6.29.2022

ખેતીથી બિનખેતી માટે ટાઉન પ્લાનીગ /ટીપી/ડીપી વિસ્તાર માં 60 ટકા જમીનનું પ્રીમિયમ ભરવાનું રહેશે

 FOR GR CLIK HERE

N. A. માટે અરજી કરતા જમીન માલિકોને મોટો ફાયદો: 40 ટકા કપાતનું ધોરણમાં ધ્યાનમાં રખાશે


ખેતીથી બખેતીન શરતફેરના કિસ્સામાં જો જમીન ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ જાહેર થઈ ગઈ હોય તો 40 ટકા કપાત કરી બાકી રહેતી 60 ટકા જમીન પરક જંત્રી મુજબ પ્રીમિયમ લેવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. આ માટે સરકારે જંત્રીમાં ખુલ્લા પ્લોટની ગાઈડ લાઈન બહાર પાડવામાં આવી છે.
રાજ્ય સરકારે તાજેતરમાં એક પરિપત્ર બહાર પાડી આ અંગે નિર્ણય જાણ કરી છે. રાજ્યમાં અત્યાર સુધી ખેતીની જમીન જો 10,000 ચો.મી. હોય તો બિન ખેતીમાં ફેરવવામાં માટે અરજી થાય તો પ્રીમિયમ 10,000 ચો.મી.નો જ વસુલવામાં આવતો હતો. આ અંગે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે અહેવાલ મંગાવતા રાજ્યમાં આ અંગે જુદી જુદી નીતિઓ અમલમાં હતી. દરેક જિલ્લામાં આ અંગે અલગ અલગ માપદંડો અમલમાં હતા. 

રાજ્યના જમીન માલિકોએ આ અંગે એવી રજૂઆત કરી હતી કે જમીન એન.એ. માટે અરજી કરવામાં આવે ત્યારે પૂરેપૂરી જમીનનું પ્રીમિયમ વસૂલવામાં આવે છે અને ત્યારબાદ તેના ડેવલપમેન્ટ માટે તેને મૂકવામાં આવે ત્યારે સત્તામંડળો 40 ટકા કપાતના ધોરણે જમીન લઈ 60 ટકાના પ્લોટમાં ડેવલપમેન્ટ માટે મંજૂરી આપતા હોય છે. ત્યારે 40 ટકા જમીન પર સરકાર દ્વારા જે પ્રીમિયમ વસૂલવામાં આવે છે તે જમીન માલિક ઉપર વધારાનો બોજ ન પડે છે અને તેના કારણે પ્રોજેક્ટ કોસ્ટ વધી જાય છે. એટલું જ નહીં બાંધકામની સ્કીમમાં આ બોજો ગ્રાહક ઉપર નાખવામાં આવે છે. આ બોજો દૂર કરવા માટે સરકારને રજૂઆત કરવામાં આવી હતુ. 

ઉપરોક્ત સમયે રજૂઆત વખતે સરકાર તરફથી દલીલ કરવામાં આવી હતી કે બાકીની 40 ટકા જમીન ઉપર પ્રીમિયમ વસૂલવામાં ના આવે તો સરકારની આવક ઉપર મોટો ફટકો પડે તેમ છે અને આ જમીન ઉપર સત્તામંડળો તેનો ઉપયોગ કરવાના છે કેટલાક પ્લોટ વેચી આવક પણ ઉભી કરશે. ત્યારે પ્રીમિયમ ગ્રાહક પાસેથી વસૂલવા માટેની દલીલ પણ થઈ હતી. આ મુદ્દે સત્તામંડળે ભારે વિરોધ નોંધાવ્યો હતો અને તેમણે પ્રીમિયમ એન.એ. કરતી વખતે જ વસૂલવામાં આવે તેમ જણાવ્યું હતું. 

