તકરારી નોંધ બાબત સમજુંતીઓ - E-Jamin

Latest

At E-Jamin Revenue Blog, we provide detailed, up-to-date guides on navigating the Gujarat revenue department, covering all important offices such as the Sub Registrar, Mamlatdar, City Survey, Collector, and DILR (District Inspector of Land Records). Whethe

Revenue News

BANNER 728X90

8.21.2023

તકરારી નોંધ બાબત સમજુંતીઓ

તકરારી નોંધ બાબત સમજુંતીઓ


  • હક્કપત્રક કેવી રીતે રાખવામાં આવે છે ? 

હક્કપત્રક માટે મુખ્ય બે ફોર્મ ઠરાવાયાં છે. એક ગામનો નમૂનો નંબરઃ ૬ અને બીજો પાણીપત્રક ગામ નમૂના નંબર ૭/૧૨, ગામના નમૂના નંબર- ૬ ડાયરી જેવું રજિસ્ટર છે જેમાં ફેરફારની નોંધનો નંબર પ્રાપ્ત થયેલા હક્કો પ્રકાર તથા કથા સર્વેનંબર પોતહિસ્સા નંબરની અગર બ્લોકની જમીન ઉપર હકક પ્રાપ્ત થયે મળ્યે તેની યાદી વગેરે બાબત આવે છે. ગામ નમૂના નંબરઃ ૭-૧૨ એ હકપત્રકનું સાંકળિયું છે કે કેમ કે પ્રમાણિત થયેલી ? નોંધનો ક્રમાંક ફેરફારના આધાર તરીકે નોંધાય છે અને જે કબજેદારના હકક કમી થયા હોય તેને કેસ કરી નવા ક્બજેદારનું નામ દાખલ કરવામાં આવે છે

જિલ્લા ક્લેકટરશ્રીને કરવામાં આવેલી અપીલમાં પણ સફળતા ન મળે તો કોની પાસેથી દાદ મેળવી શકાય ?  ગુજરાત જમીન મહેસુલ નિયમ ૧૦૮(૫) મુજબ કલેક્ટરશ્રીને હુકમ ઉપર અપીલ કરવાની કોઈ જોગવાઈ છ્તાં કોઈ નથી. પરંતુ રાજ્ય સરકારને આવા ખાતેદારને જમી હુકમની કાયદેસરતા કે ઔચિત્યતા વિશે પોતાની ખાતરી કરવા આવું રેકર્ડ મંગાવી તપાસવાનો અધિકાર છે અને તેમાં રાજ્ય સરકારને લાગે કે કલેકટરશ્રીનો હુકમ ફેરવવો જોઈએ કે રદ કરવો જોઈએ તો રાજ્ય સરકાર (ખાસ સચિવશ્રી, મહેસુલ વિભાગ) તે અંગે યોગ્ય લાગે તેવો હુકમ કરી શકે છે.


  • એન્ટ્રી પ્રમાણિત કરવા માટે સક્ષમ અધિકારી કોણ ? 

નાયબ મામલતદાર કક્ષાથી ઉતરતી કક્ષાના ન હોય તેવા કોઈપણ મહેસૂલી અધિકારી હક્કપત્રકે ગામ નમૂના નંબરઃ ૬ માં પાડેલ ફેરફાર એન્ટ્રી પ્રમાણિત કરી શકે છે. આવા અધિકારીમાં જિલ્લા જમીન દફ્તર નિરીક્ષકશ્રીઓનો પણ સમાવેશ થાય છે. મહેસૂલી કામ કરતા નાયબ મામલતદાર સિવાય જે અવ્વલ કારકુન એટલે નાયબ મામલતદારને ક્લેક્ટરશ્રી તરફથી આવા અધિકારો મળ્યા હોય તેઓ પણ એન્ટ્રીઓ પ્રમાણિત કરી શકે છે. સકલ ઓફિસરને પણ એન્ટ્રીઓ પ્રમાણિત કરવાની સત્તા છે.


  • નોંધ પ્રમાણિત થવાથી કોઈ ગેરકાયદે વ્યવહાર કાયદેસર થઈ જાય છે ? 

ના. નોંધ પ્રમાણિત થવા છતાં કોઈ ગેરકાયદે વ્યવહાર કાયદેસર થતો નથી. તે ગેરકાયદે જ રહે છે.


