મિલકત વિવાદોના સમાધાન માટે ફેમિલી સેટલમેન્ટ કેટલું અસરકારક?
વહેંચણી અંગેની સામાન્ય સમજ, કૌટુંબિક મિલકતની વહેંચણી અંગેની અન્ય કાયદાકીય જોગવાઈઓ અને તે અંગે રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા કેટલાક પરિપત્રો, વહીવટી સૂચનાઓ અને કૌટુંબિક મિલકતની વહેંચણીના પ્રસંગે રેવન્યૂ રેકર્ડ અંગેના પ્રસ્થાપિત સિદ્ધાંત અંગેનું માર્ગદર્શન મેળવેલું. આજના અંકમાં કૌટુંબિક વહેંચણ એ પાર્ટિશનનો પર્યાય નથી તેવો સિદ્ધાંત નામદાર મધ્યપ્રદેશ હાઈ કોર્ટે એક કેસમાં પ્રસ્થાપિત કરેલ છે, જેમાં મુખ્યત્વે "પાર્ટિશન એ સંયુક્ત કુટુંબની મિલકતની સાથે-સાથે કુટુંબ તરીકેના દરજજાને પણ અલગ કરે છે, જયારે કૌટુંબિક વહેંચણ દ્વારા છે સંયુક્ત કુટુંબની 1 થઈ છે તેવી મિલકતનો શ્રેષ્ઠ અને સગવડતાભર્યો વપરાશ થઈ શકે વ્યવસ્થા કરવામાં આવે છે એટલે કે ખરા અર્થમાં કૌટુંબિક વહેંચણથી સ્વતંત્ર કુટુંબ તરીકેનો દરજજો અલગ થતો નથી પરંતુ પાર્ટિશનથી સ્વતંત્ર કુટુંબ તરીકેનો દરજજો પણ અલગ થઈ જાય છે. કૌટુંબિક વહેંચણ હેઠળ II.U.F.ની મિલકત પૈકી એક ચોક્કસ ભાગનો કબજો ભોગવટો ધરાવનાર H.U.F. નો સભ્ય પાર્ટિશન માટે કોર્ટને અરજી કરી શકે છે અને તે પરિપેક્ષ્યમાં કોર્ટ પણ અગાઉ થયેલ કૌટુંબિક વહેંચણને ધ્યાને લઈ શકે છે. કાયદેસરનું પાર્ટિશન થઈ ગયા બાદ અન્ય હિસ્સેદારોનું ટાઇટલ તે સભ્યને મળેલ ચોક્કસ ભાગ પૂરતું સમાપ્ત થાય છે" તેવો સિદ્ધાંત નામદાર મધ્ય પ્રદેશ હાઈકોર્ટે જગરામ શકયા અને બીજા વિ. ગોકુલપ્રસાદના કેસમાં પ્રસ્થાપિત કરેલ છે. આ કેસની હકીકત વિશે આજરોજ ટૂંકમાં માહિતી રજુ ક કરેલ છે.
જેઓ ગ્વાલિયર ખાતે આવેલ મિલકતની માલિકી ધરાવતા હતા. તેઓના પિતા તા. ૧૧/૦૩/૧૯૭૭ માં બિન-વસિયતી અવસાન પામેલા. અને તેઓના કુટુંબમાં મૌખિક કૌટુંબિક વહેંચણનો અમલ કરવામાં આવેલો કે જે કાયદાની જોગવાઈ પ્રમાણે ન હતી.
આ કેસના સામાવાળા તથા મૂળ કામના વાદીએ પાર્ટિશન અને કાયમી મનાઈ હુકમ માટે એવા આક્ષેપો સાથે દાવો કર્યો હતો કે વાદી અને પ્રતિવાદીઓ એક જ પિતાના સંતાનો હતા કે વાદી પોતે તેવી મિલકતના એક ચર્તુથાંશ હિસ્સાનાં માલિક તરીકે ૧/૪ હિસ્સો પાર્ટિશન બાદ હદ અને માપણીથી છૂટું પડાવી પોતાનો હક્ક મેળવવા હક્કદાર હતા. પાર્ટિશનનો અમલ કરવામાં આવે અને ત્યારબાદ વાદીને તેનો ૧/૪ હિસ્સો સોંપવામાં આવે તે પહેલાં પ્રતિવાદીઓને તે વિવાદી મિલકત કોઈપણ રીતે તબદીલ કરવાથી અટકાવવા માટે કાયમી મનાઈ હુકમ અંગેનું હુકમનામું મેળવવા માટે મનાઈ અરજી પણ આપવામાં આવેલી હતી.
