3.03.2019

બિનખેતી અને બાંધકામ પરવાનગી મહત્વનું કદમ: અમલીકરણ વાસ્તવિક બને તે જરૂરી...




બિનખેતી અને બાંધકામ પરવાનગી મહત્વનું કદમ: અમલીકરણ વાસ્તવિક બને તે જરૂરી..

લોકાભિમુખ માર્ગદર્શન - H.S. પટેલ IAS (નિ.)

સત્તાના વિકેન્દ્રીકરણના ભાગરૂપે બિનખેતી અને બાંધકામ પરવાનગીમાં સક્ષમ સત્તાધિકારીઓને સત્તા - સોંપણી (Delegation) વૈશ્વિકરણ (Globalisation) Liberalisation ઉદારીકરણ અને ખાનગીકરણ (Privatisation) આ ૨૧મી સદીના આથક સુધારાના (Economic Reforms) વિકાસના અગત્યના પરિમાણો (Parameters) છે અને આ સિધ્ધ કરવા સરકારી કામકાજની પ્રક્રિયામાં સરળીકરણ, કાયદાઓમાં સુધારા, લાયસન્સરાજનો અંત Decontrol વગેરે બાબતોનો સમાવેશ થાય છે.

અંગ્રેજ શાસન વ્યવસ્થાના ભારતમાં તેઓનો ઉદ્દેશ નિયમનકારી (Regulating) હતો કારણકે તેમાં સંસ્થાનવાદનું હિત-તત્વ સમાયેલ હતું અને અંગ્રેજોએ જે વહિવટીતંત્ર વિકસાવેલ, તે અમલદારશાહી (Bureaucratic) અને Red Tepsim લાલફિતાશાહી તરીકે ઓળખાય છે અને સરકારી તંત્ર પીરામીડ એટલે કે hierarchy કરોડરજ્જુની માફક હોય છે.

પરંતુ Nervous System ચેતાતંત્ર નથી કારણકે તે પ્રક્રિયા આધારિત સરકારી કાર્યપધ્ધતિ છે અને સ્વાભાવિક છે કે, કાયદાનું શાસન (Rule of Law) જળવાય પરંતુ મહત્વનું એ છે કે, નાગરિકને જે કાયદેસરની સેવાઓ આપવાની છે તે સમયમર્યાદામાં વિનાવિલંબે, અડચણ વિના Without Hessની મળે. તાજેતરના વર્લ્ડબેન્કના રીપોર્ટમાં ભારતનો ક્રમ ૧૪૫ ક્રમે હતો તે ૭૭માં ક્રમે થયો છે તે હક્કિત છે Ease of Doingનું રેન્કીંગ દેશના રાજ્યો વચ્ચે પણ કરવામાં આવે છે અને ગુજરાત અગાઉ પ્રથમક્રમે હતું તે હાલ ત્રીજા ક્રમે છે જો કે આ રેન્કીંગ Dynamic છે. આ સંદર્ભમાં ગુજરાત સરકારે, થોડા સમય પહેલાં ઓનલાઈન બાંધકામ પરવાનગી અને ઓનલાઈન બિનખેતીની પરવાનગીના નિર્ણયો છે. ઓનલાઈન બાંધકામ પરવાનગીમાં તો હજુ પણ ફેબુ્રઆરી સુધી આફ લાઈન એટલે કે સમાંતર પ્રક્રિયા ચાલુ છે. ખરેખર તો આ નિર્ણયો અમલી કરવામાં Business Process હેઠળ જે Workflow નક્કી કરવામાં આવ્યો હોય તે તમામ કચેરીઓ vwht Internet ylu Robust Networkle mt:u Customised Software પાયાની જરૂરિયાત છે. ઘણીવાર આપણે જોઈએ છીએ ૈંહાીહિીાની જે કક્ષાએ સ્પીડ હોવી જોઈએ તે હોતી નથી.

બીજું કે સૌથી મોટી અડચણ હોય તો કર્મચારી / અધિકારીઓની માનસિકતા અને વલણમાં બદલાવ લાવવો પડે, કેમકે હાલની કાર્યપધ્ધતિમાં કર્મચારી / અધિકારી કાગળોની ફાઈલથી ટેવાયેલ છે અને Querry પૃચ્છા નામનું તત્વ હોય છે એટલે દરેક કર્મચારી / અધિકારીને ટેક્નોલોજીક્લ સેવી (Tech. Savy) બનાવવા માટે સઘન તાલીમ આપી વલણમાં આમુલ પરિવર્તન કરવું જરૂરી છે.