  • જે વ્યક્તિની તરફેણમાં ગીરો છોડાવવામાં આવ્યો હોય અથવા નષ્ટ થયો હોય અથવા ભાડાપટ્ટો પૂરો થયો હોય તે વ્યક્તિ એ પણ હક્ક સંપાદનની જાણ કરવી જરૂરી છે ? 

હા, જે તે બેન્ક સહકારી મંડળીમાંથી દાખલો મેળવવો અને તે સાથે રેવન્યુ અધિકારીને જાણ કરવી જરૂરી છે


  • તકરારી રજિસ્ટરે સક્ષમ અધિકારી તરફથી લેવાયેલા નિર્ણય સામે કોઈપક્ષકારને નારાજગી અગર અસંતોષ હોય તો તે દૂર કરવા કઈ જોગવાઈ છે ? 

મામલતદારશ્રી અગર સક્ષમ રેવન્યુ અધિકારીશ્રીના નિર્ણયથી અસંતોષ હોય તેવા પક્ષકાર તે નિર્ણયની જાણ થયાની તારીખથી ૬૦ દિવસની મુદતમાં સંબંધિત પ્રાંત અધિકારી નાયબ ક્લેક્ટરશ્રીને અપીલ કરીને દાદ મેળવી શકે છે પરંતુ દિવાની કોર્ટના હુકમનામા અન્વયેની કાર્યવાહી સામે વાંધો હોય તો ફક્ત ઉપલી કોર્ટમાં જ અપીલ કરવાની રહે છે.


  • પ્રાંત અધિકારી નાયબ ક્લેક્ટરશ્રીને કરવામાં આવેલી અપીલમાં સફ્ળતા ન મળે તો શું કરવું? 

લેન્ડ રેવન્યુ કોડ એન્ડ રૂલ્સની જોગવાઈ હેઠળ આવા કિસ્સામાં સંબંધિત પ્રાંત અધિકારીના નિર્ણય માટે જિલ્લા કલેક્ટરશ્રીને રીવીઝન કરીને દાદ મેળવી શકાય છે.


  • જિલ્લા ક્લેકટરશ્રીને કરવામાં આવેલી અપીલમાં પણ સફળતા ન મળે તો કોની પાસેથી દાદ મેળવી શકાય ? 

ગુજરાત જમીન મહેસુલ નિયમ ૧૦૮(૫) મુજબ કલેક્ટરશ્રીને હુકમ ઉપર અપીલ કરવાની કોઈ જોગવાઈ છ્તાં કોઈ નથી. પરંતુ રાજ્ય સરકારને આવા ખાતેદારને જમી હુકમની કાયદેસરતા કે ઔચિત્યતા વિશે પોતાની ખાતરી કરવા આવું રેકર્ડ મંગાવી તપાસવાનો અધિકાર છે અને તેમાં રાજ્ય સરકારને લાગે કે કલેકટરશ્રીનો હુકમ ફેરવવો જોઈએ કે રદ કરવો જોઈએ તો રાજ્ય સરકાર (ખાસ સચિવશ્રી, મહેસુલ વિભાગ) તે અંગે યોગ્ય લાગે તેવો હુકમ કરી શકે છે.

કોઈ ખેડૂત / વ્યક્તિએ પોતાની જમીન અન્ય ખેડૂતને તબદિલ કરવી હોય તો કોઈ બાબતમાં નિયંત્રણ છે. તરીકે જાહેર થયેલા વિસ્તારમાં કોઈ . આદિવાસીએ ધારણ કરેલી કે તેમને સ૨કારે જાતે ખેતી માટે આપેલી ખેતીની કે બિનખેતીની જમીન બીજી કોઈ વ્યક્તિને ભલે તે ખેડૂત હોય કે આદિવાસી હોય પરંતુ કલેક્ટરશ્રીની પૂર્વમંજુરી વિના તબદિલ કે વેચાણ થઈ શક્તી નથી અને જો આવી કાર્યવાહી પૂર્વમંજુરી સિવાય કોઈપણ થઈ હોય તો ગેરકાયદે છે. આમાં, ખેતી વિષયક હેતુ માટે લોન લેવા સહકારી કે જમીન વિકાસ બેન્કને જમીન તારણ આપવાનો સમાવેશ થતો નથી.


  • ગામે પ્ર.સ.પ. (પ્રીમિયમ સત્તા પ્રકાર)ની ખેતીની જમીન આવેલ છે જે જમીન વેચાણ કરી શકું ? 

