ખુલ્લા પ્લોટના દસ્તાવેજોમાં મિલ્કતનું ફરજિયાત સ્થળ નિરીક્ષણ કરીને જરૂરી કાર્યવાહી હાથ ધરવા બાબત - E-Jamin

Latest

At E-Jamin Revenue Blog, we provide detailed, up-to-date guides on navigating the Gujarat revenue department, covering all important offices such as the Sub Registrar, Mamlatdar, City Survey, Collector, and DILR (District Inspector of Land Records). Whethe

Revenue News

BANNER 728X90

6.29.2022

ખુલ્લા પ્લોટના દસ્તાવેજોમાં મિલ્કતનું ફરજિયાત સ્થળ નિરીક્ષણ કરીને જરૂરી કાર્યવાહી હાથ ધરવા બાબત

 સબ રજીસ્ટ્રાર કચેરી એ સરકારી શ્રી ને સ્ટેમ્પ અને નોધણી ફી ની આવક કરતો અગત્યનો વિભાગ છે. સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફી ની આવક સરકારી નિયમિત મળતી રહે તથા સ્ટેમ્પ ડ્યૂટીની ચોરી અટકાવવા માટે સરકાર શ્રી દ્વારા વખતોવખત સૂચનાઓ અને પરિપત્રો જાહેર કરવામાં આવતા હોય છે તાજેતરમાં તારીખ ૨૦/૦૬/૨૦૨૨ ના રોજ ખુલ્લા પ્લોટ   ના દસ્તાવેજ ફરજિયાત સ્થળ તપાસ કરવાની સુચના આપવામાં આવેલ છે. 


           (૧)  ઉપરોકત વિષય પરત્વે જણાવવાનું કે, રાજ્યમાં આવેલા સબ રજિસ્ટ્રાર કચેરીઓ દ્વારા નોંધણી કરવામાં આવતા સ્થાવર મિલ્કતના દસ્તાવેજો પૈકીથી બીન ખેતીના ખુલ્લા પ્લોટની મિલ્કતના દસ્તાવેજોમાં જણાવેલી જમીનમાં સ્થળે બાંધકામ થયેલ છે કે કેમ? તે અંગેની ચકાસણી કરવા સંદર્ભદર્શિત પરિપત્રોથી અવાર નવાર જરૂરી સુચનાઓ આપવામાં આવેલ છે. જેમાં જરૂરી સુધારો કરી નિચેની વિગતે ખુલ્લા પ્લોટના દસ્તાવેજોમાં મિલ્કતનું ફરજિયાત સ્થળ નિરીક્ષણ કરીને જરૂરી કાર્યવાહી હાથ ધરવાની સુચના આપવામાં આવેલ છે

        (૨)  તમામ સબ રજિસ્ટ્રારશ્રીઓએ અત્રેના સંદર્ભ-૪વાળા પરિપત્રથી નિયત કરેલા પત્રક મુજબની માહીતી તેમજ ખુલ્લા પ્લોટના દસ્તાવેજને સંલગ્ન ફોર્મ નં. ૧, ગણતરી પત્રક તથા દસ્તાવેજની નકલ સબંધીત નાયબ ક્લેક્ટરશ્રી સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન તંત્રને દર સોમવારે બિનચુક મોકલી આપવા જણાવવામાં આવેલ છે. તફાવતે સબંધીત સબ રજિસ્ટ્રારની જવાબદારી નક્કી કરવામાં આવશે. તેવું જણાવવામાં આવેલ છે

   (૩) આપેલી વખત તો વખતની સૂચનાઓનો અસરકારક અમલ થાય, કેસોનો ઝડપી નિકાલ થઇ શકે અને સ્ટેમ્પ ડયુટીની આવકને સુરક્ષિત કરી શકાય તે હેતુસર સબ-રજીસ્ટ્રાર કચેરી તરફથી મળેલા ખુલ્લા પ્લોટના દસ્તાવેજોમાં સ્થળ નિરીક્ષણ કરવાની કામગીરી કોના મારફતે કરાવવી તે બાબત સુનિશ્ચિત કરવી ખુબજ જરૂરી બને છે. સદર બાબતે કામગીરીની વહેંચણી કરવામાં આવેલ છે