આ ઉપરાંત જે વિષય ઉપરની પરવાનગી આપવાની હોય તે અંગેના દસ્તાવેજો સૌથી પ્રસ્તુત અને ઓછા હોવા જોઈએ. ઘણી માહિતી સરકારી રેકર્ડ ઉપર જ ઉપલબ્ધ હોય તે અરજદાર પાસે મંગાવવામાં આવે અને અરજદારને તે માહિતી / દસ્તાવેજ સરકારી કચેરીમાંથી મેળવવામાં મુશ્કેલી પડે છે અને તે મુદ્દા ઉપર ઓનલાઈન અરજી સ્વીકારવામાં ન આવે.

દા.ત. સબંધિત ટીપીનો ફાયનલ પ્લોટ ક્યા ઝોનમાં આવે છે અથવા ફાયનલ પ્લોટના ક્ષેત્રફળમાં તફાવત હોય, આ બાબત ઉદાહરણ સ્વરૂપે જણાવી છે તે જ રીતે બાંધકામ પરવાનગી આપતા સક્ષમ અધિકારી (Competent Authority) તરીકે સત્તા સોંપણી Delegations of Powers કરવા જોઈએ અને Workflowમાં ઓછામાં ઓછા જવાબદાર અધિકારી હોય તો ઝડપથી પરવાનગી આપી શકાય. આમ સરકાર આ અભિગમથી સરકારના ટાઉનપ્લાનીંગ ઓફિસર અને બાંધકામની પરવાનગી આપતા સક્ષમ અધિકારી અમલીકરણ કરે તો આ પગલું ગુજરાતને Ease of Doing Businessમાં અગ્રેસર રાખવામાં મહત્વનું પુરવાર થશે.બીજો મહત્વનો નિર્ણય રાજ્ય સરકારે, તાજેતરમાં સમગ્ર રાજ્યના તમામ જીલ્લાઓમાં લાગુ કર્યો છે તે ઓનલાઈન બિનખેતીની પરવાનગી, હજુ હું તો આગળ વધીને જણાવું છું કે, જ્યાં જમીન જુની શરતની છે. મહેસૂલી ટાઈટલ ક્લીયર છે ત્યાં બિનખેતીની પરવાનગી કાઢી નાખવાની જરૂર છે એટલે કે પાયાના સિધ્ધાંતને સમજવામાં આવે તો મહેસૂલી તંત્રનુ મુખ્ય કાર્ય ૧૮૭૯માં જ્યારે મહેસૂલ કાયદો ઘડાયો ત્યારે ક્યા ખાતેદાર / કબજેદાર પાસેથી મહેસૂલ કેટલું ઉઘરાવવું તે હતો અને આજે છે જો કાયમી ખરડો ગામના નમુના નં. ૧ જોવામાં આવે તો તેમાં ખેતવિષયક નંબર દર્શાવેલ છે એટલે કે જ્યારે જમીન મહેસૂલ કાયદાની કલમ-૬૫ બિનખેતી એટલા માટે રાખવામાં આવેલ કે, જ્યારે ખેતી સિવાયનો ઉપયોગ થાય ત્યારે બિનખેતી વિષયક ધારો વસુલ લેવો અને કાયમી ધોરણે બિનખેતી વિષયક ધારો વસુલ કરવા - કાયમી ઉપજ તરીકે ગામના નમુના નં. ૨ માં ચઢાવવી, આ પાયાનો સિધ્ધાંત છે, આટલી કામગીરી માટે જેમ પ્રામાણિક ઔદ્યોગિક હેતુ માટે ખાતેદાર / જમીનનો ધારક જમીન ખરીદીને ક્લેક્ટરને જાણ કરી દે છે અને તે, પરવાનગી આપવાની જવાબદારી કલેક્ટરની છે તે જ રીતે બિનખેતીની પ્રક્રિયા એવી રીતે સરળ કરી શકાય કે, જુની શરતની જમીનનો ધારણકર્તા જેનું ટાઈટલ ક્લીયર હોય તે બિનખેતી ઉપયોગ કરવા માંગતો હોય તે અંગે જે સબંધિત વિસ્તાર પ્રમાણે બિનખેતી ધારા તેમજ રૂપાંતરિત કરની રકમ ભરીને કલેક્ટરને જાણ કરે અને કલેક્ટર તે આધારે કાયમી ઉપજ વસુલ કરવાનો અનૌપચારિક હુકમ કરે, કારણ કે હવે જુના ૧૮૭૯ના કાયદા વખતે ફક્ત કલેક્ટર એક જ વ્યવસ્થાતંત્ર હતું તે વખતે ટાઉનપ્લાનીંગ / માસ્ટર ડેવલપમેન્ટ પ્લાન / અલગ શહેરી વિકાસ સત્તામંડળો / મહાનગરપાલીકા / નગરપાલીકાનું તંત્ર ન હતું અને હવે રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં કોમન જી.ડી.સી.આર. કરી દીધા છે ત્યારે આ પ્રક્રિયામાં જો સુધારો કરવામાં આવે તો મને લાગે છે કે, ગુજરાત સરકાર Ease of Doing Business કાયમી ધોરણે પ્રથમ ક્રમે રહેશે.તાજેતરમાં સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં જીલ્લા / તાલુકા પંચાયત હસ્તક બિનખેતીની સત્તાઓ હવે કલેક્ટર કક્ષાએ આપી છે. આ એક અગત્યનું મહત્વનું કદમ છે કારણ કે સૌને ખબર છે કે, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં બિનખેતીની પરવાનગીમાં વિલંબિત પ્રક્રિયાની સાથે અઘટિત આચરણો થતા હતા અને આ સત્તાઓ મુળ મહેસૂલ વિભાગ હસ્તક જ હતી.