સરકારશ્રીના મહેસૂલ વિભાગના ઠરાવો મુજબ આવી જમીન ખેતીથી ખેતીના હેતુ માટે સૌ પ્રથમ જૂની શરતની કરાવવાની થાય. જેના અધિકાર મામલતદારશ્રીને છે. જેથી આ અંગે નિયત થયેલ નમૂનાની અરજી (હવે ઓન લાઈન) કરવાની રહે. સદર જમીન ખેતીના હેતુ માટે જૂની શરત થયા બાદ/ગામ દફ્તરે અમલ થયા બાદ ખેડૂત ખાતેદારને જમીન વેચાણ કરી શકાય.


  • પોત ખરાબા વર્ગ(અ) ની જમીનને ખાતામાં ભેળવવા શું કરવું? 

આ અંગે સંબંધિત મામલતદારશ્રીને અરજી કરવાની રહે. તેઓ જમીન મહેસુલ નિયમો નિયમ-૭૫ ધ્યાને લઈ માગણી નિયમોનુસાર ગવાઈ અનુસારની જણાયેથી પોત ખરાબો ખાતામાં ભેળવવા હુકમ કરશે, જે હુકમની નકલ ડી.આઈ. એલ.આર. કચેરી તરફથી ગયેથી જરૂરી માપણી તથા કાયમ દરનું પત્રક તૈયાર કરી પ્રાંત અધિકારીને મંજૂરી અર્થે સાદર કરશે.


  • ખેતરમાં રહેણાંક બનાવવું છે તો શું બિનખેતીની મંજૂરી મેળવવી પડશે ? 

ગ્રામ્ય વિસ્તારમાં ખેતીની કુલ જમીનના ૧૦% જમીનમાં કબજેદાર પોતાના રહેણાકના હેતુ સારું અને ઘેર રાખવા તેમજ ખેતીના ઓજારી રાખવા મકાન બનાવી શકે છે. જે અંગે પરવાનગી મેળવવાની રહેતી નથી. પરંતુ ટેક્ષ આકારણી માટે ગ્રામ પંચાયતમાં જરૂરી નોંધણી કરાવવી જોઈએ,


  • ખેતીની જમીન બિનખેડૂતને વેચાણ કરવી છે તો શું મંજૂરી લેવી પડે ? 

જે વ્યક્તિ સંસ્થા કંપની કે જે બિનખેડૂત છે તેને ખેતીની જમીન વેચાણ કરવી હોય તો, તેણે ગુજરાતને લાગુ પડતો ગણોત ધારાની ક્લમ-૬૩ નિયમ-૩૬ હેઠળ સૌરાષ્ટ્ર ઘરખેડના કાયદા તેમજ કચ્છ અને વિદર્ભ ક્ષેત્રના ખેતીની જ જમીનના કાયદાની જોગવાઈ મુજબ પ્રથમ મંજૂરી મેળવવાની રહે છે.


  • જમીન બિનખેતી થયેલ છે અને પાછી ખેતીની જમીનમાં ફેરવી શકાય ? 

હા, પરંતુ નિયમ મુજબ શરતભંગ ગણાતા નિયમ મુજબની દંડની રકમ ભરપાઈ કરવાની થાય છે.


  • સને ૨૦૨૦ માં જમીન વેચાણ કરી ત્યારબાદ હવે પછી મારી પાસે ખેતીની જમીન બાકી રહેતી નથી તો શું અન્ય ખેતીની જમીન ખરીદી શકું ?.

ખેતીની જમીન વેચાણ કર્યા તારીખથી ૧૦૦ દિવસની સમયમર્યાદા (અમુક કિસ્સામાં બે વર્ષ સુધીમાં) ખેતીની જમીન લઈ શકાય અને જો આ સમયમર્યાદામાં જમીન વેચાણ રાખી હોય તો જ નિયમ મુજબ જિલ્લા ક્લેક્ટરશ્રીને અરજી કરી અગાઉ ધારણ કરતા હતા તે અનુસંધાને ખેડૂત પ્રમાણપત્ર મેળવી શકાય છે.

No comments:

Post a Comment

Featured post

મદ્રાસ હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: નોંધણી સમયે ચાલતી બજાર કિંમતના આધારે સ્ટેમ્પ ડ્યુટી વસૂલવી

 સ્ટેમ્પ ડ્યુટી મુદ્દે હાઈકોર્ટનો ખુલાસો: કરારની તારીખ નહીં, દસ્તાવેજ નોંધણીની તારીખ મહત્વપૂર્ણ બેન્ચે નોંધ્યું હતું કે ટાઇટલ ટ્રાન્સફર ફક્ત...