8.21.2024

જમીન મહેસુલ વહિવટમાં અપીલીય (Appeals) હકુમત ધરાવતા સત્તાધિકારીઓ

મહેસુલી અધિકારીઓએ પણ રીવીઝનમાં લેવાની સત્તાઓમાં સમય મર્યાદાનું પાલન જરૂરી

- લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)

જમીન / મિલ્કતોના નિયમન માટે જમીન મહેસુલ કાયદો-૧૮૭૯ અમલમાં છે. બ્રિટીશ શાસન વ્યવસ્થા દરમ્યાન ઘડાયેલ. આ કાયદામાં જમીન મહેસુલ વસુલાત, જમીન રેકર્ડ અદ્યતન રાખવા, હક્કપત્રકની જોગવાઈઓ સાથે આ પ્રક્રિયામાં મહેસુલી અધિકારીઓના નિર્ણય / હુકમ સામે Quasi-Judicial અર્ધન્યાયિક પ્રક્રિયાના ભાગરૂપે અપીલ / રીવીઝન / રીવ્યુની જોગવાઈઓ છે. આજ રીતે આઝાદી બાદ ઘડાયેલ જમીન સુધારા કાયદાઓ જેમાં ગણોતધારો અને ટોચ મર્યાદા કાયદો અમલમાં છે તેમાં પણ અપીલ અને રીવીઝનની જોગવાઈઓ છે

આમ તો આ જોગવાઈઓ રાખવાનો મુખ્ય ઉદ્દેશ ટુંકાગાળામાં (Summary Trials) પ્રક્રિયા અનુસરીને નિર્ણય આપવામાં આવે જેથી લાંબી (Judicial Process) ન્યાયિક પ્રક્રિયામાંથી પસાર થવું ન પડે. બંધારણ અમલમાં આવ્યા બાદ કારોબારીને ન્યાયતંત્રને (Executives Judiciary) અલગ કરવાના Separation of Judiciary from Executivesના માર્ગદર્શક સિધ્ધાંતોમાં જણાવ્યા પ્રમાણે ઘણી ફોજદારી / ન્યાયીક પ્રક્રિયાના Executive Magistrateની સત્તાઓ તબદીલ થઈ છે

પરંતું જમીન મહેસુલ કાયદાઓમાં જે અપીલ / રીવીઝનની જોગવાઈઓ હતી તે આજે પણ ચાલુ છે. પરંતુ સર્વ સ્વીકૃત સિધ્ધાંતો મુજબ મહેસુલી સત્તાધિકારીઓને ન્યાયતંત્ર દ્વારા જે નિર્ણયો લેવામાં આવે તે બંધનકર્તા છે. પરંતું સરકાર પણ યોગ્ય જણાયે ન્યાયિક પ્રક્રિયામાં ઉપાય તરીકે આશરો લઈ શકે છે. દા.ત. સીવીલ કોર્ટના હુકમ સામે હાઈકોર્ટ અને હાઈકોર્ટના હુકમ સામે સુપ્રિમ કોર્ટ જમીન / મિલ્કતની બાબતમાં જ્યારે માલીકી હક્ક બાબતે પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે સીવીલ કોર્ટને હકુમત છે. જમીન / મિલ્કતના ઉપરના વ્યવહારોનું નિયમન હક્ક પત્રકના નિયમો પ્રકરણ-૧૦એ જમીન મહેસુલ અધિનિયમ હેઠળ થાય છે અને આ વ્યવહારો વિરૂદ્ધનું પુરવાર ન થાય ત્યાં સુધી Unless Contrary Proved ત્યાં સુધી માન્ય રાખવાના છે. એટલે કે હક્કપત્રકની નોંધોની resumptive Value છે અને પાયાના સિધ્ધાંત પ્રમાણે Fiscal Purpose માટે છે.

જમીન મહેસુલ અધિનિયમમાં મહેસુલી અધિકારીઓની વ્યાખ્યા અને હક્કો અને જવાબદારી શું છે તે અંગે કાયદાકીય જોગવાઈઓ નિમણુંકના પ્રાવધાન સાથે સ્પષ્ટ કરવામાં આવેલ છે અને તે અનુસાર તલાટી અવલ કારકુન (નાયબ મામલતદાર) મામલતદાર / મદદનીશ / ડેપ્યુટી કલેક્ટર / કલેક્ટરની જોગવાઈઓ કરવામાં આવેલ છે. આ અધિકારીઓના ડેપ્યુટી કલેક્ટર / મદદનીશ કલેક્ટર (પેટા વિભાગના પ્રાન્ત અધિકારી) હોદ્દાની રૂયે તેમના તાબાના પેટા વિભાગની કલેક્ટર તરીકેની ફરજો સિવાય કે અમુક અધિકારો કલેક્ટર દ્વારા અનામત રાખવામાં આવ્યા હોય. બીજું કે જમીન મહેસુલ કાયદામાં જણાવ્યા પ્રમાણે કોઈપણ મહેસુલી અધિકારીએ જે નિર્ણય લીધેલ હોય તેને તરતના ઉપલા અધિકારી (Immediate Superior Officer) એટલે કે નાયબ મામલતદાર / મામલતદાર / નાયબ / મદદનીશ કલેક્ટર / કલેક્ટર / સચિવ અપીલ્સ આ ઉપરના ક્રમાંક પ્રમાણેના અધિકારીઓ છે. આજ રીતે મામલતદાર કોર્ટ એક્ટમાં મામલતદારના નિર્ણય ઉપર ડેપ્યુટી કલેક્ટર અને કલેક્ટર સમક્ષ અપીલની જોગવાઈઓ છે અને અપીલીય હકુમતમાં સીવીલ પ્રોસીઝર કોડ પ્રમાણે અનુસરણ કરવાનું છે.