વાદી દ્વારા કામ ચલાઉ મનાઈ હુકમની અરજી કરવામાં આવેલ જે નીચલી કોર્ટ તથા એપેલેટ કોર્ટે કૌટુંબિક વહેંચણને ધ્યાને લઈ નામંજૂર કરી હતી. ત્યારબાદ મૂળ વાદી/હાલનાં પ્રતિવાદીએ સી.પી.સી.ના ઓર્ડર ૬ રૂલ ૧૭ હેઠળ દાવાના પ્રાથમિક તબક્કે સુધારા માટેની અરજી કરી હતી. તે સુધારાનાં પ્રસ્તાવ દ્વારા વાદીએ મૌખિક કૌટુંબિક વહેંચણ અંગે કરેલાં કથનો રદ કરવાની પરવાનગી માંગેલ હતી. તેની સામે તેણે એવાં કથનો દાખલ કરવાની પરવાનગી માંગી કે વાદી તેમજ પ્રતિવાદીઓ વચ્ચે એવું નક્કી કરવામાં આવેલ હતું કે જયાં સુધી કાયદેસરનું પાર્ટિશન ન થાય ત્યાં: સુધી બંને પક્ષકારો પોત-પોતાના કબજામાં રહેલ મિલકતનાં ભાગો/હિસ્સાનો ભોગવટો કરી શકશે. આ અરજીનો મૂળ પ્રતિવાદીઓ/પિટિશનરો દ્વારા એવા કારણસર વિરોધ કરવામાં આવ્યો કે તે કથન/કબૂલાત પાછી ખેંચવા બરાબર હશે. નામદાર નીચલી કોર્ટે તે સુધારા અરજી રૂ.૩૫૦/-નાં ખર્ચ સાથે એવા કારણસર મંજૂર રાખી હતી કે આવો સુધારો.
પક્ષકારો વચ્ચેની વાસ્તવિક તકરાર અંગેનો નિર્ણય કરવા માટે જરૂરી હતો અને તેવો સુધારો પરવાનગીપાત્ર છે કારણ કે પક્ષકારોનાં પુરાવાનો તબક્કો (સ્ટેજ) હજી શરૂ થયેલ નથી.
પિટિશનરો તરફે આ કેસમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે દાવા અરજી તથા કામચલાઉ મનાઈ અરજી બંનેમાં પક્ષકારો વચ્ચે કરવામાં આવેલ મૌખિક કૌટુંબિક વહેંચણ અંગે કબૂલાત કરવામાં આવેલ હતી. તેમજ વધુમાં જણાવેલ કે, એમ. એ. એન્ડ વિવિંગ મિલ્સ કકું. લિ. . અને બીજા વિ. બેલાધારામ અને હીરાલાલ વિ. કલ્યાણભાઈ અને બીજાનાં કેસમાં પ્રસ્થાપિત કરેલ કાયદાનાં સિદ્ધાંત મુજબ અગાઉની કરેલ કબૂલાતને પાછી ખેંચવા માટે પરવાનગી આપી શકાય નહીં. વધુમાં નામદાર ભારતની સુપ્રીમ કોર્ટે નારાયણ ભગવંતરાવ ગોસાવી બાલાજીવાલે વિ. ગોપાલ વિનાયક ગોસાવી અને બીજાનાં કેસમાં ઠરાવેલ છે કે, 'કબૂલાત એ શ્રેષ્ઠ પુરાવો છે કે જે ઉપર વિરોધી પક્ષકાર આધાર રાખી શકે છે, અને તે આખરી ન હોવા છતાં કેસ માટે નિણર્યાત્મક હોય છે, સિવાય કે તે સફળતાપૂર્વક પાછી લેવામાં આવે અથવા ભૂલ ભરેલી સાબિત કરવામાં આવે.'
ઉપલી કોર્ટનુ ઉપરોક્ત નિરીક્ષણ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે એવો કોઈ નિશ્ચિત કાયદો નથી કે કોઈપણ કેસમાં કરવામાં આવેલ કબુલાતને પાછળથી ખેંચી જ શકાય નહીં. તેથી વિરુદ્ધ તે સફળતાપૂર્વક પાછી ખેંચી શકાય છે અથવા આ પ્રમાણે પાછી લીધા વગર પણ ભૂલભરેલી સાબિત કરી શકાય છે. તેજ પ્રમાણે ઉપલી કોર્ટે એસ્ટ્રાલા રબર વિ. દાસ એસ્ટેટ (પ્રા).લિ. નાં કેસમાં ઠરાવ્યા મુજબ દાવા અરજી તેમજ લેખિત રજૂઆતોમાં કોઈ કબૂલાતો કરવામાં આવી હોય તો તેમ છતાં પક્ષકારો પાસે પ્લીડિંગ્ઝમાં સુધારો કરવાની અરજી દાખલ કરી તે અંગે ખુલાસો કરવાનો વિકલ્પ ખુલ્લો રહે છે. છેલ્લે બલદેવ સિંહ અને બીજાઓ વિ. મનોહર સિંહ અને બીજાઓના કેસમાં નામદાર સુપ્રીમ કોર્ટે ત્યાં સુધી ઠરાવેલ છે કે દાવા અરજીમાં કરેલ કબૂલાત પાછી ખેંચવાની અરજી બીન-પરવાનગી પાત્ર નથી.
દાવા અરજીમાં અગાઉના કથનો/કબૂલાતો એવાં હતા કે મૌખિક કૌટુંબિક ભાગલાં વાદી અને પ્રતિવાદીઓ વચ્ચે કરવામાં આવેલ હતાં કે જે કાયદાની જોગવાઈઓ મુજબ ન હતા. વધુમાં તે કાયદાથી વિરુદ્ધ અને મૂળવાદી / હાલના પ્રતિવાદીને સ્વીકાર્ય નહોતા.
મુખ્યત્વે નામદાર મધ્યપ્રદેશ હાઈકોર્ટે હાલના આ કેસમાંએવું સ્પષ્ટ તારણ આપેલ કે, 'કૌટુંબિક વહેંચણ' એ પાર્ટિશનનો પર્યાય નથી. પાર્ટિશનને કારણે સંયુક્ત કુટુંબની મિલકતની સાથે સાથે કુટુંબનો દરજ્જો પણ અલગ થઈ જાય છે. જ્યારે કૌટુંબિક વહેંચણ સંયુક્ત કુટુંબની મિલક્તનો શ્રેષ્ઠ તેમજ સગવડભર્યો ઉપયોગ કરી શકાય તે હેતુથી કરવામાં આવે છે. સાચા અર્થમાં કૌટુંબિક વહેંચણથી કુટુંબનો દરજજો અલગ થતો નથી જ્યારે પાર્ટિશન સૂચકપણે કુટુંબના અલગ દરજજામાં પરીણમે છે. એચ.યુ.એફ નો સભ્ય એચ.યુ.એફની મિલકતનાં કોઈ ચોક્કસ ભાગનો કબજો ધરાવતો હોવા છતાં અન્ય સભ્યને પાર્ટિશન કરાવવા માટે કોર્ટ સમક્ષ જવા મજબૂર
કરી શકે છે. આટલી હદ સુધી કોર્ટો કૌટુંબિક વહેંચણ પસંદ કરે છે કે કે જે ચોક્કસપણે સંયુક્ત કુટુંબને તેના સભ્યો વચ્ચે સમતુલા
જાળવવા માટે માર્ગ કરી આપે છે. એક કાયદેસરના પાર્ટિશનથી ચોક્કસ સભ્યને ફાળવવામાં આવેલ મિલકતના ચોક્કસ હિસ્સાનાં સંદર્ભમાં અન્ય હિસ્સેદારોનાં ટાઇટલનો અંત આવે છે. કૌટુંબિક વહેંચણ સામાન્ય રીતે કુટુંબની મિલકતનો શાંત, શ્રેષ્ઠ અને સગવડભર્યા ઉપયોગ તેમજ ભોગવટા માટે કરવામાં આવે છે. કૌટુંબિક વહેંચણમાં ચોક્કસ વ્યક્તિનાં ફાળે ગયેલ મિલકતનાં ચોક્કસ હિસ્સાનો વપરાશ કરવાનાં અન્ય સભ્યોનાં અધિકાર બેદખલ કરવામાં આવતા નથી. આ રીતે કૌટુંબિક વહેંચણ જયાં સુધી સંયુક્ત કુટુંબ તરીકેના દરજજાનો અંત લાવવાના ઈરાદાથી કરવામાં ન આવે ત્યાં સુધી તેને પાર્ટિશનસા થે સરખાવી શકાય નહીં.
ચુકાદા ની નકલ માટે અહીં ક્લિક કરો
No comments:
Post a Comment