જમીનના હેતુફેરના પ્રીમિયમ અંગે સરકારનો નિર્ણય, કલેક્ટરને સોંપાઈ વસૂલાતની સત્તા - E-Jamin

Latest

At E-Jamin Revenue Blog, we provide detailed, up-to-date guides on navigating the Gujarat revenue department, covering all important offices such as the Sub Registrar, Mamlatdar, City Survey, Collector, and DILR (District Inspector of Land Records). Whethe

Revenue News

BANNER 728X90

11.16.2024

જમીનના હેતુફેરના પ્રીમિયમ અંગે સરકારનો નિર્ણય, કલેક્ટરને સોંપાઈ વસૂલાતની સત્તા



જમીનના હેતુફેરના પ્રીમિયમ અંગે સરકારનો નિર્ણય, કલેક્ટરને સોંપાઈ વસૂલાતની સત્તા



 





ગુજરાતમાં જમીન હેતુફેરની કામગીરી અંગે બોનાફાઇડ પરચેઝરના કિસ્સામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં પ્રીમિયમ વસૂલાતની સત્તા કલેક્ટરને સોંપવામાં આવી છે. 

રાજ્યમાં જમીનની ખેતીથી ખેતી અને ખેતીથી બિનખેતીના હેતુફેરની કામગીરી અંગીની દરખાસ્તોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં બોનાફાઈડ પરચેઝરના કિસ્સામાં જિલ્લા કલેક્ટર પાંચ કરોડ રૂપિયા સુધીના જમીનના વેલ્યુએશન ઉપર પ્રીમિયમની મંજૂરી આપી શકશે.

બોનાફાઈડ પરચેઝરની અરજીની મંજૂરીમાં વધુ સમય લાગતો હતો

રાજ્યમાં જમીન હેતુફેરની કામગીરીના નિયમો પ્રમાણે, જો 50 લાખ રૂપિયાથી વધુ જમીનની વેલ્યુએશન હોય તો બોનાફાઈડ પરચેઝરે રાજ્ય કક્ષાએથી મંજૂરી લેવી ફરજિયાત હતું. જેમાં પરચેઝર્સ દ્વારા કરવામાં આવેલી અરજીની મંજૂરી પ્રક્રિયા વિવિધ તબક્કે વિચારણામાં લાગતા વધુ સમયને ધ્યાનમાં રાખીને ભૂપેન્દ્ર પટેલે સત્તા વિકેન્દ્રીકરણમાં મોટો નિર્ણય કર્યો છે. 

જિલ્લા કલેક્ટરને સોંપાઈ મંજૂરીની સત્તા

ભૂપેન્દ્ર પટેલ દ્વારા જમીનની વેલ્યુએશનના આધારે પ્રીમિયમ વસૂલાતની મંજૂરીની સત્તા સોંપણીમાં ફેરફાર કર્યો છે, ત્યારે મહેસુલ વિભાગના તા.17/03/2017ના ઠરાવમાં ફેરફાર કરીને હવે જિલ્લા કલેક્ટરને પાંચ કરોડ રૂપિયા સુધીના જમીનના વેલ્યુએશન ઉપર પ્રીમિયમ વસૂલાતની મંજૂરીની સત્તાઓ સોંપવામાં આવી છે. આમ કરવાથી બોનાફાઈડ પરચેઝર્સની અરજી પર વધુ ઝડપથી કામગીરી હાથ ધરાશે અને મંજૂરીમાં વધુ સમય લાગશે નહીં.

For gr click here 


No comments:

Post a Comment

Featured post

વેચાણ કરાર રદ થયેલો હોય તો પહેલું પગથિયું છે – ઘોષણાત્મક રાહતની માંગ: સુપ્રીમ કોર્ટ

 સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો : રદ કરાર પર ‘ચોક્કસ અમલ’નો દાવો જાળવી શકાય નહીં. દિલ્હી : સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતો કહ્...