 જમીન મહેસુલના હક્કપત્રકના નિયમો હેઠળ કલમ-૧૦૮(૫) હેઠળ અપીલ્સ અને ૧૦૮(૬) હેઠળ કલેક્ટરને કોઈપણ હક્કપત્રકની નોંધ Suo-Moto રીવીઝનમાં લેવાની જોગવાઈઓ છે. જ્યારે જમીન મહેસુલ કાયદા હેઠળના અન્ય કોઇપણ હુકમો સામે જમીન મહેસુલ અધિનિયમની કલમ-૨૦૩ થી ૨૧૧માં રીવ્યું / રીવીઝન અને અપીલની જોગવાઈઓ છે.

 જમીન મહેસુલ અધિનિયમમાં કલેક્ટરના હુકમો ઉપર સરકારના મહેસુલ વિભાગને અપીલ કરવાની જોગવાઈ છે તે અધિકારો રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત સચિવ અપીલ્સ મહેસુલ વિભાગ (SSRD) સમક્ષ થાય છે. આ સત્તાધિકારીને રાજ્ય સરકાર દ્વારા અશાન્ત ધારા (Disturbed Area Act) હેઠળની જોગવાઈઓ મુજબ કલેક્ટરના હુકમો સામે અપીલ કરવાની જોગવાઈઓ છે.

જમીન સુધારા કાયદાઓમાં ગણોતધારો, જમીન ટોચ મર્યાદા, સૌરાષ્ટ્રના જમીન સુધારા કાયદાઓ વિગેરેમાં પણ મામલતદાર અને કૃષિપંચને ટ્રીબ્યુનલ ગણવામાં (ALT) આવે છે. 

અને મામલતદાર કક્ષાએ જે તે સમયે જમીન સુધારાઓની જોગવાઈઓનો ઝડપથી અમલ કરવાના ભાગરૂપે પાયાની સત્તાઓ આપવામાં આવેલ, જેમાં ગણોતીયાના કાયમી હક્કો આપવા, ગણોતીયો ઠરાવવો, ખરીદ કિંમત નક્કી કરવા / ખરીદ પ્રમાણપત્ર આપવા તેમજ ગણોતધારાની કલમ-૬૩નો ભંગ થાય તો કલમ-૮૪સી હેઠળની કાર્યવાહી સહિતનો સમાવેશ થાય છે. આ પ્રક્રિયામાં ગણોતધારાની કલમ-૭૪ હેઠળ નાયબ કલેક્ટર (જમીન સુધારા) અથવા તો સબંધિત પેટા વિભાગના પ્રાન્ત અધિકારીને મામલતદાર અને કૃષિપંચના હુકમ સામે અપીલ કરવાની જોગવાઈઓ છે. ગણોતધારાની કલમ-૭૬ હેઠળ કલેક્ટર, મામલતદાર અને કૃષિપંચ સમક્ષ ચાલતા અથવા નાયબ કલેક્ટર જમીન સુધારા પાસે ચાલતા કેસોની તબદીલ કરવાની સત્તાઓ છે. નાયબ કલેક્ટર જમીન સુધારાના હુકમ સામે ગણેતધારા હેઠળના ગુજરાત જમીન મહેસુલ પંચ (Gujarat Land Revenue Tribunal) GRT સમક્ષ રીવીઝન / અપીલ અંગેની જોગવાઈઓ છે.

ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદામાં (ALT) કાયદામાં પણ મામલતદાર અને કૃષિપંચને ખેડુત ખાતેદારને રાજ્ય સરકાર દ્વારા ગામવાર નક્કી કરેલ ક્ષેત્રફળ ૩ મુજબની જમીન નિયત તારીખે જે રાખવાપાત્ર જમીન હોય તે અંગે નિર્ણય લેવાની સત્તાઓ છે અને રાખવાપાત્ર જમીન હોય તેના કરતાં વધારે હોય તો જમીન ફાજલ કરવાના અધિકારો છે અને જેમ ગણોતધારામાં જોગવાઈ છે તેમ ખેત જમીન ટોચમર્યાદા ધારામાં પણ મામલતદાર અને કૃષિ પંચના હુકમો સામે નાયબ કલેક્ટર જમીન સુધારા સમક્ષ અને તબક્કાવાર ગુજરાત જમીન મહેસુલ પંચ સમક્ષ રીવીઝન અને અપીલ કરવાની જોગવાઈઓ છે. 

આ તમામ પ્રક્રિયામાં રીવીઝન / અપીલ્સ કરવાની સમય મર્યાદા નક્કી કરવામાં આવેલ છે. રીવીઝન બાબતની સમય મર્યાદામાં સુપ્રિમકોર્ટનું ૧૦-જીએલઆર રાઘવનાથ / શકવર્તી ચુકાદો છે જેમાં Reasonable Period એટલે કે એક વર્ષની સમય મર્યાદામાં રીવીઝનમાં લેવાનું સુચિત કરેલ છે.

 ઉપર્યુક્ત તમામ મહેસુલી સત્તાધિકારીઓને અપીલ / રીવીઝનની સત્તાઓ છે. તે સામાન્ય જનસમુદાયને જાણકારી મળે તે માટે વર્ણન કરવામાં આવ્યું છે.

No comments:

Post a Comment

મિલકતની બક્ષિસ એટલે આપનાર માટે અને સ્વીકારનાર માટે જરૂરી માહિતી

  તમારી જમીન, તમારી મિલકત | નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ) thelaw_office@yahoo.com મિલકત તબદિલી અધિનિયમ-૧૮૮૨ માં મિલકતની બક્ષિસ અંગેના ઉચ્ચ કો...