સરકારે તમામ રજૂઆત બાદ તાજેતરમાં આ અંગે નિર્ણય કરી પરિપત્ર કરવામાં આવ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે સ્ટેમ્પ અધિનિયમ કડક અમલ માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં જમીન તથા સ્થાવર મિલકતોની બજાર કિંમત નક્કી કરવા ગાઈડલાઈન (જંત્રી) સમયાંત્તરે નક્કી કરવામાં આવ્યા છે. સરકારે કાળજીપૂર્વક વિચારણાને અંતે ખેતીથી ખેતીના શરતફેરના કિસ્સામાં જ્યારે ટાઉન પ્લોટ ભંગ સ્કીમનો ઈરાદો જાહેર થયો હોય કે ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ જાહેર થઈ હોય અથવા ટી.પી. સ્કીમ પ્રિલીમીનરી અને ફાઈનલ જાહેર થઈ હોય તેવા સમયે જ્યારે બિનખેતી માટે અરજી આવે તે સમયે “એફ. ફોર્મ”માં દર્શાવેલ અંતિમખંડ (ફાઈનલ પ્લોટ)નું ક્ષેત્રફળ ધ્યાનમાં લેવાતું રહેશે અથવા જો “એફ. ફોર્મ” નહીં હોય તો તેવા કિસ્સામાં સામાન્ય રીતે 40 ટકા કપાત ધ્યાનમાં લઈ મળવાપાત્ર ફાઈનલ પ્લોટના ક્ષેત્રફળને ધ્યાનમાં રાખીને ખેતીથી બિનખેતીનું પ્રીમિયમ તેમજ તે મુજબના જ ક્ષેત્રફળને ધ્યાનમાં રાખીને ખેતીથી ખેતીનું પ્રીમિયમ વસૂલવાનું રહેશે.

તાજેતરમાં ધ્યાનમાં આવ્યુ છે કે રાજ્યની સબ રજીસ્ટ્રાર કચેરો તથા ડેપ્યુટી કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી દ્વારા ફાઈનલ પ્લોટને ધ્યાનમાં લેવાના બદલે આખેઆખા પ્લોટના ક્ષેત્રફળને ધ્યાનમાં રાખીને સ્ટેમ્પ ડ્યુટી ભરાવવામાં આવે છે. તેમજ પ્રીમિયમ પણ વસુલવામાં આવે છે. આ બાબતે ઘણી રજૂઆતો મળી છે. આમ જંત્રી 2011ની ગાઈડ લાઈન મુજબ જે કિસ્સામાં જમીનોની તથા સ્થાવર મિલકતોની બજાર કિંમત નક્કી કરવા માટે ખુલ્લા પ્ટોલની વ્યાખ્યા મુજબ ખુલ્લા પ્લોટની જંત્રી ધ્યાનમાં લઈ સ્ટેમ્પ ડ્યુટી નક્કી કરતી વખતે ડ્રાફ્ટ ટાઉન પ્લાનીંગ સ્કીમનો ઈરાદો જાહેર થઈ ગયો હોય તો જમીનનુ “એફ. ફોર્મ” મુજબ ફાઈનલ પ્લોટનું ક્ષેત્રફળ ધ્યાને લેવાતું રહેશે અને જે કિસ્સામાં “એફ. ફોર્મ”ના હોય તેવા કિસ્સામાં સંબંધિત સત્તામંડળ દ્વારા અપનાવેલા કપાતના ધોરણ મુજબ જમીન કપાત કરી બાકી રહેતા ક્ષેત્રફળને ધ્યાનમાં લઈ બજાર ભાવ નક્કી કરવાનો રહેશે અને તે મુજબ પ્રીમિયમ ભરવાનું રહેશે. ઉપરોક્ત નિર્ણયથી ખેતીથી બિનખેતી માટે થતી અરજીઓમાં જમીન માલિકોને મોટો ફાયદો થશે તેમને 60 ટકા જમીનના પ્લોટ મુજબ જ પ્રીમિયમ ભરવાનું રહેશે.

No comments:

Post a Comment

મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં

  મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં. જ્યારે જમીન મિલકત વેચાણ વ્યવહાર કરવામાં આવેલ ત્યારે  પક્ષકારો વચ્ચે કાય...