પરંતુ પંચાયતી રાજની વિભાવના સાથે સત્તા અને સાધનો પંચાયતોને આપવાના હતા, ખરેખર તો તેમાં બિનખેતીની પરવાનગીની બાબત ન હતી, પરંતુ જે મહેસૂલી આવક આવે તેમાંથી પંચાયતોને હિસ્સો આપવાનો હતો અને આ સત્તાઓ જમીન મહેસૂલ નિયમો હેઠળ હતી એટલે હાલ જે ફેરફાર કરવામાં આવ્યો છે તે લોકોના હિતમાં છે.પરંતુ જેમ અમુક કક્ષાના ગામો માટે જેમ તાલુકા પંચાયતને બિનખેતીની પરવાનગી આપવાની સત્તા હતી તેમ જ્યારે આ સત્તાઓ કલેક્ટર હસ્તક કરવામાં આવી છે તેના બદલે આ સત્તાઓ ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીને ઘીનીયચાી કરી દેવાની જરૂર છે જેથી ઝડપથી પરવાનગીઓ અપાશે અને બિનખેતીની ઓનલાઈન પધ્ધતિમાં પણ બાધકામની પરવાનગીની જેમ ઓછામાં ઓછા દસ્તાવેજો ખાતેદારો / કબજેદારો પાસે માંગવા જોઈએ.

૧૯૫૧થી શરૂ કરીને તમામ ૭/૧૨ કે હક્કપત્રકની નોંધો પક્ષકાર પાસેથી માંગવાને બદલે આ રેકર્ડ કોમ્પ્યુટરાઈઝ કરવાથી તમામ ઓનલાઈન ઉપલબ્ધ છે તો તેનાથી ખાત્રી કરવી જોઈએ અને ફક્ત કલેક્ટરેે બિનખેતીનો આકાર / રૂપાંતરિત કર વસુલ કરવાનો હુકમ અને આપોઆપ કાયમી ઉપજ તરીકે નમુના નં. ૨ માં ચઢી જાય અને તે પણ ઓનલાઈન ડિમાન્ડ નોટીસ સબંધિત ખાતેદારને મોકલાય અને તે ઓનલાઈન ચુકવણું પણ થાય તો સાચા અર્થમાં ઉપર જણાવેલ બાબતોથી કામકાજમાં સરળતા - વાસ્તવિક સ્વરૂપે અમલી બનશે.


















No comments:

Post a Comment

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...