    ગ્રામ્ય વિસ્તાર,નગરપાલીકા વિસ્તાર અને મહાનગરપાલીકા ઓથોરિટી વિસ્તારના નોંધાયેલા ખુલ્લા પ્લોટના દસ્તાવેજોમાં જણાવેલી વિગતો આધારે મિલ્કતનુ સ્થળ નિરીક્ષણની કામગીરી નીચે મુજબની વિગતે કરવાનું નક્કી કરવામાં આવેલ છે

અનુ.નંબર

વિસ્તાર

 

અધિકૃત અધિકારી/ કર્મચારી

દસ્તાવેજમાં જણાવેલ

 

રકમ

ખુલ્લા પ્લોટનો વિસ્તાર

1

ગ્રામ્ય

કચેરી અધિક્ષક /સ્ટેમ્પ નિરીક્ષક

૫ લાખ સુધી

રપ૦ ચો. મીટર થી

ઓછો

 

નાયબ કલેકટરશ્રી

૫ લાખથી ઉપર

૨૫૦ ચો.મીટરથી

વધુ

2

શહેરી

કચેરી અધિક્ષક /સ્ટેમ્પ નિરીક્ષક

- ૧૦ લાખ સુધી

૧૦૦ ચો.મીટર સુધી

 

નાયબ કલેકટરશ્રી

૧૦ લાખથી ઉપર

 

૧૦૦ ચો.મીટર થી વધુ

     (૪) ઉપર કોષ્ટકમાં દર્શાવેલ વિગતો મુજબ ખુલ્લા પ્લોટના દસ્તાવેજોમાં જણાવેલી મિલકતની બજારકિંમત નક્કી કરતાં પહેલા મિલકતનું ફરજિયાત સ્થળ નિરીક્ષણ કરીને જ મિલકતની બજારકિંમત નક્કી કરવાની કામગીરી હાથ ધરવી. કોષ્ટકમાં જણાવ્યા મુજબની વિગતો અને દસ્તાવેજમાં જણાવેલ અવેજ અને મિલ્કતના વિસ્તારમાં તફાવત જણાય તેવા કિસ્સામાં સ્થળ નિરીક્ષણ કોણે કરવુ તેનો નિર્ણય નાયબ કલેકટરશ્રીએ કરવાનો રહેશે.

    તમામ નાયબ ક્લેક્ટરશ્રી, સ્ટેમ્પ ડયુટી મુલ્યાંકન તંત્રની કચેરીને મળેલા ખુલ્લા પ્લોટના દસ્તાવેજો અંગેનું રજિસ્ટર નિભાવવાનું રહેશે. જે દસ્તાવેજોમાં જણાવેલી ખુલ્લા પ્લોટની મિલ્કતો બાબતમાં સ્થળ નિરીક્ષણ કર્યા બાદ કોઈ વિસંગતતા જણાઈ આવે તો એવા દસ્તાવેજો પરત્વે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ ની કલમ ૩૨-ક (૪) મુજબ કાર્યવાહી કરવાની સુચના આપવામાં આવેલ છે

 ઉક્ત સુચનાનો ચૂસ્તપણે અમલ કરવા જણાવવામાં આવેલ છે . 

FOR GR CLIK HERE

એ પી તાવિયાડ સબ રજીસ્ટ્રાર

No comments:

Post a Comment

Featured post

વેચાણ કરાર રદ થયેલો હોય તો પહેલું પગથિયું છે – ઘોષણાત્મક રાહતની માંગ: સુપ્રીમ કોર્ટ

 સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો : રદ કરાર પર ‘ચોક્કસ અમલ’નો દાવો જાળવી શકાય નહીં. દિલ્હી : સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતો કહ્...