૬/૨૦૨૨ અન્વયે નોંધણી અર્થે રજુ થયેલ લેખ કબુલાતના કારણ સિવાય મુલત્વી ન રાખવા જણાવેલ તેમાં વિદેશમાં એક્ઝિક્યુટ થયેલા પાવર ઓફ એટર્નીના આધારે કોઈ લેખ નોંધણી અર્થે રજૂ થાય ત્યારે પાવર ઓફ એટર્ની કરી આપનારનું(Principal) ડેકલેરેશન(સોગંદનામું) ન હોવાને કારણે નોંધણી માટે રજુ થયેલ લેખ સ્વીકાર્યા બાદ એક મહિના સુધી મુલત્વી રાખી શકશે.

આ પરિપત્રનો ચુસ્તપણે અમલ કરવા માટે સૂચના આપવામાં આવેલ છે

સુધારા પરિપત્ર:

અત્રેની કચેરીના પરિપત્ર ક્રમાંક: ઈજર/વહટ/૨૦૨/૨૦૧૬(ભાગ-૨)/૧૪૦૨/૨૦૨૩ તા. ૦૯/૦૧/૨૦૨૩ ના મુદ્દા નં. ૩ ના ફકરા નંબર બે માં “પાવર ઓફ એટર્ની કરી આપનાર(Principal) દ્રારા હયાત હોવાનું જાહેર કરતું ડેકલેરેશન(સોગંદનામું)નો આ સાથે સામેલ છે.” જેના બદલે આ સાથે સામેલ ડેકલેરેશન(સોગંદનામું)નો નમૂનો ધ્યાને લેવાનો રહેશે.

વધુમાં ઉપરોક્ત પરિપત્રના મુદ્દા નં.૪ માં "અત્રેના પરિપત્ર ક્રમાંક: ઈજર/વહટ/૨૫૫/૨૦૨૨/૨૬૬૪૭-૫૭ તા. ૨૮/૦૬/૨૦૨૨ અન્વયે નોંધણી અર્થે રજુ થયેલ લેખ કબુલાતના કારણ સિવાય મુલત્વી ન રાખવા જણાવેલ તેમાં વિદેશમાં એક્ઝિક્યુટ થયેલા પાવર ઓફ એટર્નીના આધારે કોઈ લેખ નોંધણી અર્થે રજૂ થાય ત્યારે પાવર ઓફ એટર્ની કરી આપનારનું(Princ|pal) ડેકલેરેશન(સોગંદનામું) ન હોવાને કારણે નોંધણી માટે રજૂ થયેલ લેખ સ્વીકાર્યા બાદ એક મહિના સુધી મુલત્વી રાખી શકશે.”તેવું જણાવેલ.

જે પરત્વે જણાવવાનું કે, તા.૧૪/૦૨/૨૦૨૩ સુધી નોંધણી અર્થે રજૂ થયેલ દસ્તાવેજ આ હેતુ માટે મુલત્વી રાખી શકાશે. તા.૧૫/૦૨/૨૦૨૩ કે ત્યારપછી આ હેતુથી નોંધણી અર્થે લેખ મુલત્વી રાખી શકાશે નહિ/મુલત્વી રાખવાનો રહેશે નહિ,


No comments:

Post a Comment

મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં

  મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં. જ્યારે જમીન મિલકત વેચાણ વ્યવહાર કરવામાં આવેલ ત્યારે  પક્ષકારો વચ્ચે કાય...