9.18.2022

ટ્રસ્ટોને સરકારી જમીનની ફાળવણી કરતાં ઉમેરવાની શરતો બાબત.

 

ટ્રસ્ટોને સરકારી જમીનની ફાળવણી કરતાં ઉમેરવાની શરતો બાબત.

ટ્રસ્ટોને સરકારી જમીનની ફાળવણી કરતાં ઉમેરવાની શરતો બાબત.


ગુજરાત જમીન મહેસૂલ નિયમો ૧૯૭૨ ના નિયમ -૩૨ મુજબ જાહેર ટ્રસ્ટોને વિવિધ હેતુ માટે મહેસૂલ માફી / કિંમત માફીથી સરકારી જમીન નિયમ -૩૬ ની શરતોને આધિન ફાળવવામાં આવે છે, અમુક હેતુઓ જેવા કે દૂધ ઉત્પાદક સહકારી મંડળીને દૂધ ઘર માટે તથા અન્ય સહકારી મંડળીઓને ગોડાઉન તથા સમાજવાડી માટે કબજા કિંમત વસૂલ લઈ, સંદર્ભ- (૧) થી (૫) દર્શિત નિયમો / ઠરાવ / પરિપત્રની જોગવાઈઓને આધિન નવી, અવિભાજ્ય, વિક્રિયાદી નિયંત્રીત શરતે તથા અન્ય પ્રવર્તમાન શરતોને આધિન ફાળવવામાં આવે છે. મહેસૂલ વિભાગના સંદર્ભદર્શિત ક્રમ- (૬) ના પરિપત્રની વિગતે મહેસૂલ માફી / કિંમત માફીથી ફાળવેલ જમીન તથા કબજા કિંમત વસૂલીને નવી, અવિભાજ્ય વિક્રિયાદી નિયંત્રીત શરતે ફાળવેલ સરકારી જમીન પર સરકારશ્રીનું પ્રીમીયમનું હિત સમાયેલું હોય છે. આવી જમીનના વેચાણ / તબદીલી ગીરો, બક્ષિસ કે ભાગીદારી ફેરફાર કરવાના પ્રસંગે સરકારના પ્રવર્તમાન જોગવાઈ મુજબ પ્રીમીયમની રકમ વસૂલ લેવાની શરતે પૂર્વ પરવાનગી આપવામાં આવે છે. આવી જમીનો માન્ય નાણાકીય સંસ્થા / બેંકો સમક્ષ ગીરો મુકવાના પ્રસંગે પણ કલેક્ટરશ્રીની પરવાનગી લેવાની રહે છે તેમ સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવેલ છે ઉક્ત જોગવાઈ હોવા છતાં સરકારશ્રીના ધ્યાને આવેલ છે કે કેટલાક ટ્રસ્ટો દ્વારા અમુક કિસ્સામાં મહેસૂલ માફી । કિંમત માફીથી ફાળવેલ જમીન તથા કબજા કિંમત વસૂલી ફાળવેલ જમીનનું સરકારશ્રીની પૂર્વ મંજૂરી વિના એક ટ્રસ્ટ દ્વારા બીજા ટ્રસ્ટને ચેરીટી કમિશનરશ્રી / જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી / રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ અને અન્ય સત્તાધિકારીઓની મંજુરીથી તબદીલી કરવામાં આવે છે, તથા કેટલીક સંસ્થાઓ/ ટ્રસ્ટો દ્વારા આ જમીન ગીરો મુકીને તેના પર લોન મેળવે છે અને આવી સંસ્થાઓ / ટ્રસ્ટો ફડચામાં જવાના કારણે ઓફીશીયલ લીકેવીડેટર દ્વારા હરાજી કરતાં સમયે પણ સરકારશ્રીના પ્રીમીયમનું હિત સુરક્ષિત રાખવામાં આવતું નથી . હરાજીમાં કે અન્ય રીતે વેચાણ લેનારને પણ આવી જમીનની ખરીદી સમયે મહેસૂલ વિભાગની મંજૂરી અગાઉથી લેવાપાત્ર છે તે મુજબનું જ્ઞાન ન હોવાની શક્યતાના લીધે આ પ્રકારની નવી , અવિભાજ્ય, વિક્રિયાદી નિયંત્રીત શરતની ટ્રસ્ટને ફાળવેલ જમીન, સરકારશ્રીની મંજૂરી વિના તથા સરકારશ્રીને મળવાપાત્ર નિયમાનુસારના પ્રીમીયમની રકમ ભરપાઈ થયા સિવાય વેચાણ થઈ જાય છે . વેચાણ લેનારને પણ આ જમીનની તબદીલી પૂર્વે આ જમીન પ્રિમીયમપાત્ર તથા મહેસૂલ વિભાગ / સરકારશ્રીની મંજુરી લેવાપાત્ર છે, તેવુ જ્ઞાન ન હોવા અંગે સંભાવના છે. ઉક્ત બાબત સરકારશ્રીની સક્રિય વિચારણા હેઠળ હતી તદઅન્વયે પુખ્ત વિચારણાને અંતે, મહેસૂલ વિભાગના સંદર્ભ- ( ૬ ) દર્શિત તા.૦૭/૦૨/૨૦૦૯ ના પરિપત્ર ક્રમાંક : મમજ - ૫૩૦૮-૮ - ગ મુજબની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા કાયદા વિભાગ , શિક્ષણ વિભાગ, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ અને તેમની તાબાની તમામ કચેરીઓ તથા સર્વે કલેક્ટરશ્રીઓનું પુન : ધ્યાન દોરવામાં આવે છે. વધુમાં, ટ્રસ્ટને નવી, અવિભાજ્ય , વિક્રિયાદી નિયંત્રીત શરતે ફાળવેલ સરકારી જમીનના ગામ નમુના નં .૭ માં “ નવી, અવિભાજ્ય, વિક્રિયાદી નિયંત્રીત શરતે અને મહેસૂલ વિભાગ / સરકારની પૂર્વ મંજૂરીને પાત્ર તથા પ્રિમીયમને પાત્ર " તે મુજબનો ઉલ્લેખ કલેક્ટરશ્રીઓએ કરવાનો રહેશે અને આવી જમીનની ફાળવણીના વિગતવાર હુકમમાં પણ સંબંધિત કલેક્ટરશ્રીઓ દ્વારા આવી શરતનો ઉલ્લેખ અચૂક કરવાનો રહેશે. 

ગુજરાતના રાજયપાલશ્રીના હુકમથી અને તેમના નામે 


No comments:

Post a Comment

મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં

  મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં. જ્યારે જમીન મિલકત વેચાણ વ્યવહાર કરવામાં આવેલ ત્યારે  પક્ષકારો વચ્ચે કાય...