"ઈમ્પેક્ટ ફીથી ગેરકાયદેસર બાંધકામને કાયદેસર ઠેરવી શકાય નહીં: સુપ્રીમ કોર્ટ" - E-Jamin

Latest

At E-Jamin Revenue Blog, we provide detailed, up-to-date guides on navigating the Gujarat revenue department, covering all important offices such as the Sub Registrar, Mamlatdar, City Survey, Collector, and DILR (District Inspector of Land Records). Whethe

Revenue News

BANNER 728X90

5.01.2025

"ઈમ્પેક્ટ ફીથી ગેરકાયદેસર બાંધકામને કાયદેસર ઠેરવી શકાય નહીં: સુપ્રીમ કોર્ટ"

સુપ્રીમ કોર્ટનો કડક નિર્ણય: ગેરકાયદેસર બાંધકામ નિયમિત નહીં થાય, સીધું તોડી પાડવું ફરજિયાત.

સુપ્રીમ કોર્ટે કોલકાતામાં થયેલા ગેરકાયદેસર બાંધકામને નિયમિત કરવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે. આ સાથે જ કોર્ટે પોતાનું “શૂન્ય સહિષ્ણુતા” વલણ ફરી સ્પષ્ટ કર્યું છે કે ગેરકાયદેસર બાંધકામ માટે કોઈ છૂટછાટ આપવી ન જોઈએ અને આવી ઈમારતો તોડી પાડવી જ પડશે.

અદાલતે જણાવ્યું કે, હવે આવાં બાંધકામો નિયમિત થવાની કોઈ શક્યતા જ રહી નથી. કાયદાનું પાલન ન કરનારાને રાહત આપવી યોગ્ય નથી, નહીં તો આવી રિયાયતોથી દંડ મુક્તિની માનસિકતા વિકસે છે. તે જ સમયે, જો કાયદો તોડનારા લોકોને બચાવશે, તો તે કાયદાની અસરકારકતા અને ન્યાયવ્યવસ્થાને નબળી પાડશે.

ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાલા અને ન્યાયમૂર્તિ આર. મહાદેવનની બેન્ચે કહ્યું કે કોલકાતા હાઇકોર્ટનું અનધિકૃત બાંધકામ તોડવાનો ચુકાદો યોગ્ય છે અને તેને જાળવવામાં આવશે.

અરજદારના વકીલે દલીલ કરી હતી કે તેમના ગ્રાહકને બાંધકામ નિયમિત કરવાની તક મળી રહેવી જોઈએ. પરંતુ કોર્ટે આ દલીલ નકારી નાખી હતી. કોર્ટએ કહ્યું:

"જે વ્યક્તિએ કાયદાનું માન રાખ્યું નથી અને બે માળનું બાંધકામ બિલકુલ વગરની પરવાનગીથી ઊભું કર્યું છે, તે હવે તેની regularisation માટે પ્રાર્થના કરે, એ સારો સંકેત નથી. આવું કરવાથી કાયદાનું શાસન નબળું પડે છે."

કોર્ટએ દુઃખ વ્યક્ત કર્યું કે કેટલીક રાજ્ય સરકારો અનધિકૃત બાંધકામોને “ઇમ્પેક્ટ ફી” લઇને regularise કરે છે – જે યોગ્ય નથી.

સુપ્રીમ કોર્ટે આગળ કહ્યું કે, "જ્યારે કોર્ટ સમક્ષ આવા મામલાઓ આવે ત્યારે ખૂબ કડક વલણ રાખવું જોઈએ. જે ઇમારતો પર યોગ્ય મંજૂરી ન હોય, તેને regularise કરવા કોર્ટ સરળતાથી સંમત ન થવી જોઈએ. આ કાયદાનો સન્માન જાળવવા જરૂરી છે અને લોકોની કલ્યાણ માટે પણ છે."

કોર્ટએ અગાઉના એક ચુકાદાનું ઉદાહરણ આપતાં કહ્યું કે દરેક બાંધકામ નિયમો અનુસાર જ થવું જોઈએ. કોઈ ભુલ થતી હોય અને અદાલતના ધ્યાન પર આવે, તો કડક પગલાં લેવાં જોઈએ. કોઈ પણ પ્રકારની સહાનુભૂતિ ખોટી માનવી જોઈએ.

અંતે, કોર્ટએ “કાનીઝ અહેમદ વિ. સાબુદ્દીન અને અન્ય” કેસમાં રજૂ કરેલી અપીલ ફગાવી દીધી.

ઑર્ડર વાંચવા/ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 


No comments:

Post a Comment

Featured post

E-Jamin Gujarat-Stamp Dyuti Calculator and more

 ⚖️📲 વકીલ અને દસ્તાવેજ લખનાર માટે ખાસ DIGITAL TOOLKIT! 🟢 E-Jamin Gujarat App – હવે દરેક દસ્તાવેજ લખતી વખતે કોઈ પણ ગણતરીમાં ભૂલ શક્ય નથી! ...