અમદાવાદ-રાજકોટમાં જન્મ-મરણની નોંધણીની ફીમાં કરાયો વધારો, 21 દિવસ સુધી ફી નહીં લેવાય. - E-Jamin

Latest

At E-Jamin Revenue Blog, we provide detailed, up-to-date guides on navigating the Gujarat revenue department, covering all important offices such as the Sub Registrar, Mamlatdar, City Survey, Collector, and DILR (District Inspector of Land Records). Whethe

Revenue News

BANNER 728X90

3.29.2025

અમદાવાદ-રાજકોટમાં જન્મ-મરણની નોંધણીની ફીમાં કરાયો વધારો, 21 દિવસ સુધી ફી નહીં લેવાય.

અમદાવાદ-રાજકોટમાં જન્મ-મરણની નોંધણીની ફીમાં કરાયો વધારો, 21 દિવસ સુધી ફી નહીં લેવાય.



ગુજરાતમાં અમદાવાદ અને રાજકોટમાં જન્મ-મરણના પ્રમાણપત્ર માટે નોંધણીની ફીમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને રાજકોટ મહાનગર પાલિકાએ નોંધણી ફીમાં 900 ટકાનો વધારો કર્યો હોવાનું સામે આવ્યું છે. 

અમદાવાદ-રાજકોટમાં જન્મ-મરણની નોંધણીમાં ફી કરાયો વધારો

ગુજરાતના અમદાવાદ અને રાજકોટમાં જન્મ અને મરણની નોંધણી કરવાની ફીમાં વધારો કરાયો છે. જેમાં જન્મ અને મરણના 21 દિવસ સુધીમાં ફ્રીમાં નોંધણી થશે, જ્યારે આ પછી નોંધણી કરવાની ફીમાં વધારો કરાયો છે. 21 દિવસ પછી જન્મ મરણની નોંધણી કરાવવા માટે પહેલાં 2 રૂપિયા ફી હતી. જ્યારે હવે સુધારા નિયમ પ્રમાણે 20 રૂપિયા ફી કરી દેવામાં આવી છે.
જ્યારે 1 મહિનાથી 1 વર્ષ માટે પહેલાં 5 રૂપિયા ફી હતી. જે હવે 50 રૂપિયા કરી દેવામાં આવી છે. અને 1 વર્ષથી વધુ સમયગાળા દરમિયાન જન્મ-મરણના પ્રમાણપત્ર મેળવવા માટે પહેલા 10 રૂપિયા ફી હતી. જેમાં વધારો કરીને હવે 100 રૂપિયા ફી કરવામાં આવી છે.

No comments:

Post a Comment

Featured post

કાયદા વિરુદ્ધ શરતો માન્ય નહીં: કન્વેયન્સ ડીડ માટે ૪ મહિનાની મર્યાદા હાઈકોર્ટે પુષ્ટી કરી

# **🏛️ બોમ્બે હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: કન્વેયન્સ ડીડમાં વિલંબ માટે વેચાણ દસ્તાવેજનો ક્લોઝ માન્ય નહીં**   ## **📌 પરિચય**   હાઉસિંગ સોસાય...