3.06.2024

વસિયતમાં કરાયેલ વહેંચણી સમાન છે તે છે કે નહીં તે જોવાનું કામ કોર્ટનું નથી

 વસિયતમાં કરાયેલ વહેંચણી સમાન છે તે છે કે નહીં તે જોવાનું કામ કોર્ટનું નથી



કેન્દ્રિત કર્યુ હતું. જો કે, બચાવકર્તાઓએ એવી પણ રજૂઆત ઉપસ્થિત કરી હતી કે, વસિયતકર્તાઓને વસિયતની રાહે તેમની મિલકતોનો નિકાલ કરવાનો કોઈ અધિકાર નહોતો, તેમ છતાં, પ્રોબેટ કોર્ટે સીધેસીધી એવા આધાર ઉપર તે • નજમુદ્દીન મેઘાણી નામંજૂર કરી હતી કે, પ્રોબેટ કોર્ટની હકૂમતનો અવકાશ કોઈપણ મિલકત પરત્વેના ટાઈટલના વિવાદી પ્રશ્નોનો નિર્ણય ક૨વાની નહોતો.


ઈપણ વ્યક્તિને પોતાની સ્વપાર્જિત માલિકી ધરાવતી મિલકતો પોતાના મૃત્યુ બાદ પોતાની ઈચ્છા, મનમરજી મુજબ વ્યવસ્થા કરવાનો પૂરેપૂરો હક્ક અને અધિકાર છે અને તેથી વીલ યાને વસિયતનામું બનાવવામાં આવતું હોય છે અને વીલ કરનાર દ્વારા પોતાના સંતાનો અથવા કોઈપણ સગા-સંબંધી યા ત્રાહિત વ્યક્તિને તેઓની હયાતી બાદના મિલકતના માલિક બનાવતા હોય છે. પરંતુ જ્યારે વીલ કરનાર દ્વારા પોતાના સંતાનો પૈકીના સંતાનોને જ વીલના લાભાર્થી તરીકે નિમણૂક કરી હોય તો તે સિવાયના અન્ય હક્કથી વંચિત રહેલા સંતાનો દ્વારા વીલ યાને વસિયતનામા અંગે શંકાસ્પદ સંજોગો હોવાનું દર્શાવી અને પોતાનો હિસ્સો મિલકતોમાં લાગતો હોવાની અને સરખા પ્રમાણમાં તેવો હિસ્સો મેળવવા હક્કદાર હોવા અંગે તર-તકરારો થતી હોય છે. તેવા સંજોગોમાં વીલ સિયતનામા અંગે વીલના લાભાર્થી દ્વારા સક્ષમ કોર્ટ રૂબરૂ શંકાસ્પદ સંજોગોના કારણ ઉપસ્થિત કરી વીલને પડકારવામાં આવતું હોય છે. આમ, જ્યારે વીલ યાને વસિયતનામા અંગેની સત્યતા તપાસવાની બાબતમાં કોર્ટ માટે એ જોવાનું કોઈ સ્થાન નથી કે. શું વસિયતકર્તા દ્વારા કરવામાં આવેલ વહેંચણ તેમના તમામ બાળકો વચ્ચે વાજબી અને સમન્યાયી હતી કે નહી. કોર્ટ વસિયત હેઠળની મિલકત વ્યવસ્થા પરત્વે આર્ટિકલ ૧૪ લાગુ પાડતી નથી. તેવો સિદ્ધાંત નામદાર સુપ્રીમ કોર્ટ (ખંડપીઠ) દ્વારા સ્વર્ણલથા અને બીજાઓ વિરુદ્ધ કલાવથી અને બીજાઓ, સિવિલ અપીલ નં.: ૧૫૬૫/૨૦૨૨ના કામે તા.૩૦-૦૩-૨૦૨૨ના રોજ આખરી હુકમ કરી ઉપર મુજબનો સિદ્ધાંત પ્રસ્થાપિત કરવામાં આવેલ છે.

આ કેસની ટૂંકમાં હકીકત મુજબ માતા આધિલક્ષ્મીયામ્મલ તા.૧૪-૦૮-૧૯૯૫ નાં રોજ અવસાન પામી હતી. તેણીએ પોતે ખરીદેલ મિલકતો અને તે મિલકતો, કે જે તેણીએ પોતાના મામા પાસેથી મેળવી હતી. તેઓનું ઉત્તરદાન તેણીના બે દીકરાઓની તરફેણમાં કરતી તા. ૩૦-૦૧-૧૯૯૫ નાં રોજની વસિયત પાછળ છોડી હતી. દીકરી કલાવથીને એવા આધાર ઉપર કોઈ હિસ્સો આપવામાં આવ્યો નહોતો કે, તેણી માટે પહેલાંથી જ પૂરતા પ્રમાણમાં જોગવાઈઓ કરવામાં આવી હતી.

તેમજ પિતા મન્નાર રેડ્ડીયાર તા.૦૮૦-૦૮-૨૦૦૦ નાં રોજ અવસાન પામ્યા હતાં. તેઓએ તેમના બે દીકરાઓકરનારની માનસિક સ્થિતિ યોગ્ય સાક્ષીઓ અને યોગ્ય રીતે તેમજ તેમના પૌત્ર-પૌત્રીઓની તરફેણમાં તેમની મિલકતોનું ઉત્તરદાન કરતી તા.૧૦-૧૨-૧૯૯૮નાં રોજની વિસયત પાછળ છોડી હતી. દીકરી કલાવથીને આ સિયત હેઠળ પણ કોઈ મિલકત જ્ઞળવવામાં આવી નહોતી.


ત્યારબાદ, દીકરી કલાવથી અને વસિયતાઓના હયાત દીકરા વી.એમ.સિવાકુમારે ડિસ્ટ્રિકટ મુન્સીફ કોર્ટ, પુનામલ્લીની ફાઈલ ઉપર ઓ.એસ.નં. ૩૮૭/૨૦૦૫ વાળો દાવો વિભાજન માટે દાખલ કર્યો હતો. તે અંગે જાણ થવા ઉપર હાલનાં અપીલકર્તાઓ-લાભાર્થીઓએ મન્નાર રેડ્ડીયાર અને અધિલમીયામ્મલની વસિયતોના પ્રોબેટ મંજૂર કરવા માટે અધિનિયમની કલમો ૨૭૦, ૨૭૬ અને ૨૮૯ હેઠળ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિકટ જજ, વેલ્લોરની ફાઈલ ઉપર પ્રોબેટ મૂળ અરજી નં.૧/૨૦૦૫ વાળી અરજી દાખલ કરી હતી. તે અરજીનો વસિયતકર્તાની દીકરી અને બીજા દીકરા દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. તેમ છતાં, તા. ૦૭-૦૬-કરવામાં આવેલ વહેંચણ તેમના તમામ વારસો વચ્ચે વાજબી ૨૦૧૦નાં રોજના ચુકાદા વડે ડિસ્ટ્રિકટ કોર્ટે બંને વસિતોનું


પ્રોબેટ મંજૂર કર્યું હતું. પ્રોબેટ કોર્ટ સમક્ષ બચાવકર્તાઓએ તેમનું ધ્યાન બંને વસિયતોની આસપાસના તથા કયિત શંકાસ્પદ સંજોગો ઉપર

વસિયતકર્તાઓ સ્વસ્થ અને નિર્ણયાત્મક મન:સ્થિતિમાં નહોતા, હાઈકૉર્ટે તેમના દ્વારા વેઠવામાં આવેલ બીમારીઓનો પ્રકાર નહીં છતો કરવા બદલ અપીલકર્તાઓને કસૂરવાર ઠરાવ્યા હતાં. કુદરતી વારસો પૈકીના એકને ઉત્તરદાનમાંથી બાકાત કરવાનું કૃત્ય પોતે આપમેળે જ એવું ઠરાવવાનો આધાર બની શકે નહી કે, શંકાસ્પદ સંજોગો છે.

વિસયત કરાયાની આસપાસના શંકાસ્પદ સંજોગોને સંબંધિત કાયદો પહેલાંથી જ સુપ્રસ્થાપિત છે અને તેને પુનરાવર્તિત કરવાની કોઈ જરૂર નથી. કોર્ટના તાજેતરના નિર્ણયો પૈકીના એક કવિતા કાનવર વિ. શ્રીમતી પામેલા મહેતા, ૨૦૨૦ એ.આઈ.આર(સુ.કો) ૫૪૪ ના કેસનો સંદર્ભ આપીએ તો તેટલું પૂરતું છે, કે જેમાં આ કોર્ટે છેક એચ. વેંકટાચલા આયંગર વિ. બી. એન. ચિમ્માજમ્મા, ૧૯૫૯ યાનેએ.આઈ.આર(સુ.કો) ૪૪૩થી શરૂ કરીને અગાઉના લગભગ તમામ નિર્ણયોનો સંદર્ભ લીધો હતો. પરંતુ એવા કેસો, કે જેમાં શંકાનું સર્જન કરવામાં આવ્યું હોય, તે મોટેભાગે એવા કેસો છે, કે જ્યાં વસિયતકર્તાની સહી અંગે વિવાદ હોય અથવા તો વસિયતકર્તાની માનસિક ક્ષમતા અંગે પ્રશ્ન કરવામાં આવેલ હોય. આ બાબત એ હકીકત ઉપરથી જોઈ શકાય કે, કવિતા કાનવરના ઉપર ટાંકેલ) કેસમાં સંદર્ભિત આ કોર્ટના લગભગ તમામ અગાઉના નિર્ણયો એવા સંજોગોની યાદી આપે છે. કે જે વસિયતકર્તાની સ્વસ્થ અને અનિર્ણયાત્મક મનઃસ્થિતિના પરિપેક્ષમાં શંકાસ્પદ સંજોગો બન્યા હતાં. વસિયત કરાયાની હકીકતની પ્રમાણભૂતતાને તપાસવાની બાબતમાં કોર્ટ માટે એ જોવાનું કોઈ સ્થાન નથી કે, શું વિસયતકર્તા દ્વારા કરવામાં આવેલ વહેંચણ તેમના તમામ બાળકો વચ્ચે વાજબી અને સમન્યાયી હતી કે નહીં. કોર્ટ વસિયત હેઠળની મિલકત વ્યવસ્થા પરત્વે આર્ટિકલ ૧૪ લાગુ પાડતી નથી.

ઉપરોક્ત જણાવ્યા મુજબ નામદાર વરિષ્ઠ કોર્ટના જુદા- જુદા ચુકાદાઓમાં આપવામાં આવેલ તારણોનું અભ્યાસ કરતા જાણી શકાશે કે, કોઈપણ વ્યક્તિ પોતાની હયાતીમાં સ્વપાર્જિત ધારણ કરેલ મિલકત વીલમાં મિલકતની વહેંચણી પોતાની મરજી અને ઈચ્છા મુજબ કરી શકે છે અને વ્યક્તિના મરણ બાદ જો તેવું વીલ સક્ષમ કોર્ટ સમક્ષ પડકારવામાં આવે તો તેવી કોર્ટે વીલની કાયદેસરતા ચકાસી ન્યાય-નિર્ણય કરવાનો રહે છે. જેમ કે, વીલમાં કરવામાં આવેલ સહી, વીલ સહીઓ થયેલ, શંકાસ્પદ સંજોગો વિગેરે કાયદેસર વીલ માટે જે કંઈ મુદ્દાઓ ચકાસવાના હોય તે મુદ્દા ચકાસવાની નામદાર કોર્ટને હકુમત રહેલ છે. પરંતુ મરનાર વ્યક્તિએ વીલમાં પોતાની મિલકતો કોને કેટલા પ્રમાણમાં આપી છે તે અંગે પ્રમાણભૂત નકકી કરવાનું નામદાર કોર્ટને હકુમત નથી. વ્યક્તિ પોતાની મિલકતને પોતાની મરજી મુજબ વહેંચણ કરવાનું ફરમાવ્યું હોય ત્યારે તેવી વહેંચણ અયોગ્ય, અસમાન, અકુદરતી કે અસમન્યાયી હોવાનું તારણ આપવાની નામદાર કોર્ટને હકુમત રહેલ નથી. આમ, મરનાર વ્યક્તિ વીલમાં પોતાના વારસદારો પૈકી કોઈકને ઓછું કે આપવાથી બાકાત કર્યા હોવાથી તે વીલ શંકાસ્પદ હોવાનું નામદાર કોર્ટ ઠરાવી શકે નહી. આમ, જ્યારે વીલ યાને વસિયતનામા અંગેની સત્યતા તપાસવાની બાબતમાં કોર્ટ માટે એ જોવાનું કોઈ સ્થાન નથી કે, શું વસિયતકર્તા દ્વારા અને સમન્યાયી હતી કે નહીં, કોર્ટ વસિયત હેઠળની મિલકત વ્યવસ્થા પરત્વે આર્ટિકલ-૧૪ ભાગુ પડતી નથી. (લેન્ડ ઝ જજમેન્ટસ, વોલ્યૂમ-૧, ઈશ્યૂ-૩, માર્ચ-૨૦૧૩, પાનાનં.૨૨૭)

No comments:

Post a Comment

ગુજરાત ટાઉન પ્લાનીંગ એક્ટ મુજબ ટીપી યોજનાઓનું અમલીકરણ અગત્યનું-1

  ગુજરાત ટાઉન પ્લાનીંગ એક્ટ મુજબ ટીપી યોજનાઓનું અમલીકરણ અગત્યનું - લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.) - ગ્રામ્ય વિસ્તારોમાં પણ